CIA ALERT
By CiA Live
12 Aug 2026 Bharat

‘જંતર-મંતર સીઝન 2 ટૂંક સમયમાં’: CJP ના સ્થાપક અભિજીત દિપકેનો સંકેત

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ પાર્ટીના વિરોધ અભિયાનના નવા તબક્કાનો સંકેત આપતા કહ્યું છે કે તેના “જંતર-મંતર” ચળવળનો “સીઝન 2” ટૂંક સમયમાં શરૂ થશે. ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર ‘જંતર-મંતર’ ની સીઝન 2 ક્યારે શરૂ થશે તે અંગે ટિપ્પણી કરી રહ્યા હતા. હું તેમને કહેવા માંગુ છું કે ‘જંતર-મંતર’ ની સીઝન 2 ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે,’ દિપકેએ કહ્યું.

By CiA Live
10 Aug 2026 Bharat

ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ અપડેટ્સ, CLAT 2027 પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ

By CiA Live
9 Aug 2026 Bharat

નાસિક અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા: લોકોમાં ફફડાટ

Dt.9 August 2026, શનિવારે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવતા સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા. આ ધરતીકંપની વ્યાપક અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી હતી, જ્યાં સાપુતારામાં ૩.૬ ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ સામાન્ય ધ્રુજારી અનુભવાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, આ દિવસોમાં પડી રહેલા ભારે વરસાદને લીધે સર્જાયેલી હાઇડ્રો-સિસ્મિક પ્રવૃત્તિને કારણે આ આંચકા આવ્યા હતા.


By CiA Live
8 Aug 2026 Bharat

FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં ગુજરાત દેશમાં ટોપ પર

નીતિ આયોગના “ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026″મુજબ ગુજરાત 73.9 બિલિયન ડોલર વિદેશી રોકાણ મેળવવામાં દેશમાં ટોપ પર છે. જેમાં એપ્રિલ 2020 થી 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને 2029 થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે. આ બાબત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આયોજિત વિકસિત ગુજરાત સમિટ 2026માં જણાવી હતી.

By CiA Live
7 Aug 2026 Bharat

2021થી 2024 દરમિયાન PM મોદીની વિદેશ યાત્રાઓ પાછળ Rs.295 કરોડનો ખર્ચ

કેન્દ્ર સરકારે સંસદમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પર થયેલા કુલ ખર્ચનો ખુલાસો કર્યો છે. વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે આ વર્ષે અત્યાર સુધીમાં વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ પર રૂપિયા 74.5 કરોડનો ખર્ચ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2021 થી 2024 સુધીની વિદેશ યાત્રાઓ પાછળ કુલ 295 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં ફ્રાન્સની મુલાકાત 25 કરોડ સાથે સૌથી મોંઘી રહી હતી. મોદીએ કુલ 23 દેશોની મુલાકાત લીધી હતી.

By CiA Live
3 Aug 2026 Bharat

સુપ્રીમ કોર્ટમાં 10,000 કેસ 10 વર્ષથી, હાઈકોર્ટમાં 80,000 કેસ 30 વર્ષથી પડતર

સુપ્રીમ કોર્ટમાં ૧૦ વર્ષથી વધુ સમયથી ૧૦,૦૦૦ થી વધુ કેસ પડતર છે – જેમાં ૫૫૮ કેસ ૨૦ વર્ષથી વધુ સમયથી પડતર છે, અને ૨૬ કેસ ૩૦ વર્ષથી વધુ સમયથી પડતર છે. દેશભરની ૨૫ હાઈકોર્ટમાં, ૮૦,૦૦૦ થી વધુ કેસ ત્રણ દાયકાથી વધુ સમયથી પડતર છે. ગયા અઠવાડિયે સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કેસોના નિકાલની જવાબદારી ન્યાયતંત્ર પર મૂકી, જેણે તેમના નિકાલ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી.

By CiA Live
1 Aug 2026 Bharat

બિહારના હિલસામાં શરૂ કરાયો કોકરોચ કેફે

આજકાલ ‘કોકરોચ’ શબ્દ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે બિહારના હિલસા બાયપાસ પાસે એક અનોખું કોકરોચ કેફે (Cockroach Cafe) શરૂ કરવામાં આવ્યું છે.કેફેનો લુક અને એમ્બિયન્સમાં બ્લેક કલરની થીમ રાખવામાં આવી છે. ટીનની છત પર પીળી લટકતી લાઈટો, દીવાલ પર નકલી વેલ-ફૂલની સજાવટ, કાળા સોફા, લાલ ગાદી અને કાચના ટેબલથી સુંદર માહોલ તૈયાર કરાયો છે. કેફેના માલિકના જણાવ્યા અનુસાર, યુવાનોને હંમેશા કંઈક અલગ પસંદ આવે છે. ‘કોકરોચ કેફે’ એક જ છે. આ નામ લોકોને આકર્ષવા અને મફતમાં પબ્લિસિટી મેળવવા માટે રાખવામાં આવ્યું છે.

By CiA Live
1 Aug 2026 Bharat

ઓગસ્ટમાં અડધો મહિનો બેંક હોલિડેઝ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા હોલિડે કેલેન્ડર મુજબ, ઓગસ્ટ, 2026માં દેશભરની અલગ-અલગ બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર, રવિવારની સાપ્તાહિક રજાઓ ઉપરાંત સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, ઓણમ અને મિલાદ-ઉન-નબી જેવા તહેવારો અને પ્રાદેશિક ઉત્સવોનો સમાવેશ થાય છે. 

By CiA Live
30 Jul 2026 Bharat

વંદે માતરમ બિલ પસાર, અપમાન બદલ ત્રણ વર્ષની સજા

લોકસભા અને રાજયસભા એમ બન્ને ગૃહોમાં આજે તા.30 જુલાઇ 2026ના રોજ વંદે માતરમ બિલ પસાર થયું છે. આ બિલમાં સુધારા બાદ હવે વંદે માતરમમાં અપમાન બદલ ત્રણ વર્ષ જેલની સજા અને દંડની જોગવાઇ છે. આ સુધારા હેઠળ વંદે માતરમના અપમાન સંબંધિત જોગવાઈઓને કાનૂની રક્ષણ મળશે. એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું અપમાન કરે છે અથવા રાષ્ટ્રગીતમાં ખલેલ પહોંચાડે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ- દંડ અથવા બંને થઈ શકે છે.

By CiA Live
29 Jul 2026 Bharat

ભારતમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકાશે

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની ૧૦ અને ૨૦ રૂપિયાની અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાની પ્લાસ્ટિક (પોલિમર) નોટો ટ્રાયલ તરીકે બહાર પાડવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ વિશેષ પરીક્ષણ માટે દેશના અલગ-અલગ આબોહવા ધરાવતા શહેરો જેવા કે કોચી, મૈસૂર, શિમલા અને ભુવનેશ્વરની પસંદગી કરવામાં આવી છે. હાલમાં ચલણમાં રહેલી કુલ નોટોની સંખ્યામાં આ બંને નોટોનો હિસ્સો લગભગ ૨૫ ટકા જેટલો મોટો છે, પરંતુ કુલ ચલણી મૂલ્યની દ્રષ્ટિએ તે માત્ર ૧.૩ ટકા જેટલો જ થાય છે.

By CiA Live
29 Jul 2026 Bharat

ભારતનું નંબર-1 એરપોર્ટ જેની પાસે એકપણ ફ્લાઇટ નથી

મધ્યપ્રદેશના ખજૂરાહો શહેરના એરપોર્ટ કે જેને તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાજાં ગ્રાહક સંતોષ સૂચકાંક (CSI) માં ભારતના ટોચના એરપોર્ટનો ક્રમાંક આપવામાં આવ્યો છે. આ જાહેરાતના ટૂંકા ગાળામાં જ એટલે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ખજૂરાહો એરપોર્ટ પાસે એક પણ કમર્શિયલ ફ્લાઇટ્સ કાર્યરત નથી. આ પરિણામથી ઉડ્ડયન ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જેનાથી AAI સર્વેના માપદંડો પર પ્રશ્નો ઉભા થયા છે.એરપોર્ટ પરથી દિલ્હી અને વારાણસીને જોડતી માત્ર બે ફ્લાઇટ્સ સંચાલિત થતી હતી. બંને હવે બંધ કરી દેવામાં આવી છે.

By CiA Live
27 Jul 2026 Bharat

કેન્દ્ર સરકારને કોકરોચ જનતા પાર્ટીની ખુલ્લી ચેતવણી: ‘દગો સહન નહીં થાય, ફરી દેશવ્યાપી આંદોલન કરીશું’

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, દેખાવકારો સામે પોલીસ પગલાં ન લેવાની શરતનો અનાદર થઈ રહ્યો છે અને આવો વિશ્વાસઘાત બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સંબંધિત મંત્રીઓને ટેગ કરીને દિલ્હી, બિહાર અને બંગાળમાં થઈ રહેલી પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે.પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે જો નોંધાયેલી FIR પાછી ખેંચીને પકડાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ ફરી એકવાર દેશભરમાં મોટા પાયે ધરણાં પ્રદર્શનો શરૂ કરશે.

By CiA Live
27 Jul 2026 Bharat

CJPથી બળ મળ્યું હવે E20 જનતા પાર્ટી ઇથેનોલ-મુક્ત પેટ્રોલ માટે ચળવળ શરૂ કરવાના રસ્તે

NEET પેપર લીકના કારણે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું તે અંગે કોકરોચ જનતા પાર્ટીના અભિયાનથી પ્રેરિત થઈને, એક નવી સંસ્થા – E20 જનતા પાર્ટી – મેદાનમાં આવી છે. વાહનચાલક ગ્રાહકોને 100% શુદ્ધ (ઇથેનોલ મુક્ત) પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ આપવાની માંગ કરી રહી છે અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીનું રાજીનામું માંગી રહી છે. દિલ્હી ટેક્સી અને ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશને 4 ઓગસ્ટે E20 પેટ્રોલ સામે સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે.

By CiA Live
27 Jul 2026 Bharat

સંસદમાં આજે (27/07/26) પેપર લીક વિરોધી નવુ સુધારા બિલ રજૂ કરાશે, 10 વર્ષની જેલની જોગવાઈ

આજે 27/07/2026 સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, 2026’ રજૂ કરશે. NEET વિવાદ બાદ પરીક્ષા પારદર્શિતા વધારવા આ બિલ લાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ જજ સુધારા બિલ પણ રજૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિને વધુ ટેકનોલોજીકલ અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજી એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે.
ટાસ્ક ફોર્સના સભ્યો: પૂર્વ ISRO પ્રમુખ ડો. એસ. સોમનાથ, પૂર્વ IB ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણા.

By CiA Live
26 Jul 2026 Bharat

પ્રહલાદ જોશીને સોંપાયો શિક્ષણ મંત્રાલયનો એડિશનલ ચાર્જ, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરમાં એ વાતને લઈને ભારે ઉત્સુકતા અને ચર્ચા જાગી હતી કે હવે દેશના મહત્વપૂર્ણ એવા શિક્ષણ મંત્રાલયની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારે તમામ અટકળોનો અંત આણીને આ મહત્વપૂર્ણ અને મોટી જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને સોંપવાનો નિર્ણય કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણ બાદ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. 

By CiA Live
25 Jul 2026 Bharat

સરકારે ત્રણેય માંગણીઓ સ્વીકારતા જંતર-મંતર પર CJPનું એક મહિના લાંબું આંદોલન સમેટાયું

નીટ પેપર લીક વિવાદ અંગે દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક માસથી વિરોધ પ્રદર્શન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીએ (CJP) આજે પોતાનું આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી મહત્વની બેઠક બાદ CJPના પ્રતિનિધિઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ માહિતી આપી હતી કે, સરકાર દ્વારા તેમની ત્રણેય મુખ્ય માંગણીઓ મંજૂર કરવામાં આવી છે

By CiA Live
25 Jul 2026 Bharat

CJP અધ્યક્ષ અભિજિત દિપકેએ કહ્યું, દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહિએ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. CJPના ફાઉન્ડર અભિજિત દીપકે અને તેમના સમર્થકો દિલ્હીના જંતર-મંતર પર ઉજવણી કરી રહ્યા છે. દીપકેએ જણાવ્યું કે, “આખરે સરકારને ઝુકવું પડ્યું.” દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહિયે. ધર્મેન્દ્ર પ્રધાને દેશ અને વિદ્યાર્થીઓના હિતમાં રાજીનામું આપ્યું હોવાનું પત્રમાં જણાવ્યું છે.

By CiA Live
25 Jul 2026 Bharat

CJPની જીત, આખરે ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું

કોકરોચ જનતા પાર્ટીનો જબરદસ્ત વિજય થયો છે. તેમની માગણીને પગલે છેલ્લા ત્રણ અઠવાડીયાથી વધુની ચળવળને પગલે આજે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ખુદ ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામાની જાહેરાત આજે શનિવાર તા.25મી જુલાઇના રોજ બપોરે 2.25 મિનિટે એક્સ હેન્ડલ પર કરી હતી.

By CiA Live
25 Jul 2026 Bharat

મહારાષ્ટ્ર TET પેપર લીક: મુખ્ય આરોપી બિજેન્દ્ર ગુપ્તાની બિહારથી ધરપકડ

મહિનાઓ સુધી ફરાર રહ્યા બાદ, મહારાષ્ટ્ર TET પેપર લીક કેસના મુખ્ય આરોપી બિજેન્દ્ર ગુપ્તાની શનિવારે તા.25મી જુલાઇ 2026ની સવારે થાણે પોલીસે બિહારથી ધરપકડ કરી હતી. બિજેન્દ્ર ગુપ્તા મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં વોન્ટેડ હતા, જેમાં SIT એ અગાઉ તેમની પત્ની સુમન ગુપ્તાની ધરપકડ કરી હતી, આરોપ લગાવ્યો હતો કે તેણીએ રેકેટની આવકનું સંચાલન કર્યું હતું અને તેને ધરપકડથી બચવામાં મદદ કરી હતી. જે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં પરીક્ષા પેપર લીક કેસોમાં પણ આરોપી છે.

By CiA Live
25 Jul 2026 Bharat

આવા લોકો પર ધિક્કાર છે! — સોનમ વાંગચુક

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા 22 મિનિટના વીડિયોમાં સોનમ વાંગચુકે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા પોતાના ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓના હિત માટે મેં સતત 26 દિવસ સુધી ભૂખ્યા રહીને અન્નનો ત્યાગ કર્યો. 26 દિવસ સુધી ભૂખ્યા રહ્યા પછી, જેમાં મારું 11 કિલો શરીર ઓગળી ગયું, શું હવે મારે કોઈની પાસેથી ચારિત્ર્ય પ્રમાણપત્ર લેવું પડશે કે મારું અનશન કેટલું પવિત્ર હતું? જો મારે કોઈ ડીલ જ કરવી હોત તો હું AC રૂમમાં બેસીને ન કરી લેત? આટલી ગરમીમાં ભૂખ્યા રહેવાની શું જરૂર હતી? આવી હીન માનસિકતા ધરાવતા લોકો પર ધિક્કાર છે!

By CiA Live
24 Jul 2026 Bharat

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લામાં ભૂસ્ખલન, 13 પ્રવાસીઓના મોત

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લામાં શુક્રવારે 24 જુલાઇ 2026ના રોજ ભારે ભૂસ્ખલનની દુર્ઘટનામાં 13 લોકોના કરુણ મોત થયા છે. ઉદયપુર-કિલાડ માર્ગ પર આવેલા કડૂ નાળા નજીક અચાનક પહાડનો મોટો ભાગ ધસી પડતાં કુલ્લુથી પાંગી તરફ જઈ રહેલી ટાટા સુમો ટેક્સી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત વાહનમાં કુલ 15 મુસાફરો સવાર હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે 13 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં માત્ર છ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે.

By CiA Live
24 Jul 2026 Bharat

અહો આશ્ચર્યમ્ઃ NEET-UG 2024 પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાવાયેલા સંજીવ મુખિયાને CBIની ક્લીન ચીટ

NEET-UG 2024 પેપર લીક કેસમાં બિહાર પોલીસે જેને મુખ્ય ષડયંત્રકારી ગણાવીને કાર્યવાહી કરી હતી એ સંજીવ મુખિયાને CBIએ ક્લીન ચિટ આપી છે. CBIને તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેને ક્લીન ચીટ અપાઇ છે. આ મામલો ત્યારે સપાટી પર આવ્યો છે જ્યારે દેશભરમાં નીટ 2026ના પેપર લીક બાબતે આંદોલન ચાલી રહ્યું છે. બિહાર પોલીસની શંકાના આધારે FIRમાં નામ હતું. CBIએ 45 લોકો સામે પટણા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. સંજીવ મુખિયા અન્ય કેસોમાં હજુ કસ્ટડીમાં છે.

By CiA Live
24 Jul 2026 Bharat

વાંગચુકની ભૂખ હડતાળ પૂરી થઇ છે, આંદોલન નહીં!’, CJPના અભિજિત દીપકેની જાહેરાત

NEET પેપર લીક મુદ્દે 26 દિવસથી ભૂખ હડતાલ પર રહેલા સોનમ વાંગચુકે સરકારના આશ્વાસન બાદ પારણાં કર્યા. ગુરુગ્રામની હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રીઓ J.P. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે મુલાકાત લીધી હતી. જોકે, અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર પર આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

By CiA Live
23 Jul 2026 Bharat

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા Mumbai-Ahmedabad વચ્ચે દોડતી વંદે ભારત, શતાબ્દી સહિતની 18થી વધુ ટ્રેનો રદ, અનેક ડાઇવર્ટ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ઘોલવડ-ઉમરગામ રોડ વચ્ચે પુલ નંબર 203 પર પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું છે. મુસાફરોની સુરક્ષા અર્થે પશ્ચિમ રેલવેએ 23.07.2026ના રોજ ઘણી ટ્રેનો રદ કરી છે, જેમાં વંદે ભારત, શતાબ્દી અને કર્ણાવતી સહિતની 18થી વધુ ટ્રેનોનો સમાવેશ થાય છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

By CiA Live
23 Jul 2026 Bharat

NEET UG પેપર લીક વિવાદમાં પીએમ મોદીની પહેલી સોશ્યલ મિડીયા પોસ્ટ

By CiA Live
23 Jul 2026 Bharat

ભારતમાં અશ્લીલ કન્ટેન્ટ પીરસતા 50 OTT પ્લેટફોર્મ બ્લોક

કેન્દ્ર સરકારે અશ્લીલ અથવા બાળકો માટે હાનિકારક ડિજિટલ કન્ટેન્ટ સામે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા બે વર્ષમાં સરકારે ભારતમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક કર્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને એમ પણ જણાવ્યું હતું કે વાંધાજનક કન્ટેન્ટ પ્રદર્શિત કરતા પ્લેટફોર્મ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારના મતે ઍક કાર્યવાહી પાછળનો તેમનો ઉદ્દેશ ઇન્ટરનેટને પારદર્શક, સલામત, વિશ્વસનીય અને જવાબદાર બનાવવાનો છે, જેનાથી બાળકો માટે ડિજિટલ વાતાવરણ સુરક્ષિત રહે.

By CiA Live
22 Jul 2026 Bharat

Maruti સુઝુકી 01/08/2026થી વિવિધ Car મૉડૅલોના ભાવમાં રૂ.30,000 સુધીનો વધારો

નવી દિલ્હીઃ તાજેતરમાં ઈનપૂટ ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે ગ્રાહકો પર પસાર કરતાં દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ. આગામી પહેલી ઑગસ્ટથી તેનાં વિવિધ મૉડૅલોના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો કરશે, એમ કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવતાં ઉમેર્યું હતું કે ભાવવધારાની માત્રા મૉડૅલ અનુસાર જુદી જુદી હશે. ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં લેતાં કંપનીએ તેનાં મૉડૅલોના પોર્ટફોલિયોમાં યુનિટદીઠ રૂ. 30,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ભાવવધારો પહેલી ઑગસ્ટથી અમલી બનશે, એમ કંપનીએ યાદીમાં જણાવ્યું હતું.

By CiA Live
21 Jul 2026 Bharat

એક દિવસના હોલ્ટ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ કરાઇ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા એક દિવસના સ્થગિત બાદ આજે 21/07/2026 ફરી શરૂ થઈ. સતત વરસાદ અને યાત્રા માર્ગો પર ભૂસ્ખલનના જોખમને કારણે સાવચેતીના ભાગ રૂપે ગઈકાલે 20/07/2026 યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. ચારધામ યાત્રા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, SDRF અને અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલનમાં યોજાઈ રહી છે. યાત્રા માર્ગો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે યાત્રાળુઓને અપીલ કરી છે કે જો ભારે વરસાદ, ભૂસ્ખલન અથવા અન્ય કોઈ કારણોસર માર્ગ અસ્થાયી રૂપે બંધ થઈ જાય, તો તેઓએ ફક્ત સલામત સ્થળોએ અથવા વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત હોલ્ડિંગ વિસ્તારોમાં જ રહેવું જોઈએ અને વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે યાત્રાળુઓની સલામતી વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

By CiA Live
21 Jul 2026 Bharat

પીએમ નિવાસ બહાર કોંગ્રેસ પ્રેરીત ધરણા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવને ડિટેઇન કરાયા

દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન બહાર મંગળવાર તા.21મી જુલાઇની સાંજે કોંગ્રેસ પ્રેરીત ચાલી રહેલા ધરણાં સ્થળે ભારે હોબાળો જોવા મળ્યો છે, જેનો વીડિયો ભારત સમેત સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર ભારે વાઇરલ થયા છે. વીડિયોમાં પોલીસ અખિલેશ યાદવને ખેંચીને સ્થળ પરથી લઈ જતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જતી જોવા મળી રહી છે. પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીને અલગ અલગ પોલિસ સ્ટેશનો પર લઇ જવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યા પછી અટકાયતમાં લેવાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

By CiA Live
21 Jul 2026 Bharat

NEET Paper Leak: પીએમ મોદીનું સ્ટેટમેન્ટ, દોષિતોને સજા અને ભવિષ્યમાં જડબેસલાક્ વ્યવસ્થા

સંસદના ચોમાસુ સત્રમાં NEET પરીક્ષા કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, કૌભાંડની માહિતી મળતાં જ સરકારે ઝડપી કાર્યવાહી કરી 13 લોકોની ધરપકડ કરી જેલમાં મોકલ્યા. વડાપ્રધાને ભવિષ્યમાં પેપર લીક રોકવા કડક પગલાંની ખાતરી આપી છે. સરકારે દોષિતોને સજા અને ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે વિપક્ષને પણ સહયોગ કરવા અપીલ કરી.

કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને ભવિષ્યમાં આવા પેપર લીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાંની રૂપરેખા આપી છે. સરકારે દોષિતોને સખતમાં સખત સજા આપવા અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે ‘ફૂલપ્રૂફ સિસ્ટમ’ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે જેથી નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમાય.

By CiA Live
21 Jul 2026 Bharat

દિલજીત દોસાંઝેની પોસ્ટ વાઇરલ, મને દેશદ્રોહી કહેવામાં આવશે…

દિલ્હીમાં NEET પરીક્ષામાં ગેરરીતિ અને શિક્ષણ સુધારાની માંગ સાથે CJPના નેતૃત્વ હેઠળ વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીથી મનોરંજન જગતમાં રોષ જોવા મળ્યો છે. જાણીતા ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, “જે કંઈ થયું તે ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ.” દિલજીત ઉપરાંત શબાના આઝમી, રિતેશ-જેનિલિયા દેશમુખ જેવા કલાકારો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.