CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - CIA Live

October 27, 2025
image-16-1280x720.png
1min301

ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે 5 વર્ષ પછી ગતરોજ તા.26મી ઓક્ટોબરને રવિવારે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઇ ચૂકી છે, ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. કોવિડ-19 ને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો તે પહેલાં, 2020ની શરૂઆતથી, ચીનના ખાસ વહીવટી ક્ષેત્ર હોંગકોંગ સિવાય, દેશો વચ્ચેની એરલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

Dated 26/10/2025 રવિવારે રાત્રે 10 કલાકે કોલકાતાથી ઉડાન ભરનારી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1703 એ તા.27મી ઓક્ટોબરને સોમવારે વહેલી સવારે દક્ષિણ ચીનના શહેર ગુઆંગઝુ શહેરના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, આ ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો ભારતથી ચીન પહોંચ્યા હતા.

સૌથી મોટો ફાયદો સુરતના હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને

સુરતના ટેક્ષટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચીનના વેપારીઓ, ઉત્પાદકો સાથે સીધો વેપાર ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ન હોવાના કારણે સુરતના વેપારીઓએ વાયા હોંગકોંગ કે થાઇલેન્ડ કે સિંગાપોર થઇને ચીનના ગંતવ્ય સ્થાને પહોંચવું પડતું હતું. સુરતના ઉદ્યોગકારો માટે આ પ્રકારે વાયા ફ્લાઇટથી ચીન પહોંચવું ખર્ચાળ પણ હતું અને સમય વ્યય કરનારું પણ નિવડતું હતું. પરંતુ, હવે ભારતમાં કોલકાત્તા અને આગામી દિવસોમાં દિલ્હીથી ચીનની સીધી ફ્લાઇટ શરૂ થવાની હોઇ સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો છે.

સુરતના અનેક વેપારીઓ ચીનના લેબગ્રોન ડાયમંડના ખરીદારો છે. એથી વિશેષ ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપીયર જેકાર્ડ જેવી મશીનરી તેમજ સ્પેરપાર્ટસ માટે નિયમિત રીતે ચીનની મુલાકાતે જતા હોય છે. એવી જ રીતે જ્વેલરી વિક્રેતાઓ પણ નિયમિત રીતે ચીન અવરજવર કરતા હોય છે તેમના માટે ભારતથી ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ અત્યંત ઉપયોગી બની રહેશે.

ટિકીટનો ભાવ રૂ.35 હજારની આસપાસ

ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમને ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે દૈનિક, નોન-સ્ટોપ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમને ભારતના બે બિંદુઓથી ચીન સાથે સીધી કનેક્ટિવિટી ફરી શરૂ કરનારા પ્રથમ દેશોમાં સામેલ થવાનો ગર્વ છે. આનાથી ફરી એકવાર લોકો, માલસામાન અને વિચારોની અવરજવર સરળ બનશે, સાથે સાથે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત બનશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલા સાથે, અમે ચીનમાં વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.”

ઇન્ડિગો વેબસાઇટ મુજબ, સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ચીનના ગુઆંગઝુ શહેરની ફ્લાઇટ ટિકિટની કિંમત રૂ. 35,673 હશે. કિંમતમાં વધઘટ થવાની શક્યતા છે.

October 18, 2025
image-15.png
1min71

ગુજરાતના નવા મંત્રીમંડળની રચના સાથે જ રાજ્યના રાજકીય ચિત્રમાં અનેક રસપ્રદ પાસાઓ ઉભરી આવ્યા છે. સરેરાશ 55 વર્ષની વય અને 11 કરોડની સરેરાશ સંપત્તિ ધરાવતું આ મંત્રીમંડળ અનુભવ અને સમૃદ્ધિનું પ્રતિક છે, પરંતુ તેની અંદર રહેલી વિવિધતા ગુજરાતના રાજકારણની જટિલતાને પણ દર્શાવે છે.

સૌથી સંપત્તિવાન મંત્રી કોણ?

સંપત્તિમાં જમીન-આસમાનનો તફાવત આ મંત્રીમંડળમાં એક તરફ કરોડોમાં આળોટતા મંત્રીઓ છે, તો બીજી તરફ સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા ચહેરાઓ પણ છે. મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય તરીકે રીવાબા જાડેજા 97 કરોડથી વધુની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યારબાદ પરષોત્તમ સોલંકી 43.52 કરોડ) અને પ્રફુલ પાનસેરિયા (19.70 કરોડ) જેવા કરોડપતિ મંત્રીઓ છે.

જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. જયરામ ગામિત (47 લાખ) અને સ્વરૂપસિંહ ઠાકોર (91 લાખ) જેવા મંત્રીઓ પણ છે, જેમની સંપત્તિ એક કરોડથી પણ ઓછી છે. આ આંકડા દર્શાવે છે કે મંત્રીમંડળમાં આર્થિક રીતે ભયંકર અસમાનતા છે, જે ગુજરાતના રાજકારણમાં ધનબળના વધતા પ્રભાવ અને પાયાના કાર્યકરોની ભાગીદારી વચ્ચેના સંતુલનને રજૂ કરે છે.

સૌથી યુવા મંત્રી કોણ?

અનુભવ અને યુવા જોશનો સમન્વય મંત્રીમંડળની સરેરાશ ઉંમર 55 વર્ષ છે, જે દર્શાવે છે કે સરકાર ચલાવવામાં અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 74 વર્ષીય કનુ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ સરકારને સ્થિરતા અને માર્ગદર્શન આપશે. તો બીજી તરફ, રીવાબા જાડેજા (35 વર્ષ) અને હર્ષ સંઘવી (37 વર્ષ) જેવા યુવા ચહેરાઓ નવી પેઢીની ઉર્જા અને દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ મિશ્રણ સરકાર માટે એક જ સમયે અનુભવનો લાભ લેવા અને ભવિષ્ય માટે નવી નેતાગીરી તૈયાર કરવાની રણનીતિનો સંકેત આપે છે.

કોણ કેટલું ભણેલું

શિક્ષણનું વૈવિધ્યસભર ચિત્ર શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ પણ મંત્રીમંડળમાં વિવિધતા જોવા મળે છે. એક તરફ મનીષા વકીલ (PhD) અને પ્રદ્યુમન વાજા (MBBS) જેવા ઉચ્ચ શિક્ષિત મંત્રીઓ છે, તો બીજી તરફ નરેશ પટેલ અને સ્વરૂપસિંહ ઠાકોર જેવા 10 પાસ થયેલા મંત્રીઓ પણ છે. આ દર્શાવે છે કે રાજકારણમાં સફળ થવા માટે માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં, પરંતુ જનતા સાથેનું જોડાણ અને રાજકીય કુનેહ પણ એટલી જ મહત્વની છે.

આમ, ગુજરાતનું નવું મંત્રીમંડળ સંપત્તિ, વય અને શિક્ષણના મામલે એક અત્યંત વૈવિધ્યસભર જૂથ છે. આ ‘મિની ગુજરાત’ સરકાર સામે રાજ્યના વિકાસને આગળ ધપાવવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મોટો પડકાર રહેશે. આગામી સમય જ બતાવશે કે આ વિવિધતા સરકાર માટે તાકાત બને છે કે નબળાઈ.

October 16, 2025
BHUPENDRA.jpg
2min57

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.

ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.

ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

October 13, 2025
image-12-1280x816.png
1min70

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યાના નવ વર્ષ બાદ સરકાર દ્વારા GST સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાના કારણે લોકોની બચત થશે અને દિવાળી સુધરશે એવો સરકારે દાવો કર્યો હતો, પરંતુ જીએસટી સ્લેબમાં થયેલા સુધારાથી ફટાકડા વેચનારા લોકોની દિવાળી સુધરે એવું લાગતું નથી. દિવાળીને અઠવાડિયું બાકી હોવા છતાં પણ ફટાકડાના ઉદ્યોગોમાં હજુ લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી. જાણીએ શું છે માર્કેટનો હાલ.

22 સપ્ટેમ્બર 2025 પહેલા GSTના ચાર સ્લેબ અમલમાં હતા, જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થતો હતો. પરંતુ 22 સપ્ટેમ્બર 2025થી માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબને અમલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, GST સ્લેબમાં ફેરફારથી દિવાળીના ટાણે પણ ફટાકટા ઉદ્યોગમાં કોઈ બરકત થઈ નથી, એવું ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું.

GST રિફોર્મમાં મોટાભાગના ઉત્પાદનોને 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સુધી ખસેડવામાં આવ્યા છે. આ સુધારાથી ફટાકડા ઉદ્યોગમાં પણ 18 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો થાયની એવી વેપારીઓ આશા રાખી રહ્યા હતા, પરંતુ તેમની આ આશા પર પાણી ફરી વળ્યું છે. ફટાકડા હજી પણ 18 ટકાના ઊંચા ટેક્સ સ્લેબમાં છે, જેથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં આ દિવાળીએ ફટાકડાના ભાવોમાં 30 ટકાથી 50 ટકા જેટલો વધારો જોવા મળશે.

ફટાકડા ઉદ્યોગની હાલની પરિસ્થિતિને લઈને અમદાવાદમાં ફટાકડાની દુકાન ચલાવતા એક વેપારીના જણાવ્યાનુસાર, ભારે વરસાદ અને ઓછા પુરવઠાને કારણે ગત વર્ષની સરખામણીમાં આ દિવાળીએ ફટાકડા 50 ટકા મોંઘા થઈ ગયા છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરતું વેચાણ થશે કે નહીં, એને લઈને અમે ચિંતિત છીએ. જ્યારે ફટાકડાના અન્ય એક વેપારીના જણાવ્યાનુસાર આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જોકે, હાલ ફટાકડાનો પૂરવઠો અને વેચાણ ખૂબ ઓછું છે. આગામી અઠવાડિયાથી ખરીદી વધે તેવી આશા છે.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ચેમ્બર્સ (FAIVM)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે ટેક્સ સ્લેબ એકમાત્ર પડકાર નથી, પરંતુ ફટાકડા ઉદ્યોગ મોટે ભાગે અસંગઠિત રહે છે અને MRP પર કોઈ નિયંત્રણ નથી. પેકેટ પર છાપેલી કિંમત કરતાં ઉત્પાદનો ઘણા સસ્તા ભાવે વેચાય છે. MRP માત્ર એક નજીવી રકમ છે. ગ્રાહકો ભાવતાલ કરીને જ ફટાકડા ખરીદે છે.

ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના મતાનુસાર મોટા ભાગના પરિવારો ફટાકડા માટે રૂ. 1,000થી રૂ. 3,000નું બજેટ ધરાવે છે. મલ્ટિકલર સ્કાયશોટ યુવાનોમાં વધુ લોકપ્રિય છે અને તે મોંઘા હોય છે. જોકે, સ્કાયશોટની કિંમતો 60 શોટ માટે રૂ. 1,150થી લઈને 1,000 શોટ માટે રૂ. 18,000 સુધીની હોય છે. અન્ય ફટાકડાની કિંમત રૂ. 50થી રૂ. 22,000 સુધીની હોય છે, જે તેના પ્રકાર અને બ્રાન્ડ પર આધાર રાખે છે. આ સિવાય સ્પાર્કલર્સ, પેન્સિલ ક્રેકર્સ અને ચકરી જેવા નાના ફટાકડા બાળકોમાં લોકપ્રિય છે.

October 8, 2025
cia_multi-1280x1045.jpg
1min65

ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંદૂલકર જેનું આયોજન કરી રહ્યા છે એ ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLની સીઝન 3ની ફાઇનલ સમેતની તમામ મેચો રમાડવા માટે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLનો આરંભ તા.9મી જાન્યુઆરી 2026થી થશે અને તા.6 ફેબ્રુઆરી 2026એ ફાઇનલ સાથે પૂર્ણાહૂતિ થશે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLના મુખ્ય આયોજક સચિન તેદૂલકર છે જ્યારે રવિ શાસ્ત્રી ચીફ મેન્ટર છે.

પત્રકાર પરીષદને સંબોધતા એસડીસીએના ડો. નૈમિષ દેસાઇ, વાઇસ પ્રેસિડેન્ટ અમિત ગજ્જર, સેક્રેટરી હિતેશ પટેલ વગેરેએ જણાવ્યું હતું કે સચિન તેદૂલકર સમેતના આયોજકોની એક ટીમે તાજેતરમાં સુરતના લાલભાઇ સ્ટેડીયમની મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારની સુવિધાઓ ચકાસી હતી. એ પછી જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર ટુર્નામેન્ટની સીઝન-3 સુરતમાં રમાડવામાં આવશે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 એવી ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે ટેનિસ બોલથી રમાય છે અને તેમાં ભાગ લેતી ટીમોના માલિકોમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સલમાન ખાન, હ્રિતીક રોશન, અજય દેવગન, અક્ષયકુમાર, કરીના કપૂર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં રમાવાની હોઇ, સ્ટેડીયમ મેનેજમેન્ટ દ્વારા અત્યારથી જ તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL સીઝન થ્રીમાં કુલ આઠ ટીમો ભાગ લેશે અને તેમાં રમવા માટે દેશભરમાંથી કુલ 45 લાખ યુવાઓએ નોંધણી કરાવી છે અને તેમાંથી 350 ખેલાડીઓને સિલેક્ટ કરવા માટે ગઇ તા.6 ઓક્ટોબરથી સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

October 7, 2025
SS_Logo_Red-1280x986.png
1min162

દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટી FRC સમક્ષ Self Finance શાળા સંચાલક મંડળે એવી માંગણી કરી છે કે હાલ દિવાળીનો મહિનો ચાલી રહ્યો હોય ફી વધારવા માટેની અરજી કરવાની અંતિમ મુદત વધારી આપવામાં આવે.

સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું એક પ્રતિનિધિ મંડળ તા.6 ઓક્ટોબરના રોજ સાંજે દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટીની કચેરી પર પહોંચ્યું હતું. શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે એવી માંગણી કરી હતી કે ફી વધારવા માટેની દરખાસ્ત કરવાની અંતિમ મુદત આગામી તારીખ 31મી ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના સારા સંચાલક મંડળો આ તારીખ સુધીમાં ફી વધારાની દરખાસ્ત કરી શકે તેમ નથી. કારણ કે આગામી તારીખ 18મી ઓક્ટોબર થી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં શાળાઓ બંધ રહેશે અને સ્ટાફ પણ રજા પર હોય તે વધારાની દરખાસ્ત થઈ શકે તેમ નથી. હાથી ફી વધારાની દરખાસ્ત માટેની અંતિમ મુદત એક મહિનો વધારીને તારીખ 30 મી નવેમ્બર કરી આપવામાં આવે.

ફ્રી રેગ્યુલેટરી કમિટી રજૂઆતો સાંભળ્યા બાદ આ અંગે લેખિત પત્ર દ્વારા માંગણી રજૂ કરવા જણાવી પોતાનો નિર્ણય બાદમાં જણાવવામાં આવશે એમ સંચાલકોને જણાવ્યું હતું.

October 4, 2025
image-3-1280x853.png
1min66

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર મૂક્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ વિઝનને સાર્થક કરવા માટે નોંધપાત્ર પગલાં લઈ રહ્યું છે.

આ પહેલના ભાગરૂપે, સુરતમાં ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે. એકતા મોલનું નિર્માણ એ 2023-24ના કેન્દ્રીય બજેટમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ છે.

સુરત સ્થિત પીએમ એકતા મોલ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે
વડા પ્રધાનેએ ‘વોકલ ફોર લોકલ’ની મુહિમને સતત આગળ ધપાવતાં નાગરિકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા માટે વિનંતી કરી છે. સુરતમાં નિર્માણાધીન એકતા મોલ આ ઝુંબેશને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પહેલ ODOP (એક જિલ્લો, એક ઉત્પાદન), GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ અને દેશના દરેક ખૂણામાંથી પરંપરાગત હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લૅટફોર્મ પૂરું પાડશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પીએમ એકતા મોલના નિર્માણની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે અને કારીગરોને વધુ સશક્ત બનાવશે.

દેશભરમાં પીએમ એકતા મોલ માટે ₹5000 કરોડની ફાળવણી
સુરતમાં નિર્માણાધીન પીએમ એકતા મોલ એ નાણાં મંત્રાલયના ‘મૂડી રોકાણ માટે રાજ્યોને ખાસ સહાય માટેની યોજના 2023-24’ હેઠળ એક મુખ્ય પ્રોજેક્ટ છે. દેશભરમાં આવા મોલ્સ માટે ₹5,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુરત એક મુખ્ય નાણાંકીય અને પ્રવાસન શહેર છે અને એકતા મોલના નિર્માણ બાદ તે ઘણાં મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે.

તેમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ શોરૂમ હશે, જ્યાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અને GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ સાંસ્કૃતિક વિનિમય અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ મોલ સ્થાનિક કારીગરોને ભારત અને વિશ્વભરના ખરીદદારો સાથે જોડશે, જેથી તેમના વેચાણમાં વધારો થશે અને ‘મેઇક ઇન ઇન્ડિયા’ મિશનને વેગ મળશે.

પીએમ એકતા મોલ એ માત્ર એક બજાર નથી, પણ ભારતના વૈવિધ્ય અને ઉદ્યોગસાહસિક ભાવનાનું પ્રતીક છે. તે સ્વદેશી ઉત્પાદનો અને નવીનતાને પ્રોત્સાહન આપીને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપે છે.

‘વોકલ ફોર લોકલ’: ભારત બનશે એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર
‘વોકલ ફોર લોકલ’ એ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ઝુંબેશ છે, જે લોકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા પર ભાર મૂકે છે. આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ અભિયાનનો ઉદ્દેશ સ્થાનિક વ્યવસાયોને ટેકો આપવાનો, રોજગારીનું સર્જન કરવાનો અને ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. ‘વોકલ ફોર લોકલ’ની ઝુંબેશ સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે, આયાતમાં ઘટાડો કરશે અને ભારતને એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર બનવાની દિશામાં લઈ જશે.

September 15, 2025
1min99

સુરત પોલીસે હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતી પોલીસે રેડ પાડી હતી.

સુરત પોલીસે પાર્ક પેવેલિયન હોટેલમાંથી13 વિદેશી મહિલાઓ અને 9 પુરુષ સહિત કુલ 22 લોકોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ હાઈ-પ્રોફાઇલ સેક્સ રેકેટ વોટ્સએપ દ્વારા ચાલતું હતું. પોલીસે રેડ પાડીને તેનો પર્દાફાશ કરી દીધો છે.

વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ જ્યારે પાર્ક પેવેલિયન હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે દરવાજો બંધ હતાં. જેથી પોલીસે લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર 7 લોકો મળ્યા હતા. જેમાંથી મેનેજર તરીકે કામ કરતો રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રાએ સ્વીકાર્યું કે, તે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને મહિલાઓને મોકલતો હતો.

આ સાથે સંજય હિંગડે, રાહુલ સોલંકી અને બિપીન ઉર્ફે બંટી બાબરીયા પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સામે હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે હોવાનું ખુલ્યું છે, જે હોટલના ખર્ચા અને સ્ટાફના પગારનું સંચાલન કરતો હતો.

આ સમગ્ર કૌભાંડ મામલે જ્યારે રૂપેશ મિશ્રા સાથે પુછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે, એક ગ્રાહક પાસેથી મળતા 3,500 રૂપિયામાંથી 2,000 રૂપિયા કમિશન તરીકે રાખવામાં આવતા અને 1,500 રૂપિયા મહિલાઓને આપવામાં આવતા હતાં.

પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી.

September 7, 2025
Cia_business_news-1280x936.jpg
1min130

વરાછા કો-ઓપ. બેંક સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં કુલ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન તેમજ પ્રોફેટેબિલિટી મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી માટે કુલ મળીને ત્રણ કેટેગરીમાં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સ્કોબા પ્રાઈડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તા. 06th સપ્ટેમ્બર, 2025 ના રોજ વેસ્ટ બંગાળ રાજ્યના ડાર્જિલિંગ શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઈડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક ના જનરલ મેનેજર રવિશંકર ગોડાની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહ નું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ. બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 30 વર્ષમાં 28 શાખાઓ સાથે રૂ|. 6,000/- કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે.

આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના 200 થી વધુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરાછા બેંકના ચેરમેનશ્રી ભવનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન અને સહકારી ક્ષેત્રે “સહકારીતા બંધુ” તરીકે ખ્યાતનામ એવા શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક નાં જનરલ મેનેજરશ્રી રવિશંકર ગોડા નાં વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સ્કોબાના વાઈસ પ્રેસિડેન્ટશ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો. આ સાથે સાયબર સિક્યુરિટી માટે તમામ બેંકો સકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તાકીદ કરી હતી. સ્કોબાનાં પ્રેસિડેન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડેન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિતના હોદ્દેદારશ્રીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે સતત પ્રગતિશીલ વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ અને બચત જાગૃતિ જેવા અભિયાન થકી લોક જાગૃતિ માટેના કાર્ય કરતી રહે છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટર્સશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ વરાછા બેંક પરિવારના તમામ સભ્યોની મહેનત નું પરિણામ છે. બેંક હર હંમેશ ગ્રાહકોના હિતને કેન્દ્રમાં રાખી બેંકિંગ સેવા પૂરી પાડે છે. તહેવાર નિમિત્તે લોકોને સરળતાથી નાણાકીય સેવા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ જેવી કે 8.21% વ્યાજદર ની સહકાર સમૃદ્ધિ બચત યોજના અને 8.25% થી શરૂ થતી ફેસ્ટિવલ કાર લોન અમલમાં મૂકી છે. બેંકના સભાસદો અને ગ્રાહકોનાં સાથ સહકાર થકી રૂ|. 6,000/- કરોડથી વધુ નો બિઝનેસ કરી ગૌરવંતી સિદ્ધિ હાંસિલ કરી છે, જે ખૂબ આનંદની વાત છે. આ હર્ષ અને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટર્સશ્રીઓ, મેનેજમેન્ટ સભ્યશ્રીઓ, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.

September 7, 2025
cia_multi-1280x1045.jpg
1min160

Today તા. 7/09/2025નાં રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આયોજીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝીકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ “નમોત્સવ” યોજાશે. પ્રસિદ્ધ હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા આ કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે પ્રસ્તુતિ કરાશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે.

નરેન્દ્ર મોદીના પ્રસંગને રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ

આગામી તા.7/09/2025નાં રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આયોજીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝીકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ “નમોત્સવ” યોજાશે. વડાપ્રધાનના જીવનનનાં વિવિધ પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ થશે. પ્રસિદ્ધ હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા આ કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે પ્રસ્તુતિ કરાશે.

ખ્યાતનામ કલાકારો વિવિધ કાર્યક્રમ રજૂ કરશે

ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે. આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીના જીવનનનાં વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્યરૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે. રાહુલ મુંજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.

ઓપરેશન સિંદૂરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ

મુંબઇના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદૂરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજૂ થશે. વડાપ્રધાન મોદીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ ‘કલારીપયાટુ’નાં કલાકારો વીરરસનો વોર ડાન્સ રજૂ કરશે. ભવ્યાતિભવ્ય પ્રોપ્સ અને હોલોગ્રામની હાઈફાઈ ટેકનીક્સથી સજ્જ ‘નમોત્સવ’ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે.