CIA ALERT

My World Archives - CIA Live

June 21, 2025
WhatsApp-Image-2025-06-20-at-14.23.36.jpeg
1min40

આગામી પાંચ વર્ષમાં ૨૦૦ બિલીયન ડોલરનું ઈ-કોમર્સ એક્ષ્પોર્ટ કરવાનો ભારતનો સરકારનો લક્ષ્યાંક છે: મુંબઈ સ્થિત ફોરેન ટ્રેડના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર. કે. મિશ્રા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી શ્રી CA મિતીષ મોદીએ સોમવારે તા. ૧૬ જૂન ૨૦૨૫ના રોજ મુંબઈ ખાતે ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત 6th IMC Business Connect – “Unlocking Global Market: Trade Opportunities for Indian Business” માં ઈજિપ્ત, આર્યલેન્ડ, મેક્સિકો, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયાના કમિશનરો / કાઉન્સિલ જનરલ તેમજ તેઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા મુંબઈ સ્થિત ફોરેન ટ્રેડના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘ભારતીય એમએસએમઈ ઉદ્યોગો માટે વિશ્વના અનેક દેશોમાં રોકાણ માટેની વિશાળ તકો રહેલી છે. વિશ્વની વાત કરવામાં આવે તો જર્મનીના વિકાસમાં એમએસએમઈ એ મહત્વની ભૂમિકા પ્રદાન કરી છે, જીડીપીમાં ૬૦% જેટલું યોગદાન માત્ર એમએસએમઈ સેક્ટર આપે છે તેમજ ૫૮% લોકોને રોજગારી આ ક્ષેત્ર પ્રદાન કરે છે. ભારતની એમએસએમઈ સેક્ટરે ગુણવત્તા અને પ્રોડક્ટમાં ઈનોવેશનની દિશામાં વધુ ભાર આપવાની જરૂર છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પ્રોડક્ટની ગુણવત્તા, પેકેજિંગને હંમેશા ધ્યાને રાખવું આવશ્યક છે, જેથી કંપનીની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ બની રહે તેમજ એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ કરી શકાય છે. આગામી પાંચ વર્ષમાં ૨૦૦ બિલીયન ડોલરનું ઈ-કોમર્સ એક્ષ્પોર્ટ કરવાનો ભારત સરકારનો લક્ષ્યાંક છે. ભારતીય ઉદ્યોગ સાહસિકોએ ભારત દ્વારા વિવિધ દેશોમાં કરવામાં આવેલા વ્યાપારિક કરારોનો લાભ લેવો જોઈએ. વિદેશમાં નવો બિઝનેસ શરૂ કરવા પહેલા ભારતીય ઉદ્યોગ સાહસિકોને તે દેશમાં મળનાર લાભો વિશે, યોજનાઓ વિશે અને માર્ગદર્શિકા વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ તેમ જણાવ્યું હતું.’

મુંબઈ સ્થિત આરબ રિપબ્લિક ઓફ ઈજિપ્તના કાઉન્સલ જનરલ મિસ. દહિલલા તવાકોલે જણાવ્યું હતું કે, માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે ઈજિપ્ત અને ભારતની વચ્ચે ખાસ એમઓયુ કરાયા છે. જેથી ભારતીય રોકાણકારો સરળતાથી ઈજિપ્તમાં બિઝનેસ માટેનું રોકાણ કરી શકે છે.

આર્યલેન્ડના કાઉન્સલ જનરલ મિસ. અનિતા કેલીએ જણાવ્યું હતું કે, આર્યલેન્ડમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ, એગ્રીકલ્ચર, એજ્યુકેશન અને ટુરિઝમ ક્ષેત્રે રોકાણની તકો રહેલી છે. ભારતની અનેક મોટી કંપનીઓએ આર્યલેન્ડમાં રોકાણ કર્યું છે અને તેઓએ દેશમાં બિઝનેસમાં સફળતા મેળવી છે.

મેક્સિકોના કાઉન્સલ જનરલ મિ. અડોલ્ફો જર્સિયા એસ્ટ્રડાએ જણાવ્યું હતું કે, ‘મેક્સિકો લેટિન અમેરિકાનું એક મહત્વપૂર્ણ અને સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું દેશ છે. મેક્સિકોમાં ઔદ્યોગિક ઉત્પાદન અને ઓટોમોબાઇલ્સ, ટેક્ષ્ટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર, આઈટી અને સેવા ક્ષેત્ર તેમજ એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણની અનેક તકો રહેલી છે.’

આ ઉપરાંત મિટીંગમાં મુંબઈ સ્થિત વિયેતનામના કાઉન્સલ જનરલ મિ. લે ક્વાન્ગ બિયેન, સાઉથ એશિયાના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશનર તેમજ ઓસ્ટ્રેલિયાના કાઉન્સલ જનરલ મિસ. મેરી ઓવેરીન્ગટોન, ટ્રેડ કમિશનર તેમજ કેનેડાના કાઉન્સલ જનરલ મિસ. એલૈની ડી’સોઝા સીઆઈટીપી, ટ્રેડ કમિશનર તેમજ મલેશિયાના કાઉન્સલ જનરલ મિ. શાહરુલમિઝા ઝાકરિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દેશમાં રહેલી રોકાણની વિવિધ તકો વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી CA મિતીષ મોદીએ ફોરેન ટ્રેડના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર. કે. મિશ્રાને અને IMC ના પ્રેસિડેન્ટ ઈલેક્ટ શ્રીમતી સુનિતા રામનાથકરને ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લેવા અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ કરી શકે તે માટે માર્ગદર્શન આમંત્રણ આપ્યું હતું. જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

June 21, 2025
WhatsApp-Image-2025-06-20-at-18.57.39-1280x842.jpeg
1min78

ચેમ્બર દ્વારા પ્લેટિનમ હોલમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ‘વુમન આંત્રપ્રિન્યોર્સ એન્ડ કમ્યુનિટી લીડર્સ’ સંદર્ભે પ્રેરણાત્મક સેશન યોજાયું

મહિલાઓ પુરૂષો કરતા વધુ સહનશીલ, દયાવાન, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોય છે, ગુજરાતની ૩પ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં ૮૦% છોકરીઓ જ ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે : ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીએ મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતીને નહીં છોડો તેવું સૂચન પણ કર્યુ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુક્રવાર, તા. ર૦ જૂન ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે ‘વુમન આંત્રપ્રિન્યોર્સ એન્ડ કમ્યુનિટી લીડર્સ’ વિષય પર પ્રેરણાત્મક સેશન યોજાયું હતું. આ સેશનમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર મહિલા સાહસિકો વિષે વાત કરી અન્ય મહિલાઓ તથા યુવા પેઢીને આત્મવિશ્વાસ અને નેતૃત્વની ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓની ભૂમિકા અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વનું રહયું છે. મહિલા નેતૃત્વનો વિકાસ માત્ર સામાજિક જ નહીં, પરંતુ આર્થિક અને રાષ્ટ્રવ્યાપી સ્તરે પણ અગત્યનો છે. મહિલા શક્તિ સમાજના દરેક ક્ષેત્રમાં એક નવો આયામ ઊભો કરી રહી છે. આવા કાર્યક્રમોના આયોજનોથી માત્ર પ્રેરણા જ નહીં પણ નેટવર્કિંગ, માર્ગદર્શન અને સહકારના નવા અવસરો પણ સર્જાય છે, આથી યુવા પેઢીને પ્રેરણા આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતને વિકસિત બનાવવામાં અને વિશ્વગુરુ બનાવવામાં મહિલાઓના યોગદાનને મહત્વૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં મધ્યકાલીન યુગ પછી એક મિથ્ય પ્રખ્યાત છે કે, મહિલાઓ કરતા પુરૂષો વધુ શક્તિશાળી છે, પરંતુ સત્ય એ છે કે, મહિલાઓ પુરૂષો કરતા વધુ સહનશીલ, દયાવાન, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોય છે. હાલમાં ગુજરાતની ૩પ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં ૮૦% છોકરીઓ જ ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે.

ભારત એક સમયે વિશ્વમાં ‘સોને કી ચીડિયા’ નામથી પ્રખ્યાત હતું. તેના મૂળમાં દેશના ગામડે–ગામડે દંપતિના સહભાગીદારીથી ચાલતા કુટીર ઉદ્યોગો અને તેથી થતું આર્થિક ઉપાર્જન રહેલું હતું. એવું નથી કે મહિલાઓએ માત્ર ઉદ્યોગ કરીને જ પરિવારને આર્થિક રીતે આગળ વધાર્યું છે પણ અનેક મહિલાઓ ઘરમાં પશુપાલન અને ખેતીમાં સહભાગી થઈને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. ઉદ્યોગ હોય કે કોર્પોરેટ અથવા સરકારી હોદ્દાઓ પર રહેલી મહિલાઓ હંમેશા કાર્યને સફળ બનાવવા માટે અથાક પ્રયાસ કરે છે અને તે કાર્યમાં સફળતા મેળવીને જ રહે છે.

મહિલાઓ જ્યારે ઉદ્યોગમાં ઝંપલાવે છે, ત્યારે તેઓ માત્ર પોતાનો જ વિકાસ નથી કરતી, પરંતુ તેઓ અનેકો લોકોને રોજગારી આપે છે, જેથી પરિવારોનું ગુજરાન ચાલે છે અને તેઓ એક સારૂં જીવન જીવવાનું શરૂ કરે છે. હાલમાં આપણે વિદેશી પરંપરાને અનુસરવાની આંધળી દોટ લગાવીએ છીએ, પરંતુ તે દરમિયાન આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ. તેમણે મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતીને નહીં છોડો તેવું સૂચન આપ્યું હતું. ભારતીય સંસ્કૃતી વેદની સંસ્કૃતી છે. જ્યારે એક સમૂહમાં આપણે એક જ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કાર્ય કરતા હોય ત્યારે યાદ રાખવું જોઈએ કે, માત્ર પોતાની ઉન્નતિમાં જ નહીં, પરંતુ બધાની ઉન્નતિમાં સફળતા રહેલી હોય છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી મયૂરીબેન મેવાવાલા અને ચેમ્બરની સમગ્ર ટીમે સેશનને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી.

June 6, 2025
vijay-meva.png
2min91

SGCCI, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 78માં અને વર્ષ 2024-25ના પ્રેસિડેન્ટ તરીકે વિજય મેવાવાલાની કેપ્ટન ઇનિંગને ચેમ્બરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ચેમ્બર ઓફ કોમર્સમાં ગુડ ગવર્નન્સને નવી ઉંચાઇએ લઇ જવામાં વિજય મેવાવાલાએ કરેલી લિડરશીપ કાબિલે તારીફ છે અને તેને ઉદ્યોગકારો જ નહીં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સનદી અધિકારીઓથી લઇને ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ પણ બિરદાવી રહ્યા છે. આજે ચેમ્બરના આ 78માં પ્રમુખ પદેથી વિદાય લઇ રહેલા વિજય મેવાવાલાએ કહ્યું કે તેઓ સતત ઉદ્યોગ ધંધાના વિકાસ માટે સક્રિય હતા, છે અને રહેશે.

નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીગથી સરસાણા, સંહતિમાં SGCCIની ઓફિસ શીફ્ટ થયા બાદ SGCCIના મોભ્ભા અનુસાર તેમાં કેટલીક માળખાગત સુવિધાઓ અને બ્યુટીફિકેશનની તાતી જરૂર હતી. વિજય મેવાવાલાએ માળખાગત સુવિધાઓ એવી વિકસાવી કે જેના મીઠા ફળ વર્ષો નહીં દાયકાઓ સુધી ઉદ્યોગકારોને મળતા રહેશે. SGCCIની સમગ્ર ઓફિસને સોલાર પાવર સિસ્ટમથી વિકસાવવા ઉપરાંત મુલાકાતીઓથી લઇને કર્મચારીઓના વાહનોના પાર્કિંગની ફેસેલિટી પણ સુપેરે ડેવલપ કરી. એથી વિશેષ વેલ ઇક્વિપ્ટ કોન્ફરન્સ હોલ અને સ્ટેપ્ડ ઓડીટોરીયમની ભેંટ તેમના કાર્યકાળમાં મળી. આવી અનેક નાની મોટી કામગીરીઓને કારણે વિજય મેવાવાલાની પ્રેસિડેન્ટશીપને ઉદ્યોગકારો હંમેશા માટે સ્મરણમાં રાખશે.

ગુડ ગવર્નન્સની વાત કરીએ તો વિજય મેવાવાલા SGCCIના વહીવટને એક એવા લેવલ પર લઇ ગયા છે કે જ્યાં કોર્પોરેટની મિકેનિઝમ કરતા ચઢીયાતી સિસ્ટમથી હાલમાં SGCCIનું વહીવટીતંત્ર કાર્યરત છે. વહીવટમાં પ્રોફેશનલિઝમનો સમાવેશ એવી રીતે કર્યો કે જાણે સોનામાં સુગંધ ભળે. ચેમ્બરના કર્મચારીઓથી લઇને ઉદ્યોગકારો સુધી સમગ્ર વર્ષ દરમિયાન પ્રત્યેકને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને એક પ્રેસિડેન્ટ તરીકે તેમણે તમામને ન્યાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

આપે આજથી 26 વર્ષ પહેલા સુરતના વેપારી મહાજનોની વિશ્વ વિખ્યાત વાણિજ્યિક સંસ્થા, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં આજીવન સભ્ય તરીકે જોડાયા અને તેના 25માં વર્ષે સંસ્થાના સર્વોચ્ચ બંધારણિય હોદ્દા એટલે કે પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેના આપના કાર્યકાળમાં આપનું નેતૃત્વ વિઝનરી, ઇમ્પેક્ટફુલ અને ગ્લોબલ હોવાની અનુભૂતિ અમે સૌએ કરી છે.

આપના કાર્યકાળના આરંભે આપશ્રી એ જાહેર સંબોધનમાં કહ્યું હતું કે સૌને સાથે લઇને ચાલીશું અને સાથે જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર, સૌનો સાથ અને સૌનો વિકાસને સાર્થક કરીશું.

આપની લિડરશીપના એક વર્ષમાં આપે એને સાર્થક કરી દેખાડ્યું છે.

SGCCIના પ્રમુખ પદે આપના કાર્યકાળમાં અમે નોંધ્યું કે એક કપ્તાન તરીકે આપનામાં લિડરશીપ ક્વોલિટીઝ તરીકે SGCCIને નવીનત્તમ મુકામ પર પહોંચાડી છે.

ઉદ્યોગ, ધંધા, વેપાર માટે રીપ્રેઝન્ટેશન કરી શકાય તેવા મૂળભૂત સિદ્ધાંત સાથે SGCCI અસ્તિત્વમાં આવી હતી, SGCCIના આ મૂળભૂત સિંદ્ધાતને આપશ્રીએ ચોંટદાર કમ્યુનિકેશન સ્કીલ્સના સથવારે સંપૂર્ણપણે ચરિતાર્થ કર્યો છે. કહેવાય છે કે મૂળ સુરતી નાગરીકના ડીએનએમાં નાવિન્ય, કંઇક નવું પ્રદાન કરવાની ખેવના સતત સક્રિય હોય છે, અમે આપની વહીવટ કરવાની કાર્યશૈલીમાં ડગલેને પગલે તેનો અહેસાસ કર્યો છે. SGCCI તરફથી રીપ્રેઝન્ટેશન કરવાનું હોય, કોન્કલેવ કે પછી ઓપન હાઉસ હોય. એક્ઝિબિશન-એક્ષ્પો હોય કે મેનેજિંગ કમિટીની મિટીંગ સુધી દરેક સ્તરે આપના કાર્યકાળ દરમિયાન કંઇકને કંઇક નવીનત્તમ સ્થિતિ અનુભવી છે.

આપની લિડરશીપ હેઠળ આપણી સંસ્થા, SGCCI, સકારાત્મક અભિગમ અને સૌથી વધુ ક્રિએટિવીટી સાથે વૈશ્વિક ફલક પર ઉભરી આવી છે.

SGCCIના પ્રમુખ તરીકે આપના કાર્યકાળ દરમિયાન જુદા જુદા ઉદ્યોગ, ધંધા, રોજગાર, વ્યવસાયના હિતાર્થે 400 પ્લસ મિટીંગ્સ-સિટીંગ્સ કરી. જુદા જુદા ઉદ્યોગ-ધંધાને અનુરૂપ 14 એક્ષ્પો-એક્ઝિબિશન્સ કર્યા અને તેમાં 2 લાખથી વધુ લોકો મુલાકાતી તરીકે પહોંચ્યા હતા, SGCCIના અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇ એક વર્ષના એક્ષ્પો-એક્ઝિબિશનમાં આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓ નોંધાયા નથી.

આપશ્રીના નેતૃત્વની અવધિમાં SGCCIમાં એક પ્રેરણાદાયી કિર્તીમાન એ પણ સ્થપાયો કે કોઇ એક વર્ષમાં સૌથી વધુ (1000થી વધુ) નવા સભ્યો SGCCIના ફેમિલીમાં જોડાયા.

દેશની રાજધાની દિલ્હી હોય કે ગુજરાતની રાજધાની ગાંધીનગર હોય, આપશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિકારી શ્રીઓ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહ્યા અને આપશ્રીના સમયમાં કરવામાં આવેલી 200થી વધુ રજૂઆતોમાં 50થી વધુ રજૂઆતોને પરીણામદાયી સ્તર પર લાવી શક્યા જે આપની કુશળ નેતૃત્વ શૈલીને આભારી છે. સુરતના સ્થાનિક સરકારી તંત્રો જેમાં સુરત કલેક્ટરેટ, સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલિસ તંત્ર, જીએસટી ડિપાર્ટમેન્ટ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, દક્ષિણ ગુજરાત વીજ કંપની, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જિલ્લા સહકારી રજિસ્ટ્રાર, રેલવે તંત્ર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, આરટીઓ, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વગેરે સાથે જુદા જુદા મુદ્દાઓ પર સુમેળ સાધીને એવું નેતૃત્વ પ્રદાન કર્યું કે આજે સૌની સાથે SGCCIનો નાતો વધુ ગાઢ બન્યો છે અને SGCCIનું નેટવર્ક વિસ્તર્યું છે.

SGCCIનું આપણા દેશમાં આંતરીક નેટવર્ક તો વિસ્તર્યું છે પણ સાથોસાથ આપશ્રીના કાર્યકાળ દરમિયાન વિદેશોના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સના પ્રતિનિધિઓથી લઇને ભારતમાં વિદેશોના કોન્સ્યુલેટ સાથે શ્રેણીબદ્ધ મિટીંગો યોજીને સુરતના વેપાર, ધંધાને તેમની નજર સમક્ષ બખૂબી મૂક્યા. આપના કાર્યકાળમાં SGCCIએ સૌથી પહેલી વખત ગ્બોબલ વિલેજ એક્ઝિબિશનનો કન્સેપ્ટ લોંચ કર્યો. આપની મુદત દરમિયાન જુદા જુદા 25થી વધુ દેશોમાંથી 150થી વધુ ફોરેન ડેલિગેટ્સ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર અને સંહતિ ખાતેની આપણી કચેરીની મુલાકાતે આવ્યા હતા.

આપશ્રીનું વિઝન હતું કે SGCCI સસ્ટેનેબિલિટી અપનાવે અને એ માર્ગ પર આગેકૂચ કરતા આપશ્રીએ સંહતિ બિલ્ડીંગની આપણી કચેરીમાં સોલાર પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કરાવ્યો, જેના કારણે વર્ષે દહાડે રૂ.20 લાખના વીજળી ખર્ચની સીધી બચતનો લાભ SGCCIને વર્ષોવર્ષ મળતો રહેશે. આપશ્રીના સમયગાળામાં SGCCIની માળખાગત સુવિધાઓમાં અસાધારણ વધારો થયો. સહંતિ બિલ્ડીંગનાગ્રાઉન્ડ ફ્લોર પર વેલ ઇક્વિપ્ડ કોન્ફરન્સ હોલ તેમજ સાથે મલ્ટીપર્પઝ કન્વેન્શન હોલનું નિર્માણ અને લોકાર્પણ પણ આપશ્રીએ કરાવીને SGCCIના છોગાને મોરપીંચ્છથી હર્યુ ભર્યું કરી દીધું.

SGCCI કાર્યાલય સંકુલને નાવિન્ય અર્પણ કરતા અનેક પ્રોજેક્ટ અને સોનામાં સુગંધ ભળે એ રીતે SIECCના પરિસરમાં સંહતિ ખાતે આપણા પ્યારા રાષ્ટ્રધ્વજનું આરોપણ કરીને એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

ઉદ્યોગ, ધંધા, રોજગારની વાત કરીએ સિટી ઓફ ટેક્ષટાઇલ્સમાં કાપડ ઉદ્યોગથી શરૂ કરીને દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા કોઇપણ ઉદ્યોગ, ધંધાના સંસ્થા, સંગઠનો તરફથી આપના ધ્યાન પર જે બાબતો, પ્રશ્નો, સમસ્યાઓ લાવવામાં આવી તેને આપશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળીને તેના નિરાકરણમાં અંગત રસ લીધો એવું તમામનું ઓબ્ઝર્વેશન છે.

સુરતના જ નહીં રાજ્યભરના કાપડ ઉદ્યોગ માટે જરૂરી ટેક્ષટાઇલ પોલિસી હોય કે MSMEના જટીલ પ્રશ્નો હોય, આપશ્રીનું નેતૃત્વ મહદઅંશે પરીણામલક્ષી રહ્યું છે. ગુજરાત સરકારને ટેક્ષટાઇલ પોલિસીમાં ઔદ્યોગિક યુનિટોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી મળે તે માટે આપશ્રીના નેતૃત્વમાં કરાયેલી રજૂઆતને રાજ્ય સરકારે સ્વીકારીને પોલિસીમાં સ્થાન આપ્યું જેનાથી આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગકારોને રૂ.10 હજાર કરોડ સુધીના આર્થિક પ્રોત્સાહન મળશે.

વર્તમાન સમયગાળો એવો છે કે જેમાં ઉદ્યોગ, ધંધા સાથે સંકળાયેલા લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે. સાઇબર ક્રાઇમ વિશ્વ માટે પડકારજનક બાબત બની છે. આપના સમયગાળા દરમિયાન સાઇબર અવેરનેસ માટે સેમિનારથી લઇને સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા ધંધાર્થીઓ, વ્યવસાયિકો માટે પોલિસ તંત્રને દરમિયાનગીરી કરવા માટે સીધી રજૂઆતો કરવામાં આવી હતી.

સૌથી મહત્વની વાત પહેલું સુખ તે જાતે નર્યા. વિજયભાઇ આપે સ્વાસ્થયની સ્વકાળજી અને સ્પોર્ટસ બન્નેનું મહત્વ ઉદ્યોગ, ધંધાર્થીઓ અને સ્ટાફને સમજાય તે માટે સાઇક્લોથોનથી લઇને યોગા શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું જે ખાસ્સા લોકપ્રિય રહ્યા અને લોકોએ આવા આયોજનોને મુક્ત મને બિરદાવ્યા પણ હતા.

સમગ્ર વિશ્વ જેને પ્રોત્સાહિત કરી રહ્યું છે એ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આપશ્રીએ આપેલું યોગદાન સુવર્ણમય અક્ષરોમાં લખી શકાય તેવું છે.ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્યમાં આપશ્રીએ સોલાર પાવર પ્લાન્ટ ખાસ કરીને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ હેઠળ એક સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે ઉદ્યોગકારોએ કમસે કમ 36 સ્ટેમ્પ પેપર લેવા પડતા હોય છે અને વિવિધ સત્તામંડળો પાસેથી જુદાજુદા મુદ્દા પર 22 પરવાનગીઓ લેવી પડે તેવી જટીલ પ્રક્રિયા દૂર કરીને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે આ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા માટે ઉદ્યોગ સાહસિકો વતી ગુજરાત સરકારને અસરકારક રજૂઆતો કરી હતી. જેનો સ્વીકાર કરી ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ માટે ઓનલાઈન સિસ્ટમ વિકસાવવા આવી છે. જેમાં GEDA પ્રોવિઝનલ અપ્રુવલથી લઈને ફાઈનલ કમિશનિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવાનું પોર્ટલ GUVNL દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ પોર્ટલમાં જે પણ પ્રક્રિયા છે તે હાલમાં GERC ની મંજૂરી હેઠળ છે.

આપે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 13 હજારથી વધુ સભ્યો, કર્મચારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ સાથે પ્રત્યક્ષ, પરોક્ષ રીતે સંકળાયેલા લોકો પર આપના ઉમદા નેતૃત્વની અમીટ છાપ છોડી છે.

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકેની આપની એક વર્ષની મુદત દરમિયાન ઉત્કૃષ્ટ નેતૃત્વ બદલ અમો સૌ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપના દૂરંદેશી અભિગમ અને પરિણામો પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આપણા પ્રિય શહેર સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા, વેપાર પર સકારાત્મક રીતે નોંધપાત્ર અસર કરી છે.

June 6, 2025
mansingh-patel.jpeg
1min42

આજરોજ પલસાણા દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય હતી. શરૂઆતમાં મંડળી પરિસરમાં વ્રુક્ષારોપણ કાર્યક્રમ કરી “ઇફકો સહકાર રત્ન” સુમુલના ચેરમેન શ્રી માનસિંહ પટેલનું સન્માન કરાયું હતું.

ત્યારબાદ મંડળીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલે એ મંડળીના વર્ષ 2024 25 ના વાર્ષિક હિસાબ અહેવાલ રૂપે રજૂ કર્યો હતો. મંડળી દ્વારા કરવામાં આવેલ હાર્ડવેર,ગ્રોસરી,ડીઝલ પંપ વગેરેની કામગીરી વર્ણવી હતી અને કાર્યસુચી મુજબના કામો સર્વાનુમતે પૂર્ણ થયા હતા.ગત વર્ષે પલસાણા દૂધ મંડળી દ્વારા સુમુલ ડેરીમાં અંદાજીત ૩૭ લાખ લીટર દૂધ મોકલી ૨૦ કરોડની આવક મેળવી હતી.

આ પ્રસંગે નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, ગુજરાત ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ફેડરેશન-બારડોલીના પ્રમુખ શ્રી રાજેશભાઈ, પલસાણા તાલુકાના સુમુલના ડીરેક્ટર શ્રી ભરતસિંહ સોલંકી અને પલસાણા તાલુકાના સહકારી આગેવાનો અને દૂધ મંડળીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આવતીકાલે માંડવી મુકામે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ- આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના અધ્યક્ષ સ્થાને માનસિંહ પટેલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

May 8, 2025
cia_edu-1280x925.jpg
1min78

ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 26 વિદ્યાર્થીઓએ A1 અને 56 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા, સ્કુલનું ધોરણ 10 નું 98% પરિણામ

શહેરના કઠોદરા, ગઢપુર રોડ પર આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં જોડિયા ભાઈઓએ આજે ધો.10ના પરીણામમાં કમાલ કરી છે. એક સરખો દેખાવ, સ્વભાવ, પહેરવેસથી જાણિતા રાવળ બંધુઓએ ધો.10માં મહેનત પણ સાથે બેસીને સરખી કરી હતી અને આજે તેમનું પરીણામ પણ સરખું જ આવ્યું હતું. ભક્તિ ઇન્ટરનેશનલ સ્કુલમાંથી ધો.10ની પરીક્ષા આપનાર જીલ રાવળ અને જીત રાવળ જુડવા (ટ્વીન્સ) ભાઈઓ છે. બંનેની જન્મની વચ્ચે દસ મિનિટનો ફેર છે. ધોરણ 10ની પરીક્ષામાં બેઠક ક્રમાંક પણ આગળ પાછળ હતી. આજે ગુજરાત બોર્ડે જાહેર કરેલા પરીણામમાં આ બંને જુડવા ભાઇઓનું પરીણામ પણ સરખું એટલે કે બન્નેએ A1 ગ્રેડ મેળવવાની સિદ્ધી હાંસલ કરતા સોશ્યલ મિડીયામાં આ કિસ્સો આજે ભારે વાઇરલ થયો છે. જીલ અને જીત બંનેને ધો.10માં 92 ટકા માર્કસ અને 97 પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. તેમના પિતા ઇંટના વેપાર સાથે સંકળાયેલા છે. હવે બન્ને ભાઇઓ કારકિર્દી પણ એક સરખી, સોફ્ટવેર એન્જિનિયરીંગમાં બનાવવાની યોજના ધરાવે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં કઠોદરા સ્થિત ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યા છે. શાળાના આચાર્યના માર્ગદર્શન તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહીયારા અથાગ પરિશ્રમથી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 26 વિદ્યાર્થીઓએ A1 અને 56 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે.અને શૈક્ષણિક વર્ષ દરમિયાન ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ 98% આવ્યું છે. શાળાના ટ્રસ્ટી અલ્પેશ ગજેરાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને શિક્ષકોના શ્રમની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી છે.

ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બે જોડીયા ભાઈઓ રાવલ જીત અને રાવલ જીલે 92% સાથે સમાન A1 ગ્રેડ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે.

આ ઉપરાંત ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 4 ભાઈ-બહેન સાથે અભ્યાસ કરતી માધ્યમ-વર્ગ પરિવારના રત્નકલાકારની દીકરીએ બલદાણીયા ઉર્વીશાએ સખત મહેનત અને માર્ગદર્શનથી A1 ગ્રેડ પ્રાપ્ત કરીને સમાજને પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રત્નકલાકારની દીકરી ઉર્વીશાએ 99.60 PR મેળવ્યા

સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ઉર્વીશા ભરતભાઈ બળદાણીયા કામરેજના માંકડા ગામ ખાતે રહે છે. પરિવારમાં માતા-પિતા એક ભાઈ અને બે બહેન છે. પિતા રત્નકલાકાર થઈને ઉર્વીશા સહિત ચાર સંતાનોને ભણાવી આવી રહ્યા છે. ઉર્વીશાએ પરિવારને આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં મહેનત કરીને ધોરણ 10 ની પરીક્ષામાં A 1 ગ્રેડ, 99.60 પર્સન્ટાઈલ મેળવીને પરિવાર અને સ્કૂલનું નામ રોશન કર્યું છે.ઉર્વીશા આગળ ખૂબ અભ્યાસ કરીને એક મહાન વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવે છે.

April 11, 2025
Cia_business_news-1280x936.jpg
1min538

બિનઅનુભવી અને સ્ટેડીયમમાં રેગ્યુલર નહીં આવતા ઉમેદવારોની પેનલ સામે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો સતત કમ્યુનિકેશનમાં રહીને ડેવલપમેન્ટના કાર્યો કરતા આવ્યા છે

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની આગામી રવિવારે યોજાનારી ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના મેમ્બર્સ એ વાત સારી રીતે જાણી ચૂક્યા છે કે એક તરફ એવી પેનલ છે કે જેના ઉમેદવારો રેગ્યુલર સ્ટેડીયમમાં આવતા નથી કે અત્યાર સુધી SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ડેવલપમેન્ટમાં કશું યોગદાન આપ્યું નથી, માત્રને માત્ર સહાનુભૂતિનું આવરણ લઇને SDCAના વહીવટ પર કબજો જમાવવાની પેરવી થઇ રહી છે. જ્યારે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો કે જેઓ નિયમિત રીતે સ્ટેડીયમમાં આવીને ડેવલપમેન્ટના જે પણ કોઇ કાર્યો અને પ્રોજેક્ટ થયા તેમાં પૂરતો સમય ફાળવ્યો એટલું જ નહીં પણ સ્ટેડીયમ પેનલના ઉમેદવારો સતત મેમ્બર્સના કમ્યુનિકેશનમાં રહેતા આવ્યા છે અને તેમની રજૂઆતો, ફરીયાદોને સાંભળીને ત્વરીત ઉકેલ લાવી આપવામાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.

SDCA અને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની શ્રેષ્ઠ ફેસેલિટી, ગુડ ગવર્નન્સ અને મેનેજમેન્ટની ગૂંજ આજે ગુજરાત ક્રિકેટ એસોસીએશનથી લઇને બી.સી.સી.આઇ.માં સંભળાય રહી છે તેની પાછળ સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલો પુરુષાર્થ છે. દેશ વિદેશની ક્રિકેટીંગ પર્સનાલિટી તેમજ નિર્ણાયક સંગઠનોના ચાવીરૂપ હોદ્દેદારોને સુરતના SDCA સુધી લાવવામાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલા અસરકારક પ્રેઝન્ટેશન અને કમ્યુનિકેશનની ભૂમિકા રહેલી છે એ SDCAના મેમ્બર્સ સારી રીતે જાણે છે અને હાલમાં બિનઅનુભવીઓની પેનલના ઉમેદવારો આવા મુદ્દાઓને દબાવવા માટે મનઘડંત આરોપબાજી પર ઉતરી આવ્યા છે. સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ SDCAમાં ક્રિકેટની સાથે અન્ય રમતગમતની પ્રવૃતિઓ તેમજ એન્ટરટેઇનમેન્ટ માટે કન્સેપ્ટ્ચ્યુઅલ અભિગમ દાખવીને મેમ્બર્સની ડિમાંડ અનુસાર સમગ્ર ટર્મ દરમિયાન રેગ્યુલર ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે જે મેમ્બર્સે પણ સારી રીતે માણી છે.

જેમણે અત્યાર સુધી સ્ટેડીયમમાં નિયમિત હાજરી નથી આપી ફક્ત વહીવટમાં કબજો જમાવવાના ઇરાદે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તેઓ SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના વિકાસની બાગડૌર કેવી રીતે સંભાળી શકશે એવા પ્રશ્નો હવે મેમ્બર્સ સામેથી ઉઠાવી રહ્યા છે.

સ્ટેડીયમ પેનલના હરીફ ઉમેદવારો પાસે મેમ્બર્સને બતાવવા માટે કે કહેવા માટે પણ કોઇ કામગીરી કે પ્રોજેક્ટ નથી, ફક્ત સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલી કામગીરીની લાઇનને નાની કરવાનું કામ પ્રચારના નામે ચાલી રહ્યું છે, સ્ટેડીયમ પેનલના હરીફ ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવાર એ બાબત બતાવી શક્તો નથી કે SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ માટે એવું કયું કામ કર્યું કે જે મેમ્બર્સના હિતમાં હોય. ફક્તને ફક્ત આરોપો મૂકીને મત માગવાની પ્રવૃતિને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના મેમ્બર વોટર્સ જાણી ચૂક્યા છે.

April 9, 2025
Cia_business_news-1280x936.jpg
2min195

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો સર્વાંગી વિકાસ કરી શકે તેવા ઉમેદવારોની પેનલ એટલે સ્ટેડીયમ પેનલ

આગામી રવિવારે તા.13મી એપ્રિલે યોજાનારી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએસનની ચૂંટણીમાં મેમ્બર્સમાં ફેવરીટ બનેલી સ્ટેડીયમ પેનલના ઉમેદવારો પર નજર કરીએ તો આ ઉમેદવારો છેલ્લા ઘણાં વર્ષોથી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં જુદી જુદી પ્રવૃતિઓનો વિકાસ કરવાની જવાબદારી સંભાળતા આવ્યા છે અને તેમણે આ કામગીરી સુપેરે બજાવી જ છે.

મુરબ્બી કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરની લિડરશીપમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં જે ગ્લોબલ સ્ટાન્ડર્ડસને ધ્યાનમાં રાખીને જે માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે તેના પર નજર કરીએ તો લોન ટેનિસની જવાબદારી સુરત પીપલ્સ બેંકના ચેરમેન અમિત ગજ્જર સુપેરે અદા કરતા આવ્યા છે.

એવી જ રીતે ક્રિકેટ માટેની સઘળી જવાબદારી ડો.નૈમિષ દેસાઇ, બેડમિંગ્ટન રમતની જવાબદારી અનિલ જુનેજા, ટેબલ ટેનિસની જવાબદારી ગોવિંદ મોદી, એન્ટરટેઇનમેન્ટની જવાબદારી હેમંત જરીવાલા, જીમ્નેશિયમ અને સ્વીમીંગ પુલની જવાબદારી હિતેન્દ્ર મોદી, યુટિલીટીની જવાબદારી યતિન દેસાઇ, પબ્લિક રિલેશનની જવાબદારી કિરીટ દેસાઇ સહિતના સ્ટેડીયમ પેનલ સાથે સંકળાયેલા આગેવાનો સંભાળતા આવ્યા છે.

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન અને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનું ડેવલપમેન્ટ હાલમાં નિર્ણાયક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને તેના માટે પરીપક્વ લિડરશીપ સમયનો તકાજો છે, જે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો આપી શકે તેમ છે. હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરી દરમિયાન જ જોવા મળી રહ્યું છે કે મેમ્બર પરીવારો સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ અત્યાર સુધીના વિકાસમાં જે યોગદાન આપ્યું છે એ અન્ય કોઇ ઉમેદવારો કે બિનઅનુભવી લોકો આપી શકે તેમ નથી.

હાલમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ડેવલપમેન્ટનો જે રોડમેપ તૈયાર થયો છે તેમાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોનું મહત્તમ યોગદાન છે, તેમના પુરુષાર્થથી મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે હવે તેમનો જશ ખાટી જવાના થઇ રહેલા પ્રયાસોને મેમ્બર પરીવારો જાણી ચૂક્યા છે. એટલે જ હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરીમાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોને ઉમળકાભેર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

સ્ટેડીયમ પેનલના હાલના ઉમેદવારો જેમાં સર્વશ્રી

  • ભાદાણી અશ્વિન રાઘવભાઇ
  • કોન્ટ્રાક્ટર કનૈયાભાઇ લાલભાઇ
  • દલાલ અનિલ ચંદ્રકાંત
  • દૈસાઇ ડો.નૈમેષ કિશોરચંદ્ર
  • દેસાઇ સી.એ. મયંક યશવંતરાય
  • ગજ્જર અમિત દિલીપભાઇ
  • જુનેજા અનિલ એન.
  • મદ્રાસી પ્રમોદ તુલજારામ (ખત્રી)
  • મહેતા મિતુલ શૈલેષભાઇ
  • મોદી સી.એ. હિતેન્દ્ર રાજેન્દ્ર (ગોટુ)
  • મુન્સી વિપુલ સુભાષચંદ્ર
  • પટેલ હિતેન્દ્ર દુલ્લભભાઇ (હિતેશ ભરથાણા)
  • પટેલ કિશોર ટી.
  • પટેલ મનિષ મગનભાઇ (એડવોકેટ)
  • પટેલ નિસર્ગ અંબુભાઇ (રણજી કેપ્ટન)
  • પટેલ સંજય રમેશભાઇ (સિટીલાઇટ)
  • સરાવગી રાકેશ ગોવિંદપ્રસાદ (લક્ષ્મીપતિ ગ્રુપ)
  • શાહ દિપ શૈલેષભાઇ
  • શાહ ધવલ ભરતકુમાર (છાંયડો)
  • શાહ રમેશ એસ. (એવરસાઇન માર્બલ)
  • ઉમરીગર હરીશ નાનુભાઇ
February 26, 2025
sumul-vnsgu-1280x854.jpeg
1min97

આજ રોજ તારીખ: 26.02.2025 ને બુધવાર ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ ખાતે “સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” નું ઉદ્ઘાટન ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ “અમુલ બફેલો મિલ્ક” ના ૧ લિટર અને ૬ લિટર પેકિંગમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ, સુમુલ ડેરીના BOD જયેશભાઇ દેલાડ, VNSGU કુલપતિ કિશોરસિંહ ચાવડા, VNSGU કુલસચિવ રમેશદાન ગઢવી, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત, તેમજ સુમુલ ડેરી અને VNSGU ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

“સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” શરૂ કરવામાં આવેલ છે, જેમા અમુલ-સુમુલના વિવિધ પ્રોડક્ટસ જેવા કે ડેરી પ્રોડક્ટસ, બેકરી પ્રોડક્ટસ, ખાખરા, ચોકલેટ્સ, ફ્રોઝન સ્નેક્સ તેમજ ફૂડ અને બેવરેજીસની વાઈડ રેન્જ ઉપલબ્ધ રહેશે. જેમ કે સેન્ડવીચીસ, પીઝા, મિલ્ક શેક, ચા-કોફી બનાવવામાં આવશે.

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કર્મચારીઓ, તેમજ યુનિર્વિસટીના વિઝિટ માટે આવતા વિઝિટર્સ, વાલીઓને હેલ્ધી અને શુદ્ધ ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ મળી રહે તે હેતુથી “સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” ચાલુ કરવામાં આવ્યું છે.

વધુમાં સુરતના માનવંતા ગ્રાહકોને વધુ ફેટ વાળું દૂધ મળી રહે એ હેતુથી સુમુલ ડેરી દ્વારા “અમુલ બફેલો મિલ્ક” (FAT 6.5%)” નું લોન્ચિંગ કરવામાં આવ્યું, જે પ્રતિ લિટર રૂ. 71.00 થી માર્કેટમાં ઉપ્લબ્ધ રહેશે.

February 13, 2025
CP-at-Textile-Market-1280x853.jpeg
1min107

फोस्टा द्वारा सूरत कपड़ा मार्केट में हेलमेट वितरण कार्यक्रम

आज दिनांक 13/02/2025,गुरुवार सुबह 10.00am को फोस्टा कार्यालय, मिलेनियम टेक्सटाइल मार्केट, रिंगरोड पर माननीय गृहराज्यमंत्री श्री हर्षभाई संघवीजी की प्रेरणा एवं DGP श्री विकास जी सहाय के मार्गदर्शन एवं सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपमसिंह जी गहलौत के निर्देशन से सूरत शहर में चल रहे ट्रेफिक जागरूकता अभियान के अंतर्गत , सूरत कपड़ा मार्केट के व्यापारियों एवं कर्मचारियों में सड़क सुरक्षा एवं ट्रैफिक नियमों के प्रति जागरूकता बढ़ाने हेतु आज फेडरेशन ऑफ सूरत ट्रेड एंड टेक्सटाइल एसोसिएशन (फोस्टा) एवं सूरत शहर ट्रैफिक पुलिस के संयुक्त प्रयास से ट्रैफिक अवेयरनेस प्रोग्राम एवं हेलमेट वितरण कार्यक्रम का आयोजन किया गया।

टेक्षटाइल मार्केट एरियामां करीब 50 हजार से ज्यादा व्यापारी एवं उनके स्टाफ को मिलाकर 2 लाख से ज्यादा लोगो में आज फोस्टा के कार्यक्रम से ये मेसेज पास हो गया है की दि.15 फरवरी से द्वी चक्री व्हीकल चलाने वाले एवं उनके पीछे बेठने वाले के लिए हेल्मेट पहनना आवश्यक है. समारोह के बाद हमारी टीमने टेक्षटाइल मार्केटोमां जाकर व्यापारीओ से पूछताछ की तब सभी के मूह से एक ही बात सूनने को मिली की फोस्टा ने बोला है तो हेल्मेट पहनना ही पडेगा. हम इस मुहिम में फोस्टा के साथ है.

कार्यक्रम के दौरान कपडा मार्केट के कुल 19 प्रतिष्ठित व्यापारिक संस्थानों के सहयोग से उपस्थित कर्मचारियों को लगभग 1350 हेलमेट वितरित किए गए। इस अवसर पर माननीय पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलौत साहेब विशेष रूप से उपस्थित रहे। साथ ही संयुक्त पुलिस आयुक्त (ट्रैफिक) श्री राघवेन्द्र वत्स साहेब, डीसीपी ट्रैफिक श्रीमती अनीता वानानी मेडम, डीसीपी जोन-2 श्री भागीरथ गढ़वी साहेब, एसीपी ट्रैफिक श्री वी.पी.गामित साहेब सहित अन्य पुलिस अधिकारी उपस्थित रही ।
पुलिस कमिश्नर श्री गहलौत साहेब ने सभी व्यापारियों और कर्मचारियों को हेलमेट पहनने और ट्रैफिक नियमों का पालन करने की अपील की। उन्होंने फोस्टा टीम एवं सहयोगी व्यापारियों द्वारा किए गए इस प्रयास की सराहना की और इस पहल को शहर में सड़क सुरक्षा को बढ़ावा देने का एक महत्वपूर्ण कदम बताया।

कार्यक्रम में भाग लेने वाले सभी व्यापारिक प्रतिष्ठानों एवं व्यापारियों को प्रशस्ति पत्र (सर्टिफिकेट) देकर सम्मानित किया गया।कार्यक्रम के पश्चात् साकेत संस्था द्वारा भोजन वितरित किया गया ।

फोस्टा द्वारा इस आयोजन का उद्देश्य सूरत शहर में ट्रैफिक नियमों के प्रति जागरूकता बढ़ाना और सड़क सुरक्षा को सुदृढ़ करना है। उम्मीद है कि यह प्रयास कपड़ा मार्केट के सभी व्यापारियों एवं कर्मचारियों के लिए ट्रैफिक सुरक्षा एवं नियमों के प्रति एक सकारात्मक संदेश देगा।

फोस्टा – आपके व्यवसाय और समाज की सुरक्षा के लिए प्रतिबद्ध

December 27, 2024
rotary1-1280x853.jpg
2min168

ઉમરગામ થી મહેમદાબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અમુક ભાગોના બનેલ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ની ૧૦૫ કલબોના ૧૬૦૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરીવાળી ડિસ્ટ્રિકટ કોન્ફરન્સ જોધપુર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ.

રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ અને ફર્સ્ટ લેડી નેહલબેન શાહના નેતૃત્વમાં આયોજિત થયેલી આ કોન્ફરન્સમાં રોટરી આંતરરાષ્ટ્રીય પ્રમુખના પ્રતિનિધિ તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અન્ય મહાનુભાવોમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજી (વાપી), ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર ડૉ. મનોજ દેસાઈ (બરોડા) ઉપરાંત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરશ્રીઓ નિહિર દવે (આણંદ), શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્રનગર), અનિષ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રુચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), જતીન ભટ્ટ (બરોડા), પરાગ શેઠ (ભરૂચ), દેવાંગભાઈ ઠાકોર (ભરૂચ), સુરેન્દ્રસિંહ રાજપૂત (સરીગામ), આશિષ રૉય (વાપી), આશિષ અજમેરા (ધુલિયા), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર (૨૦૨૭-૨૮)-આશિષ પટવારી (ધુલિયા) ઉપરાંત જેમણે પોતાની સમગ્ર સંપત્તિ રોટરીવાદને સમર્પિત કરી દીધી છે તેવા મેક્સિકોના લેડી રોટેરિયન ડેલ (DALE) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્દઘાટન સમારોહના ચીફ ગેસ્ટ દેવદત્ત પટનાયકે “માઈથોલોજી” વિષય પર મનનીય પ્રવચન પ્રસ્તુત કર્યું હતું.

ઇન્દોરના પ્રસિદ્ધ નાદયોગ ગુરુકુલના કલાકારોએ અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જયારે દેશના ટોચના વાંસળીવાદક તેજસ અને તબલાવાદક મિતાલીજીના સાનિધ્યમાં પ્રસ્તુત થયેલ કાર્યક્રમે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઉદ્દઘાટન સમારોહ બાદ પર્વતારોહક અજીત બજાજે તેમના અદ્વિતિય સાહસોની સનસનાટીભરી સાહસ કથા પ્રસ્તુત કરી હતી.

ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજીના જીવન અને કવન પર આધારિત વાતોને સૌ વધાવી લીધી હતી.

માનવતા માટે નાણાંનો અવિરત સ્ત્રોત વહેવડાવનાર રોટેરિયન મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અધિવેશનના બીજા દિવસે લેફટનન્ટ કર્નલ કે. જે. એસ. ધિલ્લોને “કહાની : ઝમીર અને ઝનૂન કી” વિષય પર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર મનોજભાઈ દેસાઈની સાથે રહીને રસપ્રદ પ્રશ્નોત્તરીના સથવારે સૌને અત્યાર સુધી નહિ ખબર હોય તેવી અનેક વાતોને પ્રસ્તુત કરી હતી.

વંદે ભારત ટ્રેનના પ્રેરણાસ્ત્રોત સમા સુધાંશુ મણિએ ઝુમના માધ્યમ દ્વારા “લીડરશીપ અને ઇનોવેશન” વિષય પર અસરકારક વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું.

આ અધિવેશનના મુખ્ય આકર્ષણ સમા કેરલના રાજ્યપાલ શ્રી આરિફ મહંમદ ખાને પોતાની વિધ્વત્તાભરી શૈલીમાં “જીવનના મૂલ્યો”ને સમજાવ્યા હતા અને દેશની નામાંકિત સંગીત કલાકાર સન્મુખા પ્રિયાએ અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને સૌને ડોલાવી દીધા હતા.

અધિવેશનના ત્રીજા દિવસે જાણીતા ડાયેટિશિયન જીનલ શાહે “આદર્શ જીવનશૈલી” વિષય પર અર્થસભર વાતો પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને માણસના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે કયા પ્રકારના ખોરાકો ખાવા જોઈએ અને કયા પ્રકારના ખોરાકો નહિ ખાવા જોઈએ તે વિષયે ઊંડાણથી સમજ આપી હતી.

હિંદી ફિલ્મ જગતના મહાન હાસ્ય કલાકાર રાકેશ બેદીએ “આપણા સૌના મૂળિયા” (Roots) વિષય પર સતત ૪૫ મિનિટ સુધી અકલ્પનિય પ્રવચન આપ્યું હતું.

રોટરીના મૂળભૂત સાત સિદ્ધાંતો અને તેના અસરકારક પાલનને કારણે સમાજને થઇ રહેલા ફાયદાઓ વિશે વિવિધ વિશેષજ્ઞોએ અર્થસભર વકતવ્યો પ્રસ્તુત કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર કમલ સંઘવી સહિત અન્ય મહાનુભાવોનો સમાવેશ થયો હતો.

આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે કોન્ફરન્સ ચેરમેન કેતન પટેલ (વાપી), કોન્ફરન્સ કો-ચેરમેનો શ્રીમતી રાનુબેન અજમેરા (ધુલિયા) અને ચિરાગ ગાંધી (સુરત), કોન્ફરન્સ સેક્રેટરી પંકજ શાહ (વડોદરા), રોટરી કલબ ઓફ સુરત તાપીના પ્રમુખ નિધી પચ્ચીગર (સુરત), ડિસ્ટ્રિકટ સેક્રેટરી રૂપલ દામાણી અને કોન્ફરન્સની સમગ્ર ટીમે નિષ્ઠાવાન પ્રયત્નો કરીને આ કોન્ફરન્સને સફળ બનાવી હતી.