CIA ALERT
06. May 2024
April 4, 20191min4140

Related Articles



સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ધારાસભ્યો પર દાવ, 7માંથી 5 બેઠક પર MLAને ઉતાર્યા કોંગ્રેસએ

Share On :
Print Friendly, PDF & Email
અમરેલીમાં ધાનાણી, સુરેન્દ્રગરમાં સોમા પટેલ, રાજકોટમાં કગથરા, પોરબંદરમાં વસોયા અને જૂનાગઢમાં પૂંજા વંશ મેદાનમાં, 
જો ઉમેદવાર લોકસભા ચૂંટણી જીતે તો વિધાનસભાની પેટાચૂંટણી આવે
લોકસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કેંગ્રેસ બન્ને માટે ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન બની રહી હતી. અલબત્ત, ભાજપે શરૂઆતી યાદીમાં જ 1પ ઉમેદવારોને રિપિટ કરતાં કેંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી મુશ્કેલ બની હતી. ફોર્મ ભરવાના આગલા દિવસ સુધી કેંગ્રેસ માટે ઉમેદવારોની કશ્મકશ ચાલી હતી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ પ્રદેશની સાત બેઠકમાંથી પાંચ બેઠક ઉપર કોંગ્રેસે પાંચ ધારાસભ્યોને લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે.
રાજકોટમાં ભાજપે મોહનભાઈ કુંડારીયાને રિપિટ કરતાં કેંગ્રેસ માટે આ મહત્ત્વની બેઠક ઉપર વજનદાર ઉમેદવારની મથામણ વધી હતી. કેંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક ઉપર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે. કેંગ્રેસે ભાજપના કડવા પટેલ ઉમેદવારને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાદી સમીકરણ ધ્યાનમાં રાખ્યું છે.
એવી જ રીતે પોરબંદર બેઠક માટે ભાજપને પણ મૂંઝવણ હતી. વિઠ્ઠલભાઈ રાદડિયા બિમાર હોવાથી યોગ્ય ઉમેદવારની શોધ લાંબો સમય ચાલી હતી અને અંતે આ બેઠક માટે ઓછા જાણીતા ચહેરા રમેશ ધડૂકને ભાજપે ટિકિટ આપી હતી. અલબત્ત, કેંગ્રેસે આ બેઠક ઉપર ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો ભાજપે કેટલાક દિવસો પહેલાં હૃદયરોગના નિષ્ણાત ડૉ.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ ફાળવ્યા બાદ કેંગ્રેસ કોને ટિકિટ આપશે, તેના ઉપર સૌની નજર હતી. શામજીભાઈ ચૌહાણનું નામ ચર્ચાતું હતું પણ તેમને કેંગ્રેસ તરફથી અન્યાય થતો હોવાનું જણાતાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે કેંગ્રેસે લીમડીના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર પંથકના કદાવર નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ટિકિટ આપી છે.
2017માં વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં ભાજપનો સફાયો થઈ ગયો હતો અને તમામ બેઠકો કોંગ્રેસે હસ્તગત કરી હતી. આ વખતે કેંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં ઉતાવળ કરી નથી અને સમજી વિચારીને ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જૂનાગઢ બેઠક માટે ભાજપનું કોકડું ગૂંચવાયેલું હતું પણ એ પહેલાં કેંગ્રેસે ઊનાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પૂંજાભાઈ વંશને લોકસભા ચૂંટણીના મેદાન-એ-જંગમાં ઉતાર્યા છે.
પાટીદાર સમીકરણની દ્રષ્ટિએ અમરેલીની બેઠક મહત્ત્વની છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું કેંગ્રેસમાં કદ વધી ગયું છે અને હાલમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પણ છે. ભાજપે અમરેલીમાં નારણભાઈ કાછડીયાને ટિકિટ આપ્યા બાદ કેંગ્રેસ મગનું નામ મરી પાડતો નહોતો. અંતે ગઈકાલે પરેશ ધાનાણીના નામની જાહેરાત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની સાતમાંથી પાંચ બેઠક ઉપર કેંગ્રેસે ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જો આમાંથી જે ઉમેદવાર જીતે તો નજીકના ભવિષ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી કરવી પડે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :