દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.
હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.
પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.
નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.
લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ પૉલિસીધારકોને તેમની બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ (પ્રીમિયમ નહીં ભરવાથી રદ થયેલી) થયેલી પૉલિસી રિવાઈવ કરવાની છૂટ આપી છે. જે પૉલિસી બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ થઈ ગઈ હતી જેને અગાઉ ફરી શરૂ કરવાની છૂટ ન હતી તેવી પૉલિસી પણ હવે પુનર્જીવિત થઈ શકશે તેવું એલઆઈસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું.
પહેલી જાન્યુઆરી ૨૦૧૪ પછી જેમણે પૉલિસી લીધી હતી તેવી યુનિટ-લિન્કડ પૉલિસી ત્રણ વર્ષમાં અને યુનિટ લિન્ક નહીં હોય તેવી પૉલિસી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરી શકાશે. એલઆઈસીના મેનેજિંગ ડિરેકટર વિપિન આનંદે કહ્યું હતું કે કોઈ કારણવશ પ્રીમિયમ નહીં ભરી શકાયું હોય અને પૉલિસી રદ થઈ જતી હોય તો તે પૉલિસી રિન્યૂ કરવાની છૂટ મળે તે સારી બાબત છે. તેમણે કહ્યું કે જીવન વીમા પૉલિસી લેવાનો નિર્ણય જીવનના સારા નિર્ણયોમાંથી એક છે. અમે અમારા દરેક પૉલિસીધારકની કદર કરીએ છીએ અને જીવન વીમા છત્ર અમારી સાથે ચાલુ રાખવાની તેમની ઈચ્છાને અમે સન્માન આપવા માગીએ છીએ.
ભૂતકાળમાં જે પૉલિસીઓ રિન્યૂ નહીં કરી શકાય હતી પણ હવે કરી શકાય છે તે એક પૉલિસીધારકો માટે સારી તક છે તેવું તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રના રાજકારણનું ડહોળાયેલું ચિત્ર આજે થોડુંઘણું સ્પષ્ટ થવાના સંકેતો છે. દિલ્હી ખાતે આજે એનસીપીના વડા શરદ પવાર અને કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે બેઠક થનારી છે. આ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આજે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવાના છે.
રાજ્યમાં એનસીપીને ૫૪ અને કૉંગ્રેસને ૪૪ બેઠક મળી હોવાથી આ બન્ને પક્ષ મળી સત્તા સ્થાપી શકે તેમ નથી, પરંતુ ભાજપ (૧૦૫) અને શિવસેના (૫૬) વચ્ચે સોગઠું ન ગોઠવાતા શિવસેનાને સમર્થન આપી સત્તામાં આવવાના દ્વાર બન્ને પક્ષ માટે ખુલ્યા છે અને તેથી આજની આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. પવાર અને ગાંધી દેશની આર્થિક સ્થિતિની ચર્ચા કરવા આજે મળશે તેવું સત્તાવાર રીતે કહેવામાં આવે છે.
બીજી બાજુ સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ફડણવીસ રાજ્યમાં સર્જાયેલા લીલા દુકાળની સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી મદદ માટે શાહને મળી રહ્યા છે, પરંતુ સ્વાભાવિક છે કે તેઓ રાજ્યની રાજકીય સ્થિતિ અંગે શાહને અવગત કરશે. દિલ્હીમાં થઈ રહેલી આ બે મુલાકાત રાજ્યમાં નવી સરકાર અંગેના ચિત્રને સ્પષ્ટ કરે તેવી સંભાવના છે.
ટીમ ઇન્ડિયા આજે તા.3 નવેમ્બર 2019ને રવિવારે સાંજે નવી દિલ્હી સ્થિત ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ ખાતે બાંગલાદેશ સામે પહેલી ટી-20 મેચમાં ટકરાશે, મેચ માચે ભારતે યુવા ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ પૂર્વે ટીમમાં સ્થાન આપ્યું છે.
દિવાળી બાદ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું છે ત્યારે જ અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના આયોજને સવાલ સર્જ્યા છે. બી.સી.સી.આઇ.એ છેલ્લી ઘડીએ અન્યત્ર આયોજનનો ઇન્કાર કરી દીધો હતો.
વિરાટ કોહલીની ગેરહાજરીમાં જેને કપ્તાની સોંપાઇ છે એ રોહિત શર્માને નેટ પ્રેક્ટિસ દરમ્યાન સાથળમાં દડો વાગી ગયો હતો પણ તેની ઇજા ગંભીર નથી. ટીમ ઇન્ડિયા ફેવરિટ તરીકે ઊતરશે. આગામી વરસે ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી-20 વર્લ્ડકપ પૂર્વે ટીમ ઇન્ડિયાએ 20 જ મેચ રમવાની છે ત્યારે ભારતીય ટીમ યોગ્ય સંયોજન મેળવી લેવા માટે પ્રયત્નશીલ છે.
ભારતે આ સિરીઝ માટે અનેક યુવાઓનો સમાવેશ કર્યો છે ત્યારે મુંબઇનો ઓલરાઉન્ડર શિવમ દુબે, મુંબઇનો જ શાર્દૂલ ઠાકુર અને રાજસ્થાનના દીપક ચહર જેવા ખેલાડીઓ તક ઝડપી લેવા આતુર છે. સ્પિનર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ મોકો મળ્યે પ્રતિભા બતાવવા મથશે.
વિદેશમાં મેડીકલ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણ સર્વદા’ એ રજૂ કરી ઉપયોગી માહિતી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતમાં, ગુજરાતમાં મેડીકલ કોલેજોની અપૂરતી સગવડને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ ડોક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે વિદેશોમાં ખાસ કરીને ચીન, રશીયા, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ, જ્યોર્જિયા વગેરે દેશોમાં આવેલી મેડીકલ કોલેજોમાં પ્રવેશ લઇને ભણવા માંડે છે. આ પ્રકારે વર્ષે દહાડો 200 કરોડથી વધુ ભારતીય ચલણ ફોરેનમાં ઘસડાય જઇ રહ્યું છે. ખેર અહીં મુદ્દો એ નથી પણ અહીં એક અગત્યની વાત પર દિશા નિર્દેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વિદેશની યુનિવર્સિટીમાં સસ્તુ છે એટલે, સારું છે એટલે મળ્યું એટલે પ્રવેશ લઇ લેવાની મનોવૃતિ છોડીને વિદેશની કઇ યુનિવર્સિટીના મેડીકલ ગ્રેજ્યુએટ ભારતમાં ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ પાસ કરી શકે છે એ જોઇને પ્રવેશ લેવો જોઇએ.
ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ
ભારતમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નિયમ બનાવ્યો છે કે ફોરેનમાં અમેરિકા, યુ.કે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને કેનેડા દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએટ કરીને આવેલા હોય એવા ઉમેદવારો સિવાય બાકીના કોઇપણ દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએશન કર્યા બાદ ભારતમાં તબીબી પ્રેક્ટીસ કે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડી કરવા ઇચ્છતા ઉમેદવારોએ ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એકઝામ આપવી ફરજિયાત છે. રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, નેપાળ, વેસ્ટ ઇન્ડીઝ વગેરેથી મેડીકલ ગ્રેજ્યુએશન કરીને આવેલા તબીબો માટે આ પરીક્ષા પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય છે.
2015-2018 સુધીમાં કેટલા FMGE પાસ કરી શક્યા? વાંચો અહીં
ભારતમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ NBE (એન.બી.ઇ.) દ્વારા FMGE એફ.એમ.જી.ઇ. પરીક્ષા લેવામાં આવે છે અને આ એફ.એમ.જી.ઇ. પરીક્ષામાં ગત 2015થી લઇને 2018 એટલે કે ગયા વર્ષ સુધી ફિલિપાઇન્સ, રશીયા, ચાઇના અને કઝાકિસ્તાનની કઇ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા? અને તેમાંથી કેટલા પાસ થયા? તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં મેડીકલ ભણવા માટે ફોરેન જવાનું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી ડેટા સાબિત થશે જે નિર્ણય લેવામાં પણ સહાયભૂત નિવડશે.
ચીનની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં
રશીયાની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં
ફિલિપાઇન્સની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં
વિદેશ અભ્યાસ કે ભારતમાં કોર્સ, યુનિવર્સિટી સંબંધી અગર કારર્કિદી માર્ગદર્શન માટે મળી શકાય, અમે સૂરતમાં મળી શકીએ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 98253 44944
અયોધ્યા, શબરીમાલા, રાફેલ અને RTI પર સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વના ચુકાદાઓ
આગામી 10 દિવસમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા હાથ ધરવામાં આવનારા 4 અત્યંત મહત્વના અને સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાનો અંતિમ ફેંસલો સંભળાવી શકે. કદાચ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાઓ પર અંતિમ ફેંસલાઓ ન પણ હોય તો પણ સમગ્ર ભારતમાં તેમના રુલિંગ, હિયરીંગ ચર્ચાનો મુદ્દો બનશે. આ 4 સંવેદનશીલ મુદ્દાઓ આ મુજબ છે.
અયોધ્યા ખાતે રામજન્મભૂમિના વિવાદમાં અંતિમ નિર્ણય આવી શકે
અયોધ્યા મામલે ચુકાદો જે 1858થી દેશના સામાજીક-ધાર્મિક મામલે મુખ્ય બિંદુ રહ્યો છે. જેના પર 1885થી કેસ ચાલી રહ્યો છે. હવે આ કેસના લાંબા ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય નોંધાશે.
દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ શબરીમાલામાં મહિલાઓના પ્રવેશ ના વિવાદમાં
સબરીમાલા અયપ્પા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ અંગે મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા અપીલ પર ચુકાદો આગામી 10 દિવસમાં આવી શકે એમ છે.
રાફેલ સોદામાં મોદી સરકાર સામે થયેલી રિટી પીટીશનો બાદ ક્લીન ચીટ આપવા સંદર્ભનો ચુકાદો આવી શકે
મોદી સરકાર દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા યુદ્ધ વિમાનો રાફેલના સોદામાં કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચાર આચરવાથી લઇને રિલાયન્સના અનિલ અંબાણીની તરફદારી સુધીના અનેક આક્ષેપો થયા, રિટ પીટીશન્સ થઇ હતી. હવે આ કેસમાં કેન્દ્રની મોદી સરકારને ક્લિન ચીટ આપવાના સંદર્ભનો નિર્ણય પણ આગામી 10 દિવસમાં આવી શકે.
ચીફ જસ્ટીશને રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ લાવવા સંદર્ભે
દેશમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ અમલમાં આવ્યો છે. આ કાયદાથી કોઇ પર નથી પરંતુ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ઓફ ઇન્ડિયા કે જે અત્યાર સુધી આ કાયદાના દાયરામાં આવ્યા નથી, તેમને પણ આર.ટી.આઇ. હેઠળ લાવવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં રિટ પીટીશન કરવામાં આવી છે. CJIને RTI અંતર્ગત લાવવાના મામલે પણ ચુકાદો આગામી 10 દિવસમાં આવી શકે એમ છે.
દેશમાં 2011-12થી 2017-18ના છ વર્ષમાં પહેલીવાર 90 લાખ જેટલી મોટી સંખ્યામાં નોકરીમાં ચિંતાજનક ઘટાડો થયો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ તરફથી જારી કરાયેલાં એક સંશોધન હેવાલ મુજબ દર વર્ષે 26 લાખ નોકરીઓ ઘટે છે.
સંતોષ મેહરોત્રા અને જે.કે. પરિદાએ તૈયાર કરેલા હેવાલ મુજબ 2011-12માં દેશમાં 47.4 કરોડ નોકરી હતી જે 2017-18 સુધી ઘટીને 45.7 કરોડ પર પહોંચી ગઈ. અલબત્ત, આ હેવાલના તારણો લવીશ ભંડારી અને અમરેશ દુબે દ્વારા તૈયાર કરાયેલા હેવાલના તારણોથી અલગ છે. ભંડારી અને દુબેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, 2011-12માં 83.3 કરોડ નોકરી હતી જે 2017-18માં વધીને 45.7 કરોડ થઈ ગઈ.
મેહરોત્રા અને પરિદાનો અભ્યાસ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એન.એસ.એસ.ઓ.)ના 2004-05 થી 2011-12ના રોજગાર સર્વેક્ષણ અને પીરિયોડીક લેબર ફોર્સ સર્વેના 2017-18ના આંકડાના આધારે કરવામાં આવ્યો છે.
ઝારખંડ રાજ્યની વિધાનસભાની ચૂંટણી આગામી ૩૦ નવેમ્બર-૨૦ ડિસેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં યોજાશે અને મતગણતરી ૨૩મી ડિસેમ્બરે થશે, એમ ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું.
મુખ્ય ચૂંટણી નિરીક્ષક સુનીલ અરોરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઝારખંડની વિધાનસભાની કુલ ૮૧ બેઠકો માટે મતદાન થશે અને એની પાંચ તારીખો આ મુજબ છે: ૩૦ નવેમ્બર (૧૩ બેઠક માટે), ૭ ડિસેમ્બર (૨૦ બેઠક), ૧૨ ડિસેમ્બર (૧૭ બેઠક), ૧૬ ડિસેમ્બર (૧૫ બેઠક) અને ૨૦ ડિસેમ્બર (૧૬ બેઠક). નક્સલવાદીઓથી રંજિત ઝારખંડ રાજ્યમાં વર્ષ ૨૦૧૪માં પણ વિધાનસભાની ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઈ હતી. આ રાજ્યમાં ભાજપનું શાસન છે અને રાજ્યમાં આદિવાસીઓની મોટી વસતિ છે. આ વખતે કૉંગ્રેસ તથા ઝારખંડ મુક્તિ મોરચાની યુતિ મુખ્ય પ્રધાન રઘુબર દાસની આગેવાની હેઠળની શાસક સરકારને હોદ્દા પરથી ઉથલાવી દેવા કટિબદ્ધ છે. દાસ પાંચ વર્ષની આખી મુદત પૂરી કરનારા આ રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન છે.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિરોધ પક્ષોનો પર્ફોર્મન્સ ધારણા કરતાં સારો રહ્યો હોવાથી ઝારખંડમાં પણ વિપક્ષોની યુતિ પર સૌકોઈની નજર રહેશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, પરંતુ એની બેઠકોની સંખ્યા ધારણા કરતાં ઓછી રહી છે. ઝારખંડમાં ભાજપ સરકારે ફરી એકવાર સ્થિર, ભ્રષ્ટાચાર-વિહોણા અને વિકાસલક્ષી શાસનનું વચન આપ્યું છે. બીજી તરફ, વિપક્ષોએ દલીલ કરી છે કે ભાજપના રાજમાં આ રાજ્યમાં પ્રગતિ રુંધાઈ ગઈ છે.
૧૯મી નવેમ્બર સુધીમાં ૨૩ એ ૩૨૦ નિયો વિમાનના પ્રાટ્ટ એન્ડ વ્હીટની (પીડબલ્યૂ) ઍન્જિન બદલવા ઉડ્ડયન ક્ષેત્રના નિયામક ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને નિર્દેશ આપ્યા હતા. કોઈપણ રીતે આગામી વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધીમાં ઈન્ડિગોના તમામ ૯૭ વિમાનમાં મોડીફાઈડ (સુધારેલા) પીડબલ્યૂ ઍન્જિન હોવા જોઈએ, તેવી પણ ડીજીસીએએ સૂચના આપી હતી. ડિરેકટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (ડીજીસીએ)એ એક પ્રેસ નોટમાં કહ્યું કે ‘૨૩ વિમાનમાં ઓછામાં ઓછું એક એલપીટી (લૉ પ્રેસર ટર્બાઈન) ફિટ ન કરેલું હોય તો એક પણ વિમાનને ઉડ્ડયનની પરવાનગી આપવામાં આવશે નહીં.’
એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા
છેલ્લા એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા છે જેનાથી પરિણામ સ્વરૂપ ઉડ્ડયન સમયપત્રક ખોરવાઈ જતું હોય છે આની જાણ થયા પછી ડીજીસીએએ નિર્દેશ આપ્યો હતો. બુધવારે કોલકાતાથી પુણે જતુ ઈન્ડિગો એ ૩૨૦ નિયો પ્લેનનું એક ઍન્જિન આકાશ મધ્યે ખોટકાઈ જતા વિમાનને કોલકાતા ઍરપોર્ટ પર પાછું વાળવામાં આવ્યું હતું. આ જ રીતે લાગલગાટ ૨૪થી ૨૬મી ઑક્ટોબરના ત્રણ દિવસ ત્રણ વિમાનના ઍન્જિનમાં ક્ષતિ ઊભી થવાના બનાવ નોંધાયા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.