કિરણ મેડીકલ કોલેજને એમબીબીએસની 150 સીટ સાથે માન્યતા
આ વર્ષે 150 સીટ અને આવતા વર્ષથી એમબીબીએસની 200 સીટ પર ગુજરાત સરકાર એડમિશન ફાળવશે
રાજ્યમાં સૌથી વધુ બાયોલોજીના વિદ્યાર્થીઓ ધરાવતા સુરત શહેરમાં ચાલુ વર્ષથી જ ત્રીજી મેડીકલ કોલેજ શરૂ થઇ જશે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આજે સુરતના વરીયાવ ખાતે કિરણ મેડીકલ કોલેજને ફર્સ્ટ એમબીબીએસની 150 સીટ સાથે ચાલુ વર્ષથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની મંજૂરી આપી છે.
વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી તેમજ કિરણ મેડીકલ કોલેજના ડીન ડો.આર.ડી. પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રના આરોગ્ય વિભાગે આ વર્ષથી એમબીબીએસની 150 સીટ તેમજ આગામી વર્ષથી ફર્સ્ટ એમબીબીએસની 200 સીટની માન્યતા આપી છે. ગુજરાત સરકારની મેડીકલ એડમિશન કમિટીને પણ સૂચના આપી દેવામાં આવી છે કે સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન કમિટીમાં સુરતની ત્રીજી મેડીકલ કોલેજ તરીકે કિરણ હોસ્પિટલની 150 સીટો પર પ્રવેશાર્થીઓની ફાળવણી કરવામાં આવે. કિરણ મેડીકલ કોલેજમાં 150 સીટ પૈકી 75 ટકા સીટ સ્ટેટ ક્વોટા તેમજ 25 ટકા સીટમાં અનુક્રમે 10 ટકા મેનેજમેન્ટ ક્વોટા અને 15 ટકા સીટ એન.આર.આઇ. ક્વોટા તરીકે પ્રવેશ આપવામાં આવશે. મેડીકલ કોલેજની સાથે કિરણ હોસ્પિટલનું જોડાણ રહેશે. મેડીકલ કોલેજ વરીયાવ મુકામે ચાલશે તેમજ વિદ્યાર્થીઓ કિરણ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ તાલિમ મેળવશે. એમબીબીએસ અભ્યાસક્રમની સાથે આગામી વર્ષથી એમ.ડી. તેમજ એમ.એસ.ના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો પણ કિરણ મેડીકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે.
વધુમાં સુરત શહેરમાં સરકારી મેડીકલ કોલેજ, સ્મીમેર મેડીકલ કોલેજ પછી હવે ત્રીજી મેડીકલ કોલેજના સ્વરૂપમાં કિરણ મેડીકલ કોલેજ આગામી ઓગસ્ટ માસથી કાર્યરત થઇ જશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરતની ત્રણ, નવસારી, વલસાડ, ભરૂચ અને સેલવાસની એક-એક મળીને મેડીકલ કોલેજોની સંખ્યા 7ની થઇ ગઇ છે.
શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ દ્વારા આયોજીત APL-3 2023 HEAVY TENNIS BALL CRICKET TOURNAMENT યોજાઈ હતી જે તા. ૧૨/૦૩/૨૦૨૩ અને ૧૯/૦૩/૨૦૨૩ ના બે રવિવારે ટુર્નામેન્ટ રમાઈ હતી અઠવા પંચ યુવક મંડળ ના આમંત્રણ ને માન આપી આવેલ મોઢ વણિક સમાજ નું ગૌરવ ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી હાલ ના ધારા સભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ધી સુરત પીપલ્સ બેંક ના ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ અઠવા પંચ ના સ્થાપક પ્રમુખ અને ટેક્સટાઇલ જગત ના ભીસમહ પિતા કહેવાતા ભરતભાઇ ગાંધી તેમજ સુરતી મોઢ વણિક સમાજ ના પ્રમુખશ્રી શ્રીવાસભાઈ ઘીવાલા તત્કાલીન પ્રમુખશ્રી મનહરભાઈ લાપસીવાલા, માજી પ્રમુખશ્રી હસમુખભાઈ લાલવાલા સાથે ધર્મેશભાઈ તમાકુવાલા, સંજયભાઈ ગાંધી, જેન્તીભાઈ લાપસીવાલા, અનિલભાઈ દલાલ, મુકેશભાઈ વરિયાવા, અજયભાઈ મોદી તેમજ અઠવા પંચ ના પ્રમુખશ્રી નીતિનભાઈ ગાંધી તત્કાલિન પ્રમુખશ્રી ચેતનભાઈ કાપડિયા, યોગેશભાઈ પપૈયાવાળા, નાલિનભાઈ ગાંધી, દેવરાજભાઈ મોદી, તેજશભાઈ ગાંધી, મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી અમિષાબેન ગાંધી તત્કાલિન પ્રમુખ શ્રીમતી અનુરાધાબેન જરીવાલા તેમની ટીમ અને વોર્ડ નં . ૨૧ ના નગર સેવક શ્રીમતી ડિમ્પલબેન ચેતનભાઈ કાપડિયા તેમજ પાંડેસરા વિવર્સ ના પ્રમુખશ્રી અને sgcci ના તત્કાલીન પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતી પધાર્યા હતા
આ સર્વ મહેમાનો નો અઠવા પંચ યુવક મંડળ ના પ્રમુખશ્રી સંજયભાઈ અનાજ્વાળા સાથે યુવક મંડળ ની ટીમ ખૂબ ખૂબ આભાર માને છે કે તમે યુવક મંડળ ના આમંત્રને માન આપી પધારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ચાર ચાંદ લગાવી ટુર્નામેન્ટ સફર બનાવી સાથે આપના આશીર્વાદ અને આવનારા કાર્યક્રમ માં પણ આપનો સાથ સહકાર આવો જ મળતો રહે તેવી આશા સાથે ફરી એકવાર આપ સર્વે મોભીઓશ્રી, મહાનુભવોંશ્રી નો ખુબ ખુબ આભાર માણીયે છીએ..
આ સાથે જ અઠવાપંચ યુવક મંડળ જેના વગર આ ક્રિકેટ ટુર્નામેન્ટ APL-3 અધૂરી છે તેવા અમારા ક્રિકેટ ટીમ ના ઓનર્સ શ્રીઓ ભાવિનભાઈ બોઘાવાળા (MIVAAN 11) , સ્નેહલભાઈ મેહતા (SKYLINE SCORPION S), બંટીભાઈ સોપારીવાળા (JAY AMBEY 11), ભદ્રેશભાઈ કાપડિયા (DAY SEVEN 11) કુમારપાલ ગાંધી (GALAXY PANTHER) અજયભાઈ ચલિયાવાળા (TEAM AMBITION) પીયૂષભાઈ બેકાવાળા(KHUSHI FIGHTERS) વિરલભાઈ મોદી (MODI BAKERS) જીગર મોદી- યોગેશ ચરખાવાળા (YOGI-MODI WARRIOR’S) આ ૦૯ (નવ) ટીમ ઓનર્સ ટુર્નામેન્ટ ની આન-બાણ અને શાન છે જે આ ઓનર્સશ્રીઓ એ APL-3 AUCTION બાદ સમાજ ના ખેલાડીઓ સાથે મળી એક મહિનામાં જે મેહનત કરી તે આ ટુર્નામેન્ટ ના બે રવિવારે જોવા મળી છે અને સમાજ ના યુવા ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો સાથે એક બીજા સાથે જોડાયા ને એ જોઈ અઠવાપંચ યુવક મંડળ ગર્વ અનુભવે છે
સમાજ ને એક સાથે મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મ્યુઝિક મસ્તી હસી-ખુશી સાથે આનંદ માણ્યો તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ના દાતાશ્રીઓ અઠવા પંચ યુવક મંડળ નો એક સ્થંપ છે કે જેના વગર આ ટુર્નામેન્ટ શક્યજ નથી એવા અમારા વડીલશ્રી મોઢ વણિક સમાજ ના જાણીતા માનીતા માર્ગ દર્શક શ્રી ભરતભાઈ ગાંધી (BATSONS)ગ્રુપ ના કરતા ધરતા સાથે ધી સુરત પીપલ્સ બેંક ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ, ટ્રોફી આપનાર જાણીતા શ્રી પ્રવીણભાઈ ગાંધી, મનીષભાઈ દૂધવાળા (VRUNDAVAN DAIRY), ડો. અંકુરભાઈ ગાંધી-ડો. સ્નેહા પટેલ ગાંધી (JAHAAN WOMEN’S HOSPITAL), (SAI SPORTS GYM & SPORTS WEAR), PANDESARA WEAVER’S CO-OP SOCIETY LTD., વિરેનભાઈ ચોકસી (D. KHUSHALBHAI JEWELLER’S), નરેન્દ્રભાઈ કાબરાવાળા (PURVI INVESTMENT), મોંતુભાઈ બેકાવાળા(REY FASHION) અને વિરલભાઈ મોદી (MODI BAKERS) કે જેઓએ ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો કરતા આખી ટુર્નામેન્ટ ની દરેક મેચ માં જે ખેલાડી ઓએ વધારે સિક્સ માર્યા હોઈ, વધારે વિકેટ લીધી હોય,કે વધારે રન કર્યા હોય તે દરેક ખેલાડી ઓને રૂ.૫૦૦/- નું ગિફ્ટ વાઉચર આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારીયો હતો.
સાથે જ અઠવાપંચ યુવક મંડળના કમિટી સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધીએ ખુબજ સુંદર ફોટોગ્રાફીની સેવા આપી હતી ,અને સ્કોરર તરીકે શ્રી ચંદ્રેશભાઈ પાનવાલા અને પીનાકીનભાઈ ખાટીવાલાએ સેવા આપી હતી શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ આપ સર્વ મહાનુભવોશ્રી, દાતાશ્રી, ટીમ ઓનર્સશ્રી સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તેમજ APL-3 ટુર્નામેન્ટ ને સફર બનાવવા માટે યુવક મંડળ ના કમિટી સભ્યોશ્રીઓ નો પ્રમુખશ્રી સંજયભાઈ અનાજવાલા, તત્કાલીન પ્રમુખશ્રી મનીષભાઈ દૂધવાલા, ઉપપ્રમુખશ્રી વિમાલભાઈ બેકાવાલા, માનદ મંત્રીશ્રી આનંદભાઈ ગાંધી, સહ મંત્રીશ્રી રોમેશભાઈ પાનવાલા, ખજાનચી શ્રી વિપુલભાઈ ગાંધી, સહ ખજાનચી કેતનભાઈ પાનવાલા આપ સર્વ નો ખુબ ખુબ આભાર માણીયે છીએ…
તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ટોટલ ૧૨ મેચ રમવાની હતી હેવી ટેનિસ બોલ દ્વારા જેમાં દરેક ટીમ એ ૦૨ લીગ મેચ રમી એવરેજ મુજબ સેમિફાઇનલ માં એન્ટ્રી લેવાણી હતી સેમિફાઇનલ માં ચાર ટીમ આવી હતી જેમાં પહેલી સેમીફાઇનાલ MIVAAN 11 V/S GALAXY PANTHER વચ્ચે થઈ હતી જેમાં MIVAAN 11 વિજેતા થઈ ફાઇનલ માં આવી હતી બીજી સેમી ફાઇનલ DAY SEVEN 11 V/S YOGI- MODI WARRIORS જેમાં DAY SEVEN ના કેપ્ટન ચીમ્પુ લાપસીવાલાએ સેન્ચુરી મારી નોટ આઉટ રહી પોતાની ટીમને વિજય અપાવી ફાઇનલમાં પ્રવેશ્યા હતા ને ફાઇનલ મેચ MIVAAN 11સામે હારી RUNNER’S UP થયા અને MIVAAN 11 APL-3 2023 ચેમ્પિયન ટીમ બની હતી.
કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે તા.17 માર્ચ, 2023ના રોજ NATA 2023 તારીખો જાહેર કરી છે. આર્કિટેક્ચરના પહેલા વર્ષ પહેલા સેમેસ્ટર 2023ના બેચમાં પ્રવેશ ઇચ્છુકોએ નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે. ગયા વર્ષ 2022થી નાટા ત્રણ વખત લેવાનું શરૂ થયું છે. આ વર્ષે 2023માં પણ નાટા પરીક્ષા ત્રણ વખત લેવાશે.
2023ના વર્ષની પ્રથમ NATA પરીક્ષા તા.21 એપ્રિલ, 2023ના રોજ શેડ્યૂલ કરવામાં આવી છે. બીજી NATA 2023 પરીક્ષા 28 મે, 2023 ના રોજ લેવામાં આવશે, અને ત્રીજી NATA પરીક્ષા 09 જુલાઈ, 2023 ના રોજ લેવામાં આવશે. ત્રણેય પરીક્ષણો બે સત્રોમાં લેવામાં આવશે એટલે કે, સત્ર 1 સવારે 10 AM થી 1 PM દરમિયાન લેવામાં આવશે. અને સત્ર 2 બપોરે 2:30 PM થી 5:30 PM સુધી.
નાટા પ્રવેશ પરીક્ષા કુલ 200 માર્કસની લેવામાં આવે છે. જેમાં ક્વોલિફાય થવા માટે 200માંથી 50 માર્કસ લાવવા જરૂરી છે.
વેબસાઇટ અનુસાર NATA પરીક્ષા 2023 નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
The Council of Architecture has released a new NATA 2023 date on March 17, 2023. The National Aptitude Test in Architecture 2023 examination was earlier scheduled to be conducted on April 22, 2023, but in view of a public holiday on that date, the first NATA exam 2023 has been rescheduled to April 21, 2023.The examination dates have been announced for three tests and candidates who wish to appear for these tests can check the notification on the official website – nata.in. “It is hereby informed to all concerned that due to a public holiday on 22nd April 2023, the Council of Architecture has decided to conduct the First Test of NATA 2023 on Friday, 21st April 2023. The candidates applying for registration of NATA may kindly take note of the same,” reads the CoA notification.
The second NATA 2023 exam will be held on May 28, 2023, and the third NATA exam will be conducted on July 09, 2023. All three tests will be conducted in two sessions i.e., Session 1 will be held from 10 AM to 1 PM and Session 2 from 2:30 PM to 5:30 PM.
The NATA Exam 2023 registration process is expected to begin shortly as per the website.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર વેબસાઇટ – jeemain.nta.nic.in પર JEE મેઇન 2023 નોંધણી અને અરજી ફોર્મ બહાર પાડ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા JEE મેઇન 2023 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. JEE મેઇન 2023 રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2023 (રાત્રે 09:00 P.M. સુધી) છે.
JEE Main પરીક્ષાના સ્કોરથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ, ત્રિપલ આઇટી અને કેન્દ્ર સરકાર દ્વારા ફંડીંગ કરાતું હોય તેવી ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મળી શકે છે. આઇઆઇટીમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ બાદ જેઇઇ એડવાન્સ્ડમાં સ્કોર લાવવો ફરજિયાત છે.
આ વર્ષે, NTA એ નક્કી કર્યું છે કે જેઇઇ મેઇન 2023 બે સત્રો એટલે કે સત્ર 1 (જાન્યુઆરી 2023) અને સત્ર 2 (એપ્રિલ 2023)માં યોજાશે. JEE મુખ્ય સત્ર 1 જાન્યુઆરી 2023 માટેની વિગતો ઉમેદવારોના સંદર્ભ માટે નીચે આપવામાં આવી છે:
JEE Main 2023 Registration Begins
15 December 2022
JEE Main 2023 Application Form Submission Last Date
ઉચ્ચ શિક્ષણની હાટડી માંડીને બેઠેલા ધંધાદારી સંચાલકોને પ્રવેશાર્થીઓ કેવો ઝાટકો આપે છે એ જો જાણવું હોય તો સુરતમાં ભગવાન મહાવીર નામે પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલીને બેઠેલા સંચાલકોને પૂછવું પડે. એક સમયે જુદી જુદી કોલેજોમાં પ્રવેશાર્થી પાસેથી તોતિંગ ડોનેશન લઇને પ્રવેશ આપનારા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકોને આ વખતે ઇજનેરી અને હવે આર્કિટેક્ચરના પ્રવેશાર્થીઓએ જાકારો તો એવો આપ્યો છે કે સમખાવા પૂરતો એક પણ વિદ્યાર્થી મળ્યો નથી.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ બી.આર્ક.માં હાથ ધરેલી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પહેલો અને બીજો, આખરી રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ સુરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં કુલ 90માંથી 90 સીટ ખાલી પડી છે. ખુદ એડમિશન કમિટીના ડેટા દર્શાવી રહ્યા છે કે બી.આર્કિટેક્ચરમાં એક પણ પ્રવેશાર્થીએ ન તો પહેલા રાઉન્ડમાં ન તો બીજા રાઉન્ડમાં ભગવાન મહાવીર કોલેજમાં એડમિશન તો દૂરની વાત પણ પસંદગીના લિસ્ટમાં પણ નથી મૂકી. એક પણ વિદ્યાર્થીએ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજને ચોઇશ ફિલિંગમાં સામેલ કરી.
આ બાબત દર્શાવે છે કે ધંધાદારી સંચાલકો કે જેઓ વિદ્યાર્થીઓને સુવિધામાં વાઇફાઇ ફ્રી આપે છે પણ જ્યાં પ્રયોગ કરવાના હોય છે એ લેબોરેટરીના ઠેકાણા હોતા નથી, ફેકલ્ટીઓની યોગ્ય રીતે નિમણૂંકો કરતા નથી. ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવામાં પણ અખાડા કરવા માટે પંકાયેલા છે. જોકે, હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બાબતથી વાકેફ થવા માંડ્યા છે કે અન્ય કોઇપણ કોલેજ કે યુનિવર્સિટી ચાલે પણ ભગવાન મહાવીર તો નહીં જ, આ બાબત આર્કિટેક્ચર અને ઇજનેરી કોલેજને વિદ્યાર્થીઓએ આપેલા સખત જાકારા પરથી જણાયને રહે છે.
ગુજરાતમાં 2022 બી.આર્ક.ની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ કોલેજવાર ખાલી બેઠકોનું ચિત્ર
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી
રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.
વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.
હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓના ડેટા મેળવીને તેમને ફોન કરીને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો
ઉત્તર પ્રદેશમાં નોએડા પોલીસે સેક્ટર-63માંથી એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે દેશભરમાં બોગસ ડિગ્રીઓનું એક નેટવર્ક ચલાવી રહી હતી. આ ટોળકી 20થી 80 હજાર રૂપિયામાં MBA, MTech વગેરેની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા ડિગ્રી વેચી રહી હતી. તેઓ ગૂગલ પર બોગસ જાહેરાત આપીને લોકોને ફસાવવાનું કામ કરતા હતા.
પોલીસે આ કેસમાં પટનાના રહેવાસી આનંદ શેખર અને નોએડાના રહેવાસી ચિરાગ શર્માની ધરપકડ કરી છે. બંને પાસેથી વર્ષ 2000, 2002 સુધીની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા પણ મળી આવ્યા છે. ADCP સેન્ટ્રલ ઝોન સાદ મિયાંએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને સેક્ટર-63ની B-44 સ્થિત ઈમારતમાં નકલી માર્કશીટ, ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.
ત્યાર બાદ પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં બે આરોપીઓ આનંદ અને ચિરાગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમના પાસેથી 85 બોગસ માર્કશીટ, 7 ખાલી માર્કશીટ, 8 નકલી સ્ટેમ્પ, 33 મોબાઈલ ફોન, 14 કોમ્પ્યુટર અને 55 સિમકાર્ડ મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, નોએડા પહેલા બેંગલુરૂમાં પણ આ પ્રકારે ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો કરવામાં આવ્યો હતો. બેંગલુરૂ પોલીસે જાન્યુઆરી 2022માં આનંદની ધરપકડ કરી હતી. ત્યાંથી જામીન મળ્યા બાદ માર્ચ 2022માં તેણે નોએડા આવીને ફરી પોતાનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. તેણે પોતે 10 વર્ષથી આ પ્રકારે બોગસ માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા વેચવાનું કામ કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે.
આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ દ્વારા જાહેરાત કરતો હતો. તેના માટે પ્રતિ દિવસના હિસાબથી 5,000 રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવતી હતી. આ જાહેરાતોમાં તે ડિગ્રી અને ડિપ્લોમાની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો અને એક વખત ફોન આવે અથવા તો કોઈ જાહેરાત પર ક્લિક કરે એટલે તે પોતે જ તે લોકોનો સંપર્ક કરતો હતો અને તેમને ઠગાઈનો શિકાર બનાવતો હતો.
તે સિવાય તે કોચિંગ સંસ્થાઓ, કોલેજીસ વગેરે પાસેથી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની વિગતો એકઠી કરીને તેમને ફોન કરતો હતો અને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો. આ માટે તે પોતે વિદ્યા ભારતી ઈન્સ્ટિટ્યુટ અને એમ્પિરિયલ ઈન્સ્ટિટ્યુટનો સંચાલક હોવાનું જણાવતો હતો. જોકે વાસ્તવમાં આ નામના કોઈ ઈન્સ્ટિટ્યુટ જ નથી.
મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેશનલ લેવલની વેટરનરી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જેનો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે એ નીટ યુજી NEET UG પરીક્ષાનું પરીણામ આજે તા.7મી સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આજે બપોરે 12 કલાકે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ યુજીની વેબસાઇટ https://neet.nta.nic.in/ પર પરીણામ જાહેર કરવામાં આવશે. એવી જાહેરાત કરાયા બાદ દર વખતની જેમ એન.ટી.એ. દ્વારા પરીણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવતાં લાખો વિદ્યાર્થીો અને વાલીઓ મૂઝાયા છે.
જે રીતે આન્સર કી જાહેર કરવામાં દસથી બાર કલાકનો વિલંબ કરાયો હતો એવું જ નીટના રીઝલ્ટ જાહેર કરવામાં થઇ રહ્યું છે.
કુલ 18.79 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ યુજી 2022ની પરીક્ષા ગઇ તા.17મી જુલાઇ 2022ના રોજ આપી હતી. એ પછી દોઢ મહિને નીટનું પરીણામ જાહેર થઇ રહ્યું છે. તેમાં પણ આ પ્રકારે વિલંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂઝવણ અનુભવી રહ્યા છે. ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીણામની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.
આન્સર કી વખતે જ પરીણામ 7મી સપ્ટેમ્બરે જાહેર થશે તેવી ઘોષણા કરવામાં આવી હતી
ગુજરાતની મેડીકલ-પેરામેડીકલ કોર્સમાં ગયા વર્ષનું કટઓફ મેરીટ જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે.
નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.
ચોપરા (24)એ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં 89.08 મીટર અને રિપીટ 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તેઓ બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગઇ તા.24 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન લેવાયેલી જેઇઇ મેઇન્સ પેપર-1 ફેઝ-2 પરીક્ષાનું પરીણામ આજે રવિવાર, તા.8મી ઓગસ્ટે જાહેર કરી દીધું છે. જેઇઇ મેઇન્સ પરીક્ષામાં ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત પાત્ર બન્યા છે. જોકે, જેઇઇ મેઇન્સની બન્ને ફેઝની પરીક્ષાનો સ્કોર ભલે જાહેર થઇ ગયો હોય પરંતુ, જે વિદ્યાર્થીઓએ નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મેળવવો છે તેમણે હજુ એક મહિનો તો પ્રતિક્ષા કરવી જ પડશે. તા.11મી સપ્ટેમ્બરે સંભવતઃ જેઇઇ એડવાન્સ્ડનું પરીણામ જાહેર થશે. એ પછી પાંચ દિવસ જોસા સંસ્થા દ્વારા પ્રવેશ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાશે. એ પછી મેરીટ લિસ્ટ અને ત્યારબાદ પ્રવેશ ફાળવવામાં આવશે. એટલે હજુ એક મહિનાથી વધુ સમય નીકળી જશે.
જેઇઇ મેઇન્સની બન્ને ટ્રાયલના પરીણામની સાથે જ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક પણ આપી દીધા છે. આ વખતના કટઓફની વાત કરીએ તો ઓપન કેટેગરીને બાદ કરતા બાકીની તમામ કેટેગરીમાં છેલ્લા 4 વર્ષના કટઓફ કરતા આ વખતના કટઓફ સાવ નીચે આવ્યા છે. જાણકારો કહે છે કે આ વખતના વિદ્યાર્થીઓ ધો.11-12માં કોરોના પેન્ડેમિકને કારણે પ્રત્યક્ષ શિક્ષણ અસરકારક રીતે લઇ શક્યા ન હતા, તેની સીધી અસર પરીણામ પર જોવા મળી છે.
JEE Mainsના સ્કોરથી નીચે દર્શાવેલી સંસ્થાઓમાં પ્રવેશ મળી શકે, આઇઆઇટી માટે જેઇઇ એડવાન્સ્ડનું મેરીટ જરૂરી
આગામી તા.28મી ઓગસ્ટે લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન પણ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.