CIA ALERT
30. April 2024

Alert Archives - Page 3 of 443 - CIA Live

November 29, 2023
jee-main-2024.jpg
1min801

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇટી જેવી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છે છે તેમણે જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા આપવાની ફરજિયાત છે. જેઇઇ મેઇન્સ 2024માં બે વખત લેવાનારી છે. પહેલા ફેઝની જેઇઇ મેઇન્સ પરીક્ષા જાન્યુઆરી 2024ના અંતમાં લેવાશે જ્યારે બીજા ફેઝની પરીક્ષા એપ્રિલ 2024માં લેવાશે.

પહેલા ફેઝમાં લેવાનારી જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ મુદત તા.30 નવેમ્બર 2023ની છે.

2024માં જેઇઇ ક્યારે લેવાશે તેનું સંપૂર્ણ સમયપત્રક

જેઇઇ મેઇન્સ પરીક્ષાની પેપર પેટર્ન

જેઇઇ મેઇન્સના ગુજરાતના પરીક્ષા કેન્દ્રો

November 27, 2023
weather-forecast.jpg
1min345

રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

November 24, 2023
amns-logo.jpeg
1min395

“બનાઉંગા મેં, બનેગા ભારત” કોમર્શિયલ જાહેરાત સાથે નવા ભારતના વિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય

સુરત – હજીરા, નવેમ્બર 22, 2023:

વિશ્વના બે પ્રખ્યાત અને અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ “બનાઉંગા મેં, બનેગા ભારત” નામની નવી ટેલિવિઝન કોમર્શિય લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ભારતની પ્રગતિ અને તેના વિવિધ કુશળ કાર્યબળ પ્રત્યે સામૂહિક ઉત્સાહ અને ગર્વ પેદા કરવાનો છે, જે દેશના વિકાસને શક્તિ આપી રહી છે.

યુવાનોને આકર્ષિત કરવા અને પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ જાહેરાત ફિલ્મ તાજેતરના રાષ્ટ્રીય ઉપલ્બધિઓને પ્રતિબિંબિત કરે છે, જે ઉચ્ચ મૂલ્ય-વર્ધિત ઉત્પાદન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિને રેખાંકિત કરે છે.

AM/NS Indiaની વધતી જતી બ્રાન્ડ વેલ્યુને આધારે, ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ’ બ્રાન્ડ દ્વારા આધારીત, આ પહેલ આ ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી તરીકે AM/NS Indiaની સ્થિતિને મજબૂત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તે સ્ટીલના ઉત્પાદન માટે કંપનીના સમર્પણને પણ પ્રતિબિંબિત કરે છે જે દેશના સર્વાંગી વિકાસને ચલાવવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે.

શ્રી દિલીપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમારા ગયા વર્ષના ‘રીઇમેજિનિયરિંગ’ અભિયાનની સફળતાના આધારે, આ નવીનતમ પ્રયાસ નવા ભારતમાં યોગદાન આપવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમૃતકાળના ધ્યેય તરફની તેની સફરમાં, ભારત સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર આગળ વધવા માટે મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ દ્વારા સ્ટીલ-સઘન વિકાસને અપનાવી રહ્યું છે. અમે અમારા બ્રાન્ડ વચન ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ સાથે વૈશ્વિક અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન હાંસલ કરવા અને દેશની પ્રગતિનો ભાગ બનવા માટે ગર્વ અનુભવીએ છીએ.”

આ જાહેરાત ફિલ્મ ક્રિએટિવલેન્ડ એશિયા દ્વારા બનાવવામાં આવી છે અને ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા સેક્ટરમાં ડેન્ટસુ ઈન્ડિયાના એક એકમ iProspect દ્વારા રજૂ કરવામાં આવશે.

આ મનમોહક ફિલ્મ જોવા માટે આ લિંક પર ક્લિક કરો:

November 24, 2023
praful-panseria.jpg
1min428

સુદ્રઢ રાષ્ટ્રના નિર્માણ માટે લોક માનસના ધડતર માટે સારા વિચારોની જરૂર છે. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કામરેજ રોડ, જમનાબા ભવન ખાતે દર ગુરુવારે સવારે ૯ કલાકે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થાય છે. ૨૩મી નવેમ્બર થેન્ક્સગીવીંગ-ડે તરીકે ઉજવાય છે. તેને ધ્યાનમાં રાખી ૩૬ માં વિચારને રજુ કરતા સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે કૃતજ્ઞતાએ જીવનનો શ્રેષ્ઠ સદગુણ છે, ખરેખર કૃતજ્ઞતાના ભાવમાં ચમત્કારીક શક્તિ રહેલી છે. કૃતજ્ઞતાના સિધ્ધાંત સાથેનું જીવન જ સ્વપ્નો સાકાર કરે છે. તેમણે જણાવ્યું હતું કે હકારાત્મક ઉર્જાથી હદય છલકાયું હોય તો તે વ્યક્તિ વંદનીય હોય છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે જો અંતકરણથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવેતો તે જીવનમાં શ્રેષ્ઠ પરિણામ આવે છે. લોઓફ એટ્રેક્શન એ કુદરતના સિદ્ધાંત ઉપર આપનું મન કામ કરે છે. ક્રોધ ઉપરની જીત એજ ખરી જીત છે. ગુણવતા યુક્ત જીવન જીવવા માટે આહવાન સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

|| જમનાબા ભવન ખાતે કાર્યાલય તથા સેવા પ્રવૃત્તિ કેન્દ્રનો પ્રારંભ ||

    શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ, કામરેજ રોડ, વાલક પાટિયા ખાતે નિર્માણાધીન છે. જમનાબાભવન માં વહીવટી કાર્યાલય અને વિવિધ સેવા પ્રવૃતિઓ માટે માર્ગદર્શન સેન્ટરનો આજથી શુભારંભ થયો છે. રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં મુખ્ય નામકરણના દાતાશ્રી હંસરાજભાઈ ગોંડલિયાના હસ્તે કાર્યાલય અને માર્ગદર્શન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં કારકિર્દી માર્ગદર્શન અને સરકારી યોજનાની જાણકારી વિનામૂલ્યે કોઈપણ ને આપવામાં આવશે. આ પ્રસંગે સિગ્નેચર ગ્રુપના યુવા ઉદ્યોગ સાહસીક હિતેશભાઈ ડી. ધામેલીયાનું દાતાટ્રસ્ટી બનવા બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. ટીમ૧૦૦ ના શ્રી નરેન્દ્રભાઈ કુકડિયાએ ન્યુઝીલેન્ડ ખાતે સમાજની પ્રવૃત્તિની સુવાસ પહોંચાડી તથા ડૉ. સુરેશભાઈ જે. બલર દાતા તરીકે સંસ્થા સાથે જોડાયા છે. તે બદલ તેમનું સન્માન કરાયું હતું. તાજેતરમાં જી.પી.એસ.સી. ક્લાસ-૧ પરીક્ષા પાસ કરી (Dysp) ડી.વાય.એસ.પી ના પદ સુધી પહોચનાર કુ. સૃષ્ટિ માંડણીને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.  
    કામરેજ રોડ ખાતે નિર્માણાધીન જમનાબા ભવનમાં આર.સી.સી. વર્ક પૂરું થવામાં છે. આગામી ૮ માસમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તથા ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથીભવન તૈયાર થઈ જશે. પરંતુ તે પહેલા ગ્રાઉન્ડફલોરમાં વહીવટી તેમજ જરૂરી કામકાજ માટે અને પ્રવૃત્તિઓ માટે કાર્યાલયનો વપરાશ શરુ કરેલ છે. બાંધકામ સમિતિ સુરતના ધીરુભાઈ માલવિયા, શ્રી હરીભાઈ કથીરીયા, શ્રી ભવાનભાઈ નવાપરા અને સંસ્થાના ખજાનચી મનહરભાઈ સાસપરા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રીશ્રી કાંતિભાઈ ભંડેરી તથા ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

થેંક્સગીવીંગ-ડે

 દર વર્ષે ૨૩મી નવેમ્બરે યુરોપ અને અમેરિકામાં થેન્ક્સગીવીંગ-ડે ઉજવવા આવે છે. આભારભાવ પ્રગટ કરવો તે એક સદગુણ છે. દર ગુરુવારે યોજાતા થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં દર વખતે એક નવા વિચારોનું વાવેતર થાય છે. ખુબ મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરી યુવાનો સહભાગી અને છે. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને ધ્યાનમાં રાખી એક નવો વિચાર રજુ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત અને જ્યાં પણ વિચાર વંચાય છે ત્યાં ખુબ સારી હકારાત્મક અસર જોવા મળી છે. સંસ્થાનો ઉદેશ લોકોમાં આરોગ્ય, આર્થિક અને મનની તંદુરસ્તી બાબત જાગૃતિ લાવવા તથા હકારાત્મક વિચાર વાવવાનોનો આ પ્રયાસ છે. તમામ લાગણીની એક અસર થતી હોય છે. ત્યારે આભાર પ્રગટ કરવો એટલે કે કૃતજ્ઞતાની ખુબ જાદુઈ અસર થાય છે. તમાર સ્વપ્ન સાકાર થાય છે અને એટલેજ યુરોપ અને અમેરિકામાં થેન્ક્સગીવીંગ-ડે ઉજવવામાં આવે છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની યુવાટીમે વ્યવસ્થા જાળવી હતી. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, જાગૃત ભાઈઓ, બહેનો અને યુવામિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું.

November 22, 2023
Cia_business_news-1280x936.jpg
1min246

સુરત: નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ એ અમારી સહિયારી નાણાંકીય આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે. આ વાઇબ્રન્ટ માર્કેટપ્લેસના હાર્દમાં, જેમ જેમ દિવાળીની રોશની ઝળકે છે, અમે સાવચેત પસંદગીઓ અને વ્યૂહાત્મક રોકાણોની સફર શરૂ કરીએ છીએ. આ શુભ સમય દરમિયાન કરવામાં આવેલ દરેક ટ્રેડ રોકાણકારોમાં વૃદ્ધિ અને એકતાની ભાવનાનું વચન આપે છે. એનએસઈ રોકાણકારોને ફક્ત રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ સાથે વ્યવહાર કરવા અને અનિયંત્રિત પ્રોડક્ટ્સમાં વ્યવહાર કરવાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શેરબજાર લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે છે. એક દુઃખદ અનુભવ અસરગ્રસ્ત રોકાણકારોને ફરી ક્યારેય શેરબજારમાં પ્રવેશવા માટે નિરાશ કરે છે. ડેરિવેટિવ્સમાં સંકળાયેલા ઊંચા જોખમને કારણે રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડ કરવાનું ટાળવું જોઈએ. લાંબા ગાળાના ખેલાડી બનો. ભારતની વિકાસગાથામાં ભાગ લેવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તમારા ટ્રેડ સાનુકૂળ રહે, રોકાણો ફળદાયી બને અને દિવાળીની ભાવના આપણને વિપુલતા અને નાણાંકીય સફળતા તરફ દોરી જાય તેવી અભ્યર્થના. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્તની શુભકામનાઓ, જ્યાં દરેક ટ્રેડ આવતીકાલને વધુ મજબૂત, સમૃદ્ધ બનાવવાના અમારા સામૂહિક સંકલ્પને દર્શાવે છે.

November 19, 2023
cia_multi-1280x1045.jpg
3min272

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રવિવાર તા.19 નવેમ્બર 2023ની બપોરે લગભગ બારેક વાગ્યે આ લખાઇ રહ્યું હતું ત્યારે સમગ્ર ગુજરાત, ભારતમાં વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચનો ફિવર સર્વત્ર વર્તાય રહ્યો હતો. અમેરીકા અને કેનેડામાં વસતા અનેક મિત્રો, સ્નેહીઓ, વિદ્યાર્થીઓ સાથે લેખકની વાત ભારતીય સમય પ્રમાણે આજે સવારથી થઇ રહી છે, અમેરીકા અને કેનેડામાં વસતા લાખો એન.આર.આઇ. તેમજ ભારતીય વિદ્યાર્થીઓ આજે જાગરણ કરી રહ્યા છે. ધાર્મિક તહેવારોમાં જાગરણની પરંપરા છે, ક્રિકેટ ભારતમાં એક ધર્મથી વિશેષ છે એટલે ક્રિકેટીય જાગરણ કરી રહ્યા છે અમેરીકા અને કેનેડાના લાખો ભારતીય વિદ્યાર્થીઓ.

કેનેડાના નોવા સ્કોશિયાથી શ્રેયા

કેનેડાના નોવાસ્કોશિયાના હેલિફેક્સ ખાતે હાયર સ્ટડીઝ કરી રહેલી સુરતની વિદ્યાર્થિની શ્રેયાએ જણાવ્યું કે શનિવારે રાત્રે અહીં 12 વાગી ચૂક્યા છે, હજુ ચાર કલાક પછી મેચ શરૂ થશે, હું આજે ઉંઘવાની નથી. મારી સાથે મારી ફ્રેન્ડ્ઝ પણ જાગવાની છે, ભારતની મેચ, ભારતના ક્રિકેટરો, અમદાવાદનું સ્ટેડીયમ આ બધાના વિચારોએ ઉંઘ ઉડાડી દીધી છે.

ટોરન્ટોના કિચનેરથી પ્રીત મોદી અને રજત

એવી જ રીતે કેનેડાના ટોરન્ટો નજીક આવેલા કિચનેર ખાતે રહેતા અને સ્ટડી કરતા પ્રીત નીતિન મોદી, રજત બ્રહ્મભટ્ટે જણાવ્યું કે તેઓ આજે ઉજાગરો કરી રહ્યા છે. વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચ, બોલ ટુ બોલ જોવા માટે અમે જાગી રહ્યા છે. ક્રિકેટ અમારુ પેશન છે, ઇન્ડીયન ટીમ આ વખતે ઇતિહાસ રચવાની છે અને આ ઇતિહાસના અમે સાક્ષી બનવાના છીએ.

અમેરિકાના કેર્લિફોનિયાથી નીતિન પટેલ

અમેરીકાના કેર્લિફોનિયા ખાતે રહેતા નીતિન પટેલ કહે છેકે અમે 40 જણા એક જ ઘરમાં ભેગા થયા છે. હોમ થિયેટરમાં વીસ જ ખુરશી છે બાકીના નીચે બેઠા છે, જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને મેચ જોવાના છીએ. ડ્રીંક, ફૂડ અને મસ્તી કરીશું પણ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ જોવાનું ચૂકવાના નથી.

જો તમે પણ વિદેશમાં હોવ તો અમારી સાથે શેર કરો તમારી વાત વ્હોટ્સએપ નં. 98253 44944

PM નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

અમદાવાદ સ્ટેડીયમમાં બ્લુ સુનામી આવી

ફાઈનલ શરુ થવાને હવે થોડી મિનીટોની જ વાર છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પ્રવેશ દ્વારની બહાર જાણે બ્લ્યુ રંગની સુનામી આવી હોય એવી ક્રિકેટ ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મેચ માટે દર્શકોને 12 વાગ્યાથી એન્ટ્રી શરુ કરવામાં આવી હતી.

ભારતના મોસ્ટ વીઆઇપીઓ અમદાવાદ સ્ટેડીયમમાં પહોંચી રહ્યા છે

ફાઈનલ મેચ જોવા માટે આ મહાનુભવો રહેશે હાજર

• નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી

• અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી

• રિચાર્ડ માર્લેશ ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન

• નીતા અંબાણી અને અંબાણી પરિવારના અન્ય સભ્યો

• શક્તિકાંત દાસ, આરબીઆઇ ગર્વનર

• અનુરાગસીંગ ઠાકુર, સુચના અને પ્રસારણ મંત્રી

• અબ્દુલનીસાર જમાલ અસલાસી, એમ્બેસેન્ડર, યુએઇ

• એરિક ગારસેટી, એમ્બેસેડર, યુએસએ

• લક્ષ્મી મિતલ અને તેમનો પરિવાર 

• કોરનાડ સાંગમા, મેઘાલયના મુખ્યમંત્રી

• હંમતા બીસવા શર્મા, આસામના મુખ્યમંત્રી અન્ય છ રાજ્યોના મુખ્યમંત્રી

• ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા,

• દેશની હાઇકોર્ટના તમામ જજ

 સિંગાપોરના કલ્ચરલ અને યુથ મિનિસ્ટર

જો સુરતમાં છો અને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાના હોવ તો પ્લાન ચોપટ થઇ શકે

જો તમે અમદાવાદ કે સુરતમાં હોવ અને આજે ફાઇનલના દિવસે મેચ શરૂ થયા પછી સ્વીગી ઝોમેટો પર ફુડ ઓર્ડર કરવાના હોવ તો તમારો ઓર્ડર કદાચ તમારો પ્લાન ચોપટ થઇ શકે. એડવાન્સમાં ઓર્ડર આપી દેવો હિતાવહ થશે. ફુડ સર્વિંગ સાઇટ્સ, એપ્લિકેશનના સ્ટાફ પાસે એટલા ઓર્ડર હશે કે અમૂક સમય પછી ઓર્ડર સ્વીકારવામાં તકલીફ પણ પડી શકે છે. રેસ્ટોરેન્ટ્સ પાસે પણ એટલા ભારે ઓર્ડર છે કે કદાચ સાંજે પાંચ વાગ્યા પછી કેટલીક રેસ્ટોરેન્ટ્સ ઓનલાઇન ઓર્ડરને એન્ટરટેઇન કરવાનું પણ બંધ કરી શકે છે. એટલે ક્રિકેટ પ્રેમીઓને એડવાન્સમાં પોતાના ફૂડની વ્યવસ્થા કરી લેવું હિતાવહ છે.

November 11, 2023
kiran-gems.png
1min251

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત ડાયમંડ બુર્સમાં આગામી તા.21મી નવેમ્બરથી કારોબાર શરૂ કરી રહેલા વિશ્વના સૌથી મોટા ડાયમંડ કટ એન્ડ પોલિશીંગ ઉદ્યોગકાર કિરણ જેમ્સ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં તેમની ઓફિસેથી વેપાર સોદા કરનારાઓ માટે જોરદાર ઓફર જાહેર કરવામાં આવી છે.

ઓફર નં. 1

હીરા દલાલી સાથે સંકળાયેલા જે હીરા દલાલો સુરત ડાયમંડ બુર્સ ખાતે આવેલી કિરણ જેમ્સની ઓફિસેથી નેચરલ ડાયમંડના સોદા કરાવશે તેમને 1 ટકો દલાલી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ લાભ માટે દલાલોએ સુરત ડાયમંડ બુર્સમાં ઉપસ્થિત રહીને સોદો કરાવવાનો રહેશે.

ઓફર નં.2

હીરા કારોબારીઓ માટે કિરણ જેમ્સની બીજી ઓફર એવી છે કે હીરાના વેચાણ સોદાઓમાં અન્ય બેનિફિટ ઉપરાંત વધારાના બેનિફિટ તરીકે જો કોઇ ખરીદાર હીરા જોયા વગર બ્લાઇન્ડમાં નેચરલ ડાયમંડની ખરીદી કરશે તો તેને 2 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો કોઇ ખરીદાર હીરા જોયા બાદ ખરીદી કરશે તો તેને દોઢ ટકા વધારાનો લાભ આપવામાં આવશે.

હીરા ઉદ્યોગના જાણકારો કહે છેકે કિરણ જેમ્સની આ ઓફરો એવી છે કે હીરા કારોબાર સાથે સંકળાયેલા દલાલો કે વેપારીઓ માટે મોટી તક પૂરી પાડશે. નેચરલ ડાયમંડ્સની કિંમત એટલી ઉંચી હોય છે કે એકાદ બે સોદામાં 5થી 7 કરોડનો ધંધો થઇ જાય તો જે તે દલાલ કે વેપારીને 10થી 12 લાખની કમાણી થઇ જાય તેમ છે. કિરણ જેમ્સની આવી બિઝનેસ ઓફરની સાથે આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારા અન્ય હીરા ઉદ્યોગપતિઓ પણ પોતપોતાની આકર્ષક ઓફરોથી સમગ્ર વિશ્વના હીરા ખરીદારોને સુરત ડાયમંડ બુર્સમાં ખેંચી લાવશે.

November 2, 2023
umeria.jpeg
1min152

મુદ્રા ડાન્સિંગ એકેડેમીના કલાગુરુ શ્રીમતી કાશ્મીરા જયકુમાર પટેલની ત્રણ શિષ્યાઓ શ્રીમતી વૈશાલી મિતેષ ઉમરીયા, શ્રીમતી તન્વી બકુલેશ ચૌધરી અને હેનાલી સુરેશચંદ્ર પરવટીયાએ અરંગેત્રલની સંપૂર્ણ તાલિમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આગામી તા.4 નવેમ્બરને શનિવારના રોજ સાંજે 4થી 7 કલાક દરમિયાન નાનપુરા સ્થિત જીવનભારતી સંકુલના રંગભવન ખાતે ત્રણેય શિષ્યાઓ પોતાની ક્લાસિકલ ડાન્સિંગની કલા અરંગેત્રલમાં રજૂ કરશે.

આ પ્રસંગે વૈશાલીબેનના પિતા મિતેષ ઉમરીયા તેમજ પરીવારના સભ્ય હિતેષ ઉમરીયાએ જણાવ્યું હતું કે ઉમરીયા પરિવાર માટે આ એક અત્યંત ખુશીનો અવસર છે.

હિતેષભાઇ ઉમરીયાએ જણાવ્યું કે શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે અરંગેત્રલ. સૌપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિળ ભાષામાં ‘આરંગુ’ એટલે રંગમંચ અને ‘એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ક્રિયાપદ ‘અરંગેત્રલ’ ઉપરથી નામ ‘આરંગેત્રમ્’. આરંગેત્રમ્ માટેની નૃત્યકારની પાત્રતા તેણે નૃત્યની તાલીમ પાછળ ગાળેલાં વર્ષોને આધારે નહિ, પરંતુ નૃત્યકાર તરીકેની તેની નિપુણતા તથા ગુણવત્તા પર જ આધારિત હોય છે. પ્રાચીન સમયમાં શિષ્યો ગુરુકુળમાં રહીને નૃત્યસાધના કરતા હતા એ પરંપરા સદીો પછી પણ આજે અકબંધ છે. વર્ષોની કઠોર સાધના તથા પરિશ્રમને અંતે નૃત્યકારે પ્રાપ્ત કરેલ પરિપક્વતાની ફલશ્રુતિ રૂપે આરંગેત્રમનો મંગલ પ્રસંગ, ગામના મંદિરના પટાંગણમાં ભગવાનના આશીર્વાદ સાથે, વિદ્વજ્જનોની ઉપસ્થિતિમાં ઊજવાય છે.

શું છે અરંગેત્રલનો ઇતિહાસ

ભારતની શાસ્ત્રીય નૃત્યકલામાં દક્ષિણ ભારતની નૃત્યકલાનું વિશિષ્ટ પ્રદાન છે, જેનો પ્રારંભ આજથી આશરે 5,000  વર્ષ પહેલાં થયો હતો અને આશરે 2,000 વર્ષ પૂર્વે તે પૂર્ણત્વ પામી હતી તેવું માનવામાં આવે છે. તે સમયથી ભારતની બધી શાસ્ત્રીય નૃત્યશૈલીમાં આરંગેત્રમ્ દીક્ષાન્ત સમારોહ ઊજવાતો આવે છે. વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે તથા પરંપરાથી નિર્ધારિત થયેલા ક્રમમાં તે નૃત્યનાં વિવિધ અંગોમાંથી કેટલાંક રજૂ કરે છે. ઉત્કટ સાધના રૂપે સૈકાઓથી સચવાઈ રહેલી ભારતીય શાસ્ત્રીય નૃત્યોની શૈલીઓમાં ભરતનાટ્યમનું સ્થાન મોખરે છે અને તેમાં મંદિરની દેવદાસીઓ અને નટુવંગમ્ વગાડનાર નટુવનાર એટલે કે નૃત્ય-આચાર્યોનું મુખ્ય પ્રદાન હોય છે. યુવાન દેવદાસી મંદિરમાં જ્યારે પ્રથમ વાર નર્તકી તરીકે નૃત્ય કરે છે ત્યારે તે પોતાની જાતને નટરાજને સમર્પિત કરે છે. આ પ્રસંગમાંથી આરંગેત્રમનો ઉદભવ થયો છે. ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઈએ આરંગેત્રમ્ માટે ‘આરાધના’ પર્યાય આપ્યો છે.

આ સમારોહમાં નૃત્યકાર નૃત્યનાં વિવિધ અંગોમાંથી ખાસ પસંદ કરેલાં કેટલાંક રજૂ કરે છે. મંગલાચરણમાં તેમજ સમારોહની સમાપ્તિ પહેલાં નટરાજવંદના, ગુરુવંદના તથા સભાવંદનાનો સમાવેશ થાય છે. મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ્, શબ્દમ્, વર્ણમ્, પદમ્, તિલ્લાના, શ્લોકમ્ અને મંગલમ્ રજૂ કરવામાં આવે છે. અલારિપ્પુ એટલે કે કુમુદના પુષ્પની માફક ખીલતું. આ એક પુષ્પાંજલિની વિધિ છે, જેમાં નર્તિકા ઉચ્ચ ગ્રીવા રાખી ઈશ્વરને, સન્મુખ ઊભેલા ગુરુને તથા પ્રેક્ષકગણને વંદન કરે છે અને આશીર્વાદ આપવા માટે એ બધાનું આહવાન કરે છે. જતિસ્વરમ્ એટલે કે તાલબદ્ધ નૃત્ય અને નિશ્ચિત રાગમાં ગવાતી સ્વરાવલીનું સુંદર આયોજન. શબ્દમ્ એટલે અભિનય સાથે રજૂ થતું દેવનું યશોગાન, જે દરમિયાન નર્તકી તાલબદ્ધતામાંથી અભિનયમાં સરે છે. અલારિપ્પુ અને જતિસ્વરમની તુલનામાં શબ્દમમાં ભાવપ્રદર્શનનું પ્રાધાન્ય હોય છે. નર્તિકા પ્રેક્ષકગણને રામ, કૃષ્ણ કે શિવની કથા આદર અને અર્થનિષ્પત્તિ સહિત સમજાવે છે. વર્ણમમાં નર્તકીએ શીખેલા આડવુ(steps)ના સ્રોતમાંથી ગ્રહણ કરેલા વૈવિધ્યપૂર્ણ આડવુની ચઢતા ક્રમમાં ભવ્ય રંગભરી રજૂઆત થાય છે. તેમાં દેવનું સ્તુતિગાન હોય છે. પદમ્ અત્યંત મૃદુ રીતે રજૂ થતો નૃત્યપ્રકાર છે, જેમાં આડવુ કરતાં અભિનયનો ભાગ વધારે હોય છે અને તેથી એમાં વિવિધ નાયિકાલક્ષણો દર્શાવવાની તક રહે છે. આ પદમ્ ગુજરાતી ગીત સાથે પણ રજૂ થાય છે. તિલ્લાના ઉત્તર ભારતના તરાનાને મળતી કૃતિ છે, જેમાં વિલંબિત, મધ્ય અને દ્રુત – આ ત્રણેય લયોનો આવિષ્કાર હોવાથી તાલનું વૈવિધ્ય હોય છે. શ્લોકમમાં ઈશ્વરને ઉદ્દેશીને રચાયેલા સંસ્કૃત, તમિળ કે તેલુગુ શ્લોક પર નૃત્ય અને અભિનયની રજૂઆત થાય છે.

આરંગેત્રમ્ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ, ફળ તથા ગુરુદક્ષિણા અર્પણ કરે છે તથા ગાયકવૃંદનું અભિવાદન કરે છે.

આરંગેત્રમ્ બાદ જ શિષ્ય નૃત્યકાર તરીકે પોતાની કલા જાહેરમાં રજૂ કરવા માટે લાયક ગણાય છે.

October 29, 2023
fan-park-1280x1591.jpg
1min269

આવતીકાલ રવિવાર તા.29મી ઓક્ટોબરના રોજ આઇસીસી મેન્સ વર્લ્ડ કપ ક્રિકેટના ઉપક્રમે લખનૌ ખાતે રમાનારી ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની વન ડે મેચનો ફેન પાર્ક શહેરના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

ફેન પાર્ક અંગે વધુ વિગતો આપતા સ્ટેડીયમ મિડીયા કન્વીનર મિતુલભાઇએ જણાવ્યું હતું કે શહેરના ક્રિકેટ રસીકો પોતાના પરિવારજનો સાથે સ્ટેડીયમ પરીસરમાં મોટા સ્ક્રીન પર લાઇવ મેચ નિહાળી શકશે. ફેન પાર્કમાં એન્ટ્રી બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવશે. ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ ઉપરાંત ફૂટકોર્ટ તેમજ નાના બાળકો માટે ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.