ડેરિવેટિવ્સમાં સંકળાયેલા ઊંચા જોખમને કારણે રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડ કરવાનું ટાળવું જોઈએ: NSE CEO આશિષ ચૌહાણ
સુરત: નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ એ અમારી સહિયારી નાણાંકીય આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે. આ વાઇબ્રન્ટ માર્કેટપ્લેસના હાર્દમાં, જેમ જેમ દિવાળીની રોશની ઝળકે છે, અમે સાવચેત પસંદગીઓ અને વ્યૂહાત્મક રોકાણોની સફર શરૂ કરીએ છીએ. આ શુભ સમય દરમિયાન કરવામાં આવેલ દરેક ટ્રેડ રોકાણકારોમાં વૃદ્ધિ અને એકતાની ભાવનાનું વચન આપે છે. એનએસઈ રોકાણકારોને ફક્ત રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ સાથે વ્યવહાર કરવા અને અનિયંત્રિત પ્રોડક્ટ્સમાં વ્યવહાર કરવાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શેરબજાર લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે છે. એક દુઃખદ અનુભવ અસરગ્રસ્ત રોકાણકારોને ફરી ક્યારેય શેરબજારમાં પ્રવેશવા માટે નિરાશ કરે છે. ડેરિવેટિવ્સમાં સંકળાયેલા ઊંચા જોખમને કારણે રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડ કરવાનું ટાળવું જોઈએ. લાંબા ગાળાના ખેલાડી બનો. ભારતની વિકાસગાથામાં ભાગ લેવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તમારા ટ્રેડ સાનુકૂળ રહે, રોકાણો ફળદાયી બને અને દિવાળીની ભાવના આપણને વિપુલતા અને નાણાંકીય સફળતા તરફ દોરી જાય તેવી અભ્યર્થના. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્તની શુભકામનાઓ, જ્યાં દરેક ટ્રેડ આવતીકાલને વધુ મજબૂત, સમૃદ્ધ બનાવવાના અમારા સામૂહિક સંકલ્પને દર્શાવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now