CIA ALERT
06. June 2023

બોલીવુડ Archives - CIA Live

November 7, 2022
alia.png
1min104

બોલીવૂડનાં સૌથી ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે મમ્મી પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાન સહિત સમગ્ર બોલીવૂડમાં જશ્નનો માહોલ સર્જાયો છે. 

આજે બપોરે બરાબર ૧૨.૦૫ કલાકે એક ખાનગી હોસ્પિટલમાં આલિયાની ડિલિવરી થઈ હતી. સંયોગોવસાત આ એ જ હોસ્પિટલ છે જ્યાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાંથી જ કપૂર ખાનદાનમાં નવા પરિવારની પધરામણી થઈ હતી. 

અગાઉ સવારે ૭.૩૦ કલાકના અરસામાં રણબીર કપૂર આલિયાને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે પછી ભટ્ટ અને  કપૂર ખાનદાનના પરિવારના એક પછી એક સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દ ીકરી જન્મની સત્તાવાર વધામણીમાં કહેવાયું હતું કે, ‘અમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે, અમારી બેબી અહીં આવી પહોંચી છે અને તે અદ્ભૂત મેજિકલ ગર્લ છે. અમે હવે ભરપૂર આશીર્વાદ અને પ્રેમથી ઘેરાયેલાં માતાપિતા બન્યાં છીએ.’

રણબીરની બહેન રિદ્ધિમાએ પણ ભત્રીજીનાં જન્મની વધામણી ખાતાં કહ્યું હતું કે સમગ્ર પરિવાર ભારે હર્ષ અને ગૌરવ અનુભવે છે. આ ભત્રીજીને ફઈ પહેલેથી જ બહુ પ્રેમ કરે છે. 

બોલીવૂડના તમામ ટોપના સ્ટાર્સ અને હિરોઈનોએ આલિયા તથા રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. સોનમ કપૂર સહિતની હિરોઈનોએ જણાવ્યું હતું કે તેઓ આલિયાની બેબીને વહેલી તકે રમાડવા માટે ઉત્સુક છે. 

ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે ગયાં એપ્રિલ માસમાં લગ્ન કર્યાં હતાં. તેના ચાર મહિના પછી તેમણે આલિયા માતા બની રહી હોવાનું જાહેર કર્યું હતું. 

આલિયા બેબીનું નામ અલમા રાખશે કે નહીં 

એક ટીવી રિયાલિટી શોમાં આલિયાએ કહ્યું હતું કે તેને અલમા નામ પસંદ છે. પોતાને દીકરી જન્મશે તો તેનું નામ અલમા રાખશે. હવે આલિયા ટીવી શોમાં જાહેર કરેલી આ વાત નિભાવે છે કે કેમ તે જાણવા તેના ચાહકો આતુર છે. 

ભાવિ સુપરસ્ટારનો જન્મ 

આલિયા અને રણબીરની બેબીનાં ભવિષ્ય વિશે જાતભાતની અટકળો પણ શરુ થઈ ગઈ છે. બોલીવૂડના એક ન્યૂમરોલોજિસ્ટે કહ્યું હતું આ બેબી બુધ અને શુક્રનો શુભ યોગ લઈને આવી છે. તેનો ભાગ્યાંક ૫ છે. આલિયા માટે ૩૦મું વર્ષ શુકનવંતું છે અને તેમાં આ બેબી જન્મી છે. આ તારીખ પર શુક્રનો પ્રભાવ છે એટલે માની લો કે  ભવિષ્યના સુપરસ્ટારનો જન્મ થઈ ગયો છે.  જન્મકુંડળીમાં સૂર્યનાં સ્થાન પ્રમાણે તેની રાશિ વૃશ્ચિક આવી છે. તેની માસી શાહીન ભટ્ટની સૂર્યરશિ પણ વૃશ્ચિક છે. બોલીવૂડમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંનેની સૂર્યરાશિ વૃશ્ચિક છે. 

September 28, 2022
Asha_Parekh.jpg
1min210

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thackeray) Dated 27/9/22, મંગળવારે કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને (Legendry Actress Asha Parekh) 2020ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Falke Award) સન્માનિત કરવામાં આવશે. જણાવવાનું કે દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. ભારતીય સિનેમા જગત આજે જે મુકામ પર છે આને ત્યાં સુધી લઈ જવામાં આશા પારેખનું મોટું યોગદાન છે.

આશા પારેખ (ફાઈલ તસવીર)

79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, ત્રીજી મંજિલ અને કારવાં જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમાની આઇકૉનિક એક્ટ્રેસ માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે એવૉર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતે પ્રશંસિત ટેલીવિઝન શૉ કોરા કાગજનું નિર્દેશન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે.

આશા પારેખે બાળ કલાકાર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને બેબી આશા પારેખના નામે ઓળખતા હતા. સિનેમા જગતમાં તેમનો પ્રવાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આશાનું જીવન ત્યારે બદલાયું જ્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર બિમલ રૉયે તેમને ઇવેન્ટમાં ડાન્સ કરતા જોયા અને તેમને પોતાની ફિલ્મમાં (1952) કામ આપ્યું. તે સમયે આશા માત્ર 10 વર્ષનાં હતાં.

ત્યાર બાદ બિમલે વર્ષ 1954માં આવેલી ફિલ્મ `બાપ બેટી`માં આશાને તક આપી અને ફિલ્મ હિટ ન થઈ તો તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની સાથે સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સોળ વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ `ગૂંજ ઉઠી શહનાઈ`માં કરવામાં આવેલા કામ માટે તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

September 21, 2022
1min135

‘સબકો હસાને વાલા રુલા ગયા’પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રાવાસ્તવનું અવસાન થઈ ગયું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમનાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારે આ વાતની જાણકારી આપી છે. 10 ઓગ્ષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને સહકાર્યકરો તરફથી સતત અપડેટ્સ મળી રહ્યા હતા. 

સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારાના સમાચાર પણ આવ્યા હતા પરંતુ હવે તેમના મૃત્યુના દુઃખદ સમાચારે બધાને મોટો આંચકો આપ્યો છે.

10 August 2022

રાજુ શ્રીવાસ્તવની ટીમ દ્વારા જણાવાયા અનુસાર તેઓ કોઈ કામસર દિલ્હી ગયા હતા ત્યારે જીમમાં ટ્રેડ મીલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા. એ વખતે તેમને અચાનક છાતીમાં ભારે દુઃખાવો શરુ થયો હતો. 

તેમને તુરત જ દિલ્હી એઈમ્સમાં લઈ જવાયા હતા જ્યાં તેમને માઈલ્ડ હાર્ટ એટેક હોવાનું જણાતાં તરત જ સારવાર શરુ કરાઈ હતી. 

July 24, 2022
Shamshera.jpg
1min138

રણબીર કપૂર અને સંજય દત્તની બહુ ગાજેલી ફિલ્મ શમશેરાને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઠંડો પ્રતિસાદ મળ્યો છે.

મળતી વિગતો પ્રમાણે પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સવારે ફિલ્મના શોમાં થોડી ઘણી ગીરદી જોવા મળી હતી પણ સાંજ પડતા સુધીમાં  ફિલ્મની કમાણીમાં ઓટ આવી ગઈ હતી.

જાણકારોનુ માનવુ છે કે, શમશેરાએ નિરાશાજનક શરૂઆત કરી છે અને આ પ્રકારના ઓપનિંગ સાથે ફિલ્મની બમ્પર કમાણી મુશ્કેલ બનશે.

શમશેરા ફિલ્મ પર બોલીવૂડને ઘણી આશાઓ છે. કારણકે તેમાં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ છે. કોરોના મહામારી બાદ બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી આ બીજી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ ભારતમાં 4000 કરતા વધારે સ્ક્રીન પર રિલિઝ કરાઈ છે. તેના પહેલા કેજીએફ પાર્ટ ટુને જ વધારે સ્ક્રીન મળ્યા હતા.

મુંબઈ સરકીટમાં શમશેરાએ ખાસ બિઝનેસ કર્યો નથી. હવે શનિવાર અને રવિવારના વીકએન્ડમાં થનારી કમાણી ફિલ્મનુ ભવિષ્ય નક્કી કરશે.

June 9, 2022
prithvi.jpg
1min163

કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારનું નિરૂપણ કરતી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારોએ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી હતી. હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ઉપર ટેક્સ નહી લગાવવા માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે.

અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ઈતિહાસને રજૂ કરતી આ મૂવી પર રાજ્યમાં કોઈ ટેક્સ નહિ વસૂલાય.

આ અગાઉ લોન્ચિંગ પૂર્વે જ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારોએ મૂવીને ટેક્સ ફ્રી કરવાની ગત ગુરુવારે જાહેરાત કરી હતી. 

ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પૂર્વ મિસ વર્લ્ડ માંનુસી છીલ્લર પણ કામ કરી રહી છે. આ ઉપરાંત, ખાસ સ્ક્રીનીંગમાં હાજર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના રાજ્યમાં ફિલ્મ ઉપર કોઇપણ ટેક્સ લેવામાં નહી આવે એવી જાહેરાત કરી હતી. 

અઢી કલાક લાંબી આ ફિલ્મ માતૃભૂમિ માટેનો જંગ જ નહી પણ એ સમયની સંસ્કૃતિનું પણ નિરૂપણ કરે છે એમ જણાવતા અમિત શાહે સ્કીનિંગ વખતે કહ્યું હતું કે જે લોકો મહિલા સશક્તિકરણની અત્યારે વાત કરી રહ્યા છે તેમણે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે 1191ના યુદ્દમાં પરાસ્ત કર્યો હતો પણ બીજા વર્ષે તે હારી ગયા હતા. 

વર્ષ 1025માં મોહમ્મદ ઘોરીના આક્રમણથી શરુ થયેલી આ લડાઈ ભારતની આઝાદી સાથે ખત્મ થઇ છે. અહી ઉલ્લેખનીય છે કે ઘોરીએ ગુજરાતના કાંઠે આવેલા સોમનાથ મંદિરને એક કરતા વધારે વખત તોડી પાડી લુંટ ચલાવી હતી.

Prithviraj Poster: Akshay Kumar, Manushi Chhillar set to present a tale of  valour as the emperor & his beloved | PINKVILLA
June 1, 2022
kk.jpg
1min171

કોલકાતા ખાતે એક કાર્યક્રમ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ ગાયક કેકેનું મંગળવારના રોજ અવસાન થયું છે. 

ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. 

ડોક્ટર્સના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે પરંતુ કેકેના મોઢા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશન ખાતે કેકેના અપ્રાકૃતિક મૃત્યુનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કેકેના પરિવારની રાહ જોઈ રહી છે. પરિવારની મંજૂરી બાદ અને બોડીની ઓળખવિધિ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કેકેના પત્ની અને દીકરો કોલકાતા પહોંચી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.તેઓ કોલકાતાના નજરૂલ મંચ પર ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન પ્રસ્તુતિ આપી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ તેઓ જે હોટેલમાં રોકાયા હતા તેની સીડીઓ પરથી કથિત રીતે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હોવાની જાણકારી આપી હતી. 

કેકે તેમના ‘પલ’ અને ‘યારોં’ જેવા ગીતો માટે પ્રખ્યાત છે જે 1990ના દશકાના અંતમાં યુવાવર્ગમાં ખૂબ જ હિટ રહ્યા હતા. આ ગીતો મોટા ભાગે શાળા અને કોલેજીસના વિદાય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકપ્રિય છે. 

કેકેના 1999માં આવેલા પ્રથમ આલ્બમ ‘પલ’ની સંગીત સમીક્ષકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. 2000ના દશકની શરૂઆતથી તેમણે પાર્શ્વ ગાયનમાં પોતાની કરિયર બનાવી અને બોલિવુડની ફિલ્મો માટે પણ લોકપ્રિય ગીતોની એક વિસ્તૃત શૃંખલા રેકોર્ડ કરી. તેમણે હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય કેટલીય ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા હતા.

April 22, 2022
tulsi.jpg
1min149

Film Star અક્ષય કુમારે હાલમાં બોલીવૂડ સ્ટાર અજય દેવગણ અને શાહરૂખ ખાનની સાથે Tulsi પાન મસાલાની બ્રાન્ડની જાહેરાત કરી હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો.  ફેન્સે કાન આમળીને અક્કીને તેની ભૂલનું ભાન કરાવ્યું અને અક્કીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સની માફી માગી છે.

આ પોસ્ટમાં અક્કીએ કહ્યું છે કે હું મારા ફેન્સ અને શુભેચ્છકોની માફી માંગું છું. છેલ્લા કેટલાક દિવસથી તમારા તરફથી મળી રહેલી પ્રતિક્રિયાઓએ મને હચમચાવી મૂક્યો છે. રિયલ લાઈફમાં હું તમાકુનું સેવન કરતો નથી. તમે લોકોએ ટ્રોલ કરીને મને મારી ભૂલનું ભાન કરાવ્યું છે અને હું તમારી લાગણીનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’ ઉલ્લેખનીય છે કે અક્કી આગળ ઘણી વખત એવું કહી ચૂક્યો છે કે ગુટકા કંપની દ્વારા મને જાહેરાત કરવા માટે કરોડો રૂપિયાની ઑફર આવે છે, પણ હું એ સ્વીકારતો નથી, કારણ કે તે મારી સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોકે અક્કી એકલો નથી કે જેણે ગુટકા, તમાકુ કે પાનમસાલાની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લીધો હોય.

પુષ્પા રાજ ઉર્ફે અલ્લુ અર્જુને પણ તમાકુ કંપનીની કરોડો રૂપિયાની ઓફર્સ ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્ર્વાસ કરીએ તો એક કંપનીએ અલ્લુને તમાકુની જાહેરાત માટે કરોડો રૂપિયાની ફી ઓફર કરી હતી પણ અલ્લુએ એવું કહીને એ ઓફર ઠુકરાવી દીધી હતી કે હું મારા ચાહકો સામે કોઈ પણ ખોટી વસ્તુને પ્રમોટ નથી કરવા માગતો. હું પોતે તમાકુ ખાતો નથી તો પછી હું શા માટે તમારૂ કંપનીની બ્રાન્ડને એન્ડોર્સ કરું?

April 20, 2022
junier_ntr.jpg
1min214

21 દિવસ ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે, બ્રહ્મચર્યનું પાલન કરશે

ડિરેક્ટર એસ એસ રાજમૌલિની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ની સફળતા બાદ એક્ટર રામ ચરણે ભગવાન અયપ્પા સ્વામીનું 45 દિવસનું કઠોર મહાવ્રત કર્યું હતું. હવે જૂનિયર NTRએ પણ હનુમાન દિક્ષા લીધી છે. 

જુનિયર NTR 21 દિવસ સુધી ઉધાડા પગે રહેશે. એમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં તે ભગવા રંગના કપડાં, ગળામાં માળા અને માથામાં તિલક સાથે દેખાઇ રહ્યો છે. 

જૂનિયર NTRએ હનુમાન જયંતિ પર પૂજા કરી હતી. હવે તે 21 દિવસ સુધી દીક્ષાનું સંપૂર્ણ રીતે પાલન કરશે. આ દરમિયાન તે ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે. 

April 16, 2022
kgf2.jpg
1min202
K.G.F Chapter 2 | Official Trailer |Yash |Srinidhi Shetty|Sanjay  Dutt|Prashanth Neel|Concept Trailer - YouTube

 કેજીએફ ચેપ્ટર 2એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ઉપર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના ક્રેઝને ધ્યાને લઈને અનુમાન લગાડવામાં આવ્યું હતું તે સાચુ પડયું છે. પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મે ઓપનિંગ ડે ઉપર કમાણીના તમામ જુના રેકોર્ડ તોડી નાખ્યા છે. વોર, ઠગ્સ ઓફ હિન્દૂસ્તાન અને બાહુબલી 2ને પછાડતા કેજીએફ : ચેપ્ટર 2 હવે પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે દેશભરમાં 134.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે હિન્દી વર્ઝનમાં 63.66 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્દીમાં પહેલા દિવસે સૌથી વધારે કમાણીનો રેકોર્ડ ટાઈગર શ્રોફ અને રિતિકની ફિલ્મ વોરના નામે હતો. જેનું નેટ કલેક્શન 53.35 કરોડ હતું. જ્યારે કેજીએફનુ’ નેટ કલેક્શન 53.95 કરોડ રૂપિયા રહ્યું છે.

April 11, 2022
rrr.jpg
1min175

એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે.

ફિલ્મ હવે 1000 કરોડની કમાણી કરનાર ફિલ્મોની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.રામચરણ તેજા અને જુનિયર એનટીઆર અભિનિત ફિલ્મ તમામ રેકોર્ડ તોડી રહી છે.

આ પહેલા આમિર ખાનની દંગલ અને પ્રભાસની ફિલ્મ બાહુબલી 1000 કરોડની ક્લબમાં સામેલ થયેલી છે.બાહુબલીએ 1800 કરોડની લાઈફ ટાઈમ કમાણી કરી હતી.જ્યારે દંગલે 2024 કરોડ રુપિયા કમાણી કરી હતી.

RRRના કારણે જોહન અબ્રાહમની ફિલ્મ એટેક સુપર ફ્લોપપ સાબિત થઈ છે.RRRનુ હિન્દી વર્ઝન પણ 213 કરોડ રુપિયાની કમાણી કરી ચુકયુ છે.ત્રીજા સપ્તાહમાં પણ RRR બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે.