CIA ALERT
26. September 2023

WE Archives - CIA Live

August 19, 2023
WhatsApp-Image-2023-08-18-at-16.58.56-2-1280x853.jpeg
2min108

બિઝનેસ વુમન, વર્કિંગ વુમન નવા નવા આઇડીયા પર કામ કરેઃ ડો. રેણુકા ગર્ગ

સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાની જરૂર છે : મેયર હેમાલી બોઘાવાલા

ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં ટકી રહેવા સેલ્ફ મોટીવેશન, એબિલિટી, અનુભવ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે સમજણ આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ગુરૂવાર, તા. ૧૭ ઓગસ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘એમ્પાવરમેન્ટ સર્કલ’ વિષે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના પૂર્વ વિભાગીય વડા ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં આગળ વધવા અને બિઝનેસ વુમન તરીકે પોતાની ઓળખ ઉભી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ હવે કોઇપણ ક્ષેત્રે પાછળ નથી. તેઓને દરેક ક્ષેત્રે આગળ વધવાની તક મળી રહી છે અને તેઓ આગળ વધી રહી છે. જો કે, મહિલાઓ માટે કામ કરવાની ઘણી ચેલેન્જ હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેઓએ પરિવારને સાચવીને આગળ વધવું જોઇએ. પહેલો સહકાર પરિવાર તરફથી લેશો તો કોઇ દિવસ પાછળ રહેશો નહીં. તેમણે કહયું કે, ગુજરાત જીઆઇડીસીમાં રૂપિયા ૧૭૦૦ કરોડનો બિઝનેસ માત્ર મહિલાઓ કરે છે ત્યારે ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાનો છે.

ડો. રેણુકા ગર્ગે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા માટે જે આઇડિયા આપણી પાસે હોય છે તેને અમલમાં નહીં મુકાય ત્યાં સુધી એ આઇડિયા બેકાર છે. જે પ્રોડકટનું ઉત્પાદન કરી તેને માર્કેટમાં લઇ જવી છે તેની માર્કેટમાં ડિમાન્ડ જ ન હોય તો પણ આઇડિયા બેકાર છે, આથી આઇડિયા હમેશા ફિઝીબલ હોવો જોઇએ. બિઝનેસ માટે રિસ્ક લેવો પડશે. આજે બિઝનેસની શરૂઆત કરી અને કાલથી પરિણામ મળશે એ જરૂરી નથી. બિઝનેસમાં ટકી રહેવા માટે પણ નવા નવા આઇડિયાઝ લાવવા પડશે. બિઝનેસમાં નવિનતા લાવવી પડશે ત્યારે જ બિઝનેસમાં લાંબા ગાળે ટકી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં ટકી રહેવા માટે માત્ર માર્કેટીંગ અને ફાયનાન્સ જ નહીં પણ ૩૬૦ ડીગ્રી એન્ગલથી વિચારવું પડશે. બિઝનેસ મેનેજમેન્ટના જેટલા પણ ફંકશન છે તેના વિષે વિચારવું પડશે. બિઝનેસમાં ટકી રહેવા માટે સ્પર્ધા ઘણી છે, પરંતુ હમેશા સ્પર્ધક બનીને નહીં પણ સહકારની ભાવના સાથે એકબીજાને સહયોગ આપીને પણ બિઝનેસને ડેવલપ કરવો પડે છે. બિઝનેસમાં નવી ટેકનોલોજી અપનાવી ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રોડકટ ડેવલપ કરવી પડશે. તેમણે બિઝનેસમાં ટકી રહેવા માટે સેલ્ફ મોટીવેશન, એબિલિટી, એકસપિરિયન્સ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે વિસ્તૃત સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરી મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય સેશનમાં હાજર રહયા હતા.

વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમનું સંચાલન કરી મેયર હેમાલી બોઘાવાલાનો પરિચય આપ્યો હતો. કો–ચેરપર્સન નિમિષા પારેખે વકતા ડો. રેણુકા ગર્ગનો પરિચય આપ્યો હતો. લેડીઝ વીંગના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

July 14, 2023
ritu-karidhal.jpg
1min93

‘રોકેટ વુમન’ તરીકે ઓળખાતા સ્પેસ સાયન્ટિસ્ટ રિતુ કરિધાલ શ્રીવાસ્તવ આ મિશનને ફ્રન્ટથી લીડ કરી રહ્યાં છે

ચંદ્રયાન-3ના ઉતરાણની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલને સોંપવામાં આવી છે. ચંદ્રયાન 3 ના મિશન ડિરેક્ટર તરીકે રિતુ કરિધાલ તેમની ભૂમિકા ભજવશે. લખનઉમાં રહેતી રિતુ વિજ્ઞાનની દુનિયામા ભારતીય મહિલાઓની વધતી ધાકનું ઉદાહરણ છે.  મંગળયાન મિશનમાં પોતાનું કૌશલ્ય દર્શાવનાર રિતુ ચંદ્રયાન-3 સાથે સફળતાની બીજી ઉડાન ભરશે. અગાઉના મિશનમાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને રિતુ કરિધાલ શ્રીવાસ્તવને આ જવાબદારી સોંપવામાં આવી છે. રિતુ મંગળયાન મિશનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. લખનૌની દીકરી રિતુ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે ચંદ્રયાન-મિશન 2માં મિશન ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી.

રિતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર છે 

રિતુ કરિધાલનો ઉછેર લખનૌમાં થયો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કર્યું છે. વિજ્ઞાન અને અવકાશમાં રસ જોઈને રિતુએ પછી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં એડમિશન લીધું. આ પછી રિતુએ ઈસરોમાં નોકરી શરૂ કરી. એરોસ્પેસમાં નિષ્ણાત રિતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર રહી છે. રિતુને 2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો છે. વિવિધ મિશનમાં તેમની ભૂમિકા માટે દેશના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિકોમાં તેમનું નામ સામેલ છે. રિતુને ‘રોકેટ વુમન’ પણ કહેવામાં આવે છે.

રિતુએ ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે

રિતુએ તેમનું સ્કૂલિંગ નવયુગ ગર્લ્સ કોલેજમાંથી કર્યું છે. રિતુએ લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે.  રિતુએ વર્ષ 1997માં ISRO સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. રિતુ કરિધાલે મિશન મંગળયાન અને મિશન ચંદ્રયાન-2માં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાનપણથી જ તેમને અવકાશ અને અવકાશ વિજ્ઞાનમાં રસ હતો. રિતુને મળેલા પુરસ્કારોની યાદી તેમની સિદ્ધિઓ જેટલી લાંબી છે. ડૉ એપીજે અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ, માર્સ આર્બિટર મિશન માટે ISRO ટીમ એવોર્ડ, ASI ટીમ એવોર્ડ, સોસાયટી ઓફ ઈન્ડિયન એરોસ્પેસ ટેક્નોલોજી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એરોસ્પેસ વુમન એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર રિતુ તેમની ધગશ અને કામ પ્રત્યેના જુસ્સા માટે વખણાય છે. 

July 4, 2023
WhatsApp-Image-2023-07-04-at-16.22.12-1280x710.jpeg
1min1724

કિરણ મેડીકલ કોલેજને એમબીબીએસની 150 સીટ સાથે માન્યતા

આ વર્ષે 150 સીટ અને આવતા વર્ષથી એમબીબીએસની 200 સીટ પર ગુજરાત સરકાર એડમિશન ફાળવશે

રાજ્યમાં સૌથી વધુ બાયોલોજીના વિદ્યાર્થીઓ ધરાવતા સુરત શહેરમાં ચાલુ વર્ષથી જ ત્રીજી મેડીકલ કોલેજ શરૂ થઇ જશે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આજે સુરતના વરીયાવ ખાતે કિરણ મેડીકલ કોલેજને ફર્સ્ટ એમબીબીએસની 150 સીટ સાથે ચાલુ વર્ષથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની મંજૂરી આપી છે.

વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી તેમજ કિરણ મેડીકલ કોલેજના ડીન ડો.આર.ડી. પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રના આરોગ્ય વિભાગે આ વર્ષથી એમબીબીએસની 150 સીટ તેમજ આગામી વર્ષથી ફર્સ્ટ એમબીબીએસની 200 સીટની માન્યતા આપી છે. ગુજરાત સરકારની મેડીકલ એડમિશન કમિટીને પણ સૂચના આપી દેવામાં આવી છે કે સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન કમિટીમાં સુરતની ત્રીજી મેડીકલ કોલેજ તરીકે કિરણ હોસ્પિટલની 150 સીટો પર પ્રવેશાર્થીઓની ફાળવણી કરવામાં આવે. કિરણ મેડીકલ કોલેજમાં 150 સીટ પૈકી 75 ટકા સીટ સ્ટેટ ક્વોટા તેમજ 25 ટકા સીટમાં અનુક્રમે 10 ટકા મેનેજમેન્ટ ક્વોટા અને 15 ટકા સીટ એન.આર.આઇ. ક્વોટા તરીકે પ્રવેશ આપવામાં આવશે. મેડીકલ કોલેજની સાથે કિરણ હોસ્પિટલનું જોડાણ રહેશે. મેડીકલ કોલેજ વરીયાવ મુકામે ચાલશે તેમજ વિદ્યાર્થીઓ કિરણ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ તાલિમ મેળવશે. એમબીબીએસ અભ્યાસક્રમની સાથે આગામી વર્ષથી એમ.ડી. તેમજ એમ.એસ.ના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો પણ કિરણ મેડીકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે.

વધુમાં સુરત શહેરમાં સરકારી મેડીકલ કોલેજ, સ્મીમેર મેડીકલ કોલેજ પછી હવે ત્રીજી મેડીકલ કોલેજના સ્વરૂપમાં કિરણ મેડીકલ કોલેજ આગામી ઓગસ્ટ માસથી કાર્યરત થઇ જશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરતની ત્રણ, નવસારી, વલસાડ, ભરૂચ અને સેલવાસની એક-એક મળીને મેડીકલ કોલેજોની સંખ્યા 7ની થઇ ગઇ છે.

April 20, 2023
neet-UG.jpg
1min290

Jayesh Brahmbhatt 98253 44944

આ વર્ષે મેડીકલ, પેરામેડીકલમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG 2023) પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યાએ 20 લાખનો આંકડો પાર કર્યો છે. નીટ યુજી આપનારા વિદ્યાર્થીઓની આ વિક્રમી સંખ્યા છે. સમગ્ર ભારતમાં લગભગ MBBS/BDSની 1 લાખ 40 હજાર જેટલી બેઠકો માટે આ વર્ષે રેકોર્ડ 20 લાખ 87 હજારથી વધુ અરજીઓ મળી છે. મહત્વની વાત એ છે કે 11 લાખ 80 હજારથી વધુ મહિલા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે મહિલા ઉમેદવારોની સંખ્યા ગયા વર્ષ કરતા 2 લાખ વધુ છે અને આ વર્ષે પુરૂષ ઉમેદવારો કરતાં પણ 2.8 લાખ વધુ છે.

આ વર્ષે 2023માં NEET-UG પરીક્ષા તા. 7 મે એ લેવાનાર છે.

નીટ યુજી 2023ના રજીસ્ટ્રેશન ડેટા અનુસાર, મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ માટે 20,87,445 ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જે ગયા વર્ષે નોંધાયેલા ઉમેદવારોની સરખામણીમાં આ વર્ષે 2023માં 2.57 લાખ ઉમેદવારો વધુ નોંધાયા છે.

ભારતના રાજ્યોમાં સૌથી વધુ 2.77 લાખ ઉમેદવારો મહારાષ્ટ્રમાંથી પરીક્ષા આપશે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ 2.73 લાખ એ નીટ યુજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજસ્થાન, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ (ઉમેદવારોની સંખ્યાના ઉતરતા ક્રમમાં) – સાત રાજ્યો છે જેમાં પ્રત્યેક એક લાખથી વધુ નોંધણી છે.

2023ની પરીક્ષા માટે કુલ 11,84,502 મહિલા ઉમેદવારોએ નોંધણી સામે પુરુષ ઉમેદવારોની સંખ્યા 9,02,930 છે. કેટેગરી મુજબ ઓબીસીમાં 8.9 લાખ સાથે અનામત કેટેગરીમાં સૌથી વધુ ઉમેદવારો છે અને ત્યારબાદ 3 લાખથી વધુ ઉમેદવારો સાથે અનુ. EWS કેટેગરીના 1.5 લાખ અને ST કેટેગરીના 1.3 લાખ ઉમેદવારો છે. 6 લાખથી વધુ ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે.

NEET-UG પરીક્ષાના સ્કોરથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS), બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS), બેચલર ઓફ આયુર્વેદ, મેડિસિન અને સર્જરી (BAMS), બેચલર ઓફ સિદ્ધ મેડિસિન એન્ડ સર્જરી (BSMS), બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (BUMS), અને બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી (BHMS) અને BSc (H) નર્સિંગ અભ્યાસક્રમો માં પ્રવેશ આપવામાં આવે છે.

March 21, 2023
societynews-1280x1040.jpg
2min412

શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ દ્વારા આયોજીત APL-3 2023 HEAVY TENNIS BALL CRICKET TOURNAMENT યોજાઈ હતી જે તા. ૧૨/૦૩/૨૦૨૩ અને ૧૯/૦૩/૨૦૨૩ ના બે રવિવારે ટુર્નામેન્ટ રમાઈ હતી અઠવા પંચ યુવક મંડળ ના આમંત્રણ ને માન આપી આવેલ મોઢ વણિક સમાજ નું ગૌરવ ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી હાલ ના ધારા સભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ધી સુરત પીપલ્સ બેંક ના ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ અઠવા પંચ ના સ્થાપક પ્રમુખ અને ટેક્સટાઇલ જગત ના ભીસમહ પિતા કહેવાતા ભરતભાઇ ગાંધી તેમજ સુરતી મોઢ વણિક સમાજ ના પ્રમુખશ્રી શ્રીવાસભાઈ ઘીવાલા તત્કાલીન પ્રમુખશ્રી મનહરભાઈ લાપસીવાલા, માજી પ્રમુખશ્રી હસમુખભાઈ લાલવાલા સાથે ધર્મેશભાઈ તમાકુવાલા, સંજયભાઈ ગાંધી, જેન્તીભાઈ લાપસીવાલા, અનિલભાઈ દલાલ, મુકેશભાઈ વરિયાવા, અજયભાઈ મોદી તેમજ અઠવા પંચ ના પ્રમુખશ્રી નીતિનભાઈ ગાંધી તત્કાલિન પ્રમુખશ્રી ચેતનભાઈ કાપડિયા, યોગેશભાઈ પપૈયાવાળા, નાલિનભાઈ ગાંધી, દેવરાજભાઈ મોદી, તેજશભાઈ ગાંધી, મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી અમિષાબેન ગાંધી તત્કાલિન પ્રમુખ શ્રીમતી અનુરાધાબેન જરીવાલા તેમની ટીમ અને વોર્ડ નં . ૨૧ ના નગર સેવક શ્રીમતી ડિમ્પલબેન ચેતનભાઈ કાપડિયા તેમજ પાંડેસરા વિવર્સ ના પ્રમુખશ્રી અને sgcci ના તત્કાલીન પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતી પધાર્યા હતા

આ સર્વ મહેમાનો નો અઠવા પંચ યુવક મંડળ ના પ્રમુખશ્રી સંજયભાઈ અનાજ્વાળા સાથે યુવક મંડળ ની ટીમ ખૂબ ખૂબ આભાર માને છે કે તમે યુવક મંડળ ના આમંત્રને માન આપી પધારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ચાર ચાંદ લગાવી ટુર્નામેન્ટ સફર બનાવી સાથે આપના આશીર્વાદ અને આવનારા કાર્યક્રમ માં પણ આપનો સાથ સહકાર આવો જ મળતો રહે તેવી આશા સાથે ફરી એકવાર આપ સર્વે મોભીઓશ્રી, મહાનુભવોંશ્રી નો ખુબ ખુબ આભાર માણીયે છીએ..

આ સાથે જ અઠવાપંચ યુવક મંડળ જેના વગર આ ક્રિકેટ ટુર્નામેન્ટ APL-3 અધૂરી છે તેવા અમારા ક્રિકેટ ટીમ ના ઓનર્સ શ્રીઓ ભાવિનભાઈ બોઘાવાળા (MIVAAN 11) , સ્નેહલભાઈ મેહતા (SKYLINE SCORPION S), બંટીભાઈ સોપારીવાળા (JAY AMBEY 11), ભદ્રેશભાઈ કાપડિયા (DAY SEVEN 11) કુમારપાલ ગાંધી (GALAXY PANTHER) અજયભાઈ ચલિયાવાળા (TEAM AMBITION) પીયૂષભાઈ બેકાવાળા(KHUSHI FIGHTERS) વિરલભાઈ મોદી (MODI BAKERS) જીગર મોદી- યોગેશ ચરખાવાળા (YOGI-MODI WARRIOR’S) આ ૦૯ (નવ) ટીમ ઓનર્સ ટુર્નામેન્ટ ની આન-બાણ અને શાન છે જે આ ઓનર્સશ્રીઓ એ APL-3 AUCTION બાદ સમાજ ના ખેલાડીઓ સાથે મળી એક મહિનામાં જે મેહનત કરી તે આ ટુર્નામેન્ટ ના બે રવિવારે જોવા મળી છે અને સમાજ ના યુવા ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો સાથે એક બીજા સાથે જોડાયા ને એ જોઈ અઠવાપંચ યુવક મંડળ ગર્વ અનુભવે છે

સમાજ ને એક સાથે મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મ્યુઝિક મસ્તી હસી-ખુશી સાથે આનંદ માણ્યો તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ના દાતાશ્રીઓ અઠવા પંચ યુવક મંડળ નો એક સ્થંપ છે કે જેના વગર આ ટુર્નામેન્ટ શક્યજ નથી એવા અમારા વડીલશ્રી મોઢ વણિક સમાજ ના જાણીતા માનીતા માર્ગ દર્શક શ્રી ભરતભાઈ ગાંધી (BATSONS)ગ્રુપ ના કરતા ધરતા સાથે ધી સુરત પીપલ્સ બેંક ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ, ટ્રોફી આપનાર જાણીતા શ્રી પ્રવીણભાઈ ગાંધી, મનીષભાઈ દૂધવાળા (VRUNDAVAN DAIRY), ડો. અંકુરભાઈ ગાંધી-ડો. સ્નેહા પટેલ ગાંધી (JAHAAN WOMEN’S HOSPITAL), (SAI SPORTS GYM & SPORTS WEAR), PANDESARA WEAVER’S CO-OP SOCIETY LTD., વિરેનભાઈ ચોકસી (D. KHUSHALBHAI JEWELLER’S), નરેન્દ્રભાઈ કાબરાવાળા (PURVI INVESTMENT), મોંતુભાઈ બેકાવાળા(REY FASHION) અને વિરલભાઈ મોદી (MODI BAKERS) કે જેઓએ ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો કરતા આખી ટુર્નામેન્ટ ની દરેક મેચ માં જે ખેલાડી ઓએ વધારે સિક્સ માર્યા હોઈ, વધારે વિકેટ લીધી હોય,કે વધારે રન કર્યા હોય તે દરેક ખેલાડી ઓને રૂ.૫૦૦/- નું ગિફ્ટ વાઉચર આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારીયો હતો.

સાથે જ અઠવાપંચ યુવક મંડળના કમિટી સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધીએ ખુબજ સુંદર ફોટોગ્રાફીની સેવા આપી હતી ,અને સ્કોરર તરીકે શ્રી ચંદ્રેશભાઈ પાનવાલા અને પીનાકીનભાઈ ખાટીવાલાએ સેવા આપી હતી શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ આપ સર્વ મહાનુભવોશ્રી, દાતાશ્રી, ટીમ ઓનર્સશ્રી સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તેમજ APL-3 ટુર્નામેન્ટ ને સફર બનાવવા માટે યુવક મંડળ ના કમિટી સભ્યોશ્રીઓ નો પ્રમુખશ્રી સંજયભાઈ અનાજવાલા, તત્કાલીન પ્રમુખશ્રી મનીષભાઈ દૂધવાલા, ઉપપ્રમુખશ્રી વિમાલભાઈ બેકાવાલા, માનદ મંત્રીશ્રી આનંદભાઈ ગાંધી, સહ મંત્રીશ્રી રોમેશભાઈ પાનવાલા, ખજાનચી શ્રી વિપુલભાઈ ગાંધી, સહ ખજાનચી કેતનભાઈ પાનવાલા આપ સર્વ નો ખુબ ખુબ આભાર માણીયે છીએ…

તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ટોટલ ૧૨ મેચ રમવાની હતી હેવી ટેનિસ બોલ દ્વારા જેમાં દરેક ટીમ એ ૦૨ લીગ મેચ રમી એવરેજ મુજબ સેમિફાઇનલ માં એન્ટ્રી લેવાણી હતી સેમિફાઇનલ માં ચાર ટીમ આવી હતી જેમાં પહેલી સેમીફાઇનાલ MIVAAN 11 V/S GALAXY PANTHER વચ્ચે થઈ હતી જેમાં MIVAAN 11 વિજેતા થઈ ફાઇનલ માં આવી હતી બીજી સેમી ફાઇનલ DAY SEVEN 11 V/S YOGI- MODI WARRIORS જેમાં DAY SEVEN ના કેપ્ટન ચીમ્પુ લાપસીવાલાએ સેન્ચુરી મારી નોટ આઉટ રહી પોતાની ટીમને વિજય અપાવી ફાઇનલમાં પ્રવેશ્યા હતા ને ફાઇનલ મેચ MIVAAN 11સામે હારી RUNNER’S UP થયા અને MIVAAN 11 APL-3 2023 ચેમ્પિયન ટીમ બની હતી.

March 18, 2023
cia_edu-1280x925.jpg
3min982

કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે તા.17 માર્ચ, 2023ના રોજ NATA 2023 તારીખો જાહેર કરી છે. આર્કિટેક્ચરના પહેલા વર્ષ પહેલા સેમેસ્ટર 2023ના બેચમાં પ્રવેશ ઇચ્છુકોએ નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે. ગયા વર્ષ 2022થી નાટા ત્રણ વખત લેવાનું શરૂ થયું છે. આ વર્ષે 2023માં પણ નાટા પરીક્ષા ત્રણ વખત લેવાશે.

2023ના વર્ષની પ્રથમ NATA પરીક્ષા તા.21 એપ્રિલ, 2023ના રોજ શેડ્યૂલ કરવામાં આવી છે. બીજી NATA 2023 પરીક્ષા 28 મે, 2023 ના રોજ લેવામાં આવશે, અને ત્રીજી NATA પરીક્ષા 09 જુલાઈ, 2023 ના રોજ લેવામાં આવશે. ત્રણેય પરીક્ષણો બે સત્રોમાં લેવામાં આવશે એટલે કે, સત્ર 1 સવારે 10 AM થી 1 PM દરમિયાન લેવામાં આવશે. અને સત્ર 2 બપોરે 2:30 PM થી 5:30 PM સુધી.

નાટા પ્રવેશ પરીક્ષા કુલ 200 માર્કસની લેવામાં આવે છે. જેમાં ક્વોલિફાય થવા માટે 200માંથી 50 માર્કસ લાવવા જરૂરી છે.

વેબસાઇટ અનુસાર NATA પરીક્ષા 2023 નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

The Council of Architecture has released a new NATA 2023 date on March 17, 2023. The National Aptitude Test in Architecture 2023 examination was earlier scheduled to be conducted on April 22, 2023, but in view of a public holiday on that date, the first NATA exam 2023 has been rescheduled to April 21, 2023.The examination dates have been announced for three tests and candidates who wish to appear for these tests can check the notification on the official website – nata.in.
“It is hereby informed to all concerned that due to a public holiday on 22nd April 2023, the Council of Architecture has decided to conduct the First Test of NATA 2023 on Friday, 21st April 2023. The candidates applying for registration of NATA may kindly take note of the same,” reads the CoA notification.

The second NATA 2023 exam will be held on May 28, 2023, and the third NATA exam will be conducted on July 09, 2023. All three tests will be conducted in two sessions i.e., Session 1 will be held from 10 AM to 1 PM and Session 2 from 2:30 PM to 5:30 PM.

The NATA Exam 2023 registration process is expected to begin shortly as per the website.

December 16, 2022
cia_edu-1280x925.jpg
2min349

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર વેબસાઇટ – jeemain.nta.nic.in પર JEE મેઇન 2023 નોંધણી અને અરજી ફોર્મ બહાર પાડ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા JEE મેઇન 2023 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. JEE મેઇન 2023 રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2023 (રાત્રે 09:00 P.M. સુધી) છે.

JEE Main પરીક્ષાના સ્કોરથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ, ત્રિપલ આઇટી અને કેન્દ્ર સરકાર દ્વારા ફંડીંગ કરાતું હોય તેવી ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મળી શકે છે. આઇઆઇટીમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ બાદ જેઇઇ એડવાન્સ્ડમાં સ્કોર લાવવો ફરજિયાત છે.

આ વર્ષે, NTA એ નક્કી કર્યું છે કે જેઇઇ મેઇન 2023 બે સત્રો એટલે કે સત્ર 1 (જાન્યુઆરી 2023) અને સત્ર 2 (એપ્રિલ 2023)માં યોજાશે. JEE મુખ્ય સત્ર 1 જાન્યુઆરી 2023 માટેની વિગતો ઉમેદવારોના સંદર્ભ માટે નીચે આપવામાં આવી છે:

JEE Main 2023 Registration Begins15 December 2022
JEE Main 2023 Application Form Submission Last Date12 January 2023 (up to 09:00 P.M.)
JEE Main 2023 Fee Payment Last Date12 January 2023 (up to 11:50 P.M.)
JEE Main 2023 Exam City Intimation NotificationSecond week of the January 2023
JEE Main 2023 Admit Card DateThird week of the January 2023
JEE Main 2023 Session 1 Exam Date24, 25, 27, 28, 29, 30 and 31 January 2023
JEE Main 2023 Exam Centre, Date, and ShiftAs indicated on Admit Card
JEE Main 2023 Answer Key DateTo be announced later
JEE Main 2023 Result DateTo be announced later
JEE Main Websiteswww.nta.ac.in, https://jeemain.nta.nic.in/
October 12, 2022
cia_edu-1280x925.jpg
1min281

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44844

ઉચ્ચ શિક્ષણની હાટડી માંડીને બેઠેલા ધંધાદારી સંચાલકોને પ્રવેશાર્થીઓ કેવો ઝાટકો આપે છે એ જો જાણવું હોય તો સુરતમાં ભગવાન મહાવીર નામે પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલીને બેઠેલા સંચાલકોને પૂછવું પડે. એક સમયે જુદી જુદી કોલેજોમાં પ્રવેશાર્થી પાસેથી તોતિંગ ડોનેશન લઇને પ્રવેશ આપનારા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકોને આ વખતે ઇજનેરી અને હવે આર્કિટેક્ચરના પ્રવેશાર્થીઓએ જાકારો તો એવો આપ્યો છે કે સમખાવા પૂરતો એક પણ વિદ્યાર્થી મળ્યો નથી.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ બી.આર્ક.માં હાથ ધરેલી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પહેલો અને બીજો, આખરી રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ સુરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં કુલ 90માંથી 90 સીટ ખાલી પડી છે. ખુદ એડમિશન કમિટીના ડેટા દર્શાવી રહ્યા છે કે બી.આર્કિટેક્ચરમાં એક પણ પ્રવેશાર્થીએ ન તો પહેલા રાઉન્ડમાં ન તો બીજા રાઉન્ડમાં ભગવાન મહાવીર કોલેજમાં એડમિશન તો દૂરની વાત પણ પસંદગીના લિસ્ટમાં પણ નથી મૂકી. એક પણ વિદ્યાર્થીએ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજને ચોઇશ ફિલિંગમાં સામેલ કરી.

આ બાબત દર્શાવે છે કે ધંધાદારી સંચાલકો કે જેઓ વિદ્યાર્થીઓને સુવિધામાં વાઇફાઇ ફ્રી આપે છે પણ જ્યાં પ્રયોગ કરવાના હોય છે એ લેબોરેટરીના ઠેકાણા હોતા નથી, ફેકલ્ટીઓની યોગ્ય રીતે નિમણૂંકો કરતા નથી. ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવામાં પણ અખાડા કરવા માટે પંકાયેલા છે. જોકે, હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બાબતથી વાકેફ થવા માંડ્યા છે કે અન્ય કોઇપણ કોલેજ કે યુનિવર્સિટી ચાલે પણ ભગવાન મહાવીર તો નહીં જ, આ બાબત આર્કિટેક્ચર અને ઇજનેરી કોલેજને વિદ્યાર્થીઓએ આપેલા સખત જાકારા પરથી જણાયને રહે છે.

ગુજરાતમાં 2022 બી.આર્ક.ની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ કોલેજવાર ખાલી બેઠકોનું ચિત્ર

September 30, 2022
mbbs_student_mysy.jpg
1min519

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી

રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.

વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના  પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.

 હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.

September 28, 2022
Asha_Parekh.jpg
1min325

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thackeray) Dated 27/9/22, મંગળવારે કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને (Legendry Actress Asha Parekh) 2020ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Falke Award) સન્માનિત કરવામાં આવશે. જણાવવાનું કે દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. ભારતીય સિનેમા જગત આજે જે મુકામ પર છે આને ત્યાં સુધી લઈ જવામાં આશા પારેખનું મોટું યોગદાન છે.

આશા પારેખ (ફાઈલ તસવીર)

79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, ત્રીજી મંજિલ અને કારવાં જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમાની આઇકૉનિક એક્ટ્રેસ માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે એવૉર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતે પ્રશંસિત ટેલીવિઝન શૉ કોરા કાગજનું નિર્દેશન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે.

આશા પારેખે બાળ કલાકાર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને બેબી આશા પારેખના નામે ઓળખતા હતા. સિનેમા જગતમાં તેમનો પ્રવાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આશાનું જીવન ત્યારે બદલાયું જ્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર બિમલ રૉયે તેમને ઇવેન્ટમાં ડાન્સ કરતા જોયા અને તેમને પોતાની ફિલ્મમાં (1952) કામ આપ્યું. તે સમયે આશા માત્ર 10 વર્ષનાં હતાં.

ત્યાર બાદ બિમલે વર્ષ 1954માં આવેલી ફિલ્મ `બાપ બેટી`માં આશાને તક આપી અને ફિલ્મ હિટ ન થઈ તો તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની સાથે સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સોળ વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ `ગૂંજ ઉઠી શહનાઈ`માં કરવામાં આવેલા કામ માટે તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.