નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે. એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.
આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.
NMC એ મેડિકલ કોલેજ કૌભાંડો અંગે ચેતવણી આપી, વિદેશી MBBS માર્ગદર્શિકા સ્પષ્ટ કરી
વિદેશમાં MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓએ કઇ બાબતોની ચોક્સાઇપૂર્વક ચકાસણી કરવી જોઇએ તે અંગેની કોઇ માહિતી કોઇપણ સંસ્થા દ્વારા કે એજન્ટો દ્વારા આપવામાં આવતી નથી. શિક્ષણ સર્વદા, સુરત દ્વારા જ આવી બાબતોની જાણકારી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં પ્રકાશિત કરવામાં આવે છે.
નીટ યુજી 2025 પરીક્ષાનું પરીણામ જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વિદેશમાં એમબીબીએસ કરવા માટે પણ જુદા જુદા એજન્ટો સાથે વાટાઘાટો કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓએ ખાસ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની જાણકારી અત્રે આપવામાં આવી છે.
NMC ના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસન્સિયેટ (FMGL) રેગ્યુલેશન્સ, 2021 સ્પષ્ટપણે ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માટે લાયક બનવા માટે વિદેશી તબીબી શિક્ષણ માટેના ધોરણોને વ્યાખ્યાયિત કરે છે.
વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMG) ને કાયમી નોંધણી આપવામાં આવશે નહીં સિવાય કે તેઓ ઓછામાં ઓછા 12 મહિના માટે ભારતમાં દેખરેખ હેઠળ ઇન્ટર્નશિપમાંથી પસાર થાય. જો FMG પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ભારતમાં તબીબીની પ્રેક્ટિસ કરવા માટે નોંધણીમાંથી ગેરલાયક ઠેરવી શકાય છે.
ફોરેન મેડીકલ ગ્રેજ્યુએશન FMG માટે મુખ્ય આવશ્યકતાઓ:
a. એક જ સંસ્થામાં ઓછામાં ઓછા 54 મહિનાનું શિક્ષણ. (શિક્ષણ સર્વદા 98253 44944)
b. એક જ વિદેશી યુનિવર્સિટીમાં 12 મહિનાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે. (શિક્ષણ સર્વદા 98253 44944)
c. ક્લિનિકલ તાલીમ ભાગોમાં અથવા વિવિધ દેશોમાં ન કરવી જોઈએ. (શિક્ષણ સર્વદા 98253 44944)
d. શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ. (શિક્ષણ સર્વદા 98253 44944)
e. અનુસૂચિ I માં ઉલ્લેખિત ફરજિયાત વિષયોનો અભ્યાસ કર્યો છે. (શિક્ષણ સર્વદા 98253 44944)
The National Medical Commission (NMC) specifies mandatory subjects for the MBBS curriculum in Schedule I, which includes a broad range of subjects spanning the pre-clinical, para-clinical, and clinical phases of the course. These subjects are categorized into foundational, basic science, and clinical disciplines, ensuring a comprehensive medical education.
Foundational Subjects (First Year):
Anatomy: Structure and organization of the human body.
Physiology: Functioning of the human body’s systems.
Biochemistry: Chemical processes within the body.
Basic Science Subjects (Second Year):
Pathology: Study of diseases and their causes.
Microbiology: Study of microorganisms.
Pharmacology: Study of drugs and their effects.
Forensic Medicine: Study of legal aspects of medicine.
Community Medicine: Study of public health and health promotion.
Clinical Subjects (Third Year):
Medicine and Allied Subjects: Includes General Medicine, Psychiatry, Dermatology, and Respiratory Medicine.
Surgery and Allied Subjects: Includes General Surgery, Otorhinolaryngology (ENT), Ophthalmology, Orthopaedics, and Anesthesiology.
Obstetrics and Gynecology: Care during pregnancy and childbirth.
Pediatrics: Care of children.
Additional Subjects (Throughout the Course):
Forensic Medicine and Toxicology: Study of poisoning and related legal issues.
Community Medicine: Study of public health and health promotion.
Professional Development (AETCOM module): Emphasizes ethics, communication, and professional skills.
હવે સમજીએ ભારતમાં મેડીકલ એડમિશન લેતા પહેલા શેની કાળજી રાખવી.
NMC નેશનલ મેડીકલ કમિશને એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રવેશ પ્રક્રિયાઓમાં નેશનલ મેડીકલ કમિશન માન્ય કોલેજોમાં જ પ્રવેશ ફાળવવામાં આવે છે પણ જ્યારે વિદ્યાર્થીઓ બીજા રાજ્યોની સ્વતંત્ર મેડીકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાના હોય ત્યારે જ નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
દેશમાં મેડિકલ શિક્ષણ માટે નિયમનકારી સત્તામંડળ, નેશનલ મેડિકલ કમિશન (NMC), એ MBBS ઉમેદવારો અને તેમના માતાપિતાને ચેતવણી આપી છે કે તેઓ મેડિકલ કોલેજો અને ઓફશોર મેડિકલ કોર્ષમાં સરળ પ્રવેશનું વચન આપતી નકલી ઓફરોમાં ન ફસાય કે જે કોલેજો કાયદેસર રીતે મંજૂરીપાત્ર નથી.
NMC એ એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે.
NMC એ જણાવ્યું છે કે તેને દેશમાં જરૂરી મંજૂરીઓ વિના કાર્યરત અનધિકૃત મેડિકલ કોલેજોના કિસ્સાઓ મળ્યા છે. આ સંસ્થાઓ માન્યતાનો દાવો કરીને અને કાયદેસર રીતે મંજૂર ન હોય તેવા મેડિકલ કોર્ષમાં પ્રવેશ આપીને વિદ્યાર્થીઓ અને માતાપિતાને ગેરમાર્ગે દોરી રહી છે, એમ તેણે જણાવ્યું હતું.
“NMC ની મંજૂરી ફરજિયાત છે અને NMC ની સત્તાવાર વેબસાઇટ (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) પર સૂચિબદ્ધ મેડિકલ કોલેજો જ ભારતમાં MBBS અને અન્ય મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરવાની કાયદેસર રીતે પરવાનગી આપે છે. વેબસાઇટ પર સૂચિબદ્ધ ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને NMC ના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે,” NMC એ જણાવ્યું.
અયોગ્યતાનું જોખમ:
તબીબી સંસ્થાની કાયદેસરતા કેવી રીતે ચકાસવી
· મેડિકલ કોલેજ ચલાવવા માટે NMC ની મંજૂરી ફરજિયાત છે
· કાયદેસર રીતે માન્ય મેડિકલ કોલેજો તપાસવા માટે, (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) ની મુલાકાત લો
· સત્તાવાર યાદીમાં ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને NMC નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.
· ચકાસણી માટે સીધા NMC નો સંપર્ક કરો, ખાસ કરીને જો તમને માન્યતા પત્રો અથવા સીધા પ્રવેશ ઓફરો રજૂ કરવામાં આવે.
· ફક્ત કોલેજની વેબસાઇટ્સ કે જાહેરાતો પર આધાર રાખશો નહીં.
· નકલી ઓફરોમાં ફસાશો નહીં, કારણ કે કોઈ પણ કોલેજ NEET સિવાય પ્રવેશની ગેરંટી આપી શકતી નથી.
· કોઈપણ ચુકવણી કરતા પહેલા અથવા MBBS પ્રોગ્રામમાં પ્રવેશ મેળવતા પહેલા મંજૂરીઓ ચકાસો.
· શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ NMC ને ફોન પર કરો: 91-11-25367033 વેબસાઇટ: www.nmc.org.in
NMC warns of medical college scams, clarifies foreign MBBS guidelines
The NMC has issued an advisory, listing out important points that need to be kept in mind while taking admission in a medical course in India and the rules to be followed by the students who intend to pursue medical education in foreign countries
The National Medical Commission (NMC), the regulatory authority for medical education in the country, has warned MBBS aspirants and their parents not to fall for fake offers that promise easy admissions in medical colleges and offshore medical courses that are not legally sanctioned.
The NMC has issued an advisory, listing out important points that need to be kept in mind while taking admission in a medical course in India and the rules to be followed by the students who intend to pursue medical education in foreign countries.
In the advisory, the NMC said that it has come across instances of unauthorised medical colleges operating in the country, without requisite approvals. These institutions are misleading students and parents by claiming recognition and offering admissions in medical courses that are not legally sanctioned, it said.
“NMC approval is mandatory and only the medical colleges listed on the official website of NMC (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) are legally permitted to offer MBBS and other medical degree programs in India. Institutions that are not listed on the website are unauthorised and are violating NMC regulations,” NMC said.
What should students intending to pursue MBBS in foreign countries do?
The Foreign Medical Graduate Licentiate (FMGL) Regulations, 2021 of NMC clearly define standards for foreign medical education to become eligible to practice medicine in India.
Foreign Medical Graduates (FMG) will not be granted permanent registration unless they undergo a supervised internship in India for a minimum term of 12 months. In case FMGs fail to comply, then they could be disqualified from registration to practice medicine in India.
Key Requirements for FMGs:
a. Minimum 54 months of education in a single institution.
b. 12-month internship to be completed at the same foreign university.
c. Clinical training must not be done in parts or across different countries.
d. Medium of instruction must be English.
e. Studied the mandatory subjects specified in Schedule I.
Risk of disqualification:
· Students graduating from non-compliant medical institutions will be ineligible for licensing exams, i.e., FMGE in India.
· The onus of this disqualification lies solely with the student, as per the regulations of the Commission.
How to verify legitimacy of medical institution
· NMC approval to run a medical college is mandatory
· To check legally permitted medical colleges, visit (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/)
· Institutions not in the official list are unauthorised and are violating NMC regulations.
· Contact NMC directly for verification, especially if you’re presented with recognition letters or direct admission offers.
· Do not rely on college websites or advertisements alone.
· Do not fall for fake offers, as no college can guarantee admission outside of NEET
· Verify approvals before making any payments or committing to MBBS program
· Report suspicious activity to NMC at Phone: 91-11-25367033 Website: www.nmc.org.in
શિક્ષણ સર્વદા કરીયર કાઉન્સેલિંગ દ્વારા પણ વિદેશમાં ખાસ કરીને જ્યોર્જિયામાં એમબીબીએસ એડમિશનની કામગીરી કરી આપવામાં આવે છે
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરે સોમવારે (2 જૂન) JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટૉપ કર્યું છે. તેણે 360 માંથી 332 ગુણ મેળવ્યા છે, પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર રિઝલ્ટ જોઈ શકે છે.
રિઝલ્ટની સાથે જ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ 2025ની પરીક્ષા 18 મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં પેપર-1 અને પેપર-2 સામેલ હતા. વિદ્યાર્થીની રિસ્પૉન્સ શીટ 22 મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને 25મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ગણિતનું પેપર સૌથી અઘરૂ હતું. જોકે, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ એટલાં જ અઘરા હતાં. પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સિલિંગના માધ્યમથી પોતાની પસંદગીના IIT સંસ્થામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
JEE એડવાન્સમાં પરીક્ષામાં કુલ ગુણની (એગ્રીગેટ માર્ક્સ)ની ગણતરી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણના સરવાળાના આધારે ગણવામાં આવે છે. ઉમેદવારે રેન્ક યાદીમાં સામેલ થવા માટે માત્ર કુલ લઘુત્તમ લાયકાત ગુણ જ નહીં પરંતુ દરેક વિષયમાં લઘુત્તમ લાયકાત ગુણ પણ મેળવવાના રહેશે. આ પરીક્ષામાં મહત્તમ કુલ ગુણ 360 છે, જેમાં પેપર-1 અને પેપર-2 દરેકમાં 180 ગુણ છે. દરેક વિષય – ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મહત્તમ 120 ગુણ હોય છે, જેને પેપર-1 અને પેપર-2 દરેકમાં 60 ગુણમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
JoSAA Counselling 2025: 3/6/25 to 12/6/25
The Joint Entrance Examinations (JEE) Advanced results 2025 have been released on the official website, jeeadv.ac.in. Following the release of the result, the Joint Seat Allocation Authority (JoSAA) counselling will start tomorrow, on June 3, 2025, at 5 PM. All candidates who have qualified the JEE Advanced are eligible to participate in the seat allocation process for admission to Indian Institutes of Technology (IITs), National Institute of Technology (NITs), Indian Institutes of Information Technology (IIITs), and other Government Funded Technical Institutes (GFTIs).
The registration and choice-filling window will remain open till June 12, 2025, on the official website — josaa.nic.in. Candidates are required to complete the registration, fill in their preferred institute choices, and lock them before the deadline. On June 9, 2025, the mock seat allocation 1 list will be displayed based on the choices filled by the candidates. Mock seat allocation 2 list will be displayed on June 11, 2025.
JoSAA Counselling 2025: Steps to register Candidates can follow the steps mentioned here to apply for the JoSAA Counselling 2025:
Visit the official website: josaa.nic.in.
Click on the link for JoSAA Counselling 2025 registration. Enter JEE Main/Advanced credentials and complete the registration. Log in to your account and fill out the application form. Select and prioritize institute/course choices. Submit the form and download a copy for future reference.
Candidates must ensure all personal and academic details are accurately filled out during registration. Choice filling must be completed before the last date; preferences can influence seat allotment results.
Candidates are advised to stay in touch with the official website to get the complete details of the JoSAA counselling 2025.
ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.
જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.
જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.
રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.
રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.
USA President ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (F), વ્યવસાયિક (M) અને એક્સચેન્જ વિઝિટર (J) કેટેગરીમાં વિઝા ઈન્ટરવ્યૂની નવી અપોઈન્ટમેન્ટ પર રોક લગાવવામાં આવી છે. જેને પરીણામે સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી આગામી સપ્ટેમ્બર 2025 ઇન્ટેકમાં અમેરીકા ભણવા જવા માટેની પૂર્વતૈયારીઓ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને ભારે આઘાત લાગ્યો છે. સમગ્ર વિશ્વમાં આ સમાચાર દાવાનળની જેમ વાઇરલ થયા છે. આ વીઝા કેટેગરીને અનિશ્ચિત મુદત માટે હોલ્ટ પર મૂકી દેવામાં આવી છે. હવે ફોરેન સ્ટડીનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓએ અમેરીકાને બદલે કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે અન્ય યુરોપિયન દેશો તરફ નજર દોડાવવી પડશે.
આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની વ્યાપાક યોજનાનો હિસ્સો છે. પોલિટિકોના અહેવાલમાં અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયો દ્વારા સહી કરેલા એક દસ્તાવેજના આધારે આ દાવો કરાયો હતો. એમાં સ્પષ્ટ જણાવાયું છે કે તાત્કાલિક અસરથી જરૂરી સોશિયલ મીડિયા તપાસના વિસ્તરણની તૈયારી હેઠળ કોઈપણ નવા વિદ્યાર્થી એક એક્સચેન્જ વિઝિટર વિઝા ઈન્ટરવ્યૂની અપોઇન્ટમેન્ટ શિડ્યુલ ન કરવામાં આવે. એ પણ ત્યાં સુધી જ્યાં સુધી કોઈ નિર્દેશ ન આપવામાં આવે.
આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવાની તૈયારી કરી રહી છે. જોકે અમેરિકાએ હજુ સુધી જણાવ્યું નથી કે આ નવી તપાસ પ્રક્રિયા કયા ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલમાં જણાવાયું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી પગલાં અને યહૂદી વિરોધી કાર્યવાહી સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય તાજેતરના મહિનાઓમાં ઇઝરાયલ અને ગાઝા અંગે અમેરિકન કેમ્પસમાં થયેલા વિરોધ પ્રદર્શનોને પગલે લેવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના આજે સોમવાર (26 મે, 2025)થી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. જેમાં આગામી 10 જૂન, 2055ના રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે.
રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં 40 ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રાજ્યભરમાં મહેસૂલ તલાટી ભરતી માટે આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન થશે. ત્યારે અહીં જાણીશું કે મહેસૂલ તલાટી માટે પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે અને સંપૂર્ણ અભ્યાસક્રમ.
મહેસૂલ વિભાગમાં સીધી ભરતીના મહેસૂલી તલાટીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર, પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.)
લઘુતમ લાયકી ધોરણ
પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુતમ લાયકી ધોરણ પ્રશ્નપત્ર દીઠ 40 ટકા રાખવામાં આવ્યું છે.
પ્રાથમિક પરીક્ષા (MCQ આધારિત)
મહેસૂલ તલાટી ભરતી માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં ત્રણ કલાકના સમયમાં 200 માર્કનું પેપર લખવાનું રહેશે. 200 માર્ક વિષય પ્રમાણે વિભાજીત કોષ્ટકમાં દર્શાવ્યા છે.
વિષય માર્કસ ગુજરાતી 20 અંગ્રેજી 20 પોલીટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ 30 હીસ્ટ્રી, જીયોગ્રાફી, કલ્ચર હેરિટેઝ 30 એનવારમેન્ટ, સાયન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી 30 કરન્ટ અફેર્સ 30 મેત્થ્સ અને રિઝિઓનિંગ 40 કુલ 200
મુખ્ય પરીક્ષા પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભના જાહેરનામા મુજબ વર્ણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગતો Appendix-C મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે. મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે. જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે.
વિષય માર્ક્સ સમય ગુજરાતી ભાષા સ્કિલ 100 3 કલાક અંગ્રેજી ભાષા સ્કિલ 100 3 કલાક જનરલ સ્ટડિઝ 150 3 કલાક 350
ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતાં સમયે જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજી પત્રક કર્નફોર્મ થયેલી જાતિમાં પાછળથી ફેરફાર કરવાની કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં.આથે જો ઉમેદવારને અરજીપત્રકની કોઈ વિગતોમાં ફેરફાર કરવો હોય તો તેઓ એ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં સાચી વિગતો અને પુનઃ અરજી કરી કર્નફોર્મ નંબર મેળવી કર્નફોર્મ નંબર માટે નિયત ફી ભરવાની રહેશે.
ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવા પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે-તે તબક્કે રદ્દ ગણવામાં આવશે. અગત્યની સૂચનાઓ અંગે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું
કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે.
નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે.
જુલિયન વેબરે 91.06 મીટર ભાલા ફેંક્યો છે. તેણે પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાને પાછળ છોડી દીધો છે. જુલિયન વેબર માટે પણ આ કારકિર્દીનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન છે.
તા.13મી મે 2025ના રોજ સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના પરીણામો ઘોષિત કરવામાં આવ્યા. પરીણામો ઘોષિત કરાયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એ મૂંઝવણ ઉપસ્થિત થઇ છે કે સેન્ટ્રલ બોર્ડે રીઝલ્ટમાં માર્કસ અને પર્સન્ટેજ જાહેર કર્યા છે. જ્યારે ગુજરાતમાં એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ) દ્વારા એન્જિનિયરિંગ, ફાર્મસીનું મેરીટ તૈયાર કરવામાં આવે છે તેમાં પર્સન્ટાઇલ રેન્ક ગણવામાં આવે છે.
તો આવી મૂંઝવણ ફક્ત શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) દૂર કરી શકે છે. શિક્ષણ સર્વદા જણાવે છે કે દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ તેમજ અધર ધેન ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના કેટલા માર્કે કેટલા પર્સન્ટાઇલ થાય તેની અધિકૃત માહિતી ધરાવતુ કોષ્ટક સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે જેમાં હાઇએસ્ટ માર્કસથી લઇને લોએસ્ટ માર્ક સુધીના માર્ક પર કેટલા પર્સન્ટાઇલ થાય તે દર્શાવવામાં આવે છે.
અહીં અમે 2024માં માર્કસની સામે કેટલા પર્સન્ટાઇલ માર્ક ગણતરીમાં લેવામાં આવ્યા હતા તે ચાર્ટ જાણકારી માટે, વાલીઓ વિદ્યાર્થીઓને એક રેન્ડમ આઇડિયા મળે તે માટે પ્રસ્તુત કરી રહ્યા છે જેના આધારે અંદાજો આવી શકશે કે સેન્ટ્રલ બોર્ડમાં ધો.12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, ત્રણ વિષયોના થિયરીના કુલ માર્કસની સામે કેટલા પર્સન્ટાઇલ મેરીટની ગણતરીમાં ધ્યાનમાં લેવાશે.
ગુજરાતમાં એસીપીસી દ્વારા એન્જિનિયરિંગ એડમિશનમાં પીસીએમના કુલ પર્સન્ટાઇલના 50 ટકા અને ગુજકેટમાં કુલ પર્સન્ટાઇલના 50 ટકાનો સરવાળો કરીને મેરીટ તૈયાર કરવામાં આવે છે. મેરીટના આધારે મેરીટ રેન્ક આપવામાં આવે છે.
ઉપરોક્ત 2024ના ચાર્ટનો આધાર લઇએ તો કોઇ વિદ્યાર્થીના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયોમાં થિયરીમાં 190 માર્કસ આવ્યા હોય તો તેના થિયરી પર્સન્ટાઇલ 90.63 થાય છે, એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં મેરીટની ગણતરીમાં 90.63ના 50 ટકા એટલે કે 45.31 પીઆર ગણનામાં લેવાશે. જેમાં ગુજકેટના 50 ટકા ઉમેરીને મેરીટ બનાવવામાં આવે છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ગત ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરીણામ વેબસાઇટ મારફતે જાહેર કર્યું હતું. ગુજરાત રાજ્યનું ધો.10નું સરેરાશ પરીણામ 83.08 ટકા આવ્યુ હતું જ્યારે સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 86.20 ટકા આવ્યું હતું. 2025ની ધો.10ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી હાઇએસ્ટ પરીણામ 83.08 ટકા છે. ગયા વર્ષે 82 ટકા પરીણામ આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાંથી 746892 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 620532 વિદ્યાર્થીઓને આજે પાસ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
સમગ્ર રાજ્યમાંથી કૂલ 28055 વિદ્યાથીઓ 100 ટકાથી 91 પર્સન્ટાઇલ માર્ક એટલે કે એ-વન રેન્કમાં પરીણામ હાંસલ કરી શક્યા છે. સુરત શહેર જિલ્લામાથી 5393 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જો કે, હજુ સુધી નવા કેપ્ટન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રોહિત ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.
રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે, ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’
આ નિર્ણયની સાથે જ રોહિત શર્માએ 11 વર્ષના લાંબા ટેસ્ટ કરિયરનો અંત થઈ ગયો. રોહિત શર્માએ 67 ટેસ્ટ રમી, જેમાંથી 24 ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી. તેમણે 12 સદી અને 18 અડધી સદી સહિત 40.57ની સરેરાશથી કુલ 4301 રન બનાવ્યા. રોહિતે ટેસ્ટમાં 88 છગ્ગા અને 473 ચોગ્ગા લગાવ્યા.
રોહિત વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ નાગપુરમાં પોતાની ટેસ્ટ ડેબ્યૂ કરવાના હતા, પરંતુ તે મેચમાં ટોસ પહેલા તેને ઈજા થઈ હતી. ત્યારબાદ તેમનું ટેસ્ટ ડેબ્યૂ ત્રણ વર્ષ બાદ થયું. તેમણે વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ વર્ષ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર પોતાની ડેબ્યૂ ટેસ્ટ પર સદી બનાવી. મુંબઈમાં પોતાની આગામી ટેસ્ટમાં તેમણે વધુ એક સદી ફટકારી. ત્યારે, રોહિતે છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.