સુરતમાં A પોઝીટીવ બ્લડની અછત, રક્તદાતાઓને સ્વૈચ્છીક રક્તદાન કરવા અપીલ
દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં કાર્યરત બ્લડ બેંકો હાલમાં એ પોઝીટીવ અને એબી પોઝીટીવ બ્લડની તંગી અનુભવી રહી છે. સુરત રક્તદાન કેન્દ્ર અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્રએ એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.
A પોઝીટીવ અને AB પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.
વધુ માહિતી આપતા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના મેનેજર શ્રી સંજયભાઇએ જણાવ્યું હતું કે એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્ત ધરાવતા લોકો આમેય ઓછા હોય છે અને આ વખતે 15મી ઓગસ્ટ કે જે દિવસે સૌથી વધુ રક્તદાન કેમ્પો યોજાતા હોય છે એ યોજી શકાયા ન હતા કેમકે રક્ષાબંધન પર્વ સાથે હતો એટલે એન.જી.ઓ. દ્વારા દર વર્ષે જે કેમ્પો યોજાય છે તેટલી સંખ્યામાં આ વખતે કેમ્પો યોજાય શક્યા ન હતા. એટલે હાલમાં એ અને એ બી પોઝીટીવ રક્તની તંગી વર્તાય રહી છે.
સંજયભાઇએ કહ્યું કે લોકસમપર્ણ રક્તદાન કેન્દ્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત બન્ને રક્ત ગ્રુપ ધરાવતા દાતાઓને ફોન કરીને સ્વૈચ્છીક રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
એવી જ રીતે સુરત રક્તદાન કેન્દ્રના શ્રી અશ્વિન મહેતાએ જણાવ્યું હતું કે રક્તદાન કેન્દ્રએ દરેક દાતાઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે અને ઇમરજન્સીમાં જે રક્તની જરૂર પડે છે એ અંગેની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે.
સુરતમાં એ ગ્રુપ અને એ બી બ્લડ ગ્રુપના રક્તની અછત નિવારવા માટે સનગ્રેસ સ્કુલના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયા પ્રયત્નશીલ છે, ટૂંક સમયમાં તેઓ આ અંગે મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું આયોજન કરી રહ્યા છે, રસ ધરાવતા લોકો તેમનો સંપર્ક કરી શકે છે. ફોન નં. 99251 1009
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now