CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 44 of 53 - CIA Live

February 3, 2019
rajniti.jpg
1min12370

મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની બેઠકો પર લોકસભાની ચૂંટણીમાં ભાજપાને નુકસાનની ભીંતિ હતી પણ ચૂંટણી પહેલા જ કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસ છોડી દેતા ભાજપાને સીધો ફાયદો દેખાય રહ્યો છે

2014માં કેન્દ્રમાં સરકાર રચ્યા પછી ભાજપાની રાજનીતિમાં એક મહત્વનો ટર્ન જોવા મળ્યો. ભાજપાએ ખાસ કરીને ગુજરાતમાં એવી રાજનીતિ રમી કે જેનાથી રાજ્યમાં જ્યાં જ્યાં ભાજપાની પકડ ઢીલી હતી, એવા વિસ્તારો કે જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાથી લઇને એમ.પી. સુધીની બેઠકો પર ભાજપાનો પરાજય થઇ શકે એવા વિસ્તારોમાં મજબૂત કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસને જ રામ રામ કરી દીધા છે. એક સમયે ભાજપાને ભાંડવામાં કશું બાકી નહીં રાખનાર એક સમયના મહેસાણાના કોંગ્રેસી સાંસદ જીવાભાઇ પટેલ, રાજકોટના કુંવરજી બાવડીયા હોય કે પછી ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર હોય અને છેલ્લે સાબરકાંઠાના ડો. આશાબેન પટેલ હોય, આ તમામ કોંગ્રેસ પાર્ટીને એક સમયના સ્ટ્રોંગ ગ્રાઉન્ડ ધરાવતા નેતાઓ આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે. ખાસ કરીને ભાજપાએ મિશન નોર્થ ગુજરાત અભિયાન ચલાવ્યે રાખ્યું, પડદા પાછળ રહીને ભાજપાની રાષ્ટ્રીય નેતાગીરીએ એવો ખેલ પાડ્યો કે નોર્થ ગુજરાતની પાંચ લોકસભા બેઠકો કે જ્યાં ભાજપાને 2019માં મોટી હારનો સામનો કરવો પડે તેમ હતો, એ નુકસાન ખાળવા માટેના ભાજપે કરેલા પ્રયાસો ફળદાયી નિવડ્યા હોવાનું ફલિત થઇ રહ્યું છે.

  • એક સમયના પાક્કા કોંગ્રેસીઓ આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે
  • મહેસાણાના પૂર્વ એમ.પી. જીવાભાઇ પટેલ
  • રાજકોટના કુંવરજી બાવડીયા
  • ધારાસભ્ય ડો.આશાબેન પટેલ

ગુજરાત વિધાન-સભાની ગત ચૂંટણીમાં ભાજપને ખાસ કરીને ઉતર ગુજરાતની મોટાભાગની બેઠકો પર પાટીદાર નેતાઓ અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની કારણે નુકસાન વેઠવું પડ્યું હતું, પરંતુ લોકસભા 2019ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો પર આવા નુકસાન ખાળવા માટે મિશન નોર્થ ગુજરાત શરૂ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની પૂર્વ સાસંદ જીવાભાઇ પટેલથી શરૂ કરીને વાયા ડૉ. આશાબેન પટેલ થઇને આ મિશનમાં પાંચેય બેઠક સર કરવા માટે ઠાકોર નેતા અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના બે થી ત્રણ સાથીદાર ધારાસભ્યને પણ ભાજપનો કેસરિયો પહેરાવા માટેની રણનીતિ ઘડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના બે થી ત્રણ સાથીદાર ધારાસભ્યને પણ ભાજપનો કેસરિયો પહેરાવા માટેની રણનીતિ

દરમિયાન મહેસાણાનાં પટેલ સમાજનાં નેતા જીવા પટેલ પણ હાલ ભાજપમાં જોડાયા છે. તેઓ ગત ચૂંટણીમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની સામે લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. હવે ઉત્તર ગુજરાતનાં બીજા પટેલ નેતા પણ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. દરમિયાન એક તરફ જ્યાં કૉંગ્રેસ ગુજરાતમાં સબ સલામતનાં દાવા કરે છે અને બીજી તરફ તેમનાં ધારાસભ્યો પક્ષથી નારાજ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ચર્ચા એવી પણ છે કે આશાબહેન ઉપરાંત પણ અનેક ધારાસભ્યો ભાજપ તરફ ઢળી રહ્યા હોવાનું કહેવાય છે.

ઉત્તર ગુજરાતમાં પાંચ લોકસભા બેઠકો આવે છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. દરમિયાન ઊંઝા મતવિસ્તાર મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આવે છે, જેમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. દરમિયાન આ સાત બેઠકોમાંથી કડી, મહેસાણા, વિસનગર અને વિજાપુર ભાજપ પાસે છે જ્યારે ત્રણ બેઠકો-ઊંઝા, માણસા અને બેચરાજી કૉંગ્રેસ પાસે છે. દરમિયાન હવે ઊંઝાનાં કૉંગ્રેસનાં ધારસભ્ય ડૉ. આશાબેન પટેલે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતમાં કુલ 32 વિધાનસભા બેઠકો છે તેમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો પર કૉંગ્રેસ જીત્યું છે અને 15 બેઠકો પર ભાજપ જીત્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં આ પરિબળો મિશન 26 જાળવવામાં ગાબડું પાડી શકે છે.

ભાજપાની રાજનીતિ સામે કોંગ્રેસ વિવશ

ડૉ. આશાબેન પટેલ પર વિશ્ર્વાસ મૂકી વિધાનસભાની ટિકિટ આપી હતી, પ્રજાએ તેમને કૉંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા હતા. કાલ સુધી તેમની કોઇ નારાજગી સામે આવી નહોતી, પરંતુ રાતોરાત શું રંધાયું તે આગામી સમય બતાવશે એવું જણાવીને કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા કૉંગ્રેસના ધારાસભ્યોને ડરાવી-ધમકાવી અને લાલચ આપીને તોડવાના પ્રયાસો થઇ રહ્યા છે. ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને બદનામ કરવાના પ્રયાસો કરે છે. ભાજપની આ નીતિ આવનારા સમયમાં ખુલ્લી પડશે. તા.1લી ફેબ્રુઆરી 2019ના રોજ શુકવારે કૉંગ્રેસ પ્રદેશ સમિતિની ઑફિસમાં કૉંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોની યોજાયેલી બેઠકમાં આશાબેન પટેલ પણ હાજર હતા. તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી, પરંતુ તેમની વાત કે રજૂઆત પરથી ક્યાંય કોઇ નારાજગી સામે આવી નહોતી. રાતો રાત શું રંધાયું તેની જાણ નથી. તે આવનારો સમય જ બતાવશે. તેમણે કહ્યું કે, પક્ષે તેમની પર વિશ્ર્વાસ મૂકી વિધાનસભાની ટિકિટ આપી હતી. પ્રજાએ તેમને કૉંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા હતા. જોકે, તેમણે આ નિર્ણય લેતાં પહેલાં ત્યાંની પ્રજા કે પક્ષ સાથે કોઇ વાતચીત કરી નહોતી. કદાચ તેમણે વ્યક્તિગત હિતો માટે આ નિર્ણય લીધો હશે. આશાબેનના આંતરિક વિખવાદ અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામેના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં તમામ ધારાસભ્યોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. તેમના સ્થાનિક પ્રશ્ર્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વની વાત છે તો તેમનું નેતૃત્વ મજબૂત અને સર્વસ્વિકૃત છે. વ્યક્તિગત લાભ માટે નિર્ણય લઇ રાષ્ટ્રીય નેતૃત્વ પર આક્ષેપ કરવો યોગ્ય નથી.

February 1, 2019
modi_budget.jpg
1min7690

ચૂંટણી પછીનું બજેટ દેશને વિકાસના પથ પર લઈ જશે : બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાન મોદીએ આપી પ્રતિક્રિયા

વડાપ્રધાને આપી બજેટ પર પ્રતિક્રિયા

આજે સંસદ ભવનમાં હંગામી નાણાં મંત્રી પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું આ બજેટમાં તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને ટેક્સમાં મળેલી છૂટ માટે વધાઇ આપું છું. લાંબા સમયથી માંગણી હતી કે પાંચ લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવતા એ આજે સંતોષવામાં આવી છે. ભારતના લોકો આજે ખુશીઓ મનાવી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ બજેટ તો માત્ર ટ્રેઈલર છે. ચૂંટણી પછી રિલીઝ થનારું પૂર્ણ બજેટ દેશને વિકાસના પથ પર લઈ જશે. અમે આ બજેટમાં મધ્યવર્ગથી લઈને ખેડૂતો, વેપારીઓ, MSME સેક્ટર તમામનું ધ્યાન રાખ્યું છે.

PMએ કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી આપતા કહ્યું કે પહેલા 2 થી 3 કરોડ ખેડૂતોને જ સરકારી યોજનાઓનો લાભ મળતો હતો પરંતુ આ યોજનાઓનો લાભ દેશના બાર કરોડ ખેડૂતોને મળશે.

January 30, 2019
shankar-1.jpg
1min4950

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઑફ આર્ટ્સમાં અનુ સ્નાતક થયેલા બાપુએ વર્ષ 1964માં આરએસએસ અને ત્યાર બાદ 1969માં ભારતીય જનસંઘ (ભાજપ)માં જોડાયા હતા. શંકરસિંહ વાઘેલા 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચ વાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમ જ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમ જ 13મી વિધાનસભામાં નેતા વિપક્ષની જવાબદારી પણ સંભાળી હતી. 1996માં ભાજપમાં બળવો કર્યો બાદ શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ બાપુએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં બળવો કર્યો હતો. ત્યાર બાદ તેમણે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જનવિકલ્પ પાર્ટી બનાવી 100 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઊતાર્યા હતા, પરંતુ એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. જોકે હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે શંકરસિંહ એનસીપીમાં જોડાઈ ગયા છે.

January 24, 2019
shankar-1.jpg
1min5570

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના કદાવર નેતા એવા શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાશે.

કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા હવે NCPમાં જોડાશે
હવે ‘ઘડિયાળના કાંટે’ ચાલશે બાપુ

પહેલા ભાજપ, પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જનવિકલ્પ મોરચો અને હવે શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના કદાવર નેતા એવા શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બાપુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. બાદમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ મોરચાની રચના કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ આ મોરચો ખાસ કંઈ કમાલ કરી શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં હોવા દરમિયાન શંકરસિંહ વાઘેલા અને પક્ષના નેતાઓ વચ્ચે વારંવાર મતભેદ સામે આવતા હતા. બાદમાં બાપુએ હાથનો સાથ છોડી દીધો હતો.

ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા એનસીપી પણ ગુજરાતમાં પોતાનો પગ મજબૂત કરવા બાપુનો સાથ લઈ રહી છે. જો કે ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાનું વજન હજીય કેટલું પડે છે તે આગામી ચૂંટણીમાં જાણી શકાશે.

January 23, 2019
priyanka.jpg
1min6330

કૉંગ્રેસ સંગઠનમાં પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ છે. પ્રિયંકા ગાંધી કૉંગ્રેસના મહાસચિવ બન્યા છે.

પ્રિયંકા ગાંધીની સક્રીય રાજકારણમાં એન્ટ્રી

ચૂંટણી પહેલા કૉંગ્રેસે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. પ્રિયંકા ગાંધીએ આખરે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા કૉંગ્રેસના મહાસચિવ બન્યા છે. પહેલી વાર પ્રિયંકા ગાંધીને સક્રીય જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો કાર્યભાર મળ્યો છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસની નબળી કડી રહ્યું છે, જો કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ મજબૂત છે. જેને જોતા પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. સિંધિયા પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળશે.

ભાજપના કૉંગ્રેસ પર પ્રહાર

પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી  પર ભાજપે કૉંગ્રેસને ઘેર્યું છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કૉંગ્રેસ પર પ્રહારો કરતા તેને એક જ પરિવારની પાર્ટી બતાવી. સંબિત પાત્રાએ કહ્યું કે પ્રિયંકા ગાંધીની મહાસચિવના પદ પર નિયુક્તિ એ બતાવે છે કે કૉંગ્રેસ એક જ પરિવારની પાર્ટી છે.

એટલું જ નહીં, રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, પ્રિયંકા ગાંધીની નિયુક્તિ એ વાતને દર્શાવે છે કે રાહુલ ગાંધીની અસફળતાને સાર્વજતિક રૂપથી સ્વીકારી લીધી છે. મહાગઠબંધને અસ્વીકાર કર્યા બાદ કૉંગ્રેસને ઘરના સહારાની જરૂર પડી છે.

January 21, 2019
mosmi-1280x622.jpg
1min11660
  • ભાજપાની જાણ બહાર કોંગ્રેસી ઉમેશ મહેતાએ ફિલ્મ અભિનેત્રી મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સ યોજી દીધી
  • ભાજપાના નેતાઓના ફોટાનું 20 ફૂટનું તોતિંગ બેનર છપાવી દીધું, મૌસમી ચેટરજીના કાર્યક્રમથી ભાજપા બિલકુલ અજાણ
  • ભાજપાના નામે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસી નેતા ઉમેશ મહેતા મંચ પર ચઢી બેઠા

આજે શહેરના તાજ ગેટવે ખાતે પીઢ ફિલ્મ અભિનેત્રી મૂળ બંગાળની વતની મૌસમી ચૈટરજી સુરત આવ્યા હતા. મૌસમી ચૈટરજી આમ તો કોંગ્રેસની ટિકીટ પરથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે, થોડા સમયથી ભાજપામાં જોડાયા છે અને પોતાને નરેન્દ્ર મોદીના ફેન ગણાવે છે. મૌસમી ચૈટરજીની એક પ્રેસ કોન્ફરન્સ તાજ ગેટવે હોટેલ ખાતે રાખવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા, મદનસિંહ અટોદરીયા અને પીવીએસ શર્મા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ, તેમને ખબર ન હતી કે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું હતું. તેઓ ફક્ત મૌસમી ચૈટરજી નેશનલ બીજેપી લિડર હોઇ, પ્રોટોકોલ સંભાળવા માટે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા.

આ પ્રેસ કોન્ફરન્સનો મંચ ભાજપાનો હોય તેવું દર્શાવવા માટે 20 ફૂટનું તોતિંગ હોર્ડિંગ લગાડવામાં આવ્યું હતું જેમાં મોદી, અમિત શાહ તેમજ સુરત બીજેપી પ્રમુખ નીતિન ભજીયાવાળાના ફોટા છપાવાયા હતા. પત્રકારોને પહેલા તો એમ લાગ્યું કે મૌસમી ચૈટરજીની પ્રેસકોન્ફરન્સનું આયોજન સુરત બીજેપી એ કર્યું છે. પરંતુ, બાદમાં શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળાએ સાફ ઇન્કાર કરી દેતા એ વાતને સમર્થન મળ્યું કે કોંગ્રેસી નેતા ઉમેશ મહેતાએ આ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

મૌસમી ચૈટરજીએ બફાટની હદ વટાવી દીધી

ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી મૌસમી ચૈટરજી પ્રેસ કોન્ફરન્સના નિર્ધારિત સમયથી ખૂબ લેટ આવ્યા. આવ્યા ને તરત જ તેમણે ટીશર્ટ અને પેન્ટ એટલે કે વેસ્ટર્ન ડ્રેસ પરિધાન કરીને એન્કરિંગ કરી રહેલી એક યુવતિને મંચ પર માઇકમાં બોલીને કહી દીધું કે હવે પછી જ્યારે પબ્લિક ફંકશનમાં આવો ત્યારે ઇન્ડિયન ડ્રેસ પરિધાન કરીને આવો. ઇન્ડિયન ડ્રેસમાં શું શું આવે એની પણ વણજોઇતી સલાહ મૌસમી ચૈટરજીએ એન્કર યુવતિને આપી દીધી હતી. એક ફિલ્મ સ્ટાર આટલી સંકુચિત માનસિક્તા ધરાવતા હોય છે એ જાણીને હોલમાં ઉપસ્થિત તમામને આશ્ચર્ય થયું હતું.

એન્કરિંગ યુવતિના વેસ્ટર્ન ડ્રેસ સામે મૌસમી ચૈટરજીને વાંધો પડ્યો

મૌસમી ચૈટરજીને ફક્ત એટલી જ માહિતી હતી કે તેઓ મોદીના ફેન છે એટલે કે મોદી ભક્ત છે એ સિવાય છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ કયા પાંચ કામ સારા કર્યા એ ગણાવવાનું કહેવામાં આવતા તેઓ પૂરા પાંચ કામ ગણાવી શક્યા ન હતા અને તેમણે મંચ પરના નેતાઓ પાસેથી જાણવાની કોશિસ કરી હતી. પશ્ચિમ બંગાળના હોવા છતાં પશ્ચિમ બંગાળની રાજનિતીથી તેઓ વાકેફ ન હતા. તેમણે મંચ પર એ વાત કહેવામાં ખાસ્સો સમય લીધો કે એક વખત તેઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘરે ગયા હતા અને તેમને તાત્કાલિક મળવાની એપોઇન્ટમેન્ટ મળી ગઇ હતી. હકીકતમાં મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા મૌસમી ચૈટરજીને એ વાતની ખબર જ ન હતી કે તેઓ શું બોલી રહ્યા છે. વડાપ્રધાન મોદી માટે અલંકારિક ભાષામાં વાત કરી રહેલા મૌસમી ચૈટરજીને એવો સવાલ કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદીની બહું વાત કરી રહ્યા છો તે તેમનું મૂળ વતન અને જન્મ સ્થળ કયું છે તેની ખબર છે ત્યારે તેઓ પાસે કોઇ જવાબ ન હોવાથી ભાજપાની ફજેતી થઇ રહ્યાનું જણાતા ભાજપાના નેતા પીવીએસ શર્માએ દરમિયાનગીરી કરીને પ્રેસકોન્ફરન્સને પૂર્ણ થયેલી જાહેર કરી દેવી પડી હતી.

કોંગ્રેસી ઉમેશ મહેતાએ દેવ એડવર્ટાઇઝિંગને પીસીનું કામ સોંપ્યુ હતુ

કોંગ્રેસી નેતા ઉમેશ મહેતા આમ તો બીજા અનેક કારણોસર સુરતમાં બદનામ છે પણ અહીં તેમણે આજે ભાજપાનું નામ વટાવીને ભાજપાની કહેવાતી નેશનલ લિડર ફિલ્મ અભિનેત્રી મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સ યોજી દીધી હતી. ઉમેશ મહેતાએ અડાજણની એક સંસ્થાને તાજ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કામ સોંપ્યું હતું. જેમાં 20 ફૂટનું તોતિંગ બેનર પ્રિન્ટ કરાવાયું હતું. આ બેનરમાં ભાજપાનો લોગો, ભાજપાના નેતાઓના ફોટાનો ઉપયોગ કરીને જાણે પ્રેસ કોન્ફરન્સ ભાજપાની જ હોય એ રીતે તામઝામ કરવામાં આવ્યા હતા. જોકે, ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાળાએ સાફ કહ્યું હતું કે તેઓ ફક્ત મૌસમી ચૈટરજી ભાજપાના નેતા હોઇ, પ્રોટોકોલ જળવાય તે માટે આવ્યા હતા.

January 19, 2019
PHOTO-WITH-MODI.jpg
1min12920

ગાંધીનગરમાં ચાલી રહેલી ગ્લોબલ સમિટમાં ટેક્નોલોજીની મદદથી વડા પ્રધાન મોદી સાથે પોતાનો ફોટો જોડવા માટે લાંબી કતારો લાગી રહી છે

  • મોદી સાથેનો ફોટો પડાવતા લોકોએ આપેલા કારણો હેરત પમાડે તેવા છે
  • મોદી સાથેનો ફોટો એટલે વટ પડે, સોશ્યલ મિડીયામાં મૂકીશ
  • રેસ્ટોરેન્ટમાં મફતીયા સરકારી મહેમાનોને બંધ કરવા ફોટો મૂકી દઇશ
  • મોદી સાથે ફોટો હોવાને ગર્વ માનું છું
  • મોદીથી મોટી કોઇ બ્રાન્ડ છે, તો તેની સાથે ફોટો પડાવીશ
વાઈબ્રન્ટ સમિટઃમોદી સાથે પર્સનલી ફોટો પડાવવો છે, તો પહોંચી જાઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં
ટેક્નોલોજી દ્વારા પોતાનો ફોટો પીએમ મોદી સાથે જોડીને પ્રિન્ટ મેળવવા માટે મોટી કતારો લાગી રહી છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો કેટલી મોટી સંખ્યામાં છે અને તેમની સાથેના ફોટો માત્રથી સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ કેટલા માપમાં રહે છે તેની પ્રતીતિ કરવી હોય તો પહોંચી જાવ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં. અહીં ત્રણ એવા સ્ટોલ-બૂથ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ટેકનોલોજીની મદદથી નરેન્દ્ર મોદી સાથે જે તે વ્યક્તિનો ફોટો જોડીને પ્રિન્ટ આપવામાં આવે છે. આ પ્રકારે ફોટો મેળવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત 2019 શરૂ થયું ત્યારથી એમ.આઇ.ટી.ના સ્ટોલ પર કતારો લાગી રહી છે. ઉપરોક્ત તસ્વીરમાં એ જોઇ શકાય છે.

આમ સામાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પર્સનલી ફોટો પડાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. અને મોદી સાહેબનો મૂડ હોય તો આ શક્ય બને અન્યથા દિલ્હીના 50 ફેરા લાગી જાય પણ નરેન્દ્ર મોદી સાથે પર્સનલી ફોટો ન પણ પડે. પરંતુ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં એમ.આઇ.ટી.નામના એક સ્ટોલ પર મોદી સાથે જે તે વ્યક્તિનો ફોટો મૂકીને પ્રિન્ટ આપવામાં આવે છે. મોદી સાથે ફોટોની આ પ્રોડક્ટ ગરમાગરમ ભજીયાની જેમ વેચાઇ રહી છે. દેશી અને વિદેશી બન્ને લોકો એમઆઇટીના સ્ટોલ પર મોદી સાથે પોતાનો ફોટો જોડી દેવા માટે લાઇનો લગાડી રહ્યા છે.

ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર સંકુલમાં ત્રણ બૂથ ઊભાં કરવામાં આવ્યાં છે જ્યાં નરેન્દ્ર મોદી ન હોવા છતાં ટેક્નૉલૉજીની મદદથી જાણે કે તમે નરેન્દ્ર મોદી સાથે ઑફિસમાં ઊભા રહીને ફોટો પડાવતા હોય એમ ફોટો બનાવી આપવામાં આવે છે. આ બૂથો પર નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા લાઇનો લાગી હતી. મહિલાઓ અને વિદેશી મહેમાનો પણ નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા લાઇનમાં ઊભાં હતાં.

નરેન્દ્ર મોદીના ચાહકોએ જે મંતવ્યો આપ્યા એ પણ હેરત પમાડે તેવી છે, એક ચાહકે કહ્યું કે ‘તેઓ અમારા માનીતા નેતા છે. તેમની સાથે ફોટો પડાવવો એ અમારા માટે ગર્વની વાત છે. તેમના માટે અમને માન છે.’ એક ચાહકે કહ્યું કે તે રેસ્ટોરેન્ટના બિઝનેસમાં છે, પોલીસથી લઇને સરકારી ખાતાઓના એટલા બધા અધિકારી કર્મચારીઓ આવીને દમ મારીને મફતમાં નાસ્તો પાણી કરી જાય છે, કેટલાક પાર્સલ મંગાવે છે, મારા એક મિત્રએ કહ્યું કે મોદીનો ફોટો રાખ એટલે મોટા ભાગના મફતિયા બંધ થઇ જશે. હું મોદીનો ફોટો મૂકવાનું વિચારતો હતો ત્યાં વાઇબ્રન્ટમાં ફરતા ફરતા આ સ્ટોલ મળી આવ્યો હવે આ ફોટો જ કાઉન્ટર પર મૂકી દઇશ.

એક ચાહકે કહ્યું કે મોદી સાથેનો ફોટો એટલે વટ પડી જાય. હું સોશ્યલ મિડીયામાં મૂકીશ.

January 12, 2019
sp.jpg
1min14360

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત 

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને 38-38 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ માટે તેમની પરંપરાગત રાયબરેલી અને અમેઠીની બેઠક છોડી દેવામાં આવી છે.

માયાવતીએ કહ્યું કે જનહિત અને દેશભક્તિ માટે અમે 1995નો ગેસ્ટાહાઉસ કાંડ ભૂલાવી દીધો છે. લોકસભા અને વિધાનસભામાં ભાજપે બેઈમાની કરીને સરકાર બનાવી છે. બાદમાં અમે પેટાચૂંટણીથી જ ભાજપને રોકવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં તો કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. ત્યારથી જ ભાજપને રોકવા સપા-બસપા સાથે આવે તેવી ચર્ચા શરૂ થઈ હતી. દલિતો, પછાત, ગરીબો, અલ્પસંખ્યકોના હિતની ઉપેક્ષા થતા અમે ગેસ્ટહાઉસ કાંડ ભૂલીને ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

તો અખિલેશ યાદવે આ ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો. અખિલેશે કહ્યું કે જ્યારે ભાજપના નેતાઓએ માયાવતી માટે અશોભનીય કમેન્ટ કરી હતી ત્યારથી જ ગઠબંધન કરવાની ઈચ્છા હતી. ભાજપે આવું બોલનાર સામે પગલાં લેવાને બદલે મંત્રી બનાવીને ઈનામ આપ્યું. ત્યારથી જ ગઠબંધન નક્કી થઈ ગયું હતું. સાથે જ અખિલેશ યાદવે આ ગઠબંધન કાયમી રહેશે અને લાંબું ચાલવાનો પણ દાવો કર્યો છે.

January 11, 2019
sansad.jpeg
1min13900

સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું છે. અનેક કારણસર લોકસભા અને રાજ્યસભા અવારનવાર મુલતવી રહી હતી. લોકસભામાં ૪૭ ટકા કામકાજ થયું હતું, જયારે રાજયસભામાં કુલ ૨૭ ટકા કામકાજનું પ્રમાણ હતું, એમ સંસદીય બાબતોના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. સવર્ણો માટે અનામત બિલ બંને ગૃહમાં પસાર થયાને તેમણે વિશેષ સિદ્ધિ ગણાવી હતી.

થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના આંકડા પ્રમાણે સંસદના શિયાળુ સત્રમાં ૧૬મી લોકસભામાં ત્રીજું સૌથી ઓછું કામકાજ થયું છે. ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો બંને ગૃહમાં પસાર થયો તે પણ એક વિશેષ સિદ્ધિ છે જે આર્થિક નબળા વર્ગને ૧૦ ટકા અનામત પુરી પાડે છે. કરોડો ભારતીયોને આવરી લેતો ખરડો પસાર થયો તે ઐતિહાસિક ક્ષણ હતી એમ તેમણે કહ્યું હતું.

આ બિલને સમર્થન આપનાર તમામ પક્ષ અને સભ્યોનો આભાર માન્યો હતો. રાજ્યસભામાં પેન્ડિંગ બિલ ટ્રિપલ તલાક ખરડો તથા નાગરિકત્વ સુધારા ખરડાના સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ બંને ખરડા પસાર કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે જે લોકસભામાં પસાર થઈ ગયા છે.

લોકસભામાં ૨૯ દિવસમાં ૧૭ બેઠક થઈ હતી, જયારે રાજ્યસભામાં ૩૦ દિવસમાં ફકત ૧૮ બેઠક થઈ હતી. સત્ર દરમિયાન લોકસભામાં ૧૨ બિલ અને રાજ્યસભામાં પાંચ બિલ રજૂ થયા હતા. તે પૈકી પાંચ ખરડા બંને ગૃહમાં પસાર થયા છે. ચાર પેન્ડિંગ બિલ રાજ્યસભામાં પાછા ખેંચાયા હતા, જેમાં નાલંદા યુનિવર્સિટી સુધારિત બિલ, ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલનો સમાવેશ છે.

January 9, 2019
modi.jpg
1min7530

૩૨૩ સામે માત્ર ૩ વોટ ખરડા વિરુદ્ધ, વિપક્ષી વિરોધ અને ટીકાઓ વચ્ચે આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા આરક્ષણનો ખરડો લોકસભામાં મંજૂર

સમાજવાદી પક્ષ સહિત કેટલાક વિપક્ષી સંસદસભ્યોના વિરોધ અને ટીકાઓ વચ્ચે જનરલ કૅટેગરીમાં આર્થિક પછાતવર્ગોને આરક્ષણની જોગવાઈ ધરાવતો ખરડો ગઈ કાલે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં ૩૨૩ સભ્યોએ ખરડાની તરફેણમાં અને ૩ સભ્યોએ ખરડાના વિરોધમાં મતદાન કર્યું હતું. ખરડાને સત્તાધારી પક્ષ ઉપરાંત અન્ય પક્ષોનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું. સોમવારે કેન્દ્રના પ્રધાનમંડળે બંધારણમાં ૧૨૪મા સુધારા માટેના ખરડાને બહાલી આપ્યા પછી ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે સામાજિક ન્યાય વિભાગના પ્રધાન ડૉ. થાવરચંદ ગેહલોતે એ ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો. બંધારણીય સુધારાનો ખરડો પસાર કરવા માટે ગૃહમાં ઓછામાં ઓછા પચાસ ટકા સભ્યોની હાજરી અને એમાંથી બે-તૃતીયાંશ સભ્યોનું સમર્થન અનિવાર્ય છે. AIADMK , BSP અને TMCએ ખામીઓ દર્શાવવા સાથે ખરડાને સમર્થન આપ્યું હતું. DMK સવર્ણોને આરક્ષણનો સૈદ્ધાંતિક વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો અને કૉંગ્રેસે આર્થિક પછાતવર્ગોને ૧૦ ટકા આરક્ષણના ખરડાનો વિરોધ કર્યો હતો.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે. આર્થિક પછાતવર્ગોને આરક્ષણના ખરડા વિશે કોણે શું કહ્યું?

શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક પછાતવર્ગોના નાગરિકોને ૧૦ ટકા આરક્ષણનો કેન્દ્રના પ્રધાનમંડળનો નર્ણિય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વેનો સ્ટન્ટ અને રાજકીય ચતુરાઈ છે. જોકે અમે સરકારના આ પરિપક્વતાનો અભાવ દર્શાવતા અધકચરા પગલાનું સ્વાગત કરીએ છીએ. ગ્થ્ભ્ની સરકારે આ નિર્ણય વહેલો લેવો જોઈતો હતો.

ભાજપની સરકાર અત્યંત બેદરકાર છે. આ સરકાર સાડાચાર વર્ષથી ઊંઘતી હતી અને હવે અચાનક જાગી છે. સંસદમાં ખરડો પસાર ન કરાય તો ખરેખર આર્થિક પછાતવર્ગોને આરક્ષણ આપવાનો આ સરકારનો કોઈ નિષ્ઠાપૂર્વકનો ઇરાદો નથી. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ધબડકો થયા પછી ગ્થ્ભ્ને આ ખરડો લાવવાનું સૂઝ્યું છે.

આર્થિક પછાતવર્ગોના નાગરિકોને 10 ટકા આરક્ષણનો નર્ણિય ઐતિહાસિક છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની દિશામાં મહત્વનું પગલું છે. ગરીબ પેરન્ટ્સના સંતાન નરેન્દ્ર મોદી સમાજના ગરીબ વર્ગોનાં હિતો માટે આરક્ષણની જોગવાઈ કરીને એકવીસમી સદીના આંબેડકર બન્યા છે.

અફઘાનિસ્તાન, બંગલા દેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, સિખ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો માટે ભારતની નાગરિકતાનો માર્ગ મોકળો કરતા સિટિઝનશિપ બિલને ગઈ કાલે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ તેમ જ વ્યક્તિઓ, ગુનેગારો કે ગુનાનો ભોગ બનેલાઓ કે ગુમ થયેલી વ્યક્તિઓને ઓળખવા માટે Dફ્ખ્ ટેક્નૉલૉજીના વપરાશની છૂટ આપતો ખરડો અને ટ્રેડ યુનિયન્સને કાનૂની માન્યતા સંબંધી ટ્રેડ યુનિયન્સ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ રજૂ કરવામાં આવ્યાં હતાં.