CIA ALERT

Alert Archives - Page 2 of 517 - CIA Live

July 26, 2026
export-textile.jpg
1min35

ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ⁠ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI) કહે છે કે યુએસ ટેરિફ ભારતીય કાપડ નિકાસકારોને પાછા પાડશે

બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા ટેરીફ રેટ ક્વોટામાં છે કેમકે તેઓ અમેરીકન ઓરિજન કોટન તેમજ ફાઇબરનો ઉપયોગ કરીને ફેબ્રિક તેમજ ગારમેન્ટ્સનું ઉત્પાદન કરીને અમેરીકામાં નિકાસ કરે છે

અમેરીકાએ લાદેલા 10 ટકાના ટેરીફ પછી ભારત, સુરતના અન્ય ઉદ્યોગો કરતા સૌથી આકરો ફટકો ટેક્સટાઇલ ઉદ્યોગને પડશે એવું ઉદ્યોગ આગેવાનો જણાવી રહ્યા છે. તા.24મી જુલાઇને શુક્રવારથી અમલમાં આવે એ રીતે અમેરીકાએ 10 ટકા ટેરીફ વસૂલ કરવાની નીતિ અખત્યાર કરી છે. આ ડ્યુટી, સામાન્ય યુએસ મોસ્ટ-ફેવર્ડ-નેશન ટેરિફ ઉપર લાગુ પડે છે અને ટેરિફ લાદવા માટે ઉપયોગમાં લેવાતા 1974 ના યુએસ ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ ભારતના ઉત્પાદિત નિકાસના મોટા ભાગને આવરી લે છે, કન્ફેડરેશન ⁠ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI) એ જણાવ્યું હતું.

ટેરીફ લાદ્યો એ પહેલી ઇફેક્ટ છે જ્યારે બીજો ફટકો ભારતને આયોજિત ટેરિફ-રેટ ક્વોટામાંથી પણ બાકાત રાખવામાં આવ્યું છે એ છે. ઓર્ગેનાઇઝ્ડ ટેરીફ-રેટ ક્વોટામાં ટેક્સટાઇલ એક્સપોર્ટમાં ભારત હરીફ ગણાતા બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયાનો સમાવેશ થાય છે. આ દેશો યુએસ-મૂળના કપાસ અને ફાઇબરનો ઉપયોગ કરીને ચોક્કસ કાપડ અને વસ્ત્રોનું ઉત્પાદન કરે છે અને તેના શિપમેન્ટને કલમ 301 ડ્યુટીથી મુક્ત યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે. આમ ભારત, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો, નિકાસકારોને બેવડો ફટકો પડવાનો શરૂ થયો છે કેમકે ભારતીય કાપડ ઉત્પાદકો કે ગારમેન્ટ ઉત્પાદકો અમેરીકન ઓરિજિન કપાસ કે ફાઇબરનો રો મટિરિયલ તરીકે ઉપયોગ કરતા નથી.

CITI ના ચેરમેન અશ્વિન ચંદ્રને જણાવ્યું હતું કે, “આ પ્રકારની ડિફ્રન્શિયલ ટ્રીટમેન્ટ (વિભેદક સારવાર) ભારત, સુરતના કાપડ અને વસ્ત્રોને વૈશ્વિક સ્પર્ધામાંથી હટાવી દેવા માટે પર્યાપ્ત છે. સોર્સિંગ ઓર્ડરના માપદંડથી ભારત, સુરતના ટેક્સટાઇલ ઉત્પાદકો, નિકાસકારોની ચીજવસ્તુઓ સ્વાભાવિક રીતે બાંગ્લાદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશો કરતા કિંમતમાં વધુ મોંઘી થશે.

CITI એ જણાવ્યું હતું કે, ભારતની યુએસમાં કાપડ અને વસ્ત્રોની નિકાસ, જે તેમનું સૌથી મોટું બજાર છે, તે વાર્ષિક લગભગ $11 બિલિયનનું છે.

બાંગ્લાદેશે 2024 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ $8 બિલિયનના મૂલ્યના વસ્ત્રોની નિકાસ કરી હતી, જ્યારે ઇન્ડોનેશિયા અને કંબોડિયાએ લગભગ $4 બિલિયન મોકલ્યા હતા. મલેશિયા સાથે મળીને, તેઓ નવા કાપડ ક્વોટા મિકેનિઝમ માટે પાત્ર છે, જે તેમને યુએસ બજારમાં ભારતીય સપ્લાયર્સ કરતાં આગળ લાવે છે, એમ નિકાસકારોએ જણાવ્યું હતું.

July 24, 2026
01.JPG-1-1280x853.jpeg
1min52
  • SGCCIના પ્રમુખ અશોક જીરાવાલાએ પદગ્રહણ વખતે લીધેલો વધુ એક સંકલ્પ પૂર્ણ કર્યો
  • કોઈ પણ ઈમરજન્સીના સમયે ઉદ્યોગોને ત્વરિત સહાય આપવા હેલ્પલાઇન નંબર 7211173108 કાર્યરત કરાયો
  • પ્રમુખશ્રીએ જાહેર કરેલા સંકલ્પોને ત્વરિત સાકાર કરવાની દિશામાં 24/7થી જ 24 *7 કાર્યરત સેવાનો પ્રારંભ
  • આપત્તિ સમયે સત્વરે રાહત અને કાનૂની/વહીવટી માર્ગદર્શન મેળવવામાં આ હેલ્પલાઇન સંજીવની બનશે
  • હેલ્પલાઇનની મુખ્ય જવાબદારી ચેમ્બરના માનદ્ ખજાનચી અતુલ પટેલ અને જાણીતા એડવોકેટ અજય જાંગીડને સોંપાઈ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પદગ્રહણ કરતી વખતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના કલ્યાણ માટે અને બિઝનેસ બિયોન્ડ એક્સેલન્સના સૂત્રને ચરિતાર્થ કરવા જે મહત્વપૂર્ણ સંકલ્પો જાહેર કર્યા હતા, તેને ત્વરિત પરિપૂર્ણ કરવાની દિશામાં આજે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. હવે ચેમ્બર દ્વારા 24/7થી એટલે કે તા. 24 જુલાઈ 2026થી દક્ષિણ ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારો માટે કોઈપણ પ્રકારની કટોકટી કે ઈમરજન્સી સમયે ત્વરિત મદદ કે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી ‘SGCCI ઉદ્યોગસાથી 24 * 7’ હેલ્પલાઇનનો વિધિવત્‌ પ્રારંભ કરવામાં આવ્યો છે.

શ્રાવણ બિઝનેસ મેળાના ઉદ્‌ઘાટન સમારોહના મંચ પરથી આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક દુર્ઘટનાઓ, આફતો કે કટોકટીના સમયે ઉદ્યોગકારો મૂઝવણમાં પડી જતા હોય છે અને તેમને તાત્કાલિક વહીવટી કે ફાયર-રેસ્ક્યૂ સહાય મેળવવામાં મુશ્કેલી પડે છે. પદગ્રહણ સમયે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગતને આકસ્મિક આપત્તિઓમાં રક્ષણ પૂરું પાડવાનો જે સંકલ્પ કર્યો હતો, તેને આજે સાકાર કરવામાં આવ્યો છે. આજથી જ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 7211173108 લોન્ચ કરી દેવાયો છે. દક્ષિણ ગુજરાતનો કોઈપણ ઉદ્યોગકાર મુશ્કેલીના સમયે આ નંબર પર સંપર્ક કરીને ઓન-ધ-સ્પોટ માર્ગદર્શન અને રાહત મેળવી શકશે.”

અતુલ પટેલ અને અજય જાંગીડને સોંપાઈ જવાબદારી: આ વિશેષ 24 * 7 હેલ્પલાઇન સેવાને અસરકારક રીતે ચલાવવા માટે તેની મુખ્ય જવાબદારી ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા જાણીતા એડવોકેટ શ્રી અજય જાંગીડને સોંપવામાં આવી છે. આપત્તિના સમયે સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી વિભાગો સાથે તાત્કાલિક સંકલન સાધીને ઉદ્યોગકારોને બનતી તમામ મદદ અને માર્ગદર્શન મળી રહે એના પ્રયાસો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ વાધવાણી ફાઉન્ડેશન સાથે “SGCCI Accelerate Proના સંકલ્પની જાહેરાત કરી હતી તે પણ કાર્યરત થઈ ચૂક્યો છે. પદગ્રહણ સમયે રજૂ કરાયેલા સંકલ્પો માત્ર કાગળ પર ન રહેતા, ગણતરીના દિવસોમાં ઓન-ગ્રાઉન્ડ સાકાર થઈને ઉદ્યોગજગતના કલ્યાણ માટે કાર્યરત થયા છે. સંકલ્પથી સિદ્ધિ તરફની આ ઐતિહાસિક સફર દર્શાવે છે કે, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની સુરક્ષા અને તેમના બિઝનેસ ગ્રોથ માટે ચેમ્બરનું વર્તમાન નેતૃત્વ કેટલું કટિબદ્ધ અને સંવેદનશીલ છે.

July 24, 2026
image-50-1280x720.png
1min32

સુરત-કડોદરા જવાના બન્ને વૈકલ્પિક માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાન્સપોર્ટરોએ બુકિંગ બંધ રાખ્યાં; ગોડાઉનોમાં હજારો પાર્સલો અટવાયા, શનિવારે માર્ગ ખુલશે તો જ રાહત નહીં તો સીધું સોમવારથી જ પરિવહન શરૂ થવાની શક્યતા

છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને શહેર તેમજ આસપાસ સર્જાયેલી જલભરાવની સ્થિતિએ દેશના સૌથી મોટા મેન-મેડ ટેક્સટાઇલ હબ સુરતના વેપારને ગંભીર અસર પહોંચાડી છે. ખાસ કરીને ટેક્સટાઇલ ગુડ્ઝનું પરિવહન સંપૂર્ણપણે ઠપ થઈ જતાં સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. સુરતથી કડોદરા થઈને નેશનલ હાઇવેને જોડતા બંને વૈકલ્પિક માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં ટ્રાન્સપોર્ટર્સ માટે વાહનો બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યું છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ છેલ્લા બે દિવસથી નવા માલનું બુકિંગ લેવાનું બંધ રાખ્યું છે. પરિણામે વેપારીઓ તૈયાર માલ દેશના વિવિધ રાજ્યોમાં મોકલી શક્યા નથી. અગાઉના દિવસોમાં બુક થયેલા હજારો પાર્સલો પણ વિવિધ ટ્રાન્સપોર્ટ કંપનીઓના ગોડાઉન અને હબમાં જ અટવાઈ ગયા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાંથી દરરોજ લાખો મીટર કાપડ અને હજારો ટન તૈયાર માલ દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેમાં આશરે 65 ટકા માલ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલાય છે. આવી સ્થિતિમાં રોડ પરિવહન બંધ થતાં વેપારની સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. નવા ઓર્ડરની ડિલિવરી મોડી પડતાં વેપારીઓને ગ્રાહકો સમક્ષ જવાબ આપવો મુશ્કેલ બની રહ્યો છે.

ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ જો શનિવાર સુધી પાણી ઉતરી માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા થશે તો જ કામગીરી તબક્કાવાર શરૂ થઈ શકશે. અન્યથા રવિવારે સામાન્ય રીતે મર્યાદિત કામગીરી રહેતી હોવાથી હવે સીધા સોમવારથી જ નિયમિત પરિવહન શરૂ થઈ શકે તેવી શક્યતા છે. એટલે કે અસરકારક રીતે પાંચ દિવસ સુધી માલની હેરફેર પ્રભાવિત રહેવાની આશંકા છે.
વેપારીઓનું કહેવું છે કે પરિવહન અટકતાં ગોડાઉનમાં સ્ટોક વધતો જાય છે, જ્યારે બીજી તરફ દેશભરના હોલસેલર્સ અને રિટેલર્સ સુધી સમયસર માલ ન પહોંચતાં નવા ઓર્ડર પર પણ અસર પડી શકે છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો માત્ર ટેક્સટાઇલ જ નહીં પરંતુ ડાઈંગ-પ્રિન્ટિંગ, પેકિંગ, લોડિંગ-અનલોડિંગ, કુરિયર અને લોજિસ્ટિક્સ સહિત સમગ્ર ટેક્સટાઇલ ઇકોસિસ્ટમને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. હાલમાં સમગ્ર ઉદ્યોગની નજર વરસાદની સ્થિતિ અને સુરત-કડોદરા માર્ગો ફરી ક્યારે કાર્યરત થાય તેના પર ટકેલી છે.

July 24, 2026
01.JPG-1280x853.jpeg
2min39

  • ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાના હસ્તે મેળો ખુલ્લો મુકાયો; ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ માટે વેપારના નવા દ્વાર ખુલશે
  • સુરત નારી સશક્તિકરણનું કેન્દ્ર; મહિલાઓના હુન્નરને માર્કેટિંગ પ્લેટફોર્મ આપવા ચેમ્બર સતત પ્રયત્નશીલ: અશોક જીરાવાલા
  • મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારના તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો લાભ લેવા અંજુબેન વેકરિયાનું આહ્વાન
  • કોરોના કાળથી શરૂ થયેલી ચેમ્બરની આ પહેલથી સ્થાનિક મહિલા સાહસિકોને મોટું પ્રોત્સાહન મળ્યું: દિનેશ નાવડિયા
  • રાખી, ડિઝાઇનર સાડીઓ, ઇમિટેશન જ્વેલરી, હસ્તકલા અને હોમ ડેકોર સહિતની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએ ભવ્ય પ્રદર્શન આજે પણ ચાલુ રહેશે

શ્રાવણ માસ દરમિયાન આવતા પવિત્ર તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને વેપાર અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. 24 અને 25 જુલાઈ 2026ના રોજ મોટા વરાછા, સુદામા ચોક સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00થી સાંજે 07:00 કલાક દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો ભાજપ મહિલા મોરચા ગુજરાતનાં અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરિયાના વરદ્‌ હસ્તે આજે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને વ્યાપારી પ્લેટફોર્મ: ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “શ્રાવણનો પવિત્ર મહિનો સમૃદ્ધિ અને નવી શરૂઆતનો સંદેશ આપે છે. સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ટેક્સટાઇલ અને અન્ય ક્ષેત્રોમાં લાખો મહિલાઓ રોજગારી મેળવે છે. જે બહેનો ઘરે બેસીને નાના ગૃહ ઉદ્યોગો ચલાવે છે, તેમના હુન્નરને યોગ્ય માર્કેટિંગ અને ગ્રાહકોનું પ્લેટફોર્મ મળી રહે તે માટે ચેમ્બર આ મેળાનું આયોજન કરે છે. આ મેળો માત્ર વેપારનું માધ્યમ નથી પણ લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને નવા બજારો સાથે જોડતો સેતુ છે.”

મહિલાઓ દરેક સ્થિતિમાં આત્મનિર્ભર બનવા સક્ષમ: અંજુબેન વેકરિયા મુખ્ય અતિથિ શ્રીમતી અંજુબેન વેકરિયાએ બહેનોને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરની સાથે વેપાર પણ શ્રેષ્ઠ રીતે સાચવી શકે છે. બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે રિઝર્વ બેંક પ્રેરિત કલાભારતી જેવા સરકારી તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો મહત્તમ લાભ લેવો જોઈએ. જ્યારે ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ યાદ અપાવ્યું હતું કે, કોરોના કાળમાં મહિલાઓને રોજગારી આપવા શરૂ કરાયેલી ચેમ્બરની આ પરંપરા આજે બહેનો માટે વેપારના નવા દ્વાર ખોલી રહી છે.

એક જ છત નીચેથી તહેવારલક્ષી ખરીદી: ચેમ્બરના શ્રાવણ બિઝનેસ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે વિગતો આપતા જણાવ્યું કે, આ મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડિક્રાફ્ટ, હોમ ડેકોરેશન, ફેન્સી બ્લાઉઝ, સાડીઓ, બેડશીટ્સ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની તમામ તહેવારલક્ષી વસ્તુઓ ઉપલબ્ધ કરાઈ છે.

ઉદ્‌ઘાટન સમારોહનું સફળ સંચાલન માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે કર્યું હતું અને ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે લેડીઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસી, સ્થાનિક કોર્પોરેટરો સર્વશ્રી મનુભાઈ બલર, શ્રીમતી મનીષાબેન ખેર, શ્રીમતી ચંદ્રિકાબેન આસોદરિયા, શ્રી જૈનેશકુમાર જાદવ, શ્રીમતી જયશ્રીબેન ઓવારા, શ્રીમતી નયનાબેન ડોબરિયા સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

July 24, 2026
Sanjiv-Mukhiya.png
1min50

NEET-UG 2024 પેપર લીક કેસમાં બિહાર પોલીસે જેને મુખ્ય ષડયંત્રકારી ગણાવીને કાર્યવાહી કરી હતી એ સંજીવ મુખિયાને CBIએ ક્લીન ચિટ આપી છે. CBIને તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેને ક્લીન ચીટ અપાઇ છે. આ મામલો ત્યારે સપાટી પર આવ્યો છે જ્યારે દેશભરમાં નીટ 2026ના પેપર લીક બાબતે આંદોલન ચાલી રહ્યું છે. બિહાર પોલીસની શંકાના આધારે FIRમાં નામ હતું. CBIએ 45 લોકો સામે પટણા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. સંજીવ મુખિયા અન્ય કેસોમાં હજુ કસ્ટડીમાં છે.

July 23, 2026
WhatsApp-Image-2026-07-23-at-16.54.11.jpeg
1min45

મુંબઈ: ભારતના હીરા ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, મેહુલ શાહે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સ (WFDB) ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે પદ સંભાળ્યું છે, અને મજબૂત બનાવવાનું વચન આપ્યું છે…

21 જુલાઈ, 2026 2 મીન વાંચો
મુંબઈ: ભારતના હીરા ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, મેહુલ શાહે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સ (WFDB) ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે, તેમણે ગ્રાહક વિશ્વાસને મજબૂત કરવા, કુદરતી હીરાને પ્રોત્સાહન આપવા અને હીરા મૂલ્ય શૃંખલામાં વૈશ્વિક સહયોગને વધુ ગાઢ બનાવવાનું વચન આપ્યું છે.

સિંગાપોરમાં તાજેતરમાં યોજાયેલી WFDB કોંગ્રેસ દરમિયાન તેમની ચૂંટણી બાદ બોલતા, શાહે જણાવ્યું હતું કે સંગઠનની તાત્કાલિક પ્રાથમિકતા ત્રણ દિવસની વ્યૂહાત્મક ચર્ચાઓમાં ઉદ્યોગના નેતાઓ દ્વારા વિકસાવવામાં આવેલા સહિયારા દ્રષ્ટિકોણને અમલમાં મૂકવાની રહેશે.

શાહે જણાવ્યું હતું કે, “અમે ગ્રાહક વિશ્વાસને મજબૂત કરવા અને કુદરતી હીરાના સ્થાયી મૂલ્યને મજબૂત બનાવવા માટે ઉદ્યોગની સામૂહિક પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”

તેમણે ઉમેર્યું હતું કે WFDB પારદર્શિતા, ટ્રેસેબિલિટી અને જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ સુધારવા માટે વૈશ્વિક અને દેશ-વિશિષ્ટ વેપાર સંગઠનો સાથે નજીકથી કામ કરશે, જેનો હેતુ ગ્રાહકોમાં વિશ્વાસ વધારવાનો છે.

૧૯૪૭માં એન્ટવર્પમાં સ્થપાયેલ, WFDB એ વિશ્વભરમાં ૨૮ હીરા બજારો અને છ સંલગ્ન સભ્યોનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે, જેમાં ખાણકામ કંપનીઓ, હીરા એક્સચેન્જો અને વેપાર સંગઠનોનો સમાવેશ થાય છે. ફેડરેશન નૈતિક વેપાર અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી વખતે વૈશ્વિક ઉદ્યોગ પડકારોનો સામનો કરે છે.

શાહની નિમણૂક ભારત માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદન કેન્દ્ર છે. 46 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી હીરાના વેપારી, 2001 માં ભારત ડાયમંડ બોર્સ (BDB) બોર્ડમાં જોડાયા અને 2009 માં તેના ઉપપ્રમુખ બન્યા. તેમણે 2002 થી દરેક WFDB કોંગ્રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 2016 થી ફેડરેશનના ટ્રેઝરર જનરલ તરીકે સેવા આપી છે.

“આ હીરા ઉદ્યોગમાં ભારતની મુખ્ય ભૂમિકાની સમયસર ઓળખ છે. અમે વસુધૈવ કુટુંબકમના ભારતીય દર્શન દ્વારા માર્ગદર્શન મેળવીશું અને વૈશ્વિક હીરા પાઇપલાઇનમાં પરસ્પર ફાયદાકારક સહયોગને પ્રોત્સાહન આપીશું,” શાહે જણાવ્યું.

તેમણે ટોચના પદ સુધીની તેમની સફરમાં BDB પ્રમુખ અનૂપ મહેતા અને GJEPCના વાઇસ ચેરમેન શૌનક પરીખના સમર્થનનો સ્વીકાર કર્યો.

ભવિષ્યને ધ્યાનમાં રાખીને, શાહે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર વધુ સારી વાર્તા કહેવા, ડિજિટલ નવીનતા અને મજબૂત ઉદ્યોગ-વ્યાપી સહયોગ દ્વારા કુદરતી હીરાની ઇચ્છનીયતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બીજી મુખ્ય પ્રાથમિકતા WFDB ના વૈશ્વિક સ્તરે પ્રવેશને વિસ્તારવાની રહેશે, જેમાં તેની સભ્યપદ વર્તમાન 34 સંસ્થાઓથી વધારીને ઓછામાં ઓછા 50 પૂર્ણ અને સંલગ્ન સભ્યો કરવામાં આવશે. કતાર ડાયમંડ એક્સચેન્જનો તાજેતરમાં સમાવેશ, ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જ અને ન્યુ ઇઝરાયેલ ક્લબ ફોર કોમર્સની વાપસી સાથે, આ વિસ્તરણ વ્યૂહરચના પ્રતિબિંબિત કરે છે.

શાહે નવા વિચારો અને લાંબા ગાળાની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે યુવા હીરાના કારીગરોને માર્ગદર્શન આપવા અને ફેડરેશનના વહીવટમાં આગામી પેઢીને સામેલ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.

“એક મજબૂત, વધુ સમાવિષ્ટ WFDB દરેક સભ્ય શેરબજારને પડકારોનો સામનો કરવામાં મદદ કરશે અને વૈશ્વિક કુદરતી હીરા ઉદ્યોગના સહિયારા વિકાસમાં ફાળો આપશે,” તેમણે કહ્યું.

July 22, 2026
cia_windo-1280x793.jpg
1min38

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જુલાઈ 23 થી ઓગસ્ટ 02, 2026 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ઓડિશા AM/NS India જિમ્નાસ્ટિક્સ હાઈ-પરફોર્મન્સ સેન્ટર (Odisha AM/NS GHPC)ના 3 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં પસંદ કરાયેલા કુલ 8 ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓ – તપન મોહંતિ, તપેશ્વરનાથ દાસ અને ઓલિમ્પિયન પ્રણતિ નાયક – ઓડિશા AM/NS GHPCનો ભાગ છે.

તપન મોહંતિ અને તપેશ્વરનાથ દાસ પુરુષોની આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં ભારતીય પુરુષ ટીમના સભ્ય છે. જ્યારે ઓલિમ્પિયન પ્રણતિ નાયક મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં ભારતીય મહિલા ટીમના સભ્ય છે.

આ સિદ્ધિ ખેલાડીઓની સમર્પિતતા અને સખત મહેનત તેમજ ઓડિશા AM/NS GHPC ખાતે આપવામાં આવતી વિશ્વસ્તરીય તાલીમ અને સર્વાંગી વિકાસને ઉજાગર કરે છે. આ કેન્દ્ર યુવા પ્રતિભાઓને વિકસાવવામાં અને ભારતમાં જિમ્નાસ્ટિક્સ રમતને નવી ઊંચાઈએ પહોંચાડવામાં સતત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

શ્રી આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaના જણાવ્યા અનુસાર, “અમારા ઓડિશા AM/NS GHPCના 3 ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે, તે અમારા માટે ગૌરવની મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તપન મોહંતિ, તપેશ્વરનાથ દાસ અને ઓલિમ્પિયન પ્રણતિ નાયક અમારા કેન્દ્રમાં વિકસાવવામાં આવેલી શ્રેષ્ઠતા, શિસ્ત અને અડગ મનોબળના ઉત્તમ ઉદાહરણ છે. તેમની આ સિદ્ધિ ઓડિશામાં અમે ઊભી કરેલી વિશ્વસ્તરીય તાલીમ અને સર્વાંગી વિકાસની વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. AM/NS India વતી હું તેમને હાર્દિક અભિનંદન પાઠવું છું અને વૈશ્વિક મંચ પર પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.”

ઓડિશા AM/NS GHPCના ખેલાડીઓ ઇન્ટરનેશનલ કોન્ટિનેન્ટલ કપ 2026 (લિસ્બન), આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપ 2025, તુર્કીના અંતાલિયામાં યોજાયેલ FIG વર્લ્ડ કપ 2025 તેમજ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ્સ 2025–2026 સહિતના વિવિધ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મંચો પર સતત ઉત્કૃષ્ટ દેખાવ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, જે આ કેન્દ્રની સતત શ્રેષ્ઠ કામગીરી અને વૈશ્વિક મંચ માટેની તેની સજ્જતા દર્શાવે છે.

July 22, 2026
image-42.png
1min46

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં શ્રાવણ મહિનાના દર્શન, વહીવટી સુધારા અને ધાર્મિક સંચાલન અંગે મહત્વના નિર્ણયો લેવાયા. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવવા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેના અધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી બન્યા. SBIની દાનની રકમની ગણતરીમાં બેદરકારી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક કરાશે.

અયોધ્યામાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, વહીવટી સુધારા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

રામ મંદિરના તમામ ધાર્મિક કાર્યોનું સંચાલન હવે સંતોના માર્ગદર્શન હેઠળ જ થશે. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સહિત દેશના દિગ્ગજ સંતોનો સભ્યો તરીકે સમાવેશ કરાયો છે.

દાનની રકમની ગણતરી માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે થયેલા કરાર (MOU)ની સમીક્ષા કરવામાં આવી હતી. બેંકની કાર્યપ્રણાલી અને બેદરકારી સામે ટ્રસ્ટે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ અંગે નાણાકીય સમિતિને SBI સાથેના ભવિષ્યના સંબંધો અને નિયમોની સમીક્ષા કરીને નિર્ણય લેવા આદેશ અપાયો છે.

દાનની રકમની ગણતરીમાં ગડબડના આરોપો અંગેની તપાસ કરી રહેલી SITનો આખરી રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી, જેથી તે મુદ્દે આખરી નિર્ણય બાકી રાખવામાં આવ્યો છે. આ સિવાય, મંદિર પરિસરમાં દાન ગણતરી રૂમ સહિત તમામ મહત્વના CCTV કેમેરાનું એક્સેસ સુરક્ષા એજન્સીઓને પૂરું પાડવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

મંદિરમાં CEOની પસંદગી પ્રક્રિયા માટે કમિટીએ વધુ 1 મહિનાનો સમય માંગ્યો છે, જેને ટ્રસ્ટે મંજૂરી આપી છે. વહિવટી કામગીરી સરળ બનાવવા માટે હાલ એક નવા સચિવની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મીડિયા અને સમાજ સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવા માટે ટ્રસ્ટ દ્વારા પહેલીવાર સત્તાવાર પ્રવક્તા નીમવામાં આવશે.

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ અફવાઓ અને આરોપો છતાં રામ મંદિરે આવતા રામભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ટ્રસ્ટે આને કરોડો ભક્તોની અટૂટ શ્રદ્ધા ગણાવીને તમામ શ્રદ્ધાળુઓ અને સંત સમાજનો આભાર માન્યો છે.

July 21, 2026
image-29.png
1min51

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

July 20, 2026
adani-Navchetan.jpg
1min42

સુરત, હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) દ્વારા ‘તાપી પ્રાગટ્ય દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. પર્યાવરણીય જાગૃતિના હેતુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હજીરા ખાતે તાપી નદીના કિનારે પહોંચીને તાપી મૈયાનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.

મુલાકાત પૂર્વે શિક્ષકોએ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના ભૌગોલિક મહત્વ, પ્રદૂષણના કારણો અને નદી સંરક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ જ્ઞાનને અમલમાં મૂકતા વિદ્યાર્થીઓએ નદી કિનારે ઉત્સાહભેર સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને પ્લાસ્ટિકમુક્ત તાપીનો સંદેશ આપતી એક પ્રભાવશાળી મૂક રેલી યોજી હતી.

વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા આકર્ષક પોસ્ટરો દ્વારા સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને રાહદારીઓને નદી બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સરાહનીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના અંતે સૌએ તાપી નદીને કચરામુક્ત રાખવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણનું જતન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રેરણાદાયી અભિયાન દ્વારા અદાણી વિદ્યાલયે વિદ્યાર્થીઓ સાથે સમાજમાં પણ પર્યાવરણીય સંવેદનશીલતા જગાવવાનો સશક્ત પ્રયાસ કર્યો છે.