CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 38 of 53 - CIA Live

May 25, 2019
modi111.jpg
1min12760

લોકસભાની ચૂંટણીમાં ઝળહળતા વિજય બાદ ભાજપાએ કેન્દ્રમાં NDA એ નવી સરકાર રચવાના ભાગરૂપે તા.25મી મે ને શનિવારે દિલ્હીમાં સંસદીય દળની બેઠક યોજી હતી.

આ બેઠકમાં એન.ડી.એ.ના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની ઔપચારિક દરખાસ્ત રજૂ કરી હતી. અમિત શાહની દરખાસ્તને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ સમર્થન જાહેર કર્યું હતું.

બાદમાં પ્રકાશ સિંહ બાદલે સંસદીય દળના નેતા તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ રજૂ કર્યું, જેને એનડીએના તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું.

નરેન્દ્ર મોદીને પહેલેથી જ NDAના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સંસદીય દળની બેઠક બાદ શનિવાર તા.25મી મે 2019ની રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 303 સીટ જીતી છે જયારે NDAના તમામ ઘટક પક્ષોએ મળીને કુલ 353 બેઠકો કબજે કરી લીધી છે.

સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ,લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અભિનેતાથી નેતા બનવા વાળા સની દેઓલ,કિરણ ખેર, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી,ઉપ મુખ્યમંત્રીગણ હાજર રહ્યા હતા. સાથે સાથે NDAના સહયોગી દળના નેતા નીતિશ કુમાર,સુખબીર સિંહ બાદલ,ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાન પણ હાજર છે.

બેઠકમાં નીતિન ગડકરી,સુષ્મા સ્વરાજ,મેનકા ગાંધી અને યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીતના નેતાઓ હાજર છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ નવી સરકાર રચવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ પહેલા સાંજે સાત વાગે એનડીએના નેતા રાષ્ટ્રપતિ  કોવિંદને મળશે.

May 25, 2019
nota.jpg
1min4780

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2014ની જેમ ફરી 2019ની લોકસભાની ચૂંટણીઓમાં પણ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આ લોકસભા ચૂંટણીઓમાં મુખ્ય ચાર શહેર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં નોટામાં વધુ મત પડ્યા હતા.

ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 3,96,570 મત નોટામાં પડ્યા હતા. ગુજરાતના આદિવાસી વિસ્તાર ધરાવતા બારડોલીમાં-22914, છોટાઉદેપુર-32868, દાહોદ-30987 અને વલસાડમાં 19307 મળીને કુલ 106076 મત નોટામાં પડ્યા હતા.

ચાર મુખ્ય શહેર અમદાવાદ પૂર્વમાં-8813, અમદાવાદ પશ્ર્ચિમ- 14719, રાજકોટ-18318, સુરત-10532 અને વડોદરા-16796 મળી કુલ 69178 મત નોટામાં પડ્યા હતા. ચાર મુખ્ય શહેરો અને આદિવાસી વિસ્તાર સિવાય ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં 14,214 મત નોટામાં પડ્યા હતા. જ્યારે ભાજપના નવનિર્વાચીન સાંસદ અમિત શાહને 8,88,210 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડો. સી. જે. ચાવડાને 3,33,642 મત મળ્યા હતા.

May 24, 2019
modi_vic.jpg
1min6680

અમિત શાહે કહ્યું કે ચંડિગઢ,હિમાચલ પ્રદેશ, કર્ણાટક,ઉત્તરાખંડ સહિત દેશનાં 17 રાજ્યોમાં ભાજપને 50ટકાથી વધુ મત મળ્યા છે. અને દેશનાં 17 રાજ્યમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

શાહે આ વિજયને, ‘ટુકડે ટુકેડ ગૅંગની વિચારધારા વિરુદ્ધ સબ કા સાથ સબ કા વિકાસની વિચારધારાનો વિજય’ ગણાવ્યો. અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર મળેલા વિજય બદલ ગાંધીનગરની જનતાનો આભાર માન્યો હતો. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશ બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “દેશના કરોડો લોકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.”

મોદીએ કહ્યું, “આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે. તેમણે કહ્યું કે 40-42 ડિગ્રી ગરમી છતાંય આટલા મોટા પ્રમાણમાં મતદાન થવું એ ભારતની લોકશાહીની સિદ્ધિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “2014થી 2019 સુધીમાં સેક્યુલરિઝમની જમાતે બોલવાનું બંધ કરી દીધું. આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ સેક્યુલરિઝમનું મુખોટું પહેરીને નાગરિકોને ગુમરાહ નથી કરી શક્યો

May 22, 2019
amit.jpg
1min12080

ભાજપના પ્રમુખ અમિત શાહ દ્વારા આયોજિત ડિનરમાં એનડીએના તમામ પક્ષોના નેતાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આરંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પુષ્પગુચ્છ આપી અમિત શાહે સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ સાથી પક્ષોના નેતાઓએ ફૂલોનો હાર પહેરાવ્યો હતો અને શૉલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. ડિનર પાર્ટીમાં હાજર રહેલા ડઝન જેટલા સાથી પક્ષોના નેતાઓમાં મહારાષ્ટ્ર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર, લોકજનશક્તિના રામવિલાસ પાસવાન અને અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલનો સમાવેશ થતો હતો.

એનડીએના ટોચના નેતાઓ મોદી સાથે મંચ પર બેઠા હતા. મોદીની એક બાજુએ અમિત શાહ તો બીજી બાજુએ પ્રકાશસિંહ બાદલ બેઠા હતા. મોદી સાથે મંચ પર બિરાજમાન અન્ય નેતાઓમાં નીતિશકુમાર, ઉદ્ધવ ઠાકરે, રાજનાથસિંહ, અરુણ જેટલી, જે. પી. નડ્ડા, પ્રકાશ જાવડેકર વગેરેનો સમાવેશ થતો હતો.

આ અગાઉ કેદ્રિય પ્રધાનમંડળની બેઠક ભાજપના મુખ્યાલયમાં મળી હતી. આ બેઠક બાદ વધુ એક બેઠક મળી હતી જેમાં અમિત શાહે ઉપસ્તિત તમામ પ્રધાનોનો રાષ્ટ્ર માટે આપેલી સેવા બદલ આભાર માન્યો હતો. મોટાભાગના ઍક્ઝિટ પૉલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી હોવા વચ્ચે 23મી મેએ જાહેર થનારાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો અગાઉ યોજવામાં આવેલી આ બેઠકને મહત્ત્વની માનવામાં આવે છે.

મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચારને એમ કહીને યાત્રા સાથે જોડી હતી કે આ ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા અલગ હતી કેમ કે માત્ર પક્ષ નહીં દેશની જનતા આ ચૂંટણી લડી હતી.  તેમણે કહ્યું હતું કે મેં અનેક ચૂંટણીઓ જોઈ છે, પરંતુ આ ચૂંટણી રાજકારણ કરતા વિશેષ હતી.

આ ચૂંટણી માટે હું જ્યારે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે મને એમ લાગી રહ્યું હતું કે જાણે હું યાત્રા કરી રહ્યો છું, એમ મોદીએ કહ્યું હતું.

May 18, 2019
voting111.jpg
1min7690

છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શુક્રવારે શમી ગયા હતા.

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ૫૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. રવિવારે સાતમા તબક્કામાં પંજાબમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૩, પ. બંગાળમાં નવ, બિહાર અને મધ્ય પ્રદેશ પ્રત્યેકમાં આઠ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઝારખંડમાં ચાર અને છત્તીસગઢમાં એક બેઠક માટે મતદાન થશે. માર્ચ મહિનામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના થયેલા મૃત્યુ બાદ પણજીમાં પણ પેટાચૂંટણી યોજવાનું જરૂરી બન્યું હતું.

અમિત શાહના રૉડ શો દરમિયાન ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચૂંટણી પંચના આદેશને પગલે પ. બંગાળમાં ચૂંટણીપ્રચાર નિર્ધારિત સમય કરતા ૨૦ કલાક વહેલો થંભી ગયો હતો.

મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પાર પડે તે માટે પૂરતી સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાજપના પ્રમુખ અમિત શાહે દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પ્રારંભિક ટિપ્પણી કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એક પણ સવાલનો જવાબ નહોતો આપ્યો.

અમતિ શાહે ભાજપ સરકારની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

May 17, 2019
modi_pragya.jpg
1min14490

મધ્યપ્રદેશમાં ભોપાલથી કોંગ્રેસના દિગ્વીજય સામે ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાના એલફેલ નિવેદનોને પગલે ભાજપા સમેત વડાપ્રધાન મોદીએ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવાર તા.17મીએ બપોરે જાહેર નિવેદનમાં કહ્યું હતું કે તેઓ જીવનભર સાધ્વી પ્રજ્ઞાને તેમના ગોડસે અંગેના નિવેદન બદલ માફ નહીં કરી શકે. ભાજપાએ નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવેદનને ટ્વીટ કર્યું હતું.

એ પછી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગોડસે અંગે નિવેદનો કરનાર ભાજપાના ત્રણેય નેતાઓના કેસને શિસ્ત સમિતિ સુધી મોકલી આપવામાં આવ્યા છે. કોઇપણ નેતા હોય જો ગુનેગાર જણાશે તો ભાજપા તેની સામે પગલાં ભરવામાં કચાશ નહીં રાખે.

ભોપાલથી ભાજપાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે સંબંધિત આપેલા નિવેદન બાદ પાર્ટી પોતાને આ નિવેદનથી અલગ જણાવી રહી છે. ભાજપાના જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન સાથે સહમત નથી. અમે આ નિવેદનની ટીકા કરીએ છીએ. રાવે કહ્યું કે પાર્ટી તેઓને (સાધ્વી પ્રજ્ઞા) આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવાનું કહેશે. જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા. દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.

May 12, 2019
voting.jpg
1min5580

સાત રાજ્યોમાં મેનકા, અખિલેશ સહિતનાં 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું આવતીકાલે 12મી મેનાં 7 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. જેમાં 10.16 કરોડ મતદાતા કુલ 797 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં ત્રિપુરાની 1 બેઠક ‘િત્રપુરા પશ્ચિમ’ માટે ફેરમતદાન કરવામાં આવશે. ત્રિપુરાની 29 વિધાનસભા બેઠક માટે 168 મતદાન કેન્દ્રો પર 11મી એપ્રિલનાં મતદાન થયું હતું. આ મતદાન રદ કરીને બીજીવાર કાલે
મતદાન થશે.
તા.12મી મે 2019ને આજે રવિવારે અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં સવારે 7ના ટકોરે મતદાન શરૂ થયું હતું.’
છઠ્ઠા તબક્કામાં આશરે 10 કરોડ 16 લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે’
શાંતિપૂર્ણરીતે’ મતદાન કરવા માટે એક લાખ 13 હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ 168 મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આજે રવિવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં 14 સીટ પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન નિર્વિધ્ને ચાલી રહ્યું છે.
બંગાળમાં આઠ સીટ પર મતદાન શરુ થયું છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું છે.
બે તબક્કામાં હવે કુલ 118 સીટ પર મતદાન બાકી છે. આજે રવિવારે દિવસે 59 સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ 542 સીટ પૈકી 483 સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
ત્યારબાદ 19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે.
હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર’ દિનેશ લાલ નિરહુઆનો સમાવેશ થાય છે.’
May 10, 2019
mahagathbandhan.jpg
1min5550

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે અંતિમ બે તબક્કા બાકી છે એવામાં જો ચૂંટણીના પરિણામો બાદ ભાજપને બહુમત માટે જરૂરી આંકડો ન મળે તો કેવી રીતે સરકાર બનાવવાનો દાવો રચી શકે આ માટે વિપક્ષી દળોએ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. લોકસભાની 2019ની ચૂંટણીમાં ઘણા બધા વિપક્ષી દળો ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. એવામાં રાજકીય પાર્ટીઓ વચ્ચે થઈ રહેલી મીટિંગ સૂચવે છે કે તેઓ એકબીજા સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

May 6, 2019
voting.jpg
1min5800

લોકસભાની ૫૧ બેઠક માટે પાંચમા તબક્કાનું મતદાન આજે સોમવારે સવારે 7 વાગ્યાથી શરુ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ જગ્યાઓ પરથી એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયાના અહેવાલો મળ્યા છે.

આજે યોજાઇ રહેલા મતદાનમાં સ્ટાર ઉમેદવારોમાં રાહુલ ગાંધી, રાજનાથસિંહ, રાજ્યવર્ધનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે.

સાત રાજ્યોમાં ૫૧ બેઠક માટે કુલ ૬૭૪ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. મોટાભાગની બેઠકો હિંદી બોલતા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે આમાંની મોટાભાગની બેઠકો જીતી હતી.

પાંચમા તબક્કાની ચૂંટણી માટે પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન થવાનું છે. પાંચમા તબક્કાની ચૂંટણી વખતે સૌનું ધ્યાન ખાસ તો ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલીની બેઠક માટે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની ટક્કર પર રહેશે. પાંચમા તબક્કામાં

૫૧ બેઠકનું વિભાજન આ પ્રમાણે છે –

બિહાર (પાંચ બેઠક),

જમ્મુ અને કાશ્મીર (બે બેઠક),

ઝારખંડ (ચાર બેઠક),

મધ્ય પ્રદેશ (સાત બેઠક),

રાજસ્થાન (૧૨ બેઠક),

ઉત્તર પ્રદેશ (૧૪ બેઠક) અને

પશ્ચિમ બંગાળ (સાત બેઠક).

આ માટેની મતગણતરી ૨૩મી મેને દિવસે કરવામાં આવશે.

કૉંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં ભાજપના સ્ટાર ઉમેદવાર તથા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સખત ટક્કર આપવાનો અંદાજ તથા કૉંગ્રેસ માટે અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે કપરા ચઢાણ હોવાનું, પણ રાયબરેલીમાં સરળતાથી જીત મેળવી શકવાનો અંદાજ જાહેર કરાયો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ સામે સ્મૃતિએ લીધેલી ટક્કરમાં રાહુલની જીતનું માર્જિન માંડ એક લાખની આસપાસ પહોંચ્યું હતું. આ વખતે એમાં શો ફેરફાર થાય છે એ પર સૌની નજર રહેશે.

રાજસ્થાનની ૧૨ લોકસભા બેઠક માટે ૧૩૪ ઉમેદવાર મેદાનમાં ઊતર્યા છે.

ઝારખંડની લોકસભાની ચાર બેઠક માટે ૬૧ ઉમેદવારે નામ નોંધાવ્યા છે અને રાજ્યના ૬૫ લાખ મતદારો એમના ભાગ્યનો ફેંસલો સોમવારે કરશે.

બિહારની પાંચ લોકસભાની બેઠક માટે ૮૨ ઉમેદવારે નામ નોંધાવ્યા છે. આ પાંચમાંથી હાજીપુર અને સારનની બેઠક અનુક્રમે રામવિલાસ પાસવાન અને લાલુપ્રસાદ યાદવના ગઢ ગણાય છે. આ પાંચ બેઠક માટે ૮૭.૫૦ લાખ મતદારો ૮૨ ઉમેદવારના ભાગ્યનો ફેંસલો કરશે.

May 2, 2019
political_parties.jpg
1min6320

રાજકીય પક્ષો તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચની જાહેરાત કરે તેને લગતી માર્ગદર્શિકાનો અમલ થાય તેની ખાતરી કરવાની તેમની સત્તા અંગે જાણકારી આપતું સોગંદનામું દાખલ કરવાનો દિલ્હી હાઈ કૉર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.

ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ એ. જે. ભામ્ભાનીએ સોગંદનામું રજૂ કરવાની ચૂંટણી પંચને છેલ્લી તક આપી હતી અને કહ્યું હતું કે જો ચૂંટણી પંચ એમ કરવામાં નિષ્ફળ જશે તો કૉર્ટ આદેશ બહાર પાડશે.

આ બાબત છેલ્લાં પાંચ વર્ષથી અનિર્ણિત પડી રહી હોવાની તેમ જ આ મામલે સોગંદનામું દાખલ કરવા ચૂંટણી પંચને ફેબ્રુઆરીમાં આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેમણે તેનો અમલ ન કર્યો હોવાની કૉર્ટે નોંધ લીધી હતી. અરજકર્તા એનજીઓ અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી કૉર્ટમાં હાજર રહેલા ઍડવોકેટ અરવિંદ નિગમે દલીલ કરી હતી કે રાજકીય પક્ષો આવકવેરાનું રિટર્ન ફાઈલ નથી કરતા, પરંતુ છૂટનો દાવો કરે છે માટે આ મામલે દરમિયાનગીરી કરવી જરૂરી છે.

આ મામલે આગામી સુનાવણી માટે 16 જુલાઈ મુકરર કરવામાં આવી છે.