કોરોનાનો બિનજરૂરી ડર લાભ કરતા નુકસાન વધુ પહોંચાડી રહ્યો હોવાનું જણાવી સરકારે લોકોને ભય ત્યજી દેવાની સોમવારે હાકલ કરી હતી.
વૅક્સિનેશનની જરૂર પર ભાર મૂકી તેમણે વૅક્સિનેશન ઝુંબેશ ઝડપી બનાવવાની હાકલ કરી હતી.
મહિલાઓ માસિક ધર્મ સમયે પણ કોરોનાની વૅક્સિન લઈ શકશે, એમ તેમણે કહ્યું હતું.
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે અનેક લોકો ગભરાટને કારણે હૉસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે અને બૅડ પર કબજો કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
ડૉક્ટરની સલાહ બાદ જ દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
મૅડિકલ ઑક્સિજનની અછત અંગે તેમણે કહ્યું હતું કે ભારતમાં વિપુલ માત્રામાં મૅડિકલ ઑક્સિજન ઉપલબ્ધ છે, પરંતુ હૉસ્પિટલોમાં પહોંચાડવા તેને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવો મોટો પડકાર છે.
હૉસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
સરકારે હૉસ્પિટલોને ઑક્સિજનનો યોગ્ય ઉપયોગ કરવા અને તેનો બગાડ તેમ જ ગળતર થતું અટકાવવા જણાવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
કોરોનાની મહામારી સામેની લડતમાં ઑક્સિજનનો તર્કસંગત ઉપયોગ અને રેમડેસિવિર તેમ જ ટોસિલિઝુમેબ જેવા ઈન્જેક્શનો યોગ્ય રીતે પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તે જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાના ગંભીર દરદીઓ પર રેમડેસિવિર ઈન્જેક્શન કારગત નીવડે છે એવું હજુ ચોક્કસપણે સ્થાપિત નથી થયું એમ છતાં સૂચન મુજબ અન્ય ઈન્જેક્શનનો ઉપયોગ પણ કરી શકાય, એમ તેમણે કહ્યું હતું.
કોરોના સામેની લડત માટે દેશમાં યોગ્ય માળખાકીય સુવિધાઓ તો ઊભી કરવામાં આવી છે, પરંતુ દેશની વસતિને કારણે તેનાં પણ ભારે દબાણ સર્જાશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આમ છતાં કોરોનાને નિયંત્રણમાં લેવો જરૂરી છે.
વૅક્સિનેશન ઝુંબેશને બની શકે તેટલો વેગ આપવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સંશોધન દર્શાવે છે કે જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં ન આવે તો એક વ્યક્તિ ૩૦ દિવસમાં ૪૦૬ જણને સંક્રમિત કરી શકે છે.
જો શારિરીક સંપર્કમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવે તો એટલા જ સમયગાળમાં એક વ્યક્તિ ૧૫ જણને અને શારિરીક સંપર્કમાં ૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવે તો એક વ્યક્તિ એટલા જ સમયગાળામાં ૨.૫ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
સમય આવી ગયો છે કે લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરવાનું શરૂ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
ભાવનગરના અનુભવી તબીબ’ ડો.દિપકભાઇ ગોલવાલકર કોરોનાના દર્દીને સસ્તી, સરળ અને અસરકારક દવા (ખયાવું હયક્ષય બહીય) મિથીલીન બ્લૂના પ્રયોગથી સાજા કરી રહ્યાં છે. આ સારવાર અને તેની’ ઉપયોગીતા વિશે તેની પૂર્વ ભૂમિકા અંગે જાણીએ.
ડો. દિપક ગોલવાલકર કહે છે’
મિથીલીન બ્લ્યૂ દવા નવી નથી. બીજા વિશ્વ યુધ્ધ પહેલાં પણ વપરાતી પરંતુ તેનો ઉપયોગ અને પ્રયોગ નવો છે. ટીબીની ભાવનગર જિલ્લામાં આવેલ કે.જે. મહેતા હોસ્પિટલમાં મેં 12 વર્ષ આ દવાનો પ્રયોગ કરી ટીબીના દર્દીમાં સારા રીઝલ્ટ મળેલા. ત્યાર બાદ માર્ચ 2020માં કોરોનાની શરૂઆત થયેલી તે વખતે આ દવાને ઉપયોગમાં લેતા ઘણા સારા રીઝલ્ટ મળ્યા. દવા લેવામાં અર્ધી ચમચી જીભ નીચે રાખવાની જેથી તે કોરોનાના ઇન્ફેકશનને દૂર કરશે. શ્વાસ વાટે દવા લેવાથી શ્વાસ નળી શ્વસત તંત્ર, ફેફસામાં જઇને પોતાનું કામ કરશે. સામાન્ય રીતે બીજી દવા લેતા શરીરમાંથી’ કફ છુટો પાડી બહાર કાઢે છે.’ જ્યારે આ દવા સુકી કણીના રૂપમાં ફેરવે છે.
આજે લોકોનું મનોબળ વધારી વ્યાપેલા ડરને મીટાવવાનું કામ જરૂરી છે. સાવચેતી અને નિયમ પાલનની જરૂર છે. આ દવા અને આ પ્રયોગથી વધુને વધુ’ દર્દીઓ લાભાન્વિત કરાય તથા બીજા દર્દીઓ નવા અને તે દિશામાં’ કાર્ય થાય તે બહુ ‘જરૂરી છે.
ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલા ડો. દિપકભાઇ ગોલવાલકરના ક્લિનિકમાં રોજના દોઢસોથી બસ્સો દર્દીઓ આવે છે. જેમાં મોટા ભાગના તો કોરોનાના પીડીત હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સેવા ભાવના અને સદ્કર્મના ઉદ્દેશયથી આ ડોકટર હજુ રોજ અપીલ કરે છે કે આ દવા અને તેની સારવાર પધ્ધતિનો લાભ વધુમાં વધુ લોકો તેવુ એ ઇચ્છે છે. સરકાર અને તંત્ર સાથે મળીને એવુ ગોઠવે કે તેનો લાભ તુરંત અને મોટા પાયે મળે.
કેટલીક જાણીતી હસ્તીઓ, નેતાઓએ આના પ્રયોગ કર્યા છે, ફાયદા મેળવ્યા છે. પણ આ મુદ્દે હજુ વૈજ્ઞાનિક રીતે કોઇ કંઇ કહેતું નથી. આ પ્રયોગની ચકાસણી જરૂર થવી જોઇએ.
આથી સાદી, સસ્તી દવા જો અસરકારક હોય તો સરકાર એને ગંભીરતાથી લે અને લોકોને માર્ગદર્શન આપે. આવા પ્રયોગ’ ડોકટરના નિર્દેશન નીચે થવા જોઇએ.
દિહોરના યુવાન અને અભ્યાસી વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા પણ આજે પ્રશંસનીય આરોગ્ય સેવા કરી રહ્યા છે. આયુર્વેદિક વનસ્પતિ ગળો સહિતની દવાનો ઉકાળો, નાસ લેવાનું સુચવે છે. આ દવાના પડીકા ભાવનગર શહેર, દિહોર, સિહોર વગેરે ઘરે ઘરે જઇ મફત આપેલ છે. આ માટે બીલકુલ ન ગભરાવા અને આ દવાથી સાજા થઇ થવાની હિંમત આપી રહ્યા છે. ‘આવા જ ભાવનગર એાપ્થેલમોલોજીસ્ટ આંખના ડો. જગદીપભાઇ કાકડીઆએ ગયા વર્ષના માર્ચ મહિનામાં કોરોનાની સાદી સરળ સારવારના પ્રયોગ કરી બતાવેલ. પરંતુ લોકોને તેનો લાભ ન મળ્યો. પરંતુ આ જ ડોકટરના પ્રયોગને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલાક તબીબોએ રસ દાખવી પ્રયોગ કરેલ.
કોરોનાની મીથેલીન બ્લુથી સારા રીઝલ્ટ બાદ રશીયાના તબીબે જાણકારી મેળવી 45 જેટલા દર્દી પર પ્રયોગ અને પરીક્ષણ કરી સારા પરિણામ મળેલા. વિશેષ માહિતી, માર્ગદર્શન અને પૂછપરછ માટે ડો. દિપક ગોલવાલકર ફોન નં. (0278) 2424448, મો.63528 17323.
મિથીલીન બ્લ્યૂને WHOની માન્યતા નથી
કોરોનાની સારવારમાં મિથિલીન બ્લ્યૂ કારગત રહેતી હોવાના દાવા સાથે એક દાવો એવો પણ કરવામાં આવે છે કે આ દવાને કોવિડ-19ના ઉપચાર માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ની પણ મંજૂરી મળી છે. જો કે હુ દ્વારા આવી કોઈ જ સત્તાવાર ઘોષણા હજી સુધી થયેલી નથી. જો કે હુ દ્વારા દુનિયા માટે આવશ્યક દવાઓની એક યાદી આપવામાં આવે છે તેમાં મિથિલીન બ્લ્યૂ સમાવિષ્ટ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે હુ દ્વારા કોરોના માટે તે સૂચવાયેલી દવા છે. હા, અમેરિકા સહિતના કેટલાક દેશોમાં આ દવાનો કોરોનાના ઈલાજમાં ઉપયોગ કરવાં માટે પરીક્ષણો ચાલી રહ્યાં છે. તેનાં પરિણામો વિશે હજી સુધી કોઈ ચોક્કસ જાણકારીઓ મળી નથી.
સામેની વ્યક્તિ તમારો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરીને પૈસાની માગણી કરી શકે છે : સુરતમાં જ નહીં આવા અનેક કિસ્સાઓ ભારતમાં બની રહ્યા છે
લૉકડાઉન દરમ્યાન સોશ્યલ મીડિયાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોવાથી એનો ક્યાં અને કેટલો ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિ માટે જરૂરી બન્યું છે. હાલમાં સાઇબર ગઠિયાઓ લોકો સાથે ન્યુડ ચૅટ કરી સામેવાળાનો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરી તેમની પાસે પૈસાની મોટા પ્રમાણમાં માગણી કરી રહ્યા હોવાની માહિતી સાઇબર સેલ પાસે પહોંચી છે. ભાંડુપમાં રહેતી પચીસ વર્ષની એક અજાણી વ્યક્તિ સાથે ન્યુડ ચૅટ કરીને સામેની વ્યક્તિએ તેનો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરી લીધો હતો અને એને વૉટ્સઍપ દ્વારા મોકલીને ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી જેની ફરિયાદ ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે.
ભાંડુપ (વેસ્ટ)માં સોનાપુર જંક્શન નજીક રહેતા પચીસ વર્ષના યુવાનને સોશ્યલ મીડિયા (ફેસબુક) પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘રિક્વેસ્ટ જોઈને યુવાને તરત માન્ય કરી હતી. એમાં તેણે યુવતીએ હાયનો મેસેજ મોકલતાં યુવક તેની સાથે ચૅટિંગ કરવામાં મશગૂલ થઈ ગયો હતો. બે દિવસ ચૅટ કર્યા બાદ યુવતીએ તેનો મોબાઇલ-નંબર યુવકને આપ્યો હતો જેમાં યુવતીએ વિડિયો-કૉલ કરીને યુવકને પોતાના શરીરનાં અંગો દેખાડ્યાં હતાં. એ દરમ્યાન યુવતીએ પણ યુવકને પોતાના શરીરનાં અંગો દેખાડવા માટે કહ્યું હતું. યુવકે એક્સાઇટમેન્ટમાં આવીને સામે કપડાં કાઢીને પોતાના શરીરનાં અંગો દેખાડ્યાં હતાં. યુવક પોતાના શરીરનાં અંગો દેખાડી રહ્યો હતો ત્યારે યુવતીએ પોતાનો કૅમેરા બંધ કરીને વિડિયો કૉલનો સ્ક્રીન રેકૉર્ડ કરી લીધો હતો. ફોન કટ થવાના થોડી જ વારમાં યુવકને એક વૉટ્સઍપ આવ્યો હતો જેમાં પોતાનો જ વિડિયો દેખાયો હતો અને સામે યુવતીએ કહ્યું હતું કે તું મને ૧૫,૦૦૦ રૂપિયા મોકલ, નહીં તો હું આ વિડિયો સોશ્યલ મીડિયા પર અને યુટ્યુબ પર પોસ્ટ કરી દઈશ. ગભરાયેલા યુવકે તરત ભાંડુપ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.’
હીરાનો બિઝનેસ કરતા વેપારીને પણ ફ્રેન્ડ-રિક્વેસ્ટ સ્વીકારવાનું ભારે પડ્યું
વાલકેશ્વરમાં રહેતો અને હીરાનો બિઝનેસ કરતો ૨૭ વર્ષનો વેપારી હનીટ્રૅપમાં ફસાઈ ગયો હતો. તેને એક મહિલાની ફેસબુક પર ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી. એ ઍક્સેપ્ટ કર્યો બાદ તેમની વચ્ચે ચૅટ ચાલુ થઈ હતી. એ દરમિયાન વેપારીએ તેનો મોબાઇલ નંબર શૅર કર્યો હતો.
તેમની વચ્ચે ન્યુડ વિડિયો-ચૅટ થઈ હતી જેમાં વેપારીએ પોતાનાં કપડાં પણ કાઢ્યાં હતાં. આ વિડિયો સાઇબર ગઠિયાએ રેકૉર્ડ કરી લીધો હતો. થોડી વારમાં આ ગઠિયાએ તેને વિડિયો મોકલીને પૈસાની માગણી કરતાં વેપારીએ પહેલાં પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ ૨૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પરેશાન થઈને વેપારીએ મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મલબાર હિલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત બનગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફરિયાદના આધારે અમે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે
પોલીસનું શું કહેવું છે?
હાલમાં સાઇબર વિભાગમાં આવા કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. લોકોને સતર્ક રહેવાની અને અજાણ્યા લોકો સામે વિડિયો કૉલિંગમાં આવાં કૃત્યો ન કરવા માટેની અમારી અપીલ છે. આ લોકો સિનિયર સિટિઝનને અને નવયુવાનોને પોતાનો શિકાર બનાવે છે. કેટલાક લોકો ગભરાઈને પૈસા પણ આપી દેતા હોય છે. જોકે થોડો સમય જતાં ફરી એક વાર તેઓ પૈસાની માગણી કરતા હોય છે. જો તમે પણ આવા ફ્રૉડમાં ફસાયા હો તો પૈસા ન આપી તરત પોલીસ-ફરિયાદ નોંધાવો. – રાજેશ નગવાડે, ઈસ્ટર્ન વિભાગ સાઇબર સેલના સિનિયર ઇન્સ્પેક્ટર
કોઈ ઓરડામાં કોવિડ-19નાં હવાનાં માધ્યમથી થતાં પ્રસારને રોકવા માટે શારીરિક અંતરથી વધુ મહત્ત્વપૂર્ણ માસ્ક અને બહેતર વેન્ટીલેશન વ્યવસ્થા પુરવાર થાય છે.
એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈપણ ખંડની અંદર હવાથી પ્રસરતા કોરોના વાયરસને રોકવામાં માસ્ક અને હવાઉજાસની ભૂમિકા ચાવીરૂપ સાબિત થાય છે. ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સ પત્રિકામાં પ્રકાશિત આ સંશોધનમાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક સાથે એક કક્ષાનું કોમ્પ્યુટર મોડેલ તૈયાર કર્યુ હતું. ત્યારબાદ સંશોધકોએ હવાનાં પ્રવાહ અને બીમારનાં પ્રસાર સંબંધિત મોડેલ બનાવ્યું અને પછી હવાથી સંક્રમણ ફેલાવાનાં ખતરાને માપ્યો હતો.
જે વર્ગખંડનું મોડેલ બનાવવામાં આવ્યું હતું એ 709 વર્ગ ફૂટનું હતું અને તેની છતની ઉંચાઈ નવ ફૂટ રાખવામાં આવી હતી. આ મોડેલમાં કોઈપણ સંક્રમિત થઈ શકે તેવી રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓને માસ્ક લગાવીને ગોઠવવામાં આવ્યા હતાં.’ અમેરિકાની યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડામાં સહાયક પ્રાધ્યાપક માઈકલ કિનજેલનાં કહેવા અનુસાર આ સંશોધન મહત્ત્વનું છે કારણ કે આમાં મકાનની ભીતરનાં વાતાવરણમાં સુરક્ષા કેવી રીતે થઈ શકે તેનું માર્ગદર્શન મળે છે. આ અધ્યયનમાં જોવા મળ્યું હતું કે, માસ્ક પહેરેલું હોય તો છ ફૂટ કરતાં ઓછા અંતરેથી પણ ખતરો ઘટી જાય છે. તેનાથી વિપરિત માસ્ક ધારણ ન કરેલું હોય તો છ ફૂટનાં અંતરથી જોખમ ઘટી જાય તેવું પણ ધારી લઈ શકાય તેમ નથી. એટલે કે શાળા સહિતનાં એવા સ્થાનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોય ત્યાં શારીરિક અંતર કરતાં પણ વધુ મહત્ત્વનું માસ્ક બની જાય છે.
કેન્દ્ર સરકારે શુક્રવાર તા.26મી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કર્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
1 માર્ચે કેન્દ્ર સરકાર કોવિડ 2.0 વેબસાઈટ લોન્ટ કરશે, એના પર યોગ્ય ઉંમર ધરાવનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોય તો એમા એક નંબર ઉપર ચાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ નોંધણી માટે આધાર્ડ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ સહિત ફોટા સાથેના સરકારના માન્ય ઓળખપત્રોની જરૂર રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત પ્રમાણે ઉપરોક્ત કૅટેગરીની કોઇપણ વ્યક્તિ રસી મુકાવવા માટે ત્રણ રીતે નોંધણી કરાવી શકશે.
રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે:
પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
કયા ડોક્યુમેન્ટ જોઇશે
રસી મુકાવવા માગતા લાભકર્તા પછી તેઓ સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.
45થી વધુ વયના કો-મોર્બિડ પેશન્ટ માટે
૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિએ નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.
જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે કેટલી ફી લેશે, એ વિશે હજુ કોઇ નિર્દેશ જાહેર નથી કરાયા, પણ એ વિશે ચોક્કસ રકમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અગાઉ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.
વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.
એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.
Here are the 10 things individual taxpayers should know:
Interest on employee’s share of contribution to EPF on or after April 1, 2021 will be taxable at the stage of withdrawal if it exceeds Rs 2.5 lakh in any year. This will lead to additional tax liability, especially for HNIs, who make higher contributions, and will also discourage voluntary EPF contributions. Coupled with taxation of aggregate employer’s contributions in excess of Rs 7.5 lakh to EPF, NPS and superannuation fund and interest thereon introduced last year, this may make EPF an even less attractive retirement scheme.
Taxpayers will not be required to estimate their dividend income while making advance tax payments. Advance tax will now be payable only when dividend is declared or paid by the company. This will save payment of interest by taxpayer due to underestimation while paying advance taxes.
HNI taxation juggernaut rolls on! Proceeds from ULIPs issued on or after February 1, 2021 will be taxable as capital gains if the amount of premium exceeds Rs 2.5 lakh in any year (except when received on death). Where a taxpayer pays premium for more than one ULIP (issued after February 1, 2021) exemption shall apply to thoseULIPs where aggregate premium does not exceed Rs 2.5 lakh.
Senior citizens get some relief ! Resident senior citizens, aged 75 or above, earning only pension and bank interest income (from the same bank where pension is credited) are not required to file income tax return. On the basis of declaration submitted by such a taxpayer, bank has to compute taxable income and deduct tax thereon
More is better! In addition to salary income, bank accounts, tax payments and TDS details, pre-filled income-tax returns will now also include details of capital gains from listed securities, dividend income, interest from banks, post office etc.
Affordable housing — extension on extension! Tax exemption for affordable housing further extended by 1 year. It will benefit middle-class first-time home buyers who will get enhanced deduction of Rs 1.5 lakh (over and above the existing deduction of Rs 2 lakh) for interest on housing loan for a house valued up to Rs 45 lakh if the loan is taken before March 31, 2022 (earlier March 31, 2021).
Good news for individuals with overseas retirement funds! Central government will announce rules to determine the manner and year of taxability of income from overseas retirement funds opened by a resident taxpayer while he was a residing in a foreign country. This will provide relief from hardship faced on account of double taxation due to mismatch in timing of taxation in different countries
Time limit for filing delayed (belated) / revised income-tax return is reduced by 3 months: last date to file income-tax return now stands at December 31 after the close of tax year. Similarly, timeline for completion of assessment has been reduced by 3 months. While this will reduce the overall tax compliance timelines, it may create practical difficulties for taxpayers with overseas income in claiming tax exemption or relief where such benefit is dependent on tax filing in the other country.
Dispute Resolution Committee (DRC) to be set up to help taxpayers with taxable income of up to Rs 50 lakh, and disputed income up to Rs 10 lakh. All proceedings before DRC to be faceless and jurisdiction-less. This will reduce litigation and provide impetus to small and medium taxpayers to settle disputes at initial stages.
National Faceless Income-tax Appellate Tribunal Centre proposed to be set up for all second-level appeal cases.
કોરોના વાયરસના દર્દીઓ એકવાર સાજા થયા પછી બીજીવાર સંક્રમિત થયાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રિકવરી દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
એક વખત કોરોના થઇ ગયા બાદ ફરીથી કોરોના ઇન્ફેકશન થયાના અનેક દર્દીઓ ભારત મળી આવી રહ્યા છે. બીજી વખતનું કોરોના ઇન્ફેકશન જીવલેણ નિવડી શકે તેમ છે. આવી સ્થિતિમાં કોરોના જેમને થઇ ચૂક્યો છે, અથવા જેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે તેમને ખાસ એક્સપર્ટસ જણાવી રહ્યા છે કે વેક્સિન ના આવે ત્યાં સુધી તો જાતે તકેદારી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કોરોના રિકવરી બાદ ગાફેલ રહ્યા હતો, પરિસ્થિતિ વધુ વિકટ બની શકે એમ છે.
કોરોના વાયરસના દર્દીઓના શરીરમાં રિકવરી પછી એન્ટીબોડી વિકસે છે પરંતુ તે ક્યાં સુધી શરીરમાં રહે છે તેની ચોક્કસ માહિતી નથી. એવામાં પોતાની તકેદારી રાખવામાં નાનકડી ચૂક પણ ભારે પડી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ લોકોને સાવધાની રાખવાની અને રિકવરીને હળવાશમાં ન લેવાની સલાહ આપી છે.
કોવિડ-19થી ફરીવાર સંક્રમિત થવાના ક્લિનિકલ પુરાવા મર્યાદિત છે તેમ છતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ફરી સંક્રમિત થવાના વિવિધ અર્થ છે અને આ શા માટે થાય છે તે સમજવામાં મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોરોનામાંથી સાજો થાય છે ત્યારે શરીરમાં વાયરલ લોડ નષ્ટ થઈ જાય છે. પરંતુ કેટલાક કિસ્સામાં દર્દીના શરીરમાં ખૂબ નિમ્ન સ્તરે વાયરલ રહે છે અને ફરીથી તેમનામાં લક્ષણો દેખાય છે અને સંક્રમિત કરે છે. જો કે, આ ફરી સંક્રમિત થવાનું સંભવિત કારણ છે.
બીજું સંભવિત કારણ છે કે, શરીરમાં એન્ટીબોડી વિકસે તો પણ તેઓ કાયમી ઈમ્યૂનિટી બનાવતા નથી. સ્ટડી પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં એન્ટીબોડી 3-9 અઠવાડિયાના સમયગાળામાં ઓછા થવા માંડે છે.
ICMRના મતે, 100 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી કાઉન્ટ ઘટવા માંડે છે. જો કે, જરૂરી નથી કે કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીમાં એક સરખા પ્રમાણમાં એન્ટીબોડી બને. ઈન્ફેક્શન જેટલું માઈલ્ડ હોય એન્ટીબોડીનો રિસપોન્સ પણ તેટલો ઓછો હોઈ શકે છે. માટે જ કોરોનાથી સાજા થયા પછી પણ પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. અહીં ત્રણ પરિબળો જણાવીશું જેના કારણે ફરીથી કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ રહેલું છે.
તમે એકવાર કોરોનાનો શિકાર બની ગયા છો તેનો અર્થ એ નથી તમને માસ્ક વિના બહાર મુક્તપણે ફરવાનું લાઈસન્સ મળી ગયું છે. લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી મૂંઝારો થતો હોય તેવું લાગે છે પરંતુ તે રેસ્પિરેટરી ડ્રોપ્સ દ્વારા ફેલાતા વાયરસ અને સૂક્ષ્મ જીવાણુઓ સામે રક્ષણ આપે છે. માસ્ક પહેરવાથી માત્ર કોરોના વાયરસ સામે જ નહીં શિયાળાના મહિનાઓમાં થતાં શ્વાચ્છોશ્વાસના ઈન્ફેક્શનથી પણ રક્ષણ આપે છે. આ જ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું પહેલાની જેમ જ પાલન કરવું. કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ 10 દિવસ સુધી ઘરની બહાર ના નીકળો. હોમ આઈસોલેશન પૂરું થાય પછી પણ થોડો સમય રાહ જુઓ અને પછી જ બીજા લોકો સાથે હળવામળવાનું રાખો.
કોરોના સામે લડ્યા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી વિકસે છે પરંતુ માત્ર તેના પર જ નિર્ભર રહેવાથી સુરક્ષિત નહીં રહી શકાય. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર કામ કરવું, સંતુલિત આહાર લેવો અને સ્ટેમિના વધારવા પર કામ કરવું જરૂરી છે. જો તમને કોઈ દવા પ્રિસ્ક્રાઈબ કરી હોય તો તે પણ લેવાની ચાલુ રાખવી. આ બધું કરવાથી કોવિડ-19થી સાજા થયા પછી જોવા મળતાં કેટલાક લક્ષણો સામે લડવામાં મદદ મળશે સાથે જ વિટામિન્સ અને સપ્લિમેન્ટ્સ શરીરના અવયવોને સારી રીતે કાર્યરત રાખવામાં ઉપયોગી બનશે. કેટલીકવાર કોરોનાની સારવાર બે મહિના સુધી ચાલુ રહી શકે છે એવામાં તમે તેને બરાબર પાળો તે જરૂરી છે.
યાદ રાખો કે, કોરોના કઠિન બીમારી છે અને સાજા થઈને નોર્મલ લાઈફમાં પરત ફરવામાં સમય લાગી શકે છે. કોરોનાના દર્દીને સાજા થયા બાદ પહેલાની જેમ બધું કામ કરવાની ઉતાવળ હોય તે સ્વાભાવિક છે પરંતુ આ ભાગદોડમાં રિકવરીને હળવાશમાં ના લેવી. તમને આરામ લાગતો હોય અને રિકવરી પછીના કોરોનાના લક્ષણ ના દેખાતા હોય તો પણ સતર્ક રહેવું હિતાવહ છે. સાજા થયા પછી તરત જ શરીરને વધુ પડતો શ્રમ આપવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તમારા શરીરને રિકવર થવાનો પૂરતો સમય આપો નહીં તો ફરીથી સંક્રમિત થવાનું જોખમ વધી શકે છે.
વર્ષમાં ૧૨ પૂર્ણિમા આવે, તેમાં કાર્તિક, પોષીપૂર્ણિમા, ફાગણ મહિનાની હુતાસનીની પૂર્ણિમા, ચૈત્રીપૂર્ણિમા, વૈશાખીપૂર્ણિમા, શ્રાવણની રક્ષાબંધનની પૂર્ણિમા અને શરદઋતુની શરદપૂર્ણિમા મોટી પૂર્ણિમાઓ છે.
શરદપૂર્ણિમા શરદસંપાત પછી આવે છે, જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં થોડા જ દિવસ પહેલા પ્રવેશ્યો છે, તેમ છતાં આ વખતે સૂર્ય ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે અને ચંદ્ર પણ ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે. તેથી ક્ષિતિજ પર તે બંન્ને થોડા મોટા અને વધુ તેજસ્વી દેખાય છે. તેથી બધી જ પૂર્ણિમાઓમાં શરદપૂર્ણિમા મહારાણી ગણાય છે.
ચોમાસા પછી પૂર્ણપણે સ્વચ્છ આકાશમાં ચંદ્ર પોતાની ચાંદની ફેલાવે છે. માટે આ પૂર્ણિમા વિશિષ્ટ બને છે. ચાંદીના ઢોળ જેવી ચાંદની પૃથ્વી પર પથરાય છે આ કારણે માનવીઓનાં હૈયા હિલોળે ચઢે છે. સાથે સાથે પૂર્ણિમા હોવાથી મહાસાગરોમાં પણ મોટી મોટી ભરતી આવે છે. સૂર્યથી પૃથ્વીનું અંતર વધારે હોતું નથી, અને પૃથ્વીથી ચંદ્રનું અંતર પણ વધારે હોતું નથી. તેથી ચંદ્ર ખૂબ જ પ્રકાશિત લાગે છે. ચોમાસુ ગયા પછી આકાશમાંના ઘણાખરા ધૂલિકણો વરસાદના પાણી સાથે પૃથ્વી પર આવી ગયા હોય છે. માટે આકાશ ક્રિસ્ટલ ક્લીઅર થઇ જાય છે, જેથી ચંદ્ર વધુ દેદીપ્યમાન લાગે છે.
શરદપૂર્ણિમાની બીજી એક વિશિષ્ટતા એ હોય છે કે ચોમાસુ સમાપ્તિના આરે હોવાથી વરસાદની રંગમાં ભંગ પડવાની શક્યતા બહુ ઓછી હોય છે અને હજુ શિયાળો બેઠો નથી હોતો, તેથી રાતે ઠંડીનો ચમકારો પણ હોતો નથી. ઑક્ટોબરના દિવસની ગરમી પછી રાત અતિ સુંદર અને ઠંડી હોય છે. ધીરે ધીરે પવનની લેરખીઓ આવે છે.
ખેતરોમાં પાક સારો થવાનો હોવાથી અને ઉપર દિવાળીનું પર્વ આવવાનું હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો હોય છે પછી શિયાળો બેસવાનો હોવાથી શિયાળાના દિવસોમાં પૂર્ણિમા માણી શકાય તેમ હોતું નથી. આ બધા કારણોસર શરદપૂર્ણિમા વિશિષ્ટ પૂર્ણિમા બને છે, અને હિંદુ કૅલેન્ડર પ્રમાણે તે વર્ષની છેલ્લી પૂર્ણિમા હોય છે. જેમ શરદપૂર્ણિમાની રાત સ્વચ્છ અને ચાંદીના ઢોળે મઢેલી લાગે છે તેમ ૧૫ દિવસ પછી આવનારી દિવાળીની અમાસ તેટલી જ સ્વચ્છ અને કાળી ડિબાંગ લાગે છે. તેમાં ચમકતા તારા અમાસની નવી જ આભા ઉત્પન્ન કરે છે અને તેને દિવ્યતા અને ભવ્યતા અર્પે છે. આસો મહિનાની શરદપૂર્ણિમા અને દિવાળીની અમાસ કુદરતની બે બાજુઓને સ્પષ્ટ કરે છે આ વિરોધાભાસી હોવા છતાં તાર્કિક અને અર્થપૂર્ણ છે. શરદપૂર્ણિમાની રાતે દૂધ-પૌઆ ખાવાનો રિવાજ છે. દૂધ, ચાંદની રાત જેવું સફેદ, પૌઆ પણ સફેદ, તેમાં પડતી સાકર પણ સફેદ અને તેમાં પડતી ચાંદની પણ સફેદ આ બધું દૂધ-પૌઆને દૂધામૃત બનાવે છે.
બધી જ પૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો અને શરદપૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો, આપણને પોતાને જ તેની દિવ્યતાની ખબર પડશે. આપણું હૈયું પ્રકાશમય થયેલું જણાશે. શરદપૂર્ણિમાની સાંજે પૂર્વમાં ઉદય પામતા ચંદ્રને જોવાનો આનંદ તદ્ન અનેરો હોય છે. તે હકીકતમાં થોડો મોટો દેખાય છે. એક તો તે ક્ષિતિજ પાસે છે માટે મોટો દેખાય છે, બીજું તે પૃથ્વીની નજીક હોવાથી થોડો મોટો દેખાય છે અને પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ચંદ્ર વધુ પ્રકાશમય અને થોડો મોટો દેખાય છે. કોઇ પણ પૂર્ણિમાએ ચંદ્ર પૂરી રાત સાંજથી સવાર સુધી આકાશમાં રહે છે. સૂર્ય પૃથ્વીનો આત્મા છે તો ચંદ્ર તેનું હૃદય છે. પૂર્ણિમાની રાતે કુદરતની નજાકત અને કરિશ્મા માણવાનો લ્હાવો લેવો જ જોઇએ તે મસ્તિસ્કને તરોતાજા કરે છે, અને મગજને દિવ્ય વિચારો કરવાની ક્ષમતા આપે છે.
આજના જમાનામાં કેટલાક યુવાનો શરદપૂર્ણિમાને આધ્યાત્મિક અને સાત્ત્વિક રીતે માણવાને બદલે મહાસાગર, પહાડો, નદીઓ પૃથ્વી પર પડતી ચાંદનીને નિરખવાને બદલે માદક પદાર્થ પીને અને ખાઇને છાકટા બનેલાં દેખાય છે. આ સમાજની અધોગતિ દેખાડે છે અને દિવ્યતામાં વિકૃતિ દેખાડે છે.
જૂના જમાનામાં કે થોડા દશકા પહેલાંની દેશની નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ-ગરબા જુઓ અને હાલની કોમર્શિયલ નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ જુઓ. હાલ શક્તિની ઉપાસના કરવાને બદલે તેની અવહેલના થતી દેખાય છે. માત્ર દૂષિત મનોરંજનની રાત્રિ દેખાય છે. નવરાત્રિના કે શરદપૂનમના રાસ-ગરબાનો હેતુ જ ખલાસ થઈ ગયો છે. આ કાર્ય થોડા ધંધાર્થીઓએ કર્યું છે અને ઉત્સવ બગાડી નાંખ્યો છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ રમવા શરદપૂર્ણિમાને પસંદ કરી તે ખૂબ જ બુદ્ધિમત્તાનું કાર્ય કર્યું છે. ગોપીઓને ઘરમાંથી બહાર કાઢી સ્ત્રી-સશક્તિકરણનો દાખલો બેસાડ્યો. શ્રીકૃષ્ણની રાસલીલા દ્વૈતમાંથી અદ્વૈતતાનું રહસ્ય સમજાવે છે. સ્ત્રી-પુરુષમાં કોઇ ભેદભાવ નથી. બધાં જ આત્મા છે. આ આત્મા અને પરમાત્માનું મિલન છે. આ બ્રહ્માંડમાં બધે જ રાસ-ગરબા ચાલે છે તે રાસ-લીલા કરી શ્રીકૃષ્ણ ભગવાને આપણને દર્શાવ્યું. દેવાધિ દેવ શંકર ભગવાને પણ તાંડવ નૃત્ય કરી નાદબ્રહ્મ, શબ્દબ્રહ્મ, નૃત્યબ્રહ્મનો આપણને અહેસાસ કરાવ્યો છે. ગ્રહો, સૂર્ય ફરતે રાસ લે છે, ઉપગ્રહો ગ્રહોની ફરતે રાસ લે છે, ઇલેક્ટ્રોન્સ અણુની નાભિ ફરતે રાસ લે છે. આપણે પણ એકબીજાની ફરતે રાસ જ લઇએ છીએ. આપણી જીભ મુખમાં રાસ લે છે, આપણે ચાલીએ છીએ, તે પણ એક રાસ જ છે. બ્રહ્માંડમાં બધે રાસ જ નજર આવે છે તે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી આપણને દેખાડ્યું છે.
પહેલા લોકો મોટાભાગના કામ જાતે કરતા હતા. ખેતી કરવાથી લઇને ભારે સામાન ઉઠાવવાનું કામ લોકો ભેગા મળીને કરી લેતા હતા. આજની લાઇફસ્ટાઇલમાં દરેક કામ કરવા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે. આનાથી કામ તો સરળ થયું છે, પણ લોકોની શારીરિક કસરત ઓછી થઇ ગઇ છે. બજારમાંથી સામાન ખરીદવો હોય તો હોમ ડિલિવરીનો વિકલ્પ છે. ઘરની નજીક કયાંક જવું હોય તો પણ આપણે ચાલવાને બદલે વાહનમાં જવાનું પસંદ કરીએ છીએ. કોરોનાના સંકટ વચ્ચે હવે વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવતા લોકો ઘરે બેસીને ઑફિસનું કામ કરી રહ્યા છે. લોકો ચેર, સોફા અથવા બેડ પર બેસીને કલાકો સુધી કામ કરતા રહે છે. જોકે, તેને કારણે કમર, ખભા વગેરે દુ:ખવા લાગે છે. રાહત મેળવવા માટે તમે નેક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, શોલ્ડર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, લોઅર બેક સ્ટ્રેચિંગ, હિપ સ્ટ્રેચિંગ જેવી કસરત કરી શકો છો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરને નુકસાન થાય છે. એક અભ્યાસ અનુસાર જે લોકો સ્ક્રીનની સામે રોજ ચાર કલાકથી વધુ સમય વિતાવે છે તેમનું મૃત્યુ સામાન્ય લોકોની સરખામણીમાં જલદી થવાનું જોખમ હોય છે.
હૃદય સંબંધિત બીમારી: લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી હૃદયની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. છાતીમાં દુ:ખાવો અથવા હૃદયનો હુમલો આવવાની શકયતા રહે છે.
શરીરમાં દુ:ખાવો: કલાકો સુધી બેસીને કામ કરવાથી ખભા, કમર, પીઠમાં દુ:ખાવાની સમસ્યા થાય છે. તેનાથી રાહત મેળવવા માટે દરરોજ બોડી સ્ટ્રેચિંગ કરવી જોઇએ.
વજન વધે: કલાકો સુધી ટીવી અથવા લેપટોપ સામે બેસી રહેવાથી શારીરિક શ્રમ ઘટી જાય છે. શ્રમના અભાવે વજન વધી જાય છે
દિમાગમાં ક્ષતિ: એક જ જગ્યા પર બેસીને લાંબો સમય સુધી કામ કરવાથી શરીરની સાથે મસ્તિષ્કને પણ નુકસાન પહોંચે છે. એક રિસર્ચ અનુસાર કલાકો સુધી એક જગ્યા પર બેસીને કામ કરવાવાળાઓની મેમરી (યાદશક્તિ) પ્રભાવિત થઇ શકે છે.
ડાયાબિટીઝનું જોખમ: સક્રિય જીવનશૈલીની સરખામણીમાં સુસ્ત જીવન જીવતા લોકોને ડાયાબિટીઝ થવાનું જોખમ વધુ હોય છે. એક રિસર્ચ અનુસાર લાંબા સમય સુધી બેઠા રહેનાર લોકોને ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે.
પગની નસો ફૂલી જવી: લાંબા સમય સુધી બેસી રહેવાથી પગ પર દબાવ વધી જાય છે, પરિણામે પગની નસો ફૂલી જાય છે. તેને કારણે પગમાં દુ:ખાવાની સમસ્યા થાય છે.
રાહત મેળવવાનો ઉપાય: લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને રહેવાથી થતા નુકસાનથી બચવાનો ઉપાય એ છે કે તમે વચ વચમાં શારીરિક કસરત કરવાનું ચાલુ રાખો. કામ દરમિયાન ૪૦-૪૫ મિનિટ બાદ પાંચ મિનિટનો બ્રેક લઇને થોડું ચાલવાનું રાખો. જો ફોન પર વાત કરવાની હોય તો બેસીને કરવાને બદલે ઊભા થઇને આંટાફેરા મારતા કરો. ઑફિસના કામ કરતી વખતે થોડા થોડા સમયાંતરે બોડી સ્ટ્રેચ કરતા રહો. .
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.