ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિને ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪મી માર્ચથી શરૃ થશે.જ્યારે ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલથી શરૃ થશે.પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધીનું રહેશે અને ૧૦ નવે.થી બીજુ સત્ર શરૃ થશે. જ્યારે ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. ૧૪મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે. બોર્ડની સૂચના મુજબ ૨૦૨૨-૨૩ માટે ધો.૯થી૧૨ના અબ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦ તથા ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્રિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે.
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં. બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના ૧૬ ,જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૧, સપ્ટે.ના ૨૬ , ઓક્ટો.ના ૧૫ દિવસ સહિત કુલ ૧૦૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં ૧૮,ડિસે.માં ૨૭, જાન્યુ.આમાં ૨૪, ફેબુ્ર.માં ૨૩, માર્ચમાં ૨૩ અને એપ્રિલમાં ૨૧ દિવસ સહિત કુલ ૧૩૭ દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ ૨૪૧ દિવસ શિક્ષણના રહેશે.૭ સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૧૩ જુનથી ૧૯ ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન ૨૦ ઓક્ટો.થી ૯ નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર ૧૦ નવે.થી ૩૦ એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન ૧લી મેથી ૪ જુન સુધીનું રહેશે.
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે Dt.2/5/22, તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.
– વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે. – આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે. – પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.
તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી.
ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી.
હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો.
સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આજે તા.28મી માર્ચને સોમવાર સવારના સેશનમાં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ અને તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો. બે વર્ષ પછી શક્ય બનેલી ઓફલાઇન પરીક્ષાનો માહોલ અને બે વર્ષ પહેલાનો માહોલ સાવ જ અલગ હતો.
આજે સવારના સેશનમાં બે પરીક્ષા કેન્દ્ર પર જવાનું થયું. મોટા ભાગના પરીક્ષાર્થીઓના મનમાં એક જ સવાલ મૂઝવતો હતો અને એ કોવીડ રિલેટેડ હતો. કોવીડ-19 કેટલી હદે મન પર છવાઇ ગયો છે તેની પ્રતીતી પણ પરીક્ષાર્થીઓના એક જ કોમન સવાલ પરથી થઇ.
લગભગ સાતેક પરીક્ષાર્થીઓએ પૂછ્યું કે પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હોય ત્યારે માસ્ક પહેરી રાખવાનો કે કાઢી નાંખે તો ચાલે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ જયારથી ટાઇમટેબલ જાહેર થયું ત્યારથી પૂછી રહ્યા છે પણ કોઇ તંત્રવાહકોએ ક્લીયરકટ જવાબ આપ્યો નહીં.
ન તો જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિએ ના તો ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી કે પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી રાખવું કે કાઢી નાંખે તો ચાલશે.
પરીક્ષા સમય દરમિયાન માસ્ક પહેરવું કે ન પહેરવું એ અંગે સ્પષ્ટતા કરવાથી બચ્યા તંત્રવાહકો
એક તો બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે, ધો.8ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીધો જ આ વર્ષે ધો.10ની ઓફલાઇન પરીક્ષા આપી રહ્યો છે અને પરીક્ષા ખંડમાં ત્રણ કલાકની પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવો કે નહીં તે અંગે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કેમકે ઘરે પરીક્ષા પ્રેક્ટીસ માસ્ક વગર જ કરી હતી અને હવે જ્યારે માસ્ક પહેરીને ત્રણ કલાક પેપર લખવાનું આવ્યું હોઇ, વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાય એ માનવાને કારણ છે. પરંતુ, તંત્રવાહકોએ ન તો ભારપૂર્વક કીધું કે માસ્ક પહેરી રાખવું પડશે ન તો તેમાં રાહત આપતી કોઇ જાહેરાત કરી.
વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા પરીક્ષા સ્થળો પર
આજે સવારે ધો.10ની પરીક્ષાઓ શરૂ થવાના દોઢેક કલાક પહેલાથી જ પરીક્ષાર્થીઓનું સ્કુલ બિલ્ડીંગો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આવતા અમૂક સ્કુલો કે જે મેઇન રોડ પર આવેલી છે ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને ભીડના પ્રશ્નો સર્જાયા હતા. જે સ્કુલોમાં પ્લેગ્રાઉન્ડ છે ત્યાં ટ્રાફિક કે ભીડભાડ કે પાર્કિંગની કોઇ સમસ્યા જોવા મળી ન હતી. વાલીઓને સ્કુલના દરવાજાના બહાર જ અટકાવી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશી ચૂક્યા બાદ પણ વાલીઓ જે તે સ્કુલોની બહાર ઉભા રહ્યા હોઇ, ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો સર્જાયા હતા.
પરીક્ષા સંબંધિત કોઇપણ ઘટના કે બાબત અમને જણાવવા માંગતા હોવ તો 98253 44944 પર સંપર્ક કરવો.
કેન્દ્ર સરકારે મંગળવારે 12-14 વર્ષના બાળકો માટે COVID-19 વેક્સિનેશન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આજથી એટલે કે, બુધવારથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઉંમરના બાળકોને ફક્ત કોર્બેવેક્સ વેક્સિન (Corbevax Vaccine)નો ઉપયોગ કરવામાં આવશે.
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ-ઈની વેક્સિન Corbevaxના 2 ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. મતલબ કે વેક્સિનના બંને ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ રહેશે. કેન્દ્રએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર દ્વારા આ ગાઈડલાઈન મોકલી હતી. તા. 01 માર્ચ 2021 સુધીની ગણતરી પ્રમાણે દેશમાં 12 અને 13 વર્ષની ઉંમરના 4.7 કરોડ બાળકો છે. વેક્સિનેશન માટે CoWIN એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
તે સિવાય હવે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને પણ પ્રિકોશન ડોઝ આપી શકાશે. હકીકતે આ ડોઝ વેક્સિનના બીજા ડોઝના 9 મહિના કે 39 સપ્તાહ પૂર્ણ થયા બાદ વૃદ્ધોને આપવાનો છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિકોશન ડોઝમાં એ જ વેક્સિન આપવામાં આવશે જે પહેલા અને બીજા ડોઝમાં લીધી હોય.
28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.
ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.
જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.
સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે.
A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે. B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.
કોવિડ સામે રસીકરણના અભિયાનમાં હવે બાળકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે 12થી 14 વર્ષના બાળકોને 16 માર્ચ (બુધવાર)થી કોવિડની રસી આપવામાં આવશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેરાત કરી કે 13થી 13 અને 13થી 14 વર્ષની વયજૂથના બાળકોને બુધવારથી રસી અપાશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ શકશે.
તેમણે હિંદીમાં ટ્વિટ કરી હતી કે, “બાળકો સુરક્ષિત રહેશે તો દેશ પણ સુરક્ષિત રહેશે.” 12થી 14 વર્ષના બાળકોને Biological E’ની Corbevax વેક્સિન આપવામાં આવશે. માર્ચની શરૂઆતમાં જ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 15થી 18 વર્ષના વયજૂથમાં ત્રણ કરોડથી વધુ કિશોરોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી છે. યુવા ભારત વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનને આગળના તબક્કે લઈ જવા માંગે છે. માંડવિયાએ ટ્વિટ કરી કે સૌને મફત વેક્સિન આપવાના અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે.
ભારતે એક વર્ષ અગાઉ કોવિડ-19 રસીકરણની શરૂઆત કરી હતી. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવા માટે Covaxin અને ZyCoV-1 વિચારણા હેઠળ હતી. ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન એ પુખ્ત વયના લોકોને પણ આપવામાં આવે છે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવાયેલી ZyCoC-1 નવી રસી છે અને તેના સંપૂર્ણ વેક્સિનેશનમાં ત્રણ ડોઝની જરૂર પડે છે.
ધો.11-12 સાયન્સ અને કોલેજોના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા અને ભવિષ્યમાં પ્યોર સાયન્સ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના ચલાવી રહી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સ્કોલરશીપ મળે તે માટે કેવીપીવાય નામની એપ્ટીટ્યુડ ટેસ્ટ દર વર્ષે લેવામાં આવે છે. 2021માં કોવીડ પેન્ડેમિકના સંજોગોવસાત્ નહીં લઇ શકાયેલી કેવીપીવાય પરીક્ષા હવે આગામી તા.22મી મે 2022ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ કેવીપીવાય 2021ની પરીક્ષા તા.9મી જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર હતી પરંતુ, એ સમયે કોવીડ-19ની ત્રીજી લહેરમાં ભારતમાં સૌથી વધુ કેસો મળી રહ્યા હોઇ, આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષા 22મી મેએ લેવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન ગત સપ્ટેમ્બર 2021માં જ પૂરા થઇ ચૂક્યા છે. જેમણે સપ્ટેમ્બર 2021 સુધીમાં કેવીપીવાય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
સુરત શહેરમાં પણ લેવાશે કેવીપીવાય પરીક્ષા
સુરત શહેરને પણ આ વર્ષે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી સુરતમાંથી પરીક્ષા આપવા ઇચ્છતા હજારો વિદ્યાર્થીઓએ વડોદરા કે અમદાવાદ સુધી પરીક્ષા આપવા જવું પડતું હતું. પરંતુ હવેથી સુરત શહેરમાં જ કેવીપીવાય પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રોની માહિતી નીચે અંગ્રેજી આર્ટીકલ સાથે આપવામાં આવી છે.
Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) Aptitude Test 2021 will be held on May 22, 2022.
Due to the Covid-19 pandemic situation in India, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 was postponed. Earlier, the KVPY 2021 was scheduled to be held on January 9, 2022. The exam was postponed in the larger interest of the students.
Aptitude Test: Candidates meeting the eligibility criteria for various streams, will be called for aptitude test conducted both in Hindi and English at different centers across the country on Sunday, the 9th January 2022.
KVPY 2021: Admit Card Students may download the admit card for the aptitude test from the website from the first week of May 2022.
Empowerment initiative in the KVPY Fellowship Program:
A certain number of additional fellowships exclusively for the students belonging to SC/ST community under the various streams as stated above will be operated.
About KVPY
The Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) is an on-going National Program of Fellowship in Basic Sciences, initiated and funded by the Department of Science and Technology, Government of India, to attract exceptionally highly motivated students for pursuing basic science courses and research career in science.
The objective of the program is to identify students with talent and aptitude for research; help them realize their academic potential; encourage them to take up research careers in Science, and ensure the growth of the best scientific minds for research and development in the country.
Selection of the students is made from those studying in XI standard to 1st year of any undergraduate Program in Basic Sciences namely B.Sc./B.S./B.Stat./B.Math./Int. M.Sc./M.S. in Mathematics, Physics, Chemistry and Biology having aptitude for scientific research. Special groups / Committees are set up at IISc to screen the applications and conduct an aptitude test at various centres in the country. Based on the performance in the aptitude test, short-listed students are called for an interview which is the final stage of the selection procedure. For receiving a fellowship, both aptitude test and interview marks are considered.
KVPY Aptitude Test 2022 will be held in the following cities across India:
શ્રેય અને સુરતીઓ વચ્ચે ગજબનું બોન્ડીંગ છે. પદ્મશ્રી જેવો ખિતાબ પામવાનું શ્રેય હોય કે પછી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોય, સુરતીઓની પ્રકૃતિમાં શ્રેય પામવાની બાબત સાહજિક છે. અહીં એવા સુરતી ટાબરીયા રેયાન્સ મિતુલ સુરાણીની વાત કરી રહ્યો છું જેણે માત્ર 10 વર્ષની ઉંમરમાં જ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વમાં સૌથી નાની ઉંમરે પ્રોફેશનલ યોગ ગુરુ બનવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. હાલમાં મિતુલ સુરાણી પરિવાર સાથે દુબઇ સેટલ થયા છે અને દુબઇમાં રેયાન્સ 50 લોકોને હાલમાં યોગાની પ્રોફેશનલ ટ્રેનિંગ આપી રહ્યો છે.
વિશ્વમાં સૌથી નાની વયે યુગ ગુરુ બનવાનો વિશ્વ વિક્રમ
સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયામાં હાલ આ સમાચાર વાઇરલ થઇ રહ્યા છે કે જેમાં મૂળ સુરતના સૂરાણી પરિવારનો 10 વર્ષનો રેયાંશ સુરાણી સત્તાવાર રીતે દુનિયાનો સૌથી નાની ઉંમરનો યોગ ઈન્સ્ટ્રક્ટર બન્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝે તેના આ વિક્રમને સર્ટિફાઇડ કરીને તેને બહુમાન આપ્યું છે. મિતુલ સુરાણીના પારિવારીક મિત્ર સુરતના જગદીશ ઇટાલિયાએ આપેલી માહિતી મુજબ રેયાન્સને પરિવારમાંથી જ યોગ પ્રત્યેની રૂચી વધી હતી અને માત્ર એક વર્ષની નાની ઉંમરે જ એ યોગાસન કરતો થઇ ગયો તો.
રેયાન્સને યોગમાં એટલી લગન લાગી ગઇ હતી કે વ્યાવસાયિક યોગ ગુરુઓ જે પ્રકારની ટ્રેનિંગ લેતા હોય છે એવા યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ માટે રેયાંશ એક મહિનો ઋષિકેશ રહ્યો હતો અને કઠિન ગણાતી ટ્રેનિંગ સફળતાપૂર્વક પાર કરી હતી. આજે માત્ર દસ વર્ષની ઉંમરે રેયાન્સ જે પ્રકારના યોગાસન કરી રહ્યો છે એ ભલભલા એક્સપર્ટસને પણ છક્કડ ખવડાવી દે તેવા હોય છે. યોગની અલ્ટીમેટ સિદ્ધિ હાંસલ કરતા રેયાંશ સુરાણીએ (ઉંમર 10) 27 જુલાઈ 2021ના રોજ નવ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી નાની ઉંમરના સર્ટિફાઈડ યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે ગિનિસ રેકોર્ડમાં નામ નોંધાવી અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે.
સૌથી નાની વયના યોગ ગુરુ હવે મેટાવર્સને યોગ શીખવવા માગે છે
ગિનિસ બૂક ઓફ રેકોર્ડના પ્રેસ રિલીઝમાં રેયાંશે કહ્યું હતું કે, જ્યારે મને પહેલીવાર ખબર પડી કે અમે ભારતમાં ઋષિકેશ જઈ રહ્યા છીએ, ત્યારે હું ગ્રામીણ જીવન જીવવા માટે ઉત્સુક હતો. દુનિયાની તે બાજુમાં મેં પહેલીવાર જોઈ, જ્યાં આધ્યાત્મિકતા વધારે છે’. રેયાંશ પાસે ઈન્ટરનેટ કે એસીની સુવિધા પણ નહોતી. તે જલ્દીથી નવા વાતાવરણ સાથે અનુકૂળ થઈ ગયો હતો. ‘હું અલાઈનમેન્ટ, એનાટોમિક ફિલૉસોફી અને આયુર્વેદના પોષક તથ્યો વિશે શીખ્યો. તે એક તીવ્ર અભ્યાસક્રમ છે’, તેમ રેયાંશે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. હવે તેનું ડ્રીમ છે કે એ મેટાવર્સમાં જઇને યોગની ટ્રેનિંગ આપે.
અમેરીકન કોલેજ એસોસીએશન દ્વારા તાજેતરમાં પુનઃડિઝાઇન કરાયેલી SAT (પરીક્ષા) ટૂંકી હશે એટલું જ નહીં પણ તેનો વ્યાપ વિસ્તાર વધારતા તેમાં વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેવામાં આવ્યા છે. સેટ પરીક્ષામાં હવે સમગ્ર ગણિત વિભાગના પ્રશ્નો એટેન્ડ કરવા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. સેટ પરીક્ષાનું સંચાલન કરતી અમેરીકી કૉલેજ બોર્ડે તા.25 જાન્યુઆરી 2021ના રોજ આ જાહેરાત સાથે એવી પણ જાહેરાત કરી હતી કે તેના (એસ.એ.ટી.) સ્યુટ ઑફ એસેસમેન્ટને ડિજિટલ રીતે ઑફર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે પાંચની જગ્યાએ સાત તકો આપવામાં આવશે.
SAT એ અમેરીકામાં કૉલેજ પ્રવેશ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત પરીક્ષા છે. વર્તમાન SAT ને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવા ઉપરાંત – નવી પદ્ધતિ અનુસાર SAT સરળતાથી લઇ શકાય, સેટ પરીક્ષા સરળતાથી આપી શકાય તેવી બનાવવામાં આવી છે. આજની જનરેશનના વિદ્યાર્થીઓ માટે નવી સેટ પરીક્ષા વ્યવસ્થા વધુ સુસંગત હશે. નવી વ્યવસ્થા મુજબ સેટ ટેસ્ટ ટૂંકી હશે. અત્યાર સુધી સેટ પરીક્ષાની અવધી ત્રણ કલાકની હતી પણ હવે નવા ફેરફારો મુજબ સેટ 3 કલાકને બદલે લગભગ 2 જ કલાકમાં પૂરી થઇ જશે.
વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેતા ટૂંકા વાંચન ફકરાઓ હશે અને હવે સમગ્ર ગણિત વિભાગ માટે કેલ્ક્યુલેટરને મંજૂરી આપવામાં આવશે. કૉલેજ બોર્ડ અનુસાર, પરિણામો ઝડપથી જનરેટ થશે, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અઠવાડિયાના બદલે દિવસોમાં સ્કોર પ્રાપ્ત થશે. યુએસ માર્કેટ સાથે સંરેખિત કરીને આખા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પાંચને બદલે હવે SAT લેવાની સાત તકો છે.
સમગ્ર બોર્ડમાં પરીક્ષાને વધુ સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય છે, કારણ કે વિદ્યાર્થીઓ પાસે સમગ્ર વર્ષ દરમિયાન પરીક્ષા આપવા અને તેઓ હાંસલ કરી શકે તેવો શ્રેષ્ઠ સ્કોર મેળવવા માટે વધુ વિકલ્પો હશે.
SATની નવી પદ્ધતિ અમેરીકામાં 202 માં આંતર રાષ્ટ્રીય સ્તરે 2024 માં લોંચ કરવામાં આવશે. નવી પરીક્ષા પદ્ધતિ મહદઅંશે ડિજિટલ રીતે જ લેવામાં આવશે. કૉલેજ બોર્ડના જણાવ્યા અનુસાર, “વિદ્યાર્થીઓને હવે વર્ચ્યુઅલ લનિંગનો ખાસ્સો અનુભવ છે અને તેની આદત પણ પડી ગઇ છે, ઓનલાઇન લર્નિંગ, ટેસ્ટીંગમાં વિદ્યાર્થીઓને ફાવટ આવી ગઇ હોવાથી હવે પછી સેટનું નવું સ્વરૂપ પણ ડિજિટલ જ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
કોરોના પેન્ડેમિક બાદથી વિશ્વભરની શાળાઓમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ટેક્નોલોજી પર આધારિત બની ચૂકી છે આથી સેટ ટેસ્ટ ડિજિટલ થવા સાથે વધુ સુરક્ષિત બનશે, કારણ કે દરેક વિદ્યાર્થી એક અનન્ય કસોટી મેળવશે અને જવાબો શેર કરવા વ્યવહારીક રીતે અશક્ય હશે. 80% વિદ્યાર્થીઓએ કસોટી ઓછી તણાવપૂર્ણ હોવાનું જણાયું હતું અને 100% શિક્ષકોએ નવા ફોર્મેટ સાથે સકારાત્મક અનુભવ હોવાનું જણાવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.