CIA ALERT
06. June 2023

સુરતીઓની દુનિયા Archives - CIA Live

May 20, 2023
WhatsApp-Image-2023-05-19-at-21.10.02-1280x854.jpeg
1min46

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, નેચરલ ડાયમંડ કાઉન્સિલ ઓફ ધ વર્લ્ડના સંયુક્ત ઉપક્રમે શહેરની અગ્રણી ડાયમંડ કંપની SRK દ્વારા Dt.20/5/2023 શનિવાર તા.20મી મેએ સુરતમાં નેશનલ સસ્ટેનેબિલિટી વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ આ કોન્કલેવમાં જોડાઇ રહ્યા છે, વૈશ્વિકસ્તરના એક્સપર્ટ નાનામાં નાના ધંધા, રોજગાર, ઉદ્યોગકારો કેવી રીતે સસ્ટેનેબિલિટી વિકસાવી શકે તે વિષય પર તેમને આખો દિવસની કોન્કલેવમાં માર્ગદર્શિત કરવામાં આવશે. ટૂંકમાં જે ઉધોગ, ધંધાર્થીઓ જ્યાં જેટલું જે પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ત્યાં તેટલું જ ભરપાઇ કેવી રીતે કરી શકે એનું નામ સસ્ટેનેબિલિટી.

સુરતમાં યોજાઇ રહેલી નેશનલ કોન્કલેવ ઓન સસ્ટેનેબિલિટી અંગે માહિતી આપતા SGCCI પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, એસ.આર.કે. SRKના જયંતિભાઇ નારોલા, શ્રેયાંશ ધોળકીયા, ગ્લોબલ નેટવર્ક ફોર નેટ ઝીરોને મહેશ રામાનૂજમ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણા ભોગે ઉદ્યોગો વિકસી રહ્યા છે, હવે પુર્નવિચાર કરવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણની જાળવણી માટે મનોમંથન નહીં પણ હવે યોગદાન આપવાનો સમય પાકી ગયો છે અને દરેક નાનામાં નાના ઉદ્યોગ, ધંધા, રોજગાર કે ઘરપરિવારના સભ્યો પર્યાવરણ જાળવણી માટે કેવી રીતે યોગદાન આપી શકે તે અંગેનું નોલેજ શેરીંગ જ સસ્ટેનેબિલિટી કોન્કલેવની મુખ્ય થીમ છે.

Dt.20/5/2023 શનિવારની આખો દિવસની કોન્કલેવમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ જોડાય રહ્યા છે. જેમને સસ્ટેનેબિલિટી ગ્લોબલ નેટવર્ખ ફોર નેટ ઝીરોના મહેશ રામાનુજમ, યુરોપિયન યુનિયનના ડેલિગેશન ટુ ઇન્ડિયાના કાઉન્સિલર કમિલા ક્રિસ્ટેનસેન રાય રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલના મેલાની ગ્રાન્ટ, મહિન્દ્રા હોલિડેઝના અરુણ નંદા, એચરએ હોટેલ્સના લક્ષ્યરાજ સિંહ મેવાડ, પ્રો. રજત મૂના, ડાયરેક્ટર-IIT- ગાંધીનગર; કાર્તિકેય સારાભાઈ, સ્થાપક અને નિયામક- સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE); પ્રશાંત તિવારી, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર- અમરા રાજા ગ્રુપ; અનિન્દ્ય ચૌધરી વગેરે અગ્રણીઓ પોતાની ટીપ્સ રજૂ કરશે.

April 14, 2023
env-1280x565.jpg
1min65

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને શનિવાર, તા. ૧પ એપ્રિલ, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં‘એન્વાયરમેન્ટ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં રાસાયણિક, દવાઓના મહાકાય કારખાનાઓ કે ઉદ્યોગો સ્થપાયેલા છે ત્યારે પર્યાવરણની જાળવણીની સાથે સાથે ઉદ્યોગોના વિકાસ માટે કયા – કયા પગલાઓ લઇ શકાય તેની સવિસ્તર ચર્ચા આ કોન્કલેવમાં કરવામાં આવશે. સરકાર અને ઉદ્યોગો સાથે મળીને આ દિશામાં આગળ વધે અને તેના માટે બંને પક્ષે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તે અંગે પણ ઉદ્યોગકારોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર માત્ર વિકાસ જ નહીં પણ ટકાઉ–નિરંતર વિકાસની દિશામાં આગળ વધી રહી છે. વિકાસ અને વિકાસશિલ દેશની વૃદ્ધિને વધારવી, લોકોનું જીવનધોરણ ટકાઉ (કાયમી) બનાવવું, રાસાયણિક કચરાનું વ્યવસ્થાપન અને કુદરતી સંસાધનોના વ્યવસ્થિત ઉપયોગ માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણને લગતી સમસ્યાને દૂર કરીને વિકાસની પ્રક્રિયાને આગળ વધારવા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને પ્રયાસો કરી રહયાં છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર (આઇ.એ.એસ.), સુરતના કલેકટર આયુષ ઓક (આઇ.એ.એસ.), આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના એકઝીકયુટીવ ડિરેકટર સંતોષ મુંધડા આ કોન્કલેવમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે અને ઉદ્યોગોને માર્ગદર્શન આપશે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ/પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રિટમેન્ટ કમિટીના ચેરમેન કુન્હાલ શાહે જણાવ્યું હતું કે, કોન્કલેવમાં નિષ્ણાંતો તરીકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી ડી.એમ. ઠાકર, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજીયોનલ ડિરેકટર પ્રસૂન ગાર્ગવા, આઇઆઇટી નવી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટરના ફાઉન્ડર અને ડિરેકટર કાર્તિકેય સારાભાઇ અને નવી દિલ્હી સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ભૂતપૂર્વ ટેકનિકલ એક્ષ્પર્ટ અજય દેશપાંડે ઉપસ્થિત રહેશે.

વિવિધ ટેકનિકલ નિષ્ણાતો અને સરકારના ઉચ્ચતમ અધિકારીઓની ઉપસ્થિતી હોવાને કારણે આવનારા સમયમાં ઉદ્યોગોનો પર્યાવરણ અંગેનો એકશન પ્લાન માટેની એક રૂપરેખા તૈયાર થશે. પર્યાવરણની જાળવણી હેતુ જ્યારે નિર્ણયો લેવાશે ત્યારે ઉદ્યોગો માટે કયા પ્રકારના પ્રશ્નો ઉદ્‌ભવી શકે તેના આગોતરા આયોજનની તૈયારીના ભાગ રૂપે આ કોન્કલેવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ/પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રિટમેન્ટ કમિટીએ એન્વાયરમેન્ટ કોન્કલેવના આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ કોન્કલેવના આયોજન માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

March 24, 2023
tb5.jpg
1min80

ટીબી દીવસ નિમિતે કિરણ હોસ્પિટલ – સુરત દ્વારા ટીબી(TB) મુક્ત ભારત અભિયાન અંતર્ગત, લોકોમાં ટીબી ની વિશેષ જાગૃતિ લાવવા માટેનો અનોખો પ્રયાસ.

ટીબીનું સમયસરનું નિદાન મટાડી શકે, વિલંબ મૃત્યુ નિપજાવી શકે લોકોને આ વાત સમજાવવા કિરણ હોસ્પિટલના સ્ટાફનું રોડ સાઇડ ટીબી કેમ્પેન અનેક લોકો ટીબીનું ચેકઅપ કરાવવા તૈયાર થયા,

આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્રારા ભારતને ટીબી મુક્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યુ છે, જેમનુ લક્ષ્ય 2025 સુધી માં ભારતને સંપૂર્ણ પણે ટીબી મુક્ત કરવાનું છે. જેમાં કિરણ હોસ્પિટલ દ્રારા The Union સંસ્થા સાથે મળીને પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે 10,000 ટીબી દર્દી નું તપાસ કિરણ હોસ્પિટલના મેડિકલ ચેકપ કેમ્પ દ્વારા કરવામાં આવશે .

24 માર્ચ વિશ્વભરમાં ટીબી દિવસ તારીખે ઉજવવામાં આવે છે. સુરતના કતારગામ સ્થિત મેગા હોસ્પિટલ, કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના લોકોને જાગૃત કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. 24 માર્ચ, શુક્રવારના દિવસે કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના અણુવ્રત દ્વાર સર્કલ, SVNIT સર્કલ અને અડાજણ સર્કલ પર ટીબી રોગની લોકોમાં વિશેષ જાગૃતિ આવે એવા પોસ્ટર લઈને આખો દિવસ ઉભા રહીને ટીબી નિદાન, તપાસ માટે લોકો જાગૃત થાય તે માટે પુરુષાર્થ કર્યો, કિરણ હોસ્પિટલના સ્ટાફનું આ અભિયાન રંગ લાવ્યું અને હજારો વાહનચાલકો, રાહદારીઓનેને ટીબી વિષે માહિતી મળી અને લોકોએ ટીબી વિષે જાણકારી મેળવી અને અનેક લોકો તપાસણી માટે પણ તૈયાર થયા.

કિરણ હોસ્પિટલ દ્રારા કરવામાં આવતા બધાજ મેડિકલ ચેકપ કેમ્પ માં ટીબીની તપાસ ઉપર ભાર આપવમાં આવશે, જેથી કોઈ સામાન્ય માણસ ને ટીબી છે તો તેનું નિદાન તે કરાવી શકે. કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુર ભાઈ સવાણીએ આવતા વર્ષમાં 10,000થી વધુ સામાન્ય લોકોની મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા ટીબીની તપાસ કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવે છે કે આ ભયંકર બીમારી ટીબી, જેનું સમય પર તપાસ અને નિદાન ના મળે તો માણસ નું મુત્યુ પણ થઇ શકે છે, અગર એ રોગ માંથી મુક્તિ જોતી હોય તો તેનો એક જ ઈલાજ છે જાગૃતતા, જેટલી માણસમાં જલ્દી જાગૃતતા આવશે એટલી જ સ્પીડે આપણે આપણા દેશને ટીબી મુક્ત કરી શકીશું. કિરણ હોસ્પિટલે ટીબીની જાગૃતતા લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે.

March 21, 2023
societynews-1280x1040.jpg
2min316

શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ દ્વારા આયોજીત APL-3 2023 HEAVY TENNIS BALL CRICKET TOURNAMENT યોજાઈ હતી જે તા. ૧૨/૦૩/૨૦૨૩ અને ૧૯/૦૩/૨૦૨૩ ના બે રવિવારે ટુર્નામેન્ટ રમાઈ હતી અઠવા પંચ યુવક મંડળ ના આમંત્રણ ને માન આપી આવેલ મોઢ વણિક સમાજ નું ગૌરવ ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી હાલ ના ધારા સભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ધી સુરત પીપલ્સ બેંક ના ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ અઠવા પંચ ના સ્થાપક પ્રમુખ અને ટેક્સટાઇલ જગત ના ભીસમહ પિતા કહેવાતા ભરતભાઇ ગાંધી તેમજ સુરતી મોઢ વણિક સમાજ ના પ્રમુખશ્રી શ્રીવાસભાઈ ઘીવાલા તત્કાલીન પ્રમુખશ્રી મનહરભાઈ લાપસીવાલા, માજી પ્રમુખશ્રી હસમુખભાઈ લાલવાલા સાથે ધર્મેશભાઈ તમાકુવાલા, સંજયભાઈ ગાંધી, જેન્તીભાઈ લાપસીવાલા, અનિલભાઈ દલાલ, મુકેશભાઈ વરિયાવા, અજયભાઈ મોદી તેમજ અઠવા પંચ ના પ્રમુખશ્રી નીતિનભાઈ ગાંધી તત્કાલિન પ્રમુખશ્રી ચેતનભાઈ કાપડિયા, યોગેશભાઈ પપૈયાવાળા, નાલિનભાઈ ગાંધી, દેવરાજભાઈ મોદી, તેજશભાઈ ગાંધી, મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી અમિષાબેન ગાંધી તત્કાલિન પ્રમુખ શ્રીમતી અનુરાધાબેન જરીવાલા તેમની ટીમ અને વોર્ડ નં . ૨૧ ના નગર સેવક શ્રીમતી ડિમ્પલબેન ચેતનભાઈ કાપડિયા તેમજ પાંડેસરા વિવર્સ ના પ્રમુખશ્રી અને sgcci ના તત્કાલીન પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતી પધાર્યા હતા

આ સર્વ મહેમાનો નો અઠવા પંચ યુવક મંડળ ના પ્રમુખશ્રી સંજયભાઈ અનાજ્વાળા સાથે યુવક મંડળ ની ટીમ ખૂબ ખૂબ આભાર માને છે કે તમે યુવક મંડળ ના આમંત્રને માન આપી પધારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ચાર ચાંદ લગાવી ટુર્નામેન્ટ સફર બનાવી સાથે આપના આશીર્વાદ અને આવનારા કાર્યક્રમ માં પણ આપનો સાથ સહકાર આવો જ મળતો રહે તેવી આશા સાથે ફરી એકવાર આપ સર્વે મોભીઓશ્રી, મહાનુભવોંશ્રી નો ખુબ ખુબ આભાર માણીયે છીએ..

આ સાથે જ અઠવાપંચ યુવક મંડળ જેના વગર આ ક્રિકેટ ટુર્નામેન્ટ APL-3 અધૂરી છે તેવા અમારા ક્રિકેટ ટીમ ના ઓનર્સ શ્રીઓ ભાવિનભાઈ બોઘાવાળા (MIVAAN 11) , સ્નેહલભાઈ મેહતા (SKYLINE SCORPION S), બંટીભાઈ સોપારીવાળા (JAY AMBEY 11), ભદ્રેશભાઈ કાપડિયા (DAY SEVEN 11) કુમારપાલ ગાંધી (GALAXY PANTHER) અજયભાઈ ચલિયાવાળા (TEAM AMBITION) પીયૂષભાઈ બેકાવાળા(KHUSHI FIGHTERS) વિરલભાઈ મોદી (MODI BAKERS) જીગર મોદી- યોગેશ ચરખાવાળા (YOGI-MODI WARRIOR’S) આ ૦૯ (નવ) ટીમ ઓનર્સ ટુર્નામેન્ટ ની આન-બાણ અને શાન છે જે આ ઓનર્સશ્રીઓ એ APL-3 AUCTION બાદ સમાજ ના ખેલાડીઓ સાથે મળી એક મહિનામાં જે મેહનત કરી તે આ ટુર્નામેન્ટ ના બે રવિવારે જોવા મળી છે અને સમાજ ના યુવા ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો સાથે એક બીજા સાથે જોડાયા ને એ જોઈ અઠવાપંચ યુવક મંડળ ગર્વ અનુભવે છે

સમાજ ને એક સાથે મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મ્યુઝિક મસ્તી હસી-ખુશી સાથે આનંદ માણ્યો તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ના દાતાશ્રીઓ અઠવા પંચ યુવક મંડળ નો એક સ્થંપ છે કે જેના વગર આ ટુર્નામેન્ટ શક્યજ નથી એવા અમારા વડીલશ્રી મોઢ વણિક સમાજ ના જાણીતા માનીતા માર્ગ દર્શક શ્રી ભરતભાઈ ગાંધી (BATSONS)ગ્રુપ ના કરતા ધરતા સાથે ધી સુરત પીપલ્સ બેંક ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ, ટ્રોફી આપનાર જાણીતા શ્રી પ્રવીણભાઈ ગાંધી, મનીષભાઈ દૂધવાળા (VRUNDAVAN DAIRY), ડો. અંકુરભાઈ ગાંધી-ડો. સ્નેહા પટેલ ગાંધી (JAHAAN WOMEN’S HOSPITAL), (SAI SPORTS GYM & SPORTS WEAR), PANDESARA WEAVER’S CO-OP SOCIETY LTD., વિરેનભાઈ ચોકસી (D. KHUSHALBHAI JEWELLER’S), નરેન્દ્રભાઈ કાબરાવાળા (PURVI INVESTMENT), મોંતુભાઈ બેકાવાળા(REY FASHION) અને વિરલભાઈ મોદી (MODI BAKERS) કે જેઓએ ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો કરતા આખી ટુર્નામેન્ટ ની દરેક મેચ માં જે ખેલાડી ઓએ વધારે સિક્સ માર્યા હોઈ, વધારે વિકેટ લીધી હોય,કે વધારે રન કર્યા હોય તે દરેક ખેલાડી ઓને રૂ.૫૦૦/- નું ગિફ્ટ વાઉચર આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારીયો હતો.

સાથે જ અઠવાપંચ યુવક મંડળના કમિટી સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધીએ ખુબજ સુંદર ફોટોગ્રાફીની સેવા આપી હતી ,અને સ્કોરર તરીકે શ્રી ચંદ્રેશભાઈ પાનવાલા અને પીનાકીનભાઈ ખાટીવાલાએ સેવા આપી હતી શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ આપ સર્વ મહાનુભવોશ્રી, દાતાશ્રી, ટીમ ઓનર્સશ્રી સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તેમજ APL-3 ટુર્નામેન્ટ ને સફર બનાવવા માટે યુવક મંડળ ના કમિટી સભ્યોશ્રીઓ નો પ્રમુખશ્રી સંજયભાઈ અનાજવાલા, તત્કાલીન પ્રમુખશ્રી મનીષભાઈ દૂધવાલા, ઉપપ્રમુખશ્રી વિમાલભાઈ બેકાવાલા, માનદ મંત્રીશ્રી આનંદભાઈ ગાંધી, સહ મંત્રીશ્રી રોમેશભાઈ પાનવાલા, ખજાનચી શ્રી વિપુલભાઈ ગાંધી, સહ ખજાનચી કેતનભાઈ પાનવાલા આપ સર્વ નો ખુબ ખુબ આભાર માણીયે છીએ…

તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ટોટલ ૧૨ મેચ રમવાની હતી હેવી ટેનિસ બોલ દ્વારા જેમાં દરેક ટીમ એ ૦૨ લીગ મેચ રમી એવરેજ મુજબ સેમિફાઇનલ માં એન્ટ્રી લેવાણી હતી સેમિફાઇનલ માં ચાર ટીમ આવી હતી જેમાં પહેલી સેમીફાઇનાલ MIVAAN 11 V/S GALAXY PANTHER વચ્ચે થઈ હતી જેમાં MIVAAN 11 વિજેતા થઈ ફાઇનલ માં આવી હતી બીજી સેમી ફાઇનલ DAY SEVEN 11 V/S YOGI- MODI WARRIORS જેમાં DAY SEVEN ના કેપ્ટન ચીમ્પુ લાપસીવાલાએ સેન્ચુરી મારી નોટ આઉટ રહી પોતાની ટીમને વિજય અપાવી ફાઇનલમાં પ્રવેશ્યા હતા ને ફાઇનલ મેચ MIVAAN 11સામે હારી RUNNER’S UP થયા અને MIVAAN 11 APL-3 2023 ચેમ્પિયન ટીમ બની હતી.

March 20, 2023
cia_multi-1280x1045.jpg
1min222

કોરોનાથી ડર નથી લાગતો એટલો ડર ઘરમાં પૂરાઇ રહેવાથી લાગે છે, સોસાયટી, એપાર્ટમેન્ટોમાં અડોશ-પડોશના લોકો વોચ રાખતા હોઇ, કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનો કફોડી સ્થિતિમાં મૂકાતા હોવાની અનૂભુતિ કરી રહ્યા છે

શહેરમાં હાલ કોરોના પોઝીટીવ હોય તેવા એક્ટીવ દર્દીઓની સંખ્યા 50ની થઇ છે. આંકડો મોટો નથી પણ જે સ્પીડમાં છેલ્લા અઠવાડીયામાં દર્દીઓની સંખ્યા વધી છે એ જોતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને હવે કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓથી બીજાને ચેપ ન લાગે અને શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ન વધે તે માટે તકેદારીના પગલાં રૂપે કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓના ઘરે કોરોન્ટાઇનના પોસ્ટર લગાડવાનું શરૂ કરાયું છે.

કોરોના પોઝીટીવ દર્દીઓના ઘરે કોરોન્ટાઇનના પોસ્ટર લગાડવાની શરૂઆત આજે પાલિકાએ રાંદેર અને લિંબાયત ઝોનમાંથી શરૂ કરી છે. આજે દસેક દર્દીઓના ઘરે જઇને કોરોન્ટાઇન રહેવા અંગેના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેને લઇને જે તે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. ફરીથી પહેલા જેવી સ્થિતિ સર્જાશે કે શું એવી ચર્ચાઓ લોકોમાં શરૂ થઇ છે.

February 19, 2023
cia_multi-1280x1045.jpg
1min71

મહાશિવરાત્રીના ઉત્સવ સાથે લોંગ વીકએન્ડમાં ભારતની ક્રિકેટ ટીમની મજા માણવાના ક્રિકેટ રસીયાઓની યોજના પર પાણી ફરી વળ્યું છે. ડિઝ્ની સ્ટાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા લિમિટેડ સહિત મુખ્ય પ્રસારકોએ એ કેબલ ઓપરેટરને સિગ્નલ ઉપલબ્ધ કરાવવાનું બંધ કરી દેતા ક્રિકેટ રસીયાઓ ભારતીય મેન્સ એન્ડ વીમેન ક્રિકેટ ટીમની મેચોનું લાઇવ પ્રસારણ માણી શક્યા નથી. કેબલ ઓપરેટરોએ નવા ટેરિફ આદેશ હેઠળ વધારેલી કિંમતો સાથે સમજૂતી પર હસ્તાક્ષર નહીં કર્યા હોઇ વિવાદ સર્જાયો છે. 

The broadcasting of several Russian TV channels will be stopped in  Kazakhstan | Radar Armenia

નિયામક ટ્રાઈ દ્વારા જારી એનટીઓ હેઠળ 15 ફેબ્રુઆરીએ જુદા જુદા કેબલ ઓપરેટરોને સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે કેબલ સેવા પ્રદાતાઓએ તેના પર ધ્યાન ન આપ્યું. જેના કારણે પ્રસારકો દ્વારા સિગ્નલ બંધ કરાયા. આ પગલાના પરિણામસ્વરુપે દેશભરમાં લગભગ 4.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો આ પ્રસારકો દ્વારા પ્રસારિત ચેનલોને જોવાથી વંચિત થઈ ગયા હતા.

મેચ જોવા માટે અનેક લોકોએ હોટસ્ટારનું પેકેજ ખરીદવું પડ્યું

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજારો ક્રિકેટ રસીયાઓને છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી ચેનલ પર નિહાળવાનું નહીં મળતા આખરે ના છૂટકે ક્રિકેટ રસીયાઓએ ડિઝની પ્લસ હોટસ્ટારનું પેકેજ ખરીદવું પડ્યું છે. ટીવી ચેનલવાલા અને કેબલ ઓપરેટરો વચ્ચેનો આ વિવાદ લાંબો ચાલે તેવું લાગી રહ્યું હોઇ, ક્રિકેટ રસીયાઓએ પોતાનો શોખ પૂરો કરવા માટે ડિઝની પ્લસ હોટસ્ટારનું પેક ખરીદવું પડી રહ્યું છે.

February 18, 2023
societynews-1280x1040.jpg
1min118

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમ, મોટા વરાછામાં સત્સંગ અને સુદર્શન ક્રિયાનું આયોજન

સુરત. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફ થી એપેક્ષ મેમ્બર હીરલભાઈ દેસાઈ અને યશેસ સ્વામી એ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દુનીયા ના 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર જી આ સંસ્થાનાં પ્રણેતા છે. ત્યારે આ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિગતવાર ચર્ચા કરતા આર્ટ ઓફ લિવિંગ સ્ટેટ ટીચર કોડીનેટર બકુલભાઈ પટેલે જણાવ્યું કે આ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી સુરતના આંગણે તેમના સાનિધ્યમાં 12મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્વયં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 મેડિટેશન ટેકનિક કે જે ના આશીર્વાદ તરીકે આપી શકાય તે શીખવાડશે. અને જ્ઞાન વાણી આપશે. આ કાર્યક્રમ સવારે 10 થી 1 અને બપોરે 5 થી 8 વાગે એમ બે સેશનમાં યોજાશે. ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ ના મીડીયા કોડીનેટર દીનેશભાઈ ચૌધરી એ વધુ મા જણાવ્યું કે 13મી માર્ચના રોજ મોટા વરાછાના ગોપીનગામ ખાતે રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી નું સત્સંગ અને સુદર્શન ક્રિયા કાર્યક્રમ યોજાશે. જેમાં સુરતમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બન્ને કાર્યક્રમ મા સમગ્ર ગુજરાત માથી લોકો આવશે. તથા અત્રે ખાશ ઊલ્લેખનીય છે કે ગુરુદેવ ગુજરાત ની યાત્રા પર હોવાથી મોટા ભાગ ના ગુજરાતી કલાકાર મિત્રો ગુરુદેવ ને સાંભળવા આવશે અને બાકી ના પણ તમામ ક્ષેત્ર ના લોકો જોડાશે જેમકે ડોક્ટર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, બ્યુરોકેટ્સ, ટ્રષ્ટી, શિક્ષકો પણ જોડાશે. કાર્યક્રમ પહેલા આર્ટ ઓફ લીવીંગ ના સ્વયંસેવકો ની પુરા જોશ મા તૈયારીઓ. તેમજ 10 થી 16 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. સમગ્ર ગુજરાત મા અલગ અલગ પ્રકાર ના વીવીધ કાર્યક્રમો.

February 4, 2023
weavers.jpg
1min2384

વાર ટુ વાર પેમેન્ટ સિસ્ટમનો અમલ કરવા વીવીંગ કારખાનેદારો મક્કમ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Textile trading comes to a standstill in Surat amid second Covid-19 wave |  Business Standard News

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનના મહત્વના અંગ ગણાતા વીવીંગ કારખાનેદારો, ગ્રે ઉત્પાદકોએ સ્વયંભુ નિર્ણય કર્યો છે કે આગામી તા.1લી માર્ચ 2023થી નવો પેમેન્ટ ધારો અમલી બનાવવો. વીવીંગ કારખાનેદારો જે દિવસે ગ્રે માલ કે ફેબ્રિક વેચશે એના 7 દિવસમાં ખરીદારે પેમેન્ટ (વાર ટુ વાર) ચૂકવવાનું રહેશે.

સુરતના વીવીંગ કારખાનેદારોના અનેક વ્હોટ્સએપ ગ્રુપોમાં હાલ આ મેસેજ ભારે વાઇરલ થયો છે. વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ નિર્ણય લઈ લીધો છે. કોઇ એસોસીએશન, સંગઠન નિર્ણય કરે એ પહેલા વીવીંગ કારખાનેદારોએ 7 દિવસની પેમેન્ટ સાઇકલનો નવો પેમેન્ટ ધારો અમલી બનાવવાનો નિર્ણય કરી દીધો છે.

આ અંગે વધુ માહિતી આપતા શહેરના જાણિતા વીવીંગ ઉદ્યોગ અગ્રણીએ જણાવ્યું હતું કે હાલના પેમેન્ટ ધારામાં ખરીદારોને 60થી 90 દિવસ આપવામાં આવે છે. જેમાં અનેક વીવીંગ કારખાનેદારોને કડવા અનુભવો થયા છે. અનેક પાર્ટીઓ ઉધારમાં માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવાની વાત આવે ત્યારે ટૂકડે ટૂકડે પેમેન્ટ કરે છે જે વીવીંગ કારખાનેદારને કામ નથી આવતી, મોટી રકમ એક સાથે મળવાનો જે ફાયદો થાય તે વિસરી જાય છે. એથી વિશેષ અનેક પાર્ટીઓ વીવર્સ પાસેથી માલ ખરીદ્યે રાખીને છેલ્લા ઉઠમણાઓ કરીને ભાગી જાય છે.

લાંબા સમયની પેમેન્ટ સાઇકલને કારણે વીવીંગ કારખાનેદારોએ યાર્ન ખરીદી તેમજ અન્ય ડેઇલી ખર્ચાઓ માટે કાર્યશીલ મૂડીને જરૂર પડે છે અને તેણે બજારમાંથી ધિરાણ મેળવવું પડે છે. આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે શહેરના હજારો વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ મૂહિમ ચલાવીને આગામી તા.1લી માર્ચ 2023થી સાત દિવસમાં પેમેન્ટનો નવો ધારો જાતે જ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ સંદેશો હાલમાં દરેકે દરેક વીવીંગ કારખાનેદાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

વીવીંગ આગેવાને કહ્યું કે જેમણે માલ ખરીદવો હોય તેઓ ખરીદે પણ જે વિવર્સે નવો પેમેન્ટ ધારો અમલી બનાવ્યો છે એ સાત દિવસમાં પેમેન્ટ માગશે જ અને એ બાબત બિલિંગ સહિતના દસ્તાવેજ પર અંકિત કરી દેવામાં આવશે.

February 2, 2023
SGCCI-budget-1280x853.jpg
2min89

કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર

સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત, આ બાબતે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે આવકારદાયક : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

2023

સુરત. ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ વર્ષ ર૦ર૩–ર૪ ના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સપ્તૠષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એમ્પ્લોયમેન્ટ, રેલ્વેઝ, ગ્રીન ગ્રોથ, યુથ પાવર, ફાયનાન્શીયલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૌથી વધારે ફોકસ ગ્રીન ગ્રોથ, યુથ પાવર અને સ્ટાર્ટ–અપ્સ પર કરવામાં આવ્યું છે. જેને કારણે રોજગારી વધશે.

નાણાં મંત્રી દ્વારા એમએસએમઇને રાહત થાય તેવી જાહેરાત કરાઇ છે. કોવિડના સમયમાં પ્રોજેકટ પૂર્ણ નહીં કરી શકનારી સરકારી કોન્ટ્રાકટ લેનારી એજન્સીઓ કે જેઓની સિકયોરિટી એનકેશ થઇ ગઇ હોય એવા એમએસએમઇ એકમોને ૯પ ટકા રિફંડ આપવાની જાહેરાત કરાઇ હતી. એમએસએમઇ સરકારી કોન્ટ્રાકટરો માટે વોલિએન્ટરી સેટલમેન્ટ સ્કીમની જાહેરાત કરાઇ હતી.

સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત કરાઇ છે, આથી આ સ્કીમ અંતર્ગત એમએસએમઇ ઉદ્યોગકારોને વાર્ષિક નવી રૂપિયા બે લાખ કરોડની લોન મળી શકશે. આ મામલે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી એમએસએમઇ સેક્રેટરીને સતત રજૂઆતો કરાઇ હતી.

એમએસએમઇ સપ્લાયર્સને પેમેન્ટ આપ્યા બાદ જ સંબંધિત રકમના ખર્ચ તરીકે ઇન્કમ ટેક્ષમાં બાદ મળશે. આ જાહેરાતને પગલે એમએસએમઇ ઉદ્યોગકારોને સમયસર પેમેન્ટ મેળવવામાં સરળતા થઇ રહેશે. આ ઉપરાંત ટફ સ્કીમ અંતર્ગત રૂપિયા ૯૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે એમએસઇસીડીપી સ્કીમ અંતર્ગત રૂપિયા ૧પ૦ કરોડની ફાળવણી કરાઇ છે.

હાલ લેબગ્રોન ડાયમંડ બનાવવા માટે સીડની આયાત કરવામાં આવે છે ત્યારે સીડનું ઉત્પાદન ભારતમાં થઇ શકે તે હેતુથી આઇઆઇટીને પાંચ વર્ષ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફંડ ફાળવવાની જાહેરાત કરાઇ હતી. તદુપરાંત સીડની આયાત ઉપર લાગતી કસ્ટમ ડયૂટી ઘટાડવાની જાહેરાત કરાઇ હતી.

યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ સ્ટાર્ટ–અપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એકિસલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે. નવા સ્થપાતા સ્ટાર્ટ–અપને આગામી દસ વર્ષ માટે ઇન્કમ ટેક્ષનો લાભ આપવામાં આવે છે ત્યારે નવા સ્ટાર્ટ–અપ્સ સ્થપાવવા માટેની સમય મર્યાદા એક વર્ષ માટે વધારવામાં આવી છે. કો–ઓપરેટીવ મોડલમાં મેન્યુફેકચરીંગ કરતી સોસાયટીને કોન્સ્ટન્ટ રેટ ઓફ ઇન્કમ ટેક્ષ ૧પ ટકા આપવાની જાહેરાત કરાઇ છે.

બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ સહકારી ક્ષેત્રે ખાંડ મંડળીઓની વર્ષો જૂની મુશ્કેલીનું નિરાકરણ આવ્યું છે. એસેસમેન્ટ ઇયર ર૦૧૬–૧૭ પહેલાં શેરડી ખરીદવા માટે થયેલા તમામ ખર્ચને ઇન્કમ ટેક્ષમાં ખર્ચ તરીકે ગણવામાં આવે તેવી જોગવાઇ કરાઇ છે. આવી રીતે રૂપિયા ૧૦ હજાર કરોડ જેટલી રાહત ખાંડ મંડળીઓને આપવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સૌથી વધુ મંડળીઓ આવેલી છે, ત્યારે ખાંડ મંડળીઓને ઘણી મોટી રાહત બજેટમાં કરાયેલી જાહેરાતથી થઇ છે.

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે રૂપિયા દસ લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે જીડીપી ગ્રોથમાં વધારો થશે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં પ૦ જેટલા નવા એરપોર્ટ ડેવલપ કરવામાં આવશે. જેમાં સુરત એરપોર્ટનો પણ સમાવેશ થાય એવી આશા છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટ પ્રોટેકશનમાં સુધારો લાવવા સસ્ટેનેબલ પ્રોજેકટ માટે ઇન્સેન્ટીવ આપવામાં આવશે. ગ્રીન એનર્જી અને ગ્રીન ક્રેડીટ પ્રોગ્રામ માટે જાહેરાત કરાઇ છે.

નેશનલ ફાયનાન્શીયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી બનાવવામાં આવી છે. જેના થકી ક્રેડીટ ફલોમાં સુધારો થઇ શકશે. બેટરી સ્ટોરેજ સિસ્ટમવાળા ચાર ગીગાવોટ સુધી સ્થપાતા રિન્યુએબલ એનર્જીવાળા પ્રોજેકટ માટે વાયાબિલિટી ગેપ ફંડીંગની જાહેરાત કરાઇ છે. પાનકાર્ડને કોમન બિઝનેસ આઇડેન્ટીફાયર બનાવવામાં આવ્યું છે. ડીનેચરલ ઇથાઇલ આલ્કોહોલની બેઝીક કસ્ટમ ડયૂટીમાંથી એકઝમ્પ્શન આપ્યું છે.

નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુકિત મર્યાદા વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે. કરદાતાઓને રૂપિયા ૩ લાખ સુધીની આવક પર કોઇ ટેક્ષ લાગશે નહીં. રૂપિયા ૩ થી ૬ લાખ સુધીની આવક પર કરદાતાઓને પ ટકા, રૂપિયા ૬ થી ૯ લાખ સુધીની આવક પર ૧૦ ટકા, રૂપિયા ૯ લાખથી ૧ર લાખ સુધીની આવક ઉપર ૧પ ટકા, રૂપિયા ૧ર થી ૧પ લાખ સુધીની આવક ઉપર ર૦ ટકા અને રૂપિયા ૧પ લાખથી વધુની આવક ઉપર ૩૦ ટકા ટેક્ષ લાગશે. ઇન્કમ ટેક્ષ રિબેટ વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે.

January 30, 2023
sgcci-1280x581.jpeg
1min429

એકઝીબીશનમાં ખાસ કરીને હોમ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડિયા ફર્નિચર અને ડેકોરેટીવ ઇન્ટીરિયર એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે

અમેરિકનો હોટેલ્સ માટે જરૂરી તમામ પ્રોડકટ આયાત કરતા હોવાથી એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરનારા એકઝીબીટર્સ સ્થાનિક હોટેલ માલિકો, વેન્ડર્સ તથા બાયર્સના સીધા સંપર્કમાં આવશે અને તેથી તેઓને સીધો બિઝનેસ મળી રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત યુએસએ ખાતે આગામી એપ્રિલ અને મે – ર૦ર૩ દરમ્યાન ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે.

યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં તા. ર૭, ર૮ અને ર૯ એપ્રિલ ર૦ર૩ દરમિયાન એસએલપીએસ ઇવેન્ટ સેન્ટર, ડલાસ, ખાતે ત્રિદિવસીય એકઝીબીશન યોજાશે. જ્યારે યુએસએમાં તા. ૪, પ અને ૬ મે ર૦ર૩ દરમ્યાન ગેસ સાઉથ કન્વેન્શન સેન્ટર હોલ ડી, અટલાન્ટા ખાતે પણ ત્રણ દિવસ માટે ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ યોજાશે. આ એકઝીબીશનના આયોજન માટે અમેરિકાના સૌથી વિશાળ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસીએશન (બબજફબ)નો સહયોગ પ્રાપ્ત થયો છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સામાન્યપણે અમેરિકામાં ફર્નિચર એકઝીબીશનો થતા હોય છે, પરંતુ ભારતથી પ્રથમ વખત એકસકલુઝીવ ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો થવા જઇ રહયો છે. યુએસએ ખાતે બે જુદા–જુદા શહેરોમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ યોજાશે. જેમાં ભારતભરમાંથી ૧૦૦ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયાં છે. સુરત ઉપરાંત મુંબઇ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરથી એકઝીબીટર્સ આ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરી પોતાની પ્રોડકટ્‌સનું પ્રદર્શન કરશે. આ એકઝીબીશન બીટુબી ધોરણે યોજાશે.

યુએસએ ખાતે આ એકઝીબીશનના આયોજનમાં આહોઆ સહભાગી બન્યું છે, જે ચેમ્બર ઓફ કોમર્સ માટે સૌથી મોટું જમા પાસું છે. કારણ કે, એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસીએશન (બબજફબ) માં ૩૪ હજારથી વધુ ડાયરેકટ સભ્યો છે. આ બધા સભ્યો અમેરિકામાં ર૦ હજારથી પણ વધુ હોટેલના માલિકો છે. જેને કારણે અમેરિકાની વિશાળ ચેઇન હોટલો જેવી કે હિલ્ટન, હયાત, મેરીયોટ, આઇએચજી, ડેઝ ઇન અને વિન્ધમના વેન્ડર્સ પણ એકઝીબીશનની મુલાકાત લેશે. સાથે જ અમેરિકામાં વિવિધ એરિયામાંથી આહોઆ એસોસીએશનોના સભ્યો પણ એકઝીબીશનની મુલાકાત લેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં હોટેલ્સ માટે જેટલી પણ પ્રોડકટની જરૂરિયાત ઉભી થાય છે એ તમામ હોટેલના માલિકો દ્વારા આયાત કરવામાં આવે છે. આથી આ એકઝીબીશનમાં ભાગ લઇ રહેલા વિવિધ પ્રોડકટ્‌સના મેન્યુફેકચરર્સ સ્થાનિક હોટેલ માલિકો, વેન્ડર્સ તથા અન્ય બાયર્સના સીધા સંપર્કમાં આવશે. અમેરિકાના વિવિધ બાયર્સના સંપર્કમાં આવવાથી તેઓને સીધો બિઝનેસ મળી રહેશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં હોટલ બનાવનારા આર્કિટેકટ, ઇન્ટીરિયર્સ, ફર્નિચર, હોમ ટેક્ષ્ટાઇલ્સના આયાતકારો તથા મોટી સંખ્યામાં અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ પણ એકઝીબીશનની વિઝીટ કરશે.

‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે વોલમાર્ટ, કોસ્ટકો, હોમ ડીપો, મેનાર્ડસ, આઇકીયા જેવી મેગા સ્ટોર કંપનીઓના પરચેઝ એજન્ટ્‌સ જે ફર્નિચર, હોમ ટેક્ષ્ટાઇલ્સ એન્ડ બિલ્ડીંગ મટિરિયલ્સની ખરીદી માટે વિઝીટ કરશે. આ એકઝીબીશનમાં મુખ્યત્વે ફર્નિચર મેન્યુફેકચરર્સ જેવા કે હોટેલ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, મોડયુલર કીચન, ડોમેસ્ટીક અને કોમર્શિયલ મળીને તમામ પ્રકારના ફર્નિચર બનાવનારા ભાગ લઇ રહયાં છે.

‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ના કો–ચેરમેન હર્ષલ ભગતે જણાવ્યું હતું કે હોમ ટેક્ષ્ટાઇલ્સમાં બેડીંગ એન્ડ કર્ટેન્સ, સ્લીપીંગ બેગ્સ, હોમ ફર્નિશીંગ ફેબ્રિકસ, બેડસ્પ્રીડ્‌સ, બ્લેન્કેટ્‌સ, પીલો એન્ડ પીલો કવર્સ, કયુશન એન્ડ કયુશન કવર્સ, કાર્પેટ્‌સ એન્ડ રગ્સ, સોફા બનાવવા ઉપયોગમાં લેવાતું ફેબ્રિકસ એન્ડ કવર્સ, ટોવેલ અને મેટ્રેસ મેન્યુફેકચરર્સ દ્વારા તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત બાથરૂમ ફિટીંગ્સમાં મુખ્યત્વે સિરામિક ટાઇલ, વોલ અને ફલોર તથા વુડન ફલોરીંગ, વોલપેપર, પ્લાયવુડ મેન્યુફેકચરર્સ પાર્ટીસિપેટ કરીરહયાં છે. લાઇટીંગ સોલ્યુશન્સમાં હોમ આર્ટ લાઇટ, ગ્લેમટયુબ્સ, સ્માર્ટ લાઇટીંગ, એલઇડી રિસેસ પેનલ્સ, એલઇડી સ્પોટલાઇટ, એલઇડી કોબ, ડાઉન લાઇટર, સ્પોટ લાઇટ્‌સ, પેનલ લાઇટ્‌સ અને એલઇડી લેમ્પ્સ બનાવનારા પણ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરશે.

જ્યારે લોન્ડ્રી એન્ડ કલીનિંગ ઇકવીપમેન્ટ્‌સમાં વોશર્સ, ડ્રાયર્સ, કિલનિંગ કેમિકલ્સ, પ્રેસેસ એન્ડ સ્ટીમર્સ, સોર્ટીંગ બિન્સ, હેન્ગર્સ, ગારમેન્ટ કવરીંગ એન્ડ રેકસ વિગેરે બનાવનારા ભાગ લઇ રહયાં છે. આર્ટ એન્ડ ક્રાફટમાં ટેક્ષ્ટાઇલ, ડેકોરેટીવ, પેપર, ફંકશનલ એન્ડ ફેશન ક્રાફટ્‌સ તથા પેઇન્ટીંગ્સ, શો પીસ, કટલરી એન્ડ ક્રોકરી બનાવનારા ભાગ લેશે અને તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

હાઉસ કીપિંગ પ્રોડકટ્‌સમાં ગ્લાસ કલીનર્સ, ફલોર કલીનર્સ, કારપેટ એન્ડ રગ કલીનર્સ, ડસ્ટીંગ પ્રોડકટ્‌સ અને ફર્નિચર કલીનર્સ એન્ડ પોલિશર્સ પણ પોતાની પ્રોડકટનું પ્રદર્શન કરશે. તદુપરાંત એકઝીબીશનમાં હોસ્પિટાલિટી સપોર્ટ અને આઇટી સોલ્યુશન્સની વિવિધ કંપનીઓ પણ ભાગ લેશે.