CIA ALERT

Blog - Page 585 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
January 10, 2019
gabbar.jpg
1min14530

અંબાજીના ગબ્બરમાં બનવા જઈ રહ્યો છે દેશનો પ્રથમ કાચનો સ્કાય વૉક.

અંબાજીમાં બનશે દેશનો પ્રથમ કાચનો સ્કાય વૉક
ગબ્બરમાં બનશે દેશનું પ્રથમ કાચનું સ્કાય વૉક

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં દેશનો પ્રથમ કાચનો સ્કાય વૉક બનશે. યાત્રિકો હવે રોમાંચ અને સાહસિકતાથી ભરપૂર સ્કાય વૉકની મજા માણી શકશે. આગામી વાઈબ્રન્ટ સમિટમાં સ્કાય વૉક બનાવવા માટે MOU કરવામાં આવશે અને તે વહેલી તકે પૂર્ણ થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. ગબ્બર પર્વત પર બનનારો આ પુલ ભારતનો પ્રથમ કાચનો પુલ હશે.

કાચના પુલ પર ચાલીને ગબ્બર પર્વતની એક બાજુએથી જઈ શકાશે. કાચના પુલ પરથી અરવલ્લીના પર્વતો અને ખીણને નિહાળી શકશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટ અધર્વ્યુએ પ્રોજેક્ટ પર માહિતી આપતા કહ્યું કે, ઉષા બ્રેક કંપની સાથે સ્કાય વૉક બનાવવા માટે MOU કરવામાં આવશે. સ્કાય વૉકનું નિર્માણ થતા અંબાજી આવતા યાત્રિકોને વધુ એક નજરાણું મળી રહેશે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી બાદ વધુ એક પર્યટન સ્થળ સ્કાય વૉકના રૂપમાં મળશે.

January 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5250

ગોડાદરાની કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવા મામલે પોલીસે દરોડા પાડ્યા છે. બિલ્ડર શાંતિલાલ શાહ પર કરોડો રૂપિયાની કિંમતની જમીન બોગસ પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડવાનો આરોપ છે. પોલીસ આ મામલે શાંતિલાલ શાહની ધરપકડ પણ કરી ચૂકી છે. તો તેની ઓફિસ, ઘર અને તેના સાળાની ઓફિસ મળી કુલ 4 જગ્યાએ તપાસ પણ કરી હતી.

ગોડાદરાના સુથાર ફળિયામાં રહેતાં ઉષાબહેન ગોપાલભાઈ લાડે એપ્રિલ 2017માં લિંબાયત પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કરંજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત કુલ 14 આરોપીના નામો લખાવ્યા હતા. આ તપાસ જાન્યુઆરી 2018માં સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી.પરિણામે સીઆઇડી ક્રાઇમની ટીમે બિલ્ડર શાંતિલાલ મદનલાલ શાહની ધરપકડ કરી હતી. જેનાં એક દિવસનાં રિમાન્ડ મંજૂર થયાં હતાં. જેમાં શાંતિલાલની ઓફિસ, ઘર અને શાંતિલાલના સાળાની અડાજણ વિસ્તારમાં આવેલી ઓફિસ પર પોલીસે તપાસ કરી હતી. જ્યાંથી કેટલાક મહત્વના દસ્તાવેજી પુરાવા પોલીસને હાથ લાગ્યા હતા.

એપ્રિલ 2017માં ઉષાબહેને લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીમાં ધારાસભ્યનું નામ હોવાના કારણે લિંબાયત પોલીસે તપાસમાં ઢીલું વલણ અખત્યાર કરતા ઉષાબહેને હાઇકોર્ટનું શરણું ગ્રહણ કર્યું હતું. હાઇકોર્ટના આદેશ બાદ જાન્યુઆરી 2018થી આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ હતી.

January 10, 2019
somnath_temple-1280x720.jpg
1min13680

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની આવકમાં વધારો થયો છે. 2018ના વર્ષમાં કરોડો ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, જેને કારણે મંદિરની આવકમાં પણ વધારો નોંધાયો છે

સોમનાથ મંદિરની વધી આવક

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની આવકમાં વધારો થયો છે. 2018ના વર્ષમાં કરોડો ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, જેને કારણે મંદિરની આવકમાં પણ વધારો નોંધાયો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધી સોમનાથ મંદિરને 33 કરોડ રૂપિયાની આવક થઈ છે. હજી આમાં ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની ગણતરી બાકી છે. ત્યારે 2018ની મંદિરની કુલ આવક 40 કરોડને પાર થાય તેવું અનુમાન છે.

સોમનાથ મંદિરમાં વર્ષ 2018માં આવતાં યાત્રિકોની સંખ્યામાં વધારો થતા મંદિરની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો. જેમાં ગોલખ દાન, પૂજા વિધિ, અતિથિ ગૃહોનું ભાડું, સુવર્ણદાન, તેમજ ભોજનાલયો સહિતનાં ટ્રસ્ટનાં આવકના સ્ત્રોત દ્વારા સોમનાથ ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ છે. જો કે સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

વર્ષ 2012થી મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટને 120 કિલોથી વધુ સોનાનું દાન મળ્યું છે. જેનાથી મંદિરની આગળના 10 પિલરો, ગર્ભગૃહ, શિખર, તથા મંદિર 1500 જેટલા કળશ પૈકી 300થી વધારે કળશ મઢાઈ ચૂક્યા છે. બાકીના કળશોને પણ સોને મઢવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરાશે. જે સંદર્ભે શ્રદ્ધાળુઓનો સારો એવો પ્રતિસાદ મળતા નોંધણી શરૂ થઈ ચૂકી છે.

વર્ષ 2018 દરમિયાન VIP શ્રદ્ધાળુનું આગમન પણ વધ્યું હતું. જેમાં અમિત શાહ, વિજય રૂપાણી સહિત પ્રથમ વખત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાં અનેક મહાનુભાવો સોમનાથ દાદાનાં દર્શને આવ્યા હતા. તો મંદિર ખાતે ગત વર્ષે અનેક પ્રકારની સુવિધાઓમાં પણ વધારો કરાયો હતો. જેમાં ભોજનાલયથી માંડીને સમગ્ર મંદિર ખાતે સીસીટીવીનો પણ સમાવેશ થાય છે. અને યાત્રાળુઓ કોઈ પણ જાતની સમસ્યા વગર સોમનાથ મહાદેવના દર્શન કરે છે.

January 9, 2019
budget.jpg
1min6980

1 ફેબ્રુઆરીના રોજ સરકાર વચગાળાનું બજેટ જાહેર કરશે. આ વખતે બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ફાઇલ ફોટો

તાજા સમાચારો મુજબ નરેન્દ્ર મોદી સરકાર આગામી તા. 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાનું બજેટ સંસદભવનમાં રજૂ કરશે. આ માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરીની વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે લોકસભા ચૂંટણીઓ યોજાવાની હોઇ ઇન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવશે.

જ્યારે લોકસભા ચૂંટણી થાય છે, તે વર્ષે નાણામંત્રી વચગાળાનું એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરિમ બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાક મહિનાઓના સરકારી કામકાજ ચલાવવા માટે હોય છે. નવી સરકાર બન્યા પછી જુલાઈમાં સપ્લીમેન્ટરી બજેટ રજૂ કરવામાં આવે છે, જે બાકીના નાણાકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષોમાં નાણામંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.

લોકસભા ચૂંટણીની બરાબર પહેલા થનારા આ બજેટ સત્રમાં સરકાર કંઇક મોટી જાહેરાતો કરી શકે છે. હાલના શિયાળુ સત્રમાં પણ સરકાર સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું બંધારણીય સુધારા બિલ લઈને આવી છે, જેને લોકસભામાંથી પાસ થયા પછી રાજ્યસભાની મંજૂરી મળવાની રાહ છે.

કેબિનેટની સંસદીય મામલાઓ સાથે જોડાયેલી સમિતિ (કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ)એ બુધવાર તા.9મી જાન્યુઆરીએ આ નિર્ણય લીધો છે. ન્યુઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. અધિકૃત એલાન પછીથી કરવામાં આવશે.

 

January 9, 2019
mbbs.jpg
234min1049

આખા ભારતની મેડીકલ કોલેજોની માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. ભારતમાં 497 જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે. આ તમામ મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ની કુલ 60680 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ધો.12 સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ માહિતી અગત્યની થઇ પડતી હોય છે. તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે આ સમાચારને શક્ય એટલા શેર કરજો.

 

January 9, 2019
singing.jpg
1min22650

સુરતીઓમાં ખાસ કરીને મિડલ એજ્ડ (મધ્યમવયી)  સુરતીઓ ખાસ કરીને વ્યવસાયિકોમાં હાલ એક પ્રશંસનીય ટ્રેન્ડ પ્રવર્તમાન જોવા મળી રહ્યો છે. આ ને ટ્રેન્ડ કહો કે મ્યુઝિક મેનિયા કહો. પણ શહેરના અનેક તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસ પર્સન્સ, પ્રોફેશ્નલ્સ, વર્કિંગ વુમન, પ્રોફેસર્સ..ઇન શોર્ટ વ્યાવસાયિકો પોતાના કામ-ધંધા સાથે પોતાનામાં રહેલી ગાયન ક્ષમતા (સિંગીંગ ટેલેન્ટ)ને ઉજાગર કરી રહ્યા છે.

સી.આઇ.એ. લાઇવ પરિવાર સાથે સંકળાયેલા અનેક મિત્રો એવા ગ્રુપ્સ સાથે સંકળાયેલા છે જેઓ પોતાનામાં રહેલી ગાયન પ્રતિભાને બહાર લાવવા માટે પ્રયત્નશીલ છે. પધનિશા ગ્રુપ હોય કે પછી શહેરમાં એના જેવા બીજા ગ્રુપ કે શહેરના તબીબોનું બનેલું મલ્હાર ગ્રુપ હોય, આ ગ્રુપ સાથે જોડાયેલા મોટા ભાગના સભ્યોની વચ્ચે જો કોઇ સેતુ (બ્રિજ) રચાયો હોય તો એ સિંગીંગ છે. સૌથી આશ્ચર્યની વાત એ પણ છે કે અહીં સિંગીંગ માંથી કમાણી કરતા લોકો બહું ઓછા છે, સિંગીંગને મેડીટેશન, ગમતી પ્રવૃત્તિ, સ્ટ્રેસ ફ્રી રહેવા માટે ગાયનને અપનાવનારાઓ સુરતીઓ પ્રોફેશનલ સિંગર્સને ટક્કર મારે તેવું ગાય રહ્યા છે.

પધનિશા ગ્રુપ 10મીએ ગાંધીસ્મૃતિમાં પરફોર્મ કરશે

શહેરના જાણીતી બિઝનેસ પર્સન હિમલ દેસાઇએ સી.આઇ.એ લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું કે સિંગીંગ ક્ષેત્રમાં હાલ તેઓ પધનિશા ગ્રુપ સાથે જોડાયેલા છે. હિમલ દેસાઇ અને સત્યેન જગીવાલા એવા સુરતી સિંગર્સ છે જેમને નીતિન રાયકવાર જેવા આતી ક્યા ખંડાલા ફેમ મ્યુઝિક ડાયરેક્ટરની સાથે પ્લેબેક સિંગર તરીકે પણ ગીતો રેકોર્ડ કર્યા છે. મુવીનું નામ છે લૂઝ મોશન… તેમની સાથે મેહુલ ધનિક, સત્યેન જગીવાલા, નીતા કદમ, શિવાની દેસાઇ, પાયલ મોદી, ડો.હાર્દિક શ્રોફ, માનસી સાવંત, રિદ્ધીશ મોદી, વિકેશ પટેલ, ડો.અતુલ ભગત વગેરેનું ગ્રુપ છે અને આ તમામ પોતાના કામકાજમાં અતિવ્યસ્ત રહેતા હોય પણ જ્યારે જ્યારે સિંગીંગનો સાદ પડે એટલે બધા એક સ્થળે હાજર..ગીત ગાવાની મજા જ કંઇક ઔર છે. હિમલ દેસાઇ કહે છે તેઓનું આ ગ્રુપ શહેરીજનો માટે ગાંધીસ્મૃતિ ભવન કે અન્ય સ્થળોએ મ્યુઝિકલ ઇવેન્ટ પણ કરે છે. ઇનફેક્ટ તા.10મી જાન્યુઆરી 2019ના રોજ પણ આવી એક ઇવેન્ટ ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજવામાં આવી છે.

(તસ્વીરમાં દ્રશ્યમાન મેલ કરાકારો, હિમલ દેસાઇ અને સત્યેન જગીવાલા કે જેમને ફિલ્મ આતી ક્યા ખંડાલા ના મ્યુઝિક ડાયરેક્ટર નીતિન રાયકવારની આગામી ફિલ્મ લુઝ મોશનમાં પ્લેબેક સિંગર તરીકે કામ કરવાની તક મળી અને તેમણે ગીતો રેકોર્ડ પણ કરી લીધા છે.)

તાજેતરમાં જ સ્વરમ્ ગ્રુપ નો કાર્યક્રમ યોજાઇ ગયો

(સિંગીંગ રિયાઝ કરી રહેલા સ્વરમ્ ગ્રુપના સભ્યો)

સ્વરમ્ ગ્રુપ પણ સંગીતપ્રેમીઓનું એક એવું ગ્રુપ છે જેમાં એન્જિનિયર્સ, તબીબો, બિઝનેસમેન બધા છે અને દરેક પોતાની વ્યવસાસિયક વ્યસ્તતા વચ્ચેથી સંગીત, ગાયન માટે સમય કાઢીને નિયમિત રીતે પોતાની કળાને ઉજાગર કરતા રહે ચે. સ્વરમ્ ગ્રુપના કેતન દેસાઇએ જણાવ્યું કે કરાઓકે પર એક વખત ગીત ગાયું અને એ દિવસથી સિંગીંગ પ્રત્યે મને અનહદ ચાહત ઉદભવી. આજે તેઓ એક્સપર્ટ સિંગર પાસેથી ટ્રેનિંગ લઇને પોતાના ગાયન શોખને ડેવલપ કરી રહ્યા છે. કેતનભાઇએ કહ્યું સંગીત, ગાયનમાં એવી શક્તિ છે જેને યોગને સમકક્ષ મૂકી શકાય. આ ગ્રુપમાં કેતન દેસાઇ ઉપરાંત સંજય ધનિક, નિખીલ શેઠ, ઉત્સવ શેઠ, સેજલ મહેતા, અનુપા શાહ, નિર્લેપ દેસાઇ, મહેશ ચૌધરી, સારીકા શાહ, ભાવના શાહ અને હેતવી પંડ્યાએ પરફોર્મન્સ આપ્યું હતું.

(SMC  એન્જિનિયર તરીકે જોબ કરતા કેતન દેસાઇ આ ઉંમરે મ્યુઝિક શીખી રહ્યા છે, તેઓ કહે છે મ્યુઝિકમાં અદભૂત મેન્ટલ પીશ ધરબાયેલું છે, અહીં તેમના સિંગીંગ ટેલેન્ટનો લેટેસ્ટ વિડીયો પ્રસ્તુત છે.)

First time I tried to sing new Zohar qawwali Chadta-Suraj dheere dheere dhalta hey dhal jayega in our yesterday‘s program of Swaram group in Gandhi Smruti Bhavan with symphony Orchestra . I would be obliged to receive your valuable feedbacks.

Posted by Ketan Desai on Sunday, 6 January 2019

કેમેરા-ફોટોગ્રાફીનો બિઝનેસ કરતા સંજય ધનિક કહે છે મ્યુઝિક હૈ તો જહાન હૈ…

ફોટોગ્રાફી અને કેમેરા ટેકનિકસ વિષે જબરદસ્ત નોલેજ ધરાવતા સંજય ધનિક ખૂબ સારા સિંગર છે. સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે હું દ્રઢ પણે માનું છું કે મ્યુઝિક હૈ તો જહાન હૈ. કરાઓકે પરથી શરૂ કરેલી મ્યુઝિકની સફર હવે પ્રોફેશનલ સ્ટેજ સુધી પહોંચી ગઇ છે પણ હજુ પણ અમે સંગીતના વિદ્યાર્થીઓ જ છીએ. દરેક ગાયન વખતે હું કંઇકને કંઇક નવું શીખી રહ્યો છું. જીવનના આ પડાવમાં મ્યુઝિક, સંગીત મળ્યું એ બહુ જ મોટો આનંદ મળ્યા બરાબર છે.

 

વધુ એક પ્રોગ્રામ તા.11મી જાન્યુઆરીએ 

પધનિશા ગ્રુપના મેહુલ ધનિક ગાંધીસ્મૃતિના મંચ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે લેવાયેલો વિડીયો

sunahaarii yaade nita kadam presents and empowerd by pa dha ni sa group surat singers mehul dhanik payel modi

Posted by Mehul D Dhanik on Monday, 29 October 2018

ટૂંકમાં કહીએ તો શહેરમાં આજે સિંગીંગનો ટ્રેન્ડ જબરદસ્ત વાઇરલ થયો છે. પરિવારોમાં થતી નાની મોટી પાર્ટીઓમાં હવે સભ્યો કરાઓકે માઇક પર ગીતો ગાઇને એકેમેકનું મનોરંજન કરી રહ્યા છે, કરાઓકે માઇકથી લઇને અનેક પરિવારોએ પોતાના ઘરમાં મ્યુઝિક સિસ્ટમ વિકસાવી છે જેના પર નિયમિત રીતે ફેમિલી ફ્રેન્ડસ સાથે મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરતા રહે છે. સુરતીઓમાં સિંગીંગનો આ ટ્રેન્ડ આવકાર દાયક છે.

January 9, 2019
pubg.jpg
1min18700

દાદાગીરીથી ધંધો કરવો, વટથી ધંધો કરવો આજે બધા ભૂલી ગયા છે. કસ્ટમર્સ, કલાયન્ટસ, ગ્રાહકો મેળવવા માટે વેપારીઓ, વિક્રેતાઓ ગ્રાહકોના પગ પકડવાનું જ બાકી રાખતા હોય છે. પ્રોડક્ટસ કે સેવા વેચવા માટે વિક્રેતાઓ એટલા ઝૂકી જાય કે ન પૂછો વાત. પણ અહીં એવા વેપારીની વાત કરવી છે જે ઓનલાઇન ગેમ રમાડે છે અને આખી દુનિયાને હાલમાં ઘેલી ઘેલી બનાવી દીધી છે.

PUBG ગેમવાળાએ એન્ટી ચિટીંગ સોફ્ટવેર લાગૂ કર્યો અને નોટિરીયસ ગેમર્સને બેન કરી દીધા

#PUBG પબજી ગેમવાળા દાદાગીરીથી ધંધો કરે છે અને હાલમાં તેમની આ દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન ગેમ #PUBG પબજી રમતા 30 હજાર પ્લેયર્સને પબજીવાળાએ કાઢી મૂક્યા છે એટલે કે આ રજિસ્ટર્ડ યુઝર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેઓ તેમના આઇ.ડી.થી ગેમ નહીં રમી શકે, તેમના ડિવાઇસ પર ગેમ શરૂ નહીં થઇ શકે. #PUBG પબજીએ વિશ્વભરમાંથી 30 હજારથી વધુ પ્લેયર્સ પર બેન મૂક્યો અને આ લિસ્ટમાં સૌથી વધુ ઇન્ડિયન્સ હોવાના અહેવાલો છે.

#PUBG પબજી ગેમવાળાએ 30 હજારથી વધુ પ્લેયર્સ પર જુદા જુદા કારણોસર બેન મૂક્યો છે. પબજી ગેમવાળાઓનું કહેવું છે કે 30 હજાર પ્લેયર્સ સીધી રીતે ગેમ રમતા ન હતા. #PUBG પબજી સિવાય બીજી એપ્લિકેશન્સ કે ટુલ્સ અગર તો સોફ્ટવેર જોઇન કરીને ગેમ ફોર્મેટ સાથે ચેડાં થાય તેવી હરકતો કરી રહ્યા હતા. કેટલાક અવળચંડા યુઝર્સ અન્ય યુઝર્સની માહિતીઓ ત્રાહિત વ્યક્તિઓને સેન્ડ કરી રહ્યા હતા. કોઇપણ જાતની નોટિસ આપ્યા વગર #PUBG પબજી વાળાએ આવા નોટિરીયસ ગેમર્સને દાદાગીરીથી ગેમની બહાર કરી દીધા છે.

અહેવાલો તો એવા છે કે આ નોટિરયસ ગેમ યુઝર્સ #PUBG પબજી ગેમ રમવા માટે એટલા વ્યસની થઇ ગયા કે ઘણાં બધાએ આજીજીઓ કરી, વિનંતીઓ કરી, મેઇલ કરીને પોતાના પર બેન હટાવી લેવા જણાવ્યું. કેટલાકે ભૂલ કબૂલીને બેન ઉઠાવી લેવા #PUBG પબજીવાળાને મેસેજ કર્યા. #PUBG પબજી ગેમ રમવા માટે એક યુઝર્સ અનેક આઇડી બનાવી શકે પરંતુ, ઇન્સ્ટ્રુમેન્ટસ પણ બદલવો પડે તેવી સ્થિતિ હોવાના કારણે #PUBG ગેમ રમવાના વ્યસનીઓને પ્રતિબંધ આકરો લાગી રહ્યો છે.

January 9, 2019
dhoni.jpg
1min6560
  • ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ
  • ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી
  • પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી
  • ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે

ભારત ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીએ મનોરંજન ક્ષેત્રે પ્રવેશ કરીને નવી ઇનિંગ શરૂ કરી છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી છે અને પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.

ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે. બાનીજય એશિયા એ વિશ્વની સૌથી મોટી ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિયેશન કંપની પૈકીની એક બાનીજય અને એન્ડોમોલ શાઇન ઇન્ડિયાના એમડી દીપક ધાર વચ્ચેનું ૫૦:૫૦નું સંયુક્ત સાહસ છે.

લાંબા ગાળાની ભાગીદારીમાં ધોની અને બાનીજય એશિયા બંને રોકાણ કરીને કન્ટેન્ટ રચશે. ધોનીએ જણાવ્યું હતું કે, “મારી બાયોપિક પછી હું મનોરંજન ક્ષેત્રે કંઈક કરવા માંગતો હતો. મને તેમાં હંમેશા રસ પડ્યો છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં તાજું કન્ટેન્ટ રચવાની શક્યતા છે.”

ધાર અને બાનીજય સાથે ભાગીદારી કરવા વિશે ધોનીએ જણાવ્યું કે ધારના કામને જોયું છે અને અત્યાર સુધીમાં તેમણે રચેલા કન્ટેન્ટના આધારે મેં બાનીજય એશિયા સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો.

આ પાર્ટનરશિપની યોજના પ્રીમિયમ કન્ટેન્ટ રચવાની છે જે ભારત અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં વિવિધ પ્લેટફોર્મ પર વિતરીત કરવામાં આવશે. બાનીજય એશિયાના સ્થાપક અને સીઇઓ દીપક ધારે કહ્યું કે, “સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસી રહી છે તેથી અમને કન્ટેન્ટમાં પુષ્કળ ડિમાન્ડ જોવા મળી છે. જાણીતી હસ્તીઓ પણ તેના પ્રત્યે આકર્ષાઈ રહી છે. પ્રોફેશનલી જોવામાં આવે તો કોઈની સાથે ભાગીદારી કરવી હોય ત્યારે ધોની કરતાં વધારે જાણીતું નામ બીજું કોઈ નથી. આ દિશામાં આ ડ્રીમ સહયોગ છે. અમે તમામ પ્લેટફોર્મ પર ઓડિયન્સ માટે વિશિષ્ટ શો લાવવા માંગીએ છીએ.

ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ કરે છે. પરંતુ તેના માટે આ ઉદ્યોગ નવો નથી. તેના મેનેજર અરુણ પાંડેએ નીરજ પાંડેના દિગ્દર્શન હેઠળ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ બનાવી હતી. નવી પાર્ટનરશિપ કેવા કન્ટેન્ટ પર ધ્યાન આપશે તે પૂછવામાં આવતાં ધોનીએ જણાવ્યું કે, “અમે તમામ પ્રકારના વિષયો પર કામ કરવા તૈયાર છીએ.

અમે માત્ર સ્પોર્ટ્સ પૂરતું કામકાજ મર્યાદિત રાખવા માંગતા નથી. અમે હાલમાં વિવિધ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ અને કેટલાક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.” બાનીજય એશિયા સલમાન ખાનની એસ કે ટીવી સાથે આવી જ ભાગીદારી ધરાવે છે જેણે તાજેતરમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ‘કપિલ શર્મા શો’ શરૂ કર્યો છે.

January 9, 2019
diamond1.jpg
1min12160

કેટલાક દિવસથી સોશ્યલ મીડિયા પર ફરી રહેલા હીરાબજારમાં તેજીના મેસેજ વિશે ડાયમન્ડ માર્કેટના વેપારીઓનો મત, હજી બે વર્ષ તેજીનાં કોઈ જ એંધાણ નથી

હીરા બજાર કહે છે તેજીના અહેવાલ ખોટા

વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પૉલિશિંગના હબ સુરત અને દેશના હીરાના વેપારીઓ છેલ્લાં ઘણાં વષોર્થી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. હીરા કટિંગ અને પૉલિશિંગના અનેક યુનિટો બંધ થઈ રહ્યા છે. એવા સમયે વૉટ્સઍપ પર એક મેસેજ વાઇરલ થયો છે, જેમાં લખ્યું છે કે કૅનેડાની સરકારે ભારત પર લગાવેલા હીરાની ખરીદી પરના પ્રતિબંધને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીથી ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી હીરાબજારમાં જોરદાર તેજીના સંકેત. જોકે આ મેસેજને હીરાબજારના જાણકાર વેપારીઓએ હાસ્યાસ્પદ ગણાવ્યો હતો.

હીરાબજારના વેપારીઓએ આ બાબતને વાહિયાત ગણાવી હતી અને આ માર્કેટના અનેક અગ્રણીઓએ તો આ ટૉપિક પર વાત કરવાનું પણ ટાળ્યું હતું. કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે ‘અમે આ વાતને રાજકીય રંગ આપવા નથી ઇચ્છતા, પરંતુ આવો જ મેસેજ બે વર્ષ પહેલાં પણ વાઇરલ થયો હતો, પરંતુ માર્કે‍ટમાં સુધારો તો દૂર રહ્યો બે વર્ષમાં માર્કેટની હાલત દિનપ્રતિદિન કથળતી જાય છે. હજી સુધી માર્કેટમાં કોઈ તેજી દેખાઈ નથી. બે વર્ષમાં કૅનેડાએ આપણા દેશના વેપારીઓ પાસેથી કોઈ મોટી ખરીદી કરી હોય એવા અમારી પાસે કોઈ જ સમાચાર નથી એટલું જ નહીં, આવતાં બે વર્ષમાં તેજી આવવાની અમને શક્યતાઓ પણ દેખાતી નથી.

કૅનેડા, ચાઇનામાં ઘણાં વર્ષથી ભારતમાંથી હીરાની ખરીદી પર પ્રતિબંધ છે. આમ છતાં અનેક વેપારીઓ વાયા ન્યુ યૉર્ક અને હૉન્ગકૉન્ગ, કેનેડા અને ચાઇનામાં હીરા મોકલી જ રહ્યા છે. આ વિશે વેપારીઓએ દિલ ખોલીને હીરાના બિઝનેસની વાત કરતાં કહ્યું હતું કે ‘કૅનેડાએ પ્રતિબંધ ઉઠાવી લીધો હોય તો ખૂબ જ સારી વાત છે, પરંતુ એનાથી હીરાના બિઝનેસમાં તેજી આવવાના સંકેતો ધોળા દિવસના સપના સમાન છે. માર્કેટની હાલત તો અત્યારે ખૂબ જ ખરાબ છે. સુરતના હીરાઉદ્યોગમાં લગભગ ૫૦૦૦થી વધારે યુનિટો છે, જેનું ૮૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ટર્નઓવર છે. આમ છતાં આ યુનિટો અત્યારે મંદીનો માર ઝીલી રહ્યા છે. અનેક યુનિટોમાં તો રત્નકલાકારોને પગાર આપવાના પણ વાંધા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પૉલિશ્ડ હીરાની ડિમાન્ડ ઘટી રહી છે એવા સમયે કૅનેડાના વાઇરલ મેસેજ હીરાના વેપારીઓ માટે ક્ષણિક આનંદ સમાન છે. કાઠિયાવાડીમાં એક કહેવત છે કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી જ અત્યારે હીરાબજારના વેપારીઓની હાલત છે એવી જાણકારી આપતાં વેપારીઓએ કહ્યું હતું કે ‘કૅનેડાની ડિમાન્ડ આવશે તો પણ એકાદ હીરાના વેપારીને એનો ફાયદો થશે, નહીં કે આખી હીરાબજારને. રત્નકલાકારોને આનાથી કોઈ મોટો લાભ થવાના સંજોગો અત્યારે તો દેખાતા નથી. કૅનેડાની હીરાની ખરીદી પણ એના કાયદાકાનૂનને આધારિત છે જે ખૂબ જ કડક છે. આ પરિસ્થિતિમાં કૅનેડાની ખરીદી નીકળે ત્યારે જ એના લાભાલાભનો સાચો ખ્યાલ અમને આવશે.’

ડૉલર સામે રૂપિયાની અસ્થિરતા પણ હીરાના વેપાર પર વિપરીત અસર કરવા માટે જવાબદાર છે એમ જણાવતાં વેપારીએ કહ્યું હતું કે ‘અમારા બિઝનેસની નબળી પરિસ્થિતિ માટે ચલણની અનિયમતતા પણ બહુ મોટો રોલ ભજવે છે. અમને તો હજી બે વર્ષ સુધી હીરાબજાર સધ્ધર બને કે એમાં તેજી આવે એવા કોઈ નિર્દેશ દેખાતા નથી.’

January 9, 2019
modi.jpg
1min7640

૩૨૩ સામે માત્ર ૩ વોટ ખરડા વિરુદ્ધ, વિપક્ષી વિરોધ અને ટીકાઓ વચ્ચે આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા આરક્ષણનો ખરડો લોકસભામાં મંજૂર

સમાજવાદી પક્ષ સહિત કેટલાક વિપક્ષી સંસદસભ્યોના વિરોધ અને ટીકાઓ વચ્ચે જનરલ કૅટેગરીમાં આર્થિક પછાતવર્ગોને આરક્ષણની જોગવાઈ ધરાવતો ખરડો ગઈ કાલે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં ૩૨૩ સભ્યોએ ખરડાની તરફેણમાં અને ૩ સભ્યોએ ખરડાના વિરોધમાં મતદાન કર્યું હતું. ખરડાને સત્તાધારી પક્ષ ઉપરાંત અન્ય પક્ષોનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું. સોમવારે કેન્દ્રના પ્રધાનમંડળે બંધારણમાં ૧૨૪મા સુધારા માટેના ખરડાને બહાલી આપ્યા પછી ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે સામાજિક ન્યાય વિભાગના પ્રધાન ડૉ. થાવરચંદ ગેહલોતે એ ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો. બંધારણીય સુધારાનો ખરડો પસાર કરવા માટે ગૃહમાં ઓછામાં ઓછા પચાસ ટકા સભ્યોની હાજરી અને એમાંથી બે-તૃતીયાંશ સભ્યોનું સમર્થન અનિવાર્ય છે. AIADMK , BSP અને TMCએ ખામીઓ દર્શાવવા સાથે ખરડાને સમર્થન આપ્યું હતું. DMK સવર્ણોને આરક્ષણનો સૈદ્ધાંતિક વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો અને કૉંગ્રેસે આર્થિક પછાતવર્ગોને ૧૦ ટકા આરક્ષણના ખરડાનો વિરોધ કર્યો હતો.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે. આર્થિક પછાતવર્ગોને આરક્ષણના ખરડા વિશે કોણે શું કહ્યું?

શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક પછાતવર્ગોના નાગરિકોને ૧૦ ટકા આરક્ષણનો કેન્દ્રના પ્રધાનમંડળનો નર્ણિય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વેનો સ્ટન્ટ અને રાજકીય ચતુરાઈ છે. જોકે અમે સરકારના આ પરિપક્વતાનો અભાવ દર્શાવતા અધકચરા પગલાનું સ્વાગત કરીએ છીએ. ગ્થ્ભ્ની સરકારે આ નિર્ણય વહેલો લેવો જોઈતો હતો.

ભાજપની સરકાર અત્યંત બેદરકાર છે. આ સરકાર સાડાચાર વર્ષથી ઊંઘતી હતી અને હવે અચાનક જાગી છે. સંસદમાં ખરડો પસાર ન કરાય તો ખરેખર આર્થિક પછાતવર્ગોને આરક્ષણ આપવાનો આ સરકારનો કોઈ નિષ્ઠાપૂર્વકનો ઇરાદો નથી. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ધબડકો થયા પછી ગ્થ્ભ્ને આ ખરડો લાવવાનું સૂઝ્યું છે.

આર્થિક પછાતવર્ગોના નાગરિકોને 10 ટકા આરક્ષણનો નર્ણિય ઐતિહાસિક છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની દિશામાં મહત્વનું પગલું છે. ગરીબ પેરન્ટ્સના સંતાન નરેન્દ્ર મોદી સમાજના ગરીબ વર્ગોનાં હિતો માટે આરક્ષણની જોગવાઈ કરીને એકવીસમી સદીના આંબેડકર બન્યા છે.

અફઘાનિસ્તાન, બંગલા દેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, સિખ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો માટે ભારતની નાગરિકતાનો માર્ગ મોકળો કરતા સિટિઝનશિપ બિલને ગઈ કાલે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ તેમ જ વ્યક્તિઓ, ગુનેગારો કે ગુનાનો ભોગ બનેલાઓ કે ગુમ થયેલી વ્યક્તિઓને ઓળખવા માટે Dફ્ખ્ ટેક્નૉલૉજીના વપરાશની છૂટ આપતો ખરડો અને ટ્રેડ યુનિયન્સને કાનૂની માન્યતા સંબંધી ટ્રેડ યુનિયન્સ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ રજૂ કરવામાં આવ્યાં હતાં.