ફ્રીલાન્સર્સ, સ્વરોજગારી ધરાવતા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો જાણે છે કે, આવક અનિયમિત હોય ત્યારે નાણાંનું મેનેજમેન્ટ મુશ્કેલ હોય છે. કારણ કે વ્યક્તિએ ખર્ચ નિયમિત રીતે કરવો પડે છે, પણ એ ખર્ચ માટે આવક નિશ્ચિત હોતી નથી. ઓપ્ટિમા મની મેનેજર્સના સીઇઓ પંકજ મઠપાલ જણાવે છે કે, અનિયમિત આવક ધરાવતા લોકોને ખર્ચનો અંદાજ હોય છે, આવકનો નહીં. એટલે જ તેમના માટે નાણાકીય આયોજન મુશ્કેલ બને છે.” જોકે, સમજણપૂર્વકના આયોજન સાથે આ પડકારનો સામનો કરી શકાય.
ઇમરજન્સી માટે સૌથી પહેલાં વ્યવસ્થા
વ્યક્તિએ ઇમરજન્સી ખર્ચ માટે સૌથી પહેલાં વ્યવસ્થા કરવી જરૂરી છે. એક વર્ષના ખર્ચ જેટલાં નાણાંની FD કરો અથવા લિક્વિડ ફંડમાં મૂકો. એક્સેલન્ટ એડ્વાઇઝર્સના ડિરેક્ટર પુનિત ઓબેરોયના જણાવ્યા અનુસાર સ્વરોજગાર કરતી વ્યક્તિએ એક વર્ષની આવક જેટલું કન્ટિન્જન્સી ફંડ બનાવવું જોઈએ. તેમાં વર્ષનો ઘરખર્ચ અને બિઝનેસના ફિક્સ્ડ ખર્ચ જેટલી રકમ રાખવી જોઈએ.
ઇમરજન્સી ફંડ ન હોય તો નાણાંની જરૂર પડે ત્યારે વ્યક્તિ એસેટ્સનું વેચાણ કરે છે. તેને લીધે મહત્ત્વના લક્ષ્યાંક માટેની ગણતરી ખોરવાઈ જાય છે. દર મહિને થતી આવકનું લક્ષ્યાંક આધારિત એસેટ એલોકેશન સ્ટ્રેટેજી પ્રમાણે રોકાણ કરવું જોઈએ. અન્ય રોકાણકારોની જેમ સ્વરોજગારમાં સક્રિય પ્રોફેશનલ્સે લાંબા ગાળાના લક્ષ્ય સિદ્ધ કરવા ઇક્વિટીનો ઉપયોગ કરવો જોઈએ. તાત્કાલિક જરૂરિયાત માટે લિક્વિડ અને ડેટ ફંડ્સ સારો વિકલ્પ છે. ઉપરાંત, રહેઠાણની ખરીદી જેવા મધ્યમ ગાળાના લક્ષ્ય માટે તેમાં નાણાં રોકી શકાય.
વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવા જોઈએ. TBNG કેપિટલના સ્થાપક અને સીઇઓ તરુણ બિરાનીએ જણાવ્યું હતું કે, “તમે પોતાની જાતને વેતન ચૂકવતા થઈ જશો ત્યારે તમે તેને અન્ય બિઝનેસ ખર્ચની જેમ ગણશો.
વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવાથી ફાઇનાન્શિયલ પ્લાન માટે સ્પષ્ટ ચિત્રનો ખ્યાલ આવશે. બિરાની SIPને બદલે તબક્કાવાર રોકાણની ભલામણ કરે છે. Oyepaisa.comના સ્થાપક ઉદય ધૂતના જણાવ્યા અનુસાર વ્યક્તિએ લઘુતમ રોકાણ કે બચતના કમિટમેન્ટની આદત રાખવી જોઈએ. ઉચ્ચક રકમનું રોકાણ લિક્વિડ ફંડ્સમાં કરવું હિતાવહ છે. ચોક્કસ લક્ષ્ય માટે આ પ્રકારના રોકાણની ટેવ રાખો.
નાણાકીય આયોજનને વળગી રહો
વ્યક્તિ નક્કી કરેલી યોજનાને વળગી ન રહે તો અસરકારક નાણાકીય આયોજન માટે ફાળવેલો સમય અને ઊર્જા નિરર્થક નીવડે છે. મઠપાલના જણાવ્યા અનુસાર “લોકો કમાય ત્યારે વધુ ખર્ચ કરે છે અને મુશ્કેલીના સમય માટે ખાસ બચત કરતા નથી. તેઓ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઊંચા વ્યાજે લોન લે છે.
આવી વ્યક્તિએ લાંબા ગાલાના નાણાકીય આયોજન સાથે વારંવાર સમાધાન કરવું પડે છે. એ વાત યાદ રાખો કે, અંકુશ વગરના ખર્ચા વ્યક્તિને જીવનના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યમાંથી વિચલિત કરે છે.
બિરાનીના જણાવ્યા અનુસાર ઘણા લોકો રોકાણને ટૂંકા ગાળાની તકવાદી નજરથી જુએ છે. રોકાણમાં સાતત્યનો અભાવ તેના લાંબા ગાળાના લાભમાં સતત નુકસાન કરાવે છે.વ્યક્તિ લાંબા ગાળા માટે નાનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ તેના ભંડોળમાં નોંધપાત્ર વધારો થાય છે.
આવક વધારતા વિકલ્પો
અનિયમિત આવક ધરાવતી વ્યક્તિએ સતત આવક રળી આપતા વિકલ્પો પર ધ્યાન આપવું જોઇએ. ટૂંકા ગાળામાં વ્યક્તિની આવક પૂરતી ન હોય ત્યારે ઇમરજન્સી ભંડોળ તેને ટકાવી રાખવામાં મદદ કરે છે. જ્યારે આવકના અન્ય સ્રોત તેને સ્થિરતા આપે છે. મઠપાલના જણાવ્યા અનુસાર આવક રળી આપતી એસેટ્સ ઊભી કરો. જેમકે, વ્યાજની આવક, ડિવિડન્ડ આવક કે ભાડાની આવક આપતી રિયલ એસ્ટેટમાં રોકાણ કરો.
ઇન્શ્યોરન્સને અગ્રિમતા આપો
વ્યક્તિ માટે પૂરતો જીવન વીમો અને હેલ્થ ઇન્શ્યોરન્સ રાખવો ફરજિયાત છે. કારણ કે સ્વરોજગાર કરતી વ્યક્તિ પાસે અન્ય કર્મચારીઓની જેમ કંપની તરફથી ગ્રૂપ હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ હોતો નથી. મહાનગરમાં જીવનસાથી અને બે બાળક સાથે રહેતી વ્યક્તિ માટે ઓછામાં ઓછું ₹5 લાખનું વીમાકવચ જરૂરી છે. દર પાંચ વર્ષે વીમાની રકમની સમીક્ષા કરી તેમાં વધારો કરવો હિતાવહ છે. જીવન વીમો વ્યક્તિની વાર્ષિક આવક કરતાં ઓછામાં ઓછો 10 ગણો હોવો જોઇએ.
ભારતમાં બાળમંજુરી કરતા તથા શોષણનો ભોગ બનતા બાળકોને તેમના હક્કો અપાવવા તથા આરોગ્ય, શિક્ષણ તેમજ બાળપણનો આનંદ મેળવી શકે તે માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘ચાઇલ્ડ કનિદૈ લાકિઅ રાઇટસ એન્ડ યુ અમેરિકા (CRY)”ના ઉપક્રમે પ મે ૨૦૧૮ના રોજ બીજો વાર્ષિક ફંડ રેઇઝર ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.
પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન CRY દ્વારા ભારતના ૩૬૭૬ ગ્રામ્ય વિસ્તારોના ૭ લાખ જેટલા બાળકો માટે આરોગ્ય, શિક્ષણ,પોષણ, તથા હક્કો માટે કરાયેલી પ્રવૃતિઓનો સ્લાઇડ શો દર્શાવાયો હતો. બાદમાં સાંજે બોલીવુડ ડાન્સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામ યોજાયા હતા. ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત નક્કી કરાયેલા ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાના લક્ષ્યાંક કરતાં વધુ રકમ ભેગી થઇ હોવાનું જાણવા મળે છે.
સાન જોસ, કેલિફોર્નિયામાં ક્રાઉન પ્લાઝા ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં સેલિબ્રીટી ગેસ્ટ તરીકે બોલીવુડ એકટર અભય દેઓલએ હાજરી આપી હતી. ઉપરાંત CRY અમેરિકા પ્રેસિડન્ટ શેફાલી સુંદરલાલ તથા ડો.શંભુનાથ, ડો. રોલી સિંઘ, સહિત ૧૦૦ જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા.
ફ્લાઇંગ-ઑફિસર અવનિ ચતુર્વેદી ફાઇટર પ્લેન ઉડાડનાર પહેલી મહિલા પાઇલટ બન્યા છે.
ફ્લાઇંગ-ઑફિસર અવનિ ચતુર્વેદીએ એ ગુજરાતના જામનગર ઍરબેઝથી ૩૦ મિનિટ માટે રશિયન બનાવટનું મિગ-૨૧ બિસન પ્લેન ઉડાડીને ઇતિહાસ રચી દીધો હતો. તે ફાઇટર પ્લેન ઉડાડનાર પહેલી મહિલા પાઇલટ બની છે. ઇન્ડિયન ઍરફોર્સના કાફલામાં સૌથી જૂનું મિગ-૨૧ બિસન ઉડાડવું ઘણું અઘરું કાર્ય મનાય છે. મધ્ય પ્રદેશમાં જન્મેલી અવનિ આગામી છ મહિનામાં ફાઇટર પ્લેનની જટિલતાઓનો અભ્યાસ કરીને એનો યુદ્ધમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એની તાલીમ મેળવશે.
સાઇક્લિંગને ઍરોબિક એક્સરસાઇઝ પણ કહે છે. રિસર્ચ કહે છે કે સાઇકલ ચલાવવાથી શરીરનાં તમામ અંગો ઍક્ટિવેટ થાય છે, જેના કારણે સ્ટૅમિના વધે છે. માત્ર શારીરિક ક્ષમતા માટે જ નહીં, ડિપ્રેશનમાંથી બહાર આવવામાં પણ સાઇક્લિંગ સહાયરૂપ થાય છે. સ્થૂળ કાયા ધરાવતી વ્યક્તિ જો સાઇકલ ચલાવે તો વજન ઝડપથી ઘટે છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે પણ સાઇક્લિંગ જ બેસ્ટ વિકલ્પ છે એવો મત ફિટનેસ-એક્સપર્ટ્સ વ્યક્ત કરે છે. બીજી બાજુ અમેરિકા અને સાઉદી અરેબિયાની યુનિવર્સિટીએ સંયુક્તપણે હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મïળ્યું છે કે સાઇકલ ચલાવતા પુરુષોમાં સેક્સ્યુઅલ અને યુરિનરી સંબંધિત સમસ્યા વધુ જોવા મળે છે. આ અભ્યાસમાં ૪૦૦૦ પુરુષોને આવરી લેવામાં આવ્યા હતા; જેમાં ઝડપથી સાઇકલ ચલાવતા ૨૩ ટકા, મધ્યમ ઝડપે સાઇકલ ચલાવતા ૪૭ ટકા અને ૩૦ ટકા નૉન-સાઇક્લિસ્ટ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાઇકલ ચલાવતી વખતે સૅડલના એટલે કે સીટના પ્રેશરના કારણે પુરુષોનાં જાતીય અંગોને નુકસાન થાય છે.
પૃથ્વી પર વધી રહેલાં ધ્વનિ-પ્રદૂષણ અને ગ્લોબલ-વૉર્મિંગ વિશે લોકોમાં જોવા મળતી જાગ્રતતા તેમ જ ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓ વાપરવાની ભલામણના કારણે વર્તમાન સમયમાં વધુ ને વધુ લોકો સાઇકલ વાપરતા થયા છે. છેલ્લા દસકામાં ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સ અને આઉટડોર ઍક્ટિવિટી તરફ લોકોનો ઝુકાવ વધતાં સાઇકલ વાપરવાનું ચલણ વધ્યું છે. ફિટનેસના સંદર્ભમાં જોઈએ તો સાઇક્લિંગને શ્રેષ્ઠ એક્સરસાઇઝ ગણવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સાઇક્લિંગ માટે ખાસ ટ્રૅક બનાવવામાં આવ્યા છે. વિદેશમાં તો કંપનીના સામાન્ય કર્મચારીઓ જ નહીં; મોટા-મોટા બિઝનેસમેન, રાજકારણીઓ અને મહાનુભાવો કામના સ્થળે સાઇકલ લઈને જાય છે. તેઓ સાઇકલને ઑલ્ટરનેટિવ ટ્રાન્સપોર્ટ તરીકે સ્વીકારી રહ્યા છે. અગાઉ આપણા દેશમાં સાઇકલનો વપરાશ માત્ર સ્કૂલમાં જતાં બાળકો સુધી સીમિત હતો. હવે ભારતમાં પણ સાઇકલને પ્રમોટ કરવાની પહેલ શરૂ થઈ છે. આજે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં, દરિયાકિનારે અને બગીચાની આસપાસ સાઇકલ ચલાવતા લોકો નવાઈની વાત નથી રહી.
ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.
માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.
લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.
આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’
કરીના કપૂર ખાનનું કહેવું છે કે છોકરીઓને શિક્ષણ આપવું એ તેમને સશક્ત બનાવવા તરફનું પહેલું સ્ટેપ છે.

રવિવારે મધર્સ ડે હોવાથી દિલ્હીમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રર્ન્સ ફન્ડ દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કરીનાએ કહ્યું હતું કે ‘સશક્તીકરણ અને છોકરીઓના શિક્ષણ વચ્ચે એક ડાયરેક્ટ લિન્ક છે. છોકરીઓને શિક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. બાલ્યાવસ્થા અને પુખ્ત વય વચ્ચે જો પ્રેગ્નન્સી આવી તો એનાથી મમ્મી અને બાળક બન્નેને પ્રૉબ્લેમ થઈ શકે છે. આ માટે પણ બાળકોને એ વિશે એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે. છોકરીઓને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. એક દિવસ તેઓ પણ મમ્મી બનશે અને એ માટે તેમને પૂરતી સમજ હોવી જરૂરી છે. તેમને સશક્ત બનાવવા માટે છોકરીઓને એજ્યુકેશન આપવું એ પહેલું સ્ટેપ છે.’
દેશભરમાં GSTનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે એક સમયે ટૅક્સચોરીમાં સૌથી બદનામ ગણાતા મોરબી સિરૅમિક ફેડરેશને GSTની ચોરી કરનારને પકડાવનારાઓને ઇનામ આપવાની અને કરચોરોને દંડ કરવાની જાહેરાત કરીને સૌની સામે દાખલો બેસાડ્યો

નર્મદા યોજના પેટે નીકળતી આ રકમની વસૂલી માટે ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં વિનંતી કરતા પત્રો લખ્યા હોવા છતાં દાળ નથી ગળી