CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 37 of 53 - CIA Live

June 27, 2019
modi_vic.jpg
1min5100

રાષ્ટ્રપતિના સંભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર રાજયસભામાં જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પણ કૉંગ્રેસની વિવિધ મુદ્દાઓ પર ટીકા કરી હતી. ભાજપની જંગી જીત, ઇવીએમની ટીકા, એક રાષ્ટ્ર એક ચૂંટણી, રાજયસભામાં વિધેયકો પસાર નહીં થવા દેવાની વિપક્ષની વૃત્તિ, મોબલિન્ચિંગ, આસામ સમજૂતી, જમ્મુ – કાશ્મીર, બિહારમાં મગજનો તાવ સહિત સંખ્યાબંધ વર્તમાન મુદ્દાઓ મોદીએ પોતાના જવાબમાં આવરી લીધા હતા.

ઇવીએમથી હાર્યા છે તેવા વિપક્ષની રજૂઆતને ખોટી ગણાવતા મોદીએ શેર ટાંકયો હતો.

‘તાઉમ્ર યહી ભૂલ કરતા રહા, ધૂલ ચેહરે પર થી, આયના સાફ કરતા રહા.’ તેમણે કહ્યું હતું કે, એનડીએની જીત એટલે દેશની હાર, લોકશાહીની હાર’ તેવું કૉંગ્રેસનું કથન ‘ઘમંડની પરાકાષ્ઠા’ છે.

આ નિવેદનથી લોકશાહીનું, જનતા જનાર્દનનું મોટું અપમાન થયું છે, તેમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસ કહે છે કે તમે જીત્યા અને દેશ હારી ગયો તો શું વાયનાડમાં (રાહુલ ગાંધીની જીત), રાયબરેલીમાં (સોનિયા ગાંધીની જીત) અને અન્ય સ્થળોમાં (જ્યાં કૉંગ્રેસ જીત્યું છે), તમિળનાડુમાં શું દેશ, લોકશાહીની હાર થઈ છે તેવો પ્રશ્ર્ન પૂછી કૉંગ્રેસના ઘમંડી કથન પર પલટવાર કર્યો હતો. 55-60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારો પક્ષ (કૉંગ્રેસ) 17 રાજયમાં એક બેઠક પણ નહીં મેળવી શકયો.

તેમણે કહ્યું કે, જે લોકો હારી ગયા છે, જેમનો ઘમંડ તૂટ્યો છે. તેઓ જનતાનો આભાર નહીં માનશે પણ હું તો જનતા જનાર્દનનો આભાર માનું છું. એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા તો આવો તેમ તેમણે કહ્યું હતું. ચૂંટણીકીય સુધારાઓ કરવા જોઈએ અને થતા રહેવા જોઈએ. જે લોકો પોતાની ખામીઓ બાબતમાં વિચાર નથી કરવા માગતા તેઓ ઈવીએમને દોષ દઈ રહ્યા છે. તમે વિજય પચાવી નથી શકતા અને હાર સ્વીકારી નથી શકતા, તે દર્શાવે છે કે તમારામાં કંઈક ખામી છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીથી લોકોમાં ગૂંચવાડો ઊભો થતો નથી તેવું સમજાવતા તેમણે કહ્યું હતું કે, ઓડિશામાં વિધાનસભામાં અને લોકસભામાં જુદા જુદા પક્ષ જીત્યા છે.

તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિવેદન યાદ અપાવ્યું હતું. જેમણે કહ્યું હતું કે, વિપક્ષને વિરોધ કરવાનો હક્ક છે, પણ ગૃહનું કામકાજ ખોરવી કાઢવાનો હક્ક નથી. મોદીએ કહ્યું કે, રાજયસભામાં કાર્યવાહી ખોરવી નાખનારાઓને પ્રજાએ સજા (મત નહીં આપવીને) આપી છે. કૉંગ્રેસના એક નેતાએ રાજયસભામાં કહ્યું હતું કે, ‘અમને ન્યૂ ઈન્ડિયા નહીં પણ ઑલ્ડ ઈન્ડિયા’ આપો તેનો જવાબ આપતા મોદીએ સામો પ્રશ્ર્ન કર્યો કે, ‘જ્યાં કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણય પત્રકાર પરિષદમાં ફાડી નાખવામાં આવતા હતા. સંરક્ષણ સોદાઓમાંથી મળેલા લાભથી પિકનિક થતી હતી શું તેવું ‘ઑલ્ડ ઈન્ડિયા’ જોઈએ છે? ઝારખંડમાં મોબલિન્ચિંગથી માર્યા ગયેલા યુવાન બાબતમાં દુ:ખ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે, ગુનેગારોને કડક સજા થશે પણ સમગ્ર ઝારખંડને દોષ આપવો જોઈએ નહીં.

‘આસામ કરાર’ દરમિયાન ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) સ્વીકાર કર્યો હતો તે યાદ અપાવતા મોદીએ કહ્યું કે, આ મુદ્દો અમારે માટે રાષ્ટ્રીય સુરક્ષાનો છે, વૉટબેંકનો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડા પ્રધાન બનતે તો કાશ્મીરનો પ્રશ્ર્ન નહીં રહેતે તેવું યાદ અપાવતા મોદીએ કહ્યું કે, સરદાર કૉંગ્રેસના નેતા હતા આથી કૉંગ્રેસના સભ્યોએ ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની મુલાકાત એક વાર તો લેવી જ જોઈએ. બિહારમાં ‘મગજના તાવ’થી બાળકોના મૃત્યુ બાબતમાં તેમણે કહ્યું હતું કે, તે ખૂબ જ દુ:ખદ છે અને શર્મનાક છે.

June 21, 2019
tdp.jpg
1min9950

તેલુગુ દેસમ પક્ષ (ટીડીપી) ના છમાંથી ચાર સાંસદ સત્તાધારી ભાજપમાં ભળી ગયા બાદ રાજ્યસભામાં ટીડીપીના ટુકડા થયા હતા અને એમના સાંસદોની સંખ્યા ઘટીને બે થઇ હતી. જોકે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ટીડીપીના પ્રમુખ એન. ચન્દ્રાબાબુ નાયડુને આ વાતની કોઇ નવાઇ નથી લાગી કારણ કે આવું તો એમના પક્ષમાં અવારનવાર થતું રહે છે.

tdp 4 mps માટે છબી પરિણામ

સૂત્રોના જણાવ્યા અનુસાર નાયડુ હાલ યુરોપમાં ફરવા ગયા છે અને ત્યાંથી એમણે સ્થિતિની સમીક્ષા કરવા પક્ષના કેટલાક અગ્રણી નેતાઓ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે આવી બાબત એમના પક્ષ માટે નવી નથી.

સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) પાસે રાજ્યસભામાં બહુમતી નથી અને આ ચાર સાંસદના ટેકાથી ભાજપને નવું બળ મળ્યું છે. ટીડીપીના રાજ્યસભામાં છ સાંસદ હતા અને હવે એમાંથી ચાર છૂટા પડીને ભાજપમાં ભળી જવાથી 245 સભ્ય ધરાવતી રાજ્યસભામાં ભાજપના સાંસદની સંખ્યા વધીને 75 થઇ

ગઇ છે.

June 19, 2019
parliament.jpg
1min5970

મહારાષ્ટ્રના નવા ચૂંટાયેલા ૪૮ સાંસદમાંના ૩૪ સાંસદે મરાઠીમાં શપથ લીધા હતા. અમુક બિનમરાઠી સાંસદોએ પણ મરાઠીમાં શપથ લીધા હતા, પરંતુ કેટલાક મરાઠી સાંસદે અંગ્રેજી કે હિંદીમાં શપથ લેતા આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહારાષ્ટ્રના ત્રણ સાંસદે સંસ્કૃતમાં સાંસદ તરીકેના સોગંદ લીધા હતા.

ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને અમરાવતીનાં સાંસદ નવનીતકૌર રાણા બિનમરાઠી ભાષી હોવા છતાં તેઓએ મરાઠીમાં શપથ લીધા હતા.

આમ છતાં, રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેએ હિંદીમાં, ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ સુજય વિખે પાટીલ અને રાષ્ટ્રવાદીના સાંસદ ઉદયનરાજે ભોસલેએ અંગ્રેજીમાં સોગંદ લીધા હતા. આ પ્રકરણમાં અનેક લોકોએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. હિંદીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુપ્રિયા સુળે ઉપરાંત પૂનમ

મહાજન, હીના ગાવિત, સુધાકર શ્રુંગારે અને ગોપાલ શેટ્ટીનો સમાવેશ થાય છે.

અંગ્રેજીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુજય વિખે પાટીલ ઉપરાંત ઉદયનરાજે ભોસલેનો સમાવેશ થાય છે.

સંસ્કૃતમાં શપથ લેનારા મહારાષ્ટ્રના ત્રણે સાંસદ – સુનીલ મેંઢે, ગિરીશ બાપટ અને ઉન્મેશ પાટીલ ભારતીય જનતા પક્ષના જ છે.

સોનિયા ગાંધીએ હિન્દી ભાષા પસંદ કરી

લોકસભામાં ચૂંટાયેલા તમામ સાંસદોની શપથવિધિ ૧૭-૧૮ જૂન દરમિયાન પૂર્ણ થઈ છે. મંગળવારે સોનિયા ગાંધી, મુલાયમસિંહ યાદવ, સુખબીરસિંહ બાદલ સહિત ૨૦૦થી વધુ સાંસદોએ શપથ લીધા હતા. બાદલે વાહેગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી દે ફતેહ સૂત્ર પોકારીને શપથ લીધા હતા. ભગવંત માને શપથના અંતે “ઇન્કલાબ ઝીન્દાબાદ બોલતા ગૃહમાં હંગામો થયો હતો.

ભાજપના સાંસદ અને લોકસભામાં સ્પીકર પદના ઉમેદવાર ઓમ બિરલા શપથ લેવા આવ્યા હતા ત્યારે તાળીઓનો ગળગળાટ થયો હતો. સની દેઓલે ભારત માતા કી જય બોલીને શપથ લીધા હતા.

પી. ચિદમ્બરમે સ્પીકરની ગેલેરીમાં બેસીને પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ની શપથવિધિ નિહાળી હતી. સોનિયા ગાંધીએ હિન્દીમાં સોગંધ લીધા હતા. રાહુલ ગાંધીએ આ પળને મોબાઈલમાં ઉતારી હતી. મેનકા ગાંધીએ શપથ લીધા બાદ દેરાણી-જેઠાણીએ એકબીજાને હાથ જોડ્યા હતા.

મુલાયમસિંહે વ્હીલચેરમાં બેસીને શપથ લીધા હતા. આરોગ્યના કારણસર તેમને પ્રાધાન્યતા અપાઈ હતી. ભાજપના અમુક સભ્યોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ટીએમસીના સાંસદોએ જય દુર્ગા અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

ઔવેસીએ જય ભીમ, જય મીમ, અલ્લાહો અકબરનો અને જય હિંદના નારો લગાવ્યો હતો. હેમા માલિનીએ રાધે રાધે બોલીને શપથ લીધા હતા. જે સભ્યોના શપથ બાકી છે તેમને બુધવારે સોગંધ લેવડાવાશે.

June 18, 2019
parliament.jpg
1min6730

નવી દિલ્હીમાં ભાજપના સાત સાંસદોએ સોમવારે શપથ લીધા હતા. મનોજ તિવારીએ લાલ સિલ્ક રંગનો કુરતો અને સફેદ અંગવસ્ત્રમ સાથે હિન્દીમાં શપથ લીધા હતા.

ગૌતમ ગંભીરે અડધી બાંયના કુરતા-પાયજામા પહેરીને હિન્દીમાં શપથ લીધા હતા. હંસરાજ હંસે શપથવિધિના પ્રારંભમાં નામનો ઉલ્લેખ નહી ંકરતાં ફરીથી સોગંદ લેવા પડ્યા હતા.મિનાક્ષી લેખીએ સંસ્કૃતમાં સોગંદ લીધા હતા. પરવેશ વર્માએ લોકસભાના સેક્રેટરી જનરલ દ્વારા પૂરા પડાયેલા કાગળ વાંચ્યા વિના સોગંધ લીધા હતા અને જયહિન્દ બોલ્યા હતા.રમેશ બિધુરીનું શપથવિધિ માટે નામ ઉચ્ચારાયું ત્યારે ગૃહમાં તેઓ હાજર નહોતા જેઓ બાદમાં આવ્યા હતા અને શપથ લીધા હતા.

ફારુખ અબ્દુલ્લાએ કાશ્મીરી ભાષામાં શપથ લીધા હતા. રાહુલ ગાંધીએ ગૃહમાં મોડા આવીને શપથ લીધા હતા.

June 16, 2019
manmohan.jpg
1min5850

વિશ્ર્વમાં ભારતને એક ઉચ્ચ સત્તા સુધી લઈ જવામાં વિશ્ર્વવિખ્યાત અને ભારતના પ્રખર અર્થશાસ્ત્રી તેમ જ એક વખત ભારતના 10 વર્ષ સુધી વડા પ્રધાનપદે બિરાજનારા ડૉ. મનમોહન સિંહનું રાજ્યસભાનું પદ 15 જૂને પૂરું થાય છે. એક સરળ અને વિદ્વાન વ્યક્તિ જેમણે ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે તેમને સંભવિતપણે માનભેર વિદાય આપવામાં સરકાર અને કૉંગ્રેસ બંને ઊણી ઊતરી તેમ કહી શકાય. જો સરકારે ઈચ્છયું હોત તો આજે 15 જૂને વિશેષ સભા બોલાવી તેમને માનભેર વિદાય આપી હોત. કૉંગ્રેસ દ્વારા તેમને ફરી વખત રાજ્યસભામાંથી મોકલવાની જાહેરાત થઈ નથી. આથી કહી શકાય સંભવિતપણે હવે ડૉ. સિંહ રાજ્યસભામાં નહીં દેખાય. જો સરકારે વિશેષ સભાગૃહ બોલાવી આ સરળ અને સક્ષમ વ્યક્તિને વિદાય આપી હોત તો સંસદની ગરિમા ઉજ્જવળ બને, પરંતુ તેમ થઈ ન શક્યું.

28 વર્ષના રાજકારણના કામમાં ડૉ. સિંહ 10 વર્ષ ભારતના વડા પ્રધાન રહ્યા. તેમણે ક્યારેય કોઈ પણ પક્ષના દબાણ વિના કામ કર્યું. ફક્ત સ્વચ્છ અને પારદર્શક વહીવટ આપવાની તેમની નેમ હતી. કૉંગ્રેસ પક્ષમાં હાલમાં તેમને કોઈ વિશેષ સ્થાન અપાય તેમ જણાતું નથી. દેશના ખાડે ગયેલા આર્થિકતંત્રને વેગવાન કરી દોડતું કર્યાનું બહુમાન તેમને જાય છે. પહેલા નાણાપ્રધાન અને પછી વડા પ્રધાન બંને પદની ગરિમા તેમણે જાળવી હતી.

તત્કાલીન વડા પ્રધાન ડૉ. પી. વી. નરસિંહરાવ તેમને રાજકારણમાં લાવ્યા અને દેશના નાણાપ્રધાન બનાવ્યા, જ્યારે કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને વડા પ્રધાન બનાવ્યા. દેશમાં જાગૃતિકરણ અને ઉદારીકરણ લાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. ડૉ. સિંહની સરકાર બાદ દેવગૌડા, ડૉ. ઈન્દરકુમાર ગુજરાલ અને અટલ બિહારી વાજપેયીની સરકાર આવી, પરંતુ તેમણે પણ ડૉ. સિંહના પગલાં પર ચાલવાનું નક્કી કર્યું અને ઉદારીકરણ તેમ જ અર્થતંત્રને વેગવાન બનાવ્યું જે ડૉ. સિંહના પગલાંને યથાર્થ ઠેરવ્યું હતું, તેમ પ્રવીણ બર્દાપૂરકરે તેમના બ્લોગમાં જણાવ્યું છે.

દેશના ખાડે ગયેલા અર્થતંત્રને વેગવાન બનાવવા નરસિંહરાવે ડૉ. સિંહ પર પૂરો ભરોસો મૂક્યો હતો. જેને કારણે ભારત વિશ્ર્વમાં એક મહાસત્તા તરીકે ઊભરી આવ્યું. આજે પણ અર્થનિષ્ણાતો ડૉ. સિંહના પગલાંને યોગ્ય ગણે છે તેમ જ માર્ગદર્શન માગે છે. 28 વર્ષ રાજકારણમાં સક્રિય રહેનારા ડૉ. સિંહને માનભેર વિદાય આપવામાં ઊણી ઊતરનારી સરકાર અને ખાસ તો કૉંગ્રેસ પક્ષ માટે એટલું જ કહી શકાય કે સિંહ ઈઝ ઑલવેઝ કિંગ. વિરોધીઓની અનેક ટીકા સહન કરી ‘મૌનીબાબા’નું બિરુદ મેળવનારા ડૉ. સિંહના હૃદયમાં અનેક રહસ્યો ધરબાયેલા છે જે ક્યારેય બહાર આવશે નહીં…

ખડસેને પ્રદેશાધ્યક્ષપદ તો આટલું અપમાન કેમ?

મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ ખડસેનું નામ આજકાલ ફરી ચર્ચામાં છે, પરંતુ વિવાદમાં નહીં ભાજપના પ્રદેશાધ્યક્ષપદ માટે. એક વખત મુખ્ય પ્રધાનપદ માટેના દાવેદાર ગણાતા એકનાથ ખડસેનું નામ કૌભાંડમાં આવતાં જ તેમને દૂધમાંથી માખી કાઢી ફેંકી દેવાય તેમ પ્રધાનમંડળમાંથી પડતા મુકાયા હતા, એટલું જ નહીં ભાજપના રાજ્યના રાજકારણમાંથી તેમને દૂર કરાયા હોવાનું જણાઈ આવતું હતું. હાલમાં મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવતાં તેમની જગ્યાએ ખડસેનું નામ સૌથી આગળ દાવેદાર તરીકે બોલાઈ રહ્યું છે. જોકે તેમનો બોલ કેટલો પળાશે તે તો સમય જ કહેશે.

June 12, 2019
wb.jpg
1min5680

બંગાળમાં આગળ વધતો રાજકીય હત્યાનો સિલસિલો

ઉત્તર 24 પરગણાનાં ગામે દેશી બોમ્બ ઝીંકાયો: બે મૃત્યુ , ભાજપ અને સંઘના કાર્યકરોના મૃતદેહ ઝાડ પર ટીંગાયેલાં મળ્યાં
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બરાકપોરમાં કાંકીનારા ખાતે ગઈ રાતે 10ાા કલાકના સુમારે એક ઘર સામે અજાણ્યા તોફાની તત્ત્વોએ બે દેશી બોમ્બ ફંગોળતા થયેલા ધડાકામાં બે જણા માર્યા ગયા હતા અને 4 જણા ઘાયલ થયા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પછી તરત શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ચાલેલા હિંસક ઘર્ષણો પછીની આ તાજી ઘટના છે. દરમિયાન રાજ્યમાં અન્યત્ર, ભાજપના એક કાર્યકર અને આરએસએસના કાર્યકરનો મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યાના બે બનાવો બન્યા હતા. કાંકીનારાની ઘટનાને પગલે તે વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સની ટીમ તૈનાત કરી દેવાયા સાથે સલામતી કડક બનાવાઈ હતી અને સ્થાનિક પોલીસે બનાવની તપાસ આદરી છે. હુમલા પાછળના ઇરાદાની વિગતો કે તેની પાછળ કોનો હાથ છે તે વિશે જાણવા મળતું નથી.
હાવડા જિલ્લાના આમટામાંના સરપોટા ગામે સમાતુલ દોલુઈ નામના ભાજપી કાર્યકરનું શબ ઝાડ પર ગઈ કાલે લટકતી દશામાં મળી આવ્યું હતું. જયશ્રી રામ રેલીઓ સામેલ થવા સબબ દોલુઈને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી અને ચૂંટણી બાદ તરત તૃણમૂલના લોકોએ તેનાં ઘર પર તોડફોડ કરી હતી, એમ હાવડા ભાજપના અધ્યક્ષે જણાવ્યું હતું. દોલુઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતો હતો ત્યારે કેટલાક તોફાનીઓ શબ આંચકી લેવા પ્રયાસ કરતા ગ્રામજનોના વિરોધ બાદ આરએએફ તૈનાત કરાઈ હતી. તે પહેલાં રવિવારે આરએસએસના સ્વદેશ મન્ના નામના કાર્યકરનો મૃતદેહ અતચટા ગામે વૃક્ષ પર લટકતી હાલમાં મળી આવ્યો હતો.
તૃણમૂલના 8, ભાજપના 2 કાર્યકરના મૃત્યુ થયાનો મમતાનો દાવો
લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પછી પશ્ચિમ બંગાળમાંની હિંસામાં થયેલી ખુવારી વિશેની વિગતો જાહેર કરતા રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યુ હતું કે તૃણમૂલ કોંગ્રેસના 8 અને ભાજપના બે સહિત દસ જણા માર્યા ગયા હતા, તેઓના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. અહીંની વિદ્યાસાગર કોલેજમાં રાજકીય કાર્યકરોએ આચરેલી હિંસક તોડફોડમાં ધ્વસ્ત થયેલી 19મા સૈકાના સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી અર્ધપ્રતિમાનું ય તેમણે અનાવરણ કર્યુ હતું.
June 10, 2019
westbengalviolence.jpg
1min12550

પશ્ર્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસે શનિવારે થયેલી હિંસા માટે એકબીજા પર દોષારોપણ કર્યું હતું. ત્રણ કાર્યકરના મૃતદેહ મળી આવ્યા હતા અને સંખ્યાબંધ કાર્યકરો લાપતા હોવાનું કહેવામાં આવ્યું હતું. ભાજપે નોર્થ ૨૪ પરગણા જિલ્લાના બશીરહાટથી બે ટેકેદારોના મૃતદેહ કોલકોતા લઈ જવા પ્રયત્ન કર્યો હતો પણ પોલીસે તેમને અટકાવતા ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો. ભાજપ નેતૃત્વે બંને મૃતદેહને તેમના ગામમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે દાવો કર્યો હતો કે તેમના પક્ષના પાંચ કાર્યકરો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લાપતા થયા છે.

bengal violence માટે છબી પરિણામ

પશ્ર્ચિમ બંગાળમાં રાજકીય હિંસા સતત ચાલી રહી છે. તે બાબતમાં કેન્દ્ર સરકારે ‘ઊંડી ચિંતા’ વ્યક્ત કરી હતી. પશ્ર્ચિમ બંગાળને મોકલેલી અક એડવાઈઝરિમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી પણ સતત હિંસાની ઘટનાઓ થઈ રહી છે તે રાજય સરકારનું નિષ્ફળ હોવાનું પ્રતીત થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘થોડા સપ્તાહથી રાજયમાં હિંસા સતત થઈ રહી છે તે રાજયની કાયદાપાલન એજન્સીઓની નિષ્ફળતા હોવાનું પ્રતિત થાય છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા, શાંતિ અને જાહેરમાં સુલેહ જાળવવા સર્વ સંભવ પગલા લેવાની સલાહ આપવામાં આવે છે. પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ જનારા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની વિનંતી કરવામાં આવી છે.

નોર્થ ૨૪ પરગણા જિલ્લામાં ચૂંટણી પછીની અથડામણમાં શનિવારે ચાર વ્યક્તિની હત્યા થઈ હતી તેવું ગૃહ મંત્રાલયના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પશ્ર્ચિમ બંગાળના સંખ્યાબંધ વિસ્તારોમાં અગાઉ પણ હિંસાના બનાવો બન્યા હતા, તેવું એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે.

દરમિયાન કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે રવિવારે આક્ષેપ કર્યો હતો કે પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો પક્ષ હિંસાનું રાજકારણ ચલાવી રહ્યો છે, કારણ કે તેમની ‘ઊલટી ગિનતી’ શરૂ થઈ છે.

June 6, 2019
Gandhinagar-Gujarat.jpg
1min6570

લોકસભા ચૂંટણી 2019 માં વિજયી થનારા ભાજપના ચાર ધારાસભ્યોએ આજરોજ તા.6 જુન 2019ના રોજ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીના મેમ્બર પદેથી પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ ને સુપરત કર્યું છે. ધારાસભ્ય અને સંસદ સભ્ય પૈકી કોઇ એક સભ્ય તરીકે રહી શકાય એવા નિયમ અંતર્ગત ધારાસભ્ય પદેથી ભાજપના ચારેય નેતાએ રાજીનામું આપી દેતા હવે ગુજરાત વિધાનસભામાં ભાજપાનું સંખ્યાબળ 100નું થયું છે.

રતનસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી, હસમુખ પટેલ અમદાવાદ પશ્ચિમ, પરબત પટેલ બનાસકાંઠા અને ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી વિજય બનતા તેમણે પોતાની વિધાનસભા બેઠકો  ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ભાજપાના નેતાઓમાં પરબત પટેલ, હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.

હવે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને એ પછી રાજ્યસભાના સાંસદની બેઠક માટેની ચૂંટણીઓ યોજાશે.

 

June 5, 2019
Dirty-Politics.jpg
1min5570

ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપી વચ્ચે ‘મહાગઠબંધન’માં ભંગાણ પડ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 11 પેટા ચૂંટણીમાં બંને પક્ષ દરેક બેઠક પર પોતપોતાના પક્ષના ઉમેદવાર ઊભા રાખશે તેવું બંને નેતાએ જાહેર કર્યું હતું. બીજી બાજુ એનડીએમાં પણ નીતીશકુમાર ‘કંઈક’ યોજના ઘડી રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. એનડીએ (દ્વિતીય)ના પ્રધાન મંડળમાં એક જ મંત્રાલયની ઓફર મળતા છંછેડાયેલા નીતીશકુમારે બિહાર પ્રધાન મંડળના વિસ્તરણમાં જનતા દળ (યુ)ના આઠ નેતાનો સમાવેશ કર્યો હતો અને ભાજપને ફક્ત એક બેઠકની ઓફર કરી હતી.

બિહારમાં વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળના નેતા રઘુવંશપ્રસાદ સિંહે નીતીશકુમારને ભાજપ વિરોધી મંચમાં જોડાવાનું આડકતરું આમંત્રણ આપતા કહ્યું હતું કે ‘તમામ બિન ભાજપ પક્ષોએ એક મંચ પર ભેગા થઈ રાષ્ટ્રીય વિકલ્પ તૈયાર કરવો જોઈએ. અમને કોઈ પણ પક્ષ તેમાં જોડાય તેમાં અમને વાંધો નથી.’

દરમિયાન જમ્મુકાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ મંગળવારે વિધાનસભાની આગામી ચૂંટણી એકલે હાથે લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને કૉંગ્રેસ સાથે જોડાણ તોડવાનો નિર્ણય કર્યો હતો. કર્ણાટકમાં પણ કૉંગ્રેસ-જેડી(એસ) જોડાણ તૂટવાના ભણકારા થવા લાગ્યા છે. મંગળવારે જનતા દળ (સેક્યુલર)ના કર્ણાટક એકમના પ્રમુખ એચ. વિશ્ર્વનાથે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

માયાવતીએ મંગળવારે એક પત્રકારપરિષદમાં જાહેર કર્યું હતું કે અમે ઉત્તર પ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણીની બેઠક પર એકલે હાથે લડીશું સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે ‘જો આપણા રસ્તા જુદા થઈ રહ્યાં છે અમે તેનું સ્વાગત કરીએ છીએ. જોડાણનો અંત આવશે તો અમે બધી 11 બેઠક પર સપાના ઉમેદવારોને ચૂંટણી લડાવીશું.

June 1, 2019
sansad.jpeg
1min6240

સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે અને 26 જુલાઇ સુધી ચાલશે, જેમાં પાંચમી જુલાઇએ બજેટ રજૂ કરવામાં આવશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી. સંસદના સત્રની તારીખની ચર્ચા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની પ્રથમ કેબિનેટ મીટિંગમાં 31 મેના રોજ કરવામાં આવી હતી. વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ એ સમયના નાણાં પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા પહેલી ફેબ્રુઆરી, 2019ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.