દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં કાર્યરત બ્લડ બેંકો હાલમાં એ પોઝીટીવ અને એબી પોઝીટીવ બ્લડની તંગી અનુભવી રહી છે. સુરત રક્તદાન કેન્દ્ર અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્રએ એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.
A પોઝીટીવ અને AB પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.
વધુ માહિતી આપતા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના મેનેજર શ્રી સંજયભાઇએ જણાવ્યું હતું કે એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્ત ધરાવતા લોકો આમેય ઓછા હોય છે અને આ વખતે 15મી ઓગસ્ટ કે જે દિવસે સૌથી વધુ રક્તદાન કેમ્પો યોજાતા હોય છે એ યોજી શકાયા ન હતા કેમકે રક્ષાબંધન પર્વ સાથે હતો એટલે એન.જી.ઓ. દ્વારા દર વર્ષે જે કેમ્પો યોજાય છે તેટલી સંખ્યામાં આ વખતે કેમ્પો યોજાય શક્યા ન હતા. એટલે હાલમાં એ અને એ બી પોઝીટીવ રક્તની તંગી વર્તાય રહી છે.
સંજયભાઇએ કહ્યું કે લોકસમપર્ણ રક્તદાન કેન્દ્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત બન્ને રક્ત ગ્રુપ ધરાવતા દાતાઓને ફોન કરીને સ્વૈચ્છીક રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
એવી જ રીતે સુરત રક્તદાન કેન્દ્રના શ્રી અશ્વિન મહેતાએ જણાવ્યું હતું કે રક્તદાન કેન્દ્રએ દરેક દાતાઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે અને ઇમરજન્સીમાં જે રક્તની જરૂર પડે છે એ અંગેની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે.
સુરતમાં એ ગ્રુપ અને એ બી બ્લડ ગ્રુપના રક્તની અછત નિવારવા માટે સનગ્રેસ સ્કુલના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયા પ્રયત્નશીલ છે, ટૂંક સમયમાં તેઓ આ અંગે મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું આયોજન કરી રહ્યા છે, રસ ધરાવતા લોકો તેમનો સંપર્ક કરી શકે છે. ફોન નં. 99251 1009
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રમુખ પદ માટે આજે સુરતના જીવનભારતી સંકુલ ખાતે યોજાયેલી દ્વીપાંખીયા જંગ સમી ચૂંટણીમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડો.પારુલ વડગામાનો વિજય થયો હતો. ડો. પારુલ વડગામા (916 મતો) એ તેમના હરીફ ડો.યોગેશ દેસાઇ (696 મતો) ને 220 મતોની સરસાઇથી હરાવ્યા હતા.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રમુખ પદે આજે ડો.પારુલ વડગામા વિજયી નિવડ્યા હતા. વિજય બાદ પોતાના સમર્થકો સાથે ડો.પારુલ વડગામા વિજયી મુદ્રામાં દ્રશ્યમાન છે.
સુરતના તબીબોની આ ચૂંટણીમાં અદ્દલ રાજકારણીઓને પણ શીખવા મળે તેવું રાજકારણ રમાયું હતું એ અંગે સી.આઇ.એ. લાઇવ એ પહેલા જ રિપોર્ટમાં દર્શાવ્યું હતું. આજની ચૂંટણીમાં હકીકતમાં સૌરાષ્ટ્રવાસી તબીબોનો દબદબો જોવાયો હતો. વેડ, કતારગામ, અમરોલી, વરાછા વિસ્તારના તબીબોએ કરેલા અગ્રેસિવ વોટિંગને કારણે ડો.યોગેશ દેસાઇએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ઇતિહાસ શું હતો?
થોડા વર્ષો અગાઉ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસીએશન (એસ.એમ.સી.એ.) જે સુરતના તબીબોનું જ એક સંગઠન છે અને એ ક્યાંયે રજિસ્ટર્ડ કે કોઇ સંસ્થા સાથે સંકળાયેલું નથી, પોતાની રીતે કાર્યક્રમો પોતાના ખર્ચે પાર પાડે છે. આ સંગઠનમાં ખર્ચ તેમજ હિસાબો બાબતે એક સૌરાષ્ટ્રવાસી તબીબને સુરતી તબીબો સાથે માથાકૂટ થઇ હતી. અને એ સમયે સૌરાષ્ટ્રવાસી તબીબે એવી ચેલેન્જ કરી હતી કે એક દિવસ તેઓ સુરતી તબીબોને હરાવીને બદલો વાળશે. એ સમયે આજે ચૂંટણી જીતેલા ડો.પારુલ વડગામા કોના તરફે હતા એ તમામ તબીબો જાણે જ છે.
બસ આ ઘટનાને પગલે આજે આઇ.એમ.એ. સુરત પ્રેસિડેન્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી તબીબોએ સુરતી તબીબો સાથેનો હિસાબ ચૂક્તે કર્યો હતો. મૂળ સૌરાષ્ટ્રવાસી તબીબોએ મૂળ સુરતી ડો. યોગેશ દેસાઇ સામે એગ્રેસીવ વોટિંગ કર્યું હોવાના સગડ મળ્યા હતા.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટની ચૂંટણી આ ચાર મુદ્દાઓને કારણે ભારે વિવાદિત થઇ હતી.
ડો.પારુલ વડગામાના પતિ અને શહેરના એક અનેસ્થેટીસ્ટ ડો.હીરલ વચ્ચે આઇ.એમ.એ. ઇલેક્શન બાબતે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ઇરાદાપૂર્વક વાઇરલ કરાયો
તા.5મી ઓગસ્ટ 2019થી અચોક્કસ મુદતની સીક લિવ મૂકીને ડો.પારુલ વડગામા ઇલેકશન લડ્યા, મતદાનના બે દિવસ અગાઉ ઇ.એલ. મૂકી
ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓના લોકલ અધિકારીઓ કર્મચારીઓએ સેલ્સ પ્રમોશનની આડમાં કેટલીક ચોક્કસ પ્રકારની ફેસેલિટીઝ પૂરી પાડી
કોઇપણ ચોક્કસ પ્રકારની આચારસંહિતા વગર આઇ.એમ.એ.ની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણી બાદ આઇ.એમ.એ.ની ચૂંટણીમાં કેટલીક આચારસંહિતાની જોગવાઇઓ ઉમેરાશે એ બાબત ચોક્કસ છે.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના સુરતના પ્રેસિડેન્ટની આજરોજ તા.25મી ઓગસ્ટ 2019ના રોજ ચૂંટણી યોજાઇ રહી છે.
જીવનભારતી રોટરી હોલ ખાતે યોજાઇ રહેલી ચૂંટણીમાં મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલશે અને એ પછી મતગણતરી યોજાશે. મતદાન પૂરું થયું ત્યાં સુધીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 3500 તબીબ મતદારો પૈકી 1650 તબીબોએ મતદાન કર્યું હોવાની માહિતી મળી છે.
સુરતના તબીબોની આજની ચૂંટણીમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ચૂંટણીને હેમખેમ આટોપવા માટે બાઉન્સર્સ (પ્રાઇવેટ ભપકાદાર સિક્યુરીટી)નો સહારો લેવો પડ્યો છે. આમેય બાઉન્સર્સ કલ્ચર ભારત જેવા દેશોમાં સિક્યુરિટી કરતા વધુ શૉમેનશીપ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.
આજે સવારે જ્યારે ચૂંટણી શરૂ થઇ ત્યારે મતદાન કરવા આવેલા ખુદ તબીબોને પણ આશ્ચર્ય થયું હતું કે તબીબો એટલા માથાભારે છે કે તેમની ચૂંટણી યોજવા માટે બાઉન્સર્સને રાખવા પડે. પહેલા તો બન્ને ઉમેદવારોના કેમ્પમાં એકબીજાએ બાઉન્સર રાખ્યા હોવાની ગેરસમજ થઇ હતી પછી જાણવા મળ્યું કે ચૂંટણી કરાવનારાઓએ બાઉન્સર્સને રાખ્યા છે.
જીવનભારતી ખાતે આજે સવારથી યોજાયેલા મતદાનને શહેરના તબીબો, મતદારો એક ફેસ્ટિવલની જેમ માણી રહ્યા હતા. ક્યાંયે કોઇ હો-હલ્લો થયો ન હતો કે ક્યાંય કોઇ ચકમક ઝરી ન હતી. આવી સ્થિતિમાં બાઉન્સર રાખવાનું ચૂંટણી અધિકારીઓનું લોજિક તબીબોને પણ ગળે ઉતરતું ન હતું. આજની ચૂંટણીમાં તબીબોએ મતદાન કરવા સાથે ટેસ્ટી લંચ પણ એન્જોય કર્યું હતું.
ડો.પારુલ વડગામાના નામે અનેક વિવાદોએ ચૂંટણીને ટોક ઓફ ધ ટાઉન બનાવી
નવી સિવિલ હોસ્પિટલના એક ઇન્ચાર્જ વિભાગીય વડા ડો.પારુલ વડગામા જેઓ ગઇ તા.5મી ઓગસ્ટ 2019થી ગરીબ દર્દીઓની સેવા કરવાની પ્રાથમિક ફરજ છોડીને, પહેલા માંદગીની રજા અને ગઇ તા.23મી ઓગસ્ટથી ઇ.એલ. રજા પર છે. ચૂંટણી લડવા અને જીતવા માટે તેઓ એટલી હદે ડેસ્પરેટ છે. તેમની સામે નિવડેલા તબીબ, બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહેતા ડો. યોગેશ દેસાઇ છે.
ડો. યોગેશ દેસાઇની ઉંમરને ચૂંટણીનો મુદ્દો બનાવાયો
ડો. યોગેશ દેસાઇ માટે હરીફ ડોક્ટરો પાસે કોઇ મુદ્દો હતો નહીં એટલે તેમની ઉંમરનો મુદ્દો બનાવ્યો. પ્રેસિડેન્ટ ઇલેક્ટ એનેસ્થેટીસ્ટ ડો.હિરલ અને ડો.પારુલ વડગામાના પતિ વચ્ચેની વાઇરલ થયેલી ટેલિફોનિક વાતચીતોમાં તો ડો.હિરલએ ડો.યોગેશ દેસાઇ માટે જે શબ્દ પ્રયોગ કર્યા એ દર્શાવે છે કે સૌથી બુદ્ધિશાળી અને પૃથ્વી પર જેને ભગવાન માનવામાં આવ્યા છે, એ લોકો સુરતમાં ચૂંટણી જીતવા માટે કેટલી હદે નીચલી પાયરીએ જઇ શકે છે. ડો. હિરલ ક્યારેય વૃદ્ધ થવાના ન હોય એ રીતે ઓડિયો ક્લીપમાં તેમણે ડો. યોગેશ દેસાઇને હ્યુમિલીએટ કર્યા.
એવું કહેવાની કોઇ જરૂરીયાત નથી કે આ વિડીયો કયા કેમ્પમાંથી વાઇરલ થયો. પણ શહેરના તબીબોએ સમગ્ર ડર્ટી પોલિટિક્સની અનુભૂતિ જરૂર કરી લીધી છે.
આજે ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રેસિડેન્ટની ચૂંટણીની સાથે એ વાત પણ નક્કી થશે કે શહેરના ભદ્ર સમાજના ગણાતા તબીબો કેવા પ્રકારની માનસિકતાના ટેકેદારો છે.
C.I.A. Live ન્યુઝ એલર્ટસ માટે 98253 44944 નંબર આપના મોબાઇલમાં સેવ કરી લેશો તો આપને ઓટોમેટિકલી ક્વોલિટી ન્યુઝ મળવાના શરૂ થશે, ગુજરાતના તમામ તબીબોના નંબરનો ડેટાબેઝ અમારી પાસે છે, આપે ફક્ત આપના મોબાઇલમાં અમારો નંબર સેવ કરવાનો રહેશે. આભાર
સોશ્યલ મિડીયા ખાસ કરીને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય યુઝર્સ કંઇ પોસ્ટ કરે અને પછી શરૂ થાય કાઉન્ટિંગનો સિલસિલો, વારેઘડિયે ચેક કરતા રહે કે કેટલી લાઇક મળી, કેટલી કોમેન્ટ થઇ, કોણે કોણે શેર કે રીટ્વીટ કરી પોસ્ટ. કેટલાક અપવાદોને બાદ કરતા પુરુષ હોય તો 500 લાઇક્સ અને કોઇ સ્ત્રીએ પોસ્ટ કર્યું હોય તો 1000 લાઇક એટલે ભયોભયો. સોશ્યલ મિડીયાના આવા કાઉન્ટિંગમાં સુરતના 60 લાખ લોકોની વસતિમાં જો કોઇએ હાઇએસ્ટ એટેન્શન મેળવ્યું હોય તો એ જે.આઇ. એટલે કે જગદીશ ઇટાલિયા છે. જી હા. જગદીશ ઇટાલિયાએ ત્રણેક વર્ષ અગાઉ મેરેજ એનિવર્સરીએ પત્નીને સરપ્રાઇઝ આપવા માટે પોતાના કંઠે ગાયેલું સુમધુર સંગીત મઢેલી ગુજરાતી ગઝલ તારી આંખનો અફિણી એ યુ ટ્યુબ પર 50 લાખથી વધુ વ્યુઅર્સની સરવાણી પાસ કરી ત્યારે સોશ્યલ મિડીયા મેનેજર્સની આંખો પણ પહોળી થઇ ગઇ, કે એક સુરતીએ ગાયેલા ગીતને 5 મિલિયન વ્યુઝ મળી શકે..યસ આ જ છે ટેલેન્ટનો કમાલ.
કેમ યુ You Tube સેન્સેસન કહેવાય ?
યુ ટ્યુબ આજે દુનિયાભરમાંથી લોકો દરેક સેકન્ડે જોતા હોય છે. અબજો નહીં પણ ખર્વો વિડીયોનો ખજાનો છે. જાતજાતના વિડીયોઝ યુ ટ્યુબ પર રોજેરોજ અપલોડ થતા હોય છે. આવી સ્થિતિમાં એક સુરતી જગદીશ ઇટાલિયાએ તા.1લી જુન 2015ના રોજ પોતાના કંઠે ગવાયેલી ગઝલ તારી આંખનો અફિણી પોસ્ટ કરી હતી. ત્યારથી તા.15મી ઓગસ્ટ 2019 સુધીનો સમય ગણીએ તો કુલ 1536 દિવસથી તેમની આ પોસ્ટ યુ ટ્યુબ પર છે અને અત્યાર સુધીમાં વિશ્વના ખૂણેખૂણેથી મળીને 50 લાખ 40 હજાર કરતા વધુ લોકો સુરતી જગદીશ ઇટાલિયાને જોઇ, સાંભળી ચૂક્યા છે. એટલે જ તો સોશ્યલ મિડીયા સેન્સેસન નહીં પણ યુ ટ્યુબ સેન્સેસન સુરતના સિંગર જગદીશ ઇટાલિયાને કહેવાય છે.
આમ તો સુરતના લોકો અલ્ટ્રા સાઇકલિસ્ટ કે સંસ્કારભારતીના એડમિનિસ્ટ્રેટર તરીકે જેને ઓળખે છે એને દુનિયાના લાખો લોકો સુરતી સિંગર તરીકે પણ ઓળખે છે, આવું અમે નથી કહેતા પણ યુ ટ્યુબ કહે છે. સુરતના જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલા ગુજરાતી ગીત તારી આંખનો અફિણી…ને યુ ટ્યુબ ઉપર 5 મિલિનય એટલે કે 50 લાખથી વધુ લોકો વિશ્વભરમાંથી સાંભળી ચૂક્યા છે.
2015માં જ્યારે જગદીશ ઇટાલિયાએ આ સોંગ કમ્પોઝ કરીને યુ ટ્યુબ પર મૂક્યું હતું ત્યારે તેમને પણ સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેમના કંઠે ગવાયેલું આ ગીત 50 લાખ પ્લસ શ્રોતાઓ સુધીની મજલ કાપશે. સોશ્યલ મિડીયા તેમજ યુ ટ્યુબ પર ઉપલબ્ધ ડેટા ચકાસીએ તો તારી આંખનો અફિણી ગુજરાતી સોંગ અત્યંત લોકપ્રિય છે અને અત્યાર સુધી જગદીશ ઇટાલિયાની જેમ અનેક લોકોના કંઠે આ ગવાઇ ચૂક્યું છે, અનેક લોકોએ તેને યુ ટ્યુબ તેમજ અન્ય પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કર્યું છે પરંતુ, આ ગીત ગાનારા સૌ તમામ સિંગરોમાં સૌથી વધુ લિસનર્સ સુરતના જગદીશ ઇટાલિયાને મળ્યા છે એ પણ એક સિદ્ધી છે.
એક સુરતીનો મ્યુઝિકલ માઇલસ્ટોન જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું ગીત 50 લાખથી વધુ લોકો સાંભળી ચૂક્યા
જ્યારે અમે જગદીશ ઇટાલિયાને પ્રતિભાવ જાણવાની કોશીસ કરી ત્યારે સાહજિક રીતે તેમણે કહ્યું કે જેમ ધોધમાર વરસાદ વરસે છે એમ લોકોના વ્યુઝ આ ગીતને જ્યારથી પોસ્ટ કર્યું ત્યારથી મળતા હતા, પણ મને કલ્પના ન હતી કે મારા ગાયેલા આ ગીતને 5 મિલિયન વ્યુઝ મળશે. સોંગ્સ માટેની કમેન્ટસ તેમજ કમ્પ્લીમેન્ટસમાં દેશ-દુનિયાના અનેક ઠેકાણેથી લિસનર્સ કહેતા કે એક વખત સાંભળ્યા પછી વારંવાર સાંભળવાનું મન થાય એ રીતે ગવાયેલું છે આ ગીત.
જગદીશ ઇટાલિયાએ કહ્યું કે જીવનસંગીની અજીતાને કંઇક હટ કે…ડેડીકેટ કરવાની તમન્નાથી આ ગીત ગાયું હતું, જે મુસાફરી કરીને આજે વિશ્વના ખૂણેખૂણે પહોંચી ચૂક્યું છે તેનો આનંદ અદ્વિતીય છે. તારી આંખનો અફિણી….ઐતિહાસિક તવારીખ તમને એ પણ જણાવી દઇએ કે તારી આંખનો અફિણી..ઓરિજનલ સોંગ આજથી 69 વર્ષ પહેલા 1950માં તૈયાર થયું હતું. ગીતના શબ્દો વેણીભાઇ પુરોહિતના હતા અને તેને અજીતભાઇ મરચન્ટે સંગીતથી મઢ્યું હતું. આ ગીતને ઓરિજિનલી દિલીપભાઇ ધોળકીયાએ ગાયું હતું.
સરકારી નોકરીમાં કેટલી સરસ અનુકૂળતાઓ હોય છે તેની પ્રતીતિ કરાવતો વધુ એક કિસ્સો સુરતની ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની ચૂંટણીના વિવાદમાંથી સપાટી પર આવ્યો છે. સુરતની સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ વિભાગીય વડા તરીકે નોકરી કરતા ડો.પારુલ વડગામા કે જેઓ સરકારી ચોપડે હાલ બિમાર છે અને બિમારીની બેમુદતી રજા પર છે અને બીજી તરફ તેઓ જોરશોરથી IMA સુરતના પ્રમુખ પદ માટેની ચૂંટણી લડી રહ્યા છે.
ડો. પારુલ વડગામા જેઓ હાલમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના એક વિભાગના ઇન્ચાર્જ વડા છે અને માંદગીની બેમુદતી રજા પર છે, રજાઓમાં તેઓ IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે.
તબીબોના ક્લિનીકે ક્લિનિકે, હોસ્પિટલે હોસ્પિટલે ફરી ફરીને કેન્વાસિંગ એવી રીતે કરી રહ્યા છે કે પ્રથમદર્શી નજરે જણાય જ આવે કે તેઓ બિમાર નથી. પણ સરકારી નોકરી છે એટલે બધું ચાલ્યા કરે.
આગામી રવિવારે યોજાઇ રહેલી ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં એક તરફ સિનિયર મોસ્ટ ડો.યોગેશ દેસાઇ લડી રહ્યા છે અને તેમની સામે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચેસ્ટ-ટીબી વિભાગના ઇન્ચાર્જ વડા ડો.પારુલ વડગામાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
તા.5મી ઓગસ્ટ 2019થી ડૉ.પારુલ વડગામા અચોક્કસ મુદતની માંદગીની રજા મૂકીને હાલ આઇ.એમ.એ. સુરતના પ્રમુખપદની ચૂંટણી જોરશોરથી લડી રહ્યા છે
સી.આઇ.એ. લાઇવની તપાસમાં એવી વિગતો મળી છે કે ગઇ તા.5મી ઓગસ્ટ 2019ના રોજ ડો. પારુલ વડગામાએ નવી સિવિલ હોસ્પિટલની સરકારી નોકરીમાં અચોક્કસ મુદતની સિક લીવ (માંદગીની રજા) મૂકી છે. માંદગીની રજા મૂક્યા પછી તરત જ ડો.પારુલ વડગામાએ ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની ચૂંટણી લડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
છેલ્લા કેટલાક દિવસોની ગતિવિધિઓ જોતા ડો.પારુલ વડગામા સરકારી નોકરીના ચોપડે બેમુદતી રજા પર છે અને આ રજાઓ દરમિયાન અને હાલમાં IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મિટીંગો, સિટીંગો કરી રહ્યા છે. જુદી જુદી હોસ્પિટલો અને દવાખાનાઓના સીસી ટીવી કેમેરાઓના ફૂટેજ જોઇએ તો તેઓ બિલકુલ સ્વસ્થતાથી ચૂંટણી કેન્વાસિંગ કરી રહ્યા છે.
કમનસીબી નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓની છે કેમકે તેમની માંદગીમાં નવી સિવિલ હોસ્પિટલના એક વિભાગીય વડાની ટ્રીટમેન્ટ મળી નથી રહી તો બીજી તરફ રજા પર ઉતરેલા ડો.પારુલ વડગામા પોતાનો સમય IMA સુરતના પ્રમુખ પદની ચૂંટણીમાં વ્યતિત કરી રહ્યા છે
એક તરફ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ કહે છે કે હાલ વરસાદ બાદ બિમારીઓ ફાટી નીકળી છે અને આરોગ્ય કર્મચારીઓ રજાઓ કેન્સલ કરીને લોકોને સેવામાં મંડી પડે, ત્યારે સુરતમાં માંદગીની રજાનો ઉપયોગ કરીને IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણી લડાઇ રહી છે, આનું નામ સરકારી નોકરી.
રાજ્યમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલએ હેલ્થ વિભાગના તમામને એલર્ટ પર રહેવા સૂચના આપી છે
એ ખાસ નોંધનીય છે કે જ્યારે પારુલ વડગામાએ સરકારી નોકરીમાંથી માંદગીની રજા મૂકી ત્યારે ગુજરાતમાં અતિવૃષ્ઠિ હતી અને એ પછી બિમારીઓના દૌર વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલએ એવા આદેશો કર્યા હતા કે સરકારી તબીબોની તમામ રજાઓ કેન્સલ કરી દેવામાં આવે. નીતિન પટેલએ ત્યાં સુધી કહ્યું કે બિમારીઓ દૂર કરવામાં જે કર્મચારીઓ સારુ કામ કરશે તેમને શિરપાવ અપાશે અને જેઓ કસૂરવાર ઠરશે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
સ્પષ્ટતા
વાચકોને ખાસ સ્પષ્ટતા એ કરવાની કે IMA સુરતની ચૂંટણી અંગે અમે ડો. પારુલ વડગામા પાસેથી કેટલાક તથ્યો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે અમારા સવાલો વાંચ્યા બાદ, હું તમને પછી ફોન કરીશ એવો રિપ્લાય કર્યો હતો અને એ પછી તેમણે અમારો નંબર જ બ્લોક કરી દીધો હતો. આથી અમે તેમનો પ્રતિભાવ લઇ શક્તા નથી.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના કુલ 30 હોદ્દાઓ (પોસ્ટસ) પૈકી એક માત્ર પ્રમુખ પદ માટે આગામી રવિવાર 25મી ઓગસ્ટ 2019ના રોજ દ્વીપાંખીયો ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. અદ્દલ રાજકારણીઓ પણ આજકાલ સોફેસ્ટીકેટ અને સોબર રીતે ચૂંટણી લડી રહ્યા છે પરંતુ, તબીબોના સંગઠન ગણાતા આઇએમએ સુરતની ચૂંટણીમાં ડર્ટી પોલિટીક્સ ચરમસીમાએ હોવાનું અનુભવાઇ છે. કેટલીક ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓના મની અને મસલ્સ પાવરના જોરે લડાઇ રહેલી આ ચૂંટણીમાં મોંઘીદાટ હોટેલ્સમાં ડિનર ડિપ્લોમસીથી લઇને વોટિંગ મેનેજમેન્ટ માટે રીતસર લોભપ્રલોભનો આપવામાં આવી રહ્યા છે.
IMA સુરતની ચૂંટણીમાં ડો.પારુલ વડગામા અને ડો.યોગેશ દેસાઇ વચ્ચે દ્વિપાંખીયો જંગ
પાટલી બદલું રાજકારણીઓને પણ સારા કહેવડાવે એટલી ખરાબ અને નિમ્નસ્તરના કાવાદાવાઓ કરીને ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ પદની ચૂંટણી લડાઇ રહી છે. આઇએમએ સુરતના પ્રમુખની ટર્મ ફક્ત એક વર્ષની હોય છે અને એક વર્ષમાં એવો તો કયો લાડવો મળી જવાનો છે કે જેને મેળવવા માટે શહેરની હોટેલોમાં ગાલા ડિનર પાર્ટીઓ યોજાઇ રહી છે.
સુરત આઇ.એમ.એ. પ્રેસિડેન્ટની ચૂંટણી માટે બે ઉમેદવારો ડો.પારુલ વડગામા અને ડો.યોગેશ દેસાઇ વચ્ચે સીધો દ્વિપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે. ડો.યોગેશ દેસાઇ સિનિયર મોસ્ટ ગણાય છે અને લૉ પ્રોફાઇલમાં રહેતા ડોક્ટરોની યાદીમાં આવે છે. ડો. પારુલ વડગામા ફાયરબ્રાન્ડ મહિલા તબીબ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેમની ફરજ છે પરંતુ, ચૂંટણી લડવા માટે તેમણે ખાસ રજા લીધી હોય તેવું જણાય આવે છે.
આઇએમએ સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણી જીતવા માટે તેઓ ડેસ્પરેટ છે. કેમકે છએક વર્ષથી આઇએમએની ચૂંટણીઓમાં સર્વસંમતિ સધાતી હતી પરંતુ, આ વખતે સમાધાનની અનેક મિટીંગો અને સિનિયર મોસ્ટ તબીબોની મધ્યસ્થીઓ ફેઇલ થઇ જતા ચૂંટણી યોજાઇ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આઇએમએ સુરતની 30 પૈકી 29 પોસ્ટસ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે, ફક્ત એક પ્રમુખ પદની ચૂંટણી જ યોજાઇ રહી છે.
હવે વાત આવે છે કે આઇએમએ સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણમાં હાલ થઇ રહેલા લખલૂંટ ખર્ચની. સુરત શહેરમાં અંદાજે 3500 જેટલા તબીબો કાર્યરત છે, આ તબીબો એવા છે જેઓનું રજિસ્ટ્રેશન આઇ.એમ.એ.માં થયેલું છે અને આથી તેઓ આઇ.એમ.એ. સુરતની ચૂંટણીમાં વોટર પણ છે. તબીબોના રીઝવવા માટે શહેરની હોટેલોમાં પાર્ટીઓ યોજાઇ રહી છે. આઇ.એમ.એ. સુરત પ્રેસિડેન્ટની ચૂંટણીમાં થઇ રહેલા લખલૂંટ ખર્ચાઓ વચ્ચે સ્વભાવિક છે કે જંગી ખર્ચને પહોંચી વળવા માટે ફંડિંગ કોણ કરી રહ્યું છે.
મોરીસન ફાર્મા, મકલોઇડ, હેરીસન લાઇફસેન્સ, સિપ્લા, સાર્ટોસ આવી 25 જેટલી ફાર્મા કંપનીઓના સ્થાનિક મેનેજરો આઇએમએ સુરતની ચૂંટણીમાં અનઓફિશ્યલી ફંડિંગ કરી રહ્યા છે
સી.આઇ.એ. લાઇવની પ્રારંભિક તપાસમાં જ જાણવા મળ્યું કે મારીસન ફાર્મા, મેકલોય, હેરીસન લાઇફસેન્સ, સિપ્લા, સાર્ટોસ, આઇહીલ વગેરે જેવી 25 જેટલી ફાર્મા કંપનીઓના સ્થાનિક મેનેજરો આઇએમએ સુરતની ચૂંટણીમાં અનઓફિશ્યલી ફંડિંગ કરી રહ્યા છે.
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ તેમજ તબીબો માટે ઘડાયેલા કોડ ઓફ કન્ડક્ટનો ભંગ કરીને આ પ્રકારના લખલૂંટ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે. સી.આઇ.એ. પાસે આવી 25 થી વધુ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના નામ તથા સુરતમાં લોક્લ સ્તરે કોણ ફંડિંગ કરી રહ્યું છે તેની વિગતો આવી રહી છે અને આગામી એપિસોડમાં તેમને ઉઘાડા પાડવામાં આવશે. તબીબોની ચૂંટણી અને એ પણ એક વર્ષની આઇ.એમ.એ. સુરત પ્રેસિડેન્ટની પોસ્ટથી એવું તે શું હાંસલ થઇ જવાનું છે કે જેના માટે સમગ્ર તબીબી આલમએ શરમમાં મૂકાવું પડે તે હદનું પોલિટિક્સ થઇ રહ્યું છે.
મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન મેડિકલ એસોસીએશન તેમજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને સુરતના આઇ.એમ.એ. પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ફાર્માસ્યુટીકલ્સ કંપનીના ઇલિગલ ફંડિંગ અંગે ફોટોગ્રાફ્સ, વિડીયો સમેત ટ્વીટ કરવામાં આવ્યા છે.
સી.આઇ.એ. લાઇવ આગામી દિવસોમાં આ ચૂંટણીમાં કઇ ફાર્માસ્યુટીકલ્સ કંપનીના કયા અધિકારીઓએ કેટલા રૂપિયાનું ફડિંગ કર્યું તેની સિલસિલબદ્ધ વિગતો પ્રકાશિત કરશે.
વિજ્ઞાન પ્રવાહના સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેરમાંથી પાસ થતાં હોઇ, કેટલાક ધંધાદારી લોકોએ સુરતમાં એવું વિચારીને કોલેજો શરૂ કરી દીધી કે વિદ્યાર્થી સંખ્યા મળી જશે અને દુકાન ચાલવા માંડશે. પરંતુ, ઢંગધડાવગરની કોલેજો શરૂ કરનારા સંચાલકોને પ્રવેશાર્થીઓ એવી ખો ભૂલાવી રહ્યા છે કે ધંધાદારીઓની દુકાન બંધ થવા માંડી છે. જેમકે એન્જિનિયરિંગમાં જેમની 85 ટકા સીટો ખાલી પડી રહી છે એ ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની દાનત પારખી ગયેલા વિદ્યાર્થીઓએ આર્કિટેક્ચર પ્રવેશમાં પણ તેમને જાકારો આપ્યા છે.
તાજેતરમાં રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ ફર્સ્ટ ઇયર બી.આર્ક કોલેજમાં પહેલા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશની માહિતી રજૂ કરી હતી. જેમાં ભગવાન મહાવીર ગ્રુપની મહાવીર સ્વામી આર્કિટેક્ચર કોલેજમાં ફક્ત બે વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરી હતી અને બન્નેને પ્રવેશ મળ્યા છે એ સિવાય આ કોલેજની 96 ટકા સીટો ખાલી પડવા પામી છે.
ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજની કુલ 95માંથી 85 સીટો ખાલી
એવી જ રીતે ભગવાન મહાવીર ગ્રુપની બીજી આર્કિટેક્ચર કોલેજ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં સ્ટેટ ક્વોટાની 95 બેઠકો પૈકી માંડ 10 વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરતા તમામ દસેદસને પ્રવેશ મળી ગયો છે. આ કોલેજમાં 90 ટકા બેઠકો ખાલી પડી રહી છે.
ગુજરાતી એકમાત્ર મહિલા આર્કિટેક્ચર કોલેજ સુરતની વિદ્યામંદિર કોલેજમાં 4 પ્રવેશાર્થી
એવી જ રીતે મહિલાઓ માટેની આખા રાજ્યની એકમાત્ર સુરતની વિદ્યામંદિર વિમેન્સ આર્કિટેક્ચર કોલેજમાં સંચાલકો અને અધ્યાપકોની જોહુકમીઓથી કંટાળી ગયેલી સિનિયર વિદ્યાર્થીઓના અનુભવો જાણ્યા બાદ આ કોલેજમાં નવા વર્ષમાં કોઇ પ્રવેશ લેવાલ નથી. વિદ્યામંદિર વિમેન્સ કોલેજમાં કુલ 48 સીટ પૈકી ફક્ત 4 વિદ્યાર્થિનીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ કોલેજની પણ 92 ટકા સીટો ખાલી પડી રહેવા પામી છે. વિદ્યામંદિર કોલેજ માટે તો એવું સંભળાય છે કે આ કોલેજના અધ્યાપકો તીસમારખાં હોય એ રીતે વિદ્યાર્થિનીઓને પરેશઆન કરવામાં કશું બાકી રાખતા નથી. ભૂતકાળમાં અનેક વખત ગંભીર ફરીયાદો ઉઠી ચૂકી છે છતાં સંચાલકોએ અધ્યાપકોની સામે પગલાં ભરવાને બદલે વિદ્યાર્થિનીઓના પેરેન્ટ્સને બોલાવીને મોઢું બંધ કરાવી દેવાના ધંધા કર્યા હતા હવે એ સંચાલકોને પણ પ્રવેશાર્થીઓની ભીખ માંગવા જવું પડે છે.
ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વિમેન્સ બન્ને કોલેજોના સંચાલકોની કુલ ત્રણ આર્કિટેક્ચર કોલેજો મળીને રોકડા 16 પ્રવેશાર્થીઓ ફાળવાયા છે. આ 16માંથી કેટલા પ્રવેશ લે છે એ પણ જોવાનું રહે છે.
ગજેરા બંધુઓની લક્ષ્મી વિદ્યાપીઠમાં એકપણ પ્રવેશાર્થી નહીં
સુરતના ગજેરા બંધુઓએ વલસાડ નજીક સ્થાપેલી લક્ષ્મી વિદ્યાપીઠની હાલત બી.આર્ક.ની પ્રવેશ કાર્યવાહીમાં સૌથી કંગાળ રહી છે. લક્ષ્મી વિદ્યાપીઠની આર્કિટેક્ચર કોલેજમાં કુલ 29 સીટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, 29 પૈકી 29 સીટો પહેલા રાઉન્ડના અંતે ખાલી પડી રહેવા પામી છે.
દક્ષિણ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
કોલેજનું નામ
સ્થળ
કુલ સીટ
પ્રવેશ ફાળવણી
ખાલી બેઠકો
સ્કેટ કોલેજ
સુરત
75
75
0
જીસી પટેલ, વીર નર્મદ યુનિ
સુરત
95
93
2
ભગવાન મહાવીર કોલેજ
સુરત
95
10
85
રમણ ભક્તા કોલેજ
બારડોલી
71
21
50
લક્ષ્મી વિદ્યાપીઠ
વલસાડ
29
0
29
વિદ્યામંદિર વિમેન્સ કોલેજ
સુરત
48
4
44
મહાવીર સ્વામી કોલેજ
સુરત
48
2
46
પી.પી.સવાણી યુનિ.
કોસંબા
38
11
27
ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
રક્ષાબંધન હવે મોટા ભાગે મીઠાઇઓનો તહેવાર બની ગયો છે અને હાલ મંદીનો માહોલ છે ત્યારે આ વખતે 2019ના રક્ષાબંધન પર્વે સૌથી વધુ જો કોઇ મીઠાઇએ વેચાઇ હોય તો એ મોંઘીદાટ બ્રાન્ડેડ નહીં પણ અનબ્રાન્ડેડ એટલે કે ગૃહ ઉદ્યોગની, સોસાયટી, મંડળ, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ વધુ વેચાઇ હોવાના અહેવાલો મળ્યા છે.
આ રક્ષાબંધને બજારમાં મંદીનો માહોલ હોઇ, સુરતીઓએ મોંઘીદાટ બ્રાન્ડેડ મીઠાઇઓ ખરીદવા કરતા સ્વૈચ્છક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી તાજી, ફ્રેશ, ગુણવત્તાસભર અને વ્યાજબીભાવની હોમ મેડ સ્વીટ્સ ખરીદીને રક્ષાબંધનની ઉજવણ કરી હતી. (સાંકેતિક ફોટો)
શહેરમાં જુદી જુદી ક્લબ, સોસાયટીઓ, મંડળો, સંગઠનો, ગ્રુપ્સ વગેરે દ્વારા પહેલા ઘારી પોતાના સભ્યો માટે બનાવવાનો રિવાજ હતો, પરંતુ, મંદીના માહોલમાં મધ્યવર્ગીય, ગરીબ પરિવારોને સસ્તાદરે, સારી ક્વોલિટીની મીઠાઇઓ મળી રહે તે માટે આ રક્ષાબંધન જુદી જુદી મીઠાઇઓ બનાવીને વેચવા મૂકી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે મંડળો, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ ધૂમ ઉપડી હતી.
બ્રાન્ડેડ મીઠાઇઓ કરતા ગૃહ ઉદ્યોગ સ્વરૂપે સોસાયટીઓ, મંડળો, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ રૂ.150થી રૂ.300 સુધી પ્રતિ કિલોએ સસ્તી પડી હતી. બજારમાં બ્રાન્ડેડ મીઠાઇ શોપવાળાઓએ કાજુ ફેન્સીનો ભાવ રૂ.800 પ્રતિ કિલોથી સ્ટાર્ટ કરી દીધો હતો, જ્યારે આ બ્રાનડેડ મીઠાઇઓ કરતા પણ સારી ક્વોલિટીની, તાજી બનાવેલી મીઠાઇઓ સોસાયટીઓ, મંડળોએ રૂ.625થી રૂ.650 પ્રતિ કિલોના ભાવે વેચી હતી. એવી જ રીતે જુદી જુદી જાતના હલવા અને બરફી તેમજ પેંડા પણ હોમ મેડ ખૂબ ઉપડ્યા હતા.
શહેરના લાલદરવાજા ખાતે કાર્યરત યુવક મંડળે 1600 કિલો જેટલી ચોકલેટ બરફી બનાવી હતી, તેમણે જણાવ્યું કે કમસેકમ 2000 ફેમિલીઓએ તેમની બનાવેલી ચોકલેટ બરફીથી મ્હો મીઠું કરાવીને બળેવ ઉજવી હતી. સંસ્થાના કાર્યકર્તા બળવંત પટેલે જણાવ્યુ કે તેમણે બે દિવસ પૂર્વે બનાવી હતી મીઠાઇ, અગાઉથી 1200 કિલોનો ઓર્ડર બુક થઇ ગયો હતો. રક્ષાબંધની પૂર્વ સંધ્યાએ મીઠાઇ ખલ્લાસ થઇ ગઇ હતી અને લોકોને વધુ કમસેકમ 300 કિ.ગ્રા. મીઠાઇ જોઇતી હતી એટલી ડીમાંડ નીકળી હતી.
એવી જ રીતે અંબાજી રોડ પર વયસ્કોના એક ગ્રુપએ કાજુકતરી તૈયાર કરી હતી. પોતાના મેમ્બર્સ માટે અંદાજે 1000 કિ.ગ્રા. બનાવવાનું પ્લાનિંગ હતું પરંતુ, જેમ જેમ બુકિંગ અંગે લોકોને ખબર પડતી ગઇ આ ગ્રુપએ 2500 કિ.ગ્રા.થી વધુની કાજુકતરી બનાવવી પડી. રૂ.650 પ્રતિ કિલોએ તેમણે બનાવેલી કાજુકતરી લેવા માટે છેક ભરૂચ અને વલસાડથી લોકો આવ્યા હતા.
સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તૈયાર થતી મીઠાઇઓ ફ્રેશ, ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવની હોય છે
હાલ જે રીતે મંદીનો માહોલ છે અને સુરતના બજારોમાં કેટલીક બ્રાન્ડેડ કહેવાતી મીઠાઈ શોપ્સના માલિકોએ જાણે રાતોરાત બંગલા બાંધી દેવાના હોય એ રીતે મીઠાઇઓના ભાવો વધારી દીધા છે, આવી સ્થિતિમાં મધ્યમવર્ગે આ રક્ષાબંધન પર્વની ઉજવણી જુદી સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલી મીઠાઈઓથી ઉજવી હતી.
જે રીતે રક્ષાબંધને બ્રાન્ડેડ મીઠાઇઓ કરતા સ્વૈચ્છીક સંસ્થાઓએ બનાવેલી મીઠાઇઓની બજારમાં ભારે માંગ હતી અને લગભગ દરેક મંડળો, સંગઠનોએ બનાવેલી તમામ મીઠાઇઓ આ વખતે વેચાઇ ગયા પછી પણ ડિમાંડ નીકળી હતી એ જોતા હવે આગામી તહેવારોની મોસમમાં ખાસ કરીને ચંદી પડવાએ અને દિવાળીના તહેવારોમાં પણ મધ્યમવર્ગીય સુરતીઓ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મીઠાઇઓ જ ખરીદશે એમ મનાય છે.
હા, એ વાત ચોક્કસ છે કે કેટલાક હાઇફાઇ લોકોએ બ્રાન્ડેડ મીઠાઇઓવાળાને ત્યાં મીઠાઇના આકર્ષક પેકેટસ ખરીદવા માટે પડાપડી કરી હતી, પરંતુ, એ પણ ફક્ત જ્યાં દેખાડો કરવાનો છે એ માટે જ. મોટા ભાગના બ્રાન્ડેડ મીઠાઇવાળાઓ આકર્ષક પેકિંગમાં દિવસો પહેલા તૈયાર કરી દેવાતી મીઠાઇઓ તહેવારોની ભીડમાં લોકોને પધરાવી દેતા હોય છે. એટલા માટે જ સુરત મહાનગરપાલિકાએ રક્ષાબંધન પર્વ અગાઉ શહેરની કહેવાતી બ્રાન્ડેડ મીઠાઇઓની દુકાનો પર ચેકિંગ કરીને સેમ્પલો લીધા હતા.
દિલ ચાહતા હૈ કે પછી ઝિંદગીના મિલેગી દૌબારા જેવી બોલીવુડની ફિલ્મોની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં જીવવા જઇ રહ્યા છે સુરતના બે મિત્રો.
આ છે સંજય રામાણી, જેઓ તેમના મિત્ર સાથે ભારતના સીમાડાઓના ભ્રમણની બે વર્ષ લાંબી 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળી રહ્યા છે. આ છે શતાબોર્તા નંદી, જેઓ તેમના મિત્ર સંજય રામાણી સાથે સાથે ભારતના સીમાડાઓના ભ્રમણની બે વર્ષ લાંબી 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળી રહ્યા છે.
આ બે મિત્રોમાં એકનું નામ છે સંજય રામાણી અને બીજા મિત્ર છે સટાબોર્તા નન્દી. બન્ને વ્યવસાયે આર્કિટેક્ટ છે. બન્ને દેખાવે ઓલિયા ટાઇપ એટલે કે વાળ દાઢી અને બહુ ઓછા બૂટ-શૂટમાં જોવા મળે એવા. બન્ને ઇન્ટેન્સ નેચર લવર અને એટલે જ તેમણે એક જીવતી વારતાં જીવવાનો અવસર ઉભો કર્યો. આવતીકાલ તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા પર્વથી આ બન્ને સુરતી મિત્રો એક જીવતી વારતાં જીવવા નીકળી પડશે.
વાત જાણે એમ છે સંજય રામાણી અને શતાબોર્તા નંદી બન્ને સુરતથી નીકળીને ભારતની તમામે તમામ સરહદો પછી ભલે એ સમુદ્રી કિનારે હોય, કોઇ દેશને અડીને આવેલી હોય કે પછી એ સરહદ હિમાલયમાં હોય, ઇનશોર્ટ ભારતની બોર્ડરની પરીક્રમા કરશે, આ પરીક્રમા કરતા તેમને બે વર્ષ જેટલો સમય નીકળી જશે. જીપ્સી જીપમાં તેઓ ભારતની સરહદોની અંદાજે 25 હજાર કિ.મી.ની પરીક્રમા કરશે.
શું કામ ભારતની પરીક્રમા કરશે બે સુરતી મિત્રો
સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારતીય સરહદોના સીમાડાઓ એટલા માટે ખૂંદવા જઇ રહ્યા છે કેમકે તેમણે ભારતમાં પર્યાવરણ જનજાગૃતિનો સંદેશ ફેલાવવો છે. તેમની આ યાત્રાનો હેતુ ભારતની સરહદોની માટી માંથી 300 રનિંગ મીટર લાંબા કેન્વાસ પર એક સોઇલ આર્ટ તૈયાર કરીને વિશ્વને સમર્પિત કરવાનો તેમનો પ્લાન છે. આ સોઇલ આર્ટ સંજય કે શતાબોર્તા નહીં દોરે પણ એ દોરશે ભારતીય સરહદો પર રહેતા ત્યાના લોકલ બાળકો, આ સોઇલ આર્ટમાં કલર હશે પણ એ કલર ભારતના સિમાડાઓની માટીના જ હશે. એવું લાગે છે કે વિશ્વનું આ સૌથી મોટું સોઇલ આર્ટને પણ આકાર આપવા માટે સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારત પરીક્રમણ પર નીકળી રહ્યા છે.
આ નકશા પરથી ખબર પડે છે કે સંજય રામાણી અને શતાબોર્તા નંદીના ભારત પરીક્રમણનો 25 હજાર રનિંગ કિ.મી. લાંબો રૂટ
સુરતના બે આર્કિટેક્ટ મિત્રો, સંજય રામાણી અને શતાબોર્તા નંદી તા.15મી ઓગસ્ટ 2019થી પર્યાવરણ જનજાગૃતિ અભિયાન અન્વયે વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે ભારતના સીમાડાઓના ભ્રમણે નીકળી રહ્યા છે.સંજય રામાણી અને શતાબોર્તા નંદી, બે સુરતી મિત્રો ભારતની તમામ સરહદો પર ફરીને ત્યાના બાળકો પાસે 300 મીટર લાંબા કેન્વાસ પર ત્યાંની માટીથી જ આર્ટ દોરાવશે. આ 300 મીટર લાંબુ કેન્વાસ સુરતમાં તૈયાર કરાવાયું છે, આ કેન્વાસના હેન્ડલિંગ માટે ખાસ ટ્રેનિંગ લેવી પડી છે
15મી ઓગસ્ટ 2019ના રોજ ભારતની સરહદોની પરીક્રમા શરૂ કરશે
સંજય રામાણી અને શતાબોર્તા નંદી પર્યાવરણ જનજાગૃતિ માટે અને ભારતની પ્રત્યેક સરહદો પરની માટીમાંથી એક 300 મીટર લાંબુ વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા દિવસે સુરતથી પ્રસ્થાન કરશે. તેઓ જીપ્સી ગાડી તેમની સાથે લઇ જઇ રહ્યા છે. યાત્રા દરમિયાન તેઓ સોશ્યલ મિડીયાથી બિલકુલ કટઓફ થઇ જશે. ફક્ત તેમના મોબાઇલ ફોન કાર્યરત રહશે.
Brief in English
A national art journey
– a ‘Parikrama’, that will bring awareness towards climate via soil art
painting, in the youth of India, and also to benefit numerous under-privileged
children in our country.
Two men carrying an empty canvas scroll of 300 metres are taking a 2 year
long parikrama of India, travelling 25000 kms through various
places.
Wherever they go, the children of those places will paint this
canvas with soil extracted from their local land.
This mega soil-artwork will spread global awareness on
Climate Conservation through Indian Art and Culture.
બેટી પઢાવો બેટી બચાવો જનજાગૃતિ માટે ઉત્તર પ્રદેશથી લંડન સુધીની અંદાજે 25 હજાર કિ.મી.ની બાઇક રેલી પર ઉપડેલી સુરતની બાઇકિંગ ક્વીન્સને એક પછી એક કડવા અનુભવો થઇ રહ્યા છે. એક બાઇકિંગ ક્વીન જીનલ શાહનો પાસપોર્ટ ખોવાયા બાદ હવે બે બાઇકિંગ ક્વીન્સની આખેઆખી બાઇક જ નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમથી ચોરાઇ જવાની ઘટના બની છે.
બાઇક યાત્રા કરીને લંડન જવા નીકળેલી સુરતની બે બાઇકિંગ ક્વીન્સ સારીકા મહેતા અને રુતાલી પટેલની તસ્વીરમાં દ્રશ્યમાન બાઇકસ નેધરલેન્ડસના એમ્સ્ટરડેમ ખાતેથી ચોરાઇ જવા પામી છે.
ગઇ તા.22મી જૂનએ રશીયામાં એક બાઇકિંગ ક્વીન જીનલ શાહનો પાસપોર્ટ ચોરાઇ ગયા બાદ જીનલ શાહે સ્વૈચ્છીક રીતે યાત્રામાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો, આ ઘટનામાંથી બાઇકિંગ ક્વીન્સને કળ વળે એ પહેલા તો આજરોજ તા.11મી ઓગસ્ટ 2019 ને રવિવારે ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે એવા સમાચાર આવ્યા કે વેસ્ટ નેધરલેન્ડસના એમ્સ્ટરડેમ ખાતે સુરતની બે બાઇકિંગ ક્વીન્સ સારીકા મહેતા અને રુતાલી પટેલએ જે હોટેલમાં રાત્રી રોકાણ કર્યું હતું એ હોટેલના કમ્પાઉન્ડમાંથી બન્નેની બાઇક જ ચોરાઇ ગઇ છે.
આ અંગે બાઇકિંગ ક્વીન્સના ઓફિશ્યલ ફેસબુક પેજ પર આ સૂચના ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે 5 વાગ્યે પોસ્ટ કરવામાં આવી હતી.
બાઇકિંગ ક્વીન્સએ બે બાઇકો ચોરાય જવા અંગે નેધરલેન્ડસ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ સારીકા મહેતા અને રુતાલી પટેલ પોતાની બાઇક રેલી જારી રાખશે. આજે તેઓ નેધરલેન્ડસમાંથી બાઇક હાયર કરીને લંડન પહોંચવા માટેની યાત્રા આવતીકાલ તા.12મી ઓગસ્ટ 2019થી શરૂ કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.