ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું
દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.
હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.
પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.
નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now