સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.
જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિઃ સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેકોર જળબંબાકાર.
The weir level reached 6.00 mt. at 3:00 AM, so it is closed for traffic on 23 June 2025
જો આપની કોલેજમા કે આસપાસ પાણી ભરાયેલ હોય તો આપની કક્ષાએથી વર્ગ બંધ રાખવા નિર્ણય કરી શકાય છે.. પરિસ્થિતિગત અને જો પરીક્ષા ન હોય તો વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકાય છે જે વિદિત થાય છે કુલસચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત
રાંદેરઝોનથી સેન્ટ્રલ,કતારગામ,વરાછા કે અઠવા ઝોન જવું હોય તો જીલાની બ્રિજ,પાલ ઉમરા બ્રિજ થઈ જવા વાહનોની ભારે ભીડ, સંખ્યા બંધ વાહનો પાણીમાં ફસાયા,વાહનો બંધ થઈ જતા પગપાળા જવું પડ્યું
સુરત શહેર જિલ્લામાં આજે વહેલી સવારથી ત્રાટકેલા ભારે વરસાદે સામાન્ય જનજીવનને ઘેરી અસર પહોંચાડી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રજા ઘોષિત કરી દેવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા ત્યાંથી તેમને ઘરે પરત મોકલવાની વ્યસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાઓ આજથી જ શરૂ થઇ છે. આ પરીક્ષાઓ રાજ્યવ્યાપી હોવાથી તેને મૌકૂફ રાખવાની સત્તા સ્થાનિક સ્તરે ન હોવાથી પરીક્ષાઓ જારી રાખવામાં આવી છે.
બીજી તરફ જૂનના ચોથા સપ્તાહના પહેલા દિવસે સોમવારે સવારે નોકરી, ધંધો, રોજગાર પર જવા નીકળેલા લોકો ભારે વરસાદને કારણે મોટી પરેશાનમાં મૂકાય ગયા હતા. શહેરના લગભગ તમામ રોડ પર ટ્રાફિક જામ અને સાથે જલ ભરાવની સ્થિતિ જોવા મળી હતી. છત્રી લઇને નીકળેલા લોકો કે પછી રેઇનકોટ પહેરીને નીકળેલા લોકો પણ સંપૂર્ણપણે ભીંજાઇ ગયા હતા તેટલું જોર વરસાદનું હતું.
Umarwada Jawaharnagar
સવારે સાડા દસ વાગ્યાથી વરસાદનું જોર વધ્યું હતું અને બેંકોથી લઇને સરકારી કચેરીઓ પર જવા નીકળેલા લોકો ક્યાંતો ભીંજાઇ ગયા હતા ક્યાંતો જ્યાં શેલ્ટર મળ્યું ત્યાં રોકાઇ ગયા હતા. નોકરી, ધંધાના સ્થળે આજે ભારે વરસાદને પગલે કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. મેઇન્ટેનન્સ સર્વિસિંગના ધંધા સાથે જોડાયેલા લોકોના કામકાજને ઘેરી અસર પહોંચી હોવાની માહિતી લોકોએ સી.આઇ.એ. લાઇવને કોલ કરીને આપી હતી.
Sarthana Jakatnaka
અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમ રાજ્યના તમામ ઝોનમાં વરસાદ પડી ચૂક્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવમાન વિભાગે આજે સોમવારે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
Surat Adajan Patia Video
ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે ત્યારે હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સોમવારે આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ અતિભારે વરસાદની આગાહી કરી છે.
ચેમ્બર દ્વારા પ્લેટિનમ હોલમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ‘વુમન આંત્રપ્રિન્યોર્સ એન્ડ કમ્યુનિટી લીડર્સ’ સંદર્ભે પ્રેરણાત્મક સેશન યોજાયું
મહિલાઓ પુરૂષો કરતા વધુ સહનશીલ, દયાવાન, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોય છે, ગુજરાતની ૩પ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં ૮૦% છોકરીઓ જ ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે : ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીએ મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતીને નહીં છોડો તેવું સૂચન પણ કર્યુ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુક્રવાર, તા. ર૦ જૂન ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે ‘વુમન આંત્રપ્રિન્યોર્સ એન્ડ કમ્યુનિટી લીડર્સ’ વિષય પર પ્રેરણાત્મક સેશન યોજાયું હતું. આ સેશનમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર મહિલા સાહસિકો વિષે વાત કરી અન્ય મહિલાઓ તથા યુવા પેઢીને આત્મવિશ્વાસ અને નેતૃત્વની ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓની ભૂમિકા અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વનું રહયું છે. મહિલા નેતૃત્વનો વિકાસ માત્ર સામાજિક જ નહીં, પરંતુ આર્થિક અને રાષ્ટ્રવ્યાપી સ્તરે પણ અગત્યનો છે. મહિલા શક્તિ સમાજના દરેક ક્ષેત્રમાં એક નવો આયામ ઊભો કરી રહી છે. આવા કાર્યક્રમોના આયોજનોથી માત્ર પ્રેરણા જ નહીં પણ નેટવર્કિંગ, માર્ગદર્શન અને સહકારના નવા અવસરો પણ સર્જાય છે, આથી યુવા પેઢીને પ્રેરણા આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતને વિકસિત બનાવવામાં અને વિશ્વગુરુ બનાવવામાં મહિલાઓના યોગદાનને મહત્વૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં મધ્યકાલીન યુગ પછી એક મિથ્ય પ્રખ્યાત છે કે, મહિલાઓ કરતા પુરૂષો વધુ શક્તિશાળી છે, પરંતુ સત્ય એ છે કે, મહિલાઓ પુરૂષો કરતા વધુ સહનશીલ, દયાવાન, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોય છે. હાલમાં ગુજરાતની ૩પ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં ૮૦% છોકરીઓ જ ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે.
ભારત એક સમયે વિશ્વમાં ‘સોને કી ચીડિયા’ નામથી પ્રખ્યાત હતું. તેના મૂળમાં દેશના ગામડે–ગામડે દંપતિના સહભાગીદારીથી ચાલતા કુટીર ઉદ્યોગો અને તેથી થતું આર્થિક ઉપાર્જન રહેલું હતું. એવું નથી કે મહિલાઓએ માત્ર ઉદ્યોગ કરીને જ પરિવારને આર્થિક રીતે આગળ વધાર્યું છે પણ અનેક મહિલાઓ ઘરમાં પશુપાલન અને ખેતીમાં સહભાગી થઈને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. ઉદ્યોગ હોય કે કોર્પોરેટ અથવા સરકારી હોદ્દાઓ પર રહેલી મહિલાઓ હંમેશા કાર્યને સફળ બનાવવા માટે અથાક પ્રયાસ કરે છે અને તે કાર્યમાં સફળતા મેળવીને જ રહે છે.
મહિલાઓ જ્યારે ઉદ્યોગમાં ઝંપલાવે છે, ત્યારે તેઓ માત્ર પોતાનો જ વિકાસ નથી કરતી, પરંતુ તેઓ અનેકો લોકોને રોજગારી આપે છે, જેથી પરિવારોનું ગુજરાન ચાલે છે અને તેઓ એક સારૂં જીવન જીવવાનું શરૂ કરે છે. હાલમાં આપણે વિદેશી પરંપરાને અનુસરવાની આંધળી દોટ લગાવીએ છીએ, પરંતુ તે દરમિયાન આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ. તેમણે મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતીને નહીં છોડો તેવું સૂચન આપ્યું હતું. ભારતીય સંસ્કૃતી વેદની સંસ્કૃતી છે. જ્યારે એક સમૂહમાં આપણે એક જ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કાર્ય કરતા હોય ત્યારે યાદ રાખવું જોઈએ કે, માત્ર પોતાની ઉન્નતિમાં જ નહીં, પરંતુ બધાની ઉન્નતિમાં સફળતા રહેલી હોય છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી મયૂરીબેન મેવાવાલા અને ચેમ્બરની સમગ્ર ટીમે સેશનને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી.
નિખિલ મદ્રાસી, એક સમયે એટલે કે ગુજરાત-સુરતમાં ભાજપના કાશીરામ રાણાનો દબદબો હતો ત્યારે પત્રકાર હતા અને લોકલ ચેનલ, ચેનલ સુરતને લીડ કરતા હતા, એ પત્રકાર નિખિલ મદ્રાસી આજે જ્યારે ગુજરાત-સુરતમાં સી.આર. પાટીલનો દબદબો છે ત્યારે તા.6 જૂન 2025ને શુક્રવાર, ભીમ અગિયારસના દિવસે ભારતની સૌથી શક્તિશાળી ચેમ્બર ઓફ કોમર્સ SGCCIના પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ લેશે.
નિખિલ મદ્રાસી માટે કહેવું પડે કે રિજેક્શન અને અણગમાની પરવાહ કર્યા વગર આગળ વધ્યા. નિખિલ મદ્રાસી પત્રકાર હતા અને એ પછી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય થયા ત્યારથી અનેક આગેવાનો અને સંસ્થાઓ તેમના પ્રત્યે અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે. અનેક સ્તરે તેમણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. સવા એક વર્ષ અગાઉ જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની હતી ત્યારે તેમણે દ્રઢ નિશ્ચય કર્યો કે આ વખતે જે થવાનું હોય એ થાય, હીટ આઉટ કે ગેટ આઉટ, પણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં હવે હું પીછેહઠ કરવાનો નથી. એ સમયે અહેસાસ થયો હતો કે દ્રઢ નિશ્ચય કરનારે ક્યારેય પીછેહઠ કરવી પડતી નથી.
રિજેક્શન અને અણગમાનો દરીયો પાર કરીને એક સમયના પૂર્ણકાલિન પત્રકાર આજે ભારતની સૌથી શક્તિશાળી અને જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ઔદ્યોગિક સંસ્થા, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ તરીકે આરુઢ થઇ રહ્યા છે.
નિખિલ મદ્રાસી, ચેમ્બરના ૭૯મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮પમો પદગ્રહણ સમારોહ શુક્રવાર, તા. ૬ જૂન, ર૦રપના રોજ સાંજે ૦પઃ૩૦ કલાકે સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ તરીકે શ્રી નિખિલ મદ્રાસી અને ઉપ પ્રમુખ તરીકે શ્રી અશોક જીરાવાલા પદ ગ્રહણ કરશે.
આ પદગ્રહણ સમારોહ ભારતના માનનીય કેન્દ્રિય જળશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજીના વિશેષ મહેમાન પદે યોજાશે, જેમાં નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર એન્ડ સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા, સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, લોકસભાના વ્હીપ અને વલસાડના સાંસદ શ્રી ધવલ પટેલ, સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલ, રાજ્ય સભાના સાંસદ શ્રી ગોવિંદ ધોળકીયા, બારડોલીના સાંસદ શ્રી પ્રભુ વસાવા અને સુરત શહેરના ભાજપ પ્રમુખ તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીના લક્ષ્યાંકો….
Building Global Connections, Empowering Local Strengthsની થીમ પર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમના દરેક પાસાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ છે. એના માટે સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા હેતુ તેઓને યોગ્ય મંચ પૂરો પાડવામાં આવશે. ૧પ૦૦ જેટલા નવા સભ્યોનો ચેમ્બરમાં સમાવેશ કરવામાં આવશે, જેમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અને સ્ટાર્ટઅપ્સને ચેમ્બરની સાથે જોડવા અભિયાન ચલાવવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧ર જેટલા ઔદ્યોગિક પ્રદર્શનો ૧ર જેટલી બિઝનેસ કોન્કલેવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો થકી ઉદ્યોગોને નવા બજારો સુધી પહોંચવાની, પાર્ટનરશીપ્સ વિકસાવવાની અને નેટવર્કિંગ વધારવાની તક આપવામાં આવશે. ૧ર જેટલા વેન્ડર ડેવલપમેન્ટ્સ પ્રોગ્રામ કરવામાં આવશે, જેના થકી સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવી વૈશ્વિક માંગ માટે તેઓને યોગ્ય બનાવવામાં આવશે.
આ ઉપરાંત, ૧૦ ગ્લોબલ બીટુબી કનેકટ ઇનીશિએટીવ હાથ ધરાશે, જેમાં વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ સાથે સીધો સંપર્ક સાધીને વેપારવધારાનું સ્થાનિક ઉદ્યોગકારોને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે. રોકાણકારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચેની ખાઇને દૂર કરવા માટે ૩ જેટલા સ્પેશ્યલ ફોરમ તૈયાર કરવામાં આવશે.
ચેમ્બરની પ્રવૃત્તિઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવામાં આવશે, જેમાં સુરત ઇકોનોમિક ફોરમને વધુ ગતિશીલ બનાવવાની સાથે, ત્રણ સેટેલાઇટ ચેપ્ટરો ઉભા કરાશે, જે વિવિધ ઔદ્યોગિક ઝોનમાં સ્થાનિક વ્યવસાયો માટે સહાયક થશે. એની સાથે જ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો સાથે ભાગીદારી કરાશે, જે વૈશ્વિક ઉદ્યોગ ક્ષેત્ર સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને સ્થાનિક વ્યવસાયો માટે આંતરરાષ્ટ્રીય તકો ઊભી કરવાની દિશામાં કાર્ય કરશે.
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ – ધંધાઓ, ખાસ કરીને MSMEsના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અસરકારક રજૂઆતો કરવામાં આવશે. સાથે જ સરકારની વિવિધ નીતિઓના ઘડતરમાં તેમજ તેમાં સુધારાઓ માટે સરકાર સમક્ષ ઉદ્યોગ જગતના મુદ્દાઓને વધુ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવશે.
ઉદ્યોગ જગતના સમગ્ર વિકાસ માટે સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપી સ્થાનિક ઉદ્યોગોમાં ટ્રેઇન વર્ક ફોર્સ વધે તે દિશામાં પ્રયાસ કરાશે. ઉદ્યોગો આધુનિક ટેકનોલોજી અપનાવે તે માટે તેઓને વિવિધ કાર્યક્રમો થકી માર્ગદર્શન આપવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ ડેવલપ કરવા માટે એન્જલ ઇન્વેર્સ્ટની સાથે મિટીંગો યોજાશે. તદુપરાંત, ઉદ્યોગો માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ ઉભી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.
વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીનો પરિચય…
તા. રપ મે, ૧૯૬૪ના રોજ સુરતમાં જ જન્મેલા, મૂળ સુરતી એવા માત્ર મદ્રાસી અટકધારી શ્રી નિખિલભાઇ બી.કોમ.ની શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે.
વર્ષ ૧૯૮૯માં ચેમ્બરની કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી નિખિલ મદ્રાસી ચેમ્બરમાં એકમાત્ર એવા વ્યક્તિત્વ છે કે જેમણે અલગ–અલગ ત્રણ સમયે માનદ્દ મંત્રી પદનો હોદ્દો શોભાવ્યો છે. આ ઉપરાંત, એક વખત એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર, એક વાર પબ્લિક રિલેશન ઓફિસર અને એક વાર પ્રોગ્રામ કમિટિ ચેરમેન અને બે વર્ષ ચેમ્બરના આદર્શ અને ઉત્તરદાયિત્વના પ્રતિબિંબ કરાવતા દર્પણ એવા ‘સમૃદ્ધિ’ મેગેઝીનના સંપાદક તરીકે આંખે ઉડીને વળગે તેવી કામગીરી કરી છે.
ચેમ્બર ઓફ કોમર્સ જેમના અસ્તિત્વમાં અને કણેકણમાં વસે છે, ચેમ્બરની આંટીઘૂંટીઓને જેઓ વ્યવસ્થિત રીતે સમજી શકયા છે અને ચેમ્બરના બંધારણની જેમને રજેરજની માહિતી છે એવા શ્રી નિખિલભાઈએ પોતાના જીવનના ૩પ વર્ષ ચેમ્બરને સમર્પિત કર્યા છે. નિખિલ મદ્રાસી એ સુરતીઓ માટે ખૂબ જાણીતું નામ છે.
ચેમ્બર ઓફ કોમર્સમાં તેમને કોણ નથી ઓળખતું ? પરંતુ ચેમ્બર ઉપરાંત પણ તેઓ ઘણી સંસ્થાઓની સાથે સંકળાયેલા છે અને ઘણી પ્રવૃત્તિઓમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી છે.
સુરતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની એસ.પી.બી. ઇંગ્લિશ મીડીયમ કોમર્સ કોલેજના વહીવટી સમિતિના અધ્યક્ષ ઉપરાંત સોસાયટીની અન્ય શાળાઓ અને કોલેજોમાં ૧૩થી પણ વધુ કમિટીઓમાં જવાબદારી અને સોસાયટીના મુખપત્ર ‘સાર્વજનિકન’ના તેઓ સંપાદક છે અને સાથે સાથે સાર્વજનિક યુનિવર્સિટીમાં પણ તેઓ પોતાનું સક્રિય પ્રદાન આપી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરીમાં તેઓ વર્તમાનમાં આસી. ગવર્નર, રોટરી ક્લબ ઓફ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ અને સમગ્ર ડીસ્ટ્રીકટ ૩૦૬૦ના મુખપત્ર ‘ગવર્નર મંથલી લેટર’ના તેઓ સંપાદક છે.
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન – જીતો, શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, મહાવીર ઇન્ટરનેશનલ – આ તમામ સંસ્થાઓમાં તેમનું સક્રિય યોગદાન રહેલું છે.
વ્યવસાયિક ધોરણે તેઓ ટ્રેઈનર, લાઈફ કોચ અને બિઝનેસ કોચ છે. પબ્લિક સ્પીકિંગના માધ્યમ દ્વારા હજારો વિદ્યાર્થીઓ અને તેનાથી વધારે સુરતીઓને અસરકારક વક્તા બનાવવામાં તેમનો સિંહફાળો છે.
આપણે સૌ તેમને ‘સુરત ચેનલ’ના પર્યાય તરીકે ઓળખીએ છીએ. સમગ્ર દેશની સૌ પ્રથમ સ્થાનિક ચેનલના સંચાલક તરીકે તેમણે સતત ર૦ વર્ષ સુધી આ શહેર પર એકચક્રી સામ્રાજ્ય ભોગવ્યું હતું. એક સમય હતો જ્યારે આખું શહેર તેઓ જેમ દિશા નિર્દેશ કરતાં તેમ ચાલતું હતું અને એ વાસ્તવિક હકીકત છે.
હાલમાં પણ તેઓ મીડિયા પર્સન તરીકે સક્રિય છે અને નાના માણસની મોટી વાતો તેમજ મોટા માણસની નાની વાતો પ્રસ્તુત કરતા ‘પેજ થ્રી’ મેગેઝીન અને ‘પેજ થ્રી કોફી બુક’ના તેઓ સંપાદક છે.
તેમના ધર્મપત્ની શ્રીમતી અલ્પાબેન પણ વ્યવસાયમાં સક્રિય રહીને જોબ પોર્ટલ અને મેરેજ બ્યુરો ચલાવી રહયા છે. સુરતની અગ્રણી કંપનીઓ – એન.જે. ઇન્ડિયા રિફ્રેશ, કન્સેપ્ટ ઇન્વેસ્ટવેલ અને એપલ સારીઝની ડિસ્ટ્રીબ્યુટરશિપ તેઓ ધરાવે છે.
શ્રી નિખિલભાઇના એક માત્ર સુપુત્ર શ્રી મંથન મદ્રાસી બ્રાન્ડીંગ એક્ષ્પર્ટ છે. પુત્ર વધુ દેશના ખાનગી પ્રિ–નર્સરી શાળામાં પ્રશિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમની ૮ વર્ષની પૌત્રી ગાથા રિલાયન્સ ફાઉન્ડેશનમાં ધોરણ ૪માં અભ્યાસ કરે છે.
ખૂબ લો–પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવતા, દિલના અમીર, ખાનદાની ખમીર, માનવીય સંબંધો બાંધવામાં માહિર અને આપણા સૌના જાણીતા અને માનીતા શ્રી નિખિલ મદ્રાસી, હવે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
વર્ષ ર૦રપ–ર૬ના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાનો પરિચય…
શ્રી અશોકભાઇ ચોડવડીયા (જીરાવાલા), જન્મ ર૧ એપ્રિલ ૧૯૬૬, એક સફળ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાહસિક અને સ્પષ્ટ વક્તા એવી વ્યક્તિ છે. તેમનું દ્રઢપણે માનવું છે કે, ‘જીવનમાં વ્યક્તિનો દ્રષ્ટિકોણ, અનુભવ અને વિચારોનું વૈવિધ્ય એ મહત્વની શિક્ષા છે.’ આજે તેઓ પોતાના આપબળે પરંપરાગત અને આધુનિક ટેક્ષ્ટાઇલ વિવિંગ ઉદ્યોગમાં એક આગવું મહત્વનું સ્થાન અંકિત કરી આગવી પ્રતિભા સાબિત થયા છે.
શ્રી અશોકભાઈ ઘણા વર્ષોથી ટેક્ષ્ટાઇલ, આર્ટ એન્ડ સિલ્ક વિવિંગ, ટ્રેડિંગ તેમજ સીવીડી ડાયમંડ ક્ષેત્રે સફળ બિઝનેસ કરતા આવ્યા છે. ઉદ્યોગ ક્ષેત્રે જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક કાર્યોમાં પણ તેમનો પ્રભાવશાળી અવાજ સદાય સક્રિય રહ્યો છે.
શ્રી અશોકભાઈએ ચેમ્બર સાથે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ર૦૧૬માં કરી હતી. પછીથી તેઓ ર૦ર૦–ર૧થી ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં સક્રિયપણે જોડાયા હતા. આ દરમ્યાન તેમણે ગૃપ ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. ખાસ કરીને એન્ટી–ડમ્પિંગ, કસ્ટમ્સ ડયુટી, જીઆઇડીસી વિકાસ, એમએસએમઇ, અને મોડર્ન વિવિંગ જેવી અગત્યની કમિટીઓમાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
અશોકભાઈએ નાનાં અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોની સમસ્યાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરી છે. તેઓના પ્રયાસોના પરિણામે અનેક બાબતોમાં નીતિગત સુધારાઓ થયા છે, જેનો લાભ ઉદ્યોગ – ધંધાઓને મળ્યો છે.
શ્રી અશોકભાઈ, ફોગવા – ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરતના વિવર્સ તથા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું મક્કમ નેતૃત્વ કરીને તેઓના વિવિધ પ્રશ્નોનું ઉકેલ લાવામાં સફળ રહ્યા છે.
શૈક્ષણિક ક્ષેત્રે તેઓ યુવા ઉત્કર્ષ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તરીકે અનેક યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસશીલ છે. તેમની આગેવાની હેઠળ અસંખ્ય યુવાઓએ વિવિધ શૈક્ષણિક અને વ્યવસાયિક અવસરો પ્રાપ્ત કર્યા છે.
શ્રી અશોકભાઈ જીરાવાલાએ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નં. ૩ના નગરસેવક તરીકે લોકહિત માટે અનેક નોંધપાત્ર કામગીરી કરી છે. તેઓએ ઘણીવાર જનહિતના મુદ્દાઓ પર વિવિધ મોરચે સફળ લડતો આપી છે.
તેઓ ઓલ ઇન્ડિયા માનવ સેવા સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમજ ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળાના કમિટી મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે.
શ્રી અશોકભાઈ, લોકદૃષ્ટિ ચક્ષુબેંકના કમિટી મેમ્બર અને યોગા સ્પોટ્ર્સ એડવેન્ચર એસોસિએશનના ટ્રસ્ટી તરીકે પણ સક્રિય છે. તેમનો વ્યવહારિક અભિગમ અને સ્પષ્ટતા સાથે વાત કરવાનો અંદાજ તેમને સર્વત્ર લોકપ્રિય બનાવે છે.
ઉદ્યોગ, રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સેવા આપનાર તેમજ સ્પષ્ટ વકતા તરીકે જાણીતા શ્રી અશોકભાઇ જીરાવાલા, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦રપ–ર૬ના ઉપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 8 મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
60-70 કિમીની ઝડપે પવન ફૂંકાશે આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ આ જિલ્લામાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આગાહીને પગલે સંબંધિત જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, કાચા મકાનોને નુકસાન તેમજ વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે રહેવા જણાવવામાં આવ્યું છે.
સુમુલ ડેરીના પ્રમાણિક,કરકસરયુક્ત, પારદર્શક અને અસરકારક વહીવટને કારણે સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોને દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારો શક્ય : માનસિંહ પટેલ-ચેરમેન સુમુલ ડેરી-સુરત
આજરોજ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહના “સહકાર થી સમૃદ્ધિના” સ્વપ્નને સાકાર કરતા તેમના નિયામક મંડળના સાથ સહકાર, પ્રમાણિક, કરકસરયુક્ત અને અસરકારક વહીવટ થકી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક સુખાકારી માટે અનેક નિર્ણયો કાર્ય છે જેમાં વધુ એક વખત ઐતિહાસિક ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યા બાદ દૂધના ખરીદ ભાવોમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
નવા ફાઈનાન્શિયલ વર્ષમાં તા.૪-૦૫-૨૦૨૫ના રોજથી અમલી ભેંસ અને ગાય બંનેમાં દૂધ પ્રાપ્તિના ભાવોમાં કિલો ફેટ દીઠ રૂપિયા ૨૦ નો વધારો કરવામાં આવતા અનુક્રમે ભેંસના ભાવો રૂ.૮૭૦ અને ગાયના ભાવો રૂ.૮૩૦ મળશે. સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.
સંઘના નિયામક મંડળ દ્વારા મિશન બિયોન્ડ મિલ્ક’ પહેલ અનુસંધાને 125 કરોડના ખર્ચે આઈસક્રીમ પ્લાન્ટનું વિસ્તરણ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ તેમજ વગર વ્યાજે પશુ ખરીદી માટે સુડીકો બેંક-સુમુલની લોન યોજના, BIS/ISI ક્વોલીટી વાળુ દાણ,સભાસદ વીમા યોજના, ૨૪ કલાક પશુ ચિકિત્સકોની સેવા, વાછરડી-પાડી ઉછેર કાર્યક્રમ,કૃત્રિમ બીજદાન,એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના,સુમુલ એનિમલ જીનેટિકસ,સેક્સ સીમેન યોજના,સોલાર સીસ્ટમ,મિલ્કીંગ મશીન, પશુ વીમા યોજના, પશુઓ સુધારણા, ઘાસચારાની યોજના,સાયલેજ, સહિતની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના મીઠા ફળો મળતા સુમુલ ડેરી તેના સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજુરો,મહિલાઓ પશુપાલકોને દરરોજ ૧૦ કરોડ રૂપિયાની આવક ઘર આંગણે પૂરી પાડી મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે. દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારાના સમાચાર મળતા જ પશુપાલકોએ માનસિંહ પટેલ અને તેમના નિયામક મંડળ ઉપર અભિનંદનની વર્ષા કરી હતી.
પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 400થી વધુ જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.
સાધનસંપન્ન પરીવારોની ક્લબ ગણાતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં આજે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીની કુલ 21 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સાંજે 4ના ટકોરે જ્યારે મતદાનની પ્રક્રિયા સંપન્ન થઇ હતી ત્યારે કુલ 69.12 ટકા મતદાન યોજાયું હતું. રવિવારે રજાનો દિવસ અને ધખધખતો તાપ પડતો હોવા છતાં સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના 3608 મેમ્બરો પરસેવે રેબઝેબ થઇને પણ મતદાન કરવા માટે સ્ટેડીયમમાં પહોંચ્યા હતા.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ચૂંટણી જંગમાં 21 ઉમેદવારોની બે પેનલો ઝુકાવ્યું હતું. બન્ને પેનલનું નેતૃત્વ લાલભાઇ કોન્ટ્રાક્ટર પરીવારના સભ્યોના હાથમાં સોંપવામાં આવ્યું હતું. સ્ટેડીયમ પેનલ કે જેનું નેતૃત્વ ખુદ વર્તમાન પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે જ્યારે સામે પક્ષે તેમના જ લઘુબંધુ સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની પુત્રી યેશા કોન્ટ્રાક્ટરે પોતાના 20 ઉમેદવારો સાથે હેમંત કોન્ટ્રાક્ટર પેનલના નામથી ચૂંટણીમાં ઝુકાવીને વહીવટ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે મતદાન યોજાય તેની પૂર્વ સંધ્યા સુધી બન્ને પેનલોએ શામ, દામ, દંડ, ભેદ તમામ નીતિઓ અખત્યાર કરીને સોશ્યલ મિડીયા તેમજ અન્ય મિડીયા સ્ત્રોતો થકી મેમ્બરોમાં એક બીજાને નીચા દેખાડવાની ભરપૂર કોશિશો કરી હતી, જેને લઇને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની આ ચૂંટણી અત્યંત રોમાંચક બની હતી.
આજે સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું હતું અને આરંભથી જ આક્રમક મતદાન જોવા મળ્યું હતું. સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનમાં કુલ 5222 મેમ્બરોને આજે મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. દર કલાકે 700 મતોની સરસાઇ સાથે સાંજે 4ના ટકોરે મતદાન સંપન્ન થયુ ત્યારે કુલ 3608 મતદારો મતદાન કરી ચૂક્યા હતા. દર ત્રણ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં ત્રણ વર્ષ અગાઉ 2022માં યોજાયેલી ચૂંટણીમાં એ સમયે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના 4500માંથી 2912 મતદારોએ મતદાન કર્યું હતું
“ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ, સુરત(SGCCI)” દ્વારા આયોજીત “ગોલ્ડનજ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માટે સુરત-તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ , સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા “કલરટેક્ષ એવાર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ ઇન એનર્જિ કન્ઝર્વેશન” કેટેગરીમાં અરજી કરવામાં આવેલ હતી. તદ ઉપરાંત રાજ્યની અગ્રણી અલગ-અલગ ઇંડસ્ટ્રીઝમાંથી અરજીઓ કરવામાં આવેલ હતી. જે પૈકી સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ બધા માપદંડો માં અગ્રેસર રહયો હતો. જે માટે સુમુલ ડેરી – ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જીલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે. સુમુલ ડેરીએ સમગ્ર ભારત વર્ષમાં ફ્રૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નામ રોશન કરેલ છે .
ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ભારત સરકાર સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને રેડી ટુ કુક ટેક હોમ રાશન ખોરાક પૂરો પાડે છે. આ પ્રોડક્ટના ઉત્પાદન માટે અનુક્રમે કૈરા, બનાસકાંઠા અને સુરત દૂધ સંઘમાં ત્રણ હાઇટેક પ્લાન્ટ 200 મેટ્રિક ટન/દિવસની ક્ષમતા સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત અને ફક્ત સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને એનર્જિ કન્ઝર્વેશન ક્ષેત્રે પ્રથમ વખત “ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ “ દ્વારા આયોજીત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માં સકારાત્મક પ્રયાસો થકી પ્રથમ સ્થાને એવોર્ડ મળવા જઈ રહયો છે.
આ એવોર્ડ તા.૧૬.૦૪.૨૦૨૫, બુધવાર ના દિને પ્લૅટિનમ હોલ,ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ (SGCCI),સરસાના,સુરત ખાતે સુમુલ ડેરીના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી, બોર્ડ ડીરેક્ટરશ્રીઓ, મેનેજીંગ ડીરેક્ટરશ્રી તથા યુનિટ હેડ દ્વારા સ્વીકારવામાં આવશે.
ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવાર્ડ આપવા માટે ઉર્જા બચત – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, ચોક્કસ ઉર્જા વપરાશમાં ઘટાડો – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, એનર્જી ઓડિટ,૧૦૦% ક્ષમતાનો ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તા અને સલામતી નિયંત્રણો, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી, સાયન્ટિફિક ઇનોવેશન અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો અમલ જેવા માપદંડનો સમાવેશ થયેલ છે.
સુમુલ ડેરી તથા તેમના અલગ-અલગ યુનિટ ને રાષ્ટ્રીય (ભારત સરકાર) તથા વિવિધ સંસ્થાઓં દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ ૧૩ એવોર્ડ મળેલ છે જેની યાદી આ પ્રમાણે છે.
(૬) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ૨૦૧૯-૨૦, કલર ટેક્ષ ઉર્જા બચત એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૭) ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ ૨૦૨૦-૨૧, પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૮) મિલેટ ઈયર – ૨૦૨૩ (FSSI) એવોર્ડ
(૯) આઈ.ડી.એ. દ્વારા આયોજીત શ્રેષ્ઠ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સ્વીકાર કરી 2 થી 5 લાખ લિટર પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતા કેટેગરીમાં નવી પારડી, પ્રથમ પુરષ્કાર – ૨૦૨૪
(૧૦) વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફેડરેશન સાથે સંકળાયેલ તમામ ડેરી પૈકી સુમુલ ડેરીએ છેલ્લા ચાર વર્ષમાં ૪૦ લાખથી વધુ વૃક્ષો વાવી ચાર એવોર્ડ મેળવેલ છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જેમ્સ નામના કારખાનામાં આ સમગ્ર ઘટના બની છે. અહીં કારખાનામાં કામ કરતા 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જવાથી તેમને સત્વરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ તમામની હાલત અત્યારે સારી હોવાથી પરિવારજનો રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બે લોકોની હાલત અત્યારે ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે
કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે? સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, અહીં આવેલા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવાની પડીકી નાખી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આખરે કોણે આ સેલ્ફોસની દવા નાખી? કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. ઘટના સ્થળ પર અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવાથી આરોપીઓની ભાળ મળી શકે! જો કે, આ તમામ બાબતે પોલીસે તપાસ કરવાની છે.
પાણીની ટાંકીમાં અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી આ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, કપોદ્રામાં મિનેનિયમ કોમ્પલેક્સમાં આવેલી અનોપ જેમ્સ નામની કંપનીમાં સવારે એક ઘટના બની જેમાં પાણીની ટાંકીમાં કોઇ અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી દીધી હતી. આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી’. ઘટનાની તપાસ કરવા માટે પોલીસે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.