CIA ALERT
03. May 2024
March 3, 20201min2880

Related Articles



સોશ્યલ મિડીયાને કાયમ માટે ગુડબાયના પીએમ મોદીનો સંકેત

Share On :
Print Friendly, PDF & Email

સોશિયલ મીડિયાએ જેમની રાજનીતિને એક નવી જ દિશા આપી અને જેમણે સોશિયલ મીડિયાને શત્ર બનાવીને ભારતીય રાજકારણમાં એક નવા યુગનો આરંભ કરાવ્યો તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ચોંકાવનારી વાત કરતાં ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ હવે ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાને અલવિદા કરવા વિચારી રહ્યા છે. મોદીએ આ સંભાવના વ્યક્ત કરવા સાથે જ તેમનાં ચાહકો અને સમર્થકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી.

તેમણે 2 માર્ચે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, આ રવિવારથી હું ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા છોડવાનું વિચારું છે. તેમણે સાથે એમ પણ ઉમેર્યુ હતું કે, તેઓ પોસ્ટ કરતાં રહેશે. તેમણે આ જાણકારી પોતાનાં વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ ઉપરથી આપી હતી. તેમણે આ ટ્વિટર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે 10000થી વધુ વખત રિટ્વિટ થઈ ગયું હતું. લોકો તેમને પોતાનાં નિર્ણય ઉપર ફેરવિચાર કરવાં અપીલો કરવાં લાગ્યા હતાં.

મોદી સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાઓ પૈકી એક છે. તેઓ પત્રકાર પરિષદ યોજીને લોકો સુધી પહોંચવાને બદલે સોશિયલ મીડિયાથી લોકોનાં સીધા સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. મન કી બાત રેડિયો કાર્યક્રમ પણ તેમનાં આ અભિગમનો જ એક હિસ્સો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :