CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 30 of 53 - CIA Live

March 9, 2020
pm_modi.png
1min6000

ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાડોશી દેશ બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ થયો છે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશમાં શેખ મુજીબ ઉર રહમાનની જયંતીની શતાબ્દી સમારોહ રદ્દ કર્યો છે. વડાપ્રધાન મોદી આ સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા.

આ અઠવાડિયે બાંગ્લાદેશી સંસદના સ્પીકર શિરીન ચૌધરીએ પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. તેઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ પર 18 સભ્યોના પ્રતિનિધિમંડળની આગેવાની કરવાના હતા.

March 3, 2020
modi-1280x720.jpg
1min4990

સોશિયલ મીડિયાએ જેમની રાજનીતિને એક નવી જ દિશા આપી અને જેમણે સોશિયલ મીડિયાને શત્ર બનાવીને ભારતીય રાજકારણમાં એક નવા યુગનો આરંભ કરાવ્યો તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ચોંકાવનારી વાત કરતાં ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ હવે ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાને અલવિદા કરવા વિચારી રહ્યા છે. મોદીએ આ સંભાવના વ્યક્ત કરવા સાથે જ તેમનાં ચાહકો અને સમર્થકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી.

તેમણે 2 માર્ચે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, આ રવિવારથી હું ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા છોડવાનું વિચારું છે. તેમણે સાથે એમ પણ ઉમેર્યુ હતું કે, તેઓ પોસ્ટ કરતાં રહેશે. તેમણે આ જાણકારી પોતાનાં વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ ઉપરથી આપી હતી. તેમણે આ ટ્વિટર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે 10000થી વધુ વખત રિટ્વિટ થઈ ગયું હતું. લોકો તેમને પોતાનાં નિર્ણય ઉપર ફેરવિચાર કરવાં અપીલો કરવાં લાગ્યા હતાં.

મોદી સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાઓ પૈકી એક છે. તેઓ પત્રકાર પરિષદ યોજીને લોકો સુધી પહોંચવાને બદલે સોશિયલ મીડિયાથી લોકોનાં સીધા સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. મન કી બાત રેડિયો કાર્યક્રમ પણ તેમનાં આ અભિગમનો જ એક હિસ્સો છે.

February 29, 2020
kanhaiya-kejriwal.jpg
1min5580

દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાં કથિત દેશ વિરોધી નારાના કેસમાં સ્પેશિયલ સેલને કેજરીવાલ સરકાર તરફથી મંજૂરી મળતા હવે જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.

સ્પેશિયલ સેલને મંજૂરી આપવાની ફાઈલ લાંબા સમયથી વિલંબમાં હતી.’ આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીર સામે પણ રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

થોડો સમય પહેલા પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી મળવાની બાકી છે. જેના કારણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે દિલ્હી સરકારને પત્ર લખીને વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવે.

February 21, 2020
uddhav.jpg
1min6240

મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર દિલ્હી જઈ રહ્યા છે અને અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલા નવા સમીકરણો બાદ આ મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી દીધા છે. આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી કરી હતી.

ઠાકરે અગાઉ માત્ર પ્રોટોકોલ નિભાવવા માટે પુણે ખાતે મોદીને વિમાનમથકે મળ્યા હતા. તે જોતા આ તેમની પહેલી મુલાકાત છે, તેમ કહી શકાય. મુલાકાતમાં ઠાકરે ખેડૂતો માટે તેમ જ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે ફંડની વાત કરશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર વચ્ચે જોવા મળતા ઉતાર-ચડાવ જોતા આ મુલાકાત જૂના સંબંધોને ફરી તાજાં કરી નવાં સમીકરણોના રૂપમાં સામે આવશે કે શું, તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. જોકે રાઉતે જણાવ્યું હતુ કે આ માત્ર સદિચ્છા ભેટ છે અને આ મુલાકાત મામલે વધારે ઊંડુ ઉતરવાની જરૂર નથી.

મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ, દિલ્હીમાં પણ સત્તા ગુમાવી ચૂકેલા ભાજપ માટે થી જૂનો સાથીપક્ષ ફરી સાથે આવે તે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે. જોકે આ બન્ને મહાનુભાવોની મુલાકાતના પરિણામો સામે આવતા સમય નીકળી જશે, પરંતુ આજની મુલાકાત રાજકીય વાતાવરણ ગરમાવશે, તે વાત નક્કી છે.

February 16, 2020
Arvind-kejriwal.jpg
2min5610

 આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન પર કેજરીવાલની સાથે અન્ય 6 ધારાસભ્યોએ પણ શપથ લીધા. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈસલે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા. ઉપરાંત, મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહેલોતે પણ મંત્રી પદના શપથ લીધા. 

  • સીએમના શપથ ગ્રહણ કર્યા બાદ નિવેદનમાં કેજરીવાલ બોલ્યા, તમે ગમે તે જાતિ, ધર્મ કે પાર્ટીના હો, કામ હોય તો મારી પાસે આવજો.
  • કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીને નંબર વન શહેર બનાવવા માંગુ છું. કેન્દ્ર સરકારની સાથે મળીને દિલ્હીને આગળ વધારીશું.
  • તેમણે કહ્યું ચૂંટણી દરમિયાન અમારા વિરોધમાં બોલનારાઓને અમે માફ કર્યા.
  • તમે કોઈને પણ વોટ આપ્યો હોય પણ હું બધાનો મુખ્યમંત્રી છું. આપ, બીજેપી કે કોંગ્રેસ તમે ગમે તેને વોટ આપ્યો હોય પણ હું તમારો મુખ્યમંત્રી રહીશ.
  • કેજરીવાલે કહ્યું કે, પીએમના આશિર્વાદ માંગુ છું.
  • આપ પક્ષે વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ પીએમનો બનારસનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી તેઓ ઉપલસ્થિત રહી શક્યા નહોતા.
  • રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં આપ સમર્થકો પહોંચ્યા છે.
  • કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે જીત અને સફળતાનો મંત્ર હોય છે ઝૂકીને ચાલવુ. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે મળીને કામ કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યુ કે ભારતીય લોકતંત્રમાં નફરતની રાજનીતિનું કોઈ સ્થાન નથી. કેજરીવાલે જૂની ટીમને પોતાના વિશ્વાસને બેવડ્યો છે કેમ કે લોકો તેમની પર વિશ્વાસ કરે છે. 
  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાએ શપથ ગ્રહણ કર્યા. આ શપથગ્રહણમાં સામેલ થવા અસંખ્ય દિલ્હીવાસીઓ રામલીલા મેદાનમાં ઉપસ્થિત રહ્યા.
  • અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 50 એવા નાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓએ પોતાના આપબળે દિલ્હીની તસવીર બદલવાનું બીડું ઉપાડ્યું છે. તેઓ સાધારણ લોકો છે, પરંતુ તેઓએ પોતાની અસાધારણ ઈચ્છાશક્તિથી દિલ્હીમાં પરિવર્તનનો પાયો નાંખ્યો છે.
  • કેજરીવાલ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નાના બાળકો અરવિંદ કેજરીવાલની વેશભૂષમાં પણ જોવા મળ્યા. આ ઉપરાંત દિલ્હીના અનેક ભાગોગી આપ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ.
  • શપથગ્રહણ સમારોહમાં આશરે એક લાખથી વધારે લોકો હાજરી આપશે તેવો આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શપથ સમારોહમાં પીએમ મોદી, છોટે મફલર મેન, દિલ્હીના સાતેય સાંસદ અને ચૂંટાયેલા ભાજપના આઠ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યુ છે

દિલ્હી રાજ્યને પૂર્ણ કદનો દરજ્જો મળ્યો ન હોવાથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકેની મંજૂરી આપતાં કેજરીવાલ તેમના ૬ ધારાસભ્યો સાથે આવતી કાલ ૧૬ ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત ભવ્ય સમારોહમાં સીએમ પદનો હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે.

દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાના જંગ સમાન ૭૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં આપ પાર્ટીને સતત બીજી વખત પ્રચંડ બહુમતી મળી હતી. આપ પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી છે જે બહુમતી માટે ૩૬ બેઠકો કરતાં વધારે છે. સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોની પણ મુખ્ય પ્રધાનની સલાહ પર પ્રધાન તરીકે નિમણૂક કરી છે. તેઓ પણ આજે પ્રધાનપદના શપથ લેશે.

કેજરીવાલ સાથે ૧૬ ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પદનામિત પ્રધાનોમાં ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ હર્ષની લાગણી અનુભવે છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક રહેશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપએ ૭૦માંથી ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને બીજેપીને માત્ર આઠ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લઈને હૅટ-ટ્રિક નોંધાવશે. તેઓ ૨૦૧૩માં ૪૯ દિવસ માટે અને ૨૦૧૫માં પાંચ વર્ષ સુધી સીએમ પદે રહ્યા હતા. દિલ્હીના મતદારોએ સતત ત્રીજી વાર આપને સત્તા સોંપી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાનોની યાદી

ચૌધરી બ્રહ્મ પ્રકાશ (કૉન્ગ્રેસ)
૧૭ માર્ચ ૧૯૫૨થી ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫ (બે વર્ષ ૩૩૨ દિવસ)

ગુરુમુખ નિહાલ સિંહ (કૉન્ગ્રેસ)
૧૩ ફેબ્રુઆરી ૧૯૫૫થી ૩૧ ઑક્ટોબર ૧૯૫૬ (૧ વર્ષ ૨૬૧ દિવસ)

મુખ્ય પ્રધાનપદ હટાવવામાં આવ્યું: (૧ નવેમ્બર ૧૯૫૬થી ૧ ડિસેમ્બર ૧૯૯૩) દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.

મદનલાલ ખુરાના (બીજેપી)
બીજી ડિસેમ્બર ૧૯૯૩થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ (૨ વર્ષ ૮૬ દિવસ)

સાહિબસિંહ વર્મા (બીજેપી)
૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬થી ૧૨ ઑક્ટોબર ૧૯૯૮ (બે વર્ષ ૨૨૭ દિવસ)

સુષમા સ્વરાજ (બીજેપી)
૧૩ ઑક્ટોબર ૧૯૯૮થી ૩ ડિસેમ્બર ૧૯૯૮ (૫૧ દિવસ)

શીલા દીક્ષિત (કૉન્ગ્રેસ)
૪ ડિસેમ્બર ૧૯૯૮થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ (૧૫ વર્ષ ૨૪ દિવસ)

અરવિંદ કેજરીવાલ (એએપી-આપ)
૨૮ ડિસેમ્બર ૨૦૧૩થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ (૪૮ દિવસ)

રાષ્ટ્રપતિશાસન :
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (૩૬૩ દિવસ)

અરવિંદ કેજરીવાલ
(એએપી-આપ) : ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ (પાંચ વર્ષ એક દિવસ)

February 13, 2020
kejri.jpeg
1min5800

નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)એ ત્રીજીવાર સત્તા મેળવી છે. ૭૦ બેઠકમાંથી ૬૨ બેઠક આપે જીતી હતી. આપના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બુધવારે પક્ષના નેતા પદે અરવિંદ કેજરીવાલને ચૂંટી કાઢ્યા હતા.

કેજરીવાલ બુધવારે દિલ્હીના લેફ. ગવર્નર અનિલ બૈજલને રાજનિવાસમાં મળ્યા હતા. શપથવિધિના કાર્યક્રમ વિશે તેમની સાથે ચર્ચા થઈ હતી.

નવી સરકારની પ્રક્રિયા માટે કેજરીવાલે રાજીનામું આપીને ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિનો માર્ગ મોકળો કરવો પડે છે.

આપના સિનિયર નેતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે ૧૬ ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં શપથ લેશે, જે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. કેબિનેટના પ્રધાનોની સોંગધવિધિ પણ એજ દિવસે થશે.

આપના વિધાનસભ્ય નરેશ ગોયલના કાફલા પર ગોળીબાર થયાના બનાવ બાબતે મનિષ સિસોદિયાએ ચિંતા દર્શાવી હતી. દિલ્હીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જવાબદાર વ્યક્તિઓએ પગલાં લેવા જોઈએ, એમ કહ્યું હતું.

February 11, 2020
delhi_election.jpg
1min6500

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના ચાલી રહેલી પ્રક્રિયામાં આજે બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટી 56 બેઠકો પર આગળ, ભાજપના ઉમેદવારો 13થી વધીને 14 બેઠકો પર આગળ ચાલી રહ્યા હતા.

દિલ્હી વિધાનસભાની મતગણતરી આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારે 8.00 કલાકે શરૂ થઇ હતી.

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી શરું થતાંની સાથે જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી 28 હજાર 434 મત આપવામાં આવ્યા, પહેલા તેની ગણતરી શરું કરવામાં આવી હતી. શરૂઆતના રુઝાન અનુસાર 10 બેઠકોના ટ્રેન્ડ આવ્યો સામે 7 પર આમ આદમી પાર્ટી આગળ, 3 પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.

એ પૂર્વે મતગણતરીની શરુઆત થતા જ પહેલા અડધો કલાકમાં આમ આદમી પાર્ટી બહુમતને પાર, 40 બેઠકો પણ આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 13 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. હજુ પોસ્ટલ બેલેટના આંકડા બાકી છે. તો કોંગ્રેસનું હજુ સુધી ખાતું જ ખૂલ્યું નથી.

પ્રાથમિક ટ્રેન્ડમાં 32 બેઠકો પર આપ આગળ જ્યારે ભાજપ 12 બેઠકો પર આગળ મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા પાછળ 42 બેઠકનો ટ્રેન્ડ સામે આવ્યો, 32 પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે જ્યારે 10 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. આપ કાર્યાલયમાં ઉજવણીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ. ફુગ્ગાથી લઈને બેનર થઈ રહ્યા છે તૈયાર.

દિલ્હી ચૂંટણીના પરિણામો પહેલા જ આમ આદમી પાર્ટી પૂર જોશમાં, નવી દિલ્હીમાં પાર્ટી ઓફિસ બહાર કાર્યકર્તાઓએ તો 2024 સુધીની ભવિષ્યવાણી પણ કરી દીધી મનીષ સિસોદિયાએ કહ્યું આ જીત એ લોકોની છે જેમણે 5 વર્ષ કામ કર્યું છે. થોડી નર્વસનેસ તો છે પણ પરિણામ આવતા પહેલા આવું બધા સાથે થાય છે. ઈશ્વરને પ્રાર્થના છે જેટલી 5 વર્ષમાં મહેનત કરી છે તો આપ જીતી જાય અને બીજા 5 વર્ષ પણ અમે આવી જ મહેનત કરતા રહીએ. શિક્ષણ, આરોગ્ય અંગે કામ કરવું જ એક સાચો રાષ્ટ્રવાદ છે.

हिन्दी में भी पढीए खबरें

दोपहर 12 बजे प्राप्त हुए रुझानो के अनुसार दिल्ली विधानसभा चुनाव के लिए मतगणना में आम आदमी पार्टी को बहुमत मिला है। 58 सीटों पर सत्तारूढ़ पार्टी के प्रत्याशी आगे चल रहे हैं। उधर, भाजपा उम्मीदवार 12 सीटों पर पर ही बढ़त बनाए हुए हैं। पिछले चुनाव में भाजपा महज तीन सीटें जीत सकी थी। चुनाव में कांग्रेस अभी तक अपना खाता नहीं खोल सकी है।

बता दें कि दिल्ली के मुख्यमंत्री और आप प्रमुख अरविंद केजरीवाल नई दिल्ली सीट से चुनावी मैदान में हैं। मीडिया रिपोर्ट के मुताबिक केजरीवाल करीब 4000 वोटों से आगे चल रहे हैं। हरिनगर से भाजपा के तेजिंदर सिंह बग्गा पीछे चल रहे हैं। चांदनी चौंक से कांग्रेस की अलका लांबा पीछे हैं। बाबरपुर से आप के गोपाल राय आगे चल रहे हैं। इसी तरह करावलनगर से भाजपा के मोहन सिंह बिष्ट आगे हैं। मुस्तफाबाद से कुछ देर पहले पीछे चल रहे भाजपा के जगदीश प्रधान ने एक बार फिर बढ़त बना ली है। वो करीब 30 हजार वोटों से आगे चल रहे हैं।

दिल्ही वॉर

दिल्ली विधानसभा की 70 सीटों पर शुरूआती रुझानों में केजरीवाल की आम आदमी पार्टी को बहुमत मिल गया है. दिल्ली में इस बार कुल 672 उम्मीदवार मैदान में हैं, जिसमें 593 पुरुष और 79 महिला उम्मीदवार हैं. मुख्य मुकाबला सत्तारुढ़ आम आदमी पार्टी (आप), बीजेपी और कांग्रेस के बीच है.

February 9, 2020
exitpoll.jpg
1min5580

8 February શનિવારે એક્ઝિટ પોલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દિલ્હીની ચૂંટણીમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી (આપ) પ્રભાવશાળી જીત સાથે પુનઃ સત્તા પર આવશે. આમ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન બને એવી શક્યતા છે. ત્યાર બાદના ક્રમે બીજેપીની સંખ્યામાં સુધારો થશે. જોકે તેની અને આપની બેઠકોની સંખ્યા વચ્ચે ઘણું મોટું અંતર રહેશે. આમ બીજેપીનો ૨૦ વર્ષનો વનવાસ હજી પણ લંબાશે.

પોલનાં તારણો અનુસાર આપ બે-તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવશે. કેટલાક પોલમાં તેમને ત્રણ-ચતુર્થાંશ બહુમતી આપવામાં આવી છે. ચૂંટણીમાં કૉન્ગ્રેસનો નિરાશાજનક દેખાવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર આપને ૪૪થી ૫૦ અને બીજેપીને ૨૦થી ૨૬ બેઠકો મળશે.

એબીપી ન્યુઝ – સી વોટર પોલના એક્ઝિટ પોલ પ્રમાણે આપ ૪૯-૬૩ બેઠકો કબજે કરશે, જ્યારે બીજેપીના ફાળે ૫-૧૯ બેઠકો અને કૉન્ગ્રેસના ફાળે ૦-૪ બેઠકો આવી શકે છે.

રિપબ્લિક ટીવી – જન કી બાતના એક્ઝિટ પોલમાં આપને ૪૮-૬૧ બેઠકો, બીજેપીને ૯-૨૧ બેઠકો અને કૉન્ગ્રેસને ૦-૧ બેઠક મળશે એવી આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની ચૂંટણીઓમાં આપે ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી હતી. બીજેપીએ ત્રણ બેઠક મેળવી હતી, જ્યારે કૉન્ગ્રેસ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી.

February 8, 2020
kejriwal.jpg
3min6070

દિલ્હીમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં ૫૭.૦૬ મતદાન થયું હતું. સત્તાવાર સમય મુજબ મતદાનનો સમય ૬.૦૦ વાગ્યે પૂરો થઈ ગયો હતો. જોકે, અમુક મતદાન-કેન્દ્રોમાંથી અહેવાલો આવવાના બાકી હોવાથી મતદાનનો આંકડો થોડો વધી શકે, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

વિધાનસભાની ૭૦ બેઠકો માટેની મતદાન-પ્રક્રિયામાં ૧.૪૭ કરોડ કરતાં વધુ મતદારોને વોટ આપવા માટેનો અધિકાર હતો. આ વોટિંગ ૬૭૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતગણતરી મંગળવાર, ૧૧મીએ થશે. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૬૭.૦૮ ટકા મતદાન થયું હતું.

પાટનગરમાં શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં માત્ર ૪૧ ટકા વોટિંગ થયું હતું. એકંદરે, મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, કારણકે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક પહેરો હતો. સુરક્ષા-વ્યવસ્થામાં દિલ્હી પોલીસને અર્ધ-લશ્કરી દળોની મદદ પણ મળી હતી. ખાસ કરીને

ઇશાન દિલ્હી, શાહદરા અને પૂર્વ દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં આ દળોએ સલામતીના હેતુસર કૂચ કરી હતી.

આ ચૂંટણીમાં ૭૦ બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે અને એના ત્રણ હરીફ પક્ષોમાં આમ આદમી પાર્ટી (આપ) તેમ જ વિપક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) તથા કૉંગ્રેસનો સમાવેશ છે.

રાજધાનીના અમુક વિસ્તારોમાં વીવીપૅટ સ્લિપના સંબંધમાં કેટલીક ફરિયાદો કરાઈ હતી. કૉંગ્રેસના ઉમેદવાર રોમેશ સભરવાલે કહ્યું હતું કે વીવીપૅટ સ્લિપ પરથી તેમનું નામ અને ફોટો ગાયબ હતા. ‘મેં મતદાન-કેન્દ્રના સત્તાવાળાઓને લેખિતમાં ફરિયાદ કરી હતી જેને પગલે મશીન બદલવામાં આવ્યું હતું’, એમ સભરવાલે જણાવ્યું હતું.

શનિવારે મતદાન કરનારી જાણીતી વ્યક્તિઓમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ચીફ મિનિસ્ટર તથા ‘આપ’ના નેશનલ ક્ધવીનર અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા, દિલ્હી ભાજપના વડા મનોજ તિવારી, કેન્દ્રિય પ્રધાનો એસ. જયશંકર વગેરેનો સમાવેશ હતો.

કેજરીવાલ નવી દિલ્હી મતવિસ્તારમાંથી લડી રહ્યા છે. તેમણે રાજપુર ટ્રાન્સપોર્ટ ઑથોરિટી પોલીસ સ્ટેશનમાં મતદાન કર્યું ત્યારે તેમના પત્ની સુનિતા તથા પુત્ર પુલકીત પણ તેમની સાથે હતા. કેજરીવાલે મતદાન માટે જતાં પહેલાં માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.

આ વખતે પહેલી વાર મતદાન કરનારાઓમાં પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન તથા કેજરીવાલના પુત્ર પુલકીતનો સમાવેશ હતો.

12 વાગ્યા સુધી 15.47 ટકા મતદાન :

મંદ ગતિએ ચાલી રહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનમાં બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 15.47 ટકા મતદાન થયું હોવાની સત્તાવાર માહિતી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી હતી. મતદાન મથકની અંદર સ્માર્ટ ફોન નહીં લઇ જવા દેવાના નિયમનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો તેમજ ઘણા મતદારોએ મતદાન કરતી વખતે પોતાનો ફોન કોને આપવો એ પણ મુશ્કેલી અનુભવી હતી. વેબસાઇટ થકી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી છે. 

11 વાગ્યા સુધી 6.28 ટકા મતદાન

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે તા.8મી ફેબ્રુઆરી 2020ને શનિવારે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ક્યૂઆર કોડ્સ અને મોબાઇલ એપ્સ જેવા ટેક્નોલોજીનો ઉપયોગ આ ચૂંટણીમાં થઈ રહ્યો છે. દિલ્હીની ચૂંટણી લડાઇમાં આશરે દોઢ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એમ છે, જોવાનું એ રહે છે કે મતદાન કેટલું થાય છે.

સવારે 11ના ટકોરે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઓવરઓલ 6.28 ટકા મતદાન થયાના સત્તાવાર આંકડા ચૂંટણીતંત્રએ જાહેર કર્યા હતા. જોકે, આ મતદાન રાજકીય પક્ષોની અપેક્ષા કરતા ઓછું હોઇ, મુખ્ય રાજકીય પક્ષોએ મતદાન વેગવંતુ બનાવવા માટે કાર્યકરોને મતદાન બુથ સુધી દોરી લાવવા માટે કાર્યકરોને રેસિડેન્સીયલ સોસાયટીઓમાં દોડાવ્યા હતા.

દિલ્હીમાં સવારે 10 વાગ્યા સુધી 4.33 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં બનેલા મતદાન મથકોએ લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સહિત સિવિલ લાઈન્સ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું છે. આ ઉપરાંત વિદેશ મંત્રી જયશંકર, દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 

શાહીન બાગ અને અન્ય સંવેદનશીલ પોલિંગ વિસ્તારોમાં વધારાની દેખરેખ સાથે રાજધાની દિલ્હીમાં સલામતીનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં મતદાન માટે 2,689 સ્થળોએ 13,750 પોલિંગ બૂથ્સ ગોઠવી દેવાયા હતા. 516 સ્થળો પરના 3,704 લોકેશન્સને સંવેદનશીલ જાહેર કરાયા છે.  સવારે આઠ કલાકેથી શરૂ થયેલું મતદાન સાંજે છ કલાકે પૂર્ણ થશે. 

News in Hindi

दिल्ली में मतदान के लिए 13 हजार 750 मतदान केन्द्र बनाए गए : 70 सीटों पर 672 उम्मीदवार मैदान में : 148 निर्दलीय उम्मीदवार

दिल्ली की सभी 70 सीटों के लिए आज सुबह 8 बजे से वोटिंग जारी है. मतदान केंद्रों पर मतदाताओं की लंबी कतारे देखने को मिल रही है. इस चुनावी मुकाबले में सत्ता में काबिज AAP, बीजेपी और कांग्रेस मुख्य रूप से मैदान में हैं. इस चुनाव में कुल 672 प्रत्याशी अपनी किस्मत आजमा रहे हैं. दिल्ली के 1,47,86,382 मतदाता आज तय करेंगे कि दिल्ली की सत्ता पर कौन सी पार्टी काबिज होगी. चुनाव के नतीजे 11 फरवरी को आएंगे.

  • राष्ट्रपति रामनाथ कोविंद ने अपनी पत्नी सविता कोविंद के साथ राष्ट्रपति भवन में मौजूद राजेंद्र प्रसाद केंद्रीय विद्यालय में वोट डाला
  • पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह और उनकी पत्नी ने निर्माण भवन में वोट डाला
  • मुख्यमंत्री अरविंद केजरीवाल ने अपने परिवार के साथ सिविल लाइन्स के एक मतदान केंद्र पर वोट डाला. इस बार भी सीएम केजरीवाल नई दिल्ली विधानसभा सीट से मैदान में हैं. उनके खिलाफ बीजेपी के सुनील यादव और कांग्रेस के रोमेश सब्बरवाल चुनाव लड़ रहे हैं
  • पूर्व उपराष्ट्रपति हामिद अंसारी और संघ के वरिष्ठ नेता रामलाल ने निर्माण भवन में अपना वोट डाला. इस सीट से सीएम अरविंद केजरीवाल, बीजेपी के सुनील यादव और कांग्रेस के रोमेश सभरवाल चुनाव लड़ रहे हैं.
  • दिल्ली के एलजी अनिल बैजल और उनकी पत्नी माला बैजल ने ग्रेटर कैलाश के बूथ में अपना वोट डाला. इस सीट से आप उम्मीदवार सौरभ भारद्वाज और बीजेपी की शिखा राय और कांग्रेस के सुखबीर पवार मैदान में हैं
  • विदेश मंत्री एस जयशंकर ने तुगलक क्रिसेंट के स्कूल में बने पोलिंग बूथ पर दिल्ली विधानसभा के लिए वोट डाला
  • बीजेपी सांसद प्रवेश वर्मा ने मटियाला विधानसभा के लिए वोट डाला
  • जस्टिस आर भानुमति ने तुगलक क्रिसेंट के पोलिंग स्टेशन पर वोट डाला
  • दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया ने अपनी पत्नी के साथ पांडव नगर के एमसीडी स्कूल पहुंचर वोट डाला, मनीष सिसोदिया पटपड़गंज विधानसभा सीट से उम्मीदवार हैं
  • कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी ने औरंगजेब रोड के पोलिंग बूथ संख्या 81 में अपना वॉट डाला

विधानसभा चुनाव में आम आदमी पार्टी (AAP), भारतीय जनता पार्टी (BJP) और कांग्रेस (Congress) के बीच त्रिकोणीय मुकाबला है. मुख्यमंत्री अरविंद केजरीवाल जहां पांच साल के AAP सरकार के कामों को लेकर जनता से वोट मांग रहे हैं. वहीं, बीजेपी राष्ट्रवाद, नागरिकता कानून और शाहीन बाग में प्रदर्शन का मुद्दा उठा रही है

बाबरपुर में चुनाव अधिकारी की मौत

उत्तर पूर्वी दिल्ली के बाबरपुर में ड्यूटी के दौरान एक चुनाव अधिकारी की मौत हो गई है. ये घटना पोलिंग बूथ के अंदर मौत बाबरपुर प्राइमरी स्कूल में हुई है. पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए गुरु तेग अस्पताल भेज दिया है.

दिल्ली के शाहीन बाग में मतदाताओं की लंबी कतार देखने को मिल रही है. शाहीन पब्लिक स्कूल ओखला में बड़ी संख्या में वोटर दिख रहे हैं. AAP के अमानतुल्लाह यहां से मौजूदा विधायक है. इस बार उनका मुकाबला कांग्रेस के परवेज हाशमी और बीजेपी के ब्रह्म सिंह बिधुरी से है.

February 5, 2020
no_nrc.jpg
1min4980

એનઆરસી મુદ્દે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સીએએ અને એનઆરસીને સાથે જોડીને વિરોધ થઈ રહ્યો છે, જોકે સરકારે મંગળવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, રાષ્ટ્રીય સ્તરે નેશનલ રજિસ્ટર ઑફ ઈંડિયન સિટીઝન (એનઆરઆઈસી) તૈયાર કરવા બાબતમાં કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ માહિતી ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે આપી હતી.

એનઆરસી મુદ્દે સંસદમાં પુછાયેલા એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું. સંસદના ગત સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પસાર કરાયું હતું અને બાદમાં સીએએ ઍક્ટ બન્યો હતો.

એનઆરસી મુદ્દે ગૃહપ્રધાને અગાઉ જણાવ્યું હતું કે દેશમાં એ લાગુ કરાશે ત્યાર બાદ આસામ, ત્રિપુરા, બંગાળ સહિત દેશભરમાં હિંસક પ્રદર્શન થયાં છે. એક રેલીમાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે હજુ સુધી એનઆરસીને લઈ કોઈ બેઠક થઈ નથી. હવે ગૃહમંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું ત્યારે પણ એનઆરસીનો ઉલ્લેખ કરાયો નહોતો.

દરમિયાન નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના અપડેટ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં. વસતિ ગણતરીની કામગીરી દરમિયાન આધાર નંબર પૂરો પાડવાનું મરજિયાત છે, એમ ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું હતું.

એનપીઆરની તૈયારી બાબતમાં જે રાજ્યોને ચિંતા છે તેમની સાથે સરકાર ચર્ચા કરી રહી છે. તમામ વ્યક્તિ અને પરિવારની વિગતોની ડેમોગ્રાફિક ભેગી કરીને અપડેટ કરાશે.

એનપીઆરની અપડેટ કામગીરી દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં બીજું જેની નાગરિકતા શંકાસ્પદ છે તેનું કોઈ વેરિફિકેશન કરાશે નહીં.

એનપીઆરની કામગીરી ૧ એપ્રિલથી ૩૦, સપ્ટેમ્બર સુધી ચાલશે. ઘરે ઘરે જઈને વસતિ ગણતરી કરાશે. દરેક નાગરિક સાચી માહિતી પૂરી પાડે એમ જણાવાયું છે. એનપીઆર પ્રથમવાર ૨૦૧૦માં તૈયાર કરાયું હતું, જેે ૨૦૧૫માં અપડેટ કરાયું હતું. આસામ સિવાય દેશના અન્ય ભાગમાં એનપીઆર માટે માહિતી ભેગી કરાશે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ઈશાનના રાજ્યો અને ભાજપ સિવાયના રાજ્યોના તેમના સમકક્ષને અપીલ કરી છે કે એનપીઆર ફોર્મનો કાળજીપૂર્વક અભ્યાસ કરે. એનપીઆરની કામગીરી જોખમી ગણાવી છે.

કેરળ સરકારે એનપીઆરમાં સહકાર નહીં આપવા જાહેરાત અગાઉ કરી હતી. એનપીઆર અને એનઆરસીનો વિરોધ વધારે જોવાયો છે. સીએએને પણ તેની સાથે જોડી દેવાયું છે.