જો ઉમેદવાર લોકસભા ચૂંટણી જીતે તો વિધાનસભાની પેટાચૂંટણી આવે


આજરોજ તા.4 એપ્રિલ 2019ને ગુરુવાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત છે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં જે ઉમેદવારી પત્રો મળશે, તેની ચકાસણી કર્યા બાદ ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ મુદતે સમગ્ર ગુજરાતની 26 બેઠકોનું ચિત્ર જાહેર થયું હતું.
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસના બે બાકી ઉમેદવારો જેમાં ભરૂચ ખાતે શેરખાન પઠાણ જ્યારે દાહોદ ખાતે બાબુ કટારાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્ય જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે રહેશે. પ્રસ્તુત છે બેઠક વાઇઝ ભાજપ અને કોંગ્રેસા ઉમેદવારોની યાદી.

| બેઠક | ભાજપ | કૉંગ્રેસ |
|---|---|---|
| અમદાવાદ (પૂર્વ) | એચ. એસ. પટેલ | ગીતા પટેલ |
| અમદાવાદ (પશ્ચિમ) (SC) | ડૉ. કિરીટ સોલંકી | રાજુ પરમાર |
| ગાંધીનગર | અમિત શાહ | ડૉ. સી. જે. ચાવડા |
| વડોદરા | રંજન ભટ્ટ | પ્રશાંત પટેલ |
| સુરત | દર્શના જરદોશ | અશોક અધેવાડા |
| રાજકોટ | મોહન કુંડારિયા | લલિત કગથરા |
| ભરૂચ | મનસુખ વસાવા | શેરખાન પઠાણ |
| મહેસાણા | શારદા પટેલ | એ. જે. પટેલ |
| જામનગર | પૂનમ માડમ | મૂળુ કંડોરિયા |
| ભાવનગર | ડૉ. ભારતી શિયાળ | મનહર પટેલ |
| જુનાગઢ | રાજેશ ચુડાસમા | પૂંજાભાઈ વંશ |
| સુરેન્દ્રનગર | ડૉ. મહેન્દ્ર મુંજપરા | સોમા પટેલ |
| પોરબંદર | રમેશ ધડુક | લલિત વસોયા |
| અમરેલી | નારણ કાછડિયા | પરેશ ધાનાણી |
| કચ્છ (SC) | વિનોદ ચાવડા | નરેશ મહેશ્વરી |
| આણંદ | મિતેશ પટેલ | ભરતસિંહ સોલંકી |
| ખેડા | દેવુસિંહ ચૌહાણ | બીમલ શાહ |
| પંચમહાલ | રતનસિંહ રાઠોડ | વી. કે. ખાંટ |
| દાહોદ (ST) | જશવંતસિંહ ભાભોર | બાબુ કટારા |
| છોટા ઉદેપુર (ST) | ગીતા રાઠવા | રણજીત રાઠવા |
| બનાસકાંઠા | પરબત પટેલ | પાર્થી ભટોળ |
| સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | રાજેન્દ્ર ઠાકોર |
| પાટણ | ભરતસિંહ ડાભી | જગદીશ ઠાકોર |
| વલસાડ (ST) | ડૉ. કે. સી. પટેલ | જીતુ ચૌધરી |
| બારડોલી (ST) | પરભુ વસાવા | ડૉ. તુષાર ચૌધરી |
| નવસારી | સી. આર. પાટીલ | ધર્મેશ પટેલ |
ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે યોજાનારી ચૂંટણીના મતદારોમાં છેલ્લા થોડા દિવસેમાં જ છ લાખ જેટલા નવા મતદારોનો ઉમેરો થતા હવે કુલ 4.51 કરોડ મતદારો નોંધાયા છે. જેમાં 2.34 કરોડ પુરૂષ અને 2.16 કરોડ મહિલા તથા 990 થર્ડજેન્ડર મતદારોનો સામાવેશ થાય છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી -2019 દરમ્યાન ઉપયોગમાં લેવાનાર મતદારયાદીમાં પુરુષ મતદારો 2,34,28,119 અને સ્ત્રી મતદારો 2,16,96,571 છે જ્યારે ત્રીજી જાતિના 990 મળીને કુલ મતદારો 4,51,25,680 નોંધાયા છે. તા. 01.01.2019ની લાયકાતની તારીખ સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા. 01-09-2018 ના રોજ મતદાર-યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતા. તેમજ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા.31.01.2019 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી અને પુરવણી-1 તૈયાર કરવામાં આવી હતી. તા. 01.09.2018 ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દાની સ્થિતિએ મતદારો જોઇએ તો 2,29,18,894 પુરુષ મતદારો, સ્ત્રી મતદારો 2,11,55,545 અને ત્રીજી જાતિના 834 મતદારો નોંધાયા હતા.
આમ કુલ મતદારો 4,40,75,273 હતા. ત્યારબાદ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 દરમ્યાન પુરવણી-1માં ઉમેરાયેલા મતદારો (તા. 01-09-2018 થી તા. 31.01.2019 દરમ્યાન) જોઇએ તો પુરુષ 3,37,61 સ્ત્રી 3,33,069 અને ત્રીજી જાતિના 219 મળીને કુલ મતદારો 6,70,906 ઉમેરાયાં છે.
ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી વિદ્યાર્થિનીની અધ્યાપક ડૉ. વશિષ્ઠ ભટ્ટે કરેલી જાતીય સતામણીની ફરિયાદનો તપાસ રિપોર્ટ ઇન્ટરનલ કમ્પેલન કમિટીએ બુધવારે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરતાં આ રિપોર્ટના આધારે તેમની સામે એકશન લઈ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

એક વિદ્યાર્થિનીએ ડૉ. ભટ્ટ સામે કરેલા આરોપો સાચા સાબિત થતાં હોવાનું આઈસીસીને માલૂમ પડ્યું હતું. જેને પગલે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. રિપોર્ટ અનુસાર પ્રોફેસર જમ્યા બાદ રૂમમાં જતાં સીસીટીવીમાં દેખાયા હતા. જેમાં તેઓ બે વિવિધ કેટેગરીના રૂમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેેખનીય છે કે, તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થિનીઓએ અભ્યાસ કરવાનો ઈનકાર કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઑફ સાયન્સ કેમિસ્ટ્રીની પીએચડી.ની વિદ્યાર્થિની સાથે ડૉ. વશિષ્ઠ ભટ્ટે જાતિય સતામણી કરી હોવાની ફરીયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ ફરિયાદ કરી હતી. જાતીય સતામણીની ફરીયાદ બાદ ઇન્ટરનલ કમ્પલેન કમિટીએ હાથ ધરેલી તપાસ પૂર્ણ કરી તેનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં બુધવારે રજૂ કરવામાં આવ્યો હતો જેને લઈને નિયત માર્ગદર્શિકા અનુસાર દોષિતની સામે કડકમાં કડક કાર્યવાહી નિધાર્રિત કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી.
ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે યોજાનારી ચૂંટણીના મતદારોમાં છેલ્લા થોડા દિવસેમાં જ 6 લાખ થી વધુ નવા મતદારોનો ઉમેરાયા છે.
લોકસભા 2019ની ચૂંટણીમાં હવે કુલ 4.51 કરોડ મતદારો મતદાન કરી શકશે. ગુજરાતની અદ્યતન મતદાર યાદીમાં 2.34 કરોડ પુરૂષ અને 2.16 કરોડ મહિલા તથા 990 થર્ડજેન્ડર મતદારોનો સામાવેશ થાય છે.

સૌથી વધુ મતદારો નવસારી મતવિસ્તારમાં 19.71 કરોડ અને સૌથી ઓછા ભરૂચ મતવિસ્તારમાં 15.64 કરોડ મતદારો નોંધાયા છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી -2019 દરમ્યાન ઉપયોગમાં લેવાનાર મતદારયાદીમાં પુરુષ મતદારો 2,34,28,119 અને સ્ત્રી મતદારો 2,16,96,571 છે જ્યારે ત્રીજી જાતિના 990 મળીને કુલ મતદારો 4,51,25,680 નોંધાયા છે.
તા. 01.01.2019ની લાયકાતની તારીખ સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા. 01-09-2018 ના રોજ મતદાર-યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતા. તેમજ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા.31.01.2019 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી અને પુરવણી-1 તૈયાર કરવામાં આવી હતી. તા. 01.09.2018 ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દાની સ્થિતિએ મતદારો જોઇએ તો 2,29,18,894 પુરુષ મતદારો, સ્ત્રી મતદારો 2,11,55,545 અને ત્રીજી જાતિના 834 મતદારો નોંધાયા હતા.
આમ કુલ મતદારો 4,40,75,273 હતા. ત્યારબાદ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 દરમ્યાન પુરવણી-1માં ઉમેરાયેલા મતદારો (તા. 01-09-2018 થી તા. 31.01.2019 દરમ્યાન) જોઇએ તો પુરુષ 3,37,61 સ્ત્રી 3,33,069 અને ત્રીજી જાતિના 219 મળીને કુલ મતદારો 6,70,906 ઉમેરાયાં
કૉંગ્રેસ હાઇકમાન્ડ અને ખાસ કરીને રાજ્ય પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત પડકાર આપવા માટે જોરદાર ‘હોમવર્ક’ કર્યું હોવાનો અણસાર આવે છે. એમાં પણ ખાસ કરીને અમરેલી, ભરૂચ અને ભાવનગર બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને રાજીવ સાતવે એક કાંકરે સંખ્યાબંધ પક્ષીઓ મારવા મહેનત લીધાનું મનાય છે.

અમરેલી બેઠક પર રાજ્ય વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારીને એક કાંકરે અડધો ડઝન ખેલ પાડ્યાનું મનાય છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે એકવાકયતાના અભાવના ઘણા કિસ્સાઓ જાહેર થયાનું મનાય છે ત્યારે
સૌ પ્રથમ તો અમરેલી જિલ્લામાં હાલ કૉંગ્રેસ માટે સૌથી વધુ કદાવર આગેવાન પરેશ ધાનાણી ગણાય છે. અહીંની બેઠકમાં અડધો ડઝન મૂરતિયાઓએ ટિકિટને પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવ્યાનું નજરે પડતું હતું.
ધાનાણીને મેદાને ઊતારીને તમામ ટિકિટવાંચ્છુઓને તેમના વિસ્તારમાં કૉંગ્રેસને લીડ અપાવવા માટે કામે લાગી જવાની સૂચના આપી દેવાઈ હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ એ પણ જોવા માગે છે કે અમરેલીમાં ધાનાણીની સ્વીકૃતિ કેટલી? ધાનાણીને વિધાનસભામાં સમગ્ર ગુજરાતની જવાબદારી સોંપાઈ છે ત્યારે સ્વગૃહે ધાનાણી કેટલા તાકાતવર?
જો પરેશ ધાનાણી લોકસભામાં જીતીને સાંસદ બને તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા વચ્ચેના ગજગ્રાહનો અંત આવે.
અન્ય વિધાનસભ્યને વિપક્ષી નેતા બનાવી શકાય.
આ ઉપરાંત અમરેલી વિધાનસભા બેઠક ખાલી થાય અને તેમાં પોતાનો ચાન્સ લાગે તે માટે અમરેલીના કૉંગ્રેસીઓ કૉંગ્રેસને જીતાડવા તનતોડ પ્રયાસો પણ કરશે.
અમરેલી ધારાસભા બેઠક ખાલી થાય તો પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડીને પોતાની સત્તા લાલસા સંતોષી શકાય તે માટે રાજકારણના કાવાદાવા સ્વરૂપે ભાજપના પણ અમૂક ખેરખાંઓનો પરેશ ધાનાણીની જીત માટે આડકતરી મદદ મળવાની કૉંગ્રેસ આશા સેવે તે પણ સ્વભાવિક છે. આમ, આ રીતે જોતા મહારાષ્ટ્રમાં ગત લોકસભા બેઠકનાં માત્ર બે બેઠકો કૉંગ્રેસ જીતી હતી તેમાનાં એક વિજયી સાંસદ એવા રાજીવ સાતવ રાજકારણના ગણિતમાં માહિર છે. તેમની ચાણકય નીતિ આ વખતની લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગીમાં સ્પષ્ટ નજરે પડે છે.
રાજકોટ સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસે એક વખત પાણી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે
એક તરફ સૌરાષ્ટ્રમાં ચૂંટણીની ગરમી અને ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, અને બહુમતિ લોકોમાં આ બન્ને મુદ્દાઓ પર ભારે ચર્ચા છેડાયેલી જોવા મળે છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સૌથી વિકટ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે તેના પરત્વે લોકો સાવ અજાણ બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે હાલ આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ છે.
જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે .જ્યારે રાજકોટમાં પ્રતિદિન 20 મિનિટ અને 17 ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યુ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તેમ જ પોરબંદર 3 દિવસે 30 મિનિટ અને પાંચ ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. મોરબી એકાંતરે અડધી કલાક જ્યારે ત્યાંના 14 ગામડામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં ત્રણ દિવસે પાણી હાલમાં મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
જયેશ બ્રહ્મભટ્ટ
લોકો અને કાર્યકરોમાં જોમ-જુસ્સો ઓસરી ગયા પછી આજે સુરત બેઠક પર ઉમેદવાર જાહેર થશે
સુરત સંસદીય મત વિસ્તાર જેવી સલામત બેઠક પર ભાજપાની કેન્દ્રીય નેતાગીરીએ તા.2લી એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી કોઇ ઉમેદવાર જ ઘોષિત નહીં કરતા સુરત ભાજપાના કાર્યકરોના નૈતિક બળ પર ઘેરી અસર થઇ છે. સ્થાનિક નેતાગીરી પણ અચંબામાં પડી જવા પામી છે. ખુદ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ શુક્રવારે સુરત ખાતે કહ્યું હતું કે મોડામાં મોડું શનિવાર, તા.30મી માર્ચે સાંજ સુધીમાં સુરતના ઉમેદવાર ઘોષિત થઇ જશે. પરંતુ, કેન્દ્રીય મોવડી મંડળ કયા પરિબળોને કારણે સુરત બેઠક પર ભાજપાના ઉમેદવાર ઘોષિત કરવામાં વિલંબ કરી રહી છે એ બાબત અકળ બની છે સાથે જ સ્થાનિક કાર્યકરોના જોમ-જુસ્સાને શાંત કરનારી નિવડી છે. બેશક આની સીધી અસર ભાજપાના પ્રચાર પર પડી શકે તેમ છે.
રોજેરોજ ભાજપાના ઉમેદવારો અંગે નવી નવી અટકળો બહાર આવે છે. તા.2 એપ્રિલ 2019ના રોજ સવારથી આ અટકળોમાં નીતિન ભજીયાવાળાના નામ સાથે દર્શના જરદોષ, અજય ચોક્સી, હેમાલી બોઘાવાલા, દર્શિણી કોઠીયા સિવાય નવું નામ આવ્યું અને એ પૂર્વ એમ.એલ.એ. જનક બગદાણાવાળાનું. મંગળવાર તા.2 એપ્રિલના રોજ સાંજે ક્લીયર થઇ જશે કે ભાજપાનો સત્તાવાર ઉમેદવાર સુરતની બેઠક પર કોણ હશે.

Nitin Bhajiyawala with PM Narendra Modi at airport once upon a time
દરમિયાન એવી પણ વાતો ઉડી છે કે સુરત બેઠક પર નીતિન ભજીયાવાળાની સાથે પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાવાળાનું નામ કેન્દ્રીય પાર્લામેન્ટમાં ચર્ચાયું છે અને અત્યાર સુધી તેમનું નામ ક્યાંયે પીકચરમાં ન હતું પરંતુ, છેલ્લી ઘડીએ જનક બગદાણાવાળાનું નામ ફેવરીટ લિસ્ટમાં આવી ચૂક્યું છે. વધુમાં સુરતની બેઠક પર તા.2જી એપ્રિલ 2019ના રોજ સુરત સમેત ગુજરાતની તમામ બાકી બેઠકો પર ભાજપા પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દેશે

Janak Bagadna, Ex MLA Gujarat
સુરત બેઠક માટે ભાજપાના ઉમેદવાર ઘોષિત કરવામાં કોંગ્રેસને મૂંઝવણ ઉભી થઇ શકે તે વાત માની શકાય પરંતુ, ભાજપા માટે સલામત ગણાતી સીટ પર કેન્દ્રીય મોવડીઓ વિલંબ કરી રહ્યા છે એ વાતે સ્થાનિક નેતાગીરીનો વિશ્વાસ પણ ડગી ગયો છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ જે ત્રણ નામો મોકલ્યા છે, સિટીંગ એમ.પી. દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા અને સુરત ઉત્તરના પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સી, આ ત્રણ નામો પૈકીના જ એક હોય તો એવું કયું કારણ છે કે તેમાંથી કોઇ એક નામ જાહેર થઇ શકતું નથી.
ઉમેદવાર જાહેર કરવામાં અતિશય વિલંબ થવા ઉપરાંત સ્થાનિક નેતાગીરી પૈકી કોઇને પણ કોઇ બાબતે વિશ્વાસમાં લેવાતા નથી, જેનો સીધો અર્થ એ થાય કે કેન્દ્રીય નેતાગીરી સામે સ્થાનિક નેતાઓની કોઇ વાત ચાલતી નથી, તેમને કોઇ મહત્વ અપાતું નથી. કેન્દ્ર માંથી જે આદેશ આવે તેનું જ સીધું પાલન જ કરવાનું, આવી સ્થિતિને પગલે સ્થાનિક ભાજપાના ઘણાં નેતાઓ પરેશાન છે પણ કોઇ કશું બોલી શકે તેટલા સક્ષમ નથી.
સુરત ભાજપામાંથી કોઇ નેતા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને સીધો ફોન કરવાની હિંમત કરી શકે નહીં પરંતુ, સુરતના બિલ્ડર ગમે તે ઘડીએ અમીત શાહને ફોન કરીને ટિકીટની માગણી કરી શકે છે.
મોરબીમાં 16 સિરામિક કંપની દ્વારા 17.76 કરોડની કર ચોરી, બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : રાજકોટ વાણિજય વેરા વિભાગ દ્વારા ફરિયાદ !



ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હોય જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આત્મવિલોપન વેળા ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોય તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો.