કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય: મોદી
ભાજપના સાંસદ કૈલાસ વિજયવર્ગીયાના વિધાનસભ્ય પુત્ર આકાશની સરકારી કર્મચારીઓને બેટથી મારવાની ઘટનાના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સખત શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય, આવા વર્તનથી પક્ષનું નામ ખરાબ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય અને હિંદીમાં જણાવ્યું હતું કે ‘મનમાની નહીં ચલેગી’ અર્થાત કોઇપણ આવું કંઇ કરીને છટકી નહીં શકે. જોકે, એમણે બેટથી મારવાવાળી ઘટનાનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ એમના કહેવાનો અર્થ સૌને સમજાયો હતો. આ બેઠકમાં ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયા પણ હાજર હતા.
મોદીએ જણાવ્યું હતું કે આવા વર્તનથી પક્ષનું નામ ખરાબ થાય છે અને એ અસ્વીકાર્ય છે. જો કોઇ ભૂલ કરે છે, તો માફી માગવાનું ભાન એનામાં હોવું જોઇએ.
લોકસભાની ચૂંટણીમાં જોરદાર વિજય મેળવ્યા બાદ ભાજપની આ પહેલી સંસદીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોદીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પક્ષપ્રમુખ અમિત શાહ અને કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
મોદીએ આ પ્રસંગે ‘પંચવટી’ અભિયાન હેઠળ દેશના દરેક બૂથમાં ઓછામાં ઓછા પાંચ ઝાડ વાવવાની હાકલ કરી હતી. રામ, સીતા અને લક્ષ્મણ પંચવટીમાં ૧૪ વર્ષ વનવાસમાં રહ્યાં હતાં.
આ સિવાય મોદીએ સાંસદોને સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેવા સાથે લોકોની સેવા કરીને લોકો માટે કરેલાં કામો બદલ ઓળખાવાની વાત કહી હતી. ત્રિપલ તલાકના ખરડા વખતે ભાજપના સાંસદોની ઓછી હાજરી વિશે એમણે નારાજગી વ્યક્ત કરી હતી.
૬ઠ્ઠી જુલાઇએ ભાજપનો સ્થાપના દિવસ છે અને એ દિવસે મોદી વારાણસીથી, અમિત શાહ તેલંગણાથી અને પક્ષના અન્ય નેતાઓ દેશના વિવિધ ભાગોમાંથી ભાજપની મેમ્બરશીપ ડ્રાઇવના શ્રીગણેશ કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now