CIA ALERT
21. May 2024

સતત મંદીની ગર્તામાં ધકેલાય રહ્યો છે હીરા ઉધોગ, કેનેડાના હીરાની વાત ધડ-મૂળ વગરની

Share On :
Print Friendly, PDF & Email

કેટલાક દિવસથી સોશ્યલ મીડિયા પર ફરી રહેલા હીરાબજારમાં તેજીના મેસેજ વિશે ડાયમન્ડ માર્કેટના વેપારીઓનો મત, હજી બે વર્ષ તેજીનાં કોઈ જ એંધાણ નથી

હીરા બજાર કહે છે તેજીના અહેવાલ ખોટા

વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પૉલિશિંગના હબ સુરત અને દેશના હીરાના વેપારીઓ છેલ્લાં ઘણાં વષોર્થી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. હીરા કટિંગ અને પૉલિશિંગના અનેક યુનિટો બંધ થઈ રહ્યા છે. એવા સમયે વૉટ્સઍપ પર એક મેસેજ વાઇરલ થયો છે, જેમાં લખ્યું છે કે કૅનેડાની સરકારે ભારત પર લગાવેલા હીરાની ખરીદી પરના પ્રતિબંધને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીથી ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી હીરાબજારમાં જોરદાર તેજીના સંકેત. જોકે આ મેસેજને હીરાબજારના જાણકાર વેપારીઓએ હાસ્યાસ્પદ ગણાવ્યો હતો.

હીરાબજારના વેપારીઓએ આ બાબતને વાહિયાત ગણાવી હતી અને આ માર્કેટના અનેક અગ્રણીઓએ તો આ ટૉપિક પર વાત કરવાનું પણ ટાળ્યું હતું. કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે ‘અમે આ વાતને રાજકીય રંગ આપવા નથી ઇચ્છતા, પરંતુ આવો જ મેસેજ બે વર્ષ પહેલાં પણ વાઇરલ થયો હતો, પરંતુ માર્કે‍ટમાં સુધારો તો દૂર રહ્યો બે વર્ષમાં માર્કેટની હાલત દિનપ્રતિદિન કથળતી જાય છે. હજી સુધી માર્કેટમાં કોઈ તેજી દેખાઈ નથી. બે વર્ષમાં કૅનેડાએ આપણા દેશના વેપારીઓ પાસેથી કોઈ મોટી ખરીદી કરી હોય એવા અમારી પાસે કોઈ જ સમાચાર નથી એટલું જ નહીં, આવતાં બે વર્ષમાં તેજી આવવાની અમને શક્યતાઓ પણ દેખાતી નથી.

કૅનેડા, ચાઇનામાં ઘણાં વર્ષથી ભારતમાંથી હીરાની ખરીદી પર પ્રતિબંધ છે. આમ છતાં અનેક વેપારીઓ વાયા ન્યુ યૉર્ક અને હૉન્ગકૉન્ગ, કેનેડા અને ચાઇનામાં હીરા મોકલી જ રહ્યા છે. આ વિશે વેપારીઓએ દિલ ખોલીને હીરાના બિઝનેસની વાત કરતાં કહ્યું હતું કે ‘કૅનેડાએ પ્રતિબંધ ઉઠાવી લીધો હોય તો ખૂબ જ સારી વાત છે, પરંતુ એનાથી હીરાના બિઝનેસમાં તેજી આવવાના સંકેતો ધોળા દિવસના સપના સમાન છે. માર્કેટની હાલત તો અત્યારે ખૂબ જ ખરાબ છે. સુરતના હીરાઉદ્યોગમાં લગભગ ૫૦૦૦થી વધારે યુનિટો છે, જેનું ૮૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ટર્નઓવર છે. આમ છતાં આ યુનિટો અત્યારે મંદીનો માર ઝીલી રહ્યા છે. અનેક યુનિટોમાં તો રત્નકલાકારોને પગાર આપવાના પણ વાંધા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પૉલિશ્ડ હીરાની ડિમાન્ડ ઘટી રહી છે એવા સમયે કૅનેડાના વાઇરલ મેસેજ હીરાના વેપારીઓ માટે ક્ષણિક આનંદ સમાન છે. કાઠિયાવાડીમાં એક કહેવત છે કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી જ અત્યારે હીરાબજારના વેપારીઓની હાલત છે એવી જાણકારી આપતાં વેપારીઓએ કહ્યું હતું કે ‘કૅનેડાની ડિમાન્ડ આવશે તો પણ એકાદ હીરાના વેપારીને એનો ફાયદો થશે, નહીં કે આખી હીરાબજારને. રત્નકલાકારોને આનાથી કોઈ મોટો લાભ થવાના સંજોગો અત્યારે તો દેખાતા નથી. કૅનેડાની હીરાની ખરીદી પણ એના કાયદાકાનૂનને આધારિત છે જે ખૂબ જ કડક છે. આ પરિસ્થિતિમાં કૅનેડાની ખરીદી નીકળે ત્યારે જ એના લાભાલાભનો સાચો ખ્યાલ અમને આવશે.’

ડૉલર સામે રૂપિયાની અસ્થિરતા પણ હીરાના વેપાર પર વિપરીત અસર કરવા માટે જવાબદાર છે એમ જણાવતાં વેપારીએ કહ્યું હતું કે ‘અમારા બિઝનેસની નબળી પરિસ્થિતિ માટે ચલણની અનિયમતતા પણ બહુ મોટો રોલ ભજવે છે. અમને તો હજી બે વર્ષ સુધી હીરાબજાર સધ્ધર બને કે એમાં તેજી આવે એવા કોઈ નિર્દેશ દેખાતા નથી.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :