ભારતીય તીરંદાજોએ ફ્લાઇટ મોડી થતાં વર્લ્ડ કપ ગુમાવવો પડ્યો!
તીરંદાજીના વર્લ્ડ કપ માટે કૉલમ્બિયા જવા તૈયાર થયેલી ભારતના ૨૩ તીરંદાજોની ટીમ વિમાન મોડું થવાને કારણે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટેની મુદત ચૂકી ગઈ હતી. એ સાથે, વિશ્ર્વકપમાં ભાગ લેવાનું તેમનું સપનું રોળાઈ ગયું હતું.
સિનિયર રિકર્વ અને કમ્પાઉન્ડ ટીમોએ શનિવારે સવારે દિલ્હીથી ઍમ્સ્ટરડેમ જતી રૉયલ ડચ ઍરલાઇનની ફ્લાઇટ (કેએલએમ ૮૭૨)માં બેસવાનું હતું, પરંતુ ‘કામકાજને લગતા મુદ્દાઓને કારણે’ એ ફ્લાઇટ બે કલાક ત્રેપન મિનિટ મોડી થઈ હતી. ઍમ્સ્ટરડેમ ઍરપોર્ટ પર પહોંચવા માટે તેઓ વધુમાં વધુ સવા કલાક મોડા આવત તો ચાલી જાત, પરંતુ ફ્લાઇટ લગભગ ત્રણ કલાક મોડી થઈ હતી. તેઓ સમયસર ઍમ્સ્ટરડેમ પહોંચી ગયા હોત તો ત્યાંથી બોગોટાની ફ્લાઇટમાં બેસીને કૉલમ્બિયાના મેડેલિન ખાતે પહોંચ્યા હોત, પણ તેમનો એ પ્રવાસ રદ થયો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now