ન્યુ સિટીલાઇટ ભરથાણાના કોલેજ સંકુલની 5 કોલેજોની કુલ 172 ટીમો જેમાં 40 ટીમો યુવતિઓની પણ છે, આટલી મોટી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 5 દિવસમાં પૂર્ણ કરાશે
સુરત: સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લઈ રહી છે. સાથે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહેનાર છે.
ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી ના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહે તે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ટુર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી પાંચ કોલેજની 172 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ ના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી. સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યો એ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલ ના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહેશે. પાંચ દિવસ ચાલતી આ ટુર્નામેન્ટ માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહેશે .
ઑરો યુનિવર્સિટી, સુરત ખાતેની સ્કૂલ ઑફ લૉ, આગામી “કાયદા અને ઉભરતા મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2023″ની જાહેરાત કરી રહી છે, જે 24મી અને 25મી ઑગસ્ટ, 2023ના રોજ યોજાવાની છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્વાનો માટે એક મંચ પૂરો પાડવાનો છે, સંશોધકો, નીતિ નિર્માતાઓ અને વિદ્યાર્થીઓ ઝડપથી વિકસિત વૈશ્વિક પડકારોનો સામનો કરવા કાયદાના ગતિશીલ લેન્ડસ્કેપ પર વિચારણા કરવા.
“કાયદો અને ઉભરતા મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2023” શીર્ષક, આ ઇવેન્ટ સતત પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ વિશ્વમાં સતત બદલાતા કાયદાકીય લેન્ડસ્કેપને સંબોધવા માંગે છે. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સંશોધકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, સંશોધન વિદ્વાનો, વિદેશી પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓને સમકાલીન કાનૂની પડકારોની આસપાસના વિચારો અને આંતરદૃષ્ટિના આદાનપ્રદાનમાં જોડાવવાનો છે.
પ્રો. વિની કપૂર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, બી.આર. આંબેડકર નેશનલ લો યુનિવર્સિટી મુખ્ય અતિથિ તરીકે અને શ્રી. રોહિત પાંડે, એડવોકેટ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને માન. સેક્રેટરી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન ગેસ્ટ ઓફ ઓનર રહેશે. આ પરિષદમાં 150 ઓફલાઈન અને 90 ઓનલાઈન ઉપસ્થિતોની સહભાગિતા જોવા મળશે, જે દેશભરની વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરશે. કોન્ફરન્સમાં આસામ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, કેરળ, કર્ણાટક વગેરે રાજ્યોમાંથી સંશોધન પત્રો અને સહભાગીઓ પ્રાપ્ત થયા છે. વધુમાં, કોન્ફરન્સમાં બાંગ્લાદેશ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોના 10 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની સહભાગિતા છે.
કોન્ફરન્સમાં નિષ્ણાતોની વાર્તાલાપ, પેપર પ્રેઝન્ટેશન અને થીમ હેઠળ ચર્ચાઓ કરવામાં આવશે જેમ કે- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ જસ્ટિસ, બંધારણ અને માનવ અધિકારો સામેના પડકારો, સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે પર્યાવરણ અને ઇકોસિસ્ટમ્સ ટકાવી રાખવા, વ્યવસાયમાં પડકારો અને પ્રગતિ, સ્પર્ધાત્મક કાયદો અને આઈપીઆર, સામાજિક ન્યાય, જાતિ ન્યાય અને સમાનતા, અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે સમકાલીન પડકારો. આ સત્રોની અધ્યક્ષતા કાયદા અને શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે, જેમાં કેટલાકના નામ છે- પ્રો. પ્રોફેસર એમેરિટસ, સિસ્ટર નિવેદિતા યુનિવર્સિટી, ડૉ. અરુણ કુમાર સિંઘ, પ્રોફેસર, ICFAI લૉ સ્કૂલ, ICFAI યુનિવર્સિટી, દેહરાદૂન.
કોન્ફરન્સનું પરિણામ એ છે કે તે સહભાગીઓને સંશોધન ભાગીદારીને પ્રોત્સાહન આપવા, નવીન વિચારો શેર કરવા અને કાયદાકીય મુદ્દાઓને દબાવવા પર ચાલી રહેલા સંવાદમાં યોગદાન આપવા માટે એક અનન્ય તક પૂરી પાડશે. પસંદગીના સંશોધન પત્રો ટેલર અને ફ્રાન્સિસ અને કેમ્બ્રિજ સ્કોલર જેવા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે
હાલ સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ચાલી રહેલી કૌન બનેગા કરોડપતિ 2023ની સિરીઝમાં સુપરસ્ટાર હોસ્ટ અમિતાભ બચ્ચને એક પ્રતિસ્પર્ધીને એવો સવાલ પૂછ્યો કે જેને લઇને સુરતના ખજોદ ખાતે સાકાર પામેલું સુરત ડાયમંડ બુર્સ ફરીથી સમગ્ર વિશ્વમાં ચમકી ગયું છે. અમિતાભ બચ્ચને સુરત ડાયમંડ બુર્સને અનુલક્ષીને પ્રતિસ્પર્ધીને નીચે મુજબનો સવાલ પૂછ્યો હતો.
Which building record, that stood for 80 years, did the Surat Diamond Bourse break to become the largest office building in the world?
ઉદઘાટન પહેલા જ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બની ચૂક્યું છે સુરતનું ડાયમંડ બુર્સ
સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ અનેક દ્રષ્ટીએ આ પ્રોજેક્ટ અનોખી ભાત પાડનારો અને અનોખી છાપ ઉભી કરનારો છે. દુનિયામાં સહકારી ક્ષેત્રે રૂ.3600 કરોડ જેટલી વિક્રમી ખર્ચ કરીને એકપણ રૂપિયાનું ધિરાણ લીધા વગર ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી ઇમારત પણ સુરત ડાયમંડ બુર્સ છે.
સુરત ડાયમંડ બુર્સ સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું હીરા બજાર પણ આ જ જગ્યાએ વિકાસ પામશે.
સુરત ડાયમંડ બુર્સ જ્યારે સંપૂર્ણ ક્ષમતા અનુસાર કાર્યરત બની જશે ત્યારે ભારતમાં સૌથી વધુ નિકાસ ધરાવતું શહેર સુરત હશે અને રાજ્ય ગુજરાત બની જશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ શહેરના અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પાર્કલ એક્ષ્પો ડિસેમ્બર માસમાં યોજાતો હોય છે પરંતુ, આ વર્ષથી પરંપરા એટલા માટે બદલવામાં આવી છે કે દિવાળી પછી લગ્નસરાની સિઝન માટે ઝવેરાતની ખરીદી થઇ શકે અને તેને લઇને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને વેપાર મળશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન
સ્પાર્કલ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, વીપી વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, હિમાંશુ બોડાવાલા, બિજલ જરીવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાશે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના રપ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે.
વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. હવે સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે.મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ઓગષ્ટ મહિના પછી લગ્નસરા શરૂ થશે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી કયાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. તદુપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહયો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઇનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે. જેથી કરીને લોકો એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.
સ્પાર્કલ એકઝીબીશનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.
ચાંદીમાં રામમંદિરની થીમની કૃતિ આકર્ષણ જમાવશે
સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ ઉભું કરશે. ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે.
આગામી છ-આઠ માસમાં જેમના લગ્ન થવાના છે તેમને ખાસ આમંત્રણ અપાયા
ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલો તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુગલો એવા છે કે જેઓના થોડા મહિના બાદ લગ્ન થવાના છે, જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે. આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા તથા રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો માટે ખાસ કલેકશન જોવા મળશે.
સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલે એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદરને કરેલી રજૂઆતો બાદ સોલાર સંદર્ભે નવી ગાઇડલાઇન બહાર પડી
અત્યાર સુધી ગુજરાતમાં કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર તરફથી ઇન્સેન્ટીવ કે સબસિડી આપવામાં આવતી ન હતી. ઉલ્ટાનું સરકારના કેટલાક અધિકારીઓ જોગવાઇનું મનસ્વી અર્થઘટન કરીને એવો હઠાગ્રહ રાખી રહ્યા હતા કે ઔદ્યોગિક એકમની પ્રીમાઇસમાં જ સોલાર પાવર પ્લાન્ટ નાંખવામાં આવે તો જ ઇન્સેન્ટીવ અપાશે. પરંતુ, રાજ્યના ચીફ એડિશનલ સેક્રેટરીની દરમિયાનગીરી બાદ ગઇ તા.18મી ઓગસ્ટે જાહેર કરેલી નવી ગાઇડલાઇન અનુસાર હવેથી રાજ્ય સરકાર રાજ્યમાં ગમે ત્યાં સોલાર પાવર પ્લાન્ટ ઉભો કરનાર ઔદ્યોગિક ગૃહોને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી આપશે. આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધી ઔદ્યોગિક એકમોને કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ માટે એક પણ રૂપિયાની રાહત અપાતી ન હતી.
સોલાર પાવર ક્ષેત્રમાં સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલ અને અન્યોએ ગયા મહિને જ્યારે રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદર સુરત આવ્યા હતા ત્યારે તેમને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી કે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનું ઇન્સેન્ટીવ કે રાહત અપાતી નથી. ઉલ્ટાનું કાયદાનું મનસ્વી અર્થઘટન કરવામાં આવે છે. આ મુદ્દે એસ.જે. હૈદરે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ સાથે પરામર્શ કરીને નવી ગાઇડલાઇન ગઇ તા.18મી ઓગસ્ટના રોજ જાહેર કરાવડાવી હતી. જેમાં સ્પસ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જો કોઇપણ ઔદ્યોગિક એકમ કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ કરે તો તેને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ હવે ઔદ્યોગિક એકમો સુધી પહોંચાડવામાં આવી રહી છે કેમકે ઔદ્યોગિક એકમો જો પોતાના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપે તો રાજ્યમાં વીજ ઉત્પાદન પર ઘણો લોડ ઓછો કરી શકાય તેમ છે.
વાર્ષિક રૂ.5થી 7 લાખ સબસિડી 5 વર્ષ મળે
કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે તે વિસ્તારમાં સ્થાપનાર ઔદ્યોગિક એકમોને તેના મૂડીરોકાણ પર એરીયા બેઝ વર્ષે 5થી 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી પાંચ વર્ષ સુધી આપવામાં આવશે. જેમાં સૌથી બેકવર્ડ એરીયામાં જો પ્લાન્ટ નાંખવામાં આવે તો વર્ષે 7 ટકા, 7 વર્ષ સુધી અને રૂ.35 લાખ સુધી મળી શકે. જો સેમિ અર્બન એરીયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 6 ટકા 6 વર્ષ સુધી મહત્તમ રૂ.30 લાખ અને જો મ્યુનિસિપલ એરિયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 5 ટકા પાંચ વર્ષ સુધી મહત્તમ રૂ.25 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.
મળતી માહિતી મુજબ સુરતના અનેક ઉદ્યોગપતિઓ પોતાના વીજ વપરાશનું ભારણ ઘટાડવા માટે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. પરંતુ, અત્યાર સુધી રાજ્ય સરકારની એવી કોઇ નીતિ ન હતી કે જેમાં સોલા પાવર પ્લાન્ટના ઇન્સ્ટોલેશનમાં ઇન્સેન્ટીવ કે ઇન્ટરેસ્ટ સબસિડી કે અન્ય કોઇ રાહત મળતી હોય. પરંતુ, હવે તા.18મી ઓગસ્ટ 2023 બાદ પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે અને હવેથી રાજ્યના ઔદ્યોગિક એકમોને પાવર પ્લાન્ટ માટે મોટી રકમની ઇન્ટરેસ્ટ સબસિડી મળે તેમ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે એકલા સુરતમાં જ 1 મેગા વોટથી લઇને 25 મેગા વોટના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેનું કામ હવે આગળ ધપશે.
“વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની પૂર્વ સંધ્યાએકિરણ હોસ્પિટલ દ્વારા ભારત વડીલ વંદના કાર્યક્રમ
“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા
કિરણ હોસ્પિટલ દ્વારા “સીનીયર સીટીઝનો” માટે એક અનોખી યોજના બનાવવામાં આવી છે તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલમાં તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ યોજનાનો પ્રારંભ માનનીય આરોગ્યમંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે રવિવાર તા.20મી ઓગસ્ટે સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્સન સેન્ટર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યો હતો.
“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે.
આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.
સુરતમાં રહેતા ૨૬ રાજયના સીનીયર સીટીઝન આ યોજનામાં જોડાયેલા હોવાથી આ કાર્યક્રમનું નામ “ભારત વડીલ વંદના” રાખવામાં હતુ. “વર્લ્ડ સીનીયર સીટીઝન ” ની સમગ્ર દુનિયામાં ઉજવણી થાય છે ત્યારે કિરણ હોસ્પિટલ દ્વારા ૨૦ ઓગષ્ટ ને રવિવાર ના રોજ સુરત ખાતે કંઇક અલગ પ્રકારે સીનીયર સીટીઝનોને મદદરૂપ થવાય તેવા ઉદેશ થી “કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના” લોન્ચ કરીને “વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની ઉજવણી કરવામાં આવી.
આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, તેમજ મહેમાન તરીકે પદ્મશ્રી પઝદીભાઈ કરજીયા, સદભાવના ટ્રસ્ટના વિજયભાઇ ડોબરીયા, ઉપરાંત કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રવજીભાઈ મોણપરા, શ્રી મનભાઇ લખાણી તેમજ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીદાતાશ્રીઓ, શહેરના મહાજનો અને યોજનામાં જોડાયેલા ૧૪ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આજના કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સાવણી દ્વારા આ યોજનાની ઉડાણ પૂર્વક માહિતી આપી અને યોજનામાં સીનીયર સીટીઝનોને કેવી રીતે લાભ મળશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલે કિરણ હોસ્પિટલ દ્વારા સીનીયર સીટીઝનો માટે આવી યોજના બનાવવા બદલ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સૌ ટ્રસ્ટીદાતાશ્રીઓને આવા ઉમદા કાર્ય બદલ બિરદાવ્યા હતા.
કિરણ હોસ્પીટલ દ્વારા લાખો લોકોને ક્વોલીટી સેવા પૂરી પાડવામાં આવી છે, આપણે સૌ જાણીએ છીએ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે આપણે દેશના મોટા મેટ્રો સીટીની હોસ્પિટલોમાં જવું પડતું હતું. તે બધાજ ટ્રાન્સપ્લાન્ટ ઘર બેઠા કિરણ હોસ્પિટલે સુરતમાં શરુ કર્યા અને બહુ મોટી સંખ્યામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પણ કરવામા આવી.
કિરણ હોસ્પિટલની વિવિધ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર ટીમનું આરોગ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે આપણે સન્માન કરવામાં આવ્યું હતું જેમ કે
સદભાવના વૃધાશ્રમમાં ૬૦૦ થી વધારે સીનીયર સીટીઝનોની સેવા કરનાર એવાશ્રી વિજયભાઈ ડોબરીયા જેઓએ ૨૦ લાખથી વધારે વૃક્ષો ઉછેર્યા છે. સુરતના અનેક રસ્તો ઉપર સદભાવના ટ્રસ્ટ દ્વારા ૫૦ હજાર થી વધારે વૃક્ષો રોપી અને તેને ઉછેરવાનું કામ ચાલુ છે. નવા ૧૫ કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે, રાજકોટમાં ૩૦ એકરમાં ૨ હજાર નિરાધાર વડીલોને માન સન્માન સાથે રાખી શકાય તેવા કેમ્પસનું નિર્માણ કાર્ય ચાલુ છે. આવી અનોખી સેવા કરનાર એવા શ્રીવિજયભાઈ ડોબરીયા નું માનનીય આરોગ્યમંત્રી શ્રી અને કિરણ હોસ્પિટલ દ્વારા સન્માનકરવામાં આવ્યું હતું
મેન્યુફેકચરીંગ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી ચીજવસ્તુઓના પ્રોડકશન અને પેકિંગ સહિતની પ્રક્રિયા વિષે જાણકારી મેળવી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગે શુક્રવાર, તા. ૧૮ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ ઇચ્છાપોર જીઆઇડીસી ખાતે આવેલા યુરો ફુડ્સની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. જેમાં લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલા, કો–ચેરપર્સન ગીતા વઘાસિયા અને સેક્રેટરી પ્લવનમી દવે સહિત ૪૦ જેટલી મહિલા સાહસિકોએ યુરો ફુડ્સના પ્રોડકશન યુનિટની મુલાકાત લઇ વિવિધ પ્રોડકટના મેન્યુફેકચરીંગ અને પેકિંગ વિષે જાણકારી મેળવી હતી. યુરો ફુડ્સના સપના સાસપરાએ લેડીઝ વીંગને આવકારી પ્રોડકશન યુનિટની વિઝીટ કરાવી હતી.
ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની શરૂઆત કવોલિટી ચેક રૂમથી થઇ હતી. જ્યાં પ્રોડકટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઓઇલમાં પ્રોટીન અને ફેટની તપાસ કરવામાં આવે છે. યુરો ફુડ્સના યુનિટમાં મુગ દાલ, ચના દાલ, ભાકર વડી, ચીપ્સ, ગાઠીયા અને ચીકી તેમજ લીચી, ગઉવા વિગેરે જ્યુસ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી અને તેનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.
પ્રોડકશન યુનિટમાં ચીપ્સ બનાવવા માટે બટાકાની કવોલિટી તપાસવાથી લઇને તેની સફાઇ અને ત્યારબાદ તેના પેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાનો લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને જ્યુસની બોટલ પણ યુરો ફુડ્સના યુનિટમાં જ બને છે અને ત્યાં જ તેનું પેકિંગ થાય છે. આ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી પ્રોડકટ બનાવવામાં આવે છે, જેના વિષે મહિલા સાહસિકોએ માહિતી મેળવી હતી.
SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા તા.18મી ઓગસ્ટના રોજ વરાછા રોડ સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે મહિલાઓ માટે અભિલાષા નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ મહિલાઓને વ્યાવસાયિક કારકિર્દીના ઘડતર માટે યોજવામાં આવી હતો.
અભિલાષા કાર્યક્રમમાં મહિલાઓને નોકરીની અને સ્કીલ ડેલપમેન્ટની તકોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરતની અભિલાષા ઇવેન્ટને સફળ બનાવવા માટે જે ટીમે કામ કર્યું એ ટીમ મેમ્બર્સની સમૂહ તસ્વીર
SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જયંતિ સાવલિયા અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરતના ડો.રિંકલ જરીવાલાએ સમારોહના મુખ્ય મહેમાન અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનું મંચ પર અભિવાદન કર્યું હતું.
બિઝનેસ વુમન, વર્કિંગ વુમન નવા નવા આઇડીયા પર કામ કરેઃ ડો. રેણુકા ગર્ગ
સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાની જરૂર છે : મેયર હેમાલી બોઘાવાલા
ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં ટકી રહેવા સેલ્ફ મોટીવેશન, એબિલિટી, અનુભવ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે સમજણ આપી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ગુરૂવાર, તા. ૧૭ ઓગસ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘એમ્પાવરમેન્ટ સર્કલ’ વિષે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના પૂર્વ વિભાગીય વડા ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં આગળ વધવા અને બિઝનેસ વુમન તરીકે પોતાની ઓળખ ઉભી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ હવે કોઇપણ ક્ષેત્રે પાછળ નથી. તેઓને દરેક ક્ષેત્રે આગળ વધવાની તક મળી રહી છે અને તેઓ આગળ વધી રહી છે. જો કે, મહિલાઓ માટે કામ કરવાની ઘણી ચેલેન્જ હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેઓએ પરિવારને સાચવીને આગળ વધવું જોઇએ. પહેલો સહકાર પરિવાર તરફથી લેશો તો કોઇ દિવસ પાછળ રહેશો નહીં. તેમણે કહયું કે, ગુજરાત જીઆઇડીસીમાં રૂપિયા ૧૭૦૦ કરોડનો બિઝનેસ માત્ર મહિલાઓ કરે છે ત્યારે ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાનો છે.
ડો. રેણુકા ગર્ગે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા માટે જે આઇડિયા આપણી પાસે હોય છે તેને અમલમાં નહીં મુકાય ત્યાં સુધી એ આઇડિયા બેકાર છે. જે પ્રોડકટનું ઉત્પાદન કરી તેને માર્કેટમાં લઇ જવી છે તેની માર્કેટમાં ડિમાન્ડ જ ન હોય તો પણ આઇડિયા બેકાર છે, આથી આઇડિયા હમેશા ફિઝીબલ હોવો જોઇએ. બિઝનેસ માટે રિસ્ક લેવો પડશે. આજે બિઝનેસની શરૂઆત કરી અને કાલથી પરિણામ મળશે એ જરૂરી નથી. બિઝનેસમાં ટકી રહેવા માટે પણ નવા નવા આઇડિયાઝ લાવવા પડશે. બિઝનેસમાં નવિનતા લાવવી પડશે ત્યારે જ બિઝનેસમાં લાંબા ગાળે ટકી શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં ટકી રહેવા માટે માત્ર માર્કેટીંગ અને ફાયનાન્સ જ નહીં પણ ૩૬૦ ડીગ્રી એન્ગલથી વિચારવું પડશે. બિઝનેસ મેનેજમેન્ટના જેટલા પણ ફંકશન છે તેના વિષે વિચારવું પડશે. બિઝનેસમાં ટકી રહેવા માટે સ્પર્ધા ઘણી છે, પરંતુ હમેશા સ્પર્ધક બનીને નહીં પણ સહકારની ભાવના સાથે એકબીજાને સહયોગ આપીને પણ બિઝનેસને ડેવલપ કરવો પડે છે. બિઝનેસમાં નવી ટેકનોલોજી અપનાવી ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રોડકટ ડેવલપ કરવી પડશે. તેમણે બિઝનેસમાં ટકી રહેવા માટે સેલ્ફ મોટીવેશન, એબિલિટી, એકસપિરિયન્સ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે વિસ્તૃત સમજણ આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરી મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય સેશનમાં હાજર રહયા હતા.
વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમનું સંચાલન કરી મેયર હેમાલી બોઘાવાલાનો પરિચય આપ્યો હતો. કો–ચેરપર્સન નિમિષા પારેખે વકતા ડો. રેણુકા ગર્ગનો પરિચય આપ્યો હતો. લેડીઝ વીંગના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.
ગુજરાત સરકારની મેડીકલ-પેરામેડીકલ ફી નિર્ધારણ કમિટીએ મેડીકલ કોલેજોની ફી ઘટાડવાનો નિર્ણય કરતા આજે ગુજરાત સરકાર મેડીકલ એડમિશન કમિટીએ એમબીબીએસ (મેડીકલ) અને બીડીએસ (ડેન્ટલ)માં આપવામાં આવેલા 8113 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેતા પ્રવેશાર્થીઓ અને તેમના વાલીઓને ભારે આંચકો લાગ્યો છે. મેડીકલમાં સેમી સરકારી કોલેજોની ફીમાં કરાયેલા ધરખમ વધારાને કારણે અનેક વિદ્યાર્થીઓએ તેમને પ્રવેશ મળતો હતો છતાં એ જતો કર્યો હતો. સરકારે પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા પછી આજે તા.8મી ઓગસ્ટે મેડીકલ કોલેજોમાં કરાયેલો ફી વધારો પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આથી જે વિદ્યાર્થીઓએ ફી વધારાના કારણે પ્રવેશ લીધો ન હતો એવા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ કારણથી મેડીકલ એડમિશન કમિટીએ ચાલુ વર્ષની મેડીકલ અને ડેન્ટલ કોલેજોની પહેલા રાઉન્ડની આખેઆખી પ્રવેશ પ્રક્રિયા જ રદ કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે એમબીબીએસમાં કુલ 6858 તથા ડેન્ટલમાં કુલ 1255 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાની સૂચના આપવામાં આવી હતી એ મુજબ વિદ્યાર્થીઓએ ફી પણ ભરપાઇ કરી દીધી છે. હવે સમૂળગી પ્રવેશ પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ ગયા છે.
ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોલેજોમાં હવે નવેસરથી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એડમિશન કમિટીની વેબસાઇટ પર આ સૂચના જારી કરવામાં આવી છે
આથી શૈક્ષણિક વર્ષ:૨૦૨૩-૨૪ ના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, પ્રવેશ પ્રક્રીયા દરમ્યાન CEO શ્રી, GMERS સોસાયટી, ગાંધીનગર ના તા.૨૦/૦૭/૨૦૨૩ નાં પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/૨૦૨૩-૨૪/ડ-૪/૨૩ થી GMERS મેડીકલ કોલેજોની નવી ટ્યુશન ફી નક્કી કરવામાં આવેલ હતી. જે અન્વયે ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. ૫.૫૦ લાખ, મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. ૧૭.૦૦ લાખ તથા NRI ક્વોટા ની ૨૫,૦૦૦/- US Dollar નકકી કરવામાં આવેલ હતી. પરતું આજ રોજ તા. ૦૮/૦૮/૨૦૨૩ ના રોજ સરકાર શ્રી માં થયેલ મીટીંગ અને CEO, GMRES સોસાયટી, ગાંધીનગર નાં આજ રોજ તા.૦૮/૦૮/૨૦૨૩ ના પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/૨૦૨૩-૨૪/ડ-૪/૨૩ થી તેઓની ટ્યુશન ફી નો વધારો પરત ખેંચવામાં આવેલ છે. અને આ પત્ર મુજબ GMERS મેડીકલ કોલેજોની ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. ૩.૩૦ લાખ, મેનેજમેન્ટ ક્વોટા ની ફી રૂ. ૯,૦૭,૫૦૦/- તથા NRI ક્વોટા ની ૨૨,૦૦૦/- US Dollar રાખવા જણાવેલ છે. જેથી પ્રથમ રાઉન્ડની તમામ પ્રવેશ પ્રક્રીયા રદ કરવામાં આવે છે. અને નવેસરથી પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ ચાલુ કરવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ પ્રવેશ સમિતિની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ભરેલ છે અને અસલ પ્રમાણપત્રો હેલ્પ સેન્ટર પર જમા કરાવીને એડમિશન કન્ફર્મ કરાવેલ છે. તેમજ એડમિશન ઓર્ડર મેળવેલ છે. અથવા તો ફક્ત ટ્યુશન ફી ભરેલ છે, તેવા તમામ વિદ્યાર્થીઓના એડમિશન પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓની ભરેલી ફી હવે પછી યોજાનાર રાઉન્ડમાં મજરે આપવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થી અને વાલી એ નોંધ લેવી.
જે ઉમેદવારોએ પ્રવેશ સમિતિના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સ માં પ્રવેશ માટે જરૂરી ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. જો તેઓ પોતાના અસલ પ્રમાણપત્રો પરત મેળવવા ઈચ્છતા હોય તો તે ઉમેદવાર (૧) પોતાની અરજી (૨) ફોટો આઈડી ની નકલ અને (૩) અસલ એડમીશન ઓર્ડર હેલ્પ સેન્ટર ખાતે આપી અસલ પ્રમાણપત્રો પરત મેળવી શકશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.