ભાજપ 25 -શિવસેના 23 બેઠકો પર સમાધાન: લોકસભા માટે ભાજપ શિવસેના વચ્ચે યુતિ
ભાજપ 25 અને શિવસેના 23 લોકસભા બેઠકો ઉપરથી લડશે : વિધાનસભામાં એકસમાન બેઠક ઉપર લડવા સમજૂતિ
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી આવતી ગરમાગરમી ઉપર પૂર્ણવિરામ મુકાયું છે અને બન્ને પક્ષોએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધન અને બેઠકોની વહેચણી મુદ્દે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એલાન કરવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રની લોકસભાની 48 બેઠકોમાંથી ભાજપ 25 અને શિવસેના 23 બેઠક ઉપરથી લડશે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી એકસમાન બેઠકો ઉપરથી લડવામાં આવશે. બેઠક બાદ શાહે દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 45 બેઠકો ઉપર ભાજપ-શિવસેનાના ગઠબંધનને જીત મળશે. શિવસેના અને ભાજપના આ એલાન બાદ હવે કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.
જયપુરથી મેંબઈ પહોંચેલા અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં અતિમહત્વની એક બેઠક યોજાઈ હતી
જયપુરથી મેંબઈ પહોંચેલા અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં અતિમહત્વની એક બેઠક યોજાઈ હતી. જેમાં બેઠકની વહેચણી, રામ મંદિર મુદ્દો, ખેડૂતોની મુશ્કેલીઓ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ અમિત શાહ, ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ એક સંયુક્ત પ્રત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે સમજૂતિ થઈ છે. ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદ છે પણ બન્નેના વિચાર એક છે. ચર્ચા દરમિયાન બેઠકની વહેંચણી પહેલા રામ મંદિરના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં શિવસેનાને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોના મુદ્દા ઉપર પણ યોગ્ય કામગીરી કરવાની ખાતરી શિવસેનાને આપવામાં આવી છે.
‘ફડણવીસે મહારાષ્ટ્રની લોકસભા બેઠકોનું’ ચિત્ર સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, આગામી લોકસભામાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ 25 બેઠક અને’ શિવસેના 23 બેઠક ઉપર લડશે. તેમજ વિધાનસભામાં બન્ને પક્ષ સરખી બેઠક ઉપરથી લડશે.’ અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અકાલી દલ અને શિવસેના ભાજપના જુના સાથી છે. ભાજપ અને શિવસેનાનો સિદ્ધાંત એક છે. બન્ને પક્ષ વચ્ચે જે મતભેદ હતો તે હવે દૂર થયો છે. આ સાથે અમિત શાહે દાવો કર્યો હતો કે લોકસભામાં 48 બેઠકોમાંથી 45 ઉપર ભાજપ અને શિવસેના જીત મેળવશે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અમારા મન સાફ છે. ભાજપ અને શિવસેના વચ્ચે હિન્દૂત્વ અને રામ મંદિર મુદ્દે ગઠબંધન થયું હતું. વર્તમાન સમયમાં જો બન્ને પક્ષો અંદરોઅંદર લડશે તો જેની સામે 50 વર્ષથી લડી રહ્યા છે તેઓના હાથમાં સત્તા પહોંચી જશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now