CIA ALERT

ગુજરાત Archives - Page 130 of 158 - CIA Live

April 10, 2019
voting.jpg
1min5890

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની તા. 8મી એપ્રિલને છેલ્લો દિવસ હતો ત્યારે કુલ452 ઉમેદવારોમાંથી 81 ઉમેદવોરોએ ઉમેદવારી પરત ખેચતા હવે કુલ 371 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. જેના કારણે હવે ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

રાજ્યની ર6 બેઠક પૈકી સુરેન્દ્રનગર, જામનગરમાં સૌથી વધુ અને પંચમહાલ, દાહોદ, ખેડામાં સૌથી ઓછા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઊતર્યા છે. દરમ્યાન ચૂંટણીપંચ દ્વારા સુરેન્દ્રનગર-ગાંધીનગર અને અમદાવાદ (પૂર્વ)માં વધારે ઉમેદવારો હોઇ જે તે વિધાનસભા વિસ્તારમાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. એટલે કે આ ત્રણે બેઠક પર બે બેલેટ યુનિટ રાખવામાં આવશે.

તા.8મી એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કુલ 452 ઉમેદવારોમાંથી 81 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેચતાં હવે કુલ 371 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

રાજ્યની સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાંથી સૌથી વધુ 31 ઉમેદવાર છે. આ બેઠક પર ઉમેદવારની સંખ્યા પંદરથી વધારે હોઇ ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકદીઠ બે ઇવીએમ મશીન અથવા તો બેલેટ યુનિટ મૂકીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની કવાયત આરંભાઇ છે. જ્યારે ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કૉંગ્રેસના સી. જે. ચાવડા વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જોકે ગાંધીનગરમાં કુલ 34 ઉમેદવાર પૈકી 17 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતાં હવે કુલ 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

આ બેઠક પર પણ 1પથી વધુ સંખ્યામાં ઉમેદવાર હોઇ ત્યાં મતદાન મથકદીઠ બે બેલેટ યુનિટની વ્યવસ્થા ઊભી કરાશે.

April 10, 2019
modihai.jpg
1min9560

 

ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજ્યના અનેક જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધવાની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી દીધી છે. બુધવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ અને સોનગઢમાં ભાજપની જંગી ચૂંટણીસભાને સંબોધશે. નરેન્દ્ર મોદીનો લોકસભાનીચૂંટણીના પ્રચારનો વ્યસ્ત શિડયુલને કારણે આણંદ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 1300 જેટલા જવાનો ખડે પગે ફરજ બજાવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. જૂનાગઢમાં એક જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે સોનગઢમાં પણ એક જાહેરચૂંટણીસભા સંબોધશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પણ પીએમ મોદી સભાઓ ગજાવશે. પીએમ મોદી ગુજરાતના મહેમાન બનવાના હોવાથી તેમને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે પીએમ મોદી જે સ્થળે જનસભાઓ સંબોધવાના છે તે જગ્યાએ રાજ્યના ગૃહ ખાતા દ્વારા 1300 જેટલા પોલીસ કર્મચારીઓને સઘન સુરક્ષાના બંદોબસ્તમાં ખડે પગે ચૂંટણી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આગામી તા. 17મી એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનને આગળ ધપાવશે એમ પ્રદેશ ભાજપ તરફથી જણાવાયુ હતું. અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમ તૈયાર થયો હતો, પરંતુ તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા તા.17મી એપ્રિલ પર મુકરર કરવામાં આવ્યો હતી. વડા પ્રધાન મોદી તા.17મી એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.

April 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5730

શહેરની એક હોમિયોપેથિક મેડિકલ કૉલેજમાં એક પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ બાદ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ હંગામો મચાવ્યો હતો જેના પગલે કૉલેજના સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પ્રોફેસરે લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા તેમ જ તમામ સહકાર આપવાની વાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગોંડલ રોડ પર એક હોમિયોપેથિક કૉલેજની વિદ્યાર્થિનીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ કૉલેજના એક પ્રોફેસર વિરુદ્ધ છેડતીના આરોપ સહિત આખી ઘટના જણાવી હતી તે પહેલા આ ઘટના સામે આવ્યા બાદ હોમિયોપેથિક કૉલેજમાં વિદ્યાર્થિનીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રગટ કયો હતો જેમાં કૉલેજના સંચાલકો દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. યુવતી તેમ જ તેના માતાપિતાને પ્રોફેસર સામે કાયદેસરની ફરિયાદ કરવી હોય તો તે માટેની સમજ આપી હતી અને કૉલેજ પણ આવી ફરિયાદ મળ્યાં બાદ તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરને કૉલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે પ્રોફેસરે કહ્યું હતું કે હું શરૂઆતથી કૉલેજ સાથે જોડાયેલો છું. મારા પર જે આક્ષેપ થયા છે તે પાયોવિહોણા છે. ટ્રસ્ટીઓએ મને કૉલેજના શિસ્તપાલનની જવાબાદરી આપી છે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીને ખોટું લાગી આવતા આવો ખોટો આક્ષેપ કર્યો છે. જો મારી સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. કૉલેજ તરફથી મને કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલના તબક્કે વાલીઓ સાથે પણ મારે કોઈ વાતચીત નથી થઈ. આ મુદ્દે વાતચીતથી સમાધાન આવી શકે છે. મારી તબિયત બરાબર ન હોવાથી હું કૉલેજ ગયો નથી.

April 9, 2019
sun.png
1min7970

ગુજરાતમાં બે દિવસથી ગરમીમાં રાહત બાદ સોમવારે એકાએક ગરમીનો પારો ઊંચકાતાં રાજ્યભરમાં લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, પાટણ, બનાસકાઠા, ભાવનગર, જૂનાગઢ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળતાં શહેર અને ગ્રામ્યકક્ષાએ લોકોની સાથે મૂંગા પશુઓ અને પક્ષીઓની હાલત કફોડી થઈ ગઈ હતી અને અનેક જિલ્લાઓમાં ડીહાઈડ્રેશનના બનાવો ઉપરાંત 90 જેટલા લોકો ગરમીથી બેભાન થઈ ગયાના અને પાણીજન્ય બીમારીથી 1250થી વધુ લોકો સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરી હતી. અમદાવાદમાં ગુજરાતનું સૌથી વધુ તાપમાન 41.5 ડિગ્રી રહ્યું હતું. જોકે લોકોએ 43 ડિગ્રીની ગરમીનો અહેસાસ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચૈત્રના આરંભ સાથે ગરમીમાં બે દિવસથી લોકોને રાહત થતાં લોકોને કાતિલ ગરમીમાંથી છુટકારા બાદ સોમવારના દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો એકાએક ઊંચો જતા અને જિલ્લાઓમાં ગરમીના કારણે જાણે આકાશમાંથી અગનગોળા ફેકાતા હોય તેવો માહોલ સર્જાયો હતો.

જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 41.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ ખાતે તાપમાન 40.8 ડિગ્રી અને અમદાવાદમાં તાપમાનનો પારો 41.6 સુધી પહોંચી ગયો હતો. રાજ્યના હવામાન ખાતાએ હજુ પાંચ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી હતી. જ્યારે અમરેલી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લામાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન પર માઠી અસરો પડી હતી અને આકરી ગરમીને કારણે શહેરો અને જિલ્લાભરમાં લોકોની બીપી, ડીહાઈડ્રેશન, ઝાડા-ઊલટી, જેવી બીમારીનો ભોગ બન્યા હતા જેના કારણે અનેક શહેરી અને જિલ્લાના આરોગ્ય કેન્દ્રોલોકોની ભીડથી ઊભરાઈ રહ્યા છે. જ્યારે મનપાએ અમદાવાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર બપોરના એકથી સાંજના પાંચ નહીં નીકળવા સૂચનો કર્યા હતા. સાથે સાથે ખૂબ જ પાણી પીવાની તેમ જ ખુલ્લામાં વેચાતા ખોરાકો ઉપરાંત બરફના ગોળા ઠંડક માટે ઉપયોગ ન કરવા સૂચનો જારી કર્યા હતા. મનપા દ્વારા શહેરભરમાં ઠેર ઠેર ઠંડા પાણીની પરબો ઊભી કરવામાં આવી હતી. આમ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો એકાએક ઊંચકાતા જનજીવન પર માઠી અસરો પડી રહી છે અને ગરમીને કારણે અનેક લોકોની તબિયત બગડવાના બનાવો પણ વધી ગયા છે.

April 8, 2019
forbes_1200x1200.jpg
1min8300
ફોર્બ્સ ઇન્ડિયાની બિલિયોનરની યાદીમાં પહેલીવાર અમદાવાદના 8 લોકોનો સમાવેશ
Photo Credit : Creative Yatra

હાલમાં જ ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને ભારતના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. મહત્વની વાત એ છે કે ફોર્બ્સ ઇન્ડિયાએ પહેલીવાર અમદાવાદના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં અમદાવાદના ચાર બિલિયોનર્સનો સમાવેશ થયા છે. ભારતભરના બિલિયોનર્સની યાદીમાં નજર કરીએ તો મુંબઇ, દિલ્હી અને બેંગ્લોર બાદ અમદાવાદ ચોથા ક્રમે આવે છે.

ગુજરાતની યાદીમાં ગૌતમ અદાણી પહેલા સ્થાને
બિલિયોનર્સની યાદીમાં ગૌતમ અદાણી પહેલા સ્થાન પર છે. ગૌતમ અદાણીની સંપત્તિની વાત કરીએ તો
 8.7 બિલિયન ડોલર્સ એટલે કે 596 અબજની નેટવર્થ ધરાવે છે. તે મુખ્યત્વે પોર્ટથી લઇને ગેસના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભારત ભરમાં સફળ બિઝનસ મેનની યાદીમાં ગુજરાતીઓમાં અંબાણી બાદ અદાણી પરીવાર સૌથી સફળ ગણવામાં આવે છે.

નિરમાના ફાઉન્ડર કરશન પટેલ બીજા ક્રમે
ફોર્બ્સની ગુજરાતી બિલિયોનર્સની યાદીમાં બીજા નંબર પર નિરમા ગ્રુપના કરશન પટેલ છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 4.7 બિલિયન ડોલર્સ એટલે કે 322 અબજની નેટવર્થ ધરાવે છે. 1969માં કરશનભાઇ પટેલે ફોસ્ફેટ ફ્રી પીળા પાઉડર બનાવાનો ધંધો શરુ કર્યો હતો. જેને તેમણે ખૂબ વિશાળ બનાવ્યો.

ટોરેન્ટ ગ્રુપના સુધીર અને સમીર મહેતા ત્રીજા સ્થાને
ગુજરાતી બિલિયોનર્સની યાદીમાં ત્રીજા નંબર પર ટોરેન્ટ ગ્રુપના સુધીર અને સમીર મહેતા આવે છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 4 બિલિયન ડોલર્સ એટલે કે 274 અબજની નેટવર્થ ધરાવે છે. આ ઉદ્યોગની શરુઆત સ્વ. યુ.એન મહેતાએ કરી હતી અને હાલ તેમના પુત્રો સુધીર અને સમીર આ કારોબાર સંભાળે છે.

ઇન્ટાસ ગ્રુપના હસમુખ ચુંડગર ચોથા ક્રમે છે
બિલિયોનરની યાદીમાં અમદાવાદના ઇન્ટાસ કંપનીના હસમુખ ચૂડગર ચોથા નંબરે આવે છે. જેની નેટવર્થ 247 અબજ છે. આપણે જાણીએ છીએ કે અમદાવાદ ફાર્મા કંપનીનું હબ છે. ત્યારે એક નાની ફાર્મા કંપની તરીકે શરુઆત થયેલી ઇન્ટાસ ફાર્મા આજે દેશની ટોપ ટેન ફાર્મા કંપનીમાં સ્થાન ધરાવે છે.

ઝાયડસના ચેરમેન પંકજ પટેલ પાંચમાં ક્રમે
અમદાવાદના બિલિયોનર્સની યાદીમાં પાચમાં સ્થાન પર છે ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલ. રમણભાઇ પટેલના વારસાને ઝાયડસના ચેરમેન પંકજ પટેલે આગળ વધાર્યો. તેમની નેટવર્થ 247 અબજ એટલે કે 4 બિલિયન ડોલર્સ છે.

AIA એન્જીનીયરીંગના ભદ્રેશ શાહ છઠ્ઠા ક્રમે
ત્યાર બાદ બિલિયોનરની યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે
 AIA એન્જીન્યરીંગના ભદ્રેશ શાહ. તેમની તેની સંપત્તિની વાત કરીએ તો તે 1.5 બિલિયન ડોલર્સ એટલેકે નેટવર્થ 96 અબજની સંપતી ધરાવે છે. આ કંપની સિમેન્ટમાઇનિંગ અને પાવર જેવી કંપનીઓને રિપ્લેસમેન્ટ પાટર્સ સપ્લાય કરે છે. છેલ્લા 15 વર્ષમાં આ કંપનીએ જબરદસ્ત પ્રગતિ કરી છે.

સિમ્ફની કુલર્સના MD અચલ બેકરી સાતમાં ક્રમે
ફોર્બ્સની ગુજરાતી બિલિયોનરની યાદીમાં દેશભરમાં પ્રખ્યાત અમદાવાદના સફળ ગણાતા સિમ્ફની કુલર્સના એમડી અચલ બેકરીનું સ્થાન સાતમાં ક્રમે આવે છે. તેની સંપત્તિની વાત કરીએ તો હાલ તે
 1.3 બિલિયન ડોલર્સ એટલે કે તેમની નેટવર્થ 75 અબજની નેટવર્થ ધરાવે છે.

એસ્ટ્રલ પાઇપ્સના સંદિપ એન્જિનિયર આઠમાં ક્રમે
તો ગુજરાતના અંતિમ એટલે કે આઠમાં ક્રમમાં બિલિયોનર એસ્ટ્રલ પાઇપ્સના સંદિપ એન્જિનિયર આવે છે. હાલ સંદિપ એન્જિનિયરની સંપતીની વાત કરીએ તો 74 અબજની નેટવર્થ ધરાવે છે. PVC પાઇપ્સના નિર્માણમાં આવ્યા બાદ તેમને હરણફાળ સફળથા મેળવી અને દેશ વિદેશમાં તેમણે પોતાનો બિઝનસ ફેલાવ્યો. જોકે આ પહેલા તે કેમિકલ અને ફાર્માના બિઝનસમાં નિષ્ફળ ગયા હતા. ત્યાર બાદ PVC પાઇપ્સના બિઝનસમાં મોટી સફળતા મેળવી.

April 8, 2019
parliament-election.jpg
1min6350

લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પશ્ર્ચિમ, નવસારી, કચ્છ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભાવનગર બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉમેદવારોએ રજૂ કરેલી એફિડેવિટ પ્રમાણે સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ છે. તેમની સંપત્તિ ૪૫ કરોડ જાહેર થઈ છે. નોટબંધીના વર્ષમાં પણ પાટિલ ૧૯ કરોડ કમાયા હતા. બીજા નંબરે અમદાવાદ પશ્ર્ચિમના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી છે. જેમણે પાંચ વર્ષમાં બમણી સંપત્તિ રૂ. ૬.૭૬ કરોડ જાહેર કરી છે.

સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ

બીજા નંબરે અમદાવાદ પશ્ર્ચિમના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે નોટબંધીના વર્ષમાં રૂ.૧૯,૦૩,૪૪,૮૨૦ કરોડની તોતીગ આવક બતાવી હતી. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે નોટબંધીની આગળ અને પાછળના તમામ વર્ષમાં તેમની આવક એક કરોડ કરતા ઓછી છે. નોટબંધીના વર્ષમાં આવકમાં આવેલો મોટો ઉછાળો તેમણે એફિડેવિટના સ્વરૂપમાં ઉમેદવારીપત્રક ભરતી વખતે દર્શાવ્યો હતો. સી.આર.પાટીલ પાસે રૂ.૧૨.૬૧ કરોડની મૂલ્યની જંગમ મિલકત, જયારે તેમના પત્ની પાસે રૂ. ૯૨.૦૮ લાખની જંગમ મિલકત દર્શાવી હતી. જ્યારે તેમના એચયુએફ પાસે રૂ. ૬૯.૩૮ લાખની જંગમ મિલકત, તેમની સ્વઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૫.૨૭ કરોડ જ્યારે તેમના પત્ની પાસે સ્વ ઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૨૪.૮૦ કરોડ દર્શાવ્યું હતું. સી.આર.પાટીલની વારસાગત મિલકતનું મુલ્ય રૂ.૨૮.૬૯ લાખ છે. એફિડેવિટમાં તેમણે કોઇ સરકારી કે બેંકના લેણા બાકી નહિ હોવાનું બતાવ્યું હતું.

અમદાવાદ શહેરની પશ્ર્ચિમ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ સત્તાવાર રીતે ભાજપના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી.

ડો. કિરીટ સોલંકીએ ઉમેદવારી નોંધાવવા માથે પાઘડી બાંધી પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલા સત્તાવાર એફિડેવિટમાં તેઓની પાસે રૂ.૬.૭૬ કરોડની સ્થાવર અને જંગમ મિલકત હોવાનું જાહેર કર્યું હતું. ડો. કિરીટ સોલંકીએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પશ્ર્ચિમ બેઠકથી જ ઉમેદવારી નોંધાવી હતી તે વેળાએ તેમણે સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડની હોવાની જાહેરાત કરી હતી પણ છેલ્લાં પાંચ વર્ષમાં તેમની સંપત્તિ બમણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વેળાએ ડો. કિરીટ સોલંકીએ તેમની સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડ દર્શાવી હતી જેમાં કૃષિ જમીન, પ્લોટ અને મકાન જેવી સંપત્તિ રૂ.૨.૦૫ કરોડની હતી જ્યારે ૪૬.૫૮ લાખનું રોકાણ બેંક, શેર કે સોના-ચાંદીમાં હતું જ્યારે તેમની પત્નીએ વર્ષ ૨૦૧૪માં તેમની કુલ સંપત્તિ રૂ.૮૯.૨૬ લાખની દર્શાવી હતી.

કચ્છની અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર એવા વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ તેમનું ઉમેદવારીપત્ર રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભર્યું હતું. ભુજમાં મુખ્યપ્રધાનની જાહેરસભા બાદ એક કિલોમીટરનો રોડ-શો યોજાયો હતો અને ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીને ફોર્મ રજૂ કરાયું હતું.

છોટાઉદેપુરની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ મોહનસિંહ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. ગુજરાત યુનિ.માંથી બીકોમ થયેલા રણજિતસિંહ રાઠવાએ તેમની સામે કોઈ જ ક્રિમિનલ કેસ નોંધાયો ન હોવાનું જાહેર કર્યું હતું. બીએડ કોલેજ આર્ટસ એન્ડ નર્સિંગ કોલેજ વાર્ષિક ભાડું રૂ.૭.૯૫ લાખ આવે છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં જમીનો ધરાવે છે. રણજીતસિંહ રાઠવાની સંપત્તિ રૂ.૨.૯૩ કરોડ, સ્થાવર મિલકત ૨.૨૫ કરોડ, જંગમ ૫૨.૨૭ લાખ, હાથ પરની રોકડ રકમ રૂ. ૨ લાખ, ઝવેરાત રૂ.૧૩.૯૦ લાખ હોવાનું દર્શાવ્યું હતું.

પંચમહાલ બેઠક પરના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનું સરવૈયું જોઈએ તેમણે રૂ.૧.૦૩ કરોડની સંપત્તિ દર્શાવી હતી જેમાં જંગમ મિલકતો ૨૦૧૯માં રૂ.૬૫,૩૨,૬૬૩ અને ૨૦૧૭માં રૂ.૩૫.૩૩ લાખ હતી. સ્થાવર મિલકતો ૨૦૧૯માં રૂ.૩૭,૨૮,૦૦૦ અને ૨૦૧૭માં રૂ.૧૬.૬૫ લાખ હતી. સોનું ૨૦૧૯માં ૨૦ તોલા, એક કિલો ચાંદી અને ૨૦૧૭માં સોનું ૨૦ તોલા, એક કિલો ચાંદી હતી. વાહન ૨૦૧૯માં રૂ.૨૯ લાખના અને ૨૦૧૭માં રૂ.૨૧ લાખના હતા. અભ્યાસ એબીએડ સુધીનો છે. અને એક પણ ક્રિમિનલ કેસ નથી.

ભાવનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર ડો.ભારતીબેન ધીરૂભાઈ શિયાળનું સરવૈયું જોઈએ તો જંગમ મિલકત ૨૦૧૪માં રૂ.૨૭,૧૪,૭૭૪ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૪૭,૫૦૫ થઈ. સ્થાવર મિલકત ૨૦૧૪માં રૂ.૨૮,૫૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ. ૩૫,૮૫,૧૪૦ થઈ. -સ્વપાર્જિત મિલકત ૨૦૧૪માં રૂ. ૩૪,૦૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૭૫,૦૦૦ થઈ. જવાબદારીઓ રૂ.૧૧,૯૨,૩૯૫ની છે. લોન ૨૦૧૪માં રૂ.૧૧,૩૨,૩૨૫ હતી તે ૨૦૧૯માં રૂ.૧૬,૨૯,૫૯૭ દર્શાવી હતી. તેમની પર એક પણ ક્રિમીનલ કેસ નથી.

April 6, 2019
kartik-jivani1.jpg
1min102740

એકેય સુરતી સિવિલ સર્વિસીઝ પાસ થયો નથી તેવું મહેણું ભાંગતો મૂળ સુરતમાં જ જન્મેલો કાર્તિક જીવાણી, સુરત સમેત ગુજરાતમાં યુપીએસસી ફાઇનલ્સ 2018માં સર્વપ્રથમ ક્રમે પાસ થયો

તા.5મી એપ્રિલ 2019ના રોજ યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઇનલ્સ 2018ના પરિણામે સુરતનું એ મહેણું દૂર કર્યું હતું કે 60 લાખથી વધુની વસતિ ધરાવતા સુરત શહેરમાંથી હજુ સુધી એકેય યુવક કે યુવતિ આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા નથી. જી હા, તા.5મી એપ્રિલે જાહેર થયેલા યુપીએસસી સિવિલ સર્વિસીઝ ફાઇનલ્સ 2018 પરીક્ષાના પરીણામમાં સુરતના વરાછા રોડનો એક યુવાન એન્જિનિયર નામે કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં 94 અને ગુજરાતમાં પહેલા રેન્કથી પાસ થઇને સનદી અધિકારી બન્યો છે.

આઇઆઇટી બોમ્બેથી મિકેનિકલ એન્જિનિયર બન્યા બાદ બીજી ટ્રાયલે કાર્તિક જીવાણીએ યુપીએસસી ક્લીયર કરી દીધી

કાર્તિક સુરતના વરાછાની પી પી સવાણી સ્કુલ અને એ પછી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલિંગ પૂરું કર્યું હતું. કાર્તિક જીવાણીએ એન્જિનિયરિંગમાં ઉચ્ચ શિક્ષણ આઈઆઇટી મુંબઈથી લીધું હતું. મેકૅનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બી.ટેક થયા બાદ કાર્તિક જીવાણીએ ગત 2017માં યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં એ ફેલ થયો હતો અને પછી પુનઃ 2018માં ફરીથી પરીક્ષા આપી હતી, જેનું પરીણામ સમગ્ર સુરત જ નહીં બલ્કે ગુજરાતને પણ ગૌરવ અપાવી રહ્યું છે.

હાર્દિકના પિતા વરાછા રોડ પર જીવાણી લેબોરેટરી ચલાવી રહ્યા છે. ડો.એન.ડી. જીવાણી વરાછા રોડ પર સારી શાખ ધરાવે છે, તેમના પુત્રની સિદ્ધિથી તેઓ અત્યંત ખુશી અનુભવી રહ્યા છે.

હજારો યંગસ્ટર્સ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. બનવાના સપનાઓ જોતા હોય છે પણ તેને પૂરા કરવાની આવે ત્યારે તેમનું પાણી મપાઇ જતું હોય છે. કાર્તિક જીવાણીની જેમ એવા યુવાનો જ આઇ.એ.એસ. બની શકે છે જેઓ બાકીનું બધું પડતું મૂકીને ફક્ત સિવિલ સર્વિસીઝને જ પ્રાયોરિટી કામ તરીકે હાથ પર લે.

કાર્તિક જીવાણીએ યુપીએસસીની સિવિલ સર્વિસીઝ ઉપરાંત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 3જો રેન્ક તેમજ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 101મો રેન્ક હાંસલ કર્યો છે.

સી.આઇ.એ. સાથે વાતચીત દરમિયાન કાર્તિક જીવાણીએ જણાવ્યું હતું કે તેણે આઇ.એ.એસ. અગર આઇ.પી.એસ. બ્રાન્ચ સિલેક્ટ કરી છે. બ્રાન્ચની સાથે સ્ટેટ (રાજ્ય)ની પસંદગી કરવાની હોય છે. તેમાં પણ ગુજરાતને પસંદ કરી છે.

સુરતના વરાછા રોડ સ્થિત બિનસરકારી સંસ્થાઓ જેવી કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, લોક સમર્પણ બ્લેડ બેંક, વરાછા કો.બેંક વગેરેના આગેવાનોએ તા.6 એપ્રિલના રોજ વરાછા સ્થિત લોકસમર્પણ બ્લડ બેંકના હોલમાં આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરનાર કાર્તિક જીવાણીનું જાહેર અભિવાદન કર્યું હતું, તે વેળાની તસ્વીર

April 6, 2019
modi_shah.jpg
1min7310
લોકસભાની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચારનો તબક્કો શરૂ થઇ ગયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.10મીએ જૂનાગઢ અને પોરબંદર એમ બે સ્થળે જાહેરસભાને સંબોધશે, તો આવતી કાલથી અમિત શાહ પણ ગુજરાતમાં ચૂંટણી સભાના શ્રીગણેશ કરશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી 10મીએ જુનાગઢ અને પોરબંદર લોકસભા વિસ્તારમાં સભાઓ’ સંબોધશે જ્યારે બપોરે બારડોલી અને નવસારી લોકસભા’ બેઠકમાં પણ સભા યોજાશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઇ શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે અને સાંજે જ ગુજરાતની તમામ 26 બેઠકો અંગે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડશે.
આવતી કાલે 6ઠ્ઠી એપ્રિલથી ભાજપના સ્થાપના દિવસથી પોતાના મતવિસ્તારથી ગાંધીનગર લોકસભાથી લોકસંપર્ક શરૂ કરશે. તેઓ તેમના મત વિસ્તારમાં વેજલપુર અને સાબરમતિ વિસ્તારમાં રોડ શૉ કરશે. રાત્રે બોપલ વિસ્તારમાં બેઠકો કરશે. તેઓ 6,15,19 અને 21 એપ્રિલે રાજ્યમાં અલગ અલગ લોકસભા વિસ્તારની જગ્યાઓએ સભાઓને સંબોધશે. એવું પણ જાણવા મળે છે કે અમિત’ શાહના પ્રચાર માટે તેમની સાથે કેન્દ્રિય રક્ષા પ્રધાન’ નિર્મલા’ સિતારામન’ પ્રચારમાં જોડાશે. આવતીકાલે અમદાવાદમાં પ્રબુદ્ધ નાગરિકોનુ સંમેલન યોજવામાં આવ્યું છે જેને નિર્મલા સિતારામન પણ સંબોધન કરશે. તેઓ વડોદરા અને આણંદ લોકસભા વિસ્તારમાં પણ કાલે જશે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપની ડિજીટલ ડાન્સીંગ 13 જેટલી ટીમો તમામ લોકસભા વિસ્તારમાં જઇને પ્રચાર કરશે. ભાજપ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપશે.
April 6, 2019
fraud.jpg
1min7080
જૂનાગઢના 9 જેટલા ખાદ્યતેલોના વેપારીઓએ આચર્યું કરોડોનું કૌભાંડ: ગોંડલ બાદ બીજો બનાવ
જીએસટી વિભાગે નવા નાણાકિય વર્ષના આરંભ સાથે જ બોગસ બિલીંગ વડે છેતરપીંડી આચરનારા તત્વો સામે કાર્યવાહી આદરી છે. અગાઉ ગોંડલમાં ખાદ્યતેલોના વેપારના ખોટા બિલો વડે કૌભાંડ રચાયા પછી આજે જૂનાગઢના ખાદ્યતેલના કુલ નવ વેપારીઓને ઝપટમાં લઇને 227.80 કરોડના બોગસ બિલો બનાવવાના વ્યવહારોને પકડી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢના આ વેપારીઓએ બોગસ ઇ વે બિલ બનાવીને માલ મોકલાતો હોવાનું બતાવ્યું હતુ.
જીએસટી વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સવારથી જ અધિકારીઓનો કાફલો જૂનાગઢના તેલિબિયાંના વેપારીઓ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં ત્રાટક્યો હતો. તપાસમાં ફક્ત ઇ વે બિલ જનરેટ કરતા હોવાનું સામે આવ્યું હતુ. પેઢીના જે માલિકો દર્શાવવામાં આવ્યા છે તેના પાન નંબરનો દુરુપયોગ કરીને જીએસટી નંબર પણ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાયા હોવાની માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
જીએસટી વિભાગે કહ્યું હતુ કે, જૂનાગઢની નોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા સૌથી વધુ 42.50 કરોડની રકમના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા. એ સિવાય રિલાયેબલ એન્ટરપ્રાઇઝના 42.36 કરોડ, વેદાંતના 34.50 કરોડ, પરિમલ એન્ટરપ્રાઇઝના 5.68 કરોડ, પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝના 22.80 કરોડ, ક્લાસિક ટ્રેડર્સના 25.10 કરોડ, આલ્ફા ટ્રેડિંગના31.52 કરોડ, પૂજા ટ્રેડિંગના 7.59 કરોડ અને સમર્થ એન્ટરપ્રાઇઝના 15.76 કરોડના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા.
April 5, 2019
sabarmati-1280x720.jpg
1min15070

ગુજરાતની સૌથી મોટી નદીનું બિરૂદ ધરાવતી અને રાજ્ય સરકારના મહત્ત્વકાંક્ષી એવા રિવરફ્રન્ટ પ્રોજેકટ બાદ શહેરની રોનકમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. જ્યાં અનેક રાજ્યના લોકો નિહાળવા આવતા હોય છે ત્યારે બીજી બાજુ સાબરમતીનો રિવરફ્રન્ટ શહેરનો સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ તા.1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નદીમાં ઝંપલાવીને કુલ 34 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડે 18 જેટલા લોકોને ડૂબતાં બચાવી લાધા હતા. છેલ્લા ત્રણ મહિનામાં ફાયરબ્રિગેડને 50થી વધુ કોલ મળ્યા હતા અને સ્થળ પર જઈને રેસ્ક્યુ કરીને અનેક લોકોને ડૂબતા બચાવવા હંમેશા નદી કિનારે ટીમ તૈનાત રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાબરમતી નદી પર સૌ પ્રથમ રિવરફ્રન્ટ બનતા દૂરદૂરથી અનેક સહેલાણીઓ નદીને નિહાળવા આવતા હોય છે. જેથી શહેરની રોનકમાં ખૂબ જ વધારો થવા સાથે નદીનો રિવરફ્રન્ટ સમગ્ર દેશમાં પિકનિક પોઈન્ટ તરીકે ઊભરી આવ્યો છે ત્યારે બીજી બાજુ આ સ્થળ શહેરનો સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ અહીં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે મનપાએ તમામ બ્રિજ પર ઊંચાઇવાળી લોખંડની જાળી લગાડી દીધી હતી જેના કારણે ગત વર્ષોની તુલનામાં ચાલુ વર્ષે બ્રિજ પરથી નદીમાં પડવાના કિસ્સાઓમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પરંતુ ગત માર્ચ મહિનામાં સાબરમતી નદીમાંથી લાશ મળવાની સંખ્યામાં વધારો થયો છે. જાળીઓ લગાવ્યા બાદ હવે લોકો વોક-વે પરથી પડતું મૂકી આત્મહત્યા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ફાયરે બચાવેલા 8 લોકોમાંથી મોટા ભાગનાએ વોક-વે પરથી પડતું મૂક્યું હતું. જો કે, કેટલાક લોકો જાળી પર ચડીને પણ નદીમાં ઝંપલાવી દેતા હોય છે.

તા.1લી જાન્યુઆવી 2019થી અત્યાર સુધામાં ફાયર બ્રિગેડને મળેલા કોલ મુજબ જાન્યુઆરી મહિનામાં 7 પુરુષ અને 1 મહિલા મળી 8 લાશ મળી હતી. ફેબ્રુઆરી મહિનામાં 5 પુરુષ 1 મહિલા મળી 6 લાશ મળી હતી. જ્યારે 2 પુરૂષ અને 1 મહિલાને બચાવ્યા હતા. જ્યારે ગત માર્ચ મહિનામાં 16 પુરુષ અને 4 મહિલાઓ મળી 20 લાશ મળી છે. જ્યારે 2 પુરુષ અને 3 મહિલા મળી પાંચ લોકોને બચાવ્યા લીધા હતા અને સૌથી વધુ 20 લોકો માર્ચ મહિનામાં નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

છેલ્લા ત્રણ મહિનામાં મનપાના ફાયરબ્રિગેડને 50થી વધુ કોલ મળ્યા હતા જેમાં ફાયરની રેસ્ક્યૂ ટીમે માત્ર માણસોના નહીં પક્ષીઓ અને પ્રાણીઓને એટલે કે, કબૂતર, સમડીઓ, કૂતરાઓ નદીમાં અકસ્માતે પડી જતા તેમને પણ જીવતા બચાવી લીધા હતા. આમ શહેરમાં ફાયરની બચાવ ટીમને સાહસિક કામગીરી કરીને અનેકના જીવો બચાવ્યા છે.