અટકેલા હાઉસિંગ પ્રૉજેક્ટ્સ માટે ₹ ૨૫,૦૦૦ કરોડ
સરકારે અટકી પડેલા ૧,૬૦૦ હાઉસિંગ પ્રૉજેક્ટને આર્થિક સહાય કરવા માટે બુધવારે રૂપિયા ૨૫,૦૦૦ કરોડ ફાળવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર આ ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડ આપશે, જ્યારે એસબીઆઇ (ભારતીય સ્ટેટ બૅન્ક) અને એલઆઇસી (ભારતીય જીવન વીમા નિગમ) રૂપિયા ૧૫,૦૦૦ કરોડ આપશે એટલે કુલ મળીને રૂપિયા ૨૫,૦૦૦ કરોડ થશે.તેમણે જણાવ્યું હતું કે દેશભરમાંના અટકી પડેલા ૧,૬૦૦ હાઉસિંગ પ્રૉજેક્ટના ૪.૫૮ લાખ હાઉસિંગ યુનિટને આ આર્થિક લાભ મળશે.સરકારે બાંધકામ ક્ષેત્રે રોજગારી ઊભી કરવા અને સિમેન્ટ, લોખંડ તેમ જ સ્ટીલની માગ વધારવા આ પગલું ભર્યું છે.કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે નૉન-પરફૉર્મિંગ એસેટ્સ (એનપીએ) અથવા નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માંના હાઉસિંગ પ્રૉજેક્ટ્સને રૂપિયા ૨૫,૦૦૦ કરોડના ઑલ્ટરનેટ રિયલ એસ્ટેટ ફંડનો લાભ મળશે.
ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં સૉવરિન એન્ડ પેન્શન ફંડ પણ જોડાવાની આશા હોવાથી તેની રકમ વધી શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now