CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 53 of 78 - CIA Live

August 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min15130

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બુદ્ધિશાળી લોકો જે જંગ લડવાની ના પાડતા હતા, કેટલાક ટેક્સ એક્સપર્ટ સુરતના વિવીંગ કારખાનેદારોને મગજ વગરના સમજતા હતા એ સુરતના નાના કારખાનેદારોના બનેલા સંગઠન ફોગવાએ ભારતમાં જી.એસ.ટી. કાઉન્સિલ અને કેન્દ્ર સરકાર સામે સિમાચિન્હ રૂપી પહેલી કાનૂની જીત મેળવી છે. પ્રત્યેક લૂમ્સ દીઠ રૂ.7 હજાર જેવી રકમ ટેક્સ ક્રેડિટ સ્વરૂપે વિવિંગ કારખાનેદારને પાછી મળશે.

Symbolic Photo Weaving Industry

ભારતમાં જ્યારે જીએસટી લાગૂ કરવામાં આવ્યો એ 1 જૂન 2016થી 31 જુલાઇ 2016 સુધી વીવીંગ કારખાનેદારોએ ભરેલો ટેક્સ રિફંડ કે ક્રેડિટ કરવા માટે જીએસટી કાઉન્સિલે નનૈયો ભણી દીધો હતો. દેશના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાર્યરત 24 લાખ જેટલા લૂમ્સ પેટે ભરવામાં આવેલી રૂ.700 કરોડ જેટલી રકમની ટેક્સ ક્રેડિટ લેપ્સ કરી દેવામાં આવી હતી.

સુરતથી મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ વકીલ પ્રકાશ શાહ સાથે વાતચીત માટે મુંબઇ ગયા હતા

સૌથી મોટો વીવીંગ ઉદ્યોગ સુરતમાં કાર્યરત હોઇ, સુરતમાં ફોગવાએ 13 મહિનાની રૂ.700 કરોડ જેટલી ટેક્સ ક્રેડિટ પાછી મેળવવા માટે કાનૂની માર્ગે લડત આપવાનું નક્કી કર્યું અને સુરતથી ફોગવાના અગ્રણીઓ મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ મુંબઇ ખાતે ખાસ એક્સપર્ટ એડવોકેટ પીડીએસ લિગલના પ્રકાશ શાહને મળવા ગયા હતા.

મુંબઇના વકીલ પ્રકાશ શાહે 15 લાખ ફી માગી હતી, ફોગવાએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવી લીધા

સુરતના ફોગવાના નેજા હેઠળ રૂ.700 કરોડની ટેક્સ ક્રેડિટ સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ લડવા મુંબઇના ખ્યાતનામ વકીલ પ્રકાશ શાહને રોકવામાં આવ્યા હતા. પ્રકાશ શાહે કુલ રૂ.15 લાખ ફી થશે એમ જણાવ્યું હતું, ફોગવાના અગ્રણીઓએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવ્યા હતા. અને ગુજરાત હાઇકોર્ટમાં કેસ શરૂ થયો હતો.

બે મુદત બાદ જીએસટી કાઉન્સિલ અને કેન્દ્ર સરકારને જ્યારે એફિડેવિટ ફાઇલ કરવા માટે જણાવાયું અને એ મુજબની કાર્યવાહી જીએસટી કાઉન્સિલે કરી, એ પછીની મુદતમાં ગુજરાત હાઇકોર્ટે વિવર્સને 13 મહિનાની ટેક્સ ક્રેડિટ પાછી આપવા સંદર્ભનો આદેશ જારી કર્યો.

કેન્દ્રના નાણાં ખાતું તો અગાઉ અનેક કેસ હારી ચૂક્યું હશે પરંતુ, જીએસટી કાઉન્સિલને પહેલી વખત કાનૂની પછડાટ મળી છે અને એ પણ સિમાચિન્હ રૂપી પછડાટ છે.

દેશમાં 24 લાખ જેટલા લૂમ્સ કાર્યરત છે અને તે મોટા ભાગે 12, 18, 24, 36, 48 જેટલી સંખ્યામાં લૂમ્સ ધારક નાના કારખાનેદારોની વ્યાખ્યામાં આવે છે. જીએસટીનો અમલ થયો ત્યારથી 13 મહિના આ કારખાનેદારોએ ભરેલા જીએસટીની બાકી નીકળતી રકમ ક્રેડિટ આપવા કે રિફંડ આપવાને બદલે સીધી જ લેપ્સ કરી દેવાની પેરવી ખરેખર અન્યાયી હતી, અને ટેક્સના જાણકારો, ચેમ્બરના કેટલાક ભેજાબાજ ટેક્સ કન્સલ્ટન્ટોને વિવર્સની આ લડાઇમાં રસ ન હતો. પણ છેલ્લે વિવિર્સનો વિજય થયો છે.

પ્રત્યેક લૂમ્સ દીઠ અંદાજે રૂ.7 હજારની ટેક્સ ક્રેડિટ મળશે અને તા.1 ઓગસ્ટ 2018થી ભરેલા જીએસટીમાં મળવાપાત્ર રકમ રિફંડ તરીકે મળશે.

ઘણા લોકોને સવાલ થાય છે કે 1400 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો, એની પણ ગણતરી એવી છે કે વિવીંગ કારખાનેદારો જે ટેક્સ ક્રેડિટ માટે લડત ચલાવી રહ્યા હતા એ ટેક્સ તેમણે જ્યારથી જીએસટીનો અમલ શરૂ થયો હતો એ તા.1લી જુન 2017થી તા.31મી જુલાઇ 2018 સુધી ભરેલા જીએસટીની રકમ પૈકી મળવાપાત્ર પરત ક્રેડિટ કે રિફંડ પેટેની રકમ રૂ.700 કરોડ થાય છે. એ પછી તા.1લી ઓગસ્ટ 2018થી જીએસટી કાઉન્સિલે વિવીંગ ઇન્ડસ્ટ્રીને મળવાપાત્ર ટેક્સ રિફંડ આપવાનો સરક્યુલર જારી કર્યો હતો પરંતુ, વિવર્સે હજુ સુધી એ સ્વીકાર્યો નથી કે ક્લેઇમ કર્યો નથી. એટલે એના બીજા રૂ.700 કરોડ મળીને કુલ 1400 કરોડનો આંકડો બોલાય રહ્યો છે.

August 2, 2019
Ukai-1.jpg
2min24950

સુરત અને સુરતવાસીઓના પાણીનો મુખ્ય સ્ત્રોત સમા ઉકાઇ ડેમમાં પાણીની સપાટી અંગે સુરતનો બચ્ચેબચ્ચો સજાગ હોય અને ચર્ચા કરતો હોય છે. ગયા વર્ષે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઓછી હતી અને ચાલુ વર્ષે પાણીની પ્રવર્તેલી તંગીને જોતા આ ચોમાસામાં ઉકાઇ ડેમની સ્થિતિની ચર્ચા સુરતમાં ચૌરેને ચૌટે થઇ રહી છે.

સુરતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા સતત વરસાદના પાણીનો આવરો થતાં આજરોજ તા.2જી ઓગસ્ટ 2019ની સાંજે 5 કલાકે ઉકાઇ ડેમની સ્થિતિ 304.12 ફૂટને આંબી ગઇ હતી.

ચોમાસાનો વિધિવત જ્યારે આરંભ થયો ત્યારથી લઇને 24મી જુલાઇ સુધી ઉકાઇ ડેમની સપાટીમાં કોઇ વધારો નહીં નોંધાતા સરકાર સમેત સમગ્ર સુરતીવાસીઓમાં ચિંતા પેસી ગઇ હતી. પરંતુ, હવે ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી રહી છે.

સિંચાઇ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આજે તા.2જી ઓગસ્ટે સાંજે 5 કલાકે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 1.68 લાખ ક્યુસેક્સ નોંધાયો હતો. અને ડેમની સપાટી કૂદકેને ભૂસકે વધી રહી છે.

Ukai Dam.

Dt.02.08.19. Hr: 17.00hrs.

Rule Level : 335.00 ft.

Present Water Level : 304.12 ft.

Inflow: 1,42,933 cusecs.

G.S. : 2290.12 MCM %

Everage filling: 30.89 %

Increase in qty: 1416.39

MCM (w.r.t to mini storage of this yr)

Hathnur Level : 209.670 Mt

Outflow: 31915.58 cusecs

August 1, 2019
rapist.jpg
1min5660

પોસ્કોના કાયદામાં કરાયેલા સુધારા બાદ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ફાંસી સજા ફરમાવવામાં આવી છે. સુરતમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર’ શખસ અનિલ યાદવને સુરતની કોર્ટે ફાંસીની સજા કરી હતી. આ કેસ માત્ર 289 દિવસમાં જ ચુકાદો અપાયો હતો.
અહીના લિબાયત ગોડાદરા વિસ્તારમાં’ રહેતો મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર ગામનો વતની અનિલ યાદવ નામનો શખસ તેના ઘર પાસે રહેતી ત્રણ વર્ષની માસુમ બાળાને ફોસલાવી અને લલચાવીને તેના રૂમમાં લઇ ગયો હતો. રૂમમાં અનિલે બાળા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં બાળાની હત્યા કરીને લાશને કોથળામાં ભરીને રૂમમાં રાખીને રૂમને તાળુ મારી દીધુ હતું.’ બાદમાં બાળાની તેના માવતરે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે તે તેની સાથે રહ્યો હતો અને બાળાને શોધવાનું નાટક કર્યુ હતું. એ પછી તે તેના વતન તરફ નાસી ગયો હતો.’ નવ માસ પહેલા તા. 15-10-18ના રોજ બનેલી આ ઘટનાના ચાર દિવસ બાદ પોલીસે’ અનિલ યાદવને’ બિહારમાંથી ઝડપી લીધો હતો.

સુરતની ત્રણ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર શખસને અપાઇ ફાંસીની સજા: 289 દી’માં અપાયો ચુકાદો


સરકારના આદેશના પગલે આ કેસને સ્પીડ ટ્રાયલ તરીકે લેવામાં આવ્યો હતો અને સ્પેશ્યલ સરકારી વકીલ નયન સુખડવાલાએ કેસની સુનાવણી દરમિયાન 35 સાક્ષીની જુબાની લીધી હતી. મેડિકલ પુરાવા, સીસીટીવી કેમેરાના ફુટેજ સહિતના દસ્તાવેજી પુરાવા’ રજુ કરીને આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય કડક સજા કરવા રજુઆત કરી હતી. માત્ર 289 દિવસમાં આ કેસની સુનાવણી પુરી થઇ ગઇ હતી. બન્ને પક્ષને સાંભળી અને પુરાવાની તુલના કરી’ સેશન્સ જજે આરોપી અનિલ યાદવને ફાંસીની સજા કરી હતી. પોસ્કોના ગુનામાં ફાંસીની સજા કરાયાનો ગુજરાતનો આ પ્રથમ કેસ છે.

July 31, 2019
CIA_Live_Logo_New2.jpg
2min6780

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો તમે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હોવ અને કંઇક નવું કરી છૂટવાની તમન્ના ધરાવતા હોવ તો આગામી તા.3થી 5 ઓગસ્ટ દરમિયાન સરસાણા એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો 2019ની મુલાકાત જરૂર લેજો અને તેમાં પણ જો સગવડ થાય તો શનિવાર તા.3 ઓગસ્ટ 2019ની સાંજે એ જ સ્થળે આયોજિત શહેરના પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ ઉદ્યોગ, લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) દ્વારા આયોજિત ફેશન શૉ ની મુલાકાત જરૂર લેજો.

લિબર્ટી ગ્રુપ (રિઘન) આયોજિત ફેશન શૉ એ દર્શાવશે કે ફાઇબર ટુ ફેશન બનવા માટે સુરત અને સુરતના ઉદ્યોગપતિઓ, કારખાનેદારોમાં પોટેન્શિયલ છે, બસ ફક્ત જરૂર છે કેટલાક પગલાં ભરવાની.

લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) ના ફેશન શૉ અંગે સંસ્થાના શ્રી દિનેશભાઇ ધનકાનીએ જણાવ્યું હતું કે ફેશન શૉમાં રેમ્પ પર કેટવૉક કરનાર મોડેલ્સ એવા ગારમેન્ટસનું નિદર્શન કરશે કે જે મલ્ટી બ્લેન્ડ યાર્નમાંથી બન્યા હશે. કેટલાક એવા પણ વસ્ત્રો હશે જે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનાવવામાં આવ્યા હશે.

ટેક્સટાઇલ ઉદ્યોગ જે બીબાઢાળ અને પરંપરાગત બ્લેન્ડ યાર્નથી ફેબ્રિક્સ બનાવે છે તેમાંથી બહાર નીકળીને આકર્ષક પરીણામો મલ્ટી બ્લેન્ડ યાર્નના ઉપયોગથી કેવી રીતે મળે એનું નિદર્શન આ ફેશન શૉમાંથી થશે.

લિબર્ટી ગ્રુપ (રિઘન)ના ફેશન શૉ ના આયોજક શ્રી દિનેશભાઇએ જણાવ્યું હતું કે ફેશન શૉ માં ડિસ્પ્લે થનાર ગારમેન્ટ્સના ફેબ્રિક્સ અલગ અલગ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના વિવિધ ડેનિયર કેવી રીતે બની શકે એ પણ જાણી શકાશે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની સાથે ફેબ્રિક્સમાં અન્ય યાર્ન જેમકે કોટન, મોડાલ, લીનન અને એર ટેક્ષ્ચ્યુરાઇઝ્ડ યાર્નનો પણ ઉપયોગ કરીને આકર્ષક ફેબ્રિક બનાવવામાં આવ્યા છે, તેમાંથી વસ્ત્રો તૈયાર કરાયા છે અને એ વસ્ત્રો પરિધાન કરીને ફેશન શૉ માં મોડેલ્સ તેને ડિસ્પ્લે કરશે.

મલ્ટીબ્લેન્ડ યાર્ન અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનેલા ફેબ્રિક્સના ગારમેન્ટસનું નિદર્શન ફેશન શૉમાં થશે

આ ઉપરાંત સ્પેશ્યલાઇઝ્ડ યાર્નમાં સિલ્ક કટ યાર્ન, ડલ યાર્ન અને મલ્ટી ફિલામેન્ટ યાર્નના ઉપયોગથી બનાવવામાં આવેલા ફેબ્રિક્સનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો મલ્ટી બ્લેન્ડ યાર્નના ઉપયોગથી કેવા ક્રાંતિકારી ફેબ્રિક્સ તૈયાર કરીને સીધા ફાઇબર ટુ ફેશન કન્વર્ઝન કરી શકાય એ જો જોવું જાણવું હોય તો તા.3 ઓગસ્ટને શનિવારે યાર્ન એક્ષ્પોમાં યોજાઇ રહેલા લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) ના ફેશન શૉ ને અવશ્ય નિહાળવો પડશે.

રિઘન ફેશન શૉ ના આયોજક અંગે

રિઘન ફેશન પ્રાઇવેટ લિ. એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જાણીતી કંપની છે. તેમની લિબર્ટી ગ્રુપ બ્રાન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્વોલિટી માટે જાણીતી છે. આ કંપનીના ચેરમેન શ્રી દિનેશભાઇ ધનકાની છે જેઓ ચેમ્બરના યાર્ન એક્ષ્પો 2019માં ફેશન શૉ નું આયોજન કરી રહ્યા છે.

July 31, 2019
yarnexpo-1.jpg
1min6010

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.3થી 5 ઓગસ્ટ દ્વારા ટેક્સટાઇલ નગરી સુરત ખાતે મલ્ટીપર્પઝ યાર્ન એક્ષ્પો 2019નું આયોજન સરસાણા સ્થિત ધી સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

3થી 5 ઓગસ્ટ સુધી સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે યાર્ન એક્ષ્પો 2019નું આયોજન

હાલ ચોમાસાનો સમયગાળો છે આમ છતાં યાર્ન એક્ષ્પોનું આયોજન કેમ એવા પ્રશ્નનો ઉત્તર આપતા ચેમ્બર પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇએ જણાવ્યું કે હાલમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે તબક્કા અને અવસ્થામાંથી પસાર થઇ રહ્યો છે એમાંથી બહાર આવીને પ્રોફિટ મેકિંગ સુધી લઇ જઇ શકે એ પ્રકારનો યાર્ન એક્ષ્પો છે. કેમકે આજે અનેક પ્રકારના યાર્ન અને તેમાંથી અનેક પ્રકારના આકર્ષક ફેબ્રિક કેવી રીતે બને તેનું પણ નિદર્શન યાર્ન એક્ષ્પોમાં કરવામાં આવ્યું છે. આમ જો વિવર્સ યાર્ન એક્ષ્પોનો યોગ્ય રીતે લાભ ઉઠાવે તો હાલના મંદીના સમયગાળામાં પણ તેઓ પ્રોફિટ મેકિંગ સુધી પહોંચી શકે તેમ છે.

ચેમ્બર પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ઉમેર્યું કે યાર્ન એક્ષ્પો 2019 જે ગત વર્ષે કરવામાં આવ્યો હતો તેનાથી આ વખતે બમણી જગ્યામાં એક્ઝિબિટર્સ આવ્યા છે. દેશના અનેક નામી અનામી યાર્ન પ્રોડ્યુસર્સ સુરતમાં યોજાનારા યાર્ન એક્ષ્પોમાં ભાગ લઇ રહ્યા છે જેઓ પોતાની અવનવી પ્રોડક્ટસથી સુરત સમેત દક્ષિણ ગુજરાતના વિવર્સ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને વાકેફ કરશે.

દેશભરના નામી અનામી યાર્ન પ્રોડ્યુસર્સ આખી લેટેસ્ટ યાર્ન પ્રોડકટ્સની આખી રેન્જ ડિસ્પ્લે કરશે

ચેમ્બરના એક્ઝિબિશન સેલના હેડ શ્રી દેવેશભાઇ પટેલે જણાવ્યું કે કુલ 10 હજાર ચો.મી. જગ્યા પર 90થી વધુ દેશના યાર્ન પ્રોડ્યુસર્સ પોતાના સ્ટોલ્સ લગાડીને વિવિંગ ઉદ્યોગકારો, કારખાનેદારોને પોતાની પ્રોડક્ટથી વાકેફ કરશે. આ પ્રદર્શનમાં રિલાયન્સ, ભિલોસા ઇન્સ્ટ્રીઝ, વેલનોન પોલીયેસ્ટર્સ, પરફેક્ટ ફિલામેન્ટસ, શાહલોન ગ્રુપ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, આરએસડબલ્યુએમ લિ., નિમ્બાર્ક ફેશન્સ, સેન્ચુરી એન્કા, મધુસુદન ગ્રુપ, એ.આર. કોર્પોરેશન, ભુમિ યાર્ન, ડી.એન.એચ. સ્પીનર્સ, દોઢીયા સિન્થેટિક્સ, કે.કે.પી. સ્પીનીંગ મિલ્સ, કોમલ ઇન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી ડાય યાર્ન, લેન્ઝીંગ, મહારાજા ઇન્ડસ્ટ્રીઝ, મેહેર ઇન્ટરનેશનલ, પાલ્લવ ગ્રુપ, રીઘન ફેશન્સ, શ્રી દુર્ગા સિન્ટેક્ષ, શ્રી દામોદર યાર્ન, શ્રઈ મુનિવર સ્પીનીંગ મિલ્સ, તનુશ્રી ઇન્ટરનેશનલ, આનંદ રેયોન, પીરામીડ ગ્રુપ વગેરે જાણીતા ઉત્પાદકો ભાગ લઇ રહ્યા છે.

નેચરલ અને મેનમેડ ફેબ્રિક્સમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે એમ જણાવતા યાર્ન એક્ષ્પોના ચેરમેન શ્રી ગીરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે આ ઉપરાંત ઇલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઇડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઇન સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઇબર પણ જોવા મળશે.

July 31, 2019
1min15720

છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં થઇ રહેલી શ્રીકાર વર્ષાથી રાજ્ય સરકાર, ખેડૂત, ગુજરાતના લોકો સમેત તમામ ખુશ ખુશ થયા છે. ચોમાસાના આરંભે એકાદ બે ઝાપટા પછી યોગ્ય રીતે વરસાદ પડતો ન હોવાથી તમામ વર્ગમાં નબળા ચોમાસાને લઇને ચિંતા પેસી ગઇ હતી. પરંતુ, જે રીતે ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે એ જોતા હવે તમામ વર્ગને હાશકારો વર્તાય રહ્યો છે.

તા.31મી જુલાઇએ બપોરે 12 વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 293 ફૂટ થઇ જવા પામી હતી. તા.30મીએ સાંજે 6 વાગ્યે ડેમમાં પાણીની સપાટી 286 ફૂટ હતી, છેલ્લા 18 કલાકમાં ઉકાઇ ડેમમાં એટલું પાણી આવ્યું કે સપાટી 7 ફૂટ વધીને 293 ફૂટ થઇ છે.

ઉકાઇ ડેમમાં પાણીના આવરાને પગલે સુરત સમેત તાપી જિલ્લાના ખેડૂતોમાં પણ રાહતની લાગણી વર્તાય જવા પામી છે. ખેતી સિંચાઇના મૂળ સ્ત્રોત ઉપરાંત સુરત શહેરનો પીવાના પાણીનો પણ મુખ્ય સ્ત્રોત ઉકાઇ ડેમ જ છે, આવી સ્થિતિમાં ચોમાસાના આરંભે ડેમમાં પાણીનો આવરો ન વધતા ચિંતા વધી હતી. પરંતુ, હવે જે રીતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતેના ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ પડી રહ્યો છે અને એ પાણીનો આવરો આવી રહ્યો છે, એ જોતા થોડી ગણી રાહત થવા પામી છે.

બપોરે બે વાગ્યે ઉકાઇ ડેમ ખાતે પાણીની સપાટી 294 ફૂટને આંબી ગઇ હતી. સત્તાવાર માહિતી આ મુજબ છે.

Ukai Dam.

FIle photo : Ukai Dam, Dist. Surat


Dt.31.07.19. Hr: 14.00hrs.
R.L : 333.00 ft.
P.W.L: 294.36 ft.
Inflow: 183543 cusecs.
G.S. : 1693.40 MCM
%age filling: 22.84 %
Increase in qty: 819.67 MCM
(w.r.t to mini storage of this yr)
Hathnur Level: 210.14 M.
Outflow: 84958.71 cusecs

બપોરે 2 વાગ્યે ડેમમાં પાણીનો આવરો 1.83 લાખ ક્યુસેક્સ હતો, જે અગાઉના ઇનફ્લો કરતા ઓછો થયો હોવાનું ડેમ સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું.

July 31, 2019
valsad-rain-2.jpg
1min4980

રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઇ રહ્યુ ંછે જેના કારણે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થઇ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યાથવત રહેશે જ્યારે’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.’ આ ઉપરાંત કચ્છ અને દીવ દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ રહેશે. દરમિયાન રાજ્યના 231 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતા. સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 288 મી.મી. એટલે કે 11.5 ઇંચ, વઘઇમાં સાડા આઠ, કપરાડામાં પોણા આઠ, માંગરોળમાં સાડા સાત તથા પારડીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિથી અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઇ જતા અને ગામ સંપર્ક વિહોણો થયા હતાં.’ ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં.

વલસાડની કોલક નદીના પાણીની સપાટી વધી જતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થવાની’ તૈયારીમાં છે. મહુવા, ડાંગ-આહવામાં વરસાદી માહોલ જામ્યો છે. અંબિકા અને પૂર્ણા નદીના પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. બન્ને નદી ભયજનક સ્તરે વહી રહી છે. ડાંગમાં ગીરા ધોધનો અદ્દભૂત નજારો સર્જાયો છે. આ ધોધની સુંદરતા જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડયા છે. સુરતમાં સારા વરસાદના કારણે ઉકાઇ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઇ ડેમમાં કુલ 89,864 ક્યુસેક પાણીની આવક થતા ઉકાઇ ડેમની સપાટી 285.32 ફૂટ પર પહોંચી છે.’ ચોવીસ કલાકના ગાળામાં જ ઉકાઇ ડેમની સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે.

વાવમાં 9 ઇંચ વરસાદ પડતા અને માળખા ગામનું તળાવ ફાટતા પાણી ગામમાં ઘૂસી ગયા હતા જેમાં કોઇ ઘટાડો થયો નથી અને સ્થિતિ ઠેરની ઠેર છે.

July 30, 2019
mayor1.jpg
1min15220
તા.30મી જુલાઇ 2019નો દિવસ સુરતીઓને હંમેશા યાદ રહેશે. સુરતમાં મધરાતથી શરૂ થયેલો વરસાદ આખો દિવસ ઝરમરીયા અને ક્યારે ઝાપટા સાથે સુરતીઓને ભીંજવી રહ્યો હતો. એવામાં શહેરના મેયર ડો.જગદીશ પટેલ પણ પોતાને રોકી શક્યા ન હતા અને તેઓ પહોંચ્યા હતા, વિયર કમ કોઝ-વે ખાતે. આમ તો રાહદારીઓ માટે કોઝવે બંધ કરાયો હતો. પરંતુ, મેયર ડો. જગદીશ પટેલએ નિરીક્ષણ કરવા માટે ખુદ કોઝવે પરથી ફરી વળેલા પાણીમાં પહોંચ્યા હતા. એ વેળાની તસ્વીર. કોઇપણ શોખીન સુરતીને આ જ રીતે પાણી વચ્ચે જવાનું મન થાય એ સાહજિક અને સ્વાભાવિક છે. આમેય આજે તા.30મી જુલાઇને મંગળવારને શોખીન સુરતીઓએ કામધંધા છોડીને વરસાદને જ માણ્યો છે

તા.30મી જુલાઇ 2019નો દિવસ સુરતીઓ માટે એવો માહોલ લઇને આવ્યો હતો કે જેની સુરતીઓ દર ચોમાસે રાહ જોતા હોય છે. આજે આખો દિવસ વરસાદી માહોલ એટલે સુરતીઓને જાણો હિલ સ્ટેશન નો અનુભવ કરાવતા હોય. હજારો શોખીન સુરતીઓ જાણે આજનો દિવસ પાછો ન આવવાનો હોય એ રીતે કામકાજથી અળગા રહ્યા હતા. ભૂસા, ભજીયા, ફાફડાની જયાફત ઉડાડવા માટે સુરતીઓને બહાનું જોઇતું હોય અને આજના વરસાદભર્યા દિવસ જેવું બહાનું એટલે સોનામાં સુગંધ ભળે.

તા.30મી જુલાઇ 2019ના રોજ સાંજે સુરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ વરસાદી માહોલ વચ્ચે વિયર કમ કોઝવે પર પહોંચ્યા હતા. રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવે પરથી પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ માટે કોઝવે બંધ કરાયો હતો. મેયર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, એ વેળાએ સુરતના સિનિયર જર્નલિસ્ટ વીટીવીના સુરતના પ્રતિનિધિ શ્રી શૈલેષભાઇ ત્રિવેદી અને વીટીવીના ક્રુએ કોઝવે પર જ તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો.

વધુમાં સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સારા સમાચાર એ પણ આવ્યા કે એક કરોડથી પણ વધુ લોકોના પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટીમાં પાંચ ફૂટનો વધારો જોવા મળ્યો છે. આજરોજ મંગળવાર સવારથી આ ડિસ્ચાર્જમાં ઘટાડો કરીને હથનુરના 11 ગેટ બંધ કરવામાં આવ્યા છે. હાલ 30 ગેટમાંથી કુલ 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઊકાઈ ડેમાં 86 હજાર ક્યૂસેકની આવક સાથે ડેમની સપાટીમાં સડસડાટ પાંચ ફૂટનો વધારો નોંધાયો છે.

મંગળવાર, તા.30મી જુલાઇએ  બપોરે 1 કલાકો સપાટી 285.12 ફૂટ નોંધાઈ છે. ઊકાઈમાં 86,725 ક્યુસેકની આવક સામે માત્ર 600 ક્યુસેક ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ગત બે દવિસમાં ઊકાઈની સપાટીમાં પાંચ ફૂટ જેટલો વધારો નોંધાયો છે અને આગામી બે-ત્રણ દિવસ સુધી ઊકાઈમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

July 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12070

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

સુરતમાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.

ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.

જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.

9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

July 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min26290

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં મોરીસ ગેરેજીસની કાર મેળવવા માટે સુરતીઓએ જેવી પડાપડી કરી છે તેવી કદાચ ભારતભરમાં જોવા મળી નથી. ગઇ તા.4થી મે 2019થી સુરતના ડુમસ રોડ પર આવેલા એમ.જી. સુરત શો રૂમ ખાતે મોરીસ ગેરેજીસની ગાડીઓ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતીઓએ 19મી જુલાઇ 2019 સુધીમાં કુલ 108 કરોડથી વધુ રકમની ગાડીઓનું બુકિંગ કરાવ લેતા કંપનીએ કારનું બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે. સુરતમાં હાલ મોરીસ ગેરેજ કાર માટે બુકિંગ થઇ રહ્યું નથી. 720 લોકોએ સુરત ડુમસ રોડના એમ.જી. શોરુમ ખાતે 51 હજાર રૂપિયા ભરીને બુકિંગ પેટે જ રૂ.3.67 કરોડ જેવી માતબર રકમ જમા કરાવી દીધી છે.

માર્કેટમાં મંદી મંદીની બૂમોની બીજી તરફ આ મોરીસ ગેરેજીસની હેક્ટર કાર લેવા માટે થઇ રહેલી પડાપડી થઇ રહી છે. મોરીસ ગેરેજીસના શો રૂમની મુલાકાત વખતે અમને એક સેલ્સ પર્સને કહ્યું કે મોરીસ ગેરેજીસ કારના શો રુમમાં આવો તો મંદીની કોઇ અસર વર્તાશે નહીં, શો રૂમની બહાર પગ મૂકશો તો મંદીની અસર જોવા મળશે.

મોરીસ ગેરેજીસની આ કાર સુરતીઓને ખૂબ પસંદ આવી છે, 4 મે થી 19 જુલાઇ સુધીમાં સુરતીઓએ કુલ 108 કરોડની જંગી રકમની આ કારો બુક કરાવી દીધી છે. બુકિંગ પેટે કુલ રૂ.3.67 કરોડની માતબર રકમ સુરતીઓએ ભરપાઇ પણ કરી દીધી છે. સુરત ડુમસ રોડ પર આવેલી એમજી સુરત શો રૂમ ખાતે હાલ બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે.

મોરીસ ગેરેજ કાર આમ તો કહેવાય છે કે 1924થી કાર મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહી છે. પરંતુ, તાજેતરમાં ઇન્ડિયામાં નવેસરથી મોરીસ ગેરેજીસની કાર લોંચ કરવામાં આવી છે. આ કારનો પ્લાન્ટ ગુજરાતમાં જ હાલોલ ખાતે કાર્યરત છે.

મોરીસ ગેરેજીસ કાર દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષમાં જ લોંચ કરવામાં આવેલી હેક્ટર સિરીઝની ગાડીઓ ભારતીયોને ખાસ કરીને સુરતીઓને બહુ જ પસંદ પડી રહી છે. ભારતમાં મોરીસ ગેરેજીસની કારનું બુકિંગ શરૂ કરવામાં આવતા જ દિલ્હી, મુંબઇ અને સુરત એમ ત્રણ કેન્દ્રો પર જબરદસ્ત રિસ્પોન્સ કંપનીને મળ્યો છે અને કહેવાય છે કે એક વર્ષમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા જેટલા તો એડવાન્સ બુકિંગ મળી ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ ભારતમાં દિલ્હી ખાતે સૌથી વધુ 2100 અને બીજા નંબરે મુંબઇમાં 1800 મોરીસ ગેરેજીસ હેક્ટર કારના બુકિંગ થયા છે. એ પછી સૌથી નોંધપાત્ર બુકિંગ કંપનીને સુરત ખાતેથી મળ્યા છે. દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો સિટીની સરખામણીમાં સુરતમાંથી કંપનીને અપેક્ષા બહાર 720 જેટલા કન્ફર્મ બુકિંગ એટલે કે લોકોએ રૂ.51000ની રકમ ભરીને ગાડીઓ બુક કરાવી છે.

સુરતીઓને મોરીસ ગેરેજીસ હેક્ટર કાર એટલી પસંદ આવી છે કે બુકિંગના પહેલા જ સ્લોટમાં એકલા સુરત રિજિયનમાંથી 108 કરોડની રકમની કાર બુક થઇ જવા પામી છે.

સુરત ડુમસ રોડ પર આવેલો એમજી સુરત, મોરીસ ગેરેજીસ સુરત શો રૂમની તસ્વીર

સુરતમાં મોરીસ ગેરેજ કાર પાછળ સુરતીઓ એવા ઘેલા થયા છે કે આ સેગમેન્ટમાં અને આ રેન્જમાં મળતી અન્ય ગાડીઓ (અહીં અમે બીજા કોઇના ધંધાકીય હિતને નુકસાન ન થાય એ માટે કોઇ બીજી કારના નામો લખતા નથી)નું સેલિંગ તેમજ બુકિંગ પણ અસર પામ્યું છે. મોટા ભાગના શો રૂમમાં એક એક ગાડીઓ વેચવા પાછળ આઠ થી દસ દિવસનો સમય નીકળી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.

ડુમસ રોડ પર આવેલા એમજી સુરત શો રુમ ખાતે હાલ મોરીસ ગેરેજની કારનું બુકિંગ બંધ કરાયું છે. 720 લોકોએ બુક કરાવેલી કાર ડિલીવરી કરતા કંપનીને જાન્યુઆરી 2019 જેટલો સમય લાગી જાય તેમ છે.