CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - CIA Live

June 23, 2025
image-14.png
4min44

પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ત્યારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થવાનું શરૂ થઇ ગયું છે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર અસર થઇ શકે છે. ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

રાઉન્ડ 14: આપે જંગી લીડ મેળવી, ગોપાલ ઇટાલિયા 12000 વોટથી આગળ

વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે. 12મા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 12000 મતોની જંગી લીડ મેળવી લીધી છે. આપે 50676 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 40042 અને કોંગ્રેસને 4133 વોટ મળ્યા છે. મત ગણતરી સ્થળ પર કાર્યકર્તાઓનો જમાવડો જામ્યો છે.

રાઉન્ડ 13: ગોપાલ ઇટાલિયા વિસાવદર ગઢ જીતશે, કડીમાં આપ નબળી પડી

13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.

રાઉન્ડ 12: કડીમાં આપે હાર સ્વીકારી, જાણો વિસાવદરની સ્થિતિ?

કડી-વિસાવદરની પેટા ચૂંટણીની મતગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતાં કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર સ્વીકારી છે, જ્યારે ભાજપ 27478 વોટથી આગળ છે. તો બીજી તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 7232થી આગળ છે. વિસાવદરમાં આપને 42450 વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 35218 અને કોંગ્રેસને 3855 મળ્યા છે.

રાઉન્ડ 10: કડીમાં ભાજપ આગળ, વિસાવદર આપ આગળ

દસમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 15,790 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 4181 મતોથી આગળ ચાલે છે

વિસાવદરમાં આપને 34781, ભાજપને 30600 જ્યારે કોંગ્રેસને માત્ર 3458 વોટ મળ્યા છે. કડીમાં 10માં રાઉન્ડના અંતે ભાજપ 15,790 મતથી આગળ

રાઉન્ડ 9: વિસાદરમાં આપનો દબદબો યથાવત, ગોપાલ ઇટાલિયા આગળ

વિસાવદરમાં 9 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઇ છે, છેલ્લા રાઉન્ડમાં આપ લીડ મેળવવામાં સફળતા મેળવી છે.

નવમા રાઉન્ડના અંતે ભાજપને 28310 વોટ, કોંગ્રેસને 3157 વોટ જ્યારે આપને 30788 મળ્યા છે.

નવમા રાઉન્ડના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2478 મતથી આગળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

રાઉન્ડ 8: વિસાવદરમાં બાજી પલટાઇ

વિસાવદરમાં આઠમા રાઉન્ડના અંતે આપ માટે રાહતના સમાચાર મળ્યા છે, સતત આગળ ચાલી રહેલા ભાજપને માત આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 702 મતોથીએ આગળ નીકળી ગયા છે.

રાઉન્ડ 7: જાણો કડી-વિસાવદરમાં ભાજપ-આપની સ્થિતિ?

સાતમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 13194 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 985 મતોથી આગળ ચાલે છે

કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 29870, કોંગ્રેસ 16675 અને આપને 891 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 22235, ભાજપને 23220 જ્યારે કોંગ્રેસને 2104 વોટ મળ્યા છે.

રાઉન્ડ 6: જાણો કડી-વિસાવદરની સ્થિતિ?

વિસાવદર-કડીમાં પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે.

છઠ્ઠા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 12,000 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 462 મતોથી આગળ ચાલે છે

કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 26005, કોંગ્રેસ 14047 અને આપને 795 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 19053, ભાજપને 19515 જ્યારે કોંગ્રેસને માત્ર 1800 વોટ મળ્યા છે.

રાઉન્ડ 5: વિસાવદરમાં સતત ઉથલ-પાથલ

વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ, જ્યારે કડીમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપે મજબૂત લીડ મેળવી છે.

વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપને 168881 વોટ મળ્યા, કડીમાં પાંચમા રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા 10,447 વોટથી આગળ છે.

વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયાને 15901 વોટ મળ્યા

રાઉન્ડ 4: કડી-વિસાવદરમાં શું છે સ્થિતિ?

કડીમાં ચોથા રાઉન્ડ બાદ પણ ભાજપને સતત લીડ, રાજેન્દ્ર ચાવડા 6811 વોટથી આગળ રહ્યા. જ્યારે વિસાવદરમાં પણ ભાજપે ચોથા રાઉન્ડમાં લીડ જાળવી રાખી.

રાઉન્ડ 3: કડી-વિસાવદરમાં ભાજપની મજબૂત સ્થિતિ

વિસાવદરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને રાહત સમાચાર મળ્યા છે.

વિસાવદરમાં ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ 150 મતથી ગોપાલ ઇટાલિયાને માત આપી આગળ નીકળી ગયા છે.

ત્રીજા રાઉન્ડમાં આપના ગોપાલ ઇટાલિયાન 150 મત પાછળ છે. જ્યારે કડીમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 5752 વોટથી આગળ છે.

રાઉન્ડ 2: જાણો ભાજપ-આપ અને કોંગ્રેસની સ્થિતિ?

બીજા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયને 7719 વોટ સાથે લીડ

ભાજપના કિરીટ પટેલ 6788 વોટ સાથે બીજા ક્રમે

જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર ચાવડા 8232 વોટ સાથે બીજા રાઉન્ડમાં આગળ, કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા કરતા બમણી લીડ

પ્રથમ રાઉન્ડના અંતે શું છે સ્થિતિ?

પ્રથમ રાઉન્ડના અંતે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર 4233 વોટથી આગ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા 2691 વોટ સાથે બીજા ક્રમે. જ્યારે વિસાવદરમાં પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 4042 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ 3097 વોટ સાથે બીજા ક્રમે છે. આ આંકડા ચૂંટણીપંચે જાહેર કર્યા હતા.

ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 54.61 ટકા અને 54.49 ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા છે.

June 19, 2025
kadi-visavadar.png
1min71

19 જૂન આજે ગુરૂવારે વહેલી સવારથી રાજ્યની બે વિધાનસભા બેઠકો માટે યોજાઇ રહેલી પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આરંભના પ્રથમ કલાકમાં વરસાદી માહોલને કારણે મતદાન શુષ્ક રહ્યું હતું.

કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થતાં જ ત્રણેય રાજકીય પાર્ટીઓના કાર્યકરોમાં ઉત્તેજના જોવા મળી હતી તેટલી ઉતેજના મતદારોમાં જોવા મળી નથી.

વિસાવદરની પેટાચૂંટણી માટે એક તરફ આમ આદમી પાર્ટી (AAP) એ બે મહિના અગાઉ જ ઉમેદવાર જાહેર કરીને પ્રચાર શરૂ કરી દીધો હતો. જ્યારે ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કર્યા હતા. આ પેટાચૂંટણીમાં મુખ્યત્વે જંગ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું મનાઇ રહ્યું છે, પરંતુ કોંગ્રેસની ભૂમિકા પણ અતિમહત્ત્વની છે.

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખુબ જ ચર્ચામાં છે. જ્યાં ત્રણેય પાર્ટીઓના પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિકોણિય જંગ છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણી માટે રાજનૈતિક પાર્ટીઓના ઉમેદવારોએ નામાંકન દાખલ કરી દીધુ છે. ગાંધીનગર પાસે આવેલી કડી વિધાનસભા સીટ પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડા ચૂંટણી મેદાનમાં છે. એસસી રિઝર્વ સીટ પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં વર્તમાન ધારાસભ્ય કરસનભાઈ પૂંજાભાઈ સોલંકીના નિધનથી કડી બેઠક ખાલી થઈ, જ્યારે ભૂપેન્દ્રભાઈના રાજીનામા બાદ વિસાવદર બેઠક ખાલી થઈ હતી. ચૂંટણી આયોગે આ બંને સીટો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી 2 જૂનના રોજ કરી હતી.

23 જૂને મતગણતરી થશે

19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.

June 2, 2025
bjplogo.png
1min59

ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કડી વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પાટીદાર મતોનું પ્રભુત્વ હોઈ રાજકીય પાર્ટીઓ આ બેઠક પર પાટીદાર કાર્ડ ખેલવા જઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી સાથે પત્તુ ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ભુપત ભાયાણીને ટિકિટ આપવામાં ન આવતા રાજકીય અટકળોનું બજાર તેજ બન્યું છે. ભુપત ભાયાણી, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓનું પત્તુ કપાયું છે.વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામ પર સસ્પેન્સ યથાવત રહ્યું છે.

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે ભાજપે પસંદગીનો કળશ રાજેન્દ્ર ચાવડા પર ઢોળ્યો છે.

May 29, 2025
election_voting.jpg
1min56

ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર

  • 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે.
  • 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે.
  • 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે
  • 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
  • 22 જૂને મતદાન યોજાશે.
  • 25 જૂને મતગણતરી હાથ ધરાશે.

ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણી માટે અંતિમ મતદાન 78.30 ટકા હતું, જેમાં 1.81 કરોડ લાયક મતદારોમાંથી 1.42 કરોડથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 47,000 થી વધુ પંચાયત વોર્ડમાં સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો અને સભ્યો પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.

April 13, 2025
image-8.png
1min108

તમિલનાડુની ડીએમકે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઇને 10 બિલોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર જ સત્તાવાર રીતે કાયદા તરીકે અમલ કરી દીધો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ લેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કોઇ રાજ્યએ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની દખલ વગર જ બિલોને કાયદાનું સ્વરૂપ માનીને લાગુ કર્યા છે.

વિપક્ષ આ ફેરફારોને રાજ્ય સરકારની સ્વાયતત્તા અને દેશના સંઘીય ઢાંચાની જીત તરીકે જોઇ રહ્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા જે પણ બિલોનો અમલ કરવામાં આવ્યો છે તે વર્ષ 2023થી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હતા. આ બિલોમાં મોટાભાગનાને વિધાનસભા દ્વારા બે વખત પસાર કરવામાં આવ્યા હોવા છતા તેને મંજૂરી નહોતી મળી તેથી તમિલનાડુ સરકારે અંતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં તેની જીત થઇ હતી. સુપ્રીમ કોર્ટે આઠ એપ્રીલના રોજ આપેલા ચુકાદામાં બિલોને દબાવી રાખવાના રાજ્યપાલના નિર્ણયને મનમાનીભર્યો ગણાવીને તેને રદ કર્યો હતો.

સુપ્રીમના આ ચુકાદાને આધાર બનાવીને હવે તમિલનાડુની ડીએમકે સરકારે કહ્યું છે કે બિલોને બીજી વખત પસાર કરીને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમનો ચુકાદો આ બિલોને મંજૂરી મળી ગઇ છે તે રીતે લઇને તેને કાયદાના સ્વરૂપમાં અમલ કરવામાં આવી રહ્યો છે. જે પણ બિલોને લઇને રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં તમિલનાડુ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2022, તમિલનાડુ ફિશરિઝ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2020, ડો. આંબેડકર યુનિ. કાયદામાં સુધારો 2022 વગેરે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા 10 બિલોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એવુ જોવા મળ્યું કે આ નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેના અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

બંધારણીય જોગવાઇ મુજબ વિધાનસભામાં પસાર બિલોને રાજ્યપાલ પાસે મોકલાય છે. રાજ્યપાલ તેને મંજૂર કરે, અસ્વીકાર કરે અથવા સુધારા માટે પરત મોકલી શકે છે. પરંતુ જો વિધાનસભા પરત મોકલાયેલા બિલને ફરી પસાર કરે અને પછી રાજ્યપાલ પાસે મોકલે તો રાજ્યપાલ પછી આવા બિલોને રાષ્ટ્રપતિ પાસે ફરી વિચારણા માટે ના મોકલી શકે. તેમણે ફરજિયાત તેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

February 20, 2025
Rekha-Gupta.png
1min103

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલાં જ રેખા ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસે રેખા ગુપ્તાના ઘર પર ચાર પોલીસ કર્મી, બેક સાઇડ પર ચાર પોલીસ કર્મી અને બે કમાન્ડો સાથે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી બનતાં જ તેમને આ સુરક્ષા આપવામાં આવશે.

December 27, 2024
bjplogo.png
1min179

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ૨૦૧૮-૧૯માં ભાજપને રૃ. ૭૪૦ કરોડ અને કોંગ્રેસને રૃ. ૧૪૬ કરોડ નું દાન મળ્યું હતું
કોંગ્રેસને રૃ. ૨૮૧ કરોડનું દાન મળ્યું ઃ ચૂંટણી પંચ

દેશના શાસક પક્ષ ભાજપને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૬૦૪.૭૪ કરોડ રૃપિયાનું દાન પ્રાપ્ત થયું છે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને ૨૮૧.૩૮ કરોડ રૃપિયા દાનમાં મળ્યા છે તેમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

ડોનેશનના આ આંકડા એક એપ્રિલ, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભાજપને ૭૪૦ કરોડ રૃપિયા દાનમાં મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને ૧૪૬ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.

ભાજપ અને કોંગ્રેસ બંનેને સૌથી વધારે ડોનેશન પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળ્યું છે. જેણે ભાજપને ૭૨૩ કરોડ રૃપિયા અને કોંગ્રેસને ૧૫૬ કરોડ રૃપિયા આપ્યા છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ૨૦૨૩-૨૪માં ભાજપને લગભગ ૩૩ ટકા અને કોંગ્રેસને ૫૦ ટકાથી વધુ દાનની રકમ પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આપી હતી.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા દાનની રકમમાં ઇલેકટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા નાણાંનો સમાવેશ થતો નથી.

માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ આમ આદમી પાર્ટી (આપ)ને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧.૦૬ કરોડ રૃપિયાનું દાન મળ્યું છે. અન્ય રાષ્ટ્રીય પક્ષ સીપીઆઇ-એમને ૭.૬૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.

ઉત્તર પૂર્વના એક માત્ર માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને દાનમાં ૧૪.૮૫ લાખ રૃપિયા મળ્યા છે.

કોંગ્રેસને ૧.૩૮ લાખ રૃપિયાની એવી દાનની રકમ પ્રાપ્ત થઇ છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે સી વેણુગોપાલ અને દિગ્વિજય સિંહ સહિતના ટોચના નેતાઓ પાસેથી મળેલ દાન પણ સામેલ છે.

December 5, 2024
fadanvis.jpg
1min129

મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે શપથગ્રહણ કરશે, રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે જ્યારે આ વિશેષ સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. 2014માં પહેલી વખત મુખ્ય પ્રધાન બનેલા દેવેન્દ્ર ફડણવીસે પાંચ વર્ષની પૂરી મુદત સરકાર ચલાવી હતી. 2019માં તેઓ ફક્ત ત્રણ દિવસ માટે મુખ્ય પ્રધાન બન્યા હતા.

અજિત પવાર સહિત બે નાયબ મુખ્ય પ્રધાન પણ આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. વિદાયમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે કે નહીં તેની હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફડણવીસે એમ જણાવ્યું હતું કે તેમણે શિંદેને સરકારમાં જોડાવા માટે વિનંતી કરી છે. શિંદેએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાંથી કોણ નાયબ મુખ્ય પ્રધાન બનશે તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

મહાયુતિના ઘટક પક્ષોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા રાજભવન પર પહોંચ્યું હતું અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

આ પહેલાં વિધાનભવનમાં ભાજપના વિધાનસભ્યોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કેન્દ્રીય નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનમંડળ પક્ષના અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ભાજપના નેતા ચંદ્રકાંત પાટિલે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ ફડણવીસ ભાજપ વિધાનમંડળ પક્ષના નેતા ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી.

અન્ય કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ડબલ એન્જિનની સરકાર વિકાસને ગતિ આપશે. ફડણવીસે ભાજપના વિધાનસભ્યોનો તેમનામાં વિશ્ર્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ભાજપના 40,000 સમર્થકો અને 2,000 વીવીઆઈપીઓ માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે 4,000 પોલીસ જવાનોને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે, જેમાં 520 અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એસઆરપીએફ, ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ), રાયટ ક્ધટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટ ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડને પણ ફરજ પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે ટ્રાફિક પોલીસના 280 જવાનો ખડેપગે ફરજ બજાવશે. રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક દ્વારા આ સમારંભની આમંત્રણ પત્રિકાઓ વિતરિત કરવામાં આવી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામમાં પહેલાં માતા સરિતા અને પછી પિતા ગંગાધર લખવામાં આવ્યું હતું. આમ દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસના મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણનું આમંત્રણ અપાયું છે.

December 4, 2024
maharastra-politics.png
1min149

મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ બધાની વચ્ચે હજી સુધી રાજ્યના આગામી મુખ્ય પ્રધાનના નામને લઈને સસ્પેન્સ અકબંધ છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે એવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ સસ્પેન્સનો બુધવારે અંત આવશે. બુધવારે 04/12/24 સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે.

મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન ભાજપના જ હશે એમાં હવે કોઈ શંકા નથી. ભાજપના વિધિમંડળ પક્ષના નેતા હજી સુધી નક્કી કરવામાં આવ્યા નથી. આ બધી બાબતોને કારણે વિપક્ષની થઈ રહેલી ટીકાથી કંટાળેલા ભાજપે મંગળવારે બે કેન્દ્રીય નિરીક્ષકોને મુંબઈ મોકલ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે મુંબઈ આવી પહોંચ્યા હતા.

આ બંને કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં બુધવારે 04/12/24 ભાજપના વિધિમંડળ પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના બધા જ વિધાનસભ્યો હાજર રહેશે અને તેઓ પોતાના નેતાને ચૂંટી કાઢશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પર કેન્દ્રીય નિરીક્ષકો નજર રાખશે અને ભાજપ વિધિમંડળ પક્ષની પસંદગી અંગે તેઓ કેન્દ્રીય નેતૃત્વને જાણકારી આપશે. આને પગલે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે. આ બધું સાંજ પહેલાં પૂરી થવાની અપેક્ષા છે અને તેથી જ સાંજ સુધીમાં આગામી મુખ્ય પ્રધાનનું નામ જાહેર થતાં 10 દિવસથી ચાલી રહેલી રાજ્યના લોકોની ઈંતેજારીનો અંત આવશે.

November 26, 2024
nirbhayasuprem.png
1min132

સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. તેમજ ફટકાર લગાવી હતી કે, ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે ઈવીએમ સાથે ચેડાં થઈ જાય છે. અને જીતો તો કોઈ ફરિયાદ કરતાં નથી.’

ખ્રિસ્તી ધર્મના પ્રચારક તથા પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતાં કે.એ પોલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકતંત્રની રક્ષા માટે ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી. અરજદારે કહ્યું કે, ‘આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો હતો કે, ઈવીએમને હેક કરી શકાય છે. ઈલોન મસ્કે પણ ઈવીએમ હેક થતુ હોવાનો દાવો કર્યો હતો.’

સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, ‘જ્યારે ચંદ્રબાબુ નાયડૂ કે રેડ્ડી હારી જાય છે, તો તેઓ ઈવીએમ સાથે ચેડાં થયા હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે જીતે છે, ત્યારે કઈ કહેતા નથી. અમે આવુ બેવડું વલણ કેવી રીતે ચલાવી લઈએ? આ અરજીને અમે રદ કરીએ છીએ.’ જસ્ટિસ નાથે જણાવ્યું કે, ‘આ એ સ્થળ નથી કે, જ્યાં તમે વિવાદ કરી શકો.’

અરજીમાં બેલેટ પેપરથી મતદાન કરવા ઉપરાંત અનેક દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ કરાઈ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ કે અન્ય ભૌતિક સાધનોની લાંચ આપતો ઝડપાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે.

અરજદાર કે.એ. પોલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, ‘આ એક PIL છે. હું એવા સંગઠનનો અધ્યક્ષ છું કે, જે 3 લાખથી વધુ અનાથો અને 40 લાખ વિધવાઓની મદદ કરે છે. બેન્ચે આ મુદ્દે ફટકાર લગાવ્યો કે, ‘તો તમે રાજકારણમાં કેમ ઉતર્યા છો? તમારૂ કાર્યક્ષેત્ર તદ્દન અલગ છે.’

પોલ દ્વારા બીજી દલીલ કરવામાં આવી કે, ‘તે 150થી વધુ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે, જ્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. ભારતે પણ તેનું અનુસરણ કરવુ જોઈએ. દેશના 32 ટકા શિક્ષિત લોકો મતદાન કરતાં નથી, તે આપણા દેશની વિડંબના દર્શાવે છે.’તો બેન્ચે સામો સવાલ કર્યો કે, કેમ તમે વિશ્વ કરતાં અલગ દેખાવા માગતા નથી.