CIA ALERT

Alert Archives - Page 2 of 520 - CIA Live

August 30, 2026
modi-sir.png
1min58

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેમાં વડોદરા અને નવસારીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મળતી માહિતી અનુસાર પીએમ મોદી 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ વડોદરા યુનિવર્સિટી ગ્રાઉન્ડ જશે, જ્યાં તેમના દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ થવાનું છે. તેઓ સ્થળ પર એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

વડોદરામાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી બપોરે 3 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા નવસારી જવાના છે. નવસારીમાં, તેઓ જિલ્લા ભાજપની નવી ઓફિસ, નમો કમલમનું ઉદ્ઘાટન કરશે. તેઓ સાંજે 4 વાગ્યા પછી નવસારી હેલિપેડથી સુરત જવા રવાના થશે અને પછી સુરતથી મુંબઈ જવા રવાના થશે. જોકે તેમના કાર્યક્રમોની સત્તાવાર યાદી હવે જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન અને નવસારી લોકસભા સાંસદ સીઆર પાટીલે શનિવારે પ્રધાનો, પક્ષ સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પીએમ મોદીની મુલાકાતની તૈયારીઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.

દરમિયાન, ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ શનિવારે સાંજે વડા પ્રધાનની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડોદરા પહોંચ્યા હતા. સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સર્કિટ હાઉસ ખાતે વડોદરાના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

પીએમ મોદી 4 જુલાઈએ ગુજરાત આવ્યા હતા. જ્યારે તેમણે સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.

August 29, 2026
image-33-1280x720.png
1min50

ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગની કહાની છેલ્લા એક દાયકામાં ઝડપથી બદલાઈ છે. આજે દેશમાં ઉપયોગમાં લેવાતા 99.2 ટકા મોબાઇલ ફોન ભારતમાં જ તૈયાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, 2025માં સ્માર્ટફોનમાં ભારતની સૌથી મોટી એક્સપોર્ટ કેટેગરી દેશ બની ગયો હતો.આ ચોક્કસથી એક મોટી સફળતા છે પણ આ પાછળ એક માઈનસ પોઈન્ટ પણ છે. ભારત સ્માર્ટફોનના અલગ અલગ પાર્ટ્સ તૈયાર કરી રહ્યો છે પણ પોતાનો કોઈ સ્માર્ટ હજુ સુધી માર્કેટમાં મૂક્યો નથી. હજુ સુધી કોઈ સ્માર્ટફોન બ્રાંડ બની નથી જે ગ્લોબલ લેવલ પર વીવો, સેમસંગ જેવી કંપનીઓને હંફાવી શકે. આ દિશામાં ભારત સરકાર એક મોટું પગલું લઈ રહી છે. ભારતે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, પરંતુ અહીં એક મોટો પડકાર હજુ પણ યથાવત છે.

સરકારે તાજેતરમાં ₹62,500 કરોડની મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમની જાહેરાત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ માત્ર ભારતમાં વિદેશી કંપનીઓ માટે ફોન એસેમ્બલ કરવાનો નથી.સરકાર ઈચ્છે છે કે, ભારતીય કંપનીઓ ભારતમાં જ સ્માર્ટફોન ડિઝાઇન કરે, પોતાના પેટન્ટ વિકસાવે, ટેક્નોલોજી પર કામ કરે અને પોતાનો બ્રાન્ડ ઊભી કરે. અર્થાત્, હવે લક્ષ્ય માત્ર ‘Made in India’ નહીં, પરંતુ ‘Designed in India’ અને ‘Branded in India’ તરફ આગળ વધવાનું છે. ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવના મતે, વર્ષ 2027ના મધ્ય સુધીમાં ભારતને પોતાનો પહેલો મજબૂત સ્વદેશી સ્માર્ટફોન બ્રાન્ડ મળી શકે છે. આ યોજના હેઠળ પાત્ર ભારતીય બ્રાન્ડ્સને યોગ્ય વેચાણ પર 5 ટકા ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ઉપરાંત, કંપની પોતાનું ઇન-હાઉસ ડિઝાઇન હબ વિકસાવે તો તેને વધારાનો 3 ટકા લાભ મળી શકે છે.

સરકાર ખાસ કરીને એવી કંપનીઓને પ્રોત્સાહન આપવા માંગે છે, જેમાં ઓછામાં ઓછો 51 ટકા માલિકીભાગ ભારતીયોનો હોય. આજે જ્યાં Xiaomi, Vivo, Oppo અને Samsung જેવા બ્રાન્ડ્સનું સ્માર્ટફોન માર્કેટમાં મોટું વર્ચસ્વ છે, ત્યાં લગભગ એક દાયકા પહેલાં સ્થિતિ અલગ હતી. Micromax, Lava અને Intex જેવી ભારતીય કંપનીઓ ભારતીય બજારમાં મજબૂત હાજરી ધરાવતી હતી. 2015ની આસપાસ ભારતીય બ્રાન્ડ્સની સંયુક્ત બજાર ભાગીદારી લગભગ 35 ટકા સુધી પહોંચી હતી. Micromax તો તે સમયે Samsungને સીધી ટક્કર આપતી ભારતીય બ્રાન્ડ માનવામાં આવતી હતી.પરંતુ ત્યારબાદ Xiaomi, Vivo અને Oppo જેવી ચીનની કંપનીઓએ ભારતીય સ્માર્ટફોનના માર્કેટનું ગણિત જ બદલી નાખ્યું. એક જ ફોનમાં તમામ પ્રકારના ફીચર, ફીચર ન મળે તો એને સપોર્ટિંગ વસ્તુ આપીને મોનોપોલી તોડી નાંખી.

મજબૂત સપ્લાય ચેઇન, આક્રમક કિંમતો અને વધુ સારા સ્પેસિફિકેશન્સ સાથે ભારતીય ગ્રાહકોને આકર્ષ્યા. ઓછા બજેટમાં તમામ પ્રકારની સુવિધા, સારો કેમેરો અને સ્પેસના ફીચરના પરિણામે ભારતીય કંપનીઓ ધીમે ધીમે સ્પર્ધામાં પાછળ પડવા લાગી. આ સિવાય વધુ સ્મુથ એવેલેબિલિટી મળતા ગ્રાહકોને આ પસંદ પડ્યું અને ભારતીય ફોનની માર્કેટ પડી ગઈ. માત્ર હાર્ડવેર જ નહીં, પરંતુ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સોફ્ટવેર અને નિયમિત અપડેટ્સ જેવા ક્ષેત્રોમાં પણ ભારતીય બ્રાન્ડ્સ પાછળ રહી ગઈ. પરિણામે 2020ની શરૂઆત સુધીમાં ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ્સની બજાર ભાગીદારી 1 ટકાથી પણ ઓછી રહી ગઈ હતી. તે સમયે ભારતીય કંપનીઓ પાસે મોટા પાયે મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પણ ન હોતી. પરંતુ હવે પરિસ્થિતિ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસ્યું છે અને વૈશ્વિક કંપનીઓ માટે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ઊભી થઈ છે.

નવી સરકારી નીતિનો સૌથી મોટો ફાયદો ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ Lavaને મળી શકે છે. ઘણા પડકારો છતાં Lava ભારતીય બજારમાં ટકી રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી બજેટ સેગમેન્ટમાં ફરી પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોન માર્કેટમાં Lavaની ભાગીદારી લગભગ 2 ટકા સુધી પહોંચી છે અને તેમાં વાર્ષિક 40થી 50 ટકાની ઝડપે વૃદ્ધિ થઈ રહી છે. Lava હવે માત્ર ફોન એસેમ્બલ કરવા પૂરતું સીમિત રહેવા માંગતું નથી. કંપની ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ જેવા મહત્વના ઘટકોમાં લગભગ ₹1,100 કરોડનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. જો આ રોકાણ સફળ થાય, તો કંપનીને સ્માર્ટફોનના મહત્વના ઘટકો પર વધુ નિયંત્રણ મેળવવામાં મદદ મળી શકે છે.

રસપ્રદ વાત એ છે કે Micromaxની મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ફરીથી પ્રોડક્શન શરૂ કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. જોકે ભારતમાં ફોન બનાવવો હવે શક્ય બન્યું છે, પરંતુ વૈશ્વિક સ્તરનો બ્રાન્ડ બનાવવો હજુ પણ મોટો પડકાર છે. Samsung અને Xiaomi જેવી કંપનીઓ પાસે વર્ષોના સોફ્ટવેર અનુભવ, કેમેરા ટેક્નોલોજી, R&D અને વૈશ્વિક સર્વિસ નેટવર્કની તાકાત છે.પણ ગ્રાહકોનો ભરોસો જીતવો એ મોટો પડકાર છે. ભારતીય બ્રાન્ડ્સે માત્ર સારો ફોન બનાવવાનો નથી, પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ જીતીને તેમને સ્થાપિત બ્રાન્ડ્સમાંથી પોતાના તરફ વાળવાના છે. સ્માર્ટફોન માર્કેટમાં નવા ખરીદદારોની સંખ્યા હવે અગાઉની જેમ ઝડપથી વધી રહી નથી. એટલે ભારતીય બ્રાન્ડ્સ માટે વૃદ્ધિ મેળવવા માટે માત્ર નવા ગ્રાહકો પર આધાર રાખવો મુશ્કેલ રહેશે.

August 29, 2026
image-30.png
1min42

નેપાળમાં અચાનક આવેલી ભયાનક પૂરની હોનારતે હાહાકાર મચાવી દીધો. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 626 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે 2,500થી વધુ લોકો હજુ ગુમ હોવાના અહેવાલ છે. પૂરના તીવ્ર પ્રવાહ અને કાદવ-કીચડ અને કાટમાળના કારણે કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની અસંખ્ય વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થઈ ગયા છે.

આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં ભારતીય નાગરિકો પણ ફસાયેલા છે. ભારતના વિદેશ મંત્રાલયની અપડેટ મુજબ, 320 ભારતીયો અને ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેમાં 100 જેટલા ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર અટવાયેલા હોવાની આશંકા છે. જોકે, રાહતની વાત એ છે કે તિબેટમાં આશરે 400 ભારતીયો સુરક્ષિત છે અને તેમની સાથે સંપર્ક થઈ ચૂક્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ ભયાનક આફતની શરૂઆત ઊંચા પર્વતીય વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાથી થઈ હતી. ગ્લેશિયરનો મોટો હિસ્સો બરફ અને પથ્થરો સાથે લેંડે નદીમાં ખાબક્યો હતો. આ કુદરતી અવરોધ અચાનક તૂટતાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં વિનાશક પૂરની લહેર આવી હતી.

પહેલી તબાહી બાદ હવે નદીના ઉપરી હિસ્સામાં કાટમાળ જમા થવાને કારણે સર્જાયેલું કૃત્રિમ સરોવરે નવી ચિંતા ઉપજાવી છે. સેટેલાઇટ તસવીરો મુજબ, આ ડેમ જેવા બનેલા સરોવરમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થઈ ગયું છે અને આગામી દિવસોમાં વધુ પાણી ઉમેરાવાની ભીતિ છે. જો આ કુદરતી દીવાલ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર અચાનક જળપ્રલય આવી શકે છે.

પૂરના કારણે 36થી વધુ પુલો વહી જતાં 90 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને અનેક ગામડાઓનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રસ્તાઓ ફરી ચાલુ કરવા નેપાળે ભારત અને ચીન પાસે 42 બેલી બ્રિજ બનાવવા માટે મદદ માંગી છે. હાલ નેપાળી સેનાના 2,300થી વધુ જવાનો સહિત 7,451 સુરક્ષાકર્મીઓ રાહત અને બચાવ કાર્યમાં ખડેપગે તૈનાત છે.

August 25, 2026
trumph.jpg
1min52

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર 2,00,000 જેટલા વિદેશીઓના બિઝનેસ અને ટુરિઝમ વિઝા રદ કરવાની તૈયારી કરી રહ્યું છે જેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય માટે અરજી કરી છે અથવા હાલમાં આશ્રય માંગી રહ્યા છે, જે યુએસ ઇતિહાસમાં સૌથી મોટો સિંગલ માસ વિઝા રદબાતલ બની શકે છે.

રાજ્ય વિભાગ આગામી અઠવાડિયામાં આ પગલાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, સિવાય કે યોજનાને પડકારવામાં આવે અથવા તેમાં સુધારો કરવામાં આવે. તેમાં 2016 અને 2026 વચ્ચે જારી કરાયેલા B1 અને B2 વિઝાનો સમાવેશ થશે જેમણે આશ્રય માંગ્યો છે અથવા હાલમાં આશ્રયનો પ્રયાસ કરી રહ્યા છે, સમાચાર એજન્સી એપીએ રાજ્ય વિભાગના દસ્તાવેજો અને યુએસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે.

અમે DHS સાથે સંકલન કરી રહ્યા છીએ જેથી એવા વિદેશીઓના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઓળખી શકાય અને રદ કરી શકાય જેઓ ટૂંકા ગાળાના મુલાકાતીઓ હોવાનો દાવો કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવ્યા છે, પરંતુ પછી અહીં કાયમી રહેવા માટે આશ્રય માટે ફાઇલ કરે છે, એમ રાજ્ય વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું.

પિગોટે રદ કરી શકાય તેવા વિઝાની સંખ્યાની પુષ્ટિ કરી ન હતી, તેમણે કહ્યું હતું કે “કારણ કે પ્રક્રિયા ચાલુ રહેશે, રદ કરવાની સંખ્યા ગતિશીલ રહેશે અને તે ક્રમિક ધોરણે કરવામાં આવશે.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે રદ કરવાથી આપમેળે તાત્કાલિક દેશનિકાલ થશે નહીં. જે લોકો આશ્રયના કેસ બાકી છે તેઓ તે દાવાઓને આગળ ધપાવવાની ક્ષમતા જાળવી શકે છે પરંતુ તેઓ વ્યવસાય અથવા પ્રવાસન મુલાકાતી તરીકેનો તેમનો દરજ્જો ગુમાવશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો બીજો કાર્યકાળ શરૂ કર્યો ત્યારથી વહીવટીતંત્ર દ્વારા યુએસ વિઝા અને ઇમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવવાનો આ પગલું છે. સરકારે અરજદારોની સોશિયલ મીડિયા પ્રવૃત્તિની ચકાસણી વધારી છે, વિઝા બોન્ડ આવશ્યકતાઓ રજૂ કરી છે અને ચોક્કસ દેશોના નાગરિકોને વિઝા આપવાનું પ્રતિબંધિત કર્યું છે.

B1 વિઝા સામાન્ય રીતે વ્યવસાયિક મુસાફરી માટે જારી કરવામાં આવે છે, જ્યારે B2 વિઝા પ્રવાસન, કુટુંબની મુલાકાતો અને તબીબી સારવારને આવરી લે છે. તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી કે કેટલા વર્તમાન અથવા ભૂતપૂર્વ B1 અને B2 વિઝા ધારકોએ આશ્રય માંગ્યો છે અને આયોજિત કાર્યવાહીથી તેઓ પ્રભાવિત થશે.

વહીવટીતંત્રે છેલ્લા ૧૮ મહિનામાં લગભગ ૧,૭૫,૦૦૦ વિઝા રદ કર્યા છે, જેમાં દારૂ પીને વાહન ચલાવવા, બળાત્કાર અને લૂંટ જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા અથવા આરોપીઓ તેમજ જાહેરમાં યુએસ નીતિઓનો વિરોધ કરનારા કેટલાક લોકોનો સમાવેશ થાય છે.

August 24, 2026
image-29-1280x768.png
1min57

દેશભરમાં આગામી મહિનાથી બૅંક કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ કરવા જઈ રહ્યા છે, જેના કારણે બૅંકિંગ સેવાઓ પર મોટી અસર પડી શકે છે. યુનાઈટેડ ફોરમ ઓફ બૅંક યુનિયન્સ (UFBU) એ પરફોર્મન્સ લીન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) અને 5 દિવસના બૅંકિંગ કામકાજના દિવસો(5-Day Banking)ની માંગ સાથે હડતાળની જાહેરાત કરી છે. જેના કારણે બૅંક ગ્રાહકોને સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્મચારીઓ અને અધિકારીઓના મુખ્ય સંગઠન UFBU એ ત્રણ તબક્કામાં દેશવ્યાપી હડતાળ યોજવાનું આયોજન કર્યું છે.

  • પ્રથમ તબક્કો
    (11 સપ્ટેમ્બર): દેશભરમાં 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ રહેશે. આ સમયગાળા દરમિયાન શનિવાર અને રવિવારની રજાઓ આવતી હોવાથી બૅંકો સતત 3 દિવસ બંધ રહેશે.
  • બીજો તબક્કો
    (28, 29 અને 30 સપ્ટેમ્બર): સપ્ટેમ્બરના અંતમાં કર્મચારીઓ સતત 3 દિવસ હડતાળ પર રહેશે. શનિવાર-રવિવારની રજાઓ ઉમેરીને બૅંકો સતત 5 દિવસ માટે બંધ રહેશે.
  • ત્રીજો તબક્કો
    (26 ઑક્ટોબરથી): જો સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે, તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિત મુદતની દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે.

5 દિવસનું બૅંકિંગ (5-Day Banking Week): 8 માર્ચ 2024ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારમાં સોમવારથી શુક્રવાર સુધી રોજનો કામકાજનો સમય 40 મિનિટ વધારીને 5 દિવસનું બૅંકિંગ લાગુ કરવા સહમતિ બની હતી. જોકે, હજુ સુધી સરકારની મંજૂરી બાકી છે.

સંશોધિત PLI સ્કીમનો વિરોધ: યુનિયનોનો આરોપ છે કે, નવી PLI (Performance Linked Incentive) સ્કીમમાં મોટા અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓ વચ્ચે મોટો તફાવત રાખવામાં આવ્યો છે, જે ભેદભાવપૂર્ણ છે.

રાષ્ટ્રીયકૃત બૅંકની વિવિધ બ્રાન્ચના કામકાજ પર અસર પડી શકે તેમ હોવાથી ગ્રાહકોને પોતાના જરૂરી કામ સમયસર પતાવી લેવા વિનંતી કરવામાં આવી છે.

August 24, 2026
image-28.png
1min61

જંતર-મંતર ખાતે 1 મહિનાથી વધુ સમય સુધી આંદોલન ચલાવનાર કૉકરોચ જનતા પાર્ટી(CJP) દ્વારા ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં મોટા પાયે એકત્ર થવાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષે 5 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરતાં આરોપ લગાવ્યો છે કે, ભારત સરકારે 25 જુલાઈના રોજ યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. પક્ષના જણાવ્યા અનુસાર, સરકારના વચનો બાદ જ યુવાનોએ સદ્ભાવના દર્શાવીને પોતાનો દેશવ્યાપી વિરોધ પાછો ખેંચ્યો હતો.

5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ શાંતિપૂર્ણ માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય તરફ આગળ વધશે. CJPના સહ-સંયોજક સૌરવ દાસ(Sourav Das)ના જણાવ્યા પ્રમાણે, આ વિરોધ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો અને કથિત પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે. પક્ષે જણાવ્યું કે, ‘અમે જેન જી, યુવા પ્રદર્શનકારીઓ અને મૃતકોના પરિવારો સાથેનો વિશ્વાસઘાત સ્વીકારીશું નહીં. 5 સપ્ટેમ્બર, ઈન્ડિયા ગેટ. યુવાનો ફરી એકવાર એકઠા થશે.’

પક્ષ દ્વારા સોમવારે રાષ્ટ્રીય કાર્યસમિતિની ઓનલાઇન બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર અને શાસિત રાજ્યો દ્વારા આપવામાં આવેલા વચનોની સમીક્ષા કરવામાં આવી હતી, જેના આધારે 25 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન પાછો ખેંચાયો હતો. સમિતિના સભ્યોએ સરકારની દાનત પર શંકા વ્યક્ત કરી હતી.

CJP તરફથી બહાર પાડવામાં આવેલા લેખિત નિવેદનમાં જણાવાયું કે, ‘1 મહિનો વીતી ગયો છે. વચનો પૂરા કરવાને બદલે સરકારે માત્ર વિલંબ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ખાતરી આપી નથી. આ સ્થિતિ ચાલુ રહી શકે નહીં. અમારી ધીરજને નબળાઈ ન ગણવામાં આવે. અમારી સદ્ભાવના સરકાર માટે છેતરપિંડી કરવાની તક બની શકે નહીં. રાષ્ટ્રીય કાર્યસમિતિએ 5 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ માર્ચ યોજવાનો નિર્ણય કર્યો છે.’

નીટ પેપર લીક મામલે જંતર-મંતર ખાતે આંદોલન દરમિયાન પક્ષે સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ રાખી હતી. જેમાં સૌથી મોટી માંગ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જે માંગ પૂરી થયા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય 2 મુખ્ય માંગણીઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું અને આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો સમાવેશ થાય છે. પક્ષનો આરોપ છે કે સરકારે આ બંને વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી અમલ થયો નથી.

August 22, 2026
ICAI-ISCA.png
1min69

CA માટે પ્રેક્ટિશનો ઇન્ટરનેશનલ ગેટ-વે ટૂંક સમયમાં ખૂલી જશે

ભારતીય સંસ્થા ICAI અને સિંગાપોરની સંસ્થા ISCA પરસ્પર માન્યતા તરફ આગળ વધી રહ્યા છે

ટૂંક સમયમાં જ ભારતીય CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) સિંગાપોર જેવા આધુનિક અને વિકસિત દેશમાં કોઇપણ જાતના બાધ કે એન્ટ્રીગેટ એક્ઝામ વગર વ્યવયાયિક પ્રેક્ટિસ કરી શકશે, એવા રેફરન્સ સાથે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોર અને ભારત વચ્ચે અરસપરસ માન્યતા માટે 2023 વાટાઘાટો ચાલી રહી છે. બંને સંસ્થાઓએ એકાઉન્ટિંગ વ્યવસાય માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કેપેસિટી બિલ્ડીંગ પર સહયોગ સાધવા માટે પણ અલગથી સંમતિ આપી છે.

જેની ફળશ્રુતિ રૂપે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટૂંક સમયમાં સિંગાપોરમાં વ્યાપક વ્યાવસાયિક માન્યતા મેળવી શકે છે, જેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંગાપોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ISCA) સંપૂર્ણ મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ (MRA) તરફ આગળ વધી રહ્યા છે.

તાજેતરમાં બંને સંસ્થાઓના અધિકૃત અધિકારીઓએ વ્યાવસાયિક લાયકાતોની પારસ્પરિક માન્યતાને આવરી લેતા મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રિમેન્ટ તરફ કામ કરવાના તેમના ઇરાદાને દર્શાવતા સહિ સિક્કા કરેલા પત્રોનું ઔપચારિક રીતે આદાનપ્રદાન કર્યું હતું.

પ્રસ્તાવિત MRA બે સંસ્થાઓ વચ્ચે લાયકાતોની માન્યતા માટે વધુ વ્યાપક માળખું પૂરું પાડશે. ભારતીય સીએ માટે, તે કરારના અંતિમ અવકાશ અને શરતોને આધીન, સિંગાપોરમાં વ્યાવસાયિક ગતિશીલતા અને કામ કરવાની તકોમાં સુધારો કરી શકે છે.

આ પગલું ફેબ્રુઆરી 2023 માં ISCA દ્વારા લેવામાં આવેલા અગાઉના પગલા પર આધારિત છે, જ્યારે તેણે ‘માન્ય વ્યાવસાયિક લાયકાત’ ની તેની યાદીમાં ICAI લાયકાત ઉમેરી હતી. આનાથી સિંગાપોરમાં લાયક ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ISCA એસોસિયેટ સભ્યો બનવાની મંજૂરી મળી. સંપૂર્ણ MRA પારસ્પરિક સભ્યપદ માન્યતા માટે એક વ્યાપક માળખું પૂરું પાડીને આ હાલની વ્યવસ્થાથી આગળ વધશે.

August 21, 2026
image-27.png
1min40

જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં Dt.21/08/2026 સવારના સમયે જ્યારે CJP ના કાર્યકરો શાળાની જર્જરિત હાલત જોવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડા સમય બાદ CJP પ્રવક્તા આશુતોષ રાંકા ખુદ શાળાએ પહોંચ્યા, જ્યાં તેમની સામે પણ ભારે નારેબાજી થઈ હતી. ધીમે ધીમે મામલો એટલો તંગ બની ગયો કે ધક્કામુક્કી શરૂ થઈ અને ગ્રામજનોએ કાર્યકરોને દોડાવીને માર માર્યો હોવાના અહેવાલ છે. આ દરમિયાન કાર્યકરોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા અને તેમના પર રેતી તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા અભિજિત દીપકે લખ્યું કે રાજસ્થાનમાં આશુતોષ પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને પોલીસે આ બધું મૂકપ્રેક્ષક બનીને થવા દીધું. આશુતોષ રાંકાએ પણ આરોપ લગાવ્યો કે વિરોધ કરનારા લોકો વાસ્તવમાં ગ્રામજનો ન હતા, પરંતુ ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા અસામાજિક તત્ત્વો હતા. આશુતોષે જણાવ્યું કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કમલ પ્રધાન છે, જે ગરીબોની જમીન પચાવી પાડવાનું કામ કરે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે બાળકો ભેંસના તબેલામાં ભણે તે ભાજપને મંજૂર છે, પરંતુ શાળા સુધારવાના પ્રયાસો તેમને ક્યારેય ગમતા નથી.

જર્જરિત શાળા માટે 12 લાખનું બજેટ માત્ર કાગળ પર

બીજી તરફ ગામની શાળાની હાલત ખરેખર દયનીય છે. ગ્રામજન વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું કે 1999 માં બનેલી આ શાળાની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. હાલ 2 શિક્ષકો આશરે 20 થી 30 બાળકોને એક મોટા મકાનના 2 ઓરડામાં ભણાવવા મજબૂર છે. સ્થાનિક ધારાસભ્ય ડૉ. કૈલાશ વર્માએ શાળા માટે 9 લાખ રૂપિયાનું બજેટ ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું. વધુમાં સરકાર તરફથી 12 લાખ રૂપિયાનું બજેટ પણ પાસ કરાયું હોવા છતાં જમીન પર કોઈ જ કામગીરી શરૂ થઈ નથી.

August 19, 2026
sgcci-yarn-expo-26-1280x449.jpeg
1min54
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યાર્ન એક્સ્પોની 8મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન: ચીન સહિત દેશભરમાંથી 88 એક્ઝિબિટર્સ ભાગ લેશે
  • સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા આયોજન: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત અને બાંગ્લાદેશના ડેલિગેટ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે
  • કોટન, સિલ્કથી લઈને ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ સ્પેશ્યાલિટી યાર્નનું એક જ છત નીચે પ્રદર્શન
  • સુરતના વિવર્સ નવા યાર્નમાંથી ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ બનાવી એક્સપોર્ટ વધારી શકશે: ગિરધરગોપાલ મુંદડા

સુરત, 19 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC)ના સંયુક્ત ઉપક્રમે તા. 21, 22 અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ‘યાર્ન એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ બાયર્સ અને 88 એક્ઝિબિટર્સની સહભાગિતા: અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થાય અને ઉત્પાદકોને યાર્ન પ્રોડક્શનની અદ્યતન ટેકનોલોજીની માહિતી મળે તે આ એક્સ્પોનો મુખ્ય આશય છે. યાર્ન એક્સ્પોની આ 8મી આવૃત્તિમાં દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઈમ્બતુર, ઇરોડ, નોઇડા તેમજ ચીનના શાંઘાઈથી એક્ઝિબિટર્સ જોડાયા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત મિ. કોન્ટે અલાસ્સેન તેમજ બાંગ્લાદેશ સ્થિત સોલ સોર્સિંગ લિ.ના સીઈઓ મિ. શમીન અહેમદ તેમજ માર્કેટીંગ હેડ મિ. અબુ સોહેલ રસીલ પણ એક્ઝિબિશનની મુલાકાત લેશે.”

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્સ્પોની આઠમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો અને સપ્લાયર્સને એક જ પ્લેટફોર્મ પર આવશે. આ એક્સ્પોમાં નેચરલ તથા બ્લેન્ડેડ યાર્ન જેમ કે, કોટન, વુલ, સિલ્ક, લિનન અને રેમી તેમજ મેન-મેડ તથા બ્લેન્ડેડ યાર્નમાં રિજનરેટેડ અને સિન્થેટિક યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ફેન્સી અને સ્પેશ્યાલિટી યાર્નમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્સચર્ડ અને સ્લબ યાર્ન સહિતની વિવિધ પ્રોડક્ટસ પણ જોવા મળશે. આ એક્સ્પોનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી અને યાર્ન ક્ષેત્રના ઉત્પાદકોને ખરીદદારો સાથે જોડવાનો તથા નવા વેપારી સંબંધો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્‌ઘાટન
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. 21 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:00 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે એક્સ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉત્તર પ્રદેશ સરકારના નેશનલ ઇન્ટિગ્રેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી (IAS) શ્રી હીરા લાલ પટેલ, એલાયન્સ ગ્રુપના ડિરેક્ટર શ્રી કુલદીપ પટેલ તેમજ રિગન ફેશન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી દિનેશ ધનકાની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ફેસ-ટુ-ફેસ નેટવર્કિંગ અને બિઝનેસ ગ્રોથ
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સુરત ઉપરાંત તિરુપુર, પાનીપત, સેલમ, મઉ અને લુધિયાણા જેવા ટેક્સટાઇલ હબના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે ફેસ-ટુ-ફેસ મિટિંગ્સથી નવા વેપારી સંબંધો બંધાશે. માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે ઉમેર્યું હતું કે આ પ્રદર્શનમાં એક્ઝિબિટર્સ દ્વારા નેચરલ અને મેન મેઈડ ફેબ્રિક્સમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. સ્પેશિયલ ફેબ્રિક્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 100 ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચુરાઈઝ્ડ યાર્ન, ડોપ ડાઈડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિસએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ય્ચુરાઈઝ્ડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઈનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઈનહેરન્ટ એન્ટી બેક્ટેરિયલ યાર્ન વગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

બજેટ-ફ્રેન્ડલી અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ
ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે.

યાર્ન એક્સ્પો-2026ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, પ્યોર સિલ્ક અને વૂલ જેવા મોંઘા ફેબ્રિક્સ સામે પોલિએસ્ટર અને કેટોનિક યાર્ન ઉત્તમ વિકલ્પ બન્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગાર્મેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્‌સ સુધી વિસ્તર્યો છે. સુરતના વિવર્સ આ પ્રદર્શિત યાર્નમાંથી નવા ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ તૈયાર કરીને સુરતથી રેડીમેડ ગાર્મેન્ટ્સના એક્સપોર્ટમાં વધારો કરી શકશે.

August 19, 2026
image-25.png
1min68

ભાવનગરઃ ઘોઘાના ખરકડી ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત બે લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ સહિત 6 લોકોની હાલત ખરાબ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 6માંથી 2 દર્દીઓની હાલત વધારે ગંભીર છે, એકની હાલત અત્યંત ખરાબ થઈ હોવાથી તેને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના માટે મૃતકના ભાઈએ કહ્યું કે, જે દારૂથી પાર્ટી કરવામાં આવી તે દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. કારણ કે, દારૂ પીધા બાદ મિત્રોને ઉલટીઓ થવા લાગી હતી અને સ્થિતિ વધારે ગંભીર બની ગઈ હતી. અત્યારે મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ રિપોર્ટની અત્યારે પોલીસ રાહ જોઈ રહી છે. તેની સાથે પોલીસે બુટલેગરો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે આ લોકોએ મોટી રાત્રે દારૂ પાર્ટી કરી હતી. આ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનતી આવેલો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી આવેલા 28 પેટી દારૂમાંથી 15 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે બાકીનો દારૂ શોધવા માટે પણ ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કરી નાખ્યાં છે.

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો. આ મામલે ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ વેચનારા 4 બુટલેગરોને ડિટેઈન કરી લેવામાં આવ્યાં અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આ દારૂનું છૂટક વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.