લોકસભાની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચારનો તબક્કો શરૂ થઇ ગયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.10મીએ જૂનાગઢ અને પોરબંદર એમ બે સ્થળે જાહેરસભાને સંબોધશે, તો આવતી કાલથી અમિત શાહ પણ ગુજરાતમાં ચૂંટણી સભાના શ્રીગણેશ કરશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી 10મીએ જુનાગઢ અને પોરબંદર લોકસભા વિસ્તારમાં સભાઓ’ સંબોધશે જ્યારે બપોરે બારડોલી અને નવસારી લોકસભા’ બેઠકમાં પણ સભા યોજાશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઇ શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે અને સાંજે જ ગુજરાતની તમામ 26 બેઠકો અંગે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડશે.
આવતી કાલે 6ઠ્ઠી એપ્રિલથી ભાજપના સ્થાપના દિવસથી પોતાના મતવિસ્તારથી ગાંધીનગર લોકસભાથી લોકસંપર્ક શરૂ કરશે. તેઓ તેમના મત વિસ્તારમાં વેજલપુર અને સાબરમતિ વિસ્તારમાં રોડ શૉ કરશે. રાત્રે બોપલ વિસ્તારમાં બેઠકો કરશે. તેઓ 6,15,19 અને 21 એપ્રિલે રાજ્યમાં અલગ અલગ લોકસભા વિસ્તારની જગ્યાઓએ સભાઓને સંબોધશે. એવું પણ જાણવા મળે છે કે અમિત’ શાહના પ્રચાર માટે તેમની સાથે કેન્દ્રિય રક્ષા પ્રધાન’ નિર્મલા’ સિતારામન’ પ્રચારમાં જોડાશે. આવતીકાલે અમદાવાદમાં પ્રબુદ્ધ નાગરિકોનુ સંમેલન યોજવામાં આવ્યું છે જેને નિર્મલા સિતારામન પણ સંબોધન કરશે. તેઓ વડોદરા અને આણંદ લોકસભા વિસ્તારમાં પણ કાલે જશે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપની ડિજીટલ ડાન્સીંગ 13 જેટલી ટીમો તમામ લોકસભા વિસ્તારમાં જઇને પ્રચાર કરશે. ભાજપ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now