CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - CIA Live

August 17, 2026
cia_multi-1280x1045.jpg
1min19

સુરત સ્થિત સુમુલડેરી મેનેજમેન્ટ તથા સમસ્ત પરીવાર વતી તમામને સ્વતંત્રતા પર્વ 2026ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

August 14, 2026
IMG_9987.JPG-1280x853.jpeg
1min34

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાયેલ ૧૭૨માં વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, ભારત પાસે અઢળક કુદરતી સંશાધનો છે. અને વિશાળ જન સમૂહ છે. જો માનવબળ વધુ પ્રગતિશીલ બને તો ભારત વિકસિત રાષ્ટ્ર ઝડપથી બની શકે છે. તા. ૧૩/૦૮/૨૦૨૬ ગુરૂવારે જમનાબા ભવન ખાતે યોજાયેલ ૧૭૨ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં વિકસિત ભારત ૨૦૪૭ ના રોડમેપ, સાધનો અને પડકારો વિશે વાત કરતા કાનજીભાઈ એ જણાવ્યું કે, આવક, સંપત્તિ, સુવિધાઓ ઉપરાંત લોકોનું આરોગ્ય અને ગુણવત્તાયુક્ત જીવન વિકસિત રાષ્ટ્રની ઓળખ છે. અર્થાત વિકાસ માત્ર અર્થતંત્રનો નહિ પરંતુ માનવજીવનની ગુણવત્તાનો પણ થવો જોઈએ.

સામાન્ય રીતે રાષ્ટ્રને ત્રણ ભાગ પાડવામાં આવે છે. પછાત, વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્ર. અમેરિકા, જર્મન, જાપાન, સિંગણપોર, દક્ષીણ કોરિયા અને સ્વીત્ઝરલૅન્ડ જેવા દેશો વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યામાં આવે છે. તો સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થાય છે કે વિકસિત રાષ્ટ્ર કોને કહેવાય? વિકસિત રાષ્ટ્રની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. પરંતુ વર્લ્ડ બેંક રાષ્ટ્રોની કેટેગરી નક્કી કરવામાં માપદંડ નક્કી કર્યા છે. તેમાં જે રાષ્ટ્રની વાર્ષિક માથાદીઠ આવક ૧૪૩૭૫ ડોલર એટલે કે રૂપિયા ૧૪ લાખ વાર્ષિક આવક હોય એ વિકસિત રાષ્ટ્ર ગણવા માટે એક માપ છે. અંતરીક્ષ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર છે. પરંતુ ભારતની માથાદીઠ આવક હજુ ૨૬૫૦ ડોલર એટલે કે વાર્ષિક રૂ. ૧૯૩૪૮૦/- છે.

વિકસિત રાષ્ટ્રના લક્ષણો જોઈએ તો ઉંચી માથાદીઠ આવક, ઉચ્ચ માનવ વિકાસ, ઉત્તમ શિક્ષણ – આરોગ્ય, વધુ ઉત્પાદન અને રોજગાર, ટેકનોલોજીનો ઉપયોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની સારી ગુણવત્તા છે. ભારત દેશ પાસે વિકસિત રાષ્ટ્ર બનવાના ઘણા સંજોગો છે. ઝડપી વિકસિત મોટી અર્થવ્યવસ્થા છે. વિશાળ માનવબળ, ભારત યુવાનોનો દેશ છે. જે રાષ્ટ્રની મોટી તાકાત બની શકે છે. ડીઝીટલ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર છે. પરંતુ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત સામે ઘણા મોટા પડકારો પણ છે. માથાદીઠ ઓછી આવક અને આર્થિક અસમાનતા, બેરોજગારી, ભ્રષ્ટાચાર, માનવવિકાસ આંકમાં ભારત ઘણું પાછળ છે. શિક્ષણ અને આરોગ્યમાં ઘણા પ્રશ્નો છે. સુસારૂ શાસન અને જાગૃત નાગરિક પણ વિકાસ માટે મોટા પરિબળો છે.

વિકસિત ભારતના સ્વપ્નને કેન્દ્રમાં રાખી નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, પ્રગતિશીલ અને જાગૃત નાગરિક એ રાષ્ટ્રની ખરી મૂડી છે. વધુ સારી માથાદીઠ આવક એ વિકસિત રાષ્ટ્રનું પ્રથમ લક્ષણ છે. જયારે આવક-આરોગ્ય સેવા અને માનવવિકાસ એ વિકસિત રાષ્ટ્ર બનવા માટે શરતો છે. જયારે વર્તમાન સમયે બેરોજગારી, આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર એ વિકસિત ભારત સામેના મોટા પડકારો છે.

નાગરિક એ રાષ્ટ્રની તાકાત છે. ત્યારે સારા નાગરિક બનવા પંચામૃત :
૧. જાગૃત અને જવાબદાર નાગરિક બનો.
૨. પ્રગતિશીલ રહો.
૩. રાષ્ટ્રહિત હંમેશા રાખો.
૪. તંદુરસ્ત રહો.
૫. સારા માણસ બનો.

વિકસિત ભારત માટે વિકસિત માનસિકતા જરૂરી છે. – સંજયસિંહ ગુર્જર

સુરત રીજીયનના પ્રોવિડંડફંડ કમિશ્નર સંજયસિંહ ગુર્જરે વિકસિત ભારત માટે જાગૃત નાગરિક આધાર વિષય ઉપર બોલતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત એટલે માત્ર વ્યક્તિગત વિકાસ નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રનો વિકાસ માત્ર રોડ રસ્તા, બિલ્ડીંગ કે ભૌતિક સુવિધાઓ નહી,પરંતુ માનવીય વિકાસ અને જીવનની ગુણવત્તા પણ જરૂરી છે. વિકસિત ભારત માટે સૌ પ્રથમ દરેક નાગરિકની વિકસિત અને જવાબદાર માનસિકતાનો વિકાસ કરવો ખુબ જરૂરી છે. જાતિવાદ, અમીર-ગરીબ વચ્ચેનો ભેદભાવ દુર કરવો એ વિકસિત ભારતનું પ્રથમ પગથીયું છે. વિકસિત ભારત માટે “મારૂ પણું” છોડીને “આપણું” વિચારવું ખુબ જરૂરી છે. રાષ્ટ્રભક્તિ માટે નાગરિકે સીમા પર લડવા જવું જરૂરી નથી જ્યાં છીએ ત્યાં રહીને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ યોગદાન આપવું વધુ જરૂરી છે.

દરેક જાગૃત નાગરિકની પ્રાથમિક ફરજ છે કે તે પોતાના સંતાનોને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેયની જવાબદારી શીખવે છે. દરેક નાગરિક પોતાના હકોની સાથે જવાબદારીનું કર્તવ્ય સમજે તે પણ વિકસતા ભારત બનાવવા જરૂરી છે.

જાગૃત નાગરિકતા માટે કેળવણી સાથે સંસ્કાર ધડતર જરૂરી છે. – જૈનીલ દેસાઈ (IFS)

વર્ષ ૨૦૨૩ માં UPSC ની IFS પરીક્ષામાં સફળતા મેળવી હાલ ડાંગના જંગલ વિભાગના આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફિસર જૈનીલ જગદીશભાઈ દેસાઈ વિચારોના વાવેતર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના જીરા ગામના વતની અને અભ્યાસ સુરતમાં કરી તેઓ IFS થયા તથા વધુમાં UPSC પરીક્ષા ૨૦૨૪ પણ પાસ કરી છે. પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, માણસ માત્ર આર્થિક રીતે સદ્ધર કે શિક્ષિત બનવાથી જાગૃત નાગરિક બનતો નથી. જાગૃત નાગરિકતા માટે કેળવણી સાથે સંસ્કાર ધડતર ખુબ જરૂરી છે. સેન્સ ઓફ ઓનરશીપ એટલે કુદરતી કે રાષ્ટ્રની સંપત્તિને પોતાની સમજવી તે છે. વિચારોનું વાવેતર કાર્યક્રમ પણ જાગૃત નાગરિકતા વિકસાવવા માટેનું એક ઉત્તમ પરિબળ છે. જરૂરિયાતમંદ લોકોને તેને મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવી તે પણ જાગૃત નાગરિકતાની એક મહત્વપૂર્ણ નિશાની છે.

આ પ્રસંગે જૈનીલ દેસાઈના પિતા જગદીશભાઈ, માતા દક્ષાબેન તથા દાતાટ્રસ્ટી હસમુખભાઈ સાવલિયા તથા કિરણબેન ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ તાલુકામાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડો. વિવેક ભૂવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આયુષ્માન કાર્ડ બાબતે તેમનું માર્ગદર્શન જમનાબા ભવન ખાતે લોકોને મળશે.

ગત ગુરૂવારના વિચાર ધર્મેશ ચોવટિયાએ રજુ કર્યો હતો. જયારે કાર્યક્રમનું સંકલન ડો. અજય દેસાઈ તથા અંકિત સુરાણીએ કર્યું હતું. ઉપસ્થિત સર્વોને સુરત મહાનગરપાલિકા યુવા મોરચા તરફથી ઉપસ્થિત દરેકને ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

August 14, 2026
1min31

મેન-મેડ ટેક્સટાઇલ્સ રિસર્ચ એસોસિએશન (મંત્રા)ની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting -A.G.M.) આજે તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬, ગુરુવારના રોજ મંત્રા ખાતે યોજાઈ હતી.

સભાની શરૂઆતમાં મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા દ્વારા પ્રેસિડેન્ટ એડ્રેસ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે સંસ્થાની વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાનની કામગીરી તથા વિવિધ પ્રવૃત્તિઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા.

મંત્રાના સેક્રેટરી શ્રી પ્રફુલભાઈ ગાંધી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના ઓડિટેડ હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

સભા દરમિયાન પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલાએ વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કાઉન્સિલ મેમ્બર્સની યાદી પણ રજૂ કરી હતી. ઉપરાંત, વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓડિટરની નિમણૂક કરવા તથા ઓડિટરની ફી નક્કી કરવાની સત્તા કાઉન્સિલને આપવા અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

આ વાર્ષિક સામાન્ય સભામાં મંત્રાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ ઝવેરી, સંયુક્ત સચિવ શ્રી નરેન્દ્ર જરીવાલા, ડિરેકટર ડૉ. પંકજ ગાંધી, ઉપરાંત સંસ્થાના સભ્યો તથા મંત્રાના સ્ટાફ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રા દ્વારા મેન-મેડ ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં સંશોધન, વિકાસ, પરીક્ષણ તથા ટેક્નિકલ સેવાઓના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. વાર્ષિક સામાન્ય સભા દરમિયાન સંસ્થાની આગામી કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા ટેક્સટાઇલ ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

સભાના અંતે ઉપસ્થિત તમામ સભ્યો, પદાધિકારીઓ તથા સ્ટાફ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

August 13, 2026
WhatsApp-Image-2026-08-12-at-18.18.04-1280x639.jpeg
1min31

કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે બિઝનેસ મેળાનું ઉદ્‌ઘાટન કરાયું

બિઝનેસ મેળાઓ થકી મહિલા સાહસિકોને પગભર થવા અને પોતાની નવીન પ્રોડક્ટ્સ સીધી માર્કેટ સુધી પહોંચાડવામાં મોટી મદદ મળે છે: ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી

સુરત, 12 ઓગસ્ટ 2026: શ્રાવણ માસના પવિત્ર તહેવારોની ખરીદી અને સ્થાનિક વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને માહેશ્વરી લક્ઝુરિયાના સંયુક્ત ઉપક્રમે બુધવાર, તા. 12 ઓગસ્ટ અને ગુરુવાર, તા. 13 ઓગસ્ટ 2026ના રોજ દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. પર્વત પાટીયા, આઇ માતા રોડ સ્થિત માહેશ્વરી લક્ઝુરિયા ખાતે સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “દક્ષિણ ગુજરાતનું આર્થિક માળખું નાના વેપારીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોની મહેનત પર નિર્ભર છે. આ બિઝનેસ મેળો સ્થાનિક કળા, નારી સશક્તિકરણ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરી રહ્યો છે. સુરતની જનતા શ્રાવણી તહેવારોની ખરીદી આ મેળામાંથી કરીને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે અને તેમને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બને તે ઇચ્છનીય છે.”

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વ્યાપાર અને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓની કળા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળો લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને સીધા નવા બજારો સાથે જોડવાનું કાર્ય કરશે.”

ઉદ્‌ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીએ જણાવ્યું હતું કે, સુરતમાં વેપારી સંસ્થાઓ અને સમાજના સંગઠનો દ્વારા આયોજિત આવા બિઝનેસ મેળાઓ થકી મહિલાઓને પગભર થવામાં મોટી મદદ મળે છે અને તેઓ પોતાની યુનિક પ્રોડક્ટ્સ સીધી ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

માહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી શ્યામજી રાઠીએ જણાવ્યું હતું કે, બ્રાન્ડ બનાવવાની શરૂઆત નાના પાયાથી જ થાય છે અને સોશિયલ મીડિયાના યુગમાં એક્ઝિબિશન એ ડાયરેક્ટ કસ્ટમર કનેક્ટનો શ્રેષ્ઠ માર્ગ છે. રાષ્ટ્રીય યુવા વક્તા ડો. અંકિતા મુલાણીએ પદ્મશ્રી કલ્પના સરોજના સંઘર્ષમય જીવનના પ્રસંગો વર્ણવી મહિલાઓને પગભર બનવા પ્રેરિત કર્યા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ ઉમેર્યું હતું કે ચેમ્બર ‘વોકલ ફોર લોકલ’ અને રોજગારી નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે.

એક જ છત નીચે તહેવારલક્ષી વિશાળ શ્રેણી: ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કરતાં શ્રાવણ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે જણાવ્યું હતું કે, મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, ડેકોરેશન, સાડીઓ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની વિવિધ સામગ્રીઓ ઉપલબ્ધ કરાઈ છે.

કાર્યક્રમના અંતે લેડિઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો સતીષભાઈ મૈસુરીયા, અનિલભાઈ સોજીત્રા, સરોજબેન પટેલ, મનિષાબેન આહીર, હિનાબેન વાછાણી, વિધિબેન રાઠોડ, દિપકભાઈ રબારી અને દિનેશભાઈ રાજપુરોહીત સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

August 11, 2026
image-17.png
1min33

ગુજરાતના વેડિંગ, ઇવેન્ટ, હૉસ્પિટાલિટી અને એક્સપિરિએન્શિયલ ટુરિઝમ ક્ષેત્રને વૈશ્વિક મંચ આપવાનો પ્રયાસ; ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ એક મંચ પર આવશે

સુરત : સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન (SGEMA) દ્વારા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક ફ્લેગશિપ કોન્ફરન્સ **‘Evolve 2.0’**નું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસીય આ ઇન્ડસ્ટ્રી કોન્ક્લેવનો ઉદ્દેશ ઇવેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયોને એક મંચ પર લાવીને જ્ઞાન, નેટવર્કિંગ, બિઝનેસ તકો અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ વર્ષે Evolve 2.0નો વ્યાપ સાઉથ ગુજરાતથી આગળ વધારીને સમગ્ર ગુજરાતને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ‘Local to Global’ થીમ હેઠળ ગુજરાતને વેડિંગ, સેલિબ્રેશન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, ફેસ્ટિવલ્સ, એક્ઝિબિશન્સ અને એક્સપિરિએન્શિયલ ટુરિઝમ માટે અગ્રણી ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

કોન્ફરન્સમાં ઇવેન્ટ પ્લાનર્સ, વેડિંગ પ્રોફેશનલ્સ, વેન્યુ માલિકો, હોટેલિયર્સ, હોસ્પિટાલિટી લીડર્સ, કલાકારો, પ્રોડક્શન કંપનીઓ, ટુરિઝમ ક્ષેત્રના પ્રતિનિધિઓ, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, સ્ટાર્ટઅપ્સ, સપ્લાયર્સ, ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓ સહિતના વિવિધ ક્ષેત્રોના લોકો ભાગ લેશે.

ચાર મુખ્ય અનુભવથી કોન્ફરન્સનું આયોજન

Evolve 2.0માં ‘SGEMA Sangam’ હેઠળ નેટવર્કિંગ સેશન, ‘SGEMA Manthan’ હેઠળ નોલેજ કોન્ફરન્સ, ‘SGEMA Bazaar’ હેઠળ બિઝનેસ શોકેસ અને ‘SGEMA Utsav’ હેઠળ એવોર્ડ્સ, મનોરંજન અને સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે.

‘SGEMA Manthan’માં વેડિંગ અને ડેસ્ટિનેશન ટુરિઝમ, ઇવેન્ટ બિઝનેસ ગ્રોથ, AI અને ટેક્નોલોજી, લક્ઝરી એક્સપિરિઅન્સ, માર્કેટિંગ, ફોટોગ્રાફી-કન્ટેન્ટ ક્રિએશન, ડિઝાઇન-ડેકોર, હોસ્પિટાલિટી, લીડરશિપ અને સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

ગુજરાતના ઇવેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો ઉદ્દેશ

Evolve 2.0ને માત્ર પરંપરાગત કોન્ફરન્સ નહીં પરંતુ લર્નિંગ, નેટવર્કિંગ, બિઝનેસ શોકેસ અને સેલિબ્રેશનને એકસાથે જોડતા સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ તરીકે વિકસાવવાનો પ્રયાસ છે. ગુજરાતની સંસ્કૃતિ, વારસો, ડેસ્ટિનેશન્સ અને હોસ્પિટાલિટી ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરી નવી બિઝનેસ તકો અને સહયોગ ઊભા કરવાનો પણ તેનો ઉદ્દેશ છે.

August 11, 2026
cyber-Surat.jpg
1min30

સુરત સાયબર ક્રાઇમે દેશવ્યાપી છેતરપિંડી કરતી જામતારા-પટણા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝારખંડ અને બિહારમાં 2,456 કિલોમીટરનો પ્રવાસ ખેડી, પટનાની હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓને ઝડપ્યા છે. આ ગેંગ ₹8,000માં ખરીદેલી APK ફાઇલ ₹70,000 સુધીમાં વેચી 336 નકલી ફાઇલો દ્વારા 5,613 લોકોના ₹125.39 કરોડથી વધુ પડાવ્યા હતા.

Surat Cyber Crime Jamtara Patna Gang Arrest: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ફ્રોડ આચરતી એક અત્યંત શાતીર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે ઝારખંડના જામતારા અને દેવઘરથી લઈને બિહારના પટના સુધી 2,456 કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડી, પટનાની એક હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ડેવલપર પાસેથી માત્ર ₹8000માં ખરીદેલી એક ખતરનાક APK ફાઇલ જામતારાની ઠગ ગેંગોને ₹10,000થી લઈને ₹70,000 સુધીમાં વેચવામાં આવતી હતી. શાતીર ચાંદે અત્યાર સુધીમાં આવી 1,248થી વધુ APK ફાઇલો ખરીદીને અલગ-અલગ ગેંગોને સપ્લાય કરી હતી. બેંક, RTO ચલણ, સરકારી યોજના કે હોસ્પિટલના નામે બનેલી 336 જેટલી બોગસ ફાઇલો વોટ્સએપ મારફતે વાઈરલ કરવામાં આવી હતી.

આ સાયબર ઠગો પંજાબ નેશનલ બેંકની અસલ એપ્લિકેશન જેવી જ દેખાતી બનાવટી “PNB One.APK” ફાઇલ બનાવી વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. ભોગ બનનાર વ્યક્તિ આ APK ફાઇલ ઇન્સ્ટોલ કરે એટલે આરોપીઓ તેના ફોનનો પૂર્ણ એકસેસ મેળવી, ફોન હેક કરી લેતા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી મ્યુલ એકાઉન્ટ્સ અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પોતાના ખાતાઓમાં જમા કરાવી લેતા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી ચાંદ દ્વારા 336 જેટલી બોગસ APK ફાઇલો બનાવવામાં આવી હતી, જે દેશભરમાં 31,174થી વધુ મોબાઇલ ઉપકરણોમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી હતી. આ ગેંગે 5,613 જેટલાં લોકોના ફોન હેક કરીને અંદાજે ₹125.39 કરોડથી પણ વધુ રકમની દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

જાહેર જનતા માટે સાયબર સુરક્ષા ચેતવણી છે કે, વોટ્સએપ, SMS કે અજાણી લિંક પરથી આવતી કોઈ પણ APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં. એપ્લિકેશન હંમેશા અધિકૃત Google Play Store કે App Store પરથી જ ડાઉનલોડ કરવી. RTO ચલણ, KYC અપડેટ કે બેંક પ્રોફાઇલ સુધારવાના નામે મોકલેલી લિંક્સ પર ક્લિક કરવું નહીં. OTP, PIN, કે બેંકિંગ વિગતો કોઈ સાથે શેર ન કરવી. છેતરપિંડી થાય તો તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો.

August 10, 2026
WhatsApp-Image-2026-08-10-at-16.56.30-1280x355.jpeg
1min33

  • માત્ર સર્વિસ પર્યાપ્ત નથી, IT કંપનીઓએ સોલ્યુશન અને પ્રોડક્ટ મોડલ અપનાવ્યે છુટકો: વત્સલ શાહ
  • AIને કારણે કોડિંગ પદ્ધતિઓ બદલાઈ: IT સ્ટાફને ‘ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ એન્જિનિયર’ તરીકે તૈયાર કરવા વત્સલ શાહનું આહ્વાન
  • મોટા વરાછા જેવી ‘ડિજિટલ વેલી’થી સુરતે દેશનું ધ્યાન ખેંચ્યું: AI ડિસ્રપ્શનથી બચવા કંપનીઓને 90 દિવસનો રી-સ્ટ્રક્ચરિંગ પ્લાન અપનાવવા સૂચન

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના ઉપક્રમે પ્રમુખ શ્રી અશોક જીરાવાલાના માર્ગદર્શન હેઠળ સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘Restructuring IT Companies’ વિષય પર વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં બિઝનેસ કેટાલિસ્ટ, સીઇઓ કોચ અને મેજેન્ટો એસોસિએશનના બોર્ડ ડિરેક્ટર શ્રી વત્સલ શાહે IT કંપનીઓના રી-સ્ટ્રક્ચરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જાણીતા બિઝનેસ કોચ શ્રી વત્સલ શાહે જણાવ્યું હતું કે, “અત્યારે IT ઇન્ડસ્ટ્રી પોતાના સૌથી મોટા ટ્રાન્સફોર્મેશનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. હવે માત્ર ‘સર્વિસ’ પૂરી પાડવાથી નહીં ચાલે, કંપનીઓએ ‘સોલ્યુશન’ અને ‘પ્રોડક્ટ’ મોડલ તરફ વળવું પડશે. AIને કારણે પરંપરાગત કોડિંગની પદ્ધતિઓ બદલાઈ રહી છે. તેથી કંપનીઓએ પોતાના સ્ટાફને ‘ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ એન્જિનિયર’ તરીકે રી-સ્કિલ કરવા જોઈએ, જે ક્લાયન્ટના બિઝનેસને સમજીને AI ના માધ્યમથી ઝડપી અને સચોટ સોલ્યુશન આપી શકે.”

સુરતની તકો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, સુરત હવે માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ હબ નથી, પરંતુ મોટા વરાછા જેવી ‘ડિજિટલ વેલી’ને કારણે IT ક્ષેત્રે પણ દેશભરમાં આગળ વધી રહ્યું છે. જો કંપનીઓ સમય સાથે બદલાશે નહીં, તો ગ્લોબલ રિસેસન અને AI ડિસ્રપ્શનને કારણે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. તેમણે તમામ IT કંપનીઓને 90 દિવસનો રી-સ્ટ્રક્ચરિંગ પ્લાન અને ‘પ્રોફિટ-ફોકસ’ બિઝનેસ મોડલ અપનાવવા સલાહ આપી હતી.

IT કંપનીઓમાં રી-સ્ટ્રક્ચરીંગ બિઝનેસ મોડેલ એન્ડ માર્કેટીંગ, ઓફરિંગ/સર્વિસ, જીટીએમ સ્ટ્રેટર્જી, ઓર્ગનાઈઝેશન સ્ટ્રક્ચર, લીડરશીપ, ઓપરેટિંગ સિસ્ટમ, ફોક્સ એન્ડ પ્રોસેસ, સંસ્થાપકનો રોલ જેવા ક્ષેત્રમાં જરૂરી છે. રી-સ્ટ્રક્ચરીંગ દ્વારા રેવન્યુ ક્વોલિટી, માર્જિન ડિસિપ્લિન, પ્રાઈઝીંગ પાવર, ક્લાયન્ટ એકાઉન્ટ ગ્રોથ, કેશ ફ્લો કન્ટ્રોલ, લીડર્સ ઓનરશીપમાં સુધારો લાવવાનો મુખ્ય હેતુ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી સાથે રી-સ્ટ્રક્ચરિંગ કરનારી IT કંપનીઓ 15 થી 25% નો વાર્ષિક વિકાસ દર (Annual Growth Rate) હાંસલ કરી શકે છે. ચેમ્બરના ગ્રુપ ચેરમેન શ્રી ગણપત ધામેલિયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

સમગ્ર સેશનનું સંચાલન IT એન્ડ કોમ્યુનિકેશન કમિટીના ચેરમેન શ્રી રોમિત ગાબાણીએ કર્યું હતું, જ્યારે કમિટીના સભ્ય શ્રી મૌલિક વોરાએ વક્તાનો પરિચય આપ્યો હતો. અંતમાં ઉપસ્થિતોના પ્રશ્નોત્તરી સેશન બાદ કમિટીના કો-ચેરમેન શ્રી પૂર્વિન જયાણીએ આભાર વિધિ આટોપી હતી.

August 9, 2026
WhatsApp-Image-2026-08-09-at-17.32.48-1280x625.jpeg
1min47

CiA Live ન્યુઝ વેબ, તા.9 ઓગસ્ટ 2026

આજે તા.9મી ઓગસ્ટે રવિવાર હોવા છતાં ડુમસ રોડ પર અદ્વૈતા બેંકવેટ ખાતે યોજાયેલી ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસીએશન (ફોસ્ટા)ની વાર્ષિક કાર્યકારીણીમાં 2500થી વધુ વેપારીઓ, આમંત્રિતો પહોંચ્યા હતા. વિતેલા 3 વર્ષ દરમિયાન કૈલાશ હાકીમના નેતૃત્વમાં થયેલી કામગીરીનો હિસાબ આપવામાં આવ્યો હતો જ્યારે નવા ચૂંટાયેલા ડિરેક્ટર્સ અને નવા હોદ્દેદારોએ સત્તાવાર રીતે પદગ્રહણની ઔપચારીકતા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ વેપાર, ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનોને અપીલ કરી હતી કે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી નવી ઔદ્યોગિક પોલિસી તેમજ ગુજરાત ટેક્સટાઇલ પોલિસીનો લાભ નાનામાં નાના વેપારી, કારખાનેદાર, ઉદ્યમી સુધી પહોંચાડો, તેની માહિતી તેમને આપો એ જ ખરા અર્થમાં સેવા ગણાશે.

ફોસ્ટાએ આજે એજીએમની સાથે વ્યાપાર વિકાસ મહોત્સવ એમ બેવડું આયોજન કર્યું હતું. વ્યાપાર વિકાસ મહોત્સવમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શૂન્યમાંથી સર્જન કરનારા પાંચ જુદીજુદી ટેક્સટાઇલ બ્રાન્ડના આગેવાનો જેમાં એપલ બ્રાન્ડના દિપક શેટા, સિગ્નેચર મશીનરીના અશોક અડવાણી, XYXX અન્ડરવેયર બ્રાન્ડના ફાઉન્ડર યોગેશ કાબરા, ફોર બટન્સના ચારેય સ્થાપક અને રીઘન ફેશન્સના મહિલા ઉદ્યમી કરીશ્મા દિનેશ ધનકાનીએ પોતપોતાની બ્રાન્ડનું શૂન્યમાંથી સર્જન કેવી રીતે કર્યું તેના અનુભવો શ્રોતાઓ સાથે શેર કર્યા હતા.

એપલના દિપક શેટાએ સુરત ટેક્સટાઇલ ક્લસ્ટરમાં જે ચાલી રહ્યું છે તેનું ઓબ્ઝર્વેશન રજૂ કરતા કહ્યું હતું કે કોસ્ટ-કિંમતની જગ્યાએ ક્વોલિટી પર ભાર મૂકીને સુરતના ઉદ્યમીઓ આગળ વધે તો સુરત દેશ દુનિયાને અનેક બ્રાન્ડ આપી શકે તેમ છે. જે રીતે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગળાકાપ સ્પર્ધા થાય છે તેના પર અંગૂલી નિર્દેશ કરતા તેમણે અંગ્રેજીમાં કહ્યું કે, Do Not Compete, but Complete Each Other. જેનો મર્મ એ જ છે કે એક બીજા સાથે સ્પર્ધા કર્યા વગર એક બીજાને પૂર્ણતામાં મદદગાર બનવું જોઇએ.

XYXX અન્ડરવેયર બ્રાન્ડના ફાઉન્ડર યોગેશ કાબરાએ કહ્યું કે તેમના પરીવાર પાસે બધું જ હોવા છતાં તેમના પિતાએ જે રીતે પરવરીશ કરી અને કઇ રીતે ખર્ચા પર અંકુશ રાખીને ધંધો વિકસાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેઓ આજે દૈનિક 1 લાખ અન્ડરવેયરનું વેચાણ ઓનલાઇન કરી રહ્યા છે.

રિઘન ફેશનના કરિશ્મા દિનેશ ધનકાનીએ સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં સાવચેતીપૂર્વક કેવી રીતે વ્યાપાર કરી શકાય અને કેવી રીતે તેમણે તેમના પરીવાર સાથે મળીને રિઘન બ્રાન્ડ ડેવલપ કરી તેના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે વુમન એમ્પાવરમેન્ટ તેઓ પોતે જ એક મિસાલ છે.

August 8, 2026
WhatsApp-Image-2026-08-08-at-18.07.40.jpeg
1min36

ગુજરાત સરકારના સેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું. વેપાર વ્યવસાય ઉત્પાદન કે નાનકડો ગૃહ ઉદ્યોગ હાલ કાર્યરત હોય કે નવો શરૂ કરવાની ઈચ્છા હોય તેવા ઉદ્યોગ સાહસિક મિત્રો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનો આયોજન થયું હતું.

૧૦૦૦ થી વધુ યુવા ભાઈ-બહેનો ઉત્સાહભેર નવી જાણકારી માટે કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ જમનાબા વિધાર્થી ભવન ખાતે એકત્ર થયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ રવિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, ધંધા વેપારના વિકાસ માટે વિપુલ તકો છે. તેને ઓળખી ટેકનીકલ જ્ઞાન મેળવી જો સાહસ કરવામાં આવે તો સફળતા ઝડપથી મળે છે. આ પ્રસંગે એપલ લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝના દીપકભાઈ શેટાએ સુરતના કાપડ ઉદ્યોગમાં ધંધા વેપાર વિકાસની લોકોને જાણકારી આપી હતી. સુરતમાં બ્રાન્ડીંગ અને નવા ક્રિએશનની ખૂબ જરૂર છે. કોઈપણ નાના-મોટા વેપાર કે ઉદ્યોગ માટે માર્ગદર્શન આપવામાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ શરૂ કરેલા પ્રયાસ નેબિરદાવ્યો હતો. ધંધા વ્યવસાય ની જાણકારી સફળતાનો મોટો આધાર છે.

આગામી 24મી ઓગસ્ટ થી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના વર્ગો શરૂ થનાર છે. જે ગુજરાત સરકારના CED તરફથી શરૂ થનાર વર્ગો અંગે નોંધણી શરૂ છે. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જમનાબા વિદ્યાર્થી ભવન અભ્યાસ અને નોકરી માટે વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી માટે સુવિધા પૂરી પાડે છે. તે ઉપરાંત નવા ધંધા વેપાર માટે યુવાનોને માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવાનો પણ પ્રયાસ શરૂ કર્યો છે. ટૂંક સમયમાં પાટીદાર નોલેજ સેન્ટર પણ શરૂ કરવા વિચારણા છે.

સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટના રિજ્યોનલ હેડ અવનીષભાઈ હિરપરા તથા અંબુજા ફાઉન્ડેશનના ટી. એન. સંદીપે સરકારશ્રી તરફથી યોજાતા વિવિધ કાર્યક્રમો વર્ગો અને કૌશલ્ય તાલીમ અંગે માહિતી આપી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત નોકરી શોધવા ક્ષમતા આપવા ઉપરાંત નોકરીના સર્જક બનવા તાલીમ અંગે માર્ગદર્શન આપવાનું કામ કરશે તે માટે યુવાનોની ટીમ કાર્યરત બની છે. સ્વાગત પ્રવચનમાં સંસ્થાના ટ્રસ્ટી ભવનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, યુવા ભાઈ-બહેનો પોતાના ગૃહ ઉદ્યોગ કે વેપાર ધંધાના વિકાસ માટે પ્રગતિ કરે તે માટે તાલીમ વર્ગો યોજવામાં આવનાર છે. કિરણભાઈ ઠુંમર, ડો. હરેશભાઈ બલર, સી.એ કૌશિક ભાલાળા, જુગલભાઈ હિરપરાએ વિનુભાઈ બગદાણા અને સભ્યોએ સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અજય દેસાઈએ કર્યું હતું.

August 7, 2026
01-1-1280x379.jpeg
1min40
  • ભારત-શ્રીલંકા વચ્ચે ૩ મુખ્ય ક્ષેત્રોમાં વેપાર વધારવા સકારાત્મક ચર્ચા
  • સોલર એનર્જી અને ગ્રે કાપડ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે શ્રીલંકામાં વેપાર અને નિકાસની વિશાળ તકો
  • શ્રીલંકાના સ્પાઇસિસ અને ફૂડ-બેવરેજિસ માટે ભારતીય માર્કેટમાં તકો અંગે હાઇ કમિશનર સંતોષ ઝા દ્વારા વિગતો રજૂ કરાઈ
  • શ્રીલંકામાં ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ સોલર માર્કેટનો વ્યાપ મોટો હોવાથી સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે નવી સંભાવનાઓ
  • ભારત-શ્રીલંકા FTAનો લાભ લઈ સુરતનું ગ્રે કાપડ શ્રીલંકાના ગાર્મેન્ટ યુનિટ્સને સીધું એક્સપોર્ટ કરવા વિશે વિશિષ્ટ ચર્ચા

સુરત, 07 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલના નેતૃત્વ હેઠળ શ્રીલંકાના પ્રવાસે ગયેલા 13 સભ્યોના પ્રતિનિધિમંડળે કોલંબો ખાતે ભારતીય હાઇ કમિશનર શ્રી સંતોષ ઝા તથા ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ) શ્રી સૌરભ સભલોક સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે 3 પાયાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી:

  1. ફૂડ, બેવરેજિસ અને સ્પાઇસિસ (મસાલા) માર્કેટ: બેઠક દરમિયાન ભારતના હાઇ કમિશનર શ્રી સંતોષ ઝાએ જણાવ્યું હતું કે, શ્રીલંકાના ગુણવત્તાયુક્ત સ્પાઇસિસ (મસાલા) તથા ફૂડ એન્ડ બેવરેજિઝ સેક્ટર માટે ભારતીય માર્કેટમાં મોટી તકો રહેલી છે અને તેને કઈ રીતે ભારતીય બજાર ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી.
  2. ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ સોલર ક્ષેત્ર: શ્રીલંકામાં ક્લીન એનર્જી અને સોલર સેક્ટરનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ત્યાં ઇન્ડસ્ટ્રિયલ સોલર તેમજ રેસિડેન્શિયલ સોલર સેક્ટરમાં કામકાજ કરવા માટે વિપુલ પ્રમાણમાં મોટું માર્કેટ ઉપલબ્ધ છે, જ્યાં ભારતીય સોલર ઇન્ડસ્ટ્રીઝ સક્રિય રીતે ભાગીદારી કરી શકે છે.
  3. સુરતના ગ્રે ફેબ્રિકની શ્રીલંકાના ગાર્મેન્ટ સેક્ટરમાં નિકાસ: શ્રીલંકામાં વિશાળ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કાર્યરત છે. જ્યારે સુરત એ દેશનું સૌથી મોટું ગ્રે કાપડ ઉત્પાદન કરતું હબ છે. મુક્ત વ્યાપાર કરાર (FTA) મુજબ શ્રીલંકા દ્વારા નિકાસ કરાતા ફેબ્રિક સામે ભારતમાંથી આશરે 6 મિલિયનની આસપાસ ફેબ્રિકની આયાત કરવાની રહે છે. આ સ્થિતિમાં સુરતના ગ્રે કાપડ મેન્યુફેક્ચર્સ સીધા જ શ્રીલંકાના ગાર્મેન્ટ યુનિટ્સને ગ્રે ફેબ્રિક એક્સપોર્ટ કરી શકે છે, જે સુરત માટે વેપારની અઢળક તકો પૂરી પાડે છે.

શ્રીલંકા અને ભારત વચ્ચે ટ્રેડ કનેક્ટિવિટીનો નવો તબક્કો: અશોક જીરાવાલા

બેઠક દરમિયાન ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ હાઇ કમિશનરને દક્ષિણ ગુજરાતની આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક તાકાત તથા સુરતની ટેક્સટાઇલ, ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, હેવી એન્જિનિયરિંગ, MSME અને સ્ટાર્ટઅપ સેક્ટરની સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા. તેમણે શ્રીલંકાના વિવિધ સરકારી મંત્રાલયો, બોર્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ (BOI) અને સ્થાનિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ સાથે યોજાયેલી સફળ બેઠકોનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વ્યાપારી સહયોગ માટે અત્યારે અત્યંત સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ટેક્સટાઇલ, સોલર, અને ટુરિઝમ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે રોકાણ અને નિકાસની વિશાળ ક્ષમતા છે.

ભારતીય હાઇ કમિશનર શ્રી સંતોષ ઝાએ આ ત્રણેય ક્ષેત્રોમાં વેપારી આદાન-પ્રદાન વધારવા માટે હાઇ કમિશન તરફથી સંપૂર્ણ સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી હતી.