CIA ALERT
19. March 2024

ગુજરાત Archives - CIA Live

March 18, 2024
Cia_business_news-1280x936.jpg
1min15

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નું પ્રદર્શન યોજાશે

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે, તમામ સેગમેન્ટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્‌સ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાશે

ઓટો એક્ષ્પોમાં ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા રૂ. પ લાખથી પ કરોડ સુધીની કારનું પ્રદર્શન, લોકો સપનાનું વાહન ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઇવ લઇ શકશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની છઠ્ઠુી એડીશન યોજાઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧પ માર્ચ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, એસઆઇઇસીસી ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્ય તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (ય્બહભ)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ અને કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરા સ્પેશિયલ ગેસ્ટ્‌સ તરીકે સ્થાન શોભાવશે.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં દેશ – વિદેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ એકઝીબીશન ગણાય છે. આ એક્ષ્પો ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવીનતમ નવીનતાઓ અને વિકાસનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શન ઉદ્યોગકારો, વ્યાવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક આ એક્ષ્પો પૂરી પાડશે. આ એકઝીબીશનમાં મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાશે, આથી આ પ્રદર્શનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે.

મુખ્ય આકર્ષણો….
– તમારા સપનાનું વાહન ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઇવ
– રૂ. પ લાખથી પ કરોડ સુધીની કાર
– ઇલેકટ્રીક અને હાઇબ્રીડ વ્હીકલનું વિશાળ પ્રદર્શન
– પ્રથમ વખત મોટર હોમ / વેનીટી વાન
– પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ
– ઓટો કમ્પોનન્ટ્‌સ, એકસેસરીઝ, વર્કશોપ ટુલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્‌સ
– તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના વ્હીકલનું પ્રદર્શન
– ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક

March 15, 2024
cia_multi-1280x1045.jpg
1min52

  • ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 400 દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ પ્રમાણપત્રો એનાયત કરાશે
  • ડાયમંડ હોસ્પિટલ દ્વારા કમસેકમ રૂ.250 કરોડની રકમની રાહત દર્દીઓને તેમના મેડીકલ બિલમાં કરાવી આપવામાં આવી
  • છેલ્લામાં 10 વર્ષમાં 11.64 લાખ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી
  • ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 2000થી વધુ દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ સુપરત કરવામાં આવ્યા છે.

તા.22મી ફેબ્રુઆરી 2014ના રોજ જેની સ્થાપના થઇ હતી એ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલે સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. દશાબ્દી વર્ષની પૂર્ણાહૂતિના વિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સી.પી.વાનાણી તેમજ સેક્રેટરીશ્રી દિનેશ નાવડીયાએ પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું છે કે દશાબ્દી મહોત્સવનું આયોજન તા.17મી માર્ચને રવિવારે સાંજે 5.30 કલાકે કિરણ હોસ્પિટલ-2 ગ્રાઉન્ડ, લેક ગાર્ડન પાસે, ડિજિટલ વેલી, મોટા વરાછા મેઇનરોડ ખાતે કરવામાં આવ્યું છે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કમસેકમ 5000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

છેલ્લા 10 વર્ષમાં 11 લાખ 64 હજારથી વધુ દર્દીઓને ડાયમંડ હોસ્પિટલે જરૂરી જરૂરી તબીબી સેવા પૂરી પાડી છે. 26,556 ગર્ભવતી મહિલાઓની ડિલિવરી અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે. જુદાજુદા સમાજના લોકોને અંદાજે રૂ.250 કરોડથી પણ વધુ રકમની રાહત તબીબી સેવા, સુવિધાઓમાં કરી આપવામાં આવી છે. ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર 2000 દિકરીઓને રૂ.1 લાખના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે.

શ્રી સી.પી.વાનાણી અને શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે અમને આનંદ છે કે દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે વધુ 400 દિકરીઓને 1-1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તાર ખાતે રત્નકલાકાર તેમજ દરેક સમાજના જરૂરીયાત મંદ પરીવારોને પરવડે તેવી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના ભૂમિદાનથી નામકરણના મુખ્યદાતા કિરણ જેમ્સના વલ્લભભાઇ લાખાણી પરિવાર તથા ટ્રસ્ટી દાતાશ્રીઓના સહયોગથી રૂ.425 કરોડના ખર્ચે 450 બેડની કિરણ હોસ્પિટલ-2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરકી દેવાનું આયોજન છે.

આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા સમારોહના અધ્યક્ષ તરીકે જ્યારે કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઇ એસ. લાખાણી, રાજ્યસભાના નવનિર્વાચીત સદસ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા અને આલિધ્રા ગ્રુપના  શ્રી હંસરાજભાઇ ગોંડલિયા ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રુપાલા, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શના જરદોષ, રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મેયર સુરત શ્રી દક્ષેશભાઇ માવાણી અને સાંસદ બારડોલી શ્રી પ્રભુભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.

November 27, 2023
weather-forecast.jpg
1min263

રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

October 4, 2023
Cia_business_news-1280x936.jpg
1min339

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેર સહિત ગુજરાતના મોટા ગજાના બિલ્ડરો હાલ ઇજિપ્ત પહોંચ્યા છે. ઇજિપ્ત ખાતે ક્રેડાઇની વાર્ષિક ઇવેન્ટ નેટકૉનનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારી આ ઇવેન્ટ આગામી તા.5 ઓક્ટોબરને શુક્રવારના રોજથી શરૂ થઇ રહી છે.

CREDAI ગુજરાત અને અમદાવાદ ચેપ્ટર દ્વારા સંયુક્ત રીતે ઇજિપ્તમાં 21મી NATCON – CREDAI-ઇન્ડિયાની વાર્ષિક ઇવેન્ટ – હોસ્ટ કરવામાં આવી છે. સંમેલનમાં 1,300 થી વધુ બિલ્ડરો, લેન્ડ ડેવલપર્સ ભાગ લઇ રહ્યા છે. સમગ્ર ભારતના બિલ્ડર્સ અને ડેવલપર્સ ઇજિપ્તની ભૂમિ પર હાલ એકત્રિત થયા છે.
સ્ટેટ રિયલ્ટી એસોસિએશને ભારતથી ડેવલપર્સને ઇજિપ્તના શર્મઅલશેખમાં આવેલા ભવ્યાતિભવ્ય રિક્સોસ પ્રીમિયમ રિસોર્ટ સુધી લઇ જવા માટે 187 થી 250 સીટરની છ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ બુક કરવામાં આવી હતી.

વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ચર માટે જાણિતા શહેરો પૈકીના ઇજિપ્તના અગ્રણી અદ્ભુત શહેરની અભ્યાસ પ્રવાસની સાથે, CREDAI એ ઈન્ડો-ઈજિપ્ત બિઝનેસ મીટનું પણ આયોજન કર્યું છે જેમાં બે કેન્દ્રીય મંત્રીઓ અને ઈજિપ્તના ટોચના મંત્રીઓ અને બંનેના બિઝનેસ ટાયકૂન્સની હાજરી જોવા મળશે. વિકાસકર્તાઓ રિયલ્ટી, પેટ્રોકેમિકલ્સ, બેન્કિંગ અને ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગની અપેક્ષા રાખે છે.

નેટકૉનમાં ઇજિપ્તના આર્કિટેક્ચર, વ્યાપાર અને નીતિઓ પર ટેકનિકલ સત્રો યોજશે જેથી તેની કામગીરીની સમજ મળી શકે.

September 29, 2023
.jpg
1min406

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં રૂ.2 હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચી લેવાના આશય સાથે આ નોટના વ્યવહારુ ઉપયોગ માટે આપેલી કટઓફ ડેટ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બર છે. છેલ્લા છ મહિનામાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો બેંકોમાં જમા થઇ ચૂકી છે. આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે નવી ગાઇડલાઇન જારી થાય તેવી શક્યતાઓ બેંકર્સ જૂથમાંથી સંભળાય રહી છે.
તા.8મી નવેમ્બર 2016ના રોજથી ભારતમાં રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો નાબૂદ થઇ હતી અને રૂ.500ની નવી અને રૂ.2000ની ચલણી નોટ પ્રથમ વખત ચલણમાં મૂકવામાં આવી હતી. 71 મહિના બાદ આવતીકાલ તા.20મી નવેમ્બર 2023ના રોજ રિઝર્વ બેંકે આપેલી સૂચના અનુસાર રૂ.2000ના ચલણી નોટનો વ્યવહારુ ભારત સહિત વિદેશોમાં પણ ઉપયોગ બંધ થઇ જશે. દક્ષિણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સરકારી બેંકો, સહકારી બેંકો અને પ્રાઇવેટ બેંકો મળીને અત્યાર સુધીમાં અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો જમા થઇ ચૂકી છે અને આ પૈકીની મોટા ભાગની નોટો રિઝર્વ બેંકને સુપરત પણ કરી દેવામાં આવી છે. છેલ્લા એકાદ મહિનાથી તો બેંકોમાં અઠવાડીયે માંડ એકાદ બે ખાતેદારો દ્વારા પાંચ-પંદર નોટો જમા કરાવવામાં આવી રહી છે. સામાન્ય રહેવાસીઓ પાસે હવે રૂ.2000ની દરની નોટો વધુ સંખ્યામાં હોવાની કોઇ શક્યતા નથી રહી એમ બેંકીંગ વર્તુળોમાંથી જાણવા મળે છે.
બેંકર્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે વધુ એક ગાઇડલાઇન જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. એવું બની શકે કે ફક્તને ફ્કત બેંકમાં જ રૂ.2 હજારના દરની ચલણી નોટ જમા કરાવી શકાય તેવી અવધિ આપવામાં આવે પરંતુ, હજુ સુધી રિઝર્વ બેંકે આ અંગે કોઇ જ ગાઇડલાઇન બહાર પાડી નથી. ફક્ત શક્યતાઓ જોવાય રહી છે.

September 1, 2023
WhatsApp-Image-2023-08-31-at-20.42.30-1280x853.jpeg
1min180

મિશન ૮૪ અંતર્ગત વૈશ્વિક માર્કેટમાં ઝંપલાવવા સુરતના ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ બનાવવી પડશે : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં તેમણે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતને ચાઇનાનો વિકલ્પ બનવા માટે સુવર્ણ તક છે. હાલ ગ્લોબલી માર્કેટનો ટ્રેઇન્ડ ચાલી રહયો છે ત્યારે વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ પર ધ્યાન આપવું પડશે. પ્રોડકટ કોઇપણ હોય પણ તેમાં કવોલિટી જોઇશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં મુખ્યમંત્રી સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઇ રહયું છે. જેના અંતર્ગત ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં રહી બિઝનેસ કરતા ભારતના ૮૪૦૦૦ ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરી રૂપિયા ૮૪૦૦૦ કરોડના દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો પ્રયાસ થઇ રહયો છે.

તેમણે મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતની વિવિધ કોન્ફરન્સમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને સરકાર તરફથી રજૂ કરવામાં આવે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં મિશન ૮૪ના બ્રોશરનો સમાવેશ કરવામાં આવે.

વધુમાં તેમણે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પરિસરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એકઝીબીશન હોલ બનાવવા માટે સરકાર દ્વારા જે રૂપિયા ર૪ કરોડ જેટલી રકમ મંજૂર કરી છે તે માટે રાજ્ય સરકારનો આભાર માની તેમના વરદ્‌ (મુખ્યમંત્રીના) હસ્તે ખાતમૂહુર્તવિધિ સંપન્ન થાય તે માટે તેમને અનુકુળ તારીખ આપવા વિનંતી કરી હતી.

આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા પૂર્વ પ્રમુખો અશોક શાહ, રાજેન્દ્ર ચોખાવાલા, બી.એસ. અગ્રવાલ, રોહિત મહેતા, દિનેશ નાવડિયા ઉપરાંત ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાલા તેમજ ધારાસભ્યો વિનુભાઇ મોરડીયા, સંદિપ દેસાઇ અને મનુભાઇ પટેલ તથા કલેકટર આયુષ ઓક અને મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા. મિટીંગનું સંચાલન માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું.

July 14, 2023
gold-smuggling.jpg
1min407

પાછલા એક જ સપ્તાહમાં સુરત એરપોર્ટ પર શારજાહથી આવેલા ત્રણ યુવકો અને એક મહિલા દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરાગ દવેની સંડોવણી સામે આવી હતી. એ પછી ચાર જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા પેસેન્જરો દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં અમદાવાદ એરપોર્ટ સ્ટાફની સંડોવણી સામે આવી છે.

અમદાવાદ એરપોર્ટ સ્ટાફ જ ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ હોવાની માહિતી મળી રહી છે. DRIએ બાતમીના આધારે તપાસ કરી તો આ અંગે માહિતી સામે આવી હતી. બેંગકોકથી આવેલા 2 મુસાફરો પાસે 1 કિલો આસપાસ સોનું હતું. જે તેણે ચેકઈન કાઉન્ટર પાસે એક ટોઈલેટમાં એરપોર્ટ અધિકારીને સોંપી દીધું હતું. DRIની ટીમે ત્યારપછી આ અધિકારીને પકડી પાડ્યો અને ત્યારપછી હવે એરપોર્ટ પર થઈ રહેલી ગોલ્ડ સ્મગલિંગ અને ચોરીની ઘટનાઓનો પણ પર્દાફાશ થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી 947 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની માર્કેટમાં અંદાજિત કિંમત 58 લાખ રૂપિયા આસપાસ છે. અધિકારીઓએ આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે એરપોર્ટ સ્ટાફની આ હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. અત્યારે આમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે બાતમીના આધારે કાર્યવાહી કરીને, DRI અધિકારીઓ બુધવારે બે મુસાફરોને ફોલો કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અધિકારીઓને મોટી સફળતા મળી હતી. એટલું જ નહીં એરપોર્ટ સ્ટાફ કેવી રીતે ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલો છે એ પણ સામે આવી ગયું હતું. જાણો કેવી રીતે DRIએ ભાંડો ફોડ્યો હતો.

એરપોર્ટ સ્ટાફની ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવણી
અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અગાઉ પણ આવી એક ઘટના સામે આવી ચૂકી હતી. તેવામાં બુધવારે અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ત્યાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. બેંગકોકથી અમદાવાદ મુસાફરી કરી રહેલા 2 પેસેન્જર પાસે 58 લાખ રૂપિયાનું સોનું હોવાની બાતમી મળી હતી. DRIની ટીમ સતત એરપોર્ટ સ્ટાફ અને પેસેન્જરો પર નજર રાખીને બેઠી હતી. ત્યારે તેમની સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બેંગકોક ફ્લાઈટ પર નજર રાખીને બેઠેલી અધિકારીઓની ટીમને એ 2 શખસો મળી જ ગયા જેમની પાસે લગભગ 1 કિલો આસપાસ સોનુ હતું.

ઉલ્લેખનીય છે કે આ 2 શખસો પાસેથી ગોલ્ડ બાર લઈને એરપોર્ટ સ્ટાફના કર્મચારીએ મોટી ગેમ રમી હતી. DRIને જાણ થઈ ગઈ હતી કે અહીં એરપોર્ટ સ્ટાફનો કર્મચારી પણ આ કાંડમાં સંડોવાયેલો છે. તેવામાં તેણે જેવું ગોલ્ડ બારને એરપોર્ટ પ્રિમાઈસિસથી સગેવગે કરવાની કોશિશ કરી કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ સ્ટાફની પણ આ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સંડોવણી હોવાથી હવે આ તપાસનો ગંભીર મુદ્દો બન્યો છે.

ગોલ્ડ સ્મગલિંગની 15 દિવસમાં બીજી ઘટના
નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં આ બીજી ઘટના છે જેમાં એરપોર્ટ પરથી સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ અમદાવાદ એરપોર્ટના સ્ટાફના કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. એટલું જ નહીં હજુ પણ વધારે અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એવી વિગતો પણ મળી રહી છે. નોંધનીય છે કે અગાઉ એક કિસ્સા પર નજર કરીએ તો કેનેડા જતી એક વૃદ્ધ મહિલાએ બેગેજમાં 10 તોલા સોનાના દાગીના અને ચાંદીના વાસણો મૂક્યા હતા. પરંતુ તે મુંબઈ પહોંચે ત્યાં સુધીમાં તો તેના હેન્ડબેગમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હતા. અત્યારે હવે ચિંતાજનક વાત એ છે કે અમદાવાદ એરપોર્ટ પર ચોરી અને ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આને લઈને કાર્યવાહી પણ વધુ વેગવંતી થવી જોઈએ.

June 29, 2023
urban.jpg
1min306

ગુજરાતભરના મિડીયામાં પાંચ મહાનગરપાલિકાઓ અંગેના સમાચાર વાઇરલ થયા હતા જેના સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસના અગ્રસચિવ અશ્વિનીકુમારે માહિતી ખાતા મારફતે સ્પષ્ટતા આપી હતી કે રાજ્ય મંત્રી મંડળની મળેલી બેઠકમાં આવો કોઇ નિર્ણય લેવાયો નથી કે કેબિનેટના એજન્ડામાં આ બાબત ચર્ચામાં લેવામાં આવી નથી.

March 25, 2023
private-university.jpg
1min290

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્ય સરકારે ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે અને ગુજરાત યુનિવર્સિટી (સુધારા) બિલ, 2023 આગામી થોડા દિવસોમાં રાજ્ય વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ યુનિવર્સિટીઓ સાથે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની કુલ સંખ્યા 108 થશે. હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સંખ્યા 108 થઇ કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એવી છે કે જ્યાં કોલેજો કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

  • 1. અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી
  • 2. અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટી
  • 3. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી
  • 4. વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી
  • 5. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી

રાજ્ય સરકારની મંજૂરી પામનારી નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં બે યુનિવર્સિટી અમદાવાદમાં છે. જેમાં એક અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી અને બીજી અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

નવી યુનિવર્સિટીઓનું ઇન્સ્પેકશન, વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ દરમિયાન સરકારી કમિટીએ એવું નોંધ્યું કે પાંચેય સ્થળો પર તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે આથી તેમને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ સંસ્થાઓ અને કોલેજોમાંથી 11 વધુ અરજીઓ છે જે યુનિવર્સિટીનો દરજ્જો ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આવતા વર્ષે પણ આ અરજીઓને મંજૂરી આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી જેવી મોટી યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી કોલેજો આ નવી યુનિવર્સિટીઓ સાથે જોડાણ લે તેવી શક્યતા છે.

February 11, 2023
cia_multi-1280x1045.jpg
1min248

ગયા શનિવાર તા.4 ફેબ્રુઆરીએ સાંજે રાજ્ય સરકારે એકાએક પરિપત્ર જાહેર કરીને તા.5મી ફેબ્રુઆરી 2023થી અમલમાં આવે એ રીતે જંત્રીના ભાવ આખા રાજ્યમાં બમણા કરી દેવાની જાહેરાત કરી હતી. બરાબર એક અઠવાડીયા પછી આજે શનિવાર, તા.11 ફેબ્રુઆરીએ સવારે એવા સમાચાર વાઇરલ થયા છે કે રાજ્ય સરકારે હવે જંત્રી બમણી કરવાના નિર્ણયનો અમલ હાલ તુરત (63 દિવસ માટે) મૌકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરતા સાથે જણાવ્યું છે કે તા.15મી એપ્રિલ 2023થી અમલમાં આવે એ રીતે નવી જંત્રીનો અમલ શરૂ કરવામાં આવશે.

જાણકારો કહે છે કે ક્રેડાઇ ગુજરાત તથા બિલ્ડરોની અનેક સંસ્થા, સંગઠનોએ રાજ્ય સરકાર પર દબાણ કરતા સરકારે નવી જંત્રીના અમલમાં 63 દિવસની રાહત આપી છે. બિલ્ડરો માટે આ ઓક્સિજન સમાન છે. હવે આગામી 62 દિવસમાં બિલ્ડરોએ જે ખેલ કરવા હોય તે કરી લેવા પડશે.

આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારથી રાજ્ય સરકારનો આ મેસેજ સોશ્યલ મિડીયામાં ખાસ્સો વાઇરલ થયો છે