CIA ALERT

ગુજરાત Archives - Page 132 of 158 - CIA Live

April 3, 2019
water.jpeg
1min7660

રાજકોટ સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસે એક વખત પાણી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે

એક તરફ સૌરાષ્ટ્રમાં ચૂંટણીની ગરમી અને ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, અને બહુમતિ લોકોમાં આ બન્ને મુદ્દાઓ પર ભારે ચર્ચા છેડાયેલી જોવા મળે છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સૌથી વિકટ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે તેના પરત્વે લોકો સાવ અજાણ બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે હાલ આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ છે.

જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે .જ્યારે રાજકોટમાં પ્રતિદિન 20 મિનિટ અને 17 ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યુ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તેમ જ પોરબંદર 3 દિવસે 30 મિનિટ અને પાંચ ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. મોરબી એકાંતરે અડધી કલાક જ્યારે ત્યાંના 14 ગામડામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં ત્રણ દિવસે પાણી હાલમાં મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

April 2, 2019
bjp_logo.png
1min9880

જયેશ બ્રહ્મભટ્ટ

લોકો અને કાર્યકરોમાં જોમ-જુસ્સો ઓસરી ગયા પછી આજે સુરત બેઠક પર ઉમેદવાર જાહેર થશે

સુરત સંસદીય મત વિસ્તાર જેવી સલામત બેઠક પર ભાજપાની કેન્દ્રીય નેતાગીરીએ તા.2લી એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી કોઇ ઉમેદવાર જ ઘોષિત નહીં કરતા સુરત ભાજપાના કાર્યકરોના નૈતિક બળ પર ઘેરી અસર થઇ છે. સ્થાનિક નેતાગીરી પણ અચંબામાં પડી જવા પામી છે. ખુદ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ શુક્રવારે સુરત ખાતે કહ્યું હતું કે મોડામાં મોડું શનિવાર, તા.30મી માર્ચે સાંજ સુધીમાં સુરતના ઉમેદવાર ઘોષિત થઇ જશે. પરંતુ, કેન્દ્રીય મોવડી મંડળ કયા પરિબળોને કારણે સુરત બેઠક પર ભાજપાના ઉમેદવાર ઘોષિત કરવામાં વિલંબ કરી રહી છે એ બાબત અકળ બની છે સાથે જ સ્થાનિક કાર્યકરોના જોમ-જુસ્સાને શાંત કરનારી નિવડી છે. બેશક આની સીધી અસર ભાજપાના પ્રચાર પર પડી શકે તેમ છે.

રોજેરોજ ભાજપાના ઉમેદવારો અંગે નવી નવી અટકળો બહાર આવે છે. તા.2 એપ્રિલ 2019ના રોજ સવારથી આ અટકળોમાં નીતિન ભજીયાવાળાના નામ સાથે દર્શના જરદોષ, અજય ચોક્સી, હેમાલી બોઘાવાલા, દર્શિણી કોઠીયા સિવાય નવું નામ આવ્યું અને એ પૂર્વ એમ.એલ.એ. જનક બગદાણાવાળાનું. મંગળવાર તા.2 એપ્રિલના રોજ સાંજે ક્લીયર થઇ જશે કે ભાજપાનો સત્તાવાર ઉમેદવાર સુરતની બેઠક પર કોણ હશે.

નીતીન ભજીયાવાળા કે જનક બગદાણાવાળા કે સ્કાલલેબ

Nitin Bhajiyawala with PM Narendra Modi at airport once upon a time

દરમિયાન એવી પણ વાતો ઉડી છે કે સુરત બેઠક પર નીતિન ભજીયાવાળાની સાથે પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાવાળાનું નામ કેન્દ્રીય પાર્લામેન્ટમાં ચર્ચાયું છે અને અત્યાર સુધી તેમનું નામ ક્યાંયે પીકચરમાં ન હતું પરંતુ, છેલ્લી ઘડીએ જનક બગદાણાવાળાનું નામ ફેવરીટ લિસ્ટમાં આવી ચૂક્યું છે. વધુમાં સુરતની બેઠક પર તા.2જી એપ્રિલ 2019ના રોજ સુરત સમેત ગુજરાતની તમામ બાકી બેઠકો પર ભાજપા પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દેશે

Janak Bagadna, Ex MLA Gujarat

સુરત બેઠક માટે ભાજપાના ઉમેદવાર ઘોષિત કરવામાં કોંગ્રેસને મૂંઝવણ ઉભી થઇ શકે તે વાત માની શકાય પરંતુ, ભાજપા માટે સલામત ગણાતી સીટ પર કેન્દ્રીય મોવડીઓ વિલંબ કરી રહ્યા છે એ વાતે સ્થાનિક નેતાગીરીનો વિશ્વાસ પણ ડગી ગયો છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ જે ત્રણ નામો મોકલ્યા છે, સિટીંગ એમ.પી. દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા અને સુરત ઉત્તરના પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સી, આ ત્રણ નામો પૈકીના જ એક હોય તો એવું કયું કારણ છે કે તેમાંથી કોઇ એક નામ જાહેર થઇ શકતું નથી.

ઉમેદવાર જાહેર કરવામાં અતિશય વિલંબ થવા ઉપરાંત સ્થાનિક નેતાગીરી પૈકી કોઇને પણ કોઇ બાબતે વિશ્વાસમાં લેવાતા નથી, જેનો સીધો અર્થ એ થાય કે કેન્દ્રીય નેતાગીરી સામે સ્થાનિક નેતાઓની કોઇ વાત ચાલતી નથી, તેમને કોઇ મહત્વ અપાતું નથી. કેન્દ્ર માંથી જે આદેશ આવે તેનું જ સીધું પાલન જ કરવાનું, આવી સ્થિતિને પગલે સ્થાનિક ભાજપાના ઘણાં નેતાઓ પરેશાન છે પણ કોઇ કશું બોલી શકે તેટલા સક્ષમ નથી.

સુરત ભાજપામાંથી કોઇ નેતા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને સીધો ફોન કરવાની હિંમત કરી શકે નહીં પરંતુ, સુરતના બિલ્ડર ગમે તે ઘડીએ અમીત શાહને ફોન કરીને ટિકીટની માગણી કરી શકે છે.

April 2, 2019
morbi.jpg
1min17060

મોરબીમાં 16 સિરામિક કંપની દ્વારા 17.76 કરોડની કર ચોરી, બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : રાજકોટ વાણિજય વેરા વિભાગ દ્વારા ફરિયાદ !

મોરબીમાં 16 સીરામીક કંપનીઓને ટેક્સ ચોરીથી બચવા ખોટી વેપારી પેઢી બનાવીને કરોડોની ટેકચોરી કરવાનું ભારે પડયું હતું.16 સીરામીક કંપનીઓએ વેરો ન ભરવો પડે તે માટે ખોટી વેપારી પેઢી ઉભી કરી તેનું ઇમેઇલ આઈડી બનાવી તેના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બરોબર વેચી નાખી હતી. જો કે જીએસટી વિભાગની તપાસમાં રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી થઈ હોવાનું બહાર આવતા આ મામલે 16 સીરામીક કંપનીઓ સામે ઠગાઈની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટના વાણિજ્ય વેરા વિભાગના અધિકારી વિનોદભાઈ મગનભાઈ મકવાણાએ મોરબીની સીરામીક કંપની રાજન ટાઇલ્સ, લેરિકસ સીરામીક, ઓમકાર સીરામીક, વિનસેલ સીરામીક, હેસ્ટન સીરામીક, ડેલફાઇન સીરામીક, લેવોર્ડ સીરામીક, વિલિયમ્સ સીરામીક, વોલગોસ સીરામીક, કલાસીસ સીરામીક, કુમકુમ સીરામીક, સેલોની સીરામીક, સેમ્સ સીરામીક, ક્રિષ્ના સીરામીક, કેરોન સીરામીક, મોસ્કો સીરામીક એમ મળીને કુલ 16 સીરામીક કંપનીઓના માલિકો સામે રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી કરીને છેતરપીંડી કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ 16 સીરામીક કંપનીના માલિકોએ વેરો ન ભરવો પડે તે માટે કાવતરું રચી ખોટી સીરામીક પેઢી બનાવી હતી.
ખોટી સીરામીક પેઢીના આધારે તે પેઢીના નામનું ખોટું ઇમેઇલ આઈડી બનાવ્યું હતું અને આ ઈમેલ મારફતે પોતાના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી મોરબીના સેવાસદન ખાતે વાણિજ્ય વેરા વિભાગની કચેરીમાંથી જી.એસ.ટી.નો નંબર મેળવી લીધો હતો.
જીએસટીના નંબરના આધારે આરોપીઓ કુલ 3852 ઇવે બિલ જનરેટ કરાવી નાખ્યા હતા.આથી વેરા વિભાગના અન્ય અધિકારી બી.પી.ત્રિવેદીએ આ બાબતની તપાસ કરતા 16 સીરામીક કંપનીઓએ વેરાથી બચવા ખોટા પુરાવાના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બારોબર વેચીને એસ.જી.એસ.ટી. અને યુ.જી. એસ.ટીના રૂ.17.76 કરોડ નહિ ભરપાઈ કરીને ઠગાઈ કર્યાનું બહાર આવ્યું હતું .બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
April 1, 2019
mohan_kundaria.jpg
1min6190
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજકોટના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટે ભાજપના રીપીટ ઉમેદવાર એવા મોહન કુંડારીયાનો પાક વીમાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન સબબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાક વીમાનો પ્રશ્ન પૂછાતા સાંસદ ખુરશી પરથી ઉભા થઈને જતા રહેતા હોવાનું દેખાય છે. આ વિડીયોએ અનેક ચર્ચા જગાવી છે ત્યારે તે વિડીયો ચાર વર્ષ જુનો હોવાનું સાંસદ કુંડારીયા જણાવી રહ્યા છે.
વિડીયોમાં જણાઈ રહ્યું છે કે એક યુવક સાંસદને કપાસ સહિત પાક વીમા મુદ્દે પ્રશ્ન કરે છે ત્યારે કુંડારીયા કહે છે કે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વીમો આપવાની જવાબદારી સરકારની છે, તમારા ધારાસભ્યની આ જવાબદારી છે. સાંસદના આ જવાબથી નારાજ થઈને યુવક કહે છે કે ‘આ તમારી રીત છે જવાબ આપવાની ?’ જેથી સાંસદ કહે છે કે ‘તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થીયરી જ ખોટી  હતી.’ આ વાતચીત બાદ મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને ત્યાંથી જતા રહે છે.
મોહન કુંડારીયા કહે છે વિડીયો ચાર વર્ષ જૂનો છે
સાંસદ મોહન કુંડારીયાએ વાત કરતા જણાવ્યું હતું કે ‘એ વિડીઓ ચાર વર્ષ જુનો છે. વાંકાનેરના કલાવડી નજીક પ્રતાપગઢનો છે. અમે યાત્રા લઈને ત્યાં ગયા હતા. અત્યારે કોંગ્રેસ પાસે મારી વિરુઘ્ધ કોઈ મુદ્દા નથી એટલે નેગેટીવ પ્રચાર કરે છે.’ નોંધનીય છે કે ચૂંટણીના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.
March 30, 2019
gondal.jpg
1min15690
નગરપાલિકા કચેરી સામે જ યુવાનોએ ઝેરી પદાર્થ પી લેતા સારવારમાં: બે યુવાનોને રાજકોટ ખસેડાયા

ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હોય જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આત્મવિલોપન વેળા ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોય તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો.

બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણ દ્વારા ત્રણ દિવસ અગાઉ અપાયેલી ચીમકી મુજબ આજે સવારે 11 કલાકે પાલિકા કચેરીએ પહોંચી ઝેરી પદાર્થ ભરેલા બોટલો મોઢે માંડી આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો આ વેળા બંદોબસ્ત રહેલી પોલીસે પાંચેય યુવાનોની અટક કરી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં અર્જુન ચૌહાણ અને કિશાન પરમાર ને વધુ અસર થતા રાજકોટ ખસેડાયા હતા.
બાવાબારી શેરી માં વિવદિત બિન અધિકૃત બિલ્ડીંગ અંગે જિલ્લા કલેકટર દ્વારા શીલ મારવાનો આદેશ કરાયો હોય પાલિકા તંત્ર દ્વારા કામ અટકાવી શીલ મરાયું હતું પણ તબાણી પરિવાર દ્વારા શીલ તોડી ધરારી પૂર્વક બાંધકામ કાર્યનું સૂત્રોએ જણાવ્યું હતું.
બાવા બારી શેરીમાં અત્યંત સાંકડી જગ્યામાં 5 કે 6 માળનું બિલ્ડીંગ ભવિષ્યમાં જોખમ રૂપ બને ઉપરાંત આ શેરી સંવેદનશીલ પણ હોય અગાઉ બે કોમ વચ્ચે અથડામણ જેવો માહોલ, એક ગૌ સેવક હિરેનભાઈ છાંટબાર ની હત્યા થઇ હતી. આવા સંજોગોમાં શહેરના બજરંગ દળ, હિન્દૂ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ ઉપરોક્ત ગંભીરતાની ટકોર કરી આત્મવિલોપનની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર દ્વારા આ બિન અધિકૃત બાંધકામ શા માટે નથી અટકાવતું તેવો સવાલ કરી તંત્રની નીતિની આકરી ટીકા કરી આગામી સમય માં આ મુદ્દે ન્યાયિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.’ બીજી તરફ આ અંગે તંત્રને લેખિત માં જાણ કરાઇ હોવા છતાં આજે સવારે નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ કે અન્ય જવાબદારો હાજર રહ્યા ન હતા. આ યુવાનોની મહામૂલી જિંદગીનું જાણે કોઈ મૂલ્ય ન હોય તેમ તંત્રની ઘોર બેદરકારી અંગે શહેરભરમાં રોષ ફેલાવા પામ્યો છે, જો પોલીસ હાજર ન હોત તો અઘટિત બનવા પામી હોત ત્યારે આત્મવિલોપન વેળા હાજર ન રહી બેદરકારી દાખવનારો સામે પણ કડક રાહે પગલાં ભરવા સંગઠનો દ્વારા માંગ કરાઈ છે.
March 30, 2019
gir_kesar.jpg
1min16250

મે માસમાં તાલાલા મેંગો માર્કેટ શરૂ થતા કેરીની સીઝન જામશે

કેસર કેરીનો સ્વાદ લેવા માટે વધારે રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં હવામાન પરિવર્તનથી પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. અત્યારે બજારમાં થોડી થોડી આવક થઇ છે. જૂનાગઢમાં ગઇકાલે 100 બોક્સની આવક થતા રુ. 1000-1200માં 10 કિલોનું બોક્સ વેચાયું હતુ.

તાલાલા પંથકમાંઆંબાની ખેતી કરતા ખેડૂત રાજેશ પાનગાડીયા જણાવે છે કે “પંથકમાં કુલ 16,900 હેકટરમાં આંબાની ખેતી થાય છે પરંતુ ઠંડીના કારણે આંબાના કુમળા ફૂલો મોટી સંખ્યામાં ખરી પડયા હતા. હવે જયારે પાક આવવાની તૈયારી છે ત્યારે સાચું ચિત્ર સામે આવે છે. ઠંડી પછી ગરમી અને ભારે વાયરા વાયા હતા તેની અસરે મોરને ભારે નુક્સાન થયું છે. હવે એક ઝાડમાં ક્યાંક વધુ તો એ જ બાગના બીજા ઝાડમાં કોઇ કેરી દેખાતી નથી.
તાલાલામાંથી દર વર્ષે પાક ઓછો હોવાની બૂમ ઉઠે છે પરંતુ વિસ્તાર ઘણો મોટો હોવાને લીધે બજારમાં કેરી મોટાંપાયે આવે છે. જોકે બાગાયતકારોને વ્યક્તિગત નુક્સાની પણ જાય છે. આ વર્ષે પાકના ગણિતો ઓછાં મંડાય છે એટલે ભાવ થોડો ઉંચો રહી શકે છે.
પાક ઓછો ઉતરવાના કારણે ગત વર્ષ કરતા કેરીના ભાવ કમ સે કમ 20 થી 30 ટકા વધારે આપવા પડશે. ગુજરાતના લોકોની પહેલી પસંદ હમેશા કેસર કેરી જ’ રહી છે પરંતુ આ વખતે કેસર કેરી જ ઓછી આવવાથી હવે વધુ ભાવ આપવા પડે તેવું અત્યારે દેખાય છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે માત્ર 1.78 મેટ્રિક ટન કેસર કેરીના ઉત્પાદનની સંભાવના છે જે ગત વર્ષ કરતા 33000 ટન ઓછું છે.
ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને મનગમતા ભાવ મળશે પરંતુ ગ્રાહકોને વધારે ચુકવવા પડશે.’ ગત વર્ષે કેસર કેરીના 20 કિલો બોક્સના ભાવ શરૂઆતમાં 750 હતા અને બાદમાં 550 રૂપિયે સ્થિર થઇ ગયા હતા પરંતુ આ વખતે ભાવ શરૂઆતમાં તો 1200 થી 1500 રૂપિયા રહે તો નવાઈ નહિ. જોકે છેલ્લે છેલ્લે ભાવ ઘટતા હોય છે પરંતુ શરૂઆતમાં ભાવ ઉંચા રહેશે.
March 30, 2019
amit_shah.jpg
1min11030

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા સીટ પર ઉમેદવારી કરવા પૂર્વે આજે તા. 30 માર્ચને શનિવારે અમદાવાદ તેમજ ગાંધીનગરની 18 વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ફરીને મેગા રોડ શૉ કર્યો હતો. મોટી સંખ્યામાં અમદાવાદીઓ સમેત રાજ્યભરમાંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા. ફોર્મ ભરતા પહેલા 4 કિલોમીટર લાંબા રોડ શો જોઇને કોંગ્રેસીઓ મોં માં આંગળા નાંખી ગયા હતા. વિજય મુહૂર્તે ઉમદવારી ફોર્મ ભર્યું હતું.

અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવાના આખા કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અગ્રણીઓ નીતિન ગડકરી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો ભવ્ય રોડ શો #MaiKamalKhilaneAyaHu

Posted by BJP Gujarat on Friday, 29 March 2019

March 29, 2019
hardik.jpg
1min5630

 ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા અને સામાજિક આંદોલનમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા બનેલા હાર્દિક પટેલ પર રાયોટિંગ, રાષ્ટ્રધ્વજનું અપમાન, રાજદ્રોહ, જાહેરનામાના ભંગ સહિતની 25થી વધુ એફઆઈઆર નોંધાયેલી છે અને કેસ પણ ચાલી રહ્યા છે. એ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ પાસે એક ગુનામાં ફટકારાયેલી સજા સસ્પેન્ડ કરવાની અરજી સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો છે. લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટો આંચકો આપ્યો છે. હાર્દિકને વિસનગર કોર્ટે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ અને આગચંપી કરવાના કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે, આ સજાની સામે હાર્દિક પટેલએ ગુજરાત હાઈકોર્ટમાં સજાને સસ્પેન્ડ કરવા અપીલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.

ગુજરાત કોર્ટે હાઇ સેન્સિટીવ બનેલા કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે, નીચલી કોર્ટે જે તથ્યો અને પુરાવાને આધારે ચુકાદો આપ્યો છે તેને ગેરલાયક ઠેરવી શકાય તેમ નથી. હાઈકોર્ટે આ ચુકાદો આપ્યા બાદ હવે હાર્દિક પટેલ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો એકમાત્ર વિકલ્પ બાકી બચ્યો છે. જો સુપ્રીમ કોર્ટે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ મુદત તા.4 એપ્રિલ 2019  પહેલા ચુકાદો ન આપ્યો તો હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડવાથી વંચિત રહી જશે.

હાર્દિક પટેલ સામે રાજ્ય સરકારે પણ ગુજરાત કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે, હાર્દિકને જો સમાજસેવા જ કરવી હોય તો તેના માટે ચૂંટણી લડવાની જરુર નથી. સરકાર તરફે એવી પણ રજૂઆતો થઇ કે હાર્દિક પટેલએ પોતે કાયદાઓનો ભંગ કર્યો છે તે સંજોગોમાં તેને કાયદાને ઘડનારા પ્રજાના પ્રતિનિધિત્વ બનવાની મંજૂરી આપી શકાય નહીં.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હાર્દિક પટેલએ નીચે મુજબનો સંદેશો ટ્વીટ કર્યો હતો

હાર્દિક પટેલે બીજી ટવીટ તરત જ કરી હતી

March 29, 2019
bharat_pandya.jpg
1min9000

આજે સુરત ભાજપા મહાનગર કાર્યાલય ખાતે પત્રકાર પરિષધને સંબોધતા ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની કડક આલોચના કરતા એવું નિવેદન કર્યું હતું કે ચૌકીદાર ચોર નહીં પણ ગાંધી પરિવાર મહાચોર છે.

ચોકીદારી કોની થઇ રહી છે એના જવાબમાં ભરત પંડ્યાએ જણાવ્યું કે દેશનું ગૌરવ અપાવવામાં, દેશનું સન્માન વધારવામાં, ગરીબોની યોજના ગરીબો સુધી પહોંચાડવામાં તમામ કામોમાં ચૌકીદારીને કારણે જ લોકો સુધી યોજના પહોંચી રહી છે.

સુરતની સૌથી સલામત ગણાતી બેઠક પર ભાજપાએ ઉમેદવાર જાહેર કરવામાં અતિશય વિલંબ કેમ કર્યો એવા પ્રશ્ના ઉત્તરમાં ભરત પંડ્યાએ જણાવ્યું કે સુરત અમારા માટે મોડેલ સિટી છે, સુરત મિની ભારત સમાન છે. યોગ્ય સમયે, એકાદ બે દિવસમાં જ સુરતની સીટ પર ભાજપાના સત્તાવાર ઉમેદવારની ઘોષણા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરી દેવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળા, મેયર ડો.જગદીશ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા, ડેપ્યુટી મેયર નિરવ શાહ, વિવેકભાઇ પટેલ, પ્રવીણ ઘોઘારી, અરવિંદ રાણા, નિરંજનભાઇ ઝાંઝમેરા, દર્શિણી કોઠીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

March 29, 2019
congress.jpg
1min4460
અમદાવાદ, તા.28: કોંગ્રેસે ગુજરાત લોકસભા માટે વધુ સાત નામો જાહેર કર્યા છે. વર્તમાન ચાર ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. અત્યાર સુધીમાં કુલ 13 નામો જાહેર થયા છે હજુ 13 નામો જાહેર થવા બાકી છે. રાજકોટ જેવી પ્રતિષ્ઠિત બેઠક માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા, પોરબંદર માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને જૂનાગઢ માટે ઉનાના અનુભવી ધારાસભ્ય પૂંજાભાઇ વંશની પસંદગી કરી છે.રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી લોકસભાની 26 બેઠકો પૈકી આજે બીજા 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક બાદ પાટણ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બારડોલી અને વલસાડ તેમજ પંચમહાલ બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની’ પસંદગીને લઇને કોંગ્રેસમાં કોકડું ગુચવાયેલું છે. અગાઉ કોંગ્રેસે 6 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા હતા.’
આજરોજ જાહેર કરાયેલા 7 લોકસભા બેઠકના ઉમેદવારોમાંથી 4 બેઠક પર કોંગ્રેસ તેમના વર્તમાન ધારાસભ્યો ઉપર ભરોસો મુકીને તેમને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં જુનાગઢથી પુંજાભાઇ વંશ, રાજકોટથી લલિત કગથરા, પોરબંદરથી લલિત વસોયા અને વલસાડથી’ જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.’ આ ઉપરાંત પાટણથી જગદીશ ઠાકોર, પંચમહાલથી વી.કે. ખાંટ અને બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ ફાળવવામાં આવી છે.
અગાઉ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ પર રાજુ પરમાર, આણંદમાં ભરતસિંહ સોલંકી, વડોદરામાં પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરમાં રંજીત રાઠવા, કચ્છથી નરેશ મહેશ્વરી, નવસારીથી ધર્મેશ પટેલનું નામ જાહેર કર્યુ હતું. આમ અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે 13 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોંગ્રેસે એકપણ મહિલાના નામની ઘોષણા કરી નથી.
દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ ંકે, કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. આજે ગુજરાતની સાત બેઠકના ઉમેદવાર સાથે કુલ 13 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે અને બાકીની બેઠકો એકાદ-બે દિવસમાં જાહેર કરી દેવામાં આવશે.’ મહત્વનું છે કે, આજથી ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઇ છે. 4 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.