
ગુજરાત ભાજપના સંગઠનમાં મોટો ફેરબદલ: કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની જગ્યાએ રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પૃષ્ઠભૂમિ ધરાવતા ચુગને આગામી ચૂંટણીઓની વ્યૂહરચના ઘડવા માટે આ મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવીને રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા આપવામાં આવી છે.

રવિવારે Dt.16/08/2026, યુક્રેન પર રશિયન હુમલાઓમાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલની માલિકીની Ukraine દેશના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક આર્સેલરમિત્તલ ક્રાયવી રીહ ખાતે એક Steel Plant પર હુમલો થયો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા અને 10 થી વધુ કામદારો અને કોન્ટ્રાક્ટરો ઘાયલ થયા હતા, એમ કંપનીએ કિવ પોસ્ટને જણાવ્યું હતું. 16 ઓગસ્ટના રોજ ક્રાયવી રીહના મધ્ય શહેરમાં આર્સેલરમિત્તલ ક્રાયવી રીહ ખાણકામ અને ધાતુશાસ્ત્ર પ્લાન્ટ પર મિસાઇલ હુમલો થયો હતો.

તાપી જિલ્લામાં આવેલા દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે ડેમની વર્તમાન સપાટી ૩૩૫.૦૨ ફૂટે પહોંચી ગઈ છે, જે નિર્ધારિત રૂલ લેવલ (૩૩૫.૦૦ ફૂટ) કરતાં સહેજ વધારે છે. હાલમાં ડેમમાં ૨૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક (ઇનફ્લો) થઈ રહી છે, જેને સંતુલિત કરવા માટે તંત્ર દ્વારા તેટલું જ એટલે કે ૨૩,૧૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં (આઉટફ્લો) આવી રહ્યું છે.
NEET ના વિવાદ બાદ હવે UGC-NET ની પરીક્ષામાં પણ મોટી ગરબડ સામે આવતા NTA એ Dt 16/08/2026, રવિવારે રાત્રે અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની પરીક્ષાઓ રદ કરી દીધી છે. પ્રશ્નપત્રોમાં રહેલી માહિતીગત ભૂલો, ટાઈપિંગ તથા ભાષાંતરની ખામીઓ અને જૂના પ્રશ્નો ફરી પૂછાવાને કારણે આ નિર્ણય લેવાયો છે. આ ત્રણેય વિષયોની પુનઃપરીક્ષા 9 અને 10 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાશે, જેના માટે ઉમેદવારોએ કોઈ વધારાની ફી આપવી નહીં પડે

સુરતના ડુમસ રોડ સ્થિત રાજહંસ બેલીઝા બિલ્ડિંગમાં પોલીસે દરોડો પાડી ચકચારી હાઈપ્રોફાઈલ દારુ ઝડપી પાડી છે. ટેક્સટાઇલ વેપારી અનુપ પાંપાળિયાના ફ્લેટ પર દારૂની મહેફિલ માણતા 6 વેપારીઓની અટકાયત કરાઈ. સ્થળ પરથી 14 વિદેશી દારૂની બોટલ, કાર સહિત 10.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડુમસ પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ તા.14મી ઓગસ્ટની રાત્રે ડુમસ સ્થિત બાપૂજીની વાડી ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં 14 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર તા.17મી ઓગસ્ટને સોમવારે વહેલી સવારે બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી એ દરમિયાન કોઇક કારણોસર ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટનામાં 7 દર્શનાર્થીઓના મોત નિપજ્યા હોવાના અને અનેક ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિરમાં મોટી ભીડ એકઠી થઈ હતી ત્યારે આ ઘટના બની હતી.

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ પાર્ટીના વિરોધ અભિયાનના નવા તબક્કાનો સંકેત આપતા કહ્યું છે કે તેના “જંતર-મંતર” ચળવળનો “સીઝન 2” ટૂંક સમયમાં શરૂ થશે. ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર ‘જંતર-મંતર’ ની સીઝન 2 ક્યારે શરૂ થશે તે અંગે ટિપ્પણી કરી રહ્યા હતા. હું તેમને કહેવા માંગુ છું કે ‘જંતર-મંતર’ ની સીઝન 2 ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે,’ દિપકેએ કહ્યું.

વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝે આખરે પોતાના સંબંધને નવું નામ આપ્યું છે. લાંબા સમયથી એકબીજા સાથે રહી રહેલા આ સુપરસ્ટાર કપલે પોર્ટુગલમાં એક અત્યંત ખાનગી પણ ભવ્ય સમારોહમાં લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર વેડિંગ રિંગ પહેરેલી એક તસવીર શેર કરીને આ જોડીએ પોતાના કરોડો ચાહકોને આ સરપ્રાઈઝ આપ્યું છે. 41 વર્ષીય રોનાલ્ડો અને 32 વર્ષીય જ્યોર્જિનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના હાથમાં પહેરેલી લગ્નની વીંટીઓની ઝલક આપતા એક ખાસ કેપ્શન “C G” સાથે તસવીર પોસ્ટ કરી હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડૉક્ટર ડૉ.હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ડૉ.હર્ષ પંડ્યાનું તેના સીનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હતું. જેને પગલે તમામ 4 સીનિયર રેસિડેન્ટ ડૉક્ટરને આગામી 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Dt.9 August 2026, શનિવારે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવતા સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા. આ ધરતીકંપની વ્યાપક અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી હતી, જ્યાં સાપુતારામાં ૩.૬ ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ સામાન્ય ધ્રુજારી અનુભવાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, આ દિવસોમાં પડી રહેલા ભારે વરસાદને લીધે સર્જાયેલી હાઇડ્રો-સિસ્મિક પ્રવૃત્તિને કારણે આ આંચકા આવ્યા હતા.

નીતિ આયોગના “ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026″મુજબ ગુજરાત 73.9 બિલિયન ડોલર વિદેશી રોકાણ મેળવવામાં દેશમાં ટોપ પર છે. જેમાં એપ્રિલ 2020 થી 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને 2029 થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે. આ બાબત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આયોજિત વિકસિત ગુજરાત સમિટ 2026માં જણાવી હતી.

કેન્દ્ર સરકારે સંસદમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પર થયેલા કુલ ખર્ચનો ખુલાસો કર્યો છે. વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે આ વર્ષે અત્યાર સુધીમાં વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ પર રૂપિયા 74.5 કરોડનો ખર્ચ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2021 થી 2024 સુધીની વિદેશ યાત્રાઓ પાછળ કુલ 295 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં ફ્રાન્સની મુલાકાત 25 કરોડ સાથે સૌથી મોંઘી રહી હતી. મોદીએ કુલ 23 દેશોની મુલાકાત લીધી હતી.
Ukai Dam Data: Dt.06.08.2026 @08:00 Hrs.
Rule Level: 335.00 ft, Present Level: 334.57 ft.
Inflow: 37644.00 Cusecs, Outflow: 23224.00 Cusecs.
Present Live Storage: 4967.22 MCM (73.81 %)
Present Capacity: 5651.61 MCM (76.23 %)

સુરત-ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં વોર્ડ નંબર 5ના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા દરમિયાન મહાનગરપાલિકાની TP (ટાઉન પ્લાનિંગ) કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટરના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની ઝપાઝપી થઈ હતી. આ અણબનાવમાં હાથમાં ફેક્ચર થતાં મનહર વોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમણે ચેરમેન પર મારપીટનો ગંભીર આક્ષેપ કર્યો છે, જ્યારે મહેન્દ્ર દેસાઈએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે ધારાસભ્યની હાજરીમાં જ બનેલી આ ઘટનાને કારણે શિસ્તબદ્ધ ગણાતા પક્ષની આંતરિક શિસ્ત અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ સચિન નોટીફાઇડ એરીયાના ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો સીધો સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. આ માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં ૧૦ વર્ષથી વધુ સમયથી ૧૦,૦૦૦ થી વધુ કેસ પડતર છે – જેમાં ૫૫૮ કેસ ૨૦ વર્ષથી વધુ સમયથી પડતર છે, અને ૨૬ કેસ ૩૦ વર્ષથી વધુ સમયથી પડતર છે. દેશભરની ૨૫ હાઈકોર્ટમાં, ૮૦,૦૦૦ થી વધુ કેસ ત્રણ દાયકાથી વધુ સમયથી પડતર છે. ગયા અઠવાડિયે સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કેસોના નિકાલની જવાબદારી ન્યાયતંત્ર પર મૂકી, જેણે તેમના નિકાલ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી.

દક્ષિણ અમેરિકાના દેશ Peru માંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 01/08/2026ના રોજ પ્રખ્યાત ‘નાઝકા લાઇન્સ’ (Nazca Lines) જોવા જઈ રહેલું એક પ્રવાસીઓથી ભરેલું વિમાન નાઝકા શહેર નજીક એક ખેતરમાં પ્લેન ક્રેશ થતાં જ તેમાં સવાર તમામ 13 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. પ્લેનમાં 2 પાઇલટ (ક્રૂ મેમ્બર્સ) સહિત 7 ઇટાલિયન નાગરિક, 2 જર્મન નાગરિકો અને 2 સ્પેનિશ નાગરિકોનું મોત થયું છે. આ ફ્લાઇટ ખાનગી એરલાઇન ‘એરોડિયાના’ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહી હતી.
દમણ કોર્ટે વર્ષ ૨૦૧૧ના એક્સાઈઝ સબ ઇન્સ્પેક્ટર ભરતી કેસમાં મહત્વનો ચુકાદો આપતા વર્તમાન અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલને બે-બે વર્ષની કેદ તેમજ પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શારીરિક પરીક્ષા દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરી સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ આ સજા સંભળાવવામાં આવી છે, જોકે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે બંને નેતાઓને હાલ જામીન મળી ગયા છે.
સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કીમ વિસ્તારના અનેક ગામોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે આજે તા.1લી ઓગસ્ટ 2026ના રોજ ફાયર કંટ્રોલ રૂમને માહિતી પ્રાપ્ત થઈ હતી કે કીમ નજીકના વિવિધ ગામોમાં અનેક નાગરિકો પાણીમાં ફસાયા હતા. ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અત્યંત જોખમી પરિસ્થિતિમાં કોઠવા ગામ, નવી નારોલી, કોસંબા, કુવારડા, તુલસી હોટલ સામે હથોડા ગામ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત અને બહાદુરીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે ૧૨૫ જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ઉપરવાસના જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૮ કલાકમાં ડેમની સપાટીમાં ૪.૫૮ ફૂટનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. તા.૧લી ઓગસ્ટના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે ઉકાઈ ડેમની સપાટી ૩૨૩.૯૬ ફૂટે પહોંચી ગઈ છે. ડેમમાં ૪૮૯૦૩૦ ક્યુસેક પાણીની વિપુલ આવક થઈ રહી છે. જ્યારે ડેમ માંથી ૮૦૦ ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.

આજકાલ ‘કોકરોચ’ શબ્દ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે બિહારના હિલસા બાયપાસ પાસે એક અનોખું કોકરોચ કેફે (Cockroach Cafe) શરૂ કરવામાં આવ્યું છે.કેફેનો લુક અને એમ્બિયન્સમાં બ્લેક કલરની થીમ રાખવામાં આવી છે. ટીનની છત પર પીળી લટકતી લાઈટો, દીવાલ પર નકલી વેલ-ફૂલની સજાવટ, કાળા સોફા, લાલ ગાદી અને કાચના ટેબલથી સુંદર માહોલ તૈયાર કરાયો છે. કેફેના માલિકના જણાવ્યા અનુસાર, યુવાનોને હંમેશા કંઈક અલગ પસંદ આવે છે. ‘કોકરોચ કેફે’ એક જ છે. આ નામ લોકોને આકર્ષવા અને મફતમાં પબ્લિસિટી મેળવવા માટે રાખવામાં આવ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા હોલિડે કેલેન્ડર મુજબ, ઓગસ્ટ, 2026માં દેશભરની અલગ-અલગ બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર, રવિવારની સાપ્તાહિક રજાઓ ઉપરાંત સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, ઓણમ અને મિલાદ-ઉન-નબી જેવા તહેવારો અને પ્રાદેશિક ઉત્સવોનો સમાવેશ થાય છે.

ભારતમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનની યજમાની કરવાનું છે. આ બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવશે તેવા સંકેત મળી રહ્યાં છે. જોકે, આ સંમેલનમાં તેઓ હાજરી આપવા માટે આવશે એમ માનવામાં આવી રહ્યું છે. જો શી જિનપિંગ ભારત આવશે તો આખી દુનિયાની રાજરમત બદલાઇ શકે છે અને આર્થિક મહાસત્તા અમેરિકાના પેટમાં તેલ રેડાઈ શકે છે.

અન્ય નુકસાની અને કામગીરી
વાહનવ્યવહાર પર અસર

આજે તા.31મી જુલાઇના રોજ સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જલભરાવની સ્થિતિ સર્જાવા પામી હતી. જેને પગલે સુરત મહાનગરપાલિકાની ટીમે સતત આખો દિવસ પાણી નિકાલની કામગીરી હાથ ધરી રાખી હતી. જેની વિગતો નીચે મુજબ છે.
ભારે વરસાદને કારણે આજે સુરત શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ખાસ કરીને ખાડી કિનારે અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે 5 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જે કામગીરી સુરત મહાનગરપાલિકાએ કરી હતી.
સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાયા હતા અને હજુ ભરાય તેવી શક્યતાઓ છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, ભેદવાડ ખાડી અને મીઠી ખાડીની સપાટી વધવાથી ઓવરટોપિંગ અને ઓવરફ્લો થવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. જો ખાડીનું પાણી બહાર ફેલાશે, તો નીચાણવાળા તેમજ ખાડી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં આવેલા ઉકાઇ ડેમમાં આજે તા.31 જુલાઇથી પાણીનો આવરો વધી ગયો છે. આજે સવારથી ઉકાઇ ડેમમાં બે લાખ ક્યુસેક્સ પાણી આવી રહ્યું છે. Ukai Dam Data: Dt.31.07.2026 @ 16:00 Hrs. Rule Level: 333.00 ft Present Level: 317.76 ft. Inflow: 196406.00 Cusecs. Outflow: 800.00 Cusecs. Present Live Storage: 2771.37 MCM (41.18%) – Present Capacity: 3455.76 MCM (46.61%)
આજે તા.31મી જુલાઇના રોજ જિલ્લા કલેક્ટર અને અધિકારીઓની મિટીંગ બાદ આજે શુક્રવાર અને આવતીકાલ તા.1લી ઓગસ્ટને શનિવારે સુરત શહેર જિલ્લાના તમામ ઉદ્યોગ, ધંધા, કારખાનાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. એવી જ રીતે શનિવારે સ્કુલ, કોલેજો પણ બંધ રાખવાની સૂચના છે. સુરતની મિલો પણ બે દિવસ બંધ રહેશે. આમ, શુક્ર, શનિ અને રવિવારની રજા મળીને લાંબુ અને અણધાર્યું લોંગ વીકએન્ડ સુરતીઓને મળ્યું છે.

સુરત શહેર-જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા વડોદરાથી ભારતીય સેનાની ટીમને તેડાવાઇ છે. ભારતીય સેનાની નં.૨૦૩ એન્જીનિયર રેજીમેન્ટ સુરત શહેરમાં આવી પહોચી છે. આ ટીમમાં કુલ ૭૦ સભ્યો છે, જે પૈકી એક એન્જિનીયર ટીમ, ઓફિસર સહિત ૧૨ સભ્યો હોય છે. તેમની પાસે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે બોટ છે. જે એક સાથે ૧૫ થી ૨૦ લોકોને રેસ્કયુ કરી શકે છે. એક મેડિકલ ટીમ, એક વ્હીકલ ટીમ, એક રિકવરી ટીમ સાથેની ટીમ સુરતના ઉમરા આવી પહોચી છે.

ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે, કોઈ જાનહાનિ કે અપ્રિય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે સુરત શહેર સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર વાબાંગ જામીરે એક જાહેરનામા દ્વારા ડુમસ બીચ, સુવાલી બીચ અને સી-ફેઝ વિસ્તારમાં લોકોને કિનારે ફરવા તેમજ દરીયાના પાણીમાં જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ આગામી તા.૭/૦૮/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સુરત જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૯૭ જિલ્લા રસ્તાઓ ઓવર ટોપીંગ, કોઝવે ઓવરટોપીંગના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વિગતે જોઈએ તો બારડોલી તાલુકાના ૧૬, માંડવીના ૧૫, અરેઠ તાલુકાના ૧૯, માંગરોળના ૩૦, ઉમરપાડા તાલુકાના ૧૧, મહુવાના બે, અંબિકાના બે રસ્તાઓનો વાહન વ્યવહાર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

હોલિવૂડની ફિલ્મ ‘સ્પાઈડર મેન’ની દરેક સિરીઝ સુપરડુપર હિટ સાબિત થાય છે, ટેક્નોલોજી અને વીએફએક્સનો સંગમ આ ફિલ્મમાં જોવા મળે છે પણ આ સિરીઝને પસંદ કરનારો યુવાવર્ગ ખૂબ જ મોટો છે. હવે ભારતીય બોક્સ ઓફિસ પર ‘સ્પાઈડરમેનઃ બ્રાંડ ન્યૂ ડે’ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. હિન્દીમાં રિલીઝ થયેલી ફિલ્મના મોર્નિગ શૉમાં 100 ટકા યુવાનો આવ્યા હતા. હાઉસફૂલ શૉ રહ્યો હતો. પહેલા જ વીકમાં એડવાન્સ બુકિંગમાં ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી હતી.
લોકસભા અને રાજયસભા એમ બન્ને ગૃહોમાં આજે તા.30 જુલાઇ 2026ના રોજ વંદે માતરમ બિલ પસાર થયું છે. આ બિલમાં સુધારા બાદ હવે વંદે માતરમમાં અપમાન બદલ ત્રણ વર્ષ જેલની સજા અને દંડની જોગવાઇ છે. આ સુધારા હેઠળ વંદે માતરમના અપમાન સંબંધિત જોગવાઈઓને કાનૂની રક્ષણ મળશે. એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું અપમાન કરે છે અથવા રાષ્ટ્રગીતમાં ખલેલ પહોંચાડે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ- દંડ અથવા બંને થઈ શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને ન્યુઝીલેન્ડના મહાન ખેલાડી સ્ટીફન ફ્લેમિંગને ઇંગ્લેન્ડના પુરુષોના ટેસ્ટ મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ વિશ્વ ક્રિકેટમાં સૌથી મોટા કોચિંગ પગલાઓમાંના એકની પુષ્ટિ કરી છે. 53 વર્ષીય ખેલાડી ન્યૂઝીલેન્ડના સાથી ખેલાડી બ્રેન્ડન મેક્કુલમનું સ્થાન લેશે, જેમણે જૂનમાં ન્યુઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડની શ્રેણીની હાર બાદ ટેસ્ટ ભૂમિકા છોડી દીધી હતી, જોકે તે સફેદ બોલની ટીમોની દેખરેખ રાખવાનું ચાલુ રાખે છે.
હવામાન વિભાગે 31 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરત, અમદાવાદ, વડોદરા સહિત કુલ 13 જિલ્લાઓ માટે હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવાની સાથે આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. રાજ્યના નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની ૧૦ અને ૨૦ રૂપિયાની અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાની પ્લાસ્ટિક (પોલિમર) નોટો ટ્રાયલ તરીકે બહાર પાડવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ વિશેષ પરીક્ષણ માટે દેશના અલગ-અલગ આબોહવા ધરાવતા શહેરો જેવા કે કોચી, મૈસૂર, શિમલા અને ભુવનેશ્વરની પસંદગી કરવામાં આવી છે. હાલમાં ચલણમાં રહેલી કુલ નોટોની સંખ્યામાં આ બંને નોટોનો હિસ્સો લગભગ ૨૫ ટકા જેટલો મોટો છે, પરંતુ કુલ ચલણી મૂલ્યની દ્રષ્ટિએ તે માત્ર ૧.૩ ટકા જેટલો જ થાય છે.

રશિયન ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો પર શિકંજો કસવા માટે અમેરિકન સેનેટમાં એક નવું બિલ ૮૬-૧૨ મતે આગળ વધારવામાં આવ્યું છે. આ ખરડામાં રશિયા પાસેથી વધુ ઊર્જા આયાત કરતા પાંચ મુખ્ય દેશો—ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન—પર ૧૦૦ ટકા સુધી ટેરિફ લાદવાની જોગવાઈ છે. આ બિલ સંપૂર્ણ કાયદો બનવાની સ્થિતિમાં, અમેરિકી પ્રમુખને ભારત જેવા સહયોગી દેશ પર પણ આકરા આર્થિક પ્રતિબંધો લગાવવાની સત્તા મળી જશે, જેના લીધે ભારતની ચિંતાઓમાં વધારો થયો છે.

મધ્યપ્રદેશના ખજૂરાહો શહેરના એરપોર્ટ કે જેને તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાજાં ગ્રાહક સંતોષ સૂચકાંક (CSI) માં ભારતના ટોચના એરપોર્ટનો ક્રમાંક આપવામાં આવ્યો છે. આ જાહેરાતના ટૂંકા ગાળામાં જ એટલે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ખજૂરાહો એરપોર્ટ પાસે એક પણ કમર્શિયલ ફ્લાઇટ્સ કાર્યરત નથી. આ પરિણામથી ઉડ્ડયન ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જેનાથી AAI સર્વેના માપદંડો પર પ્રશ્નો ઉભા થયા છે.એરપોર્ટ પરથી દિલ્હી અને વારાણસીને જોડતી માત્ર બે ફ્લાઇટ્સ સંચાલિત થતી હતી. બંને હવે બંધ કરી દેવામાં આવી છે.
કતાર ફ્રી ઝોન્સ ઓથોરિટી (QFZ)એ કતાર ડાયમંડ એક્સચેન્જ (QDE)ને વિશ્વની સેવામાં સમર્પિત કર્યું છે. કતાર ડાયમંડ એક્ષચેન્જ હીરા અને (પ્રેસિયસ સ્ટોન્સ) કિંમતી પથ્થરોના વેપાર માટે એક નવું પ્લેટફોર્મ છે. આ નેટવર્ક કતારમાં આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ માટે એક નવું કેન્દ્ર બનાવે છે. જેમાં સુરક્ષિત ટ્રેડિંગ ફ્લોર, ખાનગી વાટાઘાટો સ્યુટ અને સ્થળ પર સુરક્ષા અને દેખરેખનો સમાવેશ થાય છે, આ પ્રિમાઇસીસમાં કસ્ટમ્સ અને પ્રમાણપત્ર સુવિધાઓ પણ પૂરી પાડે છે. 2021 માં, કતાર કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) નું સંપૂર્ણ સભ્ય બની ચૂક્યું છે.

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, દેખાવકારો સામે પોલીસ પગલાં ન લેવાની શરતનો અનાદર થઈ રહ્યો છે અને આવો વિશ્વાસઘાત બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સંબંધિત મંત્રીઓને ટેગ કરીને દિલ્હી, બિહાર અને બંગાળમાં થઈ રહેલી પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે.પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે જો નોંધાયેલી FIR પાછી ખેંચીને પકડાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ ફરી એકવાર દેશભરમાં મોટા પાયે ધરણાં પ્રદર્શનો શરૂ કરશે.

કેન્દ્રીય રમતગમત મંત્રાયલ દ્વારા ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં 13 ખેલાડીઓ પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ખેલના મેદાનમાં પ્રતિસ્પર્ધીને હરાવવા માટે પોતાના મૂળ ક્ષમતા કરતા વધારે ક્ષમતા પેદા કરવા માટે રમતવીરો જીવલેણ અને મોંઘા ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યાં છે.2024માં 6 ગુજરાતી એથ્લેટ્સ, વર્ષ 2025માં 5 ગુજરાતી એથ્લેટ્સ અને 2026માં 2 ગુજરાતી એથ્લેટ્સ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યાં હતાં.

NEET પેપર લીકના કારણે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું તે અંગે કોકરોચ જનતા પાર્ટીના અભિયાનથી પ્રેરિત થઈને, એક નવી સંસ્થા – E20 જનતા પાર્ટી – મેદાનમાં આવી છે. વાહનચાલક ગ્રાહકોને 100% શુદ્ધ (ઇથેનોલ મુક્ત) પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ આપવાની માંગ કરી રહી છે અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીનું રાજીનામું માંગી રહી છે. દિલ્હી ટેક્સી અને ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશને 4 ઓગસ્ટે E20 પેટ્રોલ સામે સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે.

આજે 27/07/2026 સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, 2026’ રજૂ કરશે. NEET વિવાદ બાદ પરીક્ષા પારદર્શિતા વધારવા આ બિલ લાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ જજ સુધારા બિલ પણ રજૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિને વધુ ટેકનોલોજીકલ અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજી એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે.
ટાસ્ક ફોર્સના સભ્યો: પૂર્વ ISRO પ્રમુખ ડો. એસ. સોમનાથ, પૂર્વ IB ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણા.
વિતેલા સપ્તાહમાં સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્કુલ કોલેજોથી લઇને ટેક્સટાઇલ માર્કેટો, વીવીંગ કારખાનાઓ અને ડાઇંગ પ્રિન્ટિંગ મિલોમાં ફરજિયાત રજા રાખવાની ફરજ પડી હતી. હવે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે એ રજાનું સેટલમેન્ટ કરતા સુરત શહેરની સેંકડો સ્કુલોમાં આજે રવિવારની રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય જારી છે. ફોસ્ટાએ પણ શનિવારે જાહેરાત કરી દીધી હતી કે રવિવારે સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં વ્યાપારીક કામકાજ રાબેતા મુજબ જારી રાખી શકાશે. આ વખતે પહેલીવાર શ્રાવણ માસ પૂર્વે રવિવારે પણ માર્કેટો શરૂ છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરમાં એ વાતને લઈને ભારે ઉત્સુકતા અને ચર્ચા જાગી હતી કે હવે દેશના મહત્વપૂર્ણ એવા શિક્ષણ મંત્રાલયની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારે તમામ અટકળોનો અંત આણીને આ મહત્વપૂર્ણ અને મોટી જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને સોંપવાનો નિર્ણય કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણ બાદ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે.
નીટ પેપર લીક વિવાદ અંગે દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક માસથી વિરોધ પ્રદર્શન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીએ (CJP) આજે પોતાનું આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી મહત્વની બેઠક બાદ CJPના પ્રતિનિધિઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ માહિતી આપી હતી કે, સરકાર દ્વારા તેમની ત્રણેય મુખ્ય માંગણીઓ મંજૂર કરવામાં આવી છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. CJPના ફાઉન્ડર અભિજિત દીપકે અને તેમના સમર્થકો દિલ્હીના જંતર-મંતર પર ઉજવણી કરી રહ્યા છે. દીપકેએ જણાવ્યું કે, “આખરે સરકારને ઝુકવું પડ્યું.” દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહિયે. ધર્મેન્દ્ર પ્રધાને દેશ અને વિદ્યાર્થીઓના હિતમાં રાજીનામું આપ્યું હોવાનું પત્રમાં જણાવ્યું છે.

કોકરોચ જનતા પાર્ટીનો જબરદસ્ત વિજય થયો છે. તેમની માગણીને પગલે છેલ્લા ત્રણ અઠવાડીયાથી વધુની ચળવળને પગલે આજે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ખુદ ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામાની જાહેરાત આજે શનિવાર તા.25મી જુલાઇના રોજ બપોરે 2.25 મિનિટે એક્સ હેન્ડલ પર કરી હતી.

મહિનાઓ સુધી ફરાર રહ્યા બાદ, મહારાષ્ટ્ર TET પેપર લીક કેસના મુખ્ય આરોપી બિજેન્દ્ર ગુપ્તાની શનિવારે તા.25મી જુલાઇ 2026ની સવારે થાણે પોલીસે બિહારથી ધરપકડ કરી હતી. બિજેન્દ્ર ગુપ્તા મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં વોન્ટેડ હતા, જેમાં SIT એ અગાઉ તેમની પત્ની સુમન ગુપ્તાની ધરપકડ કરી હતી, આરોપ લગાવ્યો હતો કે તેણીએ રેકેટની આવકનું સંચાલન કર્યું હતું અને તેને ધરપકડથી બચવામાં મદદ કરી હતી. જે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં પરીક્ષા પેપર લીક કેસોમાં પણ આરોપી છે.
ગુજરાતમાં મેડીકલ, પેરામેડીકલ પ્રવેશ 2026ની કામગીરી ટૂંકસમયમાં શરૂ થશે ત્યારે એડમિશન કમિટીએ ઉપરોક્ત સૂચના જારી કરી છે. એડમિશન કમિટીની સત્તાવાર વેબસાઇટ https://www.medadmgujarat.org/ પરથી જ સઘળી કામગીરી હાથ ધરવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા 22 મિનિટના વીડિયોમાં સોનમ વાંગચુકે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા પોતાના ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓના હિત માટે મેં સતત 26 દિવસ સુધી ભૂખ્યા રહીને અન્નનો ત્યાગ કર્યો. 26 દિવસ સુધી ભૂખ્યા રહ્યા પછી, જેમાં મારું 11 કિલો શરીર ઓગળી ગયું, શું હવે મારે કોઈની પાસેથી ચારિત્ર્ય પ્રમાણપત્ર લેવું પડશે કે મારું અનશન કેટલું પવિત્ર હતું? જો મારે કોઈ ડીલ જ કરવી હોત તો હું AC રૂમમાં બેસીને ન કરી લેત? આટલી ગરમીમાં ભૂખ્યા રહેવાની શું જરૂર હતી? આવી હીન માનસિકતા ધરાવતા લોકો પર ધિક્કાર છે!

વર્ષો સુધી, બિહારના ઝાંડુ કુમારના દિવસો બજારમાં શાકભાજી શાકભાજી વેચવાની પ્રવૃતિથી શરૂ થતા અને જીમમાં કસરત સાથે દિવસો સમાપ્ત થતા. કોવિડ-૧૯ મહામારી દરમિયાન ઝાંડુકુમારનું જીવન જ્યારે વધુ મુશ્કેલ બન્યું, ત્યારે તેણે શાકભાજી વેચાણની પ્રવૃતિ બંધ કરીને ઈ-રિક્ષા લઇને કમાવાનું જારી રાખ્યું. ઝાંડુ કુમારે પોતાનું વેઇટ લિફ્ટિંગનું કૌશલ્ય પણ જાળવી રાખ્યું. આખરે તા.24મી જુલાઇને શુક્રવારે ગ્લાસગો ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર વિશ્વને પોતાની અપ્રતિમ પ્રતિભાથી વાકેફ કરાવ્યું. બિહારના પેરા પાવરલિફ્ટરે ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની હેવીવેઇટ ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો.

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લામાં શુક્રવારે 24 જુલાઇ 2026ના રોજ ભારે ભૂસ્ખલનની દુર્ઘટનામાં 13 લોકોના કરુણ મોત થયા છે. ઉદયપુર-કિલાડ માર્ગ પર આવેલા કડૂ નાળા નજીક અચાનક પહાડનો મોટો ભાગ ધસી પડતાં કુલ્લુથી પાંગી તરફ જઈ રહેલી ટાટા સુમો ટેક્સી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત વાહનમાં કુલ 15 મુસાફરો સવાર હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે 13 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં માત્ર છ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે.
તા.23મી જુલાઇએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે તા.24મી જુલાઇએ વરસાદે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને બાનમાં લીધા હતા. આજે શુક્રવારે બાવળા નજીક અમદાવાદ-રાજકોટ મુખ્ય ભાગ વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. બગોદરા અને સનાથલ વચ્ચે હાઇવે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે રાજ્યના વ્યસ્ત હાઈ વે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ હાઇવેને અસ્થાયી રૂપે બંધ કરી દીધો હતો અને ધોલેરા એક્સપ્રેસ વે દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની જાહેરાત કરવી પડી હતી.
મીઠી ખાડીની સપાટી 8.95 મીટરથી વધીને 9 મીટરે પહોંચી છે, જે ડેન્જર લેવલ (9.35 મીટર)થી હવે ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં ખાડી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ઘૂસવાનું જોખમ ઉભું થયું છે. બીજી તરફ ભેદવાડ ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચે આવતાં થોડી રાહત મળી છે, જ્યારે સીમાડા ખાડી 4.80 મીટરે પહોંચીને ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે, ખાસ કરીને સારોલીમાં 5થી 6 ફૂટ પાણી ભરાતાં પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર અને અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે. વરાછાના યોગીચોક વિસ્તારમાં માર્ગ બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવા છતાં લોકો જોખમ વચ્ચે અવરજવર કરતા જોવા મળ્યા હતા.
તા.24મી જુલાઇને શુક્રવારે સવારે 11 વાગ્યા સુધીના સુરત અને તેમાં સમાવિષ્ટ તાલુકાઓના કુલ વરસાદના આંકડા આ મુજબ છે. સૌથી વધુ વરસાદ પલસાણામાં 70 ઇંચ પડી ચૂક્યો છે. બીજા રાઉન્ડમાં જ સીઝનનો અડધો વરસાદ સુરત અને તેના તાલુકાઓમાં પડી ચૂક્યો છે.

અમેરિકાની ટ્રમ્પ સરકારે પોતાની વેપાર નીતિમાં મોટો બદલાવ કરીને ભારત સહિત ૬૦ દેશો પર ૧૦% થી ૧૨.૫% સુધીની નવી આયાત જકાત (ઇમ્પોર્ટ ટેરિફ) લગાવવાની જાહેરાત કરી છે. બંધુઆ મજૂરી દ્વારા ઉત્પાદિત થતા માલસામાન પર યોગ્ય પ્રતિબંધ અને તેના કાયદાઓનો કડક અમલ ન કરવાને કારણે આ નિર્ણય લેવાયો છે. ભારતીય સમય પ્રમાણે શનિવારે સવારે ૯.૩૧ વાગ્યાથી અમલી બનનારા આ નવા નિયમ અંતર્ગત ભારત પર ૧૦% ટેરિફ લાગશે, જેનો દુનિયાભરના દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
NEET-UG 2024 પેપર લીક કેસમાં બિહાર પોલીસે જેને મુખ્ય ષડયંત્રકારી ગણાવીને કાર્યવાહી કરી હતી એ સંજીવ મુખિયાને CBIએ ક્લીન ચિટ આપી છે. CBIને તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેને ક્લીન ચીટ અપાઇ છે. આ મામલો ત્યારે સપાટી પર આવ્યો છે જ્યારે દેશભરમાં નીટ 2026ના પેપર લીક બાબતે આંદોલન ચાલી રહ્યું છે. બિહાર પોલીસની શંકાના આધારે FIRમાં નામ હતું. CBIએ 45 લોકો સામે પટણા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. સંજીવ મુખિયા અન્ય કેસોમાં હજુ કસ્ટડીમાં છે.

NEET પેપર લીક મુદ્દે 26 દિવસથી ભૂખ હડતાલ પર રહેલા સોનમ વાંગચુકે સરકારના આશ્વાસન બાદ પારણાં કર્યા. ગુરુગ્રામની હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રીઓ J.P. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે મુલાકાત લીધી હતી. જોકે, અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર પર આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ઘોલવડ-ઉમરગામ રોડ વચ્ચે પુલ નંબર 203 પર પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું છે. મુસાફરોની સુરક્ષા અર્થે પશ્ચિમ રેલવેએ 23.07.2026ના રોજ ઘણી ટ્રેનો રદ કરી છે, જેમાં વંદે ભારત, શતાબ્દી અને કર્ણાવતી સહિતની 18થી વધુ ટ્રેનોનો સમાવેશ થાય છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
વલસાડના ઉમરગામમાં 28 કલાકમાં 43 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. 300થી વધુ રસ્તાઓ બંધ થયા અને ST બસની 200થી વધુ ટ્રીપ રદ કરાઈ છે. 2,900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF, SDRF અને એરફોર્સ રાહત કાર્યમાં જોડાતા મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી.
દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે.
હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજમાં પૃથ્વી પર એક એવો દ્રશ્ય કેપ્ચર થયો છે, જેણે આખા એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ કરીને હિમાલય, ચીન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 7,000 થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે.આ ‘મોનસૂન કન્વર્જન્સ ઝોન’ને કારણે ભારતમાં બમ્પર વરસાદની ચેતવણી અપાઈ છે. છેલ્લા 2 દિવસમાં સરેરાશ કરતાં 170% થી 180% વધુ વરસાદ નોંધાયો છે.
#Tapi ડોલવણ તાલુકા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે વાંકલા ગામેથી પસાર થતી પૂર્ણા નદી ઉફાન
— AIR News Gujarat (@airnews_abad) July 23, 2026
નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાતા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા
તંત્રે સાવચેતીના ભાગરૂપે નાગરિકોને નદીકાંઠાના વિસ્તારોમાં નહીં જવા અપીલ કરી #AIRPics : નીરવ કંસારા #FloodAlert pic.twitter.com/yIGDxXRpmg
23મી જુલાઇને ગુરુવારે સવારે 8:00 વાગ્યાની સ્થિતિએ સુરત શહેરમાં વરસાદને કારણે નીચેના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે:
સુરતમાં સતત ભારે વરસાદ અને જળભરાવની સ્થિતિને પગલે ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ (FOSTTA)એ આજે 23 જુલાઈએ શહેરના તમામ કાપડ બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રશાસનની ચેતવણી, વધતા જળસ્તર અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. વેપારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ આજે કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. FOSTTAએ તમામ વેપારીઓને સહકાર આપવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
Nothing is more important than the welfare and future of our youth!
— Narendra Modi (@narendramodi) July 23, 2026
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…

હવામાન વિભાગે આજે 23/0702026ના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણમાં આજે શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર પાડવામાં આવી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ 490 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડમાંથી 300 અને નવસારીમાંથી 190થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં 547 માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

કેન્દ્ર સરકારે અશ્લીલ અથવા બાળકો માટે હાનિકારક ડિજિટલ કન્ટેન્ટ સામે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા બે વર્ષમાં સરકારે ભારતમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક કર્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને એમ પણ જણાવ્યું હતું કે વાંધાજનક કન્ટેન્ટ પ્રદર્શિત કરતા પ્લેટફોર્મ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારના મતે ઍક કાર્યવાહી પાછળનો તેમનો ઉદ્દેશ ઇન્ટરનેટને પારદર્શક, સલામત, વિશ્વસનીય અને જવાબદાર બનાવવાનો છે, જેનાથી બાળકો માટે ડિજિટલ વાતાવરણ સુરક્ષિત રહે.

તા.22મી જુલાઇને બુધવારે સવારે 09 કલાકની વિગત :
છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 04 સે.મી.નો વધારો


કોમનવેલ્થ ગેમ્સ 2026 સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રમાશે. આ ગેમ્સમાં ભારત 126 એથ્લીટ્સ (78 પુરુષ અને 48 મહિલા) ભાગ લેશે. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ અને બોક્સર લવલિના બોરગોહેન જેવા સ્ટાર ખેલાડી છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ઉદ્ઘાટન સમારોહમાં દેશની ધ્વજ વાહક છે. રમત મંત્રાલયે આ ગેમ્સ માટે 191 સભ્યોની ભારતીય દળની મંજૂરી આપી દીધી છે, જેમાં 126 એથ્લીટ્સ (78 પુરુષ અને 48 મહિલા) અને 51 ટીમ ઓફિસિઅલ્સનો સમાવેશ થાય છે. ખર્ચ ઘટાડવા માટે ગેમ્સને માત્ર 10 ઇવેન્ટ્સ સુધી મર્યાદિત કરવામાં આવી છે. જેમાં 3×3 બાસ્કેટબોલ અને 3×3 વ્હીલચેર બાસ્કેટબોલ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ), બોલ્સ અને પેરા બોલ્સ, બોક્સિંગ, સાયકલિંગ ટ્રેક અને પેરા સાયકલિંગ ટ્રેક, જુડો, નેટબોલ, સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ અને વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગનો સમાવેશ.

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 22/07/2026 મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

સુરતની લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરતી પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા 32 LGD અને સોનાથી બનેલા કમળનું કુત્રિમ ફૂલ તાજેતરમાં અવકાશમાં લોંચ કરવામાં આવેલા વિક્રમ-1 યાનમાં સવાર થઇને અવકાશમાં પહોંચી ચૂક્યું છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ છે, જે પૃથ્વીથી લગભગ 450 કિમી ઉપર ભ્રમણકક્ષામાં પહોંચી ચૂક્યું છે. સુરતમાં બનેલા એ લેબગ્રોન લોટસને કોસ્મોસ બ્લૂમ નામ આપવામાં આવ્યું છે, આ પેલોડ અવકાશમાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં ખુલ્યું હતું, જે સંપૂર્ણપણે સુરતમાં બનાવેલા પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાની તેજસ્વીતા દર્શાવે છે. હીરા ઉગાડવા અને તેમને પોલિશ કરવાથી લઈને ઝવેરાત ડિઝાઇન અને ઉત્પાદન સુધી, રચનાનો દરેક તબક્કો ડાયમંડ સિટી સુરતમાં પાર પાડવામાં આવ્યો છે.


નવી દિલ્હીઃ તાજેતરમાં ઈનપૂટ ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે ગ્રાહકો પર પસાર કરતાં દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ. આગામી પહેલી ઑગસ્ટથી તેનાં વિવિધ મૉડૅલોના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો કરશે, એમ કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવતાં ઉમેર્યું હતું કે ભાવવધારાની માત્રા મૉડૅલ અનુસાર જુદી જુદી હશે. ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં લેતાં કંપનીએ તેનાં મૉડૅલોના પોર્ટફોલિયોમાં યુનિટદીઠ રૂ. 30,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ભાવવધારો પહેલી ઑગસ્ટથી અમલી બનશે, એમ કંપનીએ યાદીમાં જણાવ્યું હતું.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા એક દિવસના સ્થગિત બાદ આજે 21/07/2026 ફરી શરૂ થઈ. સતત વરસાદ અને યાત્રા માર્ગો પર ભૂસ્ખલનના જોખમને કારણે સાવચેતીના ભાગ રૂપે ગઈકાલે 20/07/2026 યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. ચારધામ યાત્રા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, SDRF અને અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલનમાં યોજાઈ રહી છે. યાત્રા માર્ગો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે યાત્રાળુઓને અપીલ કરી છે કે જો ભારે વરસાદ, ભૂસ્ખલન અથવા અન્ય કોઈ કારણોસર માર્ગ અસ્થાયી રૂપે બંધ થઈ જાય, તો તેઓએ ફક્ત સલામત સ્થળોએ અથવા વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત હોલ્ડિંગ વિસ્તારોમાં જ રહેવું જોઈએ અને વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે યાત્રાળુઓની સલામતી વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

તા.21 જુલાઇ 2026ને મંગળવારે બપોરે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે એક મુસાફરે અચાનક વિમાનનો ઇમરજન્સી એક્ઝિટ દરવાજો ખોલી નાખ્યો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ભારે ગભરાટ મચી ગયો હતો. સદનસીબે વિમાન હજુ પણ પાર્ક મોડ પર જ હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. મુસાફરને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા અને અન્ય મુસાફરોની સલામતીને જોખમમાં મૂકવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને એરપોર્ટ સત્તાવાળાઓએ આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને બાદમાં તેને સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં પોલીસને સોંપી દીધો હતો. એરપોર્ટ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, આરોપી મુસાફરની ઓળખ જીતેન્દ્ર મનિયા તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે તે ફક્ત ઇમરજન્સી એક્ઝિટ તપાસી રહ્યો હતો; તેણે કહ્યું કે તેણે દરવાજાને સ્પર્શ કર્યો અને તે ખુલી ગયો. પોલીસ હાલમાં તેમના નિવેદનની ચકાસણી કરી રહી છે કે શું આ ઘટના ખરેખર અજાણતામાં બની હતી કે પછી કોઈ અંતર્ગત હેતુ હતો. ઇમરજન્સી એક્ઝિટ ખોલ્યા પછી વિમાનની નવેસરથી સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન બહાર મંગળવાર તા.21મી જુલાઇની સાંજે કોંગ્રેસ પ્રેરીત ચાલી રહેલા ધરણાં સ્થળે ભારે હોબાળો જોવા મળ્યો છે, જેનો વીડિયો ભારત સમેત સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર ભારે વાઇરલ થયા છે. વીડિયોમાં પોલીસ અખિલેશ યાદવને ખેંચીને સ્થળ પરથી લઈ જતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જતી જોવા મળી રહી છે. પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીને અલગ અલગ પોલિસ સ્ટેશનો પર લઇ જવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યા પછી અટકાયતમાં લેવાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 28 IAS અધિકારીઓની બદલી કરી છે. સામાન્ય વહીવટ વિભાગે 21 જુલાઈ, 2026ના રોજ આદેશો બહાર પાડ્યા. જેમાં વિવિધ મહાનગરપાલિકાઓના કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. ટ્રાન્સફર અધિકારીઓનું લિસ્ટ વાંચવા લિંક પર ક્લીક કરો. https://gad.gujarat.gov.in/personnel/Portal/News/733_1_1_Transfer%20order.pdf

વર્ષો પહેલા નિવૃત્તિની જાહેરાત કર્યા પછી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ કામ પર પરત ફર્યા છે, તેમણે કહ્યું કે, હું ફક્ત બેસી શકતો ન હતો …નિવૃતિના 7 મહિના પછી બેઝોસે જાહેર કર્યું કે તેઓ તેમના નવા AU સ્ટાર્ટઅપ પ્રોમિથિયસને લોન્ચ કરવા માટે ઓપરેશનલ ભૂમિકામાં પાછા ફરશે. 62 વર્ષીય અબજોપતિએ કહ્યું કે ફરીથી સહ-CEO બનવું એ “ટાઇપ 2 મજા” છે – એક પ્રકારનો પડકાર જે પર્વત પર ચઢ્યા પછી જ ફળદાયી લાગે છે. પ્રોમિથિયસ બેઝોસનું મુખ્ય ધ્યાન બની ગયું છે. આ સ્ટાર્ટઅપ, જે ભૌતિક કાર્યો માટે AI મોડેલ્સ બનાવે છે, જેમાં એન્જિનિયરોને ડિઝાઇન અને ઉત્પાદનમાં વધુ ઝડપથી મદદ કરવા માટેના સાધનોનો સમાવેશ થાય છે

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂઆત થઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી પાંચ દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં સિઝનનો કુલ 27% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

સંસદના ચોમાસુ સત્રમાં NEET પરીક્ષા કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, કૌભાંડની માહિતી મળતાં જ સરકારે ઝડપી કાર્યવાહી કરી 13 લોકોની ધરપકડ કરી જેલમાં મોકલ્યા. વડાપ્રધાને ભવિષ્યમાં પેપર લીક રોકવા કડક પગલાંની ખાતરી આપી છે. સરકારે દોષિતોને સજા અને ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે વિપક્ષને પણ સહયોગ કરવા અપીલ કરી.
કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને ભવિષ્યમાં આવા પેપર લીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાંની રૂપરેખા આપી છે. સરકારે દોષિતોને સખતમાં સખત સજા આપવા અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે ‘ફૂલપ્રૂફ સિસ્ટમ’ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે જેથી નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમાય.

દિલ્હીમાં NEET પરીક્ષામાં ગેરરીતિ અને શિક્ષણ સુધારાની માંગ સાથે CJPના નેતૃત્વ હેઠળ વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીથી મનોરંજન જગતમાં રોષ જોવા મળ્યો છે. જાણીતા ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, “જે કંઈ થયું તે ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ.” દિલજીત ઉપરાંત શબાના આઝમી, રિતેશ-જેનિલિયા દેશમુખ જેવા કલાકારો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.
© Copyright by Cia 2018. All rights reserved.
© Copyright by Cia 2018. All rights reserved.