CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 31 of 53 - CIA Live

February 9, 2020
exitpoll.jpg
1min5670

8 February શનિવારે એક્ઝિટ પોલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દિલ્હીની ચૂંટણીમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી (આપ) પ્રભાવશાળી જીત સાથે પુનઃ સત્તા પર આવશે. આમ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન બને એવી શક્યતા છે. ત્યાર બાદના ક્રમે બીજેપીની સંખ્યામાં સુધારો થશે. જોકે તેની અને આપની બેઠકોની સંખ્યા વચ્ચે ઘણું મોટું અંતર રહેશે. આમ બીજેપીનો ૨૦ વર્ષનો વનવાસ હજી પણ લંબાશે.

પોલનાં તારણો અનુસાર આપ બે-તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવશે. કેટલાક પોલમાં તેમને ત્રણ-ચતુર્થાંશ બહુમતી આપવામાં આવી છે. ચૂંટણીમાં કૉન્ગ્રેસનો નિરાશાજનક દેખાવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર આપને ૪૪થી ૫૦ અને બીજેપીને ૨૦થી ૨૬ બેઠકો મળશે.

એબીપી ન્યુઝ – સી વોટર પોલના એક્ઝિટ પોલ પ્રમાણે આપ ૪૯-૬૩ બેઠકો કબજે કરશે, જ્યારે બીજેપીના ફાળે ૫-૧૯ બેઠકો અને કૉન્ગ્રેસના ફાળે ૦-૪ બેઠકો આવી શકે છે.

રિપબ્લિક ટીવી – જન કી બાતના એક્ઝિટ પોલમાં આપને ૪૮-૬૧ બેઠકો, બીજેપીને ૯-૨૧ બેઠકો અને કૉન્ગ્રેસને ૦-૧ બેઠક મળશે એવી આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની ચૂંટણીઓમાં આપે ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી હતી. બીજેપીએ ત્રણ બેઠક મેળવી હતી, જ્યારે કૉન્ગ્રેસ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી.

February 8, 2020
kejriwal.jpg
3min6160

દિલ્હીમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં ૫૭.૦૬ મતદાન થયું હતું. સત્તાવાર સમય મુજબ મતદાનનો સમય ૬.૦૦ વાગ્યે પૂરો થઈ ગયો હતો. જોકે, અમુક મતદાન-કેન્દ્રોમાંથી અહેવાલો આવવાના બાકી હોવાથી મતદાનનો આંકડો થોડો વધી શકે, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

વિધાનસભાની ૭૦ બેઠકો માટેની મતદાન-પ્રક્રિયામાં ૧.૪૭ કરોડ કરતાં વધુ મતદારોને વોટ આપવા માટેનો અધિકાર હતો. આ વોટિંગ ૬૭૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતગણતરી મંગળવાર, ૧૧મીએ થશે. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૬૭.૦૮ ટકા મતદાન થયું હતું.

પાટનગરમાં શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં માત્ર ૪૧ ટકા વોટિંગ થયું હતું. એકંદરે, મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, કારણકે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક પહેરો હતો. સુરક્ષા-વ્યવસ્થામાં દિલ્હી પોલીસને અર્ધ-લશ્કરી દળોની મદદ પણ મળી હતી. ખાસ કરીને

ઇશાન દિલ્હી, શાહદરા અને પૂર્વ દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં આ દળોએ સલામતીના હેતુસર કૂચ કરી હતી.

આ ચૂંટણીમાં ૭૦ બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે અને એના ત્રણ હરીફ પક્ષોમાં આમ આદમી પાર્ટી (આપ) તેમ જ વિપક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) તથા કૉંગ્રેસનો સમાવેશ છે.

રાજધાનીના અમુક વિસ્તારોમાં વીવીપૅટ સ્લિપના સંબંધમાં કેટલીક ફરિયાદો કરાઈ હતી. કૉંગ્રેસના ઉમેદવાર રોમેશ સભરવાલે કહ્યું હતું કે વીવીપૅટ સ્લિપ પરથી તેમનું નામ અને ફોટો ગાયબ હતા. ‘મેં મતદાન-કેન્દ્રના સત્તાવાળાઓને લેખિતમાં ફરિયાદ કરી હતી જેને પગલે મશીન બદલવામાં આવ્યું હતું’, એમ સભરવાલે જણાવ્યું હતું.

શનિવારે મતદાન કરનારી જાણીતી વ્યક્તિઓમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ચીફ મિનિસ્ટર તથા ‘આપ’ના નેશનલ ક્ધવીનર અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા, દિલ્હી ભાજપના વડા મનોજ તિવારી, કેન્દ્રિય પ્રધાનો એસ. જયશંકર વગેરેનો સમાવેશ હતો.

કેજરીવાલ નવી દિલ્હી મતવિસ્તારમાંથી લડી રહ્યા છે. તેમણે રાજપુર ટ્રાન્સપોર્ટ ઑથોરિટી પોલીસ સ્ટેશનમાં મતદાન કર્યું ત્યારે તેમના પત્ની સુનિતા તથા પુત્ર પુલકીત પણ તેમની સાથે હતા. કેજરીવાલે મતદાન માટે જતાં પહેલાં માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.

આ વખતે પહેલી વાર મતદાન કરનારાઓમાં પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન તથા કેજરીવાલના પુત્ર પુલકીતનો સમાવેશ હતો.

12 વાગ્યા સુધી 15.47 ટકા મતદાન :

મંદ ગતિએ ચાલી રહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનમાં બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 15.47 ટકા મતદાન થયું હોવાની સત્તાવાર માહિતી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી હતી. મતદાન મથકની અંદર સ્માર્ટ ફોન નહીં લઇ જવા દેવાના નિયમનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો તેમજ ઘણા મતદારોએ મતદાન કરતી વખતે પોતાનો ફોન કોને આપવો એ પણ મુશ્કેલી અનુભવી હતી. વેબસાઇટ થકી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી છે. 

11 વાગ્યા સુધી 6.28 ટકા મતદાન

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે તા.8મી ફેબ્રુઆરી 2020ને શનિવારે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ક્યૂઆર કોડ્સ અને મોબાઇલ એપ્સ જેવા ટેક્નોલોજીનો ઉપયોગ આ ચૂંટણીમાં થઈ રહ્યો છે. દિલ્હીની ચૂંટણી લડાઇમાં આશરે દોઢ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એમ છે, જોવાનું એ રહે છે કે મતદાન કેટલું થાય છે.

સવારે 11ના ટકોરે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઓવરઓલ 6.28 ટકા મતદાન થયાના સત્તાવાર આંકડા ચૂંટણીતંત્રએ જાહેર કર્યા હતા. જોકે, આ મતદાન રાજકીય પક્ષોની અપેક્ષા કરતા ઓછું હોઇ, મુખ્ય રાજકીય પક્ષોએ મતદાન વેગવંતુ બનાવવા માટે કાર્યકરોને મતદાન બુથ સુધી દોરી લાવવા માટે કાર્યકરોને રેસિડેન્સીયલ સોસાયટીઓમાં દોડાવ્યા હતા.

દિલ્હીમાં સવારે 10 વાગ્યા સુધી 4.33 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં બનેલા મતદાન મથકોએ લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સહિત સિવિલ લાઈન્સ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું છે. આ ઉપરાંત વિદેશ મંત્રી જયશંકર, દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 

શાહીન બાગ અને અન્ય સંવેદનશીલ પોલિંગ વિસ્તારોમાં વધારાની દેખરેખ સાથે રાજધાની દિલ્હીમાં સલામતીનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં મતદાન માટે 2,689 સ્થળોએ 13,750 પોલિંગ બૂથ્સ ગોઠવી દેવાયા હતા. 516 સ્થળો પરના 3,704 લોકેશન્સને સંવેદનશીલ જાહેર કરાયા છે.  સવારે આઠ કલાકેથી શરૂ થયેલું મતદાન સાંજે છ કલાકે પૂર્ણ થશે. 

News in Hindi

दिल्ली में मतदान के लिए 13 हजार 750 मतदान केन्द्र बनाए गए : 70 सीटों पर 672 उम्मीदवार मैदान में : 148 निर्दलीय उम्मीदवार

दिल्ली की सभी 70 सीटों के लिए आज सुबह 8 बजे से वोटिंग जारी है. मतदान केंद्रों पर मतदाताओं की लंबी कतारे देखने को मिल रही है. इस चुनावी मुकाबले में सत्ता में काबिज AAP, बीजेपी और कांग्रेस मुख्य रूप से मैदान में हैं. इस चुनाव में कुल 672 प्रत्याशी अपनी किस्मत आजमा रहे हैं. दिल्ली के 1,47,86,382 मतदाता आज तय करेंगे कि दिल्ली की सत्ता पर कौन सी पार्टी काबिज होगी. चुनाव के नतीजे 11 फरवरी को आएंगे.

  • राष्ट्रपति रामनाथ कोविंद ने अपनी पत्नी सविता कोविंद के साथ राष्ट्रपति भवन में मौजूद राजेंद्र प्रसाद केंद्रीय विद्यालय में वोट डाला
  • पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह और उनकी पत्नी ने निर्माण भवन में वोट डाला
  • मुख्यमंत्री अरविंद केजरीवाल ने अपने परिवार के साथ सिविल लाइन्स के एक मतदान केंद्र पर वोट डाला. इस बार भी सीएम केजरीवाल नई दिल्ली विधानसभा सीट से मैदान में हैं. उनके खिलाफ बीजेपी के सुनील यादव और कांग्रेस के रोमेश सब्बरवाल चुनाव लड़ रहे हैं
  • पूर्व उपराष्ट्रपति हामिद अंसारी और संघ के वरिष्ठ नेता रामलाल ने निर्माण भवन में अपना वोट डाला. इस सीट से सीएम अरविंद केजरीवाल, बीजेपी के सुनील यादव और कांग्रेस के रोमेश सभरवाल चुनाव लड़ रहे हैं.
  • दिल्ली के एलजी अनिल बैजल और उनकी पत्नी माला बैजल ने ग्रेटर कैलाश के बूथ में अपना वोट डाला. इस सीट से आप उम्मीदवार सौरभ भारद्वाज और बीजेपी की शिखा राय और कांग्रेस के सुखबीर पवार मैदान में हैं
  • विदेश मंत्री एस जयशंकर ने तुगलक क्रिसेंट के स्कूल में बने पोलिंग बूथ पर दिल्ली विधानसभा के लिए वोट डाला
  • बीजेपी सांसद प्रवेश वर्मा ने मटियाला विधानसभा के लिए वोट डाला
  • जस्टिस आर भानुमति ने तुगलक क्रिसेंट के पोलिंग स्टेशन पर वोट डाला
  • दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया ने अपनी पत्नी के साथ पांडव नगर के एमसीडी स्कूल पहुंचर वोट डाला, मनीष सिसोदिया पटपड़गंज विधानसभा सीट से उम्मीदवार हैं
  • कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी ने औरंगजेब रोड के पोलिंग बूथ संख्या 81 में अपना वॉट डाला

विधानसभा चुनाव में आम आदमी पार्टी (AAP), भारतीय जनता पार्टी (BJP) और कांग्रेस (Congress) के बीच त्रिकोणीय मुकाबला है. मुख्यमंत्री अरविंद केजरीवाल जहां पांच साल के AAP सरकार के कामों को लेकर जनता से वोट मांग रहे हैं. वहीं, बीजेपी राष्ट्रवाद, नागरिकता कानून और शाहीन बाग में प्रदर्शन का मुद्दा उठा रही है

बाबरपुर में चुनाव अधिकारी की मौत

उत्तर पूर्वी दिल्ली के बाबरपुर में ड्यूटी के दौरान एक चुनाव अधिकारी की मौत हो गई है. ये घटना पोलिंग बूथ के अंदर मौत बाबरपुर प्राइमरी स्कूल में हुई है. पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए गुरु तेग अस्पताल भेज दिया है.

दिल्ली के शाहीन बाग में मतदाताओं की लंबी कतार देखने को मिल रही है. शाहीन पब्लिक स्कूल ओखला में बड़ी संख्या में वोटर दिख रहे हैं. AAP के अमानतुल्लाह यहां से मौजूदा विधायक है. इस बार उनका मुकाबला कांग्रेस के परवेज हाशमी और बीजेपी के ब्रह्म सिंह बिधुरी से है.

February 5, 2020
no_nrc.jpg
1min5170

એનઆરસી મુદ્દે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સીએએ અને એનઆરસીને સાથે જોડીને વિરોધ થઈ રહ્યો છે, જોકે સરકારે મંગળવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, રાષ્ટ્રીય સ્તરે નેશનલ રજિસ્ટર ઑફ ઈંડિયન સિટીઝન (એનઆરઆઈસી) તૈયાર કરવા બાબતમાં કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ માહિતી ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે આપી હતી.

એનઆરસી મુદ્દે સંસદમાં પુછાયેલા એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું. સંસદના ગત સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પસાર કરાયું હતું અને બાદમાં સીએએ ઍક્ટ બન્યો હતો.

એનઆરસી મુદ્દે ગૃહપ્રધાને અગાઉ જણાવ્યું હતું કે દેશમાં એ લાગુ કરાશે ત્યાર બાદ આસામ, ત્રિપુરા, બંગાળ સહિત દેશભરમાં હિંસક પ્રદર્શન થયાં છે. એક રેલીમાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે હજુ સુધી એનઆરસીને લઈ કોઈ બેઠક થઈ નથી. હવે ગૃહમંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું ત્યારે પણ એનઆરસીનો ઉલ્લેખ કરાયો નહોતો.

દરમિયાન નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના અપડેટ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં. વસતિ ગણતરીની કામગીરી દરમિયાન આધાર નંબર પૂરો પાડવાનું મરજિયાત છે, એમ ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું હતું.

એનપીઆરની તૈયારી બાબતમાં જે રાજ્યોને ચિંતા છે તેમની સાથે સરકાર ચર્ચા કરી રહી છે. તમામ વ્યક્તિ અને પરિવારની વિગતોની ડેમોગ્રાફિક ભેગી કરીને અપડેટ કરાશે.

એનપીઆરની અપડેટ કામગીરી દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં બીજું જેની નાગરિકતા શંકાસ્પદ છે તેનું કોઈ વેરિફિકેશન કરાશે નહીં.

એનપીઆરની કામગીરી ૧ એપ્રિલથી ૩૦, સપ્ટેમ્બર સુધી ચાલશે. ઘરે ઘરે જઈને વસતિ ગણતરી કરાશે. દરેક નાગરિક સાચી માહિતી પૂરી પાડે એમ જણાવાયું છે. એનપીઆર પ્રથમવાર ૨૦૧૦માં તૈયાર કરાયું હતું, જેે ૨૦૧૫માં અપડેટ કરાયું હતું. આસામ સિવાય દેશના અન્ય ભાગમાં એનપીઆર માટે માહિતી ભેગી કરાશે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ઈશાનના રાજ્યો અને ભાજપ સિવાયના રાજ્યોના તેમના સમકક્ષને અપીલ કરી છે કે એનપીઆર ફોર્મનો કાળજીપૂર્વક અભ્યાસ કરે. એનપીઆરની કામગીરી જોખમી ગણાવી છે.

કેરળ સરકારે એનપીઆરમાં સહકાર નહીં આપવા જાહેરાત અગાઉ કરી હતી. એનપીઆર અને એનઆરસીનો વિરોધ વધારે જોવાયો છે. સીએએને પણ તેની સાથે જોડી દેવાયું છે. 

February 1, 2020
opposition.jpg
1min5760

૧૪ વિપક્ષોના નેતાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદમાં સંયુક્ત સંબોધન દરમિયાન સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં કાળી પટ્ટી પહેરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, મોતીલાલ વોહરા, અહમદ પટેલ, અધીર રંજન ચૌધરી, એ. કે. એન્ટોની તથા એનસીપી, સમાજવાદી, ડીએમકે, આરજેડી, સીપીઆઈ, શિવસેના, જેડીએસ, જેએમએમ, નેશનલ કોન્ફરન્સના નેતાઓનો સમાવેશ છે.

રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન વિપક્ષોના નેતાઓ સેન્ટ્રલ હોલમાં એક બ્લોકમાં સાથે બેઠા હતા.

રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન સીએએના વખાણ કર્યા હતા. શાસક પક્ષના સભ્યોએ લાંબો સમય તાળી વગાડીને ખુશી દર્શાવી હતી. વિપક્ષોએ શરમ કરોના નારા લગાવ્યા હતા અને બેનર દર્શાવ્યા હતાં. સંસદના સત્ર પહેલા સોનિયા ગાંધીના વડપણ હેઠળ મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણને બચાવો એવા પ્લેકાર્ડ દર્શાવાયા હતાં.

વિપક્ષો સંસદની તેમની નિર્ધારિત બેઠક પર બેસવાને બદલે પાછલી બેઠક પર બેઠા હતા. સીએએનો મુદ્દો રાષ્ટ્રપતિના સંબોધનમાં આવરી લીધો તે કમનસીબ બાબત છે, એમ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું. સીએએને મોટી સિદ્ધિ ગણાવી હતી.

બેરોજગારી, જીડીપીમાં ઘટાડો, મોંઘવારી વિશે રાષ્ટ્રપતિના સંબોધનમાં કોઈ ઉલ્લેખ નહીં હોવાનું જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ ઘણો વિકાસ થયો છે તે નર્યું જુઠ્ઠાણું હોવાનું વિપક્ષોએ કહ્યું હતું. રાષ્ટ્રપતિનું ભાષણ સામાન્ય કક્ષાનું હતું.

January 26, 2020
rajasthandvidhansabha.jpg
1min5200

રાજસ્થાન વિધાનસભાએ શનિવારે નાગરિકત્વ સુધારિત કાયદો (સીએએ)ને પાછો ખેંચવાની દરખાસ્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો જેનો ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી કોંગ્રેસ રાજકીય રમત રમી રહી છે.

પંજાબ બાજ રાજસ્થાન બીજું કોંગ્રેસની સત્તા હેઠળનું રાજ્ય છે જ્યાં આવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય. અગાઉ કેરળ વિધાનસભામાં પણ સીએએ સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજસ્થાન વિધાનસભામાં વોઇસ વોટ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સિવાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર), ૨૦૨૦ના અપડેશનની પ્રક્રિયા પણ રદ કરવાનું કેન્દ્ર સરકારને કહ્યું હતું.

‘સીએએ દ્વારા બંધારણની જોગવાઇઓનો ભંગ થઇ રહ્યો હોવાના પુરાવા છે. તેથી દેશમાં એકતા બનાવી રાખવા તથા ધર્મના આધારે નાગરિકત્વ આપીને ભેદભાવ કરવાનું ટાળવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવે છે’, એમ સંસદીય બાબતના પ્રધાન શાંતિ ધરિવાલે જણાવ્યું હતું.

વિપક્ષ નેતા ગુલાબ કટારિયાએ રાજ્ય વિધાનસભામાં કાયદાને પડકારવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યો હતો.

‘નાગરિકત્વ પૂરું પાડવું એ કેન્દ્ર સરકારના અધિકાર હેઠળ આવે છે અને આવી પરિસ્થિતિમાં સીએએને પડકારવાનો અધિકાર આપણને છે? કોંગ્રેસે વોટ બેંક માટે અને ગંદું રાજકારણ બંધ કરવું જોઇએ’, એમ ભાજપી નેતાએ જણાવ્યું હતું.

January 22, 2020
kejriwalinqueue.jpg
1min5550

સાત-સાત કલાક સુધી વાટ જોયા પછી આખરે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા હતાં. તેઓ નામાંકન દાખલ કરવા માટે બપોરે 12 વાગ્યા આસપાસ પહોંચી ગયા હતાં પણ ત્યાં ઉપસ્થિત અપક્ષ ઉમેદવારોએ તેમને વચ્ચેથી ઉમેદવારી નોંધાવવા દીધી નહોતી. જેને પગલે કેજરીવાલને સાત કલાકની લાંબી અકળાવનારી રાહ જોવી પડી હતી.

દિલ્હીનાં જામનગર હાઉસ સ્થિત કલેક્ટર કચેરીએ કેજરીવાલ બપોરે પહોંચી ગયા હતાં. તેમની પાસે ટોકન નંબર 4પ હતો. જેને પગલે ત્યાં અગાઉથી પોતાનાં વારાની વાટ જોઈ રહેલા અપક્ષ ઉમેદવારોએ તેમને વહેલા અંદર જવા દીધા નહોતા.’ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ વિશે ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ ગમે તેટલી સાજીશ કરે તો પણ કેજરીવાલને ઉમેદવારી નોંધાવતા રોકી નહીં શકે. એક દિવસ પહેલા સોમવારે પણ પોતાના રોડ શો માં ભારે ભીડના કારને બપોરે 3 વાગ્યનાં નિયત સમય સુધીમાં તેઓ જામનગર હાઉસ ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરી શકયા ન હતા.

કેજરીવાલે પણ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ નામાંકન માટે વાટ જોઈ રહ્યા છે. ઉમેદવારી નોંધાવવામાં મોટી કતાર છે. લોકતંત્રનાં પર્વમાં આટલા લોકો ભાગ લઈ રહ્યા છે એ ખુબ જ ખુશીની વાત છે.

જે લોકો કેજરીવાલ પહેલા ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતાં એ ડીટીસીનાં કર્મચારીઓ હતાં. જેમને 2018નાં ધરણા દરમિયાન નોકરી ઉપરથી હાંકી કાઢવામાં આવેલા. એ વખતે કુલ 250 જેટલા કર્મચારીઓને કાઢી મૂકાયા હતાં અને તેમાંથી 30 દ્વારા આજે ઉમેદવારી નોંધાવાઈ હતી. તે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. તેમને ચાતરીને કેજરીવાલ જ્યારે આજે ઉમેદવારી નોંધાવવા અંદર પ્રવેશી ગયા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો અને પછી નાછૂટકે કેજરીવાલને રાહ જોવાનો વારો આવ્યો હતો.

January 20, 2020
jpnadda.jpg
1min6180

આજે કેન્દ્રમાં જેની પાસે સત્તા છે એ ભાજપાને અમિત શાહની જગ્યાએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડા મળ્યા છે. પાર્ટીની હેડ ઓફિસમાં નવા અધ્યક્ષ પદ માટે નોમિનેશન પ્રક્રિયા દરમિયાન ભાજપના હાલના અધ્યક્ષ અમિત શાહ સંગઠનના પ્રભારી રાધામોહનસિંહને નવા અધ્યક્ષ માટે નોમિનેશન રજૂ કર્યું છે. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને નવા અધ્યક્ષ બનાવવા સંદર્ભે રાજનાથસિંહે દરખાસ્ત રજૂ કરી હતી. જેની સામે અન્ય કોઇ નેતા તરફથી ઉમેદવારીનો દાવો કરવામાં આવ્યો ન હતો. છેવટે જે.પી. નડ્ડાને ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ માટે ભાજપાના સુકાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે પાર્ટીના નવા અધ્યક્ષનું સન્માન પણ કરવાના છે.

વિદ્યાર્થી સંઘથી નડ્ડાએ રાજકારણની શરુઆત કરી છે. સંગઠનમાં તેમનો દાયકાઓ જૂનો અનુભવ છે, આરએસએસથી તેમની નીકટતા અને સ્વચ્છ છબી તેમની તાકાત છે. ભાજપના વરિષ્ઠ નેતા રાધામોહનસિંહે પાર્ટીના સંગઠનમાં ચૂંટણી પ્રક્રિયાના પ્રભારી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નોમિનેશન 20 જાન્યુઆરીએ નાખવામાં આવશે અને જરુર પડ્યે બીજા દિવસે ચૂંટણી થશે.

ભાજપમાં અધ્યક્ષ સામાન્ય સહમતિ સાથે ચૂંટવાની પરંપરા છે અને તેની ઓછી સંભાવના છે કે તેના સિવાય અન્ય કોઈ નિર્ણય લેવાય. નવા અધ્યક્ષની પસંદગી સાથે અમિત શાહના સાડા પાંચ વર્ષ કરતા વધુના કાર્યકાળનો પણ અંત આવશે, આ દરમિયાન ભાજપે દેશમાં પોતાના આધારનો વિસ્તાર કર્યો છે. શાહનો કાર્યકાળ ભાજપ માટે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સર્વશ્રેષ્ઠ હતો, જોકે, પાર્ટીને કેટલીક વિધાનસભા ચૂંટણીમાં ઝાટકા વાગ્યા છે.

January 20, 2020
Arvind-kejriwal.jpg
1min6150

દિલ્હીમાં ૮ ફેબ્રુઆરીએ ચૂંટણી છે. તમામ પક્ષે મોટાભાગના ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે ઘોષણાપત્ર જાહેર થશે. આપના વડા અરવિંદ કેજરીવાલે ચૂંટણી ઢંઢેરાના બદલે રવિવારે પક્ષનું ગેરન્ટી કાર્ડ રજૂ કર્યું હતું, જેમાં ૧૦ ગેરન્ટી/ખાતરી અપાઈ છે,

જેમાં વિદ્યાર્થીઓને મફત બસ સેવા, મહિલાઓની સુરક્ષા માટે મોહલ્લા માર્શલ, ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી, મફત આરોગ્ય સવલત, યમુના નદીને ક્લિન કરવી, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સમાવેશ છે. દિલ્હીમાં આપની સરકાર ફરીથી આવશે તો તમામ ખાતરી પરિપૂર્ણ કરાશે, એવી ગેરન્ટી આપી હતી. સર્વગ્રાહી ચૂંટણી ઢંઢેરો એકાદ અઠવાડિયામાં બહાર પડાશે, એમ કહ્યું હતું. વિપક્ષોએ કહ્યું હતું કે આપની સ્કીમ ૩૧ માર્ચ સુધી ચાલશે, પરંતુ અમે ગેરન્ટી કાર્ડ રજૂ કયું છે, જે પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. ગેરન્ટી કાર્ડ પર કેજરીવાલે સહી કરી હતી. દિલ્હી મેટ્રોનું નેટવર્ક લંબાવવાની પણ ખાતરી આપી છે. 

January 10, 2020
kannaiya.jpg
1min5940

JNUમાં 5 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાને લઈને ગુરુવારના રોજ જેએનયુ વિદ્યાર્થી સંઘ અને JNU શિક્ષક એસોસિએશને વિરોધ માર્ચ કાઢી હતી. આ માર્ચમાં JNU સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર પોતે પણ સામેલ થયા હતા. દિલ્હીમાં મંડી હાઉસ થી માનવ સંશાધન વિકાસ મંત્રાલય સુધી આ માર્ચ કાઢવામાં આવી હતી. માર્ચ દરમિયાન કનૈયા કુમારે ભાજપ અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રી અમને ટુકડે ટુકડે ગેંગ કહીને બોલાવે છે. તો હું તેમને માત્ર એટલું કહેવા માટે માંગુ છું કે અમે દેશના નહિ પરંતુ ભાજપના ટુકડા ટુકડા કરીશું 

કનૈયા કુમારે જણાવ્યું હતું કે, JNU કહે છે કે દેશમાં જનતાની પસંદગી કરેલી સરકાર છે. જનતાએ ટેક્સ આપ્યો છે. સરકાર જે ખાનગી સાહસો પર ઉડી રહી છે તે પોતાના દોસ્તોને મોટો ટેકો આપી રહી છે. આજ સરકારની જવાબદારી છે કે તેઓ શિક્ષણ સંસ્થાને બચાવે, રેલવેને બચાવે, રાષ્ટ્રવાદના નામે સરકારની રાષ્ટ્રીય સંપત્તિ વેચવાનું બંધ કરે. શું તમને લાગી રહ્યું છે કે ક્યારેક તમે રિઝર્વેશન ગાળો આપીને,ક્યારેક મેરીટ સુધી માર્ક લાવીને અમારી લડાઈને ગેરમાર્ગે દોરી દેશો. અમે તમારી સાથે ચર્ચા માટે તૈયાર છીએ. મેરીટ એ હોય છે કે જે યુનિવર્સીટીમાં ગરીબથી ગરીબ બાળક પોતાના મેરીટથી અહીંયા આવીને ભણી ગણી શકે. 

કનૈયા કુમારે કહ્યું હતું કે, JNU માત્ર આજની પેઢી માટે લડી રહ્યું નથી પરંતુ તે આવનારી પેઢી માટે પણ લડી રહ્યું છે. તે માત્ર પોતાના માટે જીવવાનું શીખવાડતું નથી. દેશનું બંધારણ દરેક નાગરિકોને વાંચવા માટે તથા સપના જોવાનો અધિકાર આપે છે. તમારે અમારા સપનાઓને મારી નાખવા છે પરંતુ અમે મારવા દઈશું નહિ. તમને ભ્રમ છે કે પોલીસનો માર મારીને તેને રોકી દઈશું.

December 31, 2019
uddhavgovn.jpg
1min7050

હારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પુત્ર, પુત્રી, ભત્રીજો, ભત્રીજી બધા જ મંત્રી બની ગયા છે. સીએમ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, શરદ પવારના ભત્રીજા અજિત પવાર, પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ, પૂર્વ ડિપ્ટી સીએમ અને બીજેપી નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજન મુંડે, કોંગ્રેસ વરિષ્ઠ નેતા એકનાથ ગાયતવાડની પુત્રી વર્ષા ગાયકવાડે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. 

આમાં અજિત પવારે રેકોર્ડ ચૌથી વાર ડિપ્ટી સીએમ પદના શપથ લીધા. કહી શકાય કે 37 દિવસમાં બે વાર ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવામાં અજિત પવાર સફળ રહ્યા. 

મહારાષ્ટ્ર સીએમ ઠાકરેના મંત્રીમંડળે  વિસ્તરણ પછી રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિસ્તરણને હજુ કેટલાક કલાકો વિત્યા છે અને આ મુદ્દે કોંગ્રેસી નેતાઓમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજકારણના સૂત્રો મુજબ કેબિનેટ વિસ્તરણથી કોંગ્રેસના અમુક નેતાઓ નાખુશ છે, તેમનું માનવુ છે કે મંત્રીમંડળ વિસ્તરણને લઇને કોંગ્રેસ હાઇકમાનને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. 

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓએ આ મામલે પાર્ટી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મંત્રીમંડળમાં યોગ્ય અને વફાદાર ધારાસભ્યોની અવગણના કરાઇ હોવાના આરોપ લગાવ્યા હતા. માહિતી મુજબ નાખુશ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ સામેલ હતા.