CIA ALERT
19. May 2024
February 5, 20201min2600

Related Articles



રાષ્ટ્રીય સ્તરે NRC ની હાલ તુરત કોઇ યોજના નથી, સરકારે સંસદમાં સ્પષ્ટતા કરવી પડી

Share On :
Print Friendly, PDF & Email

એનઆરસી મુદ્દે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સીએએ અને એનઆરસીને સાથે જોડીને વિરોધ થઈ રહ્યો છે, જોકે સરકારે મંગળવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, રાષ્ટ્રીય સ્તરે નેશનલ રજિસ્ટર ઑફ ઈંડિયન સિટીઝન (એનઆરઆઈસી) તૈયાર કરવા બાબતમાં કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ માહિતી ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે આપી હતી.

એનઆરસી મુદ્દે સંસદમાં પુછાયેલા એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું. સંસદના ગત સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પસાર કરાયું હતું અને બાદમાં સીએએ ઍક્ટ બન્યો હતો.

એનઆરસી મુદ્દે ગૃહપ્રધાને અગાઉ જણાવ્યું હતું કે દેશમાં એ લાગુ કરાશે ત્યાર બાદ આસામ, ત્રિપુરા, બંગાળ સહિત દેશભરમાં હિંસક પ્રદર્શન થયાં છે. એક રેલીમાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે હજુ સુધી એનઆરસીને લઈ કોઈ બેઠક થઈ નથી. હવે ગૃહમંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું ત્યારે પણ એનઆરસીનો ઉલ્લેખ કરાયો નહોતો.

દરમિયાન નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના અપડેટ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં. વસતિ ગણતરીની કામગીરી દરમિયાન આધાર નંબર પૂરો પાડવાનું મરજિયાત છે, એમ ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું હતું.

એનપીઆરની તૈયારી બાબતમાં જે રાજ્યોને ચિંતા છે તેમની સાથે સરકાર ચર્ચા કરી રહી છે. તમામ વ્યક્તિ અને પરિવારની વિગતોની ડેમોગ્રાફિક ભેગી કરીને અપડેટ કરાશે.

એનપીઆરની અપડેટ કામગીરી દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં બીજું જેની નાગરિકતા શંકાસ્પદ છે તેનું કોઈ વેરિફિકેશન કરાશે નહીં.

એનપીઆરની કામગીરી ૧ એપ્રિલથી ૩૦, સપ્ટેમ્બર સુધી ચાલશે. ઘરે ઘરે જઈને વસતિ ગણતરી કરાશે. દરેક નાગરિક સાચી માહિતી પૂરી પાડે એમ જણાવાયું છે. એનપીઆર પ્રથમવાર ૨૦૧૦માં તૈયાર કરાયું હતું, જેે ૨૦૧૫માં અપડેટ કરાયું હતું. આસામ સિવાય દેશના અન્ય ભાગમાં એનપીઆર માટે માહિતી ભેગી કરાશે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ઈશાનના રાજ્યો અને ભાજપ સિવાયના રાજ્યોના તેમના સમકક્ષને અપીલ કરી છે કે એનપીઆર ફોર્મનો કાળજીપૂર્વક અભ્યાસ કરે. એનપીઆરની કામગીરી જોખમી ગણાવી છે.

કેરળ સરકારે એનપીઆરમાં સહકાર નહીં આપવા જાહેરાત અગાઉ કરી હતી. એનપીઆર અને એનઆરસીનો વિરોધ વધારે જોવાયો છે. સીએએને પણ તેની સાથે જોડી દેવાયું છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :