દેશની સૌથી મોટી સ્કૂલ પરીક્ષા સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની આંતરિક વ્યવસ્થા અને હાલમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પરીક્ષાઓના મેનેજમેન્ટ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં આવી રહેલી ટેકનિકલ તેમજ વ્યવહારિક ખામીઓ અંગે જવાબદારી નક્કી કરવા માટે સરકારે CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.
અધ્યક્ષ અને સચિવને પદ પરથી હટાવવાની સાથે જ સરકારે CBSE દ્વારા ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ ખરીદી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. ક્ષમતા નિર્માણ આયોગ (Capacity Building Commission)ના ચેરપર્સન એસ. રાધા ચૌહાણને આ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સરકારી આદેશ અનુસાર, સમિતિના અધ્યક્ષ જરૂર પડ્યે અન્ય વિભાગો અને કચેરીઓના અધિકારીઓની મદદ પણ લઈ શકશે, જ્યારે કેપેસિટી બિલ્ડિંગ કમિટી દ્વારા તેમને સચિવાલય સહાય પૂરી પાડવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ તપાસ સમિતિને પોતાનો વિસ્તૃત રિપોર્ટ ૧ મહિનાની અંદર કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) ને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ, મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ટેન્ડરની પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા હતા. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા પણ પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારના આ કડક પગલાંને CBSE ની કામગીરીમાં જવાબદારી અને પારદર્શિતા નક્કી કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સુરતના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ભયંકર ટક્કર બાદ એક બસ પલટી મારી જતા તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટના સ્થળેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક ટક્કર વાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે. હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. આવી સ્થિતિમાં પાછળ ચાલતી બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયત્ન કરતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડીવાઈડર કૂદી સામે આવતી અન્ય બસ સાથે ભયંકર રીતે ટકરાઈ હતી.
ગમખ્વાર અકસ્માતમાં એક બસ CNG હોવાથી ટક્કર બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6થી વધુ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રભાવશાળી દેખાવ કરતાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું, આ સાથે જ RCBએ વર્ષ 2025 બાદ 2026માં પણ IPL ટાઈટલ પોતાને નામ કર્યું, મહત્વનું છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને 155 રન પર રોકી દીધું હતું, જે બાદ RCBએ 156 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો અને બીજી વાર IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું.
વર્ષ 2025માં ટાઇટલ જીત્યા બાદ 2025માં પણ એજ અમદાવાદના મેદાનમાં ટ્રોફી પોતાના નામે કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બે વાર ચેમ્પિયન બનવાનો અદભુત રેકોર્ડ સ્થાપ્યો. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવીને RCB હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગઈ, જેમણે અગાઉ 2010-11 અને 2019-20માં બેક-ટુ-બેક ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
IPL 2026 ફાઈનલ મેચ અપડેટ્સ
વિરાટ કોહલી (Virat Kohli): તેઓ ફાઈનલ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ (Player of the Match) બન્યા.
કાગીસો રબાડા (Kagiso Rabada): સીઝનમાં સૌથી વધુ 29 વિકેટ ઝડપવા બદલ તેને ‘પર્પલ કેપ’ (Purple Cap) મળી છે.
પંજાબ કિંગ્સ (Punjab Kings): આ ટીમને ‘ફેરપ્લે એવોર્ડ’ (Fairplay Award) મળ્યો છે.
મનીષ પાંડે (Manish Pandey): બેકવર્ડ પોઇન્ટ પર ટિમ ડેવિડનો શાનદાર કેચ પકડવા બદલ તેને ‘કેચ ઓફ ધ સીઝન’ (Catch of the Season) નો એવોર્ડ મળ્યો છે.
મોહમ્મદ સિરાજ (Mohammed Siraj): આ સીઝનમાં સૌથી વધુ 172 ડોટ બોલ ફેંકવા બદલ તેને ખાસ એવોર્ડ મળ્યો છે.
સાઈ સુદર્શન (Sai Sudharsan): આ સીઝનમાં સૌથી વધુ 75 ચોગ્ગા (fours) મારવા બદલ તેને એવોર્ડ મળ્યો છે.
વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)ની સિદ્ધિઓ
-તે આખી સીઝનનો ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (MVP) બન્યો છે. -તેને સીઝનમાં સૌથી વધુ 776 રન બનાવવા બદલ ‘ઓરેન્જ કેપ’ (Orange Cap) મળી છે. -તેને ‘ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન’, ‘સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન’ (સ્ટ્રાઇક રેટ: 237.3) અને સૌથી વધુ 72 સિક્સર મારવા બદલ ‘સુપર સિક્સિસ ઓફ ધ સીઝન’ ના એવોર્ડ પણ મળ્યા છે.
સતત IPL ટાઇટલ જીતનાર ટીમો
CSK – 2010 અને 2011
MI – 2019 અને 2020
RCB – 2025 અને 2026
એકથી વધુ વખત IPL ટાઇટલ જીતનાર
5 – MI
5 – CSK
3 – KKR
2 – RCB
એક જ મેદાન પર બે IPL ફાઇનલ જીતનાર
MI – કોલકાતા (2013, 2015)
MI – હૈદરાબાદ (2017, 2019)
KKR – ચેન્નઈ (2012, 2024)
RCB – અમદાવાદ (2025, 2026)
2011માં વર્તમાન પ્લેઓફ ફોર્મેટની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની 16 IPL ફાઇનલમાંથી 13 વખત Qualifier 1ની વિજેતા ટીમ ફાઇનલ જીતી છે, જેમાં છેલ્લી સતત 9 ફાઇનલનો પણ સમાવેશ થાય છે.
IPL 2026 ટૂંકમાં…..
ક સીઝનમાં સૌથી વધુ રન: 27450
એક સીઝનમાં સૌથી વધુ રન/વિકેટ (એવરેજ): 31.26
એક સીઝનમાં સૌથી ઊંચો RPO (રન રેટ): 9.88
એક સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા: 2332
એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા: 1426
સૌથી વધુ વ્યક્તિગત સદી: 15
200-પ્લસના સૌથી વધુ ટોટલ: 65
200-પ્લસના સૌથી વધુ સફળ ચેઝ: 17
CSK, MI બાદ RCBનું ખાસ યાદીમાં સ્થાન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026નો ખિતાબ જીતી લીધો છે. RCB સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મેચમાં આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે કચડી નાખ્યું. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા, જેના જવાબમાં RCBએ 18મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો. વિરાટ કોહલીએ અણનમ 75 રનની ઇનિંગ રમી હતી.
IPLના ઇતિહાસમાં RCB એવી માત્ર ત્રીજી ટીમ બની ગઈ છે, જેણે સતત 2 સીઝન આઈપીએલની ટ્રોફી જીતી હોય. ચેન્નાઈ સુપર કિંગ્સે 2010-2011 અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે 2019-2020માં સતત 2 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. હવે બેંગલુરુએ 2025 પછી 2026નો ખિતાબ પણ જીતીને આ ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
પાંચમી વિકેટ: 14મી ઓવરના છેલ્લા બોલ પર 132 રનના સ્કોર પર RCBની પાંચમી વિકેટ પડી. અરશદ ખાને ટીમ ડેવિડ 17 બોલમાં 24 રન બનાવીને આઉટ કર્યો
કોહલીની શાનદાર ફિફ્ટી: વિરાટ કોહલીએ ફાઈનલમાં વિરાટ ઈનિંગ રમતા 25 બોલમાં 52 રન ફટકાર્યા, આ સાથે વિરાટે આઈપીએલ ઈતિહાસના પોતાના રેકોર્ડમાં સૌથી ઝડપી પચાસ રન કર્યા, આ પહેલા 26 બોલમાં ફિફ્ટીનો રેકોર્ડ હતો.
ત્રીજી અને ચોથી વિકેટ: રાશિદ ખાને પોતાની પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી, પહેલા રજત પાટીદારને 15 રને બાદમાં કૃણાલ પંડયાને 1 રને આઉટ કર્યો
બીજી વિકેટ: છઠ્ઠી ઓવરમાં સિરાજ પછી કગિસો રબાડાએ RCBને બીજો ઝટકો આપ્યો. દેવદત્ત પડિક્કલ ચાર બોલમાં એક રન બનાવીને આઉટ થયો. આ સાથે જ હવે પર્પલ કેપ રબાડાના નામે થઈ ગઈ છે. આ તેની 29મી વિકેટ હતી. પાવર પ્લેમાં 6 ઓવર પછી RCBનો સ્કોર 2 વિકેટે 70 રન છે.
RCB તરફથી ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ વેંકટેશ ઐયરે તરખાટ મચાવ્યો, કાગિસો રબાડાની પહેલી જ ઓવર ખૂબ મોંઘી સાબિત થઈ. વેંકટેશ અય્યરે તેમની ઓવરમાં 18 રન ફટકાર્યા. 3 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. તે ખેલાડી ઈજાગ્રસ્ત છે, તેમ છતાં તે ચોગ્ગા-છગ્ગામાં જ વાત કરી રહ્યો છે, બીજી તરફ રબાડાની બીજી ઓવરમાં કોહલીએ ચાર બોલમાં 4,4,6,4 રન ફટકારી ઓવરમાં 19 રન લીધા.
ગુજરાતના 20 ઓવરમાં 155 રન
ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સના બેટરો કોઈ કાઠું કાઢી શક્યા નહીં, હોમ ગ્રાઉન્ડ મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ માત્ર 20 ઓવરમાં 155 રન જ બનાવી શકી, સુંદરે 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા, જ્યારે ગિલ 10 રન, સાઈ 12 રન તો બટલરે માત્ર 19 રન બનાવ્યા, RCB માટે રાસીખ સલામ ડારે ત્રણ વિકેટ તો ભુવનેશ્વર કુમાર અને હેઝલવૂડે બે-બે વિકેટ ચટકાવી.
સાતમી અને આઠમી વિકેટ: હોલ્ડર અને રાશિદ ખાન 7-7 રન બનાવીને થયા આઉટ, ગુજરાતનો સ્કોર 150ને પાર
છઠ્ઠી વિકેટ: 17મી ઓવરમાં 115 રનના સ્કોર પર ગુજરાત ટાઇટન્સની છઠ્ઠી વિકેટ પડી. રાહુલ તેવતિયા પાંચ બોલમાં સાત રન બનાવીને આઉટ થયો. રાસિખ સલામ ડાર આઉટ કર્યો.
પાંચમી વિકેટ: 15મી ઓવરમાં 99 રનના કુલ સ્કોર પર ગુજરાત ટાઇટન્સની પાંચમી વિકેટ પડી. અરશદ ખાન 6 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો. જોશ હેઝલવુડે આઉટ કર્યો.
ચોથી વિકેટ: મોટા મેચના પ્લેયર કૃણાલ પંડ્યાએ ક્રીઝ છોડીને આગળ વધી રહેલા જોસ બટલરને પારખી જઈને ફાસ્ટ વાઈડ યોર્કર ફેંક્યો હતો, જેમાં બટલર થાપ ખાઈ ગયો અને જીતેશ શર્માએ તેને સ્ટમ્પ આઉટ કર્યો હતો. GT માટે સેટ થઈ ચૂકેલા બટલરની 19 રને વિકેટ ઝડપીને કૃણાલે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અપાવ્યો.
રાઉન્ડ 1, બેંગલુરુ, 24મી એપ્રિલ: સાઈ સુદર્શનની શાનદાર સદી પર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની તોફાની અડધી સદીઓ ભારે પડી હતી, જેના કારણે RCBએ GTના 205 રનના ટાર્ગેટને આસાનીથી ચેઝ કરી લીધો હતો.
રાઉન્ડ 2, અમદાવાદ, 30મી એપ્રિલ: બે વિકેટ અને ત્રણ કેચ સાથે જેસન હોલ્ડર મેદાન પર બધી જ જગ્યાએ છવાયેલો જોવા મળ્યો હતો. GTએ RCBને માત્ર 155 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 16 ઓવર કરતાં પણ ઓછા સમયમાં આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
રાઉન્ડ 3 (ક્વોલિફાયર 1), ધર્મશાલા, 26મી મે: રજત પાટીદારની શાનદાર અણનમ 93 રનની ઇનિંગના દમ પર RCBએ IPL પ્લેઓફ મેચનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર (254 રન) બનાવ્યો હતો. ત્યારબાદ પાવરપ્લેમાં જ GTની ટોપ-થ્રી વિકેટો ઝડપીને RCBએ 92 રનથી શાનદાર જીત નોંધાવી હતી.
Before Match
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે હેડ ટુ હેડ (આમને-સામને) મુકાબલામાં કેપ્ટન રજત પાટીદારની ટીમ 5-4ની લીડ ધરાવે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ આંકડો 1-1ની બરાબરી પર છે. આ સીઝનમાં ગુજરાતે આ જ મેદાન પર RCBને હરાવ્યું હતું. પોતાના ઘરઆંગણે ગુજરાતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. IPL 2026માં અહીં ગુજરાત ટાઇટન્સે સાતમાંથી પાંચ મેચ જીતી છે.
Before Match
RCB અને ગુજરાત વચ્ચે એક હાઈ-સ્કોરિંગ અને રોમાંચક મેચ જોવા મળી શકે છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. બંને ટીમના ખેલાડીઓ સારા ફોર્મમાં છે પરંતુ તો પણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મજબૂત ટીમ દેખાઈ રહી છે, પરંતુ આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં તેમને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ મિક્સ સોઈલ (મિશ્રિત માટી)ની પિચ પર રમાવાની છે. પિચ પર સારો બાઉન્સ રહેશે, તેથી ફાસ્ટ બોલરો પ્રભુત્વ મેળવી શકે છે.
આ ફાઇનલ અમદાવાદની #6 પીચ પર રમાશે. આ પીચ પર સરેરાશ સ્કોર 199 રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સીઝનમાં આ પીચ પર રમાયેલી બંને મેચમાં ચેઝ કરનારી ટીમો વિજેતા બની છે. જોકે, બેટિંગ ફર્સ્ટ કરનાર ટીમોનો એકંદરે રેકોર્ડ અહીં મજબૂત રહ્યો છે. મે મહિનામાં આ પીચનો ઉપયોગ ન થયો હોવાથી ઝડપી બોલરો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
RCB અને GT બંને સીઝનની શ્રેષ્ઠ એટેક ધરાવતી ટીમો છે. પાવરપ્લેમાં બંને ટીમોએ 33-33 વિકેટ ઝડપી છે. બેટરો પણ હવે સ્થિર ઊભા રહેવાને બદલે ક્રિઝ પર સતત ફૂટવર્ક કરી રહ્યા છે.
ટોસ અને બાઉન્ડ્રીનું ગણિત
ફાઈનલના ઈતિહાસમાં 10 વખત પહેલા બેટિંગ કરનાર અને 8 વખત ચેઝ કરનાર ટીમ જીતી છે. તેનો અર્થ એ કે કોઈ પણ એક પક્ષી વ્યૂહનીતિ પર નિર્ભર રહેવું જોખમી છે. બંને ટીમોએ પહેલા બેટિંગ કે બોલિંગ, બંનેમાં પરિસ્થિતિ મુજબ એક્ઝિક્યુશન કરવું પડશે. આંકડા મુજબ, ચેમ્પિયન ટીમો તેમના 59.6% રન બાઉન્ડ્રી (ચોગ્ગા-છગ્ગા) દ્વારા મેળવે છે. સરેરાશ 184 રનનો સ્કોર હવે ‘પાર’ (Par) સ્કોર ગણાય છે. જે ટીમ વધુ બાઉન્ડ્રી ફટકારે છે, તે દબાણ વગર સ્કોરબોર્ડ પર પ્રેશર જાળવી રાખે છે.
31 મે (રવિવાર) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026ની ફાઇનલ મેચ રમાવાની છે.
આખી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી આ બંને ટીમો હવે ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. આરસીબી (RCB) એ ક્વોલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને સીધા જ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. તે મેચમાં આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 33 બોલમાં 93 રન બનાવ્યા હતા. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી છે.
શુભમન ગિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ગિલની આ ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. આરસીબી (RCB) એ 5મી વખત IPL ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ IPLમાં ત્રીજી વખત ફાઇનલ રમશે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં જ આરસીબીએ 2025માં પોતાની પહેલી IPL ટ્રોફી જીતી હતી. બીજી તરફ, 2022માં ગુજરાત ટાઇટન્સે પોતાની પહેલી જ IPL સીઝનમાં ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. આ IPL સીઝનમાં ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડ (ઘર આંગણે) પર રમેલી 7માંથી 5 મેચ જીતી છે. આવામાં આરસીબી માટે ફાઇનલનો પડકાર બિલકુલ સરળ નહીં હોય.
વિરાટ કોહલી માટે આ IPL સીઝન પણ દમદાર રહી છે. આ IPL સીઝનમાં વિરાટે 15 મેચમાં 164.38ના સ્ટ્રાઇક રેટથી 600 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે. બીજી તરફ આરસીબી (RCB) ની બોલિંગની વાત કરીએ તો, ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભુવનેશ્વર કુમારે આ IPL સીઝનની 15 મેચોમાં 26 વિકેટ ઝડપી છે.
ગુજરાત ટાઇટન્સના બંને ઓપનિંગ બેટ્સમેન ખૂબ જ સારા ફોર્મમાં છે. શુભમન ગિલે આ IPL સીઝનની 15 મેચોમાં 163.71ના સ્ટ્રાઇક રેટથી 722 રન બનાવ્યા છે, જ્યારે સાઇ સુદર્શને આ IPL સીઝનની 16 મેચોમાં 159.55ના સ્ટ્રાઇક રેટથી 710 રન કર્યા છે. ગુજરાતની બોલિંગની વાત કરીએ તો, કગિસો રબાડાએ 16 મેચમાં 28 વિકેટ લીધી છે અને તે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. આ IPL સીઝનમાં બંને ટીમો 2 વખત સામસામે ટકરાઈ હતી અને બંને વખત આરસીબીએ જ બાજી મારી હતી.
આઈપીએલ-2026માં આજથી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી પ્લેઓફની મેચમાં ગુજરાતની ટીમનો શરમજનક પરાજય થયો છે. બેંગલુરુની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 254 રન નોંધાવી ગુજરાતને જીતવા માટે 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે ગુજરાતની ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટ બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું, તો જેકોબ ડફ્ફી સહિતના બોલરોએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
બેંગલુરુ તરફથી કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 33 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 93 રનની તોફાની ઈનિંગ રમી હતી. ઓપનર વેંકટેશ અય્યરે આક્રમક શરૂઆત કરતા 7 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 19 રન ફટકાર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 25 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. મિડલ ઓર્ડરમાં દેવદત્ત પડિક્કલે 19 બોલમાં 5 ચોગ્ગા સાથે 30 રન બનાવ્યા હતા. ત્યારબાદ ક્રુણાલ પંડ્યાએ પણ શાનદાર બેટિંગ કરતા 28 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 43 રન જોડ્યા હતા. નીચલા ક્રમે ટિમ ડેવિડ 5 બોલમાં 4 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે જીતેશ શર્માએ અંતમાં ઝડપી બેટિંગ કરતા માત્ર 5 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 15 રન ઝૂડી કાઢ્યા હતા.
ગુજરાત તરફથી તરફથી જેસન હોલ્ડરે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટો, જ્યારે કગિસો રબાડાએ 4 ઓવરમાં 54 રન આપી 2 વિકેટ મેળવી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 ઓવરમાં 53 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 46 રન, રાશિદ ખાને 3 ઓવરમાં 29 રન, કુલવંત ખેજરોલિયાએ 2 ઓવરના 31 રન આપ્યા, પરંતુ એકપણ વિકેટ લઈ શક્યા નથી.
ગુજરાત તરફથી જોસ બટલરે સૌથી વધુ આક્રમક બેટિંગ કરતા માત્ર 11 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 29 રન ફટકાર્યા હતા. ઓપનર સાઈ સુદર્શને 9 બોલમાં 3 ચોગ્ગા સાથે 14 રન, કેપ્ટન શુભમન ગિલે 7 બોલમાં માત્ર 2 રન, નિશાંત સિંધુ 3 બોલમાં 1 ચોગ્ગા સાથે 5 રન, વોશિંગ્ટન સુંદરે 8 બોલમાં 1 ચોગ્ગા સાથે 8 રન, જેસન હોલ્ડરે શૂન્ય રને, રાશિદ ખાને 9 બોલમાં 1 છગ્ગાની મદદથી 8 રન અને કગિસો રબાડાએ 5 બોલમાં 2 ચોગ્ગા સાથે 9 રન નોંધાવ્યા હતા.
બેંગલુરુ તરફથી જેકબ ડફી સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે ગુજરાત ટાઈટન્સના 3 બેટરોને આઉટ કરીને સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી. યુવા બોલર રસિક સલામે પણ શાનદાર પ્રદર્શન કરતા 2 મહત્વની સફળતા મેળવી હતી. આ સિવાય અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ ખેરવી છે. જ્યારે જોશ હેઝલવુડ અને ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.
26/05/26 આજની ક્વોલિફાયર-1માં બેંગલુરુએ ઈતિહાસ રચી દીધો છે. RCBએ 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવી દીધા, જે IPLના ઈતિહાસમાં પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર છે.
254/5 – RCB vs GT (ધર્મશાલા, 2026) 233/3 – GT vs MI (અમદાવાદ, 2023) 228/5 – MI vs GT (ન્યુ ચંદીગઢ, 2025) 226/6 – PBKS vs CSK (વાનખેડે, 2014) 222/5 – CSK vs DC (ચેન્નઈ, 2012) કોહલીએ તોડ્યો વિરાટનો રેકોર્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વધુ એક મોટો આંકડો પાર કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી 282 મેચો સાથે હવે ટોચના સ્થાને પહોંચી ગયો છે, જેમાં તેણે વર્ષ 2008 થી 2026 દરમિયાન 40.09 ની શાનદાર એવરેજથી રેકોર્ડબ્રેક 9261 રન ફટકાર્યા છે અને તેના નામે 9 સદી પણ નોંધાયેલી છે. કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, જે 281 મેચોમાં 7329 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમ.એસ. ધોની 278 મેચ અને 5439 રન સાથે ત્રીજા સ્થાને છે, જેમની આઈપીએલ સફર વર્ષ 2025 સુધી રહી હતી. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 266 મેચોમાં 3469 રન અને 178 વિકેટ સાથે ચોથા સ્થાને અને વર્ષ 2024 સુધી આઈપીએલ રમનારો દિનેશ કાર્તિક 257 મેચમાં 4842 રન સાથે પાંચમા સ્થાને છે.
IPL-2026ની ક્વોલિફાયર-1માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઈટન્સ (GT)ની હાર થયા બાદ હવે ગુજરાતની ટીમે ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક મેચ રમવી પડશે. આઈપીએલના નિયમ મુજબ, ક્વોલિફાયર-1 હારેલી ગુજરાતની ટીમે હવે 29 મેના રોજ ક્વોલિફાયર-2 મેચ રમવી પડશે.
ક્વોલિફાયર-1 પછી 27 મેએ એલિમિનેટર મેચ રમાવાની છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આમાંથી જે ટીમ હારશે તે બહાર ફેંકાઈ જશે અને જે જીતશે તેને ક્વોલિફાયર-2માં રમવાની તક મળશે. એટલે કે તે ટીમ ગુજરાત ટાઈટન્સ સામે રમશે.
31 મેએ ફાઈનલ મેચ
ક્વોલિફાયર-1 મેચ જીતનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં અગ્રણી સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત માટે અતિ ગૌરવ સાથે જણાવતા આનંદ થાય છે કે, બેંકને સત્તાવાર રીતે “શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે નવી ઓળખ અને વધતી વિશ્વસનીયતા સાથે સહકારી બેંકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
વર્ષ 1995માં સ્થાપિત થયેલી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં સતત પ્રગતિ, પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય શિસ્ત, ગ્રાહકકેન્દ્રિત સેવાઓ અને અત્યંત આધુનિક ટેક્નોલોજી આધારિત બેંકિંગ સુવિધાઓ સાથે ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં કુલ 211 અર્બન કો-ઓપ. બેંક છે. જેમાંથી કુલ 7 બેંકો શિડયુલ્ડ બેંક છે. વર્ષ 2000 પછી ગુજરાતમાં કો-ઓપ. બેંકોમાં વરાછા કો-ઓપ. બેંક એક માત્ર બેંક છે જેને “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ બેંક માટે ગૌરવની વાત છે.
વરાછા કો-ઓપ. બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવતા તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષ ના મુખ્ય આંકડા નીચે મુજબ છે:
• કુલ થાપણો : ₹4,411.11 કરોડ
કુલ ધિરાણ : ₹2,571.31 કરોડ
• મૂડી ભંડોળ : ₹447.23 કરોડ
• કુલ વ્યવસાય : ₹6,982.42 કરોડ
બેંક હાલમાં 30 શાખાઓના મજબૂત નેટવર્ક દ્વારા 5,07,769થી વધુ ગ્રાહકોને સુરક્ષિત, વિશ્વસનીય અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. ગ્રાહકોનો અખૂટ વિશ્વાસ, ઝડપી અને પારદર્શક સેવા, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ તેમજ સેવા પ્રતિબદ્ધ અભિગમના કારણે બેંકે સતત વિકાસનો મજબૂત માર્ગ અપનાવ્યો છે.
“શિડયુલ્ડ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થવો બેંકના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સોપાન સમાન છે. આ સિદ્ધિ બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ, સુવ્યવસ્થિત સંચાલન, નિયમનાત્મક પાલન તથા લાખો ગ્રાહકો અને સભાસદોના અવિચળ વિશ્વાસનું પ્રતિબિંબ છે. બેંકને પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થતા બેંકના સભાસદ મિત્રો તેમજ ગ્રાહકમિત્રો ને ASBA એકાઉન્ટ, RERA એકાઉન્ટ તેમજ Demat એકાઉન્ટ જેવી તમામ સુવિધાઓ મળી રહેશે.
બેંકની પ્રગતિમાં બેંકના પૂર્વ હોદ્દેદારોશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રીઓએ વર્ષો સુધી દુરંદેશી નેતૃત્વ અને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો, જ્યારે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ બેંક સતત વિકાસના નવા આયામો સર કરી રહી છે. બેંકના કર્મચારીઓની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાએ પણ આ સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ ગૌરવપૂર્ણ અવસરે બેંકના નવનિયુક્ત ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ તમામ સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો અને બેંક પરિવારના કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ધી વરાછા કો-ઓપ. બેંક લિ.એ આજ સુધી હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને ઝળહળતી પ્રગતિ પાછળ તમામનો અતૂટ વિશ્વાસ અને સહકાર રહેલો છે. બેંકને પ્રાપ્ત થયેલ “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો સમગ્ર બેંક પરિવાર માટે ગૌરવની સાથે વધુ જવાબદારીનું પ્રતિક છે. બેંકનાં નવનિયુક્ત વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડીયા દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર, વિશ્વાસ અને સેવાભાવના મજબૂત પાયા પર ઉભેલી વરાછા કો-ઓપ. બેંક ભવિષ્યમાં પણ આધુનિક બેંકિંગ સેવાઓ, અદ્યતન ટેક્નોલોજી, ગ્રાહકકેન્દ્રિત યોજનાઓ અને વિસ્તૃત કામગીરી દ્વારા ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરશે તથા સહકારી ક્ષેત્રમાં દેશવ્યાપી આગવી ઓળખ વધુ મજબૂત બનાવશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરલમમાં સમયસર પહોંચશે. આ પહેલા કેટલીક એજન્સીઓ દ્વારા ચોમાસું નિર્ધારીત સમયથી પહેલા કરેલમમાં બેસી જશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં આંધી, તોફાન અને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2-3 દિવસમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના તાપમાનમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.ત્યારબાદ 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે.
25/05/26 અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 39.7 ડિગ્રી, સુરતમાં 35.8 ડિગ્રી, દ્વારકામાં 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દિલ્હી-એનસીઆરમાં આગામી બે દિવસ લૂનો પ્રકોપ રહેશે. 28 મેના રોજ વાતાવરણમાં પલટો આવશે. બપોર બાદ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પ્રદેશના લખનઊ, વારાણસી અને કાનપુર સહિત અનેક જિલ્લામાં આગામી બે દિવસ ગરમી રહેશે. 27 મેના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદનું એલર્ટ છે. જ્યારે 28 થી 31 મે દરમિયાન 70 કિમીની ઝડપે આંધી-તોફાન આવી શકે છે.
બિહારના અનેક જિલ્લામાં 26 થી 29 મે દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ ફૂંકાશે. તેમજ આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં 30 મે સુધી લૂ નો પ્રકોપ પહેશે. ઝારખંડના અનેક જિલ્લામાં ગરમીથી રાહત મળશે. 26 થી 31 મે દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ સહિત અનેક જિલ્લામાં 28 થી 31 મે સુધી વરસાદ થશે. 29 મેના રો પહાડી વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 28 અને 29 મેના રોડ હળવા વરસાદ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કરા પડશે.
આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, કેરલમ, તમિલનાડુ અને કર્ણાટકના અનેક હિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે.
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પર ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ (FWICE) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સોમવારે સાંજે ફિલ્મ ‘ડોન 3’ ને લઈને ફિલ્મમેકર અને એક્ટર ફરહાન અખ્તર સાથે થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો હતો.
FWICE એ આ મામલે રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો નિર્દેશ જારી કર્યો છે.એક અહેવાલ મુજબ, સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રણવીર સાથે કામ ન કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. અગાઉ, ફેડરેશનના મુખ્ય સલાહકાર, અશોક પંડિતે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દેવામાં આવશે નહીં.
1978માં આવેલી અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ડોન અને શાહરુખ અભિનીત ડોન (2006) પછી આ ડોન ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જાહેરાત સમયે કિયારા અડવાણીને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ પ્રેગ્નન્સી અને મેટરનિટી બ્રેકના કારણે કિયારાએ ફિલ્મ છોડી દીધી, જેના પછી ક્રિતી સેનનને કાસ્ટ કરવાના સમાચાર આવ્યા.
આ ફિલ્મ ફરહાન અખ્તર, હોમ પ્રોડક્શન એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવી રહ્યા હતા. ડોન 3 ને ચાલુ રાખવા માટે ફરહાને પોતાની બીજી ફિલ્મ જી લે ઝરા પોસ્ટપોન કરી દીધી.
ફિલ્મ મોડી પડતાં રણવીર સિંહ ધુરંધરમાં વ્યસ્ત થઈ ગયા. રિપોર્ટ્સ હતા કે 2025માં ડોન 3નું શૂટિંગ શરૂ થશે, પરંતુ પછી અચાનક રણવીર સિંહે ફિલ્મ છોડી દીધી. મેકર્સનો આરોપ છે કે રણવીર સ્ક્રિપ્ટમાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા. તે ગાળાગાળી અને હિંસક દ્રશ્યોની માંગ કરી રહ્યા હતા, પરંતુ મેકર્સ આના પર રાજી ન થયા.
રણવીર સિંહ પાસે કરી 45 કરોડની માંગણી
ફેડરેશને દાવો કર્યો છે કે, એક્ટરે (રણવીર સિંહે) પોતે આવીને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કરવામાં આવેલી ઘણી વિનંતીઓ (રિક્વેસ્ટ)નો કોઈ જવાબ આપ્યો નથી. ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’ (Excel Entertainment), જે ‘ડોન ૩’ (Don 3) ફિલ્મ બનાવી રહી છે, તેણે પણ રણવીર સિંહ પાસે ફિલ્મ છોડતા પહેલા પ્રી-પ્રોડક્શન (ફિલ્મ શરૂ થતા પહેલાની તૈયારીઓ) પર થયેલા ખર્ચના વળતર તરીકે 45 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
પ્રતિબંધ પર રણવીર સિંહની ટીમની પ્રતિક્રિયા
દરમિયાન, રણવીર સિંહના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, એક્ટર આ બાબતે ચાલી રહેલી અટકળોમાં વધુ કંઈ ઉમેરવા માંગતા નથી, અને તેઓ માને છે કે આવા પ્રોફેશનલ મતભેદોને ખાનગીમાં જ ઉકેલવા સૌથી વધુ યોગ્ય છે. એક્ટરના પ્રવક્તાએ ઉમેર્યું, ‘Don 3 થી જોડાયેલી તાજેતરની ઘટનાઓ દરમિયાન, તેમણે જાણીજોઈને મૌન જાળવવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેઓ માને છે કે વ્યાવસાયિક ચર્ચાઓ અને વ્યક્તિગત સંબંધોને ગરિમા, સમજદારી અને પરસ્પર સન્માન સાથે જ સંભાળવા સૌથી સારા રહે છે.’
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજે છે અને તેને સતત આગળ વધારતાં અવાર-નવાર પર્યાવરણલક્ષી કાર્યો હાથ ધરતું રહે છે. શુક્રવાર, 22 મે, 2026ના રોજ AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટ હજીરા ખાતે વિસ્તરણ થઈ રહેલા પ્રોજેક્ટની એક સાઇટ ખાતે આ વર્ષની વૈશ્વિક થીમ “એક્ટીંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટ”ને સુસંગત રહીને ઈન્ટરનેશનલ બાયોલોજિકલ ડાયવર્સિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિલીપ ઊમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, દ્વારા છોડનું વાવેતર કરીને કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે પ્રોજેક્ટ સાઇટ પર કુલ 1100થી વધુ છોડ જેવા કે લીમડો, જાંબુ અને ગુલમોહરનું છેલ્લાં 30 દિવસમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો ઝીંકાયો છે. સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 10 દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે.
આ અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાથે 3-3 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મેના રોજ ફરી પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું. હવે શનિવારના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 87 પૈસા વધીને ₹98.64 થી વધીને ₹99.51 પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 91 પૈસા વધીને ₹91.58 થી ₹92.49 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.
દેશમાં ઈંધણની વધતી કિંમતો અને સપ્લાયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું છે. મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઉપલબ્ધતા છે અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે, પૅનિક બાઇંગ (ગભરાટમાં આવીને વધુ ખરીદી કરવી) થી બચે.”
મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જે કામચલાઉ ભીડ કે દબાણ જોવા મળી રહ્યું છે તેને વહેલી તકે દૂર કરવામાં આવી રહ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સતત સપ્લાય પર નજર રાખી રહી છે અને પરસ્પર તાલમેલ સાથે તેલનું વિતરણ સુનિશ્ચિત કરી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.