શિક્ષણ સર્વદા Archives - CIA Live

August 30, 2026
image-34-1280x427.png
1min29

એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરત, ઓગસ્ટ 09, 2026ના રોજ યોજાયેલી INCA મેપ ક્વિઝ વેસ્ટ ઝોન 2026માં વેસ્ટ ઝોનલ ચેમ્પિયન બની છે. શાળાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સપ્ટેમ્બર 13, 2026ના રોજ અમદાવાદમાં યોજાનારી નેશનલ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે.

ઇન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશન (INCA), ગુજરાત શાખાના નેજા હેઠળ આયોજિત વેસ્ટ ઝોનલ રાઉન્ડમાં સુરત, વડોદરા અને અમદાવાદ ખાતેના કેન્દ્રોમાંથી ક્વોલિફાય થયેલી 100થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ તરફથી 27 વિદ્યાર્થીઓની બનેલી કુલ નવ ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ બે કલાકની ક્વિઝમાં ભાગ લીધો, જેમાં ટોપોગ્રાફિકલ મેપ્સ, સેટેલાઇટ ઇમેજરી, ભારતીય અને વિશ્વ ભૂગોળ, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો તેમજ ISRO અને સ્પેસ સાયન્સ જેવા વિષયોનો સમાવેશ થતો હતો.

ધોરણ 10ના અથર્વ ત્રિપાઠી, મન ત્રિવેદી અને કનક જૈનની વિજેતા ટીમે ઝોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ની અન્ય બે ટીમોએ પણ ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું – શ્રાવ્યા પટેલ, જતન મોદી અને શ્લોકા ચોક્સીએ 7મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે આરાધ્યા જૈન, કૃષ્ણ કુમાર ભટ્ટ અને જિહાન પટેલ 10માં ક્રમે રહ્યા હતા.
આ જીત એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલ માટે ચોથું ઝોનલ ટાઇટલ છે, જે વિદ્યાર્થીઓની ભૂગોળ, કાર્ટોગ્રાફી, અવકાશીય અર્થઘટન અને વિવિધ વિષયોના જ્ઞાન પરની મજબૂત પકડને પ્રતિબિંબિત કરે છે.

આ સિદ્ધિ અંગે સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલે જણાવ્યું હતું: “આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને સમર્પણને ઉજાગર કરે છે. એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલમાં અમે શીખવાના દરેક ક્ષેત્રમાં જિજ્ઞાસા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રતિબદ્ધ છીએ.”

August 22, 2026
ICAI-ISCA.png
1min43

CA માટે પ્રેક્ટિશનો ઇન્ટરનેશનલ ગેટ-વે ટૂંક સમયમાં ખૂલી જશે

ભારતીય સંસ્થા ICAI અને સિંગાપોરની સંસ્થા ISCA પરસ્પર માન્યતા તરફ આગળ વધી રહ્યા છે

ટૂંક સમયમાં જ ભારતીય CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) સિંગાપોર જેવા આધુનિક અને વિકસિત દેશમાં કોઇપણ જાતના બાધ કે એન્ટ્રીગેટ એક્ઝામ વગર વ્યવયાયિક પ્રેક્ટિસ કરી શકશે, એવા રેફરન્સ સાથે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોર અને ભારત વચ્ચે અરસપરસ માન્યતા માટે 2023 વાટાઘાટો ચાલી રહી છે. બંને સંસ્થાઓએ એકાઉન્ટિંગ વ્યવસાય માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કેપેસિટી બિલ્ડીંગ પર સહયોગ સાધવા માટે પણ અલગથી સંમતિ આપી છે.

જેની ફળશ્રુતિ રૂપે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટૂંક સમયમાં સિંગાપોરમાં વ્યાપક વ્યાવસાયિક માન્યતા મેળવી શકે છે, જેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંગાપોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ISCA) સંપૂર્ણ મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ (MRA) તરફ આગળ વધી રહ્યા છે.

તાજેતરમાં બંને સંસ્થાઓના અધિકૃત અધિકારીઓએ વ્યાવસાયિક લાયકાતોની પારસ્પરિક માન્યતાને આવરી લેતા મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રિમેન્ટ તરફ કામ કરવાના તેમના ઇરાદાને દર્શાવતા સહિ સિક્કા કરેલા પત્રોનું ઔપચારિક રીતે આદાનપ્રદાન કર્યું હતું.

પ્રસ્તાવિત MRA બે સંસ્થાઓ વચ્ચે લાયકાતોની માન્યતા માટે વધુ વ્યાપક માળખું પૂરું પાડશે. ભારતીય સીએ માટે, તે કરારના અંતિમ અવકાશ અને શરતોને આધીન, સિંગાપોરમાં વ્યાવસાયિક ગતિશીલતા અને કામ કરવાની તકોમાં સુધારો કરી શકે છે.

આ પગલું ફેબ્રુઆરી 2023 માં ISCA દ્વારા લેવામાં આવેલા અગાઉના પગલા પર આધારિત છે, જ્યારે તેણે ‘માન્ય વ્યાવસાયિક લાયકાત’ ની તેની યાદીમાં ICAI લાયકાત ઉમેરી હતી. આનાથી સિંગાપોરમાં લાયક ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ISCA એસોસિયેટ સભ્યો બનવાની મંજૂરી મળી. સંપૂર્ણ MRA પારસ્પરિક સભ્યપદ માન્યતા માટે એક વ્યાપક માળખું પૂરું પાડીને આ હાલની વ્યવસ્થાથી આગળ વધશે.

August 6, 2026
WhatsApp-Image-2026-08-06-at-07.48.10.jpeg
1min90
  • CA હોય કે CMA કોચિંગમાં રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ RCI જ બેસ્ટ
  • વિદ્યાર્થીઓએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ બંને પરીક્ષાઓમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યા

જૂન 2024માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા લેવામાં આવેલી CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાઓના પરિણામો આજે જાહેર કરાયા હતા. સુરત કે ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર ભારતમાં સી.એ. હોય કે સીએમએ કે અન્ય સર્ટિફિકેશન કોચિંગમાં રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ જ બેસ્ટ છે એ દરેક પરીણામ વખતે પુરવાર થઇ રહ્યું છે. તા.5મી ઓગસ્ટે જાહેર થયેલા સી.એમ.એ.ના પરીણામોમાં પણ રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ, સુરતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે રેન્ક હાંસલ કરીને અસાધારણ પ્રતિભા દર્શાવી છે. આ સફળતાએ માત્ર સુરતને જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશને ગૌરવ અપાવ્યું છે.

ઘોડ-દોડ રોડ પર સ્થિત CA રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટ (RCI) ના છ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
CMA ફાઇનલ પરીક્ષામાં, પ્રથમ ચૌરાવાલાએ 800 માંથી 603 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 5 મેળવ્યો. દરમિયાન, મહેક જૈન – મૂળ રાજસ્થાનના શ્રીડુંગરગઢના રહેવાસી – 549 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 33 મેળવ્યો. વધુમાં, ક્રિશ મહેતાએ 527 ગુણ મેળવીને ફાઇનલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે.

સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં, હર્ષ જૈન – મૂળ બિકાનેરના – 621 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 4 મેળવ્યો; દિયા ખલાસીએ 614 ગુણ સાથે 7મો ક્રમ મેળવ્યો; પાર્થ અગ્રવાલ – મૂળ અલવર, રાજસ્થાનના – 600 ગુણ સાથે 13મો ક્રમ મેળવ્યો; અને સંકેત રુંગટાએ 571 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 30 મેળવ્યો છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર, 25 માંથી 18 વિદ્યાર્થીઓએ સીએમએ ફાઇનલ પરીક્ષા પાસ કરી, જ્યારે સંસ્થાના 55 થી વધુ વિદ્યાર્થીઓ સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં સફળ થયા.

સંસ્થાના મેનેજમેન્ટે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી, નોંધ્યું કે આ સિદ્ધિ વિદ્યાર્થીઓની સખત મહેનત, શિસ્તબદ્ધ તૈયારી અને ગુણવત્તાયુક્ત માર્ગદર્શનનું પરિણામ છે.

July 24, 2026
Sanjiv-Mukhiya.png
1min88

NEET-UG 2024 પેપર લીક કેસમાં બિહાર પોલીસે જેને મુખ્ય ષડયંત્રકારી ગણાવીને કાર્યવાહી કરી હતી એ સંજીવ મુખિયાને CBIએ ક્લીન ચિટ આપી છે. CBIને તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેને ક્લીન ચીટ અપાઇ છે. આ મામલો ત્યારે સપાટી પર આવ્યો છે જ્યારે દેશભરમાં નીટ 2026ના પેપર લીક બાબતે આંદોલન ચાલી રહ્યું છે. બિહાર પોલીસની શંકાના આધારે FIRમાં નામ હતું. CBIએ 45 લોકો સામે પટણા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. સંજીવ મુખિયા અન્ય કેસોમાં હજુ કસ્ટડીમાં છે.

July 17, 2026
image-17.png
2min110

જયેશ બ્રહ્મભટ્ટ, શિક્ષણ સર્વદા

NEET UG ક્વોલિફાઇંગ કટઓફ સરખામણી કોષ્ટક (2025 vs 2026)

કેટેગરી (Category)2025 ક્વોલિફાઇંગ કટઓફ2026 ક્વોલિફાઇંગ કટઓફકટઓફમાં થયેલો ચોક્કસ વધારો (માર્ક્સમાં)ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલ
સામાન્ય / UR / EWS686 – 144 માર્ક્સ715 – 213 માર્ક્સ+69 માર્ક્સનો વધારો50th Percentile
OBC143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile
SC143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile
ST143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તા.16મી જુલાઇના રોજ મોડીરાત્રે રી-નીટ યુજી 2026 પરીક્ષાનું પરીણામ ઘોષિત કર્યું હતું. તા.21મી જૂને લેવાયેલી રી-નીટ યુજી પરીક્ષાના પરીણામનું વિશ્લેષણ કરતા જણાય આવે છે કે કટઓફ મેરીટમાં 69 ટકાથી 64 માર્કનો ધરખમ વધારો 2025ની સરખામણીએ આ વર્ષે થયો છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી નીટ યુજી 2026 પરીક્ષા આપનારા 68,833માંથી ફક્ત 38,146 ક્વોલિફાઇડ થયા. 30 હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાય કરી શક્યા નથી, તેનો અર્થ એ થયો કે ન તો તેઓ વિદેશમાં જઇને એમબીબીએસ કરી શકશે કે ન તો દેશભરમાં ક્યાંયે આયુર્વેદિક કે હોમિયોપેથી સુદ્ધાંમાં પ્રવેશ પામી શકશે.

ફક્ત ક્વોલિફાય કટઓફ જેટલા માર્ક લાવીને વિદેશમાં ખાસ કરીને જ્યોર્જિયા, રશિયા, ચીન, કઝાકિસ્તાન જેવા દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરવાની યોજના ધરાવતા સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરાના સેંકડો વિદ્યાર્થીઓનું સપનું રોળાયું છે અને હવે આ લેવાની ફરજ પડી છે. વિદેશમાં એમબીબીએસ કરવાની યોજના ધરાવનારા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પરીવારજનો નીટ યુજી પરીણામની જ રાહ જોઇ રહ્યા હતા. તેમનો પ્લાન નક્કી હતો, ઉંચા માર્ક નહીં પરંતુ, ક્વોલિફાય થવાય તેટલા માર્ક આવે એટલે વિદેશમાં એડમિશન કન્ફર્મ થઇ જાય. આવા સેંકડો વિદ્યા્થીઓનું સપનું રોળાય ગયું છે.

જયેશ બ્રહ્મભટ્ટ – શિક્ષણ સર્વદા 98253 44944
NEET UG 2026નું ક્વોલિફાઇંગ કટઓફ 69 માર્ક્સ જેટલું મોટું ઉછળીને 213 માર્ક્સ (સામાન્ય વર્ગ માટે) પર પહોંચી ગયું છે. મેડિકલ ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ આંચકાજનક ફેરફારના કારણે વિદ્યાર્થીઓ અને એડમિશન પ્રક્રિયા પર નીચે મુજબની ગંભીર અસરો પડશે એવું શિક્ષણ સર્વદાના તજજ્ઞોનું તારણ છે:

૧. કાઉન્સિલિંગની રેસમાંથી લાખો વિદ્યાર્થીઓ બહાર
• પાત્રતા ગુમાવી: ગયા વર્ષે (2025) સામાન્ય વર્ગ માટે કટઓફ 144 માર્ક્સ હતું, જે હવે 213 થયું છે.
• મોટો આંચકો: જે વિદ્યાર્થીઓને 145 થી 212 ની વચ્ચે માર્ક્સ આવ્યા છે, તેઓ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ અપાત્ર (Disqualified) જાહેર થયા છે.

૨. સરકારી કોલેજો (MBBS/BDS) માટે કટઓફ આકાશ આંબશે
• હરીફાઈમાં ભારે વધારો: ક્વોલિફાઇંગ માર્ક્સ આટલા ઊંચા જવાનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીઓએ આ વર્ષે ખૂબ જ સારો સ્કોર કર્યો છે.
• નવો સેફ સ્કોર: સરકારી મેડિકલ કોલેજમાં ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) અથવા સ્ટેટ ક્વોટા દ્વારા MBBS સીટ મેળવવા માટે હવે 540 થી 560+ થી વધુ માર્ક્સ મેળવવા અનિવાર્ય બનશે.

૩. પ્રાઇવેટ અને મેનેજમેન્ટ ક્વોટાની સીટોના ભાવ વધશે
• ડિમાન્ડમાં ઉછાળો: ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેમને સરકારીમાં એડમિશન નહીં મળે, તેઓ પ્રાઇવેટ કોલેજો તરફ વળશે.
• સીટો મોંઘી થશે: પ્રાઇવેટ અને ડીમ્ડ યુનિવર્સિટીઓની સીટો માટે ભારે ખેંચતાણ થશે, જેના કારણે મેનેજમેન્ટ ક્વોટાની ફી અથવા કટઓફ ઊંચા જઈ શકે છે.

૪. આયુર્વેદ (BAMS) અને હોમિયોપેથી (BHMS) પર અસર
• વૈકલ્પિક કોર્સમાં મુશ્કેલી: અગાઉ ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ BAMS કે BHMS માં સરળતાથી એડમિશન મેળવી લેતા હતા. હવે 213 થી ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે પણ એડમિશન ફોર્મ ભરી શકશે નહીં.

૫. ‘ડ્રોપ’ લેનારા (Repeaters) વિદ્યાર્થીઓની સંખ્યા વધશે
• ફરીથી તૈયારી: લાખો વિદ્યાર્થીઓ જેઓ માત્ર થોડા માર્ક્સ માટે અપાત્ર ઠર્યા છે અથવા જેમને મનપસંદ કોલેજ નથી મળી રહી, તેઓ આવતા વર્ષ માટે ફરીથી ડ્રોપ લઈને તૈયારી કરવાનું પસંદ કરશે. આનાથી આવતા વર્ષે (2027) સ્પર્ધા હજુ વધુ કડક બનશે.

July 4, 2026
cia_edu-1280x925.jpg
1min124

04/07/2026
એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત, ફરી એકવાર પોતાની રમત-ગમતની પ્રતિભાને સાબિત કરતાં ગુજરાત સરકારની ફ્લેગશિપ સ્પોર્ટ્સ પહેલ, ખેલ મહાકુંભ 2025 2026ના જિલ્લા સ્તરની ફાઇનલમાં ઓવરઓલ રનર અપ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વિદ્યાર્થીઓએ ટુર્નામેન્ટની કુલ પોઇન્ટ સિસ્ટમ હેઠળ વિવિધ રમતોમાં ભાગ લીધો અને એથ્લેટિક્સ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ, કરાટે, સ્કેટિંગ, લોન ટેનિસ, બેડમિન્ટન તથા ટેબલ ટેનિસમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમના આ પ્રદર્શનને માન્યતા આપતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત રોકડ ઇનામ આપવાની સાથો-સાથ એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ રૂ. 90,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.

આ સિદ્ધિ સ્કૂલના રમત-ગમત ક્ષેત્રે સતત રેકોર્ડમાં ઉમેરો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું છે કે, “આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકો દ્વારા દર્શાવાયેલી સમર્પણ, શિસ્ત અને રમત-ગમતની ઉત્તમતા પ્રતિબિંબિત કરે છે. એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે રમત-ગમત આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને નેતૃત્વ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને આ માન્યતા અમને સર્વાંગી ઉત્તમતા પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણા આપે છે.”

June 22, 2026
cia_edu-1280x925.jpg
2min204
  • IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો તથા સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને વધુ ગતિ મળશે
  • AI, સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રમાં ભારતની વધતી પ્રતિભાની માંગને અનુરૂપ નવા અભ્યાસક્રમોનો શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રારંભ થશે

ભારતીય માહિતી પ્રૌદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (Institute of National Importance) છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. સંસ્થા બી.ટેક. (ગણિત અને કમ્પ્યુટિંગ) તથા એમ.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ)માં ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ વિશેષતા સાથે નવા અભ્યાસક્રમો શરૂ કરશે.

નવા અભ્યાસક્રમોની શરૂઆત અંગે IIIT સુરતના નિયામક ડૉ. રાજીવ શૌરીએ જણાવ્યું હતું કે, “બી.ટેક. ગણિત અને કમ્પ્યુટિંગ તથા એમ.ટેક. ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ અભ્યાસક્રમોની શરૂઆત, ભવિષ્યની ટેકનોલોજીકલ માંગને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત શૈક્ષણિક અભ્યાસક્રમો વિકસાવવાની IIIT સુરતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને મજબૂત સિદ્ધાંત આધાર અને વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરવા માટે રચવામાં આવ્યા છે, જે ભારતના ટેકનોલોજીકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

IIIT સુરતના બોર્ડ ઓફ ગવર્નર્સ (BoG)ના સભ્ય શ્રીમતી આશા દવેએ જણાવ્યું હતું કે, “IIIT સુરતે નવીન શૈક્ષણિક અભ્યાસક્રમો અને મજબૂત રાષ્ટ્રીય તથા વૈશ્વિક સહયોગો દ્વારા ઉદ્યોગ અને સમાજની ઊભરતી જરૂરિયાતોને સતત પ્રતિસાદ આપ્યો છે. આ નવા અભ્યાસક્રમોની શરૂઆતથી અદ્યતન કમ્પ્યુટિંગ, સંરક્ષણ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને અવકાશ પ્રણાલીઓ જેવા રાષ્ટ્રીય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી માનવશક્તિ તૈયાર કરવામાં સંસ્થાનું યોગદાન વધુ મજબૂત બનશે. આ સ્થાનિક ઉદ્યોગ અને નવીનતા ઇકોસિસ્ટમ માટે પણ વિશાળ તકો ઊભી કરશે.“

આ નવા અભ્યાસક્રમો સાથે IIIT સુરતના B.Tech. અભ્યાસક્રમોની કુલ સંખ્યા પાંચ થશે, જેમાં Computer Science and Engineering (CSE), Computer Science and Engineering (Artificial Intelligence & Machine Learning), Computer Science and Engineering (Cyber Security), Electronics and Communication Engineering (ECE) તથા Mathematics & Computing નો સમાવેશ થાય છે. સંસ્થા ત્રણ M.Tech. અભ્યાસક્રમો પણ શરૂ કરશે, જેમાં Computer Science and Engineering (Data Science & AI-ML), Electronics and Communication Engineering (VLSI) તથા Electronics and Communication Engineering (Defence & Space Electronics) નો સમાવેશ થાય છે.

આ નવા સોપાનોને ટેકો આપવા માટે IIIT સુરતે પોતાની શૈક્ષણિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. બી.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 280 થી વધારીને 384 બેઠકો કરવામાં આવી છે, જ્યારે એમ.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 40 થી વધારીને 60 બેઠકો કરવામાં આવી છે. સંસ્થા તેના પીએચ.ડી. કાર્યક્રમો અને આંતરવિષયક સંશોધનના પ્રારંભ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, સાયબર સિક્યોરિટી, VLSI ડિઝાઇન, રોબોટિક્સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે.
IIIT સુરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી ઉદ્યોગો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગો દ્વારા ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

સંસ્થાએ Advanced Micro Devices (AMD), USA; MediaTek, Taiwan; Bosch;
ISRO Space Applications Centre (SAC); તેમજ ભારત અને વિદેશના અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સમજુતી કરારો (MoU) કર્યા છે. ઉપરાંત, સંસ્થાએ IIT Gandhinagar, IIIT Bangalore, IITMO University (Russia),Singapore Management University (Singapore), University of Siena (Italy) અને Deakin University, (Australia) જેવી અગ્રણી સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહયોગ સ્થાપ્યો છે.

35 નિયમિત ફેકલ્ટી સભ્યો અને 13 Professors of Practice તથા Adjunct Faculty સાથે સંસ્થાએ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન 45 કરતાં વધુ સંશોધન પેપરો પ્રકાશિત કર્યા છે અને 2 પેટન્ટ પ્રાપ્ત કર્યા છે. સંસ્થાએ ઉદ્યોગસાહસિકતા માટે પણ સશક્ત માહોલ ઊભો કર્યો છે, જેના પરિણામે તેની સ્થાપના પછીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા પાંચ સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટ કરવામાં આવ્યા છે.

IIIT સુરતે પ્લેસમેન્ટ ક્ષેત્રમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાનો સર્વોચ્ચ વાર્ષિક પગાર પેકેજ ₹54.89 લાખ (LPA) અને સરેરાશ વાર્ષિક પગાર પેકેજ ₹14.85 લાખ (LPA) રહ્યો હતો, જે ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગ-તૈયાર માનવશક્તિ નિર્માણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ નવા અભ્યાસક્રમોની શરૂઆત ભવિષ્ય માટે પ્રતિભાઓને તૈયાર કરી અને ભારતની ટેકનોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાના IIIT સુરતના ધ્યેય તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

June 16, 2026
image-8.png
2min188

ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ: આ પ્લેટફોર્મનો ઉપયોગ લીક થયેલા પ્રશ્નોનું પ્રસારણ કરવા અને નેટવર્ક સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, વચેટિયાઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.

વ્યાપક પેપર લીકના આરોપો અને અનિયમિતતાને કારણે દેશની મુખ્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા આ વર્ષની શરૂઆતમાં રદ થયા પછી, રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET)નું આયોજન કરવા માટે જવાબદાર રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) ની વિનંતી પર ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ભારતમાં લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને 22 જૂન સુધી બ્લોક કરી દીધું છે.

પેપર લીકના કારણે 3 મેના રોજ યોજાનારી પ્રારંભિક પરીક્ષા રદ થયા પછી, 21 જૂને યોજાનારી NEETની પુનઃપરીક્ષાના એક દિવસ પછી ટેલિગ્રામ પર પ્રતિબંધ લાગુ પડે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ લીક થયેલા પ્રશ્નોનું પ્રસારણ કરવા અને નેટવર્ક સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, વચેટિયાઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

બ્લોકિંગ ઓર્ડર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69(A) હેઠળ જારી કરવામાં આવ્યો છે. સરકારે ટેલિગ્રામને 30 જૂન સુધી પોસ્ટ કરાયેલા સંદેશાઓના સંદર્ભમાં ભારતમાં તેની સંદેશ-સંપાદન સુવિધાને અક્ષમ કરવાનો નિર્દેશ પણ જારી કર્યો છે. NTA એ જણાવ્યું હતું કે, આ “રાષ્ટ્રીય પરીક્ષાઓના સંદર્ભમાં ઘટના પછીના ‘પેપર લીક’ પુરાવા બનાવવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવેલ ચોક્કસ માળખાકીય સુવિધા” ને સંબોધશે.

NTA એ કહ્યું, “આ નિર્દેશો છેલ્લા ઉપાય તરીકે છે.”

ટેલિગ્રામ પર પ્રતિબંધ પાછળનો તર્ક

એક નિવેદનમાં, NTA એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં, પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ કાર્યરત ટેલિગ્રામ ચેનલોએ ઉમેદવારો અને તેમના પરિવારો પાસેથી પુનઃપરીક્ષા પેપરની કથિત ઍક્સેસના બદલામાં થોડા હજારથી લઈને લાખો રૂપિયા સુધીની રકમની માંગણી કરી હતી. NTA મુજબ, આમાંની કેટલીક ચેનલો ખુલ્લેઆમ તેમના નામો દ્વારા તેમના હેતુની જાહેરાત કરી રહી હતી: “પેપર લીક્ડ NEET”, “Re-NEET 2026”, “ખાનગી માફિયા”, અને “REE NEET MAFIAA”. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે “સુરક્ષિત પરીક્ષા શૃંખલાની બહાર” આવા કોઈ પેપર ઉપલબ્ધ નહોતા.

૧૫ જૂનના રોજ, ધ ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સોમવારે રાજસ્થાનના બે માણસોની ધરપકડ કરી હતી, જેમણે NEET (UG) પુનઃપરીક્ષા પ્રશ્નપત્ર હોવાનો દાવો કરીને અને તેને વેચવાની ઓફર કરીને ટેલિગ્રામ દ્વારા મેડિકલ ઉમેદવારો અને તેમના માતાપિતા સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ બંને પાસે કોઈ લીક થયેલા દસ્તાવેજો નથી.

NTA, બિહાર, ગુજરાત અને રાજસ્થાનના પોલીસ દળો સહિત રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ અને જાહેર ચેનલો અને પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવાથી, ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ “નોંધપાત્ર” સંખ્યામાં ટેલિગ્રામ ચેનલો, જૂથો અને બોટ્સને તાત્કાલિક દૂર કર્યા છે, જેમના નામ અને સામગ્રીએ ખુલ્લેઆમ તેમના કપટપૂર્ણ અને ભ્રામક હેતુઓની જાહેરાત કરી હતી, પરીક્ષણ એજન્સીએ જણાવ્યું હતું.

સંદેશ-સંપાદનને અક્ષમ કરવાનો નિર્દેશ શા માટે

ટેલિગ્રામને ભારતમાં 30 જૂન સુધી તેના સંદેશ-સંપાદન સુવિધાને અક્ષમ કરવાની આવશ્યકતા ધરાવતી સૂચના “અલગ પરંતુ સંબંધિત ચિંતા” ને સંબોધે છે, NTA એ જણાવ્યું હતું.

પરીક્ષણ એજન્સીના જણાવ્યા મુજબ, આ સુવિધા, તેના વર્તમાન સ્વરૂપમાં, ચેનલ એડમિનિસ્ટ્રેટરને અગાઉ પોસ્ટ કરેલા સંદેશની સામગ્રીને સંપાદિત કરવાની મંજૂરી આપે છે – જેમાં PDF જેવી જોડાયેલ ફાઇલોનો સમાવેશ થાય છે – જ્યારે મૂળ મોકલવાનો સમય જાળવી રાખવામાં આવે છે.

“આ ક્ષમતાનો ઉપયોગ, ઘણી તાજેતરની પરીક્ષાઓના સંદર્ભમાં, ઘટના પછીની ‘પેપર લીક’ કલાકૃતિઓ બનાવવા માટે કરવામાં આવ્યો છે: ચેનલ એડમિનિસ્ટ્રેટર પરીક્ષા પછી વાસ્તવિક પ્રશ્નપત્ર દાખલ કરવા માટે એક જૂના, નિર્દોષ સંદેશને સંપાદિત કરે છે, અને પરિણામી ચેટ પછી કથિત ‘પુરાવા’ તરીકે પ્રસારિત થાય છે કે પરીક્ષા પહેલાં પેપર પ્રચલિત હતું. MeitY દિશા પરીક્ષા પછીની વિંડો માટે બનાવટનો આ માર્ગ બંધ કરે છે જેમાં આવી કલાકૃતિઓ ઐતિહાસિક રીતે તૈનાત કરવામાં આવી છે,” NTA એ જણાવ્યું હતું.

June 13, 2026
WhatsApp-Image-2026-06-11-at-15.55.34-1280x853.jpeg
2min169


 આ સફળતા ભવિષ્ય માટે લીડર્સને તૈયાર કરવા માટે કાર્ય-સંકલિત શિક્ષણની અસર પર ભાર મૂકે છે, જેમાં AM/NS India BITS પિલાની સાથે ક્ષમતા વિકાસને આગળ ધપાવી રહ્યું છે.

 સ્નાતકો કાર્યો આવતા પડકારોમાં શૈક્ષણિક શિક્ષણનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયાની અસર દર્શાવે છે, જે મુખ્ય કાર્યોમાં તેમની કાર્યક્ષમતા વધારે છે.

વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ BITS પિલાની સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ક્ષમતા નિર્માણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રોસેસ એન્જિનિયરિંગમાં તેના બી.ટેક પ્રોગ્રામની સફળતાને આગળ ધપાવતા, AM/NS Indiaએ હવે મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં ઉદ્ઘાટન MBA બેચના સ્નાતક સાથે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

આ દીક્ષાંત સમારોહ ગુરુવારે હજીરામાં AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટ ખાતે યોજાયો હતો, અને તેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના પોલીસ કમિશનર, શ્રી અનુપમ સિંહ ગહલૌત, IPS ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટીલ ક્ષેત્રમાં કાર્ય-સંકલિત શિક્ષણ અપનાવવામાં એક અગ્રણી તરીકે, AM/NS India ભવિષ્ય માટે સક્ષમ કાર્યબળ તૈયાર કરવા માટે વર્ક ઇન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ્સ (WILP) નો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યું છે. કંપનીએ તેના બી.ટેક પ્રોગ્રામનું સફળ શરૂઆત અને વિસ્તરણ પછી તેના વિવિધ વિભાગોમાં નેતૃત્વ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં MBA શરૂ કર્યું. આ પ્રોગ્રામમાં હાલમાં અનેક બેચ ચાલી રહ્યા છે, જે કર્મચારીઓની મજબૂત ભાગીદારી અને સતત શિક્ષણ પ્રત્યે સંસ્થાકીય પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પરંપરાગત MBA પ્રોગ્રામ્સથી વિપરીત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઇન્ડિયા) માટે BITS પિલાની અભ્યાસક્રમ ખાસ કરીને આધુનિક સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રના જટિલ પડકારોને ઉકેલવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યો હતો. આ સખત પ્રોગ્રામમાં મેનેજમેન્ટના મુખ્ય સિદ્ધાંતો—જેવા કે સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન, સ્ટ્રેટેજિક ફાઈનાન્સ અને ઓર્ગેનાઈઝેશનલ લીડરશીપ—સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ અને ડેટા-ડ્રિવન ડિસિઝન મેકિંગ ના વિશિષ્ટ મોડ્યુલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પ્રોગ્રામ દ્વારા સહભાગીઓ શૈક્ષણિક શિક્ષણને AM/NS Indiaમાં તેમની ચાલુ ભૂમિકાઓ સાથે જોડવા માટે સક્ષમ બન્યા. પ્રોગ્રામની ફ્લેક્સિબલ મલ્ટિ-મોડલ ડિલિવરી સિસ્ટમનો લાભ ઉઠાવીને, કર્મચારીઓએ વ્યવસાયની મહત્વપૂર્ણ કામગીરીમાં તેમનું યોગદાન આપવાનું ચાલુ રાખવાની સાથે તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, જે સંસ્થાની શિક્ષણ અને પ્રદર્શનની મજબૂત સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.

ગ્રેજ્યુએટ થયેલી આ બેચ, જે સ્ટીલમેકિંગ અને ડિજિટલ ટેક્નોલોજી જેવા મુખ્ય વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે પહેલેથી જ માપી શકાય તેવો વ્યવસાયિક પ્રભાવ દર્શાવ્યો છે. તેમના કેપસ્ટોન પ્રોજેક્ટ્સ દ્વારા, સહભાગીઓએ કાર્યોમાં આવતા અવરોધોને દૂર કર્યા, કાર્યક્ષમતામાં વધારો કર્યો અને સમગ્ર સંસ્થામાં સતત સુધારણાની પહેલોમાં યોગદાન આપ્યું.

સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંઘ ગેહલોત, IPS એ જણાવ્યું હતું કે: “આ મહત્વપૂર્ણ સફળતા બદલ હું ગ્રેજ્યુએટ થયેલા પ્રોફેશનલ્સને અભિનંદન આપું છું. વ્યવસાયિક જવાબદારીઓની માંગ સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાનું સંતુલન જાળવવું એ મજબૂત શિસ્ત અને વચનબદ્ધતા દર્શાવે છે. હું બધા સ્નાતકોને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા, તેમના સંગઠનો અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં પોતાનો ભાગ ભજવવા પ્રોત્સાહિત કરું છું.”

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ના ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિનેડન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, આશુતોષ તેલંગે જણાવ્યું હતું કે: “AM/NS India ખાતે, અમે કેવી રીતે ક્ષમતાનું નિર્માણ કરીએ છીએ અને પ્રદર્શનને વેગ આપીએ છીએ તેના કેન્દ્રમાં સતત શિક્ષણ રહેલું છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ એવા લીડર્સ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે જેઓ વ્યવસાયિક સમજણને ટેકનોલોજીકલ અને કાર્યકારી શ્રેષ્ઠતા સાથે જોડી કરી શકે છે. BITS પિલાની સાથેના મળીને અમે ભવિષ્ય માટે સક્ષમ પ્રતિભાશાળી લોકો તૈયાર કરી રહ્યા છીએ જે નવીનતાને વેગ આપશે અને ભારતમાં વિશ્વસ્તરીય સ્ટીલ એન્ટરપ્રાઇઝ બનાવવા તરફની અમારી સફરમાં નોંધપાત્ર યોગદાન આપશે.”

બિટ્સ પિલાનીના ડેપ્યુટી ડાયરેક્ટર, ઓફ-કેમ્પસ પ્રોગ્રામ્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એન્ગેજમેન્ટ, પ્રોફેસર એસ. ગુરુનારાયણણે જણાવ્યું હતું કે, “BITS પિલાની WILP ખાતે, અમારી શૈક્ષણિક ફિલોસોફી એવા વિશિષ્ટ અભ્યાસક્રમોના સહ-નિર્માણ પર આધારિત છે જે મુખ્ય ઉદ્યોગોની બદલાતી બૌદ્ધિક માંગને પૂર્ણ કરે છે. AM/NS India સાથેની અમારી ભાગીદારી એ કાર્ય-સંકલિત શિક્ષણની સાચી ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે, જે શૈક્ષણિક શ્રેષ્ઠતાને ઉદ્યોગની અગ્રણી પદ્ધતિઓ સાથે જોડે છે. આજના ઝડપથી બદલતા ઔદ્યોગિક પરિદ્રશ્યમાં, નેતૃત્વ માટે માત્ર પરંપરાગત મેનેજમેન્ટ કૌશલ્યો કરતાં કંઈક વધુ જરૂરી છે; તેના માટે ટેક્નોલોજીકલ ઉત્ક્રાંતિ અને ટકાઉ વિકાસની ઊંડી સમજણ જરૂરી છે. આ MBA ગ્રેજ્યુએટ્સ નિઃશંકપણે AM/NS ઇન્ડિયાની વ્યૂહાત્મક અને કામગીરીમાં સફળતાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

June 2, 2026
image-2.png
1min167

દેશની સૌથી મોટી સ્કૂલ પરીક્ષા સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની આંતરિક વ્યવસ્થા અને હાલમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પરીક્ષાઓના મેનેજમેન્ટ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં આવી રહેલી ટેકનિકલ તેમજ વ્યવહારિક ખામીઓ અંગે જવાબદારી નક્કી કરવા માટે સરકારે CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.

અધ્યક્ષ અને સચિવને પદ પરથી હટાવવાની સાથે જ સરકારે CBSE દ્વારા ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ ખરીદી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. ક્ષમતા નિર્માણ આયોગ (Capacity Building Commission)ના ચેરપર્સન એસ. રાધા ચૌહાણને આ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સરકારી આદેશ અનુસાર, સમિતિના અધ્યક્ષ જરૂર પડ્યે અન્ય વિભાગો અને કચેરીઓના અધિકારીઓની મદદ પણ લઈ શકશે, જ્યારે કેપેસિટી બિલ્ડિંગ કમિટી દ્વારા તેમને સચિવાલય સહાય પૂરી પાડવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ તપાસ સમિતિને પોતાનો વિસ્તૃત રિપોર્ટ ૧ મહિનાની અંદર કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) ને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ, મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ટેન્ડરની પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા હતા. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા પણ પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારના આ કડક પગલાંને CBSE ની કામગીરીમાં જવાબદારી અને પારદર્શિતા નક્કી કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.