ઑન્લી ડિનર, નૉ ડિપ્લોમસી એનડીએના ભોજન સમારંભમાં તમામ નેતાઓની હાજરી
ભાજપના પ્રમુખ અમિત શાહ દ્વારા આયોજિત ડિનરમાં એનડીએના તમામ પક્ષોના નેતાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આરંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પુષ્પગુચ્છ આપી અમિત શાહે સ્વાગત કર્યું હતું.
ત્યાર બાદ સાથી પક્ષોના નેતાઓએ ફૂલોનો હાર પહેરાવ્યો હતો અને શૉલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. ડિનર પાર્ટીમાં હાજર રહેલા ડઝન જેટલા સાથી પક્ષોના નેતાઓમાં મહારાષ્ટ્ર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર, લોકજનશક્તિના રામવિલાસ પાસવાન અને અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલનો સમાવેશ થતો હતો.
એનડીએના ટોચના નેતાઓ મોદી સાથે મંચ પર બેઠા હતા. મોદીની એક બાજુએ અમિત શાહ તો બીજી બાજુએ પ્રકાશસિંહ બાદલ બેઠા હતા. મોદી સાથે મંચ પર બિરાજમાન અન્ય નેતાઓમાં નીતિશકુમાર, ઉદ્ધવ ઠાકરે, રાજનાથસિંહ, અરુણ જેટલી, જે. પી. નડ્ડા, પ્રકાશ જાવડેકર વગેરેનો સમાવેશ થતો હતો.
આ અગાઉ કેદ્રિય પ્રધાનમંડળની બેઠક ભાજપના મુખ્યાલયમાં મળી હતી. આ બેઠક બાદ વધુ એક બેઠક મળી હતી જેમાં અમિત શાહે ઉપસ્તિત તમામ પ્રધાનોનો રાષ્ટ્ર માટે આપેલી સેવા બદલ આભાર માન્યો હતો. મોટાભાગના ઍક્ઝિટ પૉલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી હોવા વચ્ચે 23મી મેએ જાહેર થનારાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો અગાઉ યોજવામાં આવેલી આ બેઠકને મહત્ત્વની માનવામાં આવે છે.
મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચારને એમ કહીને યાત્રા સાથે જોડી હતી કે આ ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા અલગ હતી કેમ કે માત્ર પક્ષ નહીં દેશની જનતા આ ચૂંટણી લડી હતી. તેમણે કહ્યું હતું કે મેં અનેક ચૂંટણીઓ જોઈ છે, પરંતુ આ ચૂંટણી રાજકારણ કરતા વિશેષ હતી.
આ ચૂંટણી માટે હું જ્યારે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે મને એમ લાગી રહ્યું હતું કે જાણે હું યાત્રા કરી રહ્યો છું, એમ મોદીએ કહ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now