સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, નેચરલ ડાયમંડ કાઉન્સિલ ઓફ ધ વર્લ્ડના સંયુક્ત ઉપક્રમે શહેરની અગ્રણી ડાયમંડ કંપની SRK દ્વારા Dt.20/5/2023 શનિવાર તા.20મી મેએ સુરતમાં નેશનલ સસ્ટેનેબિલિટી વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ આ કોન્કલેવમાં જોડાઇ રહ્યા છે, વૈશ્વિકસ્તરના એક્સપર્ટ નાનામાં નાના ધંધા, રોજગાર, ઉદ્યોગકારો કેવી રીતે સસ્ટેનેબિલિટી વિકસાવી શકે તે વિષય પર તેમને આખો દિવસની કોન્કલેવમાં માર્ગદર્શિત કરવામાં આવશે. ટૂંકમાં જે ઉધોગ, ધંધાર્થીઓ જ્યાં જેટલું જે પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ત્યાં તેટલું જ ભરપાઇ કેવી રીતે કરી શકે એનું નામ સસ્ટેનેબિલિટી.
સુરતમાં યોજાઇ રહેલી નેશનલ કોન્કલેવ ઓન સસ્ટેનેબિલિટી અંગે માહિતી આપતા SGCCI પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, એસ.આર.કે. SRKના જયંતિભાઇ નારોલા, શ્રેયાંશ ધોળકીયા, ગ્લોબલ નેટવર્ક ફોર નેટ ઝીરોને મહેશ રામાનૂજમ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણા ભોગે ઉદ્યોગો વિકસી રહ્યા છે, હવે પુર્નવિચાર કરવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણની જાળવણી માટે મનોમંથન નહીં પણ હવે યોગદાન આપવાનો સમય પાકી ગયો છે અને દરેક નાનામાં નાના ઉદ્યોગ, ધંધા, રોજગાર કે ઘરપરિવારના સભ્યો પર્યાવરણ જાળવણી માટે કેવી રીતે યોગદાન આપી શકે તે અંગેનું નોલેજ શેરીંગ જ સસ્ટેનેબિલિટી કોન્કલેવની મુખ્ય થીમ છે.
Dt.20/5/2023 શનિવારની આખો દિવસની કોન્કલેવમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ જોડાય રહ્યા છે. જેમને સસ્ટેનેબિલિટી ગ્લોબલ નેટવર્ખ ફોર નેટ ઝીરોના મહેશ રામાનુજમ, યુરોપિયન યુનિયનના ડેલિગેશન ટુ ઇન્ડિયાના કાઉન્સિલર કમિલા ક્રિસ્ટેનસેન રાય રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલના મેલાની ગ્રાન્ટ, મહિન્દ્રા હોલિડેઝના અરુણ નંદા, એચરએ હોટેલ્સના લક્ષ્યરાજ સિંહ મેવાડ, પ્રો. રજત મૂના, ડાયરેક્ટર-IIT- ગાંધીનગર; કાર્તિકેય સારાભાઈ, સ્થાપક અને નિયામક- સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE); પ્રશાંત તિવારી, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર- અમરા રાજા ગ્રુપ; અનિન્દ્ય ચૌધરી વગેરે અગ્રણીઓ પોતાની ટીપ્સ રજૂ કરશે.
GJEPC જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત 49મો ઇન્ડીયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ શો આજે રવિવાર તા.23મી એપ્રિલ 2023ના રોજ સાંજે ચાર કલાકથી મુંબઇની ગ્રાન્ડ હયાત હોટેલમાં શાનદાર રીતે ઉજવવામાં આવશે. આ એવોર્ડ સમારોહમાં જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં વિતેલા વર્ષ દરમિયાન નેત્રદિપક કામગીરી કરનાર કંપનીઓ, ફાયનાન્સીયલ સંસ્થાઓ, હીરા પેઢીઓનું જાહેર અભિવાદન કરવામાં આવશે. આ સમારોહમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કુલ 34 જેટલી હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે.
49th edition of India Gems and Jewellery Awards in Grand Hyatt on 23rd April from 4 pm onwards
The GJEPC established the India Gem & Jewellery Awards (IGJA) 49 years ago to honor leading exporters of gems and Jewellery. The selection criteria now include export performance, value addition, employment generation and investment in R&D among other parameters, during each financial year.
In recognition of the business excellence demonstrated by companies that are helping to strengthen ‘Brand India’, the GJEPC not only felicitates industry players for their exemplary performance, but also recognizes entities such as banks which play a key role in the growth of the sector.
Ernst & Young LLP, one of the world’s leading multinational professional services providers, is the Knowledge Partner for IGJA.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૧ માર્ચ ર૦ર૩ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલમાં ‘એસબીસી બિઝનેસ નેટવર્કીંગ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કી–નોટ સ્પીકર તરીકે લુથરા ગૃપના ચેરમેન ગિરિશ લુથરાએ લાયઝન થુ્ર નેટવર્કિંગ વિષે તથા નિષ્ણાંત વકતાઓ તરીકે વાપી–વલસાડના બીએનઆઇ (બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ)ના એકઝીકયુટીવ ડાયરેકટર આયુષ બંસલે પાવર ઓફ નેટવર્કિંગ વિષે, મર્જ ટેકનોલોજીસના ડાયરેકટર મનોજ અત્રીએ ટેકનોલોજી ઇન નેટવર્કિંગ ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વિષે, સંગિની ગૃપના મેનેજિંગ ડાયરેકટર આદર્શ પટેલે રિલેશનશિપ ઇન નેટવર્કિંગ અને આરસીઆઇ ઇન્સ્ટીટયુટના ઓનર રવિ છાવછરીયાએ પ્રોફેશનલ એપ્રોચ ટુ નેટવર્કિંગ વિષે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આજની દુનિયામાં એવું કહેવાય છે કે તમારું નેટવર્ક એ તમારી નેટવર્થ છે. નેટવર્કીંગના ઘણા ફાયદા છે. બિઝનેસમાં વ્યવસાયિકો વિચારોનું આદાન–પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પર આવે છે. આ પ્રવૃત્તિને કારણે તેઓનો એકબીજા પ્રત્યે આત્મવિશ્વાસ મજબુત થાય છે. સાથે જ એકબીજાના વ્યવસાયોને જાણવાની તક મળે છે અને પરસ્પર વ્યવહારના નવા રસ્તાઓ મળે છે. એસજીસીસીઆઈ બિઝનેસ કનેકટ એ ચેમ્બરના ૧૦પ૦૦ થી વધુ સભ્યોને વ્યવસાયિક રીતે જોડવાનું કામ કરે છે અને અંદરોઅંદર એકબીજાને બિઝનેસ અપાવવા માટે કામ કરે છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન એસબીસીના ૧પ૦ જેટલા સભ્યોએ એકબીજાને આશરે રૂપિયા ર૦ કરોડથી વધુનો બિઝનેસ અપાવ્યો હતો.
કી–નોટ સ્પીકર ગિરિશ લુથરાએ જણાવ્યું હતું કે, નેટવર્કીંગનો પ્રથમ નિયમ કનેકટ થવાનો છે. ઉદ્યોગ સાહસિકોએ સૌપ્રથમ પોતાને પોતાના બિઝનેસની સાથે કનેકટ કરવાનું છે. બિઝનેસમાં યોગ્ય વ્યકિતને ઓળખવાની સમજ કેળવવાની હોય છે અને આ સમજ કેળવવા માટે એકબીજાની સાથે કનેકટ થવાનું હોય છે. તેમણે ગર્વમેન્ટ લાયઝનીંગ વિષે ચર્ચા કરી હતી. નેટવર્કીંગનો બીજો નિયમ એટલે ટુવે (બંને તરફથી) વિષે જાણકારી આપી હતી. નેટવર્કીંગ માટે બંને તરફથી જોડાવવા માટે બેલેન્સીંગ એપ્રોચ રાખવો પડે છે. પ્રોફેશન, ફેમિલી, સોસાયટી અને લર્નીંગ માટે બેલેન્સ બનાવી રાખવું પડે છે.
સુરતમાં પર્સનલી કામ કરવાનું શીખવા મળે છે, પરંતુ અત્યારનો સમય પોતાની સાથે આખી ટીમને કનેકટ કરવાનો છે. નોલેજને સતત અપગ્રેડ કરતા રહેવાનો છે. તેમણે કહયું કે, સ્કૂલ–કોલેજમાં કોઇ ખાસને મેળવવા માટે જે ધગશથી કામ કરતા હતા તેને જીવનમાં કન્ટીન્યુ કરવાનું છે. બિઝનેસમાં ગ્રાહકોની સાથે સતત સંર્પકમાં રહેવું પડશે. બિઝનેસ નેટવર્કીંગમાં સમસ્યાઓ તો આવશે પણ યોગ્ય સ્ટ્રેટેજી અપનાવીને સમયસર એમાંથી બહાર નીકળવાનું રહેશે.
વકતા આયુષ બંસલે જણાવ્યું હતું કે, નેટવર્કીંગ એ ઓફિસની અંદરનું જીવન નથી એના માટે તમારે ઓફિસની બહાર નીકળવું પડશે. દિવસમાં કોઇને મળો છો તો તમારી ઓળખાણનો નાનો ડ્રાફટ બનાવીને એને વોટ્સએપ કરી દો, જેથી કરીને એને તમે યાદ રહી શકો. ડ્રાફટમાં પોતાના બિઝનેસની માર્કેટીંગ કરવાની નથી. બિઝનેસ નેટવર્કીંગમાં ગ્રાહકો પાસેથી બિઝનેસ મેળવવા માટે ધીરજ રાખવી પડશે. તેમણે કહયું કે, કયારેક જીવનમાં જે બાબત રૂપિયાથી નહીં થાય એ પ્રેમથી અને નેટવર્કીંગથી થઇ જાય છે.
વકતા મનોજ અત્રીએ જણાવ્યું હતું કે, નેટવર્કીંગની જુદી–જુદી વ્યાખ્યા છે. ફિઝીકલી વન ટુ વન નેટવર્કીંગની સાથે હવે કોમ્પ્યુટર નેટવર્કીંગ પણ જરૂરી બન્યું છે. ટેકનોલોજીને કારણે બિઝનેસ નેટવર્કીંગ હવે સોશિયલ મિડિયાના પ્લેટફોર્મથી પણ કરી શકાય છે. માર્કેટીંગ માટે ડેટાનો ઉપયોગ કરી શકાય છે. જો કે, ટેકનોલોજીની સાથે ટ્રેડિશનલ બિઝનેસને પણ સાથે લઇને ચાલવું પડશે. નેટવર્ક કયારેય પણ એક દિવસમાં કે એક મુલાકાતથી નથી બનતું એના માટે ગ્રાહકોની સાથે સતત સંપર્ક જાળવી રાખવો પડે છે. બિઝનેસમાં ગ્રોસ અને નેટ મળે છે ત્યારે નેટવર્કને વધારવા માટે એટલે કે ‘નેટ’ મેળવવા માટે ‘વર્ક’ કરવું જ પડશે. નેટવર્કીંગ માટે કોમ્યુનિકેશન સૌથી વધારે જરૂરી છે.
વકતા આદર્શ પટેલે જણાવ્યું હતું કે, બિઝનેસનું પ્લેટફોર્મ એક પ્રકારનો વિશ્વાસ કેળવી આપે છે પણ આગળ ગ્રોથ કરવા માટે વ્યકિતગત પ્રયાસ કરવો પડે છે. બીટુબીમાં લોકોને લાંબાગાળા માટે સપ્લાયર્સ જોતા હોય છે. ટેકનોલોજી એ બિઝનેસમાં સમયસર અપડેટીંગ કરાવે છે. કયારેક ગ્રાહકોની ફરિયાદો કારણે પ્રોડકટમાં સુધારો કરવાની તક મળે છે અને તેઓની સાથે વધુ કનેકટ થવાનો આધાર મળે છે. ટેકનોલોજીથી લીડ જનરેટ થાય છે પણ બિઝનેસ નેટવર્કીંગ માટે ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન તો પર્સનલી કરવા પડે છે.
વકતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે, બિઝનેસ નેટવર્કીંગમાં સરળ રહેવાની સાથે સાથે સમજદાર રહેવાની પણ જરૂર છે. નેટવર્કીંગ કોની સાથે કરવામાં આવી રહી છે તે બાબત પણ બિઝનેસના ગ્રોથ માટે ઘણી મહત્વની સાબિત થાય છે. આમ તો એજ્યુકેશન સર્વોપરી છે પણ નેટવર્કીંગ માટે સખત મહેનત કરવાની જરૂર હોય છે. બિઝનેસમાં ઉદ્યોગ સાહસિકો જ્યારે ૧૦૦ ટકા એફર્ટસ લગાવીને પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધે તો એ ચોકકસ સફળ થાય છે. ઘણા નોકરિયાતોએ વિવિધ ઉદ્યોગોમાં સાહસ કર્યું છે. બિઝનેસ નેટવર્કીંગમાં આજની યુવા પેઢીને આવકારવી જોઇએ. યુવાઓ એ ટેકનોલોજી તથા અન્ય બાબતોમાં ઘણા સારા સાબિત થઇ રહયાં છે. નેટવર્કીંગ માત્ર બિઝનેસ આપવા કે લેવા માટે નહીં પણ ટીમમાં નવા લોકોનો સમાવેશ કરી આખી ટીમને વિકસિત કરવા માટે પણ કરવું જોઇએ.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ નેટવર્કીંગ વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંકોચ છોડીને પોતાની વાત રજૂ કરવી અને પ્રેઝન્ટેશન સારી રીતે આપવું એ સારા નેટવર્કની સ્ટાઇલ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસબીસી થકી નેટવર્કીંગ માટે જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તે સમગ્ર દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે વર્ષ ર૦૧૮માં મારી ફાઉન્ડર ચેરમેનશિપમાં એસબીસીની શરૂઆત થઇ હતી અને અત્યાર સુધીમાં રૂપિયા ૪પ કરોડથી વધુનો બિઝનેસ સભ્યોએ અંદરોઅંદર એકબીજાને અપાવ્યો છે. કોન્કલેવ દરમ્યાન એસબીસી કમિટીના રપ જેટલા સભ્યોએ સ્ટોલ લગાવીને તેઓની પ્રોડકટ પ્રદર્શિત કરી હતી. આ કોન્કલેવમાં ૪૦૦ થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. તેમણે એસબીસીના વિઝન વિષે જણાવ્યું હતું કે, To become the most preferred Business enhancement platform for the members.
ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા ઉપસ્થિત રહયાં હતાં. એસબીસીના ચેરમેન એડવોકેટ પરેશ પારેખે એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ વિષે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ એ ચેમ્બર ઓફ કોમર્સનું એવું ફોરમ છે કે જ્યાં તેના સભ્યો દર પંદર દિવસે મિટીંગ કરી પ્રમોટ અને સપોર્ટની ભાવનાથી એકબીજાના ધંધાના વિકાસમાં સહભાગી બને છે.
એસબીસીના એડવાઇઝર તપન જરીવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કોન્કલેવના કો–ઓર્ડિનેટર સ્નેહા જરીવાલાએ કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. એસબીસી કમિટીના કો–ચેરમેન યોગેશ દરજી તથા સભ્યો હેમાલી શાહ, જૈમીન શેઠ, પિન્કી દેસાઇ અને ચાંદની દલાલે વકતાઓનો પરિચય આપ્યો હતો. આઇડીએફસી બેંકના સુરતના બ્રાંચ મેનેજર ગૌરવ સ્વામીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
એસબીસીના સભ્યો વિશાલ શાહ અને ડો. મનશાલી તિવારીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સવાલ–જવાબ સેશનમાં વકતાઓએ બિઝનેસ નેટવર્કીંગ સંબંધિત વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, પ્રાદેશિક કાર્યાલય સુરત દ્વારા ઇન્ડિયા ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ, વેસુ કેમ્પસ ખાતે એક્સપોર્ટ (નિકાસ) કોર્સની શરૂ કરવામાં આવેલા બીજા બેચને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. કુલ 25 ઉદ્યોગકારોની ક્ષમતા સામે 90 જેટલા ઉદ્યોગકારોએ નિકાસની સમગ્ર પ્રક્રિયા શીખવાડતા કોર્સમાં જોડાવા માટે એનરલોમેન્ટ કરાવ્યું છે.
જીજેઇપીસી સુરત સંચાલિત એક્ષ્પોર્ટ પ્રોસેસ કોર્સમાં નિકાસ કરવા માટેની તમામ માહિતી, ડોક્યુમેન્ટેશન, પ્રક્રિયા વગેરેની જાણકારી આપવામાં આવે છે. આ કોર્સ ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. નિકાસ કરવા પહેલા માર્કેટ સરવે, માર્કેટ રિસર્ચ, એક્ષ્પોર્ટ માર્કેટિંગ, દસ્તાવેજીકરણ, નીતિ અને લોજિસ્ટિક્સ સંબંધિત જ્ઞાન વહેંચવામાં આવશે. આ કોર્સ 25 ની મર્યાદિત બેઠકો માટે શરૂ કરવામાં આવ્યો હતો, જો કે GJEPC ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને કુલ 90+ સભ્યોએ કોર્સમાં તેમની નોંધણી કરાવી છે.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી આગામી તા. રપ/૦ર/ર૦ર૩ થી ર૭/૦ર/ર૦ર૩ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. એકઝીબીશનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે કામ કરતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષી ઉદ્યોગ માટે હબ બની ગયો છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાઇ રહયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦રરમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે, ખેડૂતોના સશકિતકરણથી નવા ભારતને મજબુત આધાર મળી રહયો છે. બિયારણથી લઇને બજાર સુધી દરેક ક્ષેત્રમાં ચારેય બાજુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ખેડૂત ભાઇ–બહેનોની સંકલ્પ શકિતનો પરિણામ છે કે ભારત દેશ હવે કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે. વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે ત્યારે ફૂડ એન્ડ એગ્રીટેક જેવા પ્રદર્શનો એક સીમાચિન્હ બની રહેશે. ચેમ્બર દ્વારા યોજાનારા આ પ્રદર્શનમાં બિયારણથી લઇને બજાર સુધીની શ્રૃંખલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન થકી કૃષી ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની સારી તક મળશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ફૂડનું ચલણ વધી રહયું છે ત્યારે કુદરતી રીતે લાકડાનો ઉપયોગ કરીને કાઢવામાં આવેલા તેલ (દા.ત. કચ્ચી ઘાણી તેલ)ને સ્પ્રે ફોર્મેટમાં પ્રથમ વખત ભારતમાં મિલિયર કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી રહયું છે અને એનું લોન્ચીંગ આ પ્રદર્શનમાં થવા જઇ રહયું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. રપ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સવારે ૦૯.૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેશન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં યોજાશે. જેમાં ઉદ્ઘાટક તરીકે ભારત સરકારના કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે અને ઉદ્ઘાટન કરશે.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા હાજર રહેશે. જ્યારે ડીઆઇટીપી/થાઇ ટ્રેડ સેન્ટર, મુંબઇના એકઝીકયુટીવ ડાયરેકટર સુપાત્રા સ્વાએન્ગશ્રી અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા– મુંબઇના કોન્સુલ જનરલ (ઇકોનોમિકસ) તોલ્હાહ ઉબૈદી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
થાઇ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
આ એકઝીબીશનમાં ‘થાઇ પેવેલિયન’ અલગથી ઉભું કરવામાં આવશે. જેમાં થાઇલેન્ડના ૪૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે. સાથે જ તેઓ થાઇલેન્ડ વીક રોડ શો – ર૦ર૩ નું પણ પ્રદર્શન કરશે.
શહેરીજનો એકજ સ્થળે ૬પ૦ થી વધુ વાનગીઓનો સ્વાદ માણી શકશે
ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે. બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ૧૧પ જેટલા એકઝીબીટર્સ ભાગ લઈ રહયાં છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૬પ૦ થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ્સ ર૦ર૩ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એના ભાગ રૂપે થીમ પેવેલિયન બનાવવામાં આવશે.
આ પ્રદર્શનમાં કૃષી ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.
જ્યારે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફૂડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફૂડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, એડીટીવ્ઝ એન્ડ ફલેવર્સ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફૂડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે ફૂડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફૂડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ / ટેકનોક્રેટ્સ, કન્સલ્ટન્ટ્સ એન્ડ એડવાઇઝર્સ, ફૂડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્સ એન્ડ ડિપ્લોમેટ્સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ફિઆસ્વીની ૪પ મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં ફિઆસ્વીના પ્રમુખ તરીકે મિહિર મહેતા અને વાઇસ ચેરપર્સન તરીકે સ્મીતા યેવલેની નિમણૂંક કરાઇ
ફિઆસ્વી (ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી)ની ગુરૂવાર, તા. ૧૬ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઓફલાઇન એન્ડ ઓનલાઇન ૪પ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં દેશભરમાંથી ૧૩૬ જેટલા સભ્યો જોડાયા હતા. આ સભામાં ફિઆસ્વીના ચેરમેન તરીકે ભરત ગાંધીની ફરીથી સર્વાનુમતે નિમણૂંક કરાઇ હતી. જ્યારે ફિઆસ્વીના પ્રમુખ તરીકે મિહિર મહેતા અને વાઇસ ચેરપર્સન તરીકે સ્મીતા યેવલેની નિમણૂંક કરવામાં આવી હતી.
ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ વાર્ષિક સાધારણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ફિઆસ્વીએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા અન્ય એસોસીએશનોની સાથે મળીને કેન્દ્રીય તથા રાજ્ય કક્ષાએ ઘણી રજૂઆતો કરી હતી. જેમાંથી કેટલીક રજૂઆતોનું હજી સુધી નિરાકરણ આવ્યું નથી. આ રજૂઆતો નીચે મુજબ છે.
– મલબરી રો સિલ્ક યાર્ન પરની કસ્ટમ ડયૂટીને ઘટાડીને ૧૦ ટકા કરવાની રજૂઆત કરી હતી. – એચએસએન કોડ પ૦૦૭ હેઠળ ઇમ્પોર્ટ થતા ફેબ્રિકસના વજન ઉપર ફલોર પ્રાઇઝ નકકી કરી કસ્ટમ ડયૂટી લગાવવા માટે રજૂઆત કરાઇ હતી. – વોર્પ નીટિંગના ઇમ્પોર્ટેડ મશીન ઉપરથી બેઝીક કસ્ટમ ડયૂટી હટાવવા માટે રજૂઆત કરાઇ હતી. – ચેપ્ટર ૬૦માં આવરી લેવાતા નીટેડ ફેબ્રિકસના આયાત ઉપર ઓછામાં ઓછી રૂપિયા ૧૦૦ પ્રતિ કિલો ફિકસ્ડ કસ્ટમ ડયૂટી લગાવવા મામલે રજૂઆત કરી હતી. – મોડર્ન વિવિંગ મશીનો કે જેના પર કસ્ટમ ડયૂટી એકઝમ્પ્શન તા. ૩૧ માર્ચ ર૦ર૩ સુધી છે તેની મુદત આગામી પાંચ વર્ષ માટે લંબાવવા રજૂઆત કરવામાં આવી હતી. – સિન્થેટિક યાર્નના આયાત ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડવા માટે રજૂઆત કરાઇ હતી. – ફિનીશ્ડ ફેબ્રિકના આયાત પર નોન ટેરિફ બેરિયર ખાસ કરીને વિયેતનામથી ઇમ્પોર્ટ થતા ફેબ્રિક ઉપર નોન ટેરિફ બેરિયર લગાવવા બાબતે રજૂઆત કરી હતી. – ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે મશીનરી મોર્ડનાઇઝેશન માટે નવી ઇન્સેન્ટીવ સ્કીમ ટીટીડીએસની માંગ કરવામાં આવી હતી, પરંતુ બજેટમાં એના સંદર્ભે કોઇ જોગવાઇ કે જાહેરાત કરવામાં આવી નથી.
જીજેઇપીસી દ્વારા આગામી એપ્રિલમાં સુરતમાં ઇન્ટરનેશનલ બાયર્સ-સેલર્સ મીટ યોજાશે
નાણાં મંત્રી નિર્મલા સીતારમને યુનિયન બજેટમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ અંગેનો કોલ આપતા જ સમગ્ર ભારતમાં લેબગ્રોન ડાયમંડના સૌથી મોટા ઉત્પાદક સુરતમાં લેબગ્રોન ડાયમંડ્સની ગતિવિધિઓ તેજ બની ગઇ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સુરત સ્થિત રિજિયોનલ ઓફિસ દ્વારા સુરતમાં આગામી તા.4 અને 5 એપ્રિલે લેબગ્રોન ડાયમંડના ટ્રેડિંગ માટે ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ સેલર્સ મીટનું આયોજન કર્યું છે.
વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયા, દિનેશ નાવડીયા, ગ્રીન લેબ્સના સ્મીત પટેલ, લેબગ્રોન એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણી, જયંતિ સાવલિયા અને રજત વાણીએ જણાવ્યું હતું કે સુરતમાં સમગ્ર ભારતના સૌથી વધુ કુત્રિમ હીરા, લેબગ્રોન ડાયમંડ (સીવીડી)નું ઉત્પાદન થાય છે. મહિને સુરતમાં પાંચ લાખ કેરેટ જેટલા જંગી પ્રમાણમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થઇ રહ્યું છે. લેબગ્રોન ડાયમંડ એફોર્ડેબલ ડાયમંડ ગણાય છે અને સમગ્ર વિશ્વમાં તેની માગ વધી છે આથી જીજેઇપીસી દ્વારા આગામી તા.4 અને 5 એપ્રિલે સુરતમાં લેબગ્રોન ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાયર્સ સેલર્સ મીટમાં હીરા વેચનારા તમામ સુરતના જ ઉત્પાદકો હશે જ્યારે ખરીદારોમાં 50 ટકા ખરીદારો ઓસ્ટ્રેલિયા, અમેરીકા, યુરોપ, મિડલ ઇસ્ટ જેવા દેશોમાંથી ખાસ સુરત તેડાવાશે. જ્યારે 50 ટકા ખરીદારો ભારતના જુદા જુદા શહેરોમાંથી સુરત આવશે અને તેમની સામે સુરતમાં જ ઉત્પાદિત થયેલા લેબગ્રોન ડાયમંડનું વ્યૂઇંગ થશે.
વધુમાં લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો ઇચ્છે તો હાલમાં તેઓ બાયર્સ સેલર્સ મીટમાં પોતાનું રજિસ્ટ્રેશન જીજેઇપીસીમાં કરાવી શકે છે.
જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માગુકીયાએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં લેબગ્રોન ડાયમંડસના ટ્રેડિંગ માટે સૌથી પ્રથમ વખત ઇન્ટરનેશનલ બાયર્સ સેલર્સ મીટ યોજાઇ રહી છે અને એ સુરત શહેરમાં યોજાઇ રહી છે. આ માટે હાલમાં ઘનિષ્ઠ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. વિદેશથી આવતા ખરીદારોને સુરતમાં બનેલા સારામાં સારા લેબગ્રોન રફ ડાયમંડ્સનો માલ જોવા અને ખરીદવા મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી
મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી હતી. જેમાં ભારતમાં ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગ સાથે અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર વધારવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત એ ભારતના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે, આથી એમએસએમઇમાં કલાયમેટ ચેન્જ અંગે અમેરિકાની કન્સલ્ટન્ટ કંપનીઓ માર્ગદર્શન આપી શકે તેમ છે. આ ઉપરાંત ભારતની કઇ કઇ પ્રોડકટ માટે અમેરિકામાં માર્કેટ છે તેની યાદી ચેમ્બરને આપવા તેમણે યુએસ કોન્સુલ જનરલને અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આગામી એપ્રિલ અને મે – ર૦ર૩ માં અમેરિકાના ડલાસ અને એટલાન્ટા શહેરમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરાયું છે. તેમણે અમેરિકાના સૌથી મોટા હોટેલ એસોસીએશન આહોઆએ સુરત ખાતે ઉદ્યોગકારો સાથે કરેલી મિટીંગ વિષે પણ માહિતી આપી હતી.
અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું હતું કે, અમેરિકા હવે ભારત સાથે આર્થિક અને સામાજિક સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધી રહયું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગ માટે બંને દેશો એકબીજાને કેવી રીતે મદદરૂપ થઇ શકે છે ? તેના માટે પ્રયાસો થઇ રહયાં છે. બિઝનેસ ડેવલપમેન્ટ, વ્યકિતગત સંપર્કો અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા તથા હયુમન ટ્રેઇનીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયાં છે. જેના ભાગ રૂપે તેઓ ભારતના જુદા–જુદા રાજ્યોમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરી રહયાં છે. અમેરિકામાં બિઝનેસ વધારવા માંગતા ઉદ્યોગકારોને તુરંત રિસ્પોન્સ આપવામાં આવે છે.
ઇકોનોમિક અને બિઝનેસ કલ્ચર ડેવલપ થાય તે રીતે યુએસ પોલિસી બનાવવામાં આવી છે. અન્ય દેશોના વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસાર્થે આવે તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત બિઝનેસ વીઝા, સ્ટુડન્ટ વીઝા અને મેરીટલ વીઝા ઉપર ફોકસ કરવામાં આવી રહયો છે. કલ્ચરલ કનેકશન માટે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લઇ રહયાં છે. ગુજરાતમાં વડોદરા અને હવે સુરતની મુલાકાત લીધી છે.
સુરત શહેર એ પ્રેકટીકલ બિઝનેસ કલ્ચર ધરાવે છે. અહીં કો–ઓપરેટીવ કલ્ચર જોવા મળ્યું છે. સુરતમાં મહિલા સાહસિકો જુદા–જુદા ઔદ્યોગિક સેકટરમાં તેઓનું યોગદાન આપી રહી છે. મહિલા સાહસિકોનું યોગદાન વધે તે હેતુથી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે અમેરિકાની કંપનીઓ દ્વારા ફાયનાન્સ પ્રોવાઇડ કરવામાં આવશે. અમેરિકામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો પોતાનો બિઝનેસ વધારી શકે તે દિશામાં ખાસ પ્રયાસ કરાશે. આ ઉપરાંત ઇલેકટ્રીકલ વ્હીકલ મોબિલિટી પ્લાન્ટના અમલીકરણ માટે પણ મદદ કરવા પ્રયાસ કરાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનતી ટેક્ષ્ટાઇલ અને જ્વેલરી પ્રોડકટ ડોમેસ્ટીક માર્કેટમાં વેચાઇ રહી છે પણ આ પ્રોડકટ્સ ગ્લોબલી માર્કેટને ધ્યાને લઇને બનાવી એક્ષ્પોર્ટ કરવામાં આવે. પશ્ચિમ બંગાળમાં કલાયમેટ ચેન્જ અંગે પેપ્સીકો કંપની દ્વારા બનાવવામાં આવેલો રિપોર્ટ તેઓ ચેમ્બર ઓફ કોમર્સને આપશે. સાથે જ અમેરિકાના માર્કેટ માટે ભારતીય પ્રોડકટની યાદી પણ તેઓ ચેમ્બરને આપશે. તેમણે કહયું કે, યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ માટે ચેમ્બર ઓફ કોમર્સના ટેક્ષ્ટાઇલ સંબંધિત સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે તાત્કાલિક અસરથી મુંબઇ સહિત દેશના અન્ય રાજ્યોમાં દૂધ બનાવટો પર ભાવ વધારો લાગૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હજુ ભાવ વધારાનો અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. તાજા દૂધ પર રૂ. 3/લિટર સુધીના વધારાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ સમાચાર આજે તા.3 ફેબ્રુઆરીએ ભારે વાઇરલ થયા છે. લોકોમાં એવી ચર્ચા છે કે હાલ મુંબઇમાં ભાવ વધાર્યા છે પણ ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ભાવ વધારાશે.
અમૂલ ગુજરાતમાં સૌથી મોટી ડેરી ગણાય છે અને અમૂલના ભાવ વધારા બાદ હવે ગુજરાતની નાની ડેરીઓ પણ પોતાના દૂધના ભાવ વધારશે અને સમગ્ર ગુજરાતની જનતાને હવે દૂધના ભાવોમાં તોતીંગ વધારો સહન કરવો પડે એ દિવસો દૂર નથી.
આ રિવિઝન પછી, અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા પ્રતિ 1 લિટર અને અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત હવે 70 રૂપિયા પ્રતિ લિટર થશે. ગુરુવારે એક નિવેદન.
અમૂલે છેલ્લે ઓક્ટોબરમાં તેના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
અમૂલ દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવો હવે આ મુજબ રહેશે
કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર
સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત, આ બાબતે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે આવકારદાયક : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા
2023
સુરત. ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ વર્ષ ર૦ર૩–ર૪ ના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સપ્તૠષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એમ્પ્લોયમેન્ટ, રેલ્વેઝ, ગ્રીન ગ્રોથ, યુથ પાવર, ફાયનાન્શીયલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૌથી વધારે ફોકસ ગ્રીન ગ્રોથ, યુથ પાવર અને સ્ટાર્ટ–અપ્સ પર કરવામાં આવ્યું છે. જેને કારણે રોજગારી વધશે.
નાણાં મંત્રી દ્વારા એમએસએમઇને રાહત થાય તેવી જાહેરાત કરાઇ છે. કોવિડના સમયમાં પ્રોજેકટ પૂર્ણ નહીં કરી શકનારી સરકારી કોન્ટ્રાકટ લેનારી એજન્સીઓ કે જેઓની સિકયોરિટી એનકેશ થઇ ગઇ હોય એવા એમએસએમઇ એકમોને ૯પ ટકા રિફંડ આપવાની જાહેરાત કરાઇ હતી. એમએસએમઇ સરકારી કોન્ટ્રાકટરો માટે વોલિએન્ટરી સેટલમેન્ટ સ્કીમની જાહેરાત કરાઇ હતી.
સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત કરાઇ છે, આથી આ સ્કીમ અંતર્ગત એમએસએમઇ ઉદ્યોગકારોને વાર્ષિક નવી રૂપિયા બે લાખ કરોડની લોન મળી શકશે. આ મામલે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી એમએસએમઇ સેક્રેટરીને સતત રજૂઆતો કરાઇ હતી.
એમએસએમઇ સપ્લાયર્સને પેમેન્ટ આપ્યા બાદ જ સંબંધિત રકમના ખર્ચ તરીકે ઇન્કમ ટેક્ષમાં બાદ મળશે. આ જાહેરાતને પગલે એમએસએમઇ ઉદ્યોગકારોને સમયસર પેમેન્ટ મેળવવામાં સરળતા થઇ રહેશે. આ ઉપરાંત ટફ સ્કીમ અંતર્ગત રૂપિયા ૯૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે એમએસઇસીડીપી સ્કીમ અંતર્ગત રૂપિયા ૧પ૦ કરોડની ફાળવણી કરાઇ છે.
હાલ લેબગ્રોન ડાયમંડ બનાવવા માટે સીડની આયાત કરવામાં આવે છે ત્યારે સીડનું ઉત્પાદન ભારતમાં થઇ શકે તે હેતુથી આઇઆઇટીને પાંચ વર્ષ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફંડ ફાળવવાની જાહેરાત કરાઇ હતી. તદુપરાંત સીડની આયાત ઉપર લાગતી કસ્ટમ ડયૂટી ઘટાડવાની જાહેરાત કરાઇ હતી.
યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ સ્ટાર્ટ–અપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એકિસલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે. નવા સ્થપાતા સ્ટાર્ટ–અપને આગામી દસ વર્ષ માટે ઇન્કમ ટેક્ષનો લાભ આપવામાં આવે છે ત્યારે નવા સ્ટાર્ટ–અપ્સ સ્થપાવવા માટેની સમય મર્યાદા એક વર્ષ માટે વધારવામાં આવી છે. કો–ઓપરેટીવ મોડલમાં મેન્યુફેકચરીંગ કરતી સોસાયટીને કોન્સ્ટન્ટ રેટ ઓફ ઇન્કમ ટેક્ષ ૧પ ટકા આપવાની જાહેરાત કરાઇ છે.
બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ સહકારી ક્ષેત્રે ખાંડ મંડળીઓની વર્ષો જૂની મુશ્કેલીનું નિરાકરણ આવ્યું છે. એસેસમેન્ટ ઇયર ર૦૧૬–૧૭ પહેલાં શેરડી ખરીદવા માટે થયેલા તમામ ખર્ચને ઇન્કમ ટેક્ષમાં ખર્ચ તરીકે ગણવામાં આવે તેવી જોગવાઇ કરાઇ છે. આવી રીતે રૂપિયા ૧૦ હજાર કરોડ જેટલી રાહત ખાંડ મંડળીઓને આપવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સૌથી વધુ મંડળીઓ આવેલી છે, ત્યારે ખાંડ મંડળીઓને ઘણી મોટી રાહત બજેટમાં કરાયેલી જાહેરાતથી થઇ છે.
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે રૂપિયા દસ લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે જીડીપી ગ્રોથમાં વધારો થશે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં પ૦ જેટલા નવા એરપોર્ટ ડેવલપ કરવામાં આવશે. જેમાં સુરત એરપોર્ટનો પણ સમાવેશ થાય એવી આશા છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટ પ્રોટેકશનમાં સુધારો લાવવા સસ્ટેનેબલ પ્રોજેકટ માટે ઇન્સેન્ટીવ આપવામાં આવશે. ગ્રીન એનર્જી અને ગ્રીન ક્રેડીટ પ્રોગ્રામ માટે જાહેરાત કરાઇ છે.
નેશનલ ફાયનાન્શીયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી બનાવવામાં આવી છે. જેના થકી ક્રેડીટ ફલોમાં સુધારો થઇ શકશે. બેટરી સ્ટોરેજ સિસ્ટમવાળા ચાર ગીગાવોટ સુધી સ્થપાતા રિન્યુએબલ એનર્જીવાળા પ્રોજેકટ માટે વાયાબિલિટી ગેપ ફંડીંગની જાહેરાત કરાઇ છે. પાનકાર્ડને કોમન બિઝનેસ આઇડેન્ટીફાયર બનાવવામાં આવ્યું છે. ડીનેચરલ ઇથાઇલ આલ્કોહોલની બેઝીક કસ્ટમ ડયૂટીમાંથી એકઝમ્પ્શન આપ્યું છે.
નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુકિત મર્યાદા વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે. કરદાતાઓને રૂપિયા ૩ લાખ સુધીની આવક પર કોઇ ટેક્ષ લાગશે નહીં. રૂપિયા ૩ થી ૬ લાખ સુધીની આવક પર કરદાતાઓને પ ટકા, રૂપિયા ૬ થી ૯ લાખ સુધીની આવક પર ૧૦ ટકા, રૂપિયા ૯ લાખથી ૧ર લાખ સુધીની આવક ઉપર ૧પ ટકા, રૂપિયા ૧ર થી ૧પ લાખ સુધીની આવક ઉપર ર૦ ટકા અને રૂપિયા ૧પ લાખથી વધુની આવક ઉપર ૩૦ ટકા ટેક્ષ લાગશે. ઇન્કમ ટેક્ષ રિબેટ વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.