જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી પ્રારંભ થઇ રહેલી અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.જોકે, અમરનાથ યાત્રા જતાં શ્રદ્ધાળુઓ માટે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.
જેમાં અમરનાથ યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓએ પીવાની પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. કારણ કે વધુ ઉંચાઇ પર તમને પાણીની તરસ વધુ લાગી શકે છે. તેમજ થાક પણ લાગી શકે છે તેથી પાણી પાસે રાખવું હિતાવહ છે. આ ઉપરાંત જો તમે કોઇ સ્વાસ્થય સબંધી સમસ્યાથી પીડાઇ રહ્યા હોવ તો દવા સાથે રાખવી જરૂરી છે.
આ ઉપરાંત પહાડી વિસ્તારમાં યાત્રા દરમિયાન શરીરમાં થાક લાગે છે. જેના લીધે સંભવિત રીતે માથાનો દુ:ખાવો, અને ઉબકા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આવા સમયે સ્વસ્થ રહેવા માટે શ્રદ્ધાળુઓએ જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ.
આ ઉપરાંત પ્રાથમિક સારવાર કીટ, બેન્ડેઝ, પેઇન કીલર, અને હવામાન મુજબ જરૂરી કપડા સાથે રાખવા જરૂરી છે. જયારે યાત્રા દરમિયાન પહાડી પ્રદેશોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. તેથી ગરમ કપડાં, છત્રી અને વોટરપ્રૂફ શૂઝ સાથે રાખવા જરૂરી છે.
જયારે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ ચહેરાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યાત્રા દરમિયાન ચહેરાને સૂર્યપ્રકાશ અને ઠંડા પવનથી બચાવવો જોઈએ. સૂર્ય પ્રકાશથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. તેમજ આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનગ્લાસ પહેરવા પણ હિતાવહ છે.
અમરનાથ યાત્રા દરમિયાન અનેક પડાવ આવે છે. તેમજ રાત્રી રોકાણ દરમિયાન અનેક વસ્તુઓની જરૂર પડે છે. તેથી સાથે હેડ લેમ્પ અથવા ફ્લેશ લાઇટ સાથે રાખવી જોઈએ. જે અંધારામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત યાત્રા દરમિયાન સાથે ટ્રેકિંગ સ્ટીક સાથે રાખો જેનાથી ઢોળાવ પર ચઢાણ સરળ બનશે.
આ લાંબી યાત્રા દરમિયાન એનર્જી લેવલ પણ ઘટે છે. તેથી શ્રદ્ધાળુઓ સાથે ખાટી-મીઠા કેન્ડી, સૂકા ફળો, શેકેલા ચણા અને ચોકલેટ સાથે રાખવી હિતાવહ છે. આ દરમિયાન તમારી માટે મહત્વના એવા મોબાઈલ ફોન માટે ચાર્જર, પાવર બેંક અને નાણા સુરક્ષિત રાખવા માટે વોટર પ્રૂફ કવર સાથે રાખો.
આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં યાત્રીઓને તેમના પ્રવાસ સમયપત્રકનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપી છે. તેમને નિયત કટ-ઓફ સમય પહેલાં કાશ્મીર તરફની તેમની યાત્રા શરૂ કરવા અને સુરક્ષા તપાસ હવામાન સંબંધિત વિલંબ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પૂરતો સમય આપવા વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 57 દિવસની અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થશે. આ યાત્રા બે માર્ગો દ્વારા કરવામાં આવશે. જેમાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને પ્રમાણમાં ટૂંકો પરંતુ વધુ મુશ્કેલ 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.
ગરમીથી રાહત, આખો દિવસ ઝરમર-ઝરમર વરસ્યો વરસાદ: નૈર્ઋત્યના ચોમાસાએ દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો: બે દિવસ યલો અલર્ટ
અસહ્ય ગરમીથી ત્રાસી ગયેલા મુંબઈગરાઓ માટે સારા સમાચાર ગણીએ તો ખાસ્સી રાહ જોવડાવ્યા પછી આખરે મંગળવારે મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસું બેઠું હતું. સતત બે દિવસ વરસાદે હાજરી પુરાવ્યા પછી આવેલા નૈર્ઋત્યના ચોમાસાએ છેક દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો હતો અને ઝડપભેર ગુજરાત ભણી વધી રહ્યું છે. આગામી બે દિવસ મુંબઈ-થાણે માટે યલો અલર્ટ હોવાની આગાહી વેધશાળાએ કરી હતી.
સખત તાપમાં શેકાયેલા મુંબઈગરા કાગડોળે ચોમાસાની રાહ જોતા હતા. છેલ્લા બે દિવસથી મુંબઈના અમુક વિસ્તારમાં જોરદાર તો કેટલાક પરિસરમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો. મોટા ભાગના વિસ્તારોમાં ઝરમર વરસીને વરસાદે હાજરી પુરાવતાં ગરમીથી થોડી રાહત મળી હતી. વળી, જળાશયોમાં પાણીની સપાટી નીચી જતાં પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મંગળવારે મુંબઈમાં સત્તાવાર ચોમાસું બેસતાં મુંબઈગરાઓએ હાશકારો અનુભવ્યો હતો..
સાધારત રીતે મુંબઈમાં 10 જૂને ચોમાસાનું આગમન થાય છે. ગયા વર્ષે તો મેના છેલ્લા સપ્તાહમાં જ ચોમાસાએ દેખા દીધી હતી, પરંતુ આ વર્ષે ચોમાસાએ લાંબી પ્રતીક્ષા કરાવડાવી હતી. ખાસ્સા 13 દિવસ મોડું આગમન થયું હતું. આઈએમડીના રેકોર્ડ અનુસાર ચોમાસું સૌથી વધુ 1974 અને 1958માં લંબાયું હતું. તે વર્ષે છેક 28 જૂને ચોમાસું બેઠું હતું.
આઈએમડીનાં વિજ્ઞાની સુષમા નાયરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મંગળવારે મુંબઈમાં બેસેલા ચોમાસાએ છેક દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો છે. મહારાષ્ટ્રના અમુક જ ભાગ ચોમાસાથી વંચિત રહ્યો છે. નૈર્ઋત્યનું ચોમાસું ઝડપભેર ગુજરાત ભણી વધી રહ્યું છે.
મુંબઈ મહાપાલિકાના આંકડા દર્શાવે છે કે મંગળવારની સવારે આઠથી સાંજે સાત વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ શહેરમાં મુંબઈ સેન્ટ્રલમાં 79 મિ.મી. નોંધાયો હતો. ત્યાર બાદ લોઅર પરેલમાં 74.4 મિ.મી., એફ સાઉથ વૉર્ડમાં 72.63 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી.
પશ્ર્ચિમી પરામાં સૌથી વધુ મલાડમાં 61.8 મિ.મી., માલવણીમાં 52.2 મિ.મી. વરસાદ નોંધાયો હતો તો પૂર્વ પરાના માનખુર્દ ખાતે 51.2 મિ.મી. પવઈમાં 37.4 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે પાણી ભરાવાની કોઈ ફરિયાદો પાલિકાના ક્ધટ્રોલ રૂમને મળી નહોતી. એ સિવાય વરસાદી ઘટનાઓની પણ નોંધ થઈ નહોતી. જોકે રાતે આઠ વાગ્યાની આસપાસ શહેરના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધ્યું હતું.
કતારના પ્રખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો.
આ ઘટના અંગે કતારના ઊર્જા મંત્રી અને ‘કતાર એનર્જી’ના ચીફ એક્ઝિક્યુટિવ સાદ અલ-કાબીએ પત્રકારો સાથે વાતચીત કરતા સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે આ ઘટનાને એક ‘ટેકનિકલ અકસ્માત’ ગણાવ્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવાઈ છે.
મંત્રી સાદ અલ-કાબીએ ભાવુક થઈને નિવેદન આપ્યું હતું કે, હું આજે મારી જાતને એક એવા સ્થાને ઊભેલી જોઈ રહ્યો છું, જ્યાં મારે કંઈક એવું કરવું પડી રહ્યું છે જેની મેં હંમેશા આશા રાખી હતી કે ક્યારેય ન કરવું પડે. મારે આપણા 13 લોકોના દુઃખદ અવસાનની જાહેરાત કરવી પડી રહી છે, જેઓ ભારતીય અને પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતા હતા. આ સિવાય 66 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે અને તેઓની તબીબી સારવાર ચાલી રહી છે, સદનસીબે તેમાંથી કોઈની પણ સ્થિતિ જીવલેણ નથી.
આ વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીથી 70 કિલોમીટર કરતાં વધુ દૂર આવેલા સેન્ટ્રલ દોહામાં પણ તેના આંચકા અનુભવાયા હતા. બ્લાસ્ટના કારણે દોહામાં ઘરોના બારી-બારણાં ધ્રૂજી ઉઠ્યા હતા, જેના લીધે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઊર્જા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટનાથી કોઈ પર્યાવરણીય જોખમ ઊભું થયું નથી અને કતારની વૈશ્વિક LNG નિકાસ કામગીરીને કોઈ અસર થઈ નથી.
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં બનેલી દુઃખદ ઘટનામાં જે લોકો કાળનો કોળિયો બન્યા છે, તેમના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદનશીલતા વ્યક્ત કરીએ છીએ. અમે આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ.
આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે આ પ્લાન્ટ તાજેતરમાં જ ઈરાન યુદ્ધ દરમિયાન થયેલા ભારે નુકસાનમાંથી રિકવર થઈ રહ્યો હતો. થોડા મહિના પહેલા જ ઈરાનની મિસાઈલોએ રાસ લફાનમાં આવેલા મુખ્ય ગેસ-પ્રોસેસિંગ યુનિટ્સને નિશાન બનાવ્યા હતા, જેના કારણે ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું હતું અને ઉત્પાદન ઠપ થઈ ગયું હતું.
આ પ્લાન્ટ ડિસેમ્બર 2025થી મેઇન્ટેનન્સના કારણે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો અને દુર્ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.
IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો તથા સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને વધુ ગતિ મળશે
AI, સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રમાં ભારતની વધતી પ્રતિભાની માંગને અનુરૂપ નવા અભ્યાસક્રમોનો શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રારંભ થશે
ભારતીય માહિતી પ્રૌદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (Institute of National Importance) છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. સંસ્થા બી.ટેક. (ગણિત અને કમ્પ્યુટિંગ) તથા એમ.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ)માં ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ વિશેષતા સાથે નવા અભ્યાસક્રમો શરૂ કરશે.
નવા અભ્યાસક્રમોની શરૂઆત અંગે IIIT સુરતના નિયામક ડૉ. રાજીવ શૌરીએ જણાવ્યું હતું કે, “બી.ટેક. ગણિત અને કમ્પ્યુટિંગ તથા એમ.ટેક. ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ અભ્યાસક્રમોની શરૂઆત, ભવિષ્યની ટેકનોલોજીકલ માંગને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત શૈક્ષણિક અભ્યાસક્રમો વિકસાવવાની IIIT સુરતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને મજબૂત સિદ્ધાંત આધાર અને વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરવા માટે રચવામાં આવ્યા છે, જે ભારતના ટેકનોલોજીકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
IIIT સુરતના બોર્ડ ઓફ ગવર્નર્સ (BoG)ના સભ્ય શ્રીમતી આશા દવેએ જણાવ્યું હતું કે, “IIIT સુરતે નવીન શૈક્ષણિક અભ્યાસક્રમો અને મજબૂત રાષ્ટ્રીય તથા વૈશ્વિક સહયોગો દ્વારા ઉદ્યોગ અને સમાજની ઊભરતી જરૂરિયાતોને સતત પ્રતિસાદ આપ્યો છે. આ નવા અભ્યાસક્રમોની શરૂઆતથી અદ્યતન કમ્પ્યુટિંગ, સંરક્ષણ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને અવકાશ પ્રણાલીઓ જેવા રાષ્ટ્રીય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી માનવશક્તિ તૈયાર કરવામાં સંસ્થાનું યોગદાન વધુ મજબૂત બનશે. આ સ્થાનિક ઉદ્યોગ અને નવીનતા ઇકોસિસ્ટમ માટે પણ વિશાળ તકો ઊભી કરશે.“
આ નવા અભ્યાસક્રમો સાથે IIIT સુરતના B.Tech. અભ્યાસક્રમોની કુલ સંખ્યા પાંચ થશે, જેમાં Computer Science and Engineering (CSE), Computer Science and Engineering (Artificial Intelligence & Machine Learning), Computer Science and Engineering (Cyber Security), Electronics and Communication Engineering (ECE) તથા Mathematics & Computing નો સમાવેશ થાય છે. સંસ્થા ત્રણ M.Tech. અભ્યાસક્રમો પણ શરૂ કરશે, જેમાં Computer Science and Engineering (Data Science & AI-ML), Electronics and Communication Engineering (VLSI) તથા Electronics and Communication Engineering (Defence & Space Electronics) નો સમાવેશ થાય છે.
આ નવા સોપાનોને ટેકો આપવા માટે IIIT સુરતે પોતાની શૈક્ષણિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. બી.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 280 થી વધારીને 384 બેઠકો કરવામાં આવી છે, જ્યારે એમ.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 40 થી વધારીને 60 બેઠકો કરવામાં આવી છે. સંસ્થા તેના પીએચ.ડી. કાર્યક્રમો અને આંતરવિષયક સંશોધનના પ્રારંભ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, સાયબર સિક્યોરિટી, VLSI ડિઝાઇન, રોબોટિક્સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે. IIIT સુરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી ઉદ્યોગો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગો દ્વારા ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે.
સંસ્થાએ Advanced Micro Devices (AMD), USA; MediaTek, Taiwan; Bosch; ISRO Space Applications Centre (SAC); તેમજ ભારત અને વિદેશના અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સમજુતી કરારો (MoU) કર્યા છે. ઉપરાંત, સંસ્થાએ IIT Gandhinagar, IIIT Bangalore, IITMO University (Russia),Singapore Management University (Singapore), University of Siena (Italy) અને Deakin University, (Australia) જેવી અગ્રણી સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહયોગ સ્થાપ્યો છે.
35 નિયમિત ફેકલ્ટી સભ્યો અને 13 Professors of Practice તથા Adjunct Faculty સાથે સંસ્થાએ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન 45 કરતાં વધુ સંશોધન પેપરો પ્રકાશિત કર્યા છે અને 2 પેટન્ટ પ્રાપ્ત કર્યા છે. સંસ્થાએ ઉદ્યોગસાહસિકતા માટે પણ સશક્ત માહોલ ઊભો કર્યો છે, જેના પરિણામે તેની સ્થાપના પછીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા પાંચ સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટ કરવામાં આવ્યા છે.
IIIT સુરતે પ્લેસમેન્ટ ક્ષેત્રમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાનો સર્વોચ્ચ વાર્ષિક પગાર પેકેજ ₹54.89 લાખ (LPA) અને સરેરાશ વાર્ષિક પગાર પેકેજ ₹14.85 લાખ (LPA) રહ્યો હતો, જે ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગ-તૈયાર માનવશક્તિ નિર્માણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ નવા અભ્યાસક્રમોની શરૂઆત ભવિષ્ય માટે પ્રતિભાઓને તૈયાર કરી અને ભારતની ટેકનોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાના IIIT સુરતના ધ્યેય તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.
ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ્સ એસોસીએશન્સ (ફોસ્ટા)ના નવનિર્વાચિત બોર્ડની પહેલી મિટીંગમાં
કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની વરણી,પૂર્વ કૈલાશ હાકિમે નવી ટીમને કાર્યભાર સોંપી દીધો
ગીરીશ મિત્તલની સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ
સુરત, તા.18 તાજેતરમાં નવનિર્વાચીત થયેલા ફોસ્ટા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પહેલી મિટીંગ આજે યોજાઇ હતી અને આ મિટીંગમાં દેશમાં ટેક્ષટાઇલ વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ એસોસીએસન્સ (ફોસ્ટા)ના નવા પ્રમુખ તરીકે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા અને કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. ફોસ્ટાના વિદાય લેતા પ્રમુખ કૈલાશ હાકીમે નવી ટીમને કાર્યભાર સુપરત કરી દીધો હતો.
ફોસ્ટાના તત્કાલિન પ્રમુખ કૈલાશ હાકીમે જણાવ્યું હતું કે આજે સાંજે 5 કલાકે ફોસ્ટા કાર્યાલય ખાતે ફોસ્ટાની નવ નિર્વાચીત ટીમની પહેલી બોર્ડ મિટીંગ યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ પદે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલ તેમજ સંગઠન મહામંત્રી તરીકે ગીરીશ મિત્તલના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હતી. ફોસ્ટાના નવા વરાયેલા પ્રમુખ હંસરાજ જૈન તેમજ સેક્રેટરી દિનેશ કટારીયાએ મિડીયા કર્મીઓને પોતાના પહેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તેઓ સુરતના 75 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓ માટે જે રીતે વિતેલા ત્રણ વર્ષ દરમિયાન આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી, વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોને ટોપ પ્રાયોરિટી પર રાખીને તેનું નિરાકરણ લાવવાની અપનાવેલી સિસ્ટમને આગળ વધારવામાં આવશે. તેમજ આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુને વધુ વેપારીઓ ફોસ્ટા સંગઠનના મેમ્બર બને તે માટે મુહિમ ચલાવવામાં આવશે.
આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે MoU પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ બુધવારે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.
અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા. સાઇન કરવામાં આવેલી એગ્રીમેન્ટની કોપી ઈરાન અને મધ્યસ્થતા કરાવી રહેલા દેશોને મોકલી દેવામાં આવી છે. આ પહેલા રવિવારે અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે એમઓયુ પર ઈલેક્ટ્રોનિક રીતે સાઇન કર્યા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે એમઓયુ પર સાઇન થવાથી બંને દેશો વચ્ચે આશરે ચાર મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થઈ ગયો છે.
જો કે, શુક્રવારે બંને દેશોના વાર્તા દળોનું જિનીવામાં એકઠા થવાનો કાર્યક્રમ હજુ પણ નક્કી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકનો ઉદ્દેશ્ય કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી. સાથે જ, આ બેઠક વાસ્તવમાં થશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.
પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે તેહરાનને પોતાના ક્રૂડનું વેચાણ કોઈપણ પરિવહન કે વીમા સંબંધિત પ્રતિબંધો વિના કરવાની મંજૂરી મળવી જોઈએ. તે વેચાણમાંથી થનારી આવક સુધી તેની સંપૂર્ણ પહોંચ હોવી જોઈએ.
શાંતિ ડીલ Points
-લેબનાન સહિત અન્ય તમામ સંઘર્ષવાળા મોરચાઓ પર કાયમી યુદ્ધવિરામ -એકબીજાની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતાનું સન્માન, આંતરિક બાબતોમાં દખલ નહીં કરે -60 દિવસમાં અંતિમ કરાર પર સંમતિ. સંમતિથી આ સમય મર્યાદાને વધારી શકાય છે -અમેરિકન નૌસેનાની નાકાબંધી સંપૂર્ણપણે દૂર થશે અને ઈરાન બાબતોમાં તેની દખલગીરી નહીં હોય -30 દિવસમાં હોર્મુઝથી જહાજોની અવરજવર પુનઃસ્થાપિત કરવી -અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા ઈરાનને 300 અબજ ડોલરની વિકાસ યોજનાની ઓફર -અમેરિકા, ઈરાન પર લાગુ તમામ પ્રકારના પ્રતિબંધો હટાવશે -ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે, સંવર્ધિત યુરેનિયમ પર અંતિમ કરાર પહેલા વાત થશે
તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓ સુધી તેની પહોંચમાં રહેલા અવરોધોને હટાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઈરાન ઈચ્છે છે કે તે પોતાના ક્રૂડની નિકાસ મુક્ત રીતે કરી શકે. તેના ક્રૂડને લઈ જનારા જહાજો અને વીમા સેવાઓ પર કોઈ રોક ન હોય અને ક્રૂડ વેચાણથી થનારી કમાણી સીધી તેને પ્રાપ્ત થઈ શકે. ઈરાનનું કહેવું છે કે આગામી 60 દિવસ સુધી બંને દેશોએ સંયમ રાખવો પડશે અને એવા કોઈપણ રાજકીય, આર્થિક કે સૈન્ય પગલાંથી બચવું પડશે જેનાથી કરારના અમલીકરણ અને પરસ્પર વિશ્વાસ પર નકારાત્મક અસર પડે.
જણાવી દઈએ કે આ પહેલા સ્વિટ્ઝર્લેન્ડના લૂઝર્ન શહેર નજીક બર્ગનસ્ટોક રિસોર્ટમાં શુક્રવારે યોજાનારા હસ્તાક્ષર સમારોહની તૈયારીઓ વચ્ચે અમેરિકન અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આ કરાર માત્ર એક પ્રારંભિક માળખું છે. બંને પક્ષો કોઈપણ સમયે અંતિમ કરારથી પાછળ હટી શકે છે. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી આગળની વાર્તા એ નક્કી કરશે કે આ માળખું એક પૂર્ણ અને કાયમી કરારમાં બદલાઈ શકશે કે નહીં. બીજી તરફ, બંને દેશો વચ્ચે થયેલી સહમતિ મુજબ, હસ્તાક્ષર બાદ 60 દિવસનો વાતચીતનો સમયગાળો શરૂ થશે, જેને બંને પક્ષોની સહમતિથી લંબાવી શકાય છે. આ જ સમયગાળામાં અંતિમ કરારની વિગતો નક્કી કરવામાં આવશે.
ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ: આ પ્લેટફોર્મનો ઉપયોગ લીક થયેલા પ્રશ્નોનું પ્રસારણ કરવા અને નેટવર્ક સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, વચેટિયાઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.
વ્યાપક પેપર લીકના આરોપો અને અનિયમિતતાને કારણે દેશની મુખ્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા આ વર્ષની શરૂઆતમાં રદ થયા પછી, રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET)નું આયોજન કરવા માટે જવાબદાર રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) ની વિનંતી પર ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ભારતમાં લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને 22 જૂન સુધી બ્લોક કરી દીધું છે.
પેપર લીકના કારણે 3 મેના રોજ યોજાનારી પ્રારંભિક પરીક્ષા રદ થયા પછી, 21 જૂને યોજાનારી NEETની પુનઃપરીક્ષાના એક દિવસ પછી ટેલિગ્રામ પર પ્રતિબંધ લાગુ પડે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ લીક થયેલા પ્રશ્નોનું પ્રસારણ કરવા અને નેટવર્ક સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, વચેટિયાઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
બ્લોકિંગ ઓર્ડર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69(A) હેઠળ જારી કરવામાં આવ્યો છે. સરકારે ટેલિગ્રામને 30 જૂન સુધી પોસ્ટ કરાયેલા સંદેશાઓના સંદર્ભમાં ભારતમાં તેની સંદેશ-સંપાદન સુવિધાને અક્ષમ કરવાનો નિર્દેશ પણ જારી કર્યો છે. NTA એ જણાવ્યું હતું કે, આ “રાષ્ટ્રીય પરીક્ષાઓના સંદર્ભમાં ઘટના પછીના ‘પેપર લીક’ પુરાવા બનાવવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવેલ ચોક્કસ માળખાકીય સુવિધા” ને સંબોધશે.
NTA એ કહ્યું, “આ નિર્દેશો છેલ્લા ઉપાય તરીકે છે.”
ટેલિગ્રામ પર પ્રતિબંધ પાછળનો તર્ક
એક નિવેદનમાં, NTA એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં, પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ કાર્યરત ટેલિગ્રામ ચેનલોએ ઉમેદવારો અને તેમના પરિવારો પાસેથી પુનઃપરીક્ષા પેપરની કથિત ઍક્સેસના બદલામાં થોડા હજારથી લઈને લાખો રૂપિયા સુધીની રકમની માંગણી કરી હતી. NTA મુજબ, આમાંની કેટલીક ચેનલો ખુલ્લેઆમ તેમના નામો દ્વારા તેમના હેતુની જાહેરાત કરી રહી હતી: “પેપર લીક્ડ NEET”, “Re-NEET 2026”, “ખાનગી માફિયા”, અને “REE NEET MAFIAA”. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે “સુરક્ષિત પરીક્ષા શૃંખલાની બહાર” આવા કોઈ પેપર ઉપલબ્ધ નહોતા.
૧૫ જૂનના રોજ, ધ ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સોમવારે રાજસ્થાનના બે માણસોની ધરપકડ કરી હતી, જેમણે NEET (UG) પુનઃપરીક્ષા પ્રશ્નપત્ર હોવાનો દાવો કરીને અને તેને વેચવાની ઓફર કરીને ટેલિગ્રામ દ્વારા મેડિકલ ઉમેદવારો અને તેમના માતાપિતા સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ બંને પાસે કોઈ લીક થયેલા દસ્તાવેજો નથી.
NTA, બિહાર, ગુજરાત અને રાજસ્થાનના પોલીસ દળો સહિત રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ અને જાહેર ચેનલો અને પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવાથી, ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ “નોંધપાત્ર” સંખ્યામાં ટેલિગ્રામ ચેનલો, જૂથો અને બોટ્સને તાત્કાલિક દૂર કર્યા છે, જેમના નામ અને સામગ્રીએ ખુલ્લેઆમ તેમના કપટપૂર્ણ અને ભ્રામક હેતુઓની જાહેરાત કરી હતી, પરીક્ષણ એજન્સીએ જણાવ્યું હતું.
સંદેશ-સંપાદનને અક્ષમ કરવાનો નિર્દેશ શા માટે
ટેલિગ્રામને ભારતમાં 30 જૂન સુધી તેના સંદેશ-સંપાદન સુવિધાને અક્ષમ કરવાની આવશ્યકતા ધરાવતી સૂચના “અલગ પરંતુ સંબંધિત ચિંતા” ને સંબોધે છે, NTA એ જણાવ્યું હતું.
પરીક્ષણ એજન્સીના જણાવ્યા મુજબ, આ સુવિધા, તેના વર્તમાન સ્વરૂપમાં, ચેનલ એડમિનિસ્ટ્રેટરને અગાઉ પોસ્ટ કરેલા સંદેશની સામગ્રીને સંપાદિત કરવાની મંજૂરી આપે છે – જેમાં PDF જેવી જોડાયેલ ફાઇલોનો સમાવેશ થાય છે – જ્યારે મૂળ મોકલવાનો સમય જાળવી રાખવામાં આવે છે.
“આ ક્ષમતાનો ઉપયોગ, ઘણી તાજેતરની પરીક્ષાઓના સંદર્ભમાં, ઘટના પછીની ‘પેપર લીક’ કલાકૃતિઓ બનાવવા માટે કરવામાં આવ્યો છે: ચેનલ એડમિનિસ્ટ્રેટર પરીક્ષા પછી વાસ્તવિક પ્રશ્નપત્ર દાખલ કરવા માટે એક જૂના, નિર્દોષ સંદેશને સંપાદિત કરે છે, અને પરિણામી ચેટ પછી કથિત ‘પુરાવા’ તરીકે પ્રસારિત થાય છે કે પરીક્ષા પહેલાં પેપર પ્રચલિત હતું. MeitY દિશા પરીક્ષા પછીની વિંડો માટે બનાવટનો આ માર્ગ બંધ કરે છે જેમાં આવી કલાકૃતિઓ ઐતિહાસિક રીતે તૈનાત કરવામાં આવી છે,” NTA એ જણાવ્યું હતું.
અવાસ્તવિક DCR નિયમો, દૈનિક 70% સુધીનો પાવર કાપ અને ડિસ્કોમ દ્વારા બિનજરૂરી ચાર્જિસ ભારતના નેટ-ઝીરો લક્ષ્યાંકો અને અબજોના રિન્યુએબલ રોકાણો માટે જોખમરૂપ સુરત-
દેશના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ (C&I) સોલાર સેક્ટરમાં ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના કારણે ખાનગી મૂડી રોકાણો અને દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો જોખમમાં મુકાયા છે. સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઔદ્યોગિક ગ્રાહકોના સંગઠનોએ સંયુક્ત રીતે ગંભીર વહીવટી, નિયમનકારી અને નાણાકીય અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ચાલુ પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે સાઉથ ગુજરાત સોલાર એસોસીએશન દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી છે.
મનઘડત નિયમો, સ્થાનિક સ્તરે સોલાર સેલના પુરવઠાની ભારે અછત, નીતિગત અસ્થિરતા અને જેટકો (GETCO) તથા ડિસ્કોમ (DISCOMs) દ્વારા કરવામાં આવતા પાવર કાપને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉદ્યોગ જગતે ચેતવણી આપી છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો ઉદ્યોગોને ગ્રીન એનર્જી તરફ વાળવાની યોજના નિષ્ફળ જશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી. સોલાર ઉદ્યોગ એવા વળાંક પર છે કે જ્યાં વગર વિચારે લેવાયેલા નિર્ણયો ઉદ્યોગના જ રિન્યુએબલ એનર્જીના પ્રોગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે. પ્રોજેક્ટ્સના ખર્ચમાં રાતોરાત 30% સુધીનો વધારો થયો છે, જ્યારે કાર્યરત પ્લાન્ટમાંથી આધુનિક ગ્રીડના અભાવે 70% જેટલી સ્વચ્છ ઊર્જા ગુમાવવી પડે છે. સોલાર ઉદ્યોગને બંધ થતો બચાવવા સરકારને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની પણ અમારી માંગણી છે.
સોલાર ઉદ્યોગ દ્વારા ઉઠાવવામાં આવેલા 8 મુખ્ય મુદ્દાઓ:
1. સપ્લાય ચેઈનની સમસ્યા (DCR અને ALCM નીતિ): હાઈ-એફિશિયન્સી સોલાર સેલના સ્થાનિક ઉત્પાદનની અછત હોવા છતાં DCR નિયમો ફરજિયાત કરાતા પ્રોજેક્ટ ખર્ચમાં 25% થી 30% નો તોતિંગ વધારો થયો છે.
2. નીતિગત ગૂંચવણ (DCR સેલ્સ વિરુદ્ધ ALMM મોડ્યુલ્સ): સ્થાનિક સ્તરે સેલ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી, આ નિયમના કારણે બજારમાં જૂજ ઉત્પાદકોની મોનોપોલી (Monopoly) સર્જાવાનું અને ભાવવધારો થવાનું જોખમ છે.
3. ગ્રીડની બિનકાર્યક્ષમતા અને ભારે પાવર કાપ: GETCO અને ડિસ્કોમ દ્વારા પીક અવર્સ દરમિયાન સોલાર પાવર જનરેશનને 60% થી 70% સુધી ઘટાડી દેવા અથવા બંધ કરવા દબાણ કરવામાં આવે છે, જેનાથી રોકાણકારોને ભારે આર્થિક નુકસાન થઇ રહ્યુ છે.
4. વીકએન્ડ દરમિયાન અનપેક્ષિત શટડાઉન: શનિવાર અને રવિવાર દરમિયાન કોઈપણ પૂર્વ સૂચના વગર ગ્રીડ બ્રેકડાઉન અને શટડાઉન કરવામાં આવે છે. ઉદ્યોગ જગત આ માટે અગાઉથી નોટિસ અને વળતરની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવે છે.
5. ડિજિટલ મીટર રીડિંગના નામે ઉઘાડી લૂંટ: સોલાર પ્લાન્ટ્સ ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ હોવા છતાં, ડિસ્કોમ દ્વારા મીટર રીડિંગ દીઠ આશરે ₹5,000 નો જંગી ચાર્જ વસૂલવામાં આવે છે, જે તદ્દન ગેરવાજબી છે.
6. જટિલ અને અસ્પષ્ટ બિલિંગ સિસ્ટમ: C&I, કુસુમ (KUSUM) અને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સમાં બિલ જનરેટ થવામાં વિલંબ, બેંકિંગ ગણતરીમાં ભૂલો અને અસ્પષ્ટ ફોર્મેટને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.
7. લાઈવ હિતધારક પરામર્શનો અભાવ: પાયાની વાસ્તવિકતાઓ સમજ્યા વિના જ બંધ બારણે મોટા નીતિગત નિર્ણયો લેવાય છે. સરકારે ગ્રાહકો અને ડેવલપર્સ સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય લેવો જોઈએ આ અમારી માંગણી છે.
8. લાંબા ગાળાની નીતિગત સ્થિરતાની માંગ: સોલાર પ્રોજેક્ટ્સમાં કરોડોનું રોકાણ લાંબા ગાળા માટે થતું હોય છે. વારંવાર બદલાતી નીતિઓ અસ્થિરતા લાવે છે, તેથી મુખ્ય નીતિઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે સ્થિર રાખવી જરૂરી છે.
વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 : ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે એક નવી દિશા
SGCCI દ્વારા નીતિનું વિશ્લેષણ
ગુજરાત સરકારે જાહેર કરેલી “વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026″ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટેનું એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પગલું છે. આ નીતિ માત્ર રોકાણ આકર્ષવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતને આગામી બે દાયકામાં વૈશ્વિક સ્તરે અગ્રણી મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન અને ટેક્નોલોજી હબ તરીકે સ્થાપિત કરવાના વિઝન સાથે તૈયાર કરવામાં આવી છે.
વર્ષ 2020ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પછી વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેક્નોલોજી અને સપ્લાય ચેઇનમાં મોટા ફેરફારો આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને નવી પોલિસીમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇ-મોબિલિટી, રોબોટિક્સ, ડ્રોન, R&D અને સ્ટાર્ટઅપ્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
2020 અને 2026ની પોલિસી વચ્ચેના મુખ્ય ફેરફારો
મુદ્દો
ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020
વિકસિત ગુજરાત પોલિસી 2026
તાલુકા વર્ગીકરણ
3 કેટેગરી (Category 1, 2, 3)
માત્ર 2 કેટેગરી – A (Developing) અને B (Developed)
MSME વ્યાખ્યા
જૂની MSME વ્યાખ્યા આધારિત
કેન્દ્ર સરકારની સુધારેલી MSME વ્યાખ્યા સાથે સુસંગત
થ્રસ્ટ સેક્ટર્સ
EV, Industry 4.0, Green Energy
Semiconductor, Green Hydrogen, Robotics, Drones, E-Mobility સહિત વિસ્તૃત ક્ષેત્રો
R&D સહાય
મર્યાદિત સહાય
50% સુધી કેપિટલ સબસિડી અને વિશેષ R&D સપોર્ટ
Startup સહાય
₹20,000 નિર્વાહ ભથ્થું
₹25,000 નિર્વાહ ભથ્થું અને મહિલા સ્ટાર્ટઅપ માટે ₹30,000
Mega Projects
મર્યાદિત પ્રોત્સાહન
વધુ ઊંચી કેપિટલ, વ્યાજ અને પાવર સબસિડી
Environmental Support
પ્રાથમિક પ્રોત્સાહનો
ZLD, Wastewater Recycling અને Cleaner Production માટે વિશેષ સહાય
નવી નીતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર ઉત્પાદન આધારિત અર્થતંત્ર નહીં પરંતુ ટેક્નોલોજી અને જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે.
નીતિના મુખ્ય મુદ્દાઓ (Key Policy Highlights)
🔹 તાલુકા વર્ગીકરણ અને MSME વ્યાખ્યા
તાલુકા વર્ગીકરણમાં મહત્વનો ફેરફાર
અગાઉની નીતિમાં તાલુકાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. નવી નીતિમાં તેને સરળ બનાવીને માત્ર બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે:
Category A – Developing Talukas
Category B – Developed Talukas
આ ફેરફારથી ઉદ્યોગકારો માટે પ્રોત્સાહનોની સમજ વધુ સરળ બનશે અને પછાત વિસ્તારોમાં રોકાણને વધુ પ્રોત્સાહન મળશે.
MSME વ્યાખ્યા
MSME ની વ્યાખ્યાને કેન્દ્ર સરકારની નવી વ્યાખ્યા સાથે સુસંગત બનાવવામાં આવી છે, જેના કારણે વધુ એકમો MSME લાભો મેળવવા માટે પાત્ર બનશે.
🔹 સબસિડી અને પ્રોત્સાહનો
નવી પોલિસીની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે માત્ર MSME જ નહીં પરંતુ:
MSME
Large Industries
Mega Projects
Ultra Mega Projects
તમામ માટે કેપિટલ, વ્યાજ અને પાવર સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે.
માઇક્રો એન્ટરપ્રાઇઝિસ માટે વિશેષ લાભ
માઇક્રો એન્ટરપ્રાઇઝિસને મળતી કેપિટલ સબસિડી પ્રથમ વર્ષમાં જ મુક્ત કરવામાં આવશે, જેના કારણે શરૂઆતના તબક્કે રોકડ પ્રવાહની સમસ્યા ઓછી થશે.
આ ક્ષેત્રો આગામી દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાના મુખ્ય વૃદ્ધિ એન્જિન બનવાના છે.
🔹 Startup Ecosystem માટે વિશેષ સહાય
ગુજરાતે સ્ટાર્ટઅપ ક્ષેત્ર માટે વધુ આકર્ષક સહાય પેકેજ જાહેર કર્યું છે.
સહાય
લાભ
Sustenance Allowance
₹25,000 પ્રતિ મહિનો
Women-led Startups
₹30,000 પ્રતિ મહિનો
Seed Support
₹30 લાખ સુધી
Social Impact Startups
વધારાના ₹10 લાખ
Accelerator Support
ઉપલબ્ધ
Mentorship Support
ઉપલબ્ધ
આ પગલાંઓ ગુજરાતને દેશના અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે વધુ મજબૂત બનાવશે.
🔹 Industrial Infrastructure અને R&D
Industrial Parks
ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવતા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે:
પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી સહાય
મહત્તમ ₹50 કરોડ સુધી કેપિટલ સબસિડી
આ પગલાંથી રાજ્યમાં નવા ઔદ્યોગિક ક્લસ્ટર્સ વિકસવાની સંભાવના વધશે.
R&D Support
સંશોધન અને વિકાસ ક્ષેત્ર માટે ગુજરાત સરકારે વિશેષ પ્રોત્સાહન જાહેર કર્યું છે.
50% સુધી કેપિટલ સબસિડી
વાર્ષિક મહત્તમ ₹50 કરોડ સુધી સહાય
પેટન્ટ અને ઇનોવેશન માટે વિશેષ પ્રોત્સાહન
આ જોગવાઈઓ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબમાંથી ઇનોવેશન હબ બનાવવામાં મદદરૂપ બનશે.
🔹 પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રે સહાય
નવી પોલિસીનો મહત્વપૂર્ણ ભાગ ટકાઉ વિકાસ (Sustainable Development) છે.
સામાન્ય પર્યાવરણ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વીજળી ટેરિફ સહાય – ₹1 પ્રતિ યુનિટ
💧 Wastewater Recycling
પ્રોજેક્ટ પ્રકાર
સહાય
70% અથવા વધુ રિસાયક્લિંગ
50% સહાય (મહત્તમ ₹75 કરોડ)
અન્ય પ્રોજેક્ટ્સ
40% સહાય (મહત્તમ ₹50 કરોડ)
💧 Zero Liquid Discharge (ZLD)
MSMEs માટે
50% સહાય
મહત્તમ ₹5 કરોડ પ્રતિ MLD
Large / Mega / Ultra Mega Projects માટે
40% સહાય
મહત્તમ ₹7.5 કરોડ પ્રતિ MLD
🌱 Cleaner Production Technologies
MSMEs માટે
50% કેપિટલ સબસિડી
મહત્તમ ₹1 કરોડ
Large / Mega / Ultra Mega Projects માટે
25% કેપિટલ સબસિડી
મહત્તમ ₹2 કરોડ
આ જોગવાઈઓ રાજ્યના ઉદ્યોગોને ESG અને વૈશ્વિક Sustainability Standards સાથે સુસંગત બનાવવામાં મદદ કરશે.
સુરત અને દક્ષિણ ગુજરાત માટે સંભવિત લાભ
આ નવી પોલિસીથી ખાસ કરીને નીચેના ક્ષેત્રોને મોટો લાભ મળશે:
ટેક્સટાઇલ અને ટેક્નિકલ ટેક્સટાઇલ
ડાયમંડ અને જ્વેલરી
એન્જિનિયરિંગ
કેમિકલ અને પેટ્રોકેમિકલ
પ્લાસ્ટિક ઉદ્યોગ
ફૂડ પ્રોસેસિંગ
રિન્યુએબલ એનર્જી
ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમેશન
SGCCI નો અભિપ્રાય
વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 માત્ર પ્રોત્સાહન આપતી નીતિ નથી, પરંતુ ગુજરાતને આગામી 20 વર્ષ માટે વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે વિકસાવવાનો રોડમેપ છે.
આ નીતિ દ્વારા:
✔ નવા રોકાણો આવશે ✔ રોજગારીમાં વધારો થશે ✔ MSME ક્ષેત્ર વધુ મજબૂત બનશે ✔ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન મળશે ✔ ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રિયલ વિકાસને વેગ મળશે ✔ ગુજરાતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે
SGCCI ગુજરાત સરકારની આ દુરંદેશી પહેલને આવકારે છે અને માને છે કે આ નીતિ ગુજરાતને ભારતનું સૌથી આકર્ષક રોકાણ ગંતવ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અશોક જીરાવાલા પ્રમુખ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઇરાન વચ્ચેના આ ઐતિહાસિક શાંતિ કરાર પર આગામી રવિવારે સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ સમજૂતીથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) ને તાત્કાલિક ફરીથી ખોલવાનો રસ્તો સાફ થઈ જશે.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રમ્પે આ આગામી સમજૂતીની સરખામણી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલા પરમાણુ કરાર સાથે કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જૂના માળખાથી વિપરીત આ નવી ડીલ એ સુનિશ્ચિત કરશે કે ઇરાન પરમાણુ હથિયારો વિકસાવવાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહે.
ઇરાનની ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, બંને દેશો વચ્ચેનો આ પ્રસ્તાવિત કરાર નીચે મુજબની 14 મોટી શરતો પર આધારિત છે:
ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધો હટશે: ઇરાનના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટ્સની નિકાસ પર લદાયેલા પ્રતિબંધો દૂર કરવામાં આવશે.
નાણાકીય સંસાધનોનો એક્સેસ: ઇરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેંકિંગ વ્યવસ્થાઓનો પૂરો એક્સેસ પાછો મળશે.
$24 અબજ ડૉલરનું ફંડ મુક્ત કરાશે: 60 દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકા દ્વારા ફ્રીઝ (જપ્ત) કરાયેલા ઇરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે, જેમાંથી 12 અબજ ડોલર તો વાતચીત શરૂ થતાં પહેલાં જ રીલીઝ કરવા પડશે.
ઇરાનનું પુનર્નિર્માણ: અમેરિકા અને તેના સાથી દેશોએ ઇરાનના પુનર્નિર્માણ માટે આશરે 300 અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવી પડશે.
તમામ મોરચે યુદ્ધવિરામ: લેબનાન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ થઈ જશે.
સાર્વભૌમત્વનું સન્માન: અમેરિકા ઇરાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઇરાનના સાર્વભૌમત્વનું સન્માન કરવાનું વચન આપશે.
નૌસૈનિક નાકાબંધીનો અંત: અમેરિકા દ્વારા ઇરાન આસપાસ લગાવવામાં આવેલી નૌસૈનિક નાકાબંધી 30 દિવસની અંદર સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.
અમેરિકન સેના પાછી ખેંચાશે: અમેરિકન સૈન્ય દળો ઇરાનની આસપાસના વિસ્તારો અને સરહદો પરથી પાછા હટી જશે.
હોર્મુઝની ખાડી ખુલશે: હોર્મુઝ સ્ટ્રેટને ઇરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર ફરીથી સત્તાવાર રીતે વ્યાપારી જહાજો માટે ખુલ્લી મૂકી દેવાશે.
60 દિવસની વાટાઘાટો: પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટે આખરી કરાર સુધી પહોંચવા 60 દિવસનો ઓફિશિયલ સમયગાળો શરૂ થશે.
પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન: ઇરાન પરમાણુ હથિયાર ન બનાવવાના પોતાના એનપીટી (NPT – પરમાણુ અપ્રસાર સંધિ) ના વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે.
સૈન્ય અને પ્રતિબંધો પર રોક: આ 60 દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઇસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના નહીં વધારે અને ઇરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે.
યુએન (UN) ની મંજૂરી: આ શરતોના અમલીકરણ પર નજર રાખવા એક વિશેષ મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવશે, અને આખરી કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવ દ્વારા મંજૂરી આપવામાં આવશે.
14.મિસાઇલ પ્રોગ્રામ ડીલની બહાર: સૌથી મહત્વની વાત એ છે કે, ઇરાનનો વિવાદાસ્પદ મિસાઇલ પ્રોગ્રામ અને તેના દ્વારા પ્રાદેશિક ‘રેઝિસ્ટન્સ ગ્રુપ્સ’ (પ્રતિરોધક જૂથો) ને અપાતું સપોર્ટ આ શાંતિ સમજૂતીનો ભાગ નથી.
અહેવાલો અનુસાર, ઇરાન પોતાની શરતો પર મક્કમ છે. જ્યાં સુધી અમેરિકા શરૂઆતના 12 અબજ ડોલર મુક્ત નહીં કરે, ઓઇલ પરના પ્રતિબંધો નહીં હટાવે અને નૌકાદળની નાકાબંધી ખતમ નહીં કરે, ત્યાં સુધી આખરી તબક્કાની સત્તાવાર વાતચીત શરૂ કરવામાં આવશે નહીં.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.