CIA ALERT

Slider Archives - Page 371 of 491 - CIA Live

April 21, 2019
PM-Modi-web.jpg
1min4880

ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો હવાલો આપી ચૂંટણીપંચે શનિવારે વડા પ્રધાન મોદીના જીવનઆધારિત વેબસિરીઝ હટાવી દેવા નિર્માતાને આદેશ કર્યો હતો.

‘મોદી-જર્ની ઑફ ઍ કોમન મેન’ (મોદી-એક સામાન્ય માનવીનું જીવન) નામની પાંચ પ્રકરણ ધરાવતી વેબ સિરીઝનું સ્ટિમિંગ (પ્રસારણ) તાત્કાલિક બંધ કરવાનો ચૂંટણીપંચે આદેશ આપ્યો હતો.

ચૂંટણીપંચના સભ્યોએ વેસસિરીઝનું ટ્રેઈલર જોયું હતું. અને તેના આધારે લોકસભા ચૂંટણી ચાલુ છે ત્યાં સુધી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ચૂંટણીપંચે આદેશમાં કહ્યું કે ‘જીવનકથાના સ્વરૂપમાં કોઈના જીવન આધારિત સામગ્રી જે કોઈ પણ રાજકીય પક્ષને લાભ થઈ શકે અથવા ચૂંટણી દરમિયાન બધાને સમાન તક ન આપે તેવી સામગ્રીને આદર્શ આચારસંહિતાના અમલ દરમિયાન દર્શાવવી જોઈએ નહીં.’ચૂંટણીપંચે અગાઉ વડા પ્રધાન મોદીના જીવનઆધારિત ‘પીએમ નરેન્દ્ર મોદી’ દર્શાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

April 20, 2019
sandip_modi.jpg
1min14090

ભાજપાના ઉમેદવાર પરભુ વસાવાનો પ્રચાર કરવાને બદલે નરેન્દ્ર મોદી સાથે પોતાના જ ફોટા પોસ્ટ કરવામાં વ્યસ્ત રહે છે સંદીપ દેસાઇ

જિલ્લા ભાજપાના મહામંત્રી હોવા છતાં ફક્ત દેખાડો કરવા પૂરતો પ્રચાર કરીને સંદીપ દેસાઇ ગૂમ થઇ જતા હોવાની ગંભીર ફરીયાદ

સુરત જિલ્લામાં આવેલી બારડોલી લોકસભા સીટ પર આ વખતે ભાજપા હારની કગાર પર છે. કોંગ્રેસમાંથી જ ભાજપામાં આવ્યા બાદ પરભુ વસાવાએ 2014માં બારડોલી બેઠક પર ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને કોંગ્રેસના ખેરખાં ગણાતા ડો. તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બારડોલી લોકસભા બેઠક પર ભાજપાનો કબજો ફક્ત એક ટર્મ પૂરતો સિમીત રહે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. બારડોલી બેઠક પર આ વખતે 2014નો જ સિનારીયો છે પરંતુ, રિઝલ્ટ પલ્ટાય જાય તેમ છે.

બારડોલી બેઠક 2019ની ચૂંટણી અગાઉથી જ ભાજપ માટે સળગતું ઘર બન્યું હતું એમાં જિલ્લા ભાજપના મોટા ભા થઇને ફરતા સંદીપ દેસાઇ જેવા નેતાઓને કારણે હવે ભાજપાએ બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.

સુરત જિલ્લામાં આદીવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ગણપત વસાવા પહેલેથી જ પરભુ વસાવાથી નારાજ હતા અને હવે સંદીપ દેસાઇ જેવા નેતાઓની નિષ્ક્રીયતાને કારણે બારડોલી બેઠક પર કોંગ્રેસનું જોર વિજય સુધી વિસ્તરી ચૂક્યું છે.

જિલ્લા ભાજપાના અન્ય નેતાઓ પર રોફ જમાવી શકાય એ માટે તાજેતરમાં નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમની સાથે ફોટા પડાવીને સંદીપ દેસાઇએ પોતાના ફોટા એટલા શેર કર્યા જેટલો કદાચ પરભુભાઇ વસાવા માટે પ્રચાર કર્યો હોત તો એ લેખે લાગ્યો હોત. પોતાની જ પ્રશંસામાં રચ્યા પચ્યા રહેતા સંદીપ દેસાઇ માટે ભાજપામાંથી ફરીયાદો તો એવી પણ ઉઠી છે કે તેઓ પરભુભાઇ વસાવાનો પ્રચાર કરે છે એ પણ ફક્ત દેખાડો કરવા પૂરતો. પ્રચારમાં જોડાય ત્યારે કેટલાક લોકોને પહેલેથી જ કહી રાખ્યું હોય છે કે તેમના ફોટા પાડી લેવા અને ગણતરીની મિનિટોમાં પાર્ટીનું કામ છે એ કહીને સંદીપ દેસાઇ રફૂચક્કર થઇ જતા હોવાની ફરીયાદો પ્રદેશ ભાજપાના કરી દેવામાં આવી છે.

ચૂંટણીની આચારસંહિતામાં સરકારી ગ્રાન્ટના કામની પોસ્ટ મૂકીને આચારસંહિતાનો ભંગ કર્યો

April 20, 2019
rahul_dalal.jpg
1min12930

જયેશ બ્રહ્મભટ્ટ

યંગસ્ટર્સમાં કેટલી અપાર શક્તિ ભરેલી હોય છે અને યંગસ્ટર્સ ધારે તો શું ન કરી શકે તેનું જીવંત ઉદાહરણ બન્યો છે સુરતનો યંગસ્ટર રાહુલ દલાલ. આ સુરતી યુવાને 22 વર્ષની ઉંંમરે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યતી લેખાય રહી છે અને લેખાશે.

રાહુલ દલાલની ઉંમરના બીજા યંગસ્ટર્સને એક ડિગ્રી ભણતા ભણતા મોઢે ફીણ આવી જાય, ડચકાં ખાતા ખાતા એકાદ ડિગ્રી આવી જાય અને ભણવાનું પૂરું થઇ જાય. 85 ટકા યંગસ્ટર્સની આ હાલત હોય છે જેઓ ગ્રેજ્યુએશન કરે એટલે ભયો ભયો

રાહુલ દલાલ નામનો સુરતી યુવાન જે હાલમાં સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.વી.એન.આઇ.ટી.માં બી.ટેક. કેમિકલ બ્રાન્ચમાં ફાઇનલ ઇયરનું એન્જિનિયરિંગ ભણી ચૂક્યો છે. આ થઇ તેની પહેલી સિદ્ધિ.

રાહુલ દલાલની બીજી સિદ્ધિએ છે કે એન્જિનિયરિંગ ભણવાનું શરૂ કર્યું એટલે કે ધો.12 પાસ થયા પછી રાહુલ દલાલે સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી) કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને સુરતના જાણીતા સી.એ. કોચ રવિ છાવછરીયા પાસે કોચિંગ મેળવ્યું હતું અને હાલમાં એ સી.એ. ફાઇનલની પરીક્ષાનું પ્રિપેરેશન કરી રહ્યો છે.

એન્જિનિયરિંગ અભ્યાસ અને એ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે સી.એ. કોર્સમાં ફાઇનલ સુધી પહોંચી ચૂકેલા રાહુલ દલાલની ત્રીજા અદ્વિતિય સિદ્ધિ એ છે કે તેણે તાજેતરમાં આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આઇ.આઇ.એમ. કેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા આપી હતી અને તેમાં પણ 98.88  પર્સન્ટાઇલ મેળવીને અવ્વલ રહ્યો છે. રાહુલ દલાલને પહેલા જ પ્રયત્ને આઇ.આઇ.એમ. એ. એટલે કે અમદાવાદ આઇ.આઇ.એમ. કે જ્યાં મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે હજારો નહીં લાખો વિદ્યાર્થીઓનું સપનું સપનું જ બની રહી જાય છે.

આમ આ સુરતી યુવાને કોલેજ કાળમાં એક સાથે ત્રણ-ત્રણ અદ્વિતિય સિદ્ધિઓ મેળવી લીધી છે.

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ

  • ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને

  • આઇ.આઇ.એમ.માં એમ.બી.એ.

  • સુરતના આ ટેક્નો-કમર્શિયલ યંગસ્ટરની સિદ્ધિઓ ભાગ્યે જ કોઇ તોડી શકશે અથવા તે અંગે વિચારી શકશે

રાહુલ દલાલને સી.એ.નું કોચિંગ આપનાર સુરતના જાણીતી સી.એ. કોચ રવિ છાવછરીયાએ તેમની વોલ પર રાહુલ માટેની પોસ્ટ આ મુજબ અક્ષરસઃ પોસ્ટ કરી હતી

Exceptional! Amazing! Brilliant!
Our student Rahul Dalal, studying CA Final and in last year of Chemical Engineering (SVNIT)..yes you read it right— CA parallel with engineering from last 4 years..
Now cracked CAT with 99.88 percentile and got admission into IIM A.
A true techno-commercial guy!
Many congratulations to Rahul Dalal and his family.
Surat’s youth are performing amazingly beautiful year after year in all spheres of education..and setting benchmarks.

April 20, 2019
english.jpg
1min13680
આઇપીએલ-12ની સિઝન રોમાંચક તબકકામાં પ્રવેશી ચૂકી છે. અત્યાર સુધીમાં અરધાથી વધુ એટલે કે 33 મેચ રમાઇ ચૂકયા છે. પ્લેઓફમાં પહોંચવા માટે બેંગ્લોર અને રાજસ્થાન સિવાયની 6 ટીમ વચ્ચે કાંટે કી ટકકર ચાલી રહી છે. આઇપીએલ-12 જ્યારે ચરમ પર છે, ત્યારે જ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આઇપીએલ રમી રહેલ તેના તમામ ખેલાડીઓને દેશ પરત ફરવાનો આદેશ આપ્યો છે. આથી આઇપીએલમાં તા. 23 એપ્રિલ પછીના મેચોમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. ઇંગ્લેન્ડના ખેલાડીઓને 24 એપ્રિલ સુધીમાં સ્વદેશ પરત ફરવાનું છે. આગામી વિશ્વ કપને ધ્યાને રાખીને ઇસીબીએ તેના ખેલાડીઓને પરત બોલાવી લીધા છે.
ઇંગ્લેન્ડના ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની સ્થિતિમાં સૌથી મોટુ નુકસાન રાજસ્થાન રોયલ્સને થશે. આમ પણ તેની સ્થિતિ સારી નથી અને સાતમા સ્થાને છે. તેના ત્રણ મુખ્ય ખેલાડી જોસ બટલર, બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડના છે. જે તેમના દેશ પરત ફરી રહયા છે. બટલરે 8 મેચમાં311 રન કર્યાં છે. સ્ટોકસ ટીમનો ઓલરાઉન્ડર છે. તો આર્ચર મુખ્ય બોલર છે. રાજસ્થાન ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદને પણ મોટો ફટકો પડશે. તેનો ઇનફોર્મ બેટસમને જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડ પરત ફરી રહયો છે. તે હાલ શાનદાર ફોર્મમાં છે. બેયરસ્ટોએ 8 મેચમાં 36પ રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબર પર છે. સેમ બિલિંગ પણ ચેન્નાઇનો સાથ છોડશે. જો કે આથી ચેન્નાઇને બહુ ફરક પડશે નહીં. મોઇન અલીને પણ આરસીબીનો સાથ છોડવો પડશે. જો કે કોહલીના સુકાનીપદ હેઠળની આરસીબી ટીમ આમ પણ પ્લેઓફની લગભગ બહાર થઇ ચૂકી છે. મોઇન અલીનું પણ આઇપીએલમાં આ સિઝનમાં નોંધપાત્ર પ્રદર્શન રહયું નથી.
April 20, 2019
kalank-1280x720.jpg
1min15720
આ વર્ષનો સૌથી સારું ઓપનિંગ મેળવનાર ‘કલંક’ ફિલ્મની કમાણીમાં બીજા દિવસે પ0 ટકાથી વધુ ગગડી છે. કરણ જોહરના પ્રોડકશન હાઉસની આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત જેવા ટોચના કલાકારોનો કાફલો છે. કલંક બુધવારે રીલિઝ થઇ હતી અને પહેલા દિવસે 22 કરોડનું બમ્પર ઓપનિંગ મળ્યું હતું. પણ ગુરુવારે બીજા દિવસે કલંકની કમાણી અરધા પર ઓછી થઇ હતી. શુક્રવારે પણ સવારના શોમાં કલંક જોવા પ્રેક્ષકો થિયેટરમાં બહુ ઓછી સંખ્યામાં આવ્યા હતા. પહેલા દિવસે 22 કરોડની કમાણી કરનાર કલંકનું બીજા દિવસનું કલેકશન 10.7પ કરોડ જ રહયું હતું. આ મલ્ટીસ્ટાર ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. પ્રેક્ષકોને આ ફિલ્મ માત્ર ભપકાદાર લાગી રહી છે. સ્ટોરીમાં દમ નથી. ફિલ્મની 2.48 મિનિટની લંબાઇ પણ કલંકને નડી રહી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને ઝીરોની જેમ કલંક’ ફલોપ તો સાબિત થશે નહીં, પણ સુપરહિટ પણ રહેશે નહીં.
April 20, 2019
gold-thief_thinkstock.jpg
1min7950

સોનીબજારમાં પેઢી ધરાવતા વેપારીને ત્યાં 13 દિવસ પહેલા જ નોકરીએ રહેલા બંગાળના બે પરપ્રાંતીય કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(Symbolic photo)

ભક્તિનગર સર્કલ પાસે મયુરપાર્કમાં ધર્મધ્વજ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનીબજારમાં પીપળા શેરીમાં શાંતિ કોમ્પલેકસમાં દુકાન ધરાવતા અને સોની કામ કરતા મનદીપ મનસુખભાઈ રાધનપુરા નામના સોની વેપારીની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળના હુગલીના કલ્યાનશ્રી બાલાસર ગામના અને હાલમાં રાજકોટમાં રહેતા પાર્થ ઉર્ફે પ્રસન્નજીત ચક્રવર્તી અને બીશ્વજીત ચક્રવર્તી નામના બન્ને કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

વેપારી મનદીપ રાધનપુરાની દુકાનમાં બન્ને બંગાળી કારીગરો તેમજ બાલકૃષ્ણ વાગડિયા કામ કરે છે અને ગત તા.13ના બાલકૃષ્ણભાઈ જમવા ગયા હતા અને છ વાગ્યે પરત આવતા બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. સવારે જ બે વેપારી જયદીપ રાણપરા અને સંદીપ રાણપરાના દાગીના બનાવવાના કામ માટે સોનુ આપ્યું હતું. બપોરે જમીને આવતા દુકાનનું શટર અડધુ ખુલ્લુ હતુ અને બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. બન્ને કારીગરો દુકાનની સામે અંસારીભાઈના મકાનમાં રહેતા હોય પૂછતાછ કરતા બન્ને કારીગરો બપોરના જમીને નીકળી ગયાનું ખુલ્યું હતુ અને દુકાનમાં તપાસ કરતા રૂ.16.40 લાખની  કિંમતનું પ00 ગ્રામ સોનુ ચોરીને નાસી  છૂટયાનું ખુલ્યું હતું. બન્ને કારીગરો 13 દિવસ પહેલા જ રાજકોટના અલમ શેખ નામના શખસની ઓળખાણથી કામે રહ્યા હતા.

April 20, 2019
sibal.jpg
1min14570

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં કરાયેલી નોટ બંધીએ એ કાળાં નાણાં ધોળા કરવાનું એક કૌભાંડ હોવાનો સૂર કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા કપિલ સિબ્બલે કાઢ્યો હતો. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 8મી નવેમ્બર,2016 ના રોજ વડા પ્રધાન દ્વારા રૂ.500/- અને રૂ.1000/- ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે.

આ નિર્ણયને પરિણામે અમીરો તેમના બિનહિસાબી નાણાંને હિસાબી નાણામાં ફેરવી શક્યા. જ્યારે ગરીબોની પરસેવાની કમાણી અન્યાયી રીતે સ્થગિત કરી દેવામાં આવી. નોટબંધીથી અમીરોને કેવી રીતે લાભ થયો તે અમે આજે આપને બતાવ્યું છે. આ ઘટના અમદાવાદમાં જ બની હતી. વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે. તે દેખીતી રીતે જ ભાજપની નિકટની વ્યક્તિ છે. તે કદાચ ભાજપની સભ્ય પણ હોઈ શકે છે. આ વ્યક્તિ, 31 ડિસેમ્બર, 2016 પછી અન્ય સાગરીતોની સાથે કરોડો રૂપિયાના બિનહિસાબી નાણાંને હિસાબી નાણામાં ફેરવવાનું કૌભાંડ ચલાવી રહી હતી. આપ વિડીયોમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી આ બાબત સ્પષ્ટ થાય છે. આ હેરાફેરીની પ્રક્રિયામાં રાજકારણીઓ, બેંકર્સ, દલાલો અને અન્ય વ્યક્તિઓ સંકળાયેલી હશે જ. આ નાણા બદલી આપવાની કામગીરીમાં સંડોવાયેલાઓને 40 ટકા સુધીનું કમિશન આપવામાં આવ્યું હતું.

આ પ્રકરણમાં રૂપિયા પાંચ કરોડની જૂની રદ થયેલી ચલણી નોટોના બદલામાં નવી રૂપિયા બે હજારની ત્રણ કરોડની ચલણી નોટો આપવામાં આવી હતી. આ ઘટનામાં આપ ચલણી નોટોની થપ્પાઓની જે દીવાલ જોઈ રહ્યા છો. તેના પરથી આપને આ કૌભાંડ કેટલું વ્યાપક હતું. તેનો અંદાજ આવી જશે. આ પ્રકરણ ગુજરાતના એક સ્થળનું છે. આવી અન્ય અનેક ઘટનાઓ ગુજરાતમાં જ તેમ જ ગુજરાત બહાર પણ બની જ હશે.

April 20, 2019
pragya2.jpg
1min5700

સાધ્વીની કટુવાણીએ છેડ્યો વિવાદ ભાજપે નિવેદનને ‘અંગત અભિપ્રાય’

મહારાષ્ટ્ર એટીએસના ભૂતપૂર્વ વડા હેમંત કરકરેના મૃત્યુ બાબતમાં માલેગાંવ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગુરુવારે આપેલા નિવેદનને પગલે દેશભરમાં વિરોધ થયો હતો. તેમણે કહ્યું હતું કે ‘મારા શાપના કારણે તેમનું મોત થયું હતું.’ નવેમ્બર, 2008માંના 26/11 મુંબઈ હુમલામાં કરકરે અને અન્ય બે વરિષ્ઠ અધિકારી ત્રાસવાદીઓના ગોળીબારમાં શહીદ થયા હતા.

જોકે તેમના આ નિવેદને દેશભરમાં રાજકીય ભૂકંપ સર્જતા તેમણે મોડેથી માફી માગી લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારા આ નિવેદનથી દેશના દુશ્મનોને લાભ થઈ રહ્યો છે. એટલે હું મારું નિવેદન પાછું ખેંચું છું.’ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ તેમના આ નિવેદનને અંગત નિવેદન ગણાવ્યું હતું. ભોપાળમાંથી ભાજપ તરફથી

ઉમેદવારી કરી રહેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગુરુવારે રાત્રે ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે ‘હેમંત કરકરેને (માલેગાંવ વિસ્ફોટ)ની તપાસ સમિતિએ મુંબઈ બોલાવ્યા હતા. હું તે વખતે મુંબઈની જેલમાં હતી. તપાસ સમિતિના સભ્યે કરકરેને કહ્યું કે જો તેમની પાસે (સાધ્વીની વિરુદ્ધમાં) પુરાવા ન હોય તો ગેરકાયદેસર રીતે સાધ્વીને જેલમાં નહીં રાખવી જોઈએ. કરકરેએ કહ્યું કે પુરાવા લાવવા તે કંઈ પણ કરવા તૈયાર છે. પુરાવા ઊભા કરીશ, અહીંથી ત્યાંથી લઈ આવીશ, પણ સાધ્વીને છોડીશ નહીં.’ સાધ્વીના નિવેદનનો ઠેરઠેર વિરોધ થયો હતો.

સાધ્વી પ્રજ્ઞાસિંહના નિવેદન સામે વાંધો ઉઠાવતા કૉંગ્રેસે શુક્રવારે માગ કરી હતી કે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રની માફી માગવી જોઈએ અને સાધ્વી પ્રજ્ઞાસિંહ સામે પગલાં ભરવાં જોઈએ. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલેએ કહ્યું કે ‘મોદીજી, 26/11ના શહીદ હેમંત કરકરેને ‘દેશદ્રોહી’ કહેવાનો ગુનો ફક્ત ભાજપના નેતા જ કરી શકે છે.’ સાધ્વીના નિવેદનને ભાજપે તેમનું અંગત મંતવ્ય જણાવ્યું હતું.

ભાજપે કહ્યું કે ‘ત્રાસવાદીઓ સામે બહાદુરીપૂર્વક લડતી વખતે કરકરે શહીદ થયા હતા. ભાજપે તેમને હંમેશાં શહીદ ગણ્યા છે. ‘ભાજપના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે ‘સાધ્વી ઠાકુરે વર્ષોથી પોલીસ કસ્ટડીમાં ‘શારીરિક અને માનસિક ટોર્ચર’ સહન કર્યું હતું જેના કારણે તે કદાચ આવું નિવેદન કરી રહ્યાં છે.’ આ તેમનું અંગત નિવેદન છે.

દરમિયાન આઈપીએસ ઑફિસર્સ એસોસિયેશને સાધ્વીના નિવેદનને વખોડી કાઢતા કહ્યું હતું કે ‘અશોકચક્ર પ્રાપ્ત કરનારા દિવંગત શ્રી હેમંત કરકરેએ (આઈપીએસ) ત્રાસવાદીઓ સામે લડતા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. એક ઉમેદવારના અપમાનજનક નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ અને આપણા શહીદોના બલિદાનનું સન્માન થવું જોઈએ તેવી માગ કરી છે.’ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં પત્રકારોને કહ્યું કે ‘હું માનું છું કે હેમંત કરકરે જેવા શહીદો માટે આવી ભાષાનો ઉપયોગ કરનારા ઉમેદવારો જેવો વિકલ્પ પ્રજા સમક્ષ આપો છો. આપણા દેશ માટે ખૂબ જ ખરાબ દિવસો કહેવાય.’ મહેબૂબાએ કહ્યું કે ‘જેમની સામે ચાર્જશીટ થઈ છે જેમની સામે આવા ગંભીર આરોપો છે, જે જેલમાં હતા તેવી મહિલાને ચૂંટણીમાં ઊભા રાખી તમે લોકોને શું સંદેશ આપવા માગો છો?’

સાધ્વી પ્રજ્ઞાસિંહે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘આ તેમની (કરકરેની) લુચ્ચાઈ હતી. આ દેશદ્રોહ હતો. આ ધર્મની વિરુદ્ધમાં હતું. મેં તેમને કહ્યું હતું કે તમારો નાશ થશે. તેમણે મને ત્રાસ આપ્યો હતો અને અપશબ્દો બોલતા હતા. જે મારાથી સહન થતું ન હતું. મેં તેમને કહ્યું હતું કે તેમનો નાશ થશે.’

સાધ્વી પ્રજ્ઞાસિંહ હાલમાં જામીન પર છે અને ભોપાળથી લડી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ સામે ભાજપે તેમને ઊભા રાખ્યા છે. સાધ્વી સામે ‘અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ’ હેઠળ કામ ચાલી રહ્યું છે. જોકે તેમને ‘મકોકા’માંથી (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ઍક્ટ) કોર્ટે તેમને મુક્ત કર્યા છે.

April 19, 2019
dinesh_navadia.jpg
1min7000
  • એમ.એલ.એ. હર્ષ સંઘવીએ દિનેશ નાવડીયા કેમ્પમાં હાજરી આપી
  • સીએસ જરીવાલા, પી.એમ. શાહ જેવા સી.એ. વ્યાવસાયિક શાસકો ચેમ્બરને નજીકના ભૂતકાળમાં જ મળી ચૂક્યા છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની યોજાઇ રહેલી ચૂંટણીમાં હીરા ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયા હોટ ફેવરિટ ઉમેદવાર તરીકે જોવાય રહ્યા છે. હકીકતમાં ચેમ્બર ઓફ કોમર્સને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ ધરાવતા શાસક નહીં પરંતુ, ઉદ્યોગકીય દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

અત્યાર સુધી સી.એસ. જરીવાળા, પી.એમ. શાહ જેવા સી.એ. (વ્યાવસાયિક) નજીકના વર્ષોમાં ચેમ્બરના શાસક બની ચૂક્યા છે, પરંતુ, ઉદ્યોગપતિ દ્રષ્ટિકોણ ધરાવતા શાસક ચેમ્બરને ઘણાં વર્ષોથી મળ્યા નથી. ચેમ્બર ઓફ કોમર્સ ઔદ્યોગિક હિત માટે કાર્ય કરતી સંસ્થા છે અને હવે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, બાંધકામ ઉદ્યોગપતિઓ સમેત મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા બહુમતિ ઉદ્યોગપતિઓ પણ એવું ઇચ્છી રહ્યા છે કે હવે પછી ચેમ્બરને દિનેશ નાવડીયા જેવા ઉદ્યોગ દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રમાં અત્યાર સુધી દિનેશ નાવડીયાએ કરેલી મિટીંગોની ફળીભૂત નિવડી છે. દિનેશ નાવડીયાને ઉદ્યોગકારો દ્વારા વોટિંગ કમિટમેન્ટ સાંપડી રહ્યા છે.

એવી જ રીતે શહેરના ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કરવામાં આવેલી ગ્રુપ મિટીંગોમાં દિનેશ નાવડીયાને અગ્રણીઓએ કોલ આપ્યા હતા કે તેઓ અચૂક વોટ આપશે. બીજી તરફ આજે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ દિનેશ નાવડીયા કેમ્પમાં આવ્યા હતા અને તેમણે દિનેશ નાવડીયા માટે પ્રચાર કર્યો હતો.

મેનેજિંગ કમિટીમાંથી દિનેશ નાવડીયા સમેત 50 જેટલા સભ્યોને ડિસક્વોલિફાય કરવાની નોટિસ આપવાની બાબત દિનેશ નાવડીયા કેમ્પને ડિસ્ટર્બ કરવા માટે જોરશોરથી ઉઠાવવામાં આવી હતી. પરંતુ, આ નેગેટિવ પબ્લિસિટીએ દિનેશ નાવડીયા માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જ્યું છે.

April 19, 2019
votingsign.jpg
1min7610

ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.

મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.

અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.

QSR બ્રાન્ડ મેક્‌ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.