CIA ALERT

Blog - Page 452 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 13, 2019
bike-taxi.jpg
6min10920

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

15 વર્ષ પહેલા સુરતમાં, સુરતના માર્ગો પર ટ્રાફિક, પાર્કિંગની જે સ્થિતિ હતી એ આજે એટલી વકરી ચૂકી છે કે સુરતીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સુરતમાં એવા ઘર ઓછા હશે કે જેમાં પુખ્તવયના લોકોની સંખ્યા જેટલા ટુ વ્હીલ વાહનો ન હોય. આવી સ્થિતિમાં સુરતના માર્ગો પર ટ્રાફિક ગીચતા એટલી હદે વકરી રહી છે કે લોકો પાસે અલ્ટરનેટીવ નથી.

સુરતમાં મહાનગરપાલિકાએ બસ સર્વિસીઝ શરૂ કરી છે પરંતુ, બસ સર્વિસીઝમાં બેસવા માટે મધ્યવર્ગ સામે આવ્યો નથી. સૌથી મોટું પરિબળ એ પણ છે કે પોતાના ડેસ્ટીનેશનથી બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડથી પોતાના ડેસ્ટીનેશન પર જવા માટેના રૂટ પર ચાલીને જવાનું સુરતીઓને પસંદ નથી. આમ સુરતનો એક મોટો વર્ગ બસ સર્વિસીઝ માટે અમદાવાદ કે મુબઇગરાઓની જેમ ઉપભોક્તા બની શક્યો નથી.

સી.આઇ.એ. લાઇવનું વિઝન કહે છે કે સુરતમાં માર્ગ પરિવહનના ઢાંચાની મુશ્કેલીઓને જોતા હવે સુરતીઓ શહેરના આંતરીક પરિવહન માટે અલ્ટરનેટિવ શોધી રહ્યા છે અને એ અલ્ટરનેટિવ બાઇક ટેક્સી (ટુ વ્હીલ ટેક્સી) બને તેવા સંજોગો અને સમયનો તકાજો પણ જોવાય રહ્યો છે.

C.I.A. Vision જો કોઇ પહેલ કરે તો સુરતીઓ બાઇક ટેક્સીને અપનાવવા તૈયાર છે

કયા કારણોસર સુરતમાં બાઇક ટેક્સીના સંજોગો ઉજળા બન્યા

  • માર્ગો પર ટ્રાફિક ગીચતા, કામ ધંધા માટે આખો દિવસ એક જ સ્થળે રહેનારા લોકોને ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન પીકઅપ એન્ડ ડ્રોપ મળે તો તેઓ પોતાના ટુ વ્હીલ વાહનો કે ફોર વ્હીલ વાહનો રોજેરોજ રોડ પર ડ્રાઇવ કરવાનું ટાળશે એમાં બે મત નથી
  • શહેરમાં વાહનો એટલા વધી ગયા છે કે કમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગ પ્લેશ નથી, ડેસ્ટીનેશ ટુ ડેસ્ટીનેશ પીક અપ એન્ડ ડ્રોપ હશે તો પોતાના વાહનો લઇને નીકળવાવાળા લોકો ઓછા થશે અને પાર્કિંગની સમસ્યા ઓછી થશે. બાઇક ટેક્સીવાળા બહુ લાંબો સમય પોતાના વાહનો પાર્કિંગ અવસ્થામાં નહીં રાખે. તેમની મોબિલિટી જેટલી તેટલી કમાણી હશે.
  • ભારતમાં જે રીતે નવા ટ્રાફિક રૂલ્સ અને તેનું એન્ફોર્સમેન્ટ થઇ રહ્યું છે તે જોતા ગુજરાતમાં હજુ આ દૌર આવવાનો બાકી છે અને ટ્રાફિક રૂલ્સ એન્ફોર્શમેન્ટ વખતે જે દ્રશ્યો સર્જાશે તેનાથી શોખીન સુરતીઓ દૂર રહેવાની માનસિકતા ધરાવે છે એટલે તેઓ બાઇક ટેક્સીનો વિકલ્પ પસંદ કરીને જફા ઝંઝટથી દૂર રહેવાનું પસંદ કરશે.
  • હાલમાં ડેસ્ટીનેસન ટુ ડેસ્ટીનેસન પરિવહન માટે રીક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ, રીક્ષાચાલકો ઇન્ટર્નલ ડેસ્ટીનેશ માટે વધુ રૂપિયા માગતા હોય છે. એક કે બે મુસાફરો માટે સ્પેશયલ રિક્ષાનો ચાર્જ વધુ ઉસેટતા હોવાથી લોકો હવે બાઇક ટેક્સીના વિકલ્પને એટલે અપનાવશે કેમકે તેમાં પર પર્સન લેખે ચાર્જ ચૂકવવાનો થશે જે રીક્ષા કરતા પણ સસ્તો વિકલ્પ બની શકે.

એવા ઘણા સાધન સંપન્ન સુરતીઓ છે જેઓ પોતાના વાહનો લઇને માર્ગો પર નીકળવાનું ટાળી રહ્યા છે

સુરતમાં સાધન સંપન્ન હોય તેવા અનેક પરિવારો છે, જેમની પાસે મોટરકારો, ટુ વ્હીલ વાહનોની કમી નથી પરંતુ, તેઓ અનિવાર્ય સંજોગો સિવાય સામાન્ય કામકાજ, વેપાર ધંધા માટે પોતાના વાહનો લઇને માર્ગો પર નીકળવાનું ટાળી રહ્યા છે. તમારી આસપાસ નજર દોડાવશો તો એવા અનેક લોકો હશે જેઓ શટલિયા રીક્ષા, લિફ્ટ કે અન્ય વિકલ્પો અપનાવીને પોતાના ડેસ્ટીનેશન પર જવાનું પસંદ કરતા હશે.

સિટી બસ ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન નથી, મધ્યમવર્ગ સિટી બસથી દૂર રહ્યો

સુરતમાં બેશક સિટી બસનું જબરદસ્ત નેટવર્ક ઉભું થયું છે પરંતુ, મોટા ભાગે શ્રમજીવી પરિવારો સિટીબસનો ઉપયોગ કરી રહ્યા છે. મધ્યવર્ગીય પરિવારોનો વિશાળ વર્ગ હજુ સુધી સિટી બસમાં ટ્રાવેલ કરતો ઓછો જોવા મળે છે, જેનું મુખ્યકારણ એ જ છે કે સિટી બસ ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન નથી. પોતાના ઘર, ધંધાકીય સ્થળોથી બસ સ્ટેન્ડ દૂર હોઇ, લોકોએ બસને અપનાવી નથી. હાલમાં બાઇક ટેક્સીની ગેરહાજરીમાં એકલ-દોકલ લોકો રીક્ષાનો જ ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો માટે બાઇક ટેક્સી સૌથી બેસ્ટ વિકલ્પ બની રહેશે.

દેશના 200 શહેરોમાં બાઇક ટેક્સીનો યુગ આવે તેવી શક્યતા

According to a driving habits’ survey conducted by Ford Motor Company in 2015, Indian commuters spend more time behind the wheel as compared to their counterparts residing in China, Thailand, the Philippines and Australia. 4 years on, the situation has become even worse as our metro cities grapple with harrowing traffic congestions. With the growing population, the infrastructure of urban Indian cities has failed to keep pace. Be it Delhi, Mumbai or Bangalore, getting stuck in a jam is a common thing for intracity travellers. Overpopulation, outdated infrastructure and unplanned growth of metropolises are the major reasons why the carrying capacity of Indian roads is declining rapidly.

Affordable and Quick Rides

By offering value-for-money rides, bike taxis have emerged as the preferred mode of transportation for the price-sensitive Indian middle class. Commuters who use bike taxis spend significantly less money in comparison to their counterparts who take cabs. In addition to being affordable, bike taxis reach the destination faster as they can slide through the traffic. This explains why intracity travellers in tier I cities are making a switch to bike taxis with much enthusiasm.

Employment Opportunities for India’s Youth

The bike taxi industry is providing employment opportunities to thousands of Indians. And it is expected to create new jobs for many in the days to come. Whether it’s carrying passengers or parcels, two-wheeler taxis have become the source of livelihood for many of India’s skilled youth. Not only full-time employees, but college students are also taking up bike-taxi driving to earn some extra cash in their free time.

Reduced Traffic Congestion

Bike taxis can lessen the traffic congestion in urban Indian cities to a great extent once their adoption is accelerated. At a time when most cities in India are struggling with the number of four-wheelers on the roads, bike taxis can help in reducing the nightmarish jams commuters face every day. This is one of the main reasons why the concept of bike taxis has become so popular and is receiving support from all quarters.  

Less Carbon Footprint

Two-wheelers emit less carbon dioxide than cabs and buses. With the whole world striving for a sustainable future, environmentally-cautious commuters are inclining toward vehicles that do not have adverse effects on our surroundings.

Addressing the First and Last Mile Connectivity Issue

In cities like Chennai and Bangalore, commuters’ biggest challenge is to reach the metro stations on time. Factors like infrequency of bus services, unavailability of autos and steep cab fares have added to the problem. This is where bike taxis come in, offering a viable solution to urban India’s first and last mile connectivity problems, and encouraging more people to opt for public transportation. Realizing the market opportunity, a few of the aggregators have already tied up with various metro stations across the country.

September 13, 2019
banking-merger-india.png
1min5970

10 સરકારી બેન્કોના કરવામાં આવી રહેલા મર્જર સામે બેન્કિંગ સેક્ટરના ટ્રેડ યૂનિયન સંગઠનોએ આગામી તા. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ પાડીને કામથી અળગા રહેવાનું એલાન કર્યું છે. સરકારી બેંકોના મોટા ભાગના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. યૂનિયને સરકાર સમક્ષ 8 માગો મૂકી છે.

મર્જરના વિરોધમાં બેન્ક કર્મચારીઓની હળતાળના કારણે ચાલુ માસ દરમિયાન 4 દિવસ બેંકોમાં કામકાજ ઠપ થઇ જશે કેમકે 26-27 સપ્ટેમ્બર બે દિવસ હડતાળ, 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને એ પછી રવિવારની રજા એમ સળંગ 4 દિવસ એટલે કે ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે બેન્કોમાં રજા રહેશે.

ટ્રેડ યૂનિયને પ્રદર્શનના ભાગરૂપે અનિશ્ચિકાળ સુધી આ હડતાળ કરવાની પણ ચેતવણી આપી છે.

મર્જર-1માં પંજાબ નેશનલ બેન્કમાં યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કનું મર્જર. મર્જર-2માં કેનેરા બેન્કમાં સિન્ડિકેટ બેન્ક મર્જ થશે. મર્જર-3માં યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંન્ધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક એક થઈ જશે. મર્જર-4માં ઈન્ડિયન બેન્કમાં ઈલાહાબાદ બેન્ક નું મર્જર થશે. મર્જરની જાહેરાત પછી હવે દેશમાં 12 પબ્લિક સેક્ટર બેન્ક જ રહેશે. 2017માં 27 પબ્લિક સેક્ટર બેન્કો હતી. આ મર્જર પછી માત્ર 4 બેન્કનું અસ્તિત્વ રહેશે. એટલે કે 6 બેન્ક એકબીજામાં મર્જ થઈ જશે.

September 13, 2019
narmada_dam.jpg
1min5970

સરદાર સરોવર ડેમની સપાટી 137.31 મીટર પર પહોંચી છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138.68થી હવે માત્ર 1.37 મીટરનું જ અંતર બાકી રહ્યું છે. આગામી સમયમાં સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી છે. નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે. દરરોજ નિયત ધારા ધોરણ મુજબ ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે.

હાલમાં ડેમમાંથી 7,39,830 પ્રતિ સેકન્ડ ક્યુબિક પાણી છોડાઈ રહ્યું છે. પરિણામે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 31 ફૂટ પર પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 24ની છે. સાવચેતીના કારણોસર નર્મદાના કાંઠાના વિસ્તારમાંથી 3900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.

20 ગામોને 3 દિવસ માટે એલર્ટ કરાયાં

નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે.

September 12, 2019
CIA_Live_Logo_New2.jpg
3min8470

જયેશ બ્રહ્મભટ્ટ

ગણેશોત્સવ સુરતીઓ માટે હોટફેવરિટ ફેસ્ટિવલ છે અને આ ફેસ્ટિવલમાં મોજશોખની સાથે સુરતીઓ બાપ્પાની પણ એટલી જ ભક્તિ કરે છે. સુરતીઓની ભક્તિના રંગ આજે વિસર્જન દરમિયાન જોવા મળ્યા.

કોઇકે ખભે બેસાડીને બાપ્પાને વિદાય આપી તો કોઇકે હાથલારી શણગારી, કોઇકે ડોલી અને પાલખી શણગારી તો કોઇકે મર્સીડીઝ બેન્ઝમાં બાપ્પાને વિદાય આપી. રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પોથી લઇને 18 પૈડાના ટ્રેલર સુધીના વાહનો મૂષકવાહન ધરાવતા ગણપતિ બાપ્પાની વિદાય માટે સુરતીઓએ એટલા આકર્ષક ડેકોરેટ કર્યા કે ગણપતિ બાપ્પાએ પ્રશન્ન થવું પડે એવી ભક્તિ હતી સુરતીઓની.

મર્સિડિઝ બેન્ઝમાં બાપ્પાને વિદાય- આશાદીપ વિદ્યાલય, નાના વરાછા

નાના વરાછા સ્થિત આશાદીપ વિદ્યાલયમાં બિરાજમાન ગણપતિજીને વિદાય આપવા માટે આજે સંસ્થાના સુકાની એવા શ્રી મહેશભાઇ રામાણીએ પોતાની મર્સિડિઝ ઇ-220ને બાપ્પાની વિદાય માટેનું વાહન બનાવ્યું હતું.
તસ્વીર સૌજન્ય મહેશ રામાણી

હાથ લારી ડેકોરેટ કરીને બાપ્પાને ભાવપૂર્ણ વિદાય- વેસુ સ્થિત શુભ એન્કલેવ

વેસુ સ્થિત શુભ એન્કલેવના ગણેશ સ્થાપકોએ આજે હાથ લારીને સરસ રીતે ડેકોરેટ કરીને બાપ્પાને ભાવપૂર્ણ વિદાય આપી હતી. શ્રમજીવીના આવકના સ્ત્રોત સમી હાથલારીને ડેકોરેટ કરીને શુભ એન્કલેવ વેસુના રહેવાસીઓએ પોતાના કેમ્પસમાં બાપ્પાની શોભાયાત્રા કાઢી હતી એ વેળાની તસ્વીર
તસ્વીર સૌજન્ય વૈશાલી ગાલા

બાપ્પાને ડોલીમાં બેસાડીને વિદાય અપાઇ

આજે અનંત ચતુદર્શીએ ગણપતિ બાપ્પાને આ પ્રકારે ડેકોરેટીવ ડોલી-પાલખીમાં બેસાડીને ભાવપૂર્ણ રીતે વિદાય આપવામાં આવી હતી. સુરતમાં અનેક વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની વિસર્જન શોભાયાત્રા ડોલીમાં કાઢવામાં આવી હતી.

સુરતમાં હર્ષોલ્લાસભેર ગણેશ વિસર્જન, બાપ્પાને સુરતીઓની ભાવભીની વિદાય

સુરત શહેરમાં આજે સવારથી જ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરના ગણેશ સ્થાપકોએ ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવ અભિયાનના ભાગરૂપે પોતાની સોસાયટી એપાર્ટમેન્ટસમાં જ ગણપતિજીની પ્રતિમાના વિસર્જનની વિધીઓ વહેલી સવારથી હાથ ધરી દીધી હતી.

ઘરમાં જ બાપ્પાને વિસર્જિત કર્યા

મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન તાપી નદીમાં ન થાય તેની તકેદારી રાખતા સુરત શહેરના તમામ તંત્રોએ સંકલન સાધીને તાપી નદી પરના તમામ ઓવારાઓને સીલ કરી દીધા છે. કોઇને પણ આજે તાપી નદીના કિનારે જવા નહીં દેવાય.

સુરત શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. ચોકબજાર સ્થિત ડક્કા ઓવારે બનાવવામાં આવેલા કુત્રિમ તળાવમાં તાપી નદીના પાણી ફરી વળતા આજે તેને બંધ રાખવામાં આવ્યો છે. તેના વિકલ્પમાં ગાંધીબાગ ખાતે મૂર્તિઓનો સ્વીકાર કરવામાં આવશે. પાલિકાએ આ વખતે નાનાવરાછામાં રામજી મંદિર પાસેનું કૃત્રિમ તળાવ બનાવવાનું રદ્દ કર્યું છે.

તાપીનદીમાં પાણી વધુ હોય લોકો સીધા નદીમાં જ વિસર્જન કરવા જાય તેવી શક્યતાને પગલે પાલિકાએ આવા 35 ઓવારાઓને સીલ કરી દીધા છે. આ વખતે શહેરમાં 70હજાર ઉપરાંત મૂર્તિઓની સ્થાપના થઈ છે. તેમાંથી કૃત્રિમ તળાવોમાં થનારા વિસર્જનને બાદ કરતાં મોટાભાગની મોટી મૂર્તિઓ ડુમસ અને હજીરાના ઓવારાઓ ઉપર વિસર્જિત કરવામાં આવશે.

22 તળાવોને સ્થાને દોઢ કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવ સાકાર કરી દીધા છે. આ કૃત્રિમ તળાવમાંથી વિસર્જીત થયેલી પ્રતિમાઓને હજીરા એસ્સાર જેટી ખાતે દરિયામાં લઈ જઈ વિસર્જિત કરાશે. તમામ કૃત્રિમ તળાવોમાં જે અંદાજે 68 લાખ લિટર જેટલું પાણી વપરાશે તેને પણ શુદ્ધ કરીને ઉપયોગમાં લેવા માટેનો દાવો કરાયો છે. 


આ ઓવારાઓ ઉપર કૃત્રિમ તળાવો પણ બનાવાયા છે
ચોકબજાર ડક્કાઓવારાના કૃત્રિમ તળાવ નદીના પાણીમાં ગરકાવ
તાપીનદીમાં પાણીનું લેવલ વધી જતાં ચોકબજારમાં ડક્કા ઓવારા પાસે મેરીટાઈમ બોર્ડ ઓફિસ બાજુમાં બનાવાયેલા બે કૃત્રિમ તળાવો તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. નાના વરાછામાં રામજી ઓવારા ઉપર પણ આવી સ્થિતિને લીધે આ વખતે તળાવ નથી બનાવાયા.
વિસર્જનને લીધે આ રસ્તાઓ ઉપર નહીં જઈ શકાશે
– દિલ્હીગેટથી ચોકબજાર સુધી બંને સાઈડ આવવા જવાનો રસ્તો વાહનો માટે બંધ
– વાય જંકશનથી ડુમસ તરફ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો બંધ રહેશે
– વેસુ ચારરસ્તાથી વાય જંકશન સુધીનો માર્ગ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો માટે બંધ
– ડુમસ લંગરથી મોટી બજાર ઓવારા જવાનો રસ્તો વાહનો માટે બંધ રહેશે
– હજીરા ONGC સર્કલ તરફથી સચીન જતા એરપોર્ટ જતા વાહનો સિવાયના વાહનો એસ.કે.નગર બ્રિજના બન્ને સાઇડના એપ્રોચ રોડથી જઈ શકશે નહીં

આ રસ્તાઓ વૈકલ્પિક રોડ તરીકે ઉપયોગ થઈ શકશે

– દિલ્હીગેટ ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેન્ડ, રિંગરોડ થઈ જઈ શકાશે. 
– ચૌટાબજારમાંથી ચૌટાપુલની નીચે થઈને નાણાવટ-શાહપોર તરફ જઈ શકાશે
– સુરત-ડુમસરોડ ઉપર વીઆર મોલ નજીક વાય જંકશનથી ઉધના મગદલ્લા રોડ થઈ શહેરમાં જઈ શકશે.
– વેસુ વીઆઇપી રોડથી થઈને આભવા તરફ જઈ શકાશે
– ડુમસમાં વિસર્જન બાદ ખાલી વાહનોને ડુમસ લંગર થઈને સુરત ડુમસ રોડ ઉપર લઈ જઈ શકાશે.
– હજીરા ONGC તરફથી સચિન તરફ તથા સચિનથી ઓએનજીસી સર્કલ હજીરા તરફ જતા વાહનો અને સચિનથી ઓએનજીસી હજીરા તરફ જતા વાહનો એસ.કે.નગર બ્રિજ ઉપરથી જઈ શકશે.

September 12, 2019
Tokyo-2020-Olympics.png
1min6440

૨૦૨૦ની સાલમાં જાપાનના પાટનગર ટોક્યોમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ માટેના હૉકની મૅચોને લગતા અમ્પાયરોની મહિલાઓની પૅનલમાં એક પણ ભારતીયનો સમાવેશ નથી કરાયો, પરંતુ પુરુષ અમ્પાયરોની પૅનલમાં બે ભારતીય અમ્પાયરોને સમાવવામાં આવ્યા છે જેમાં રઘુ પ્રસાદ અને જાવેદ શેખનો સમાવેશ છે. જે ત્રણ મેડિકલ ઑફિસરોને યાદીમાં સમાવાયા છે એમાંના એક (બિભુ નાયક) ભારતના છે.

ઑલિમ્પિક્સમાં હૉકીની મૅચો ૨૫ જુલાઈથી ૭ ઑગસ્ટ સુધી રમાશે.

September 12, 2019
modi_gifts.jpg
1min6530

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ગિફટ મળેલી છે, તે પૈકી ૨૭૦૦થી વધુ ગિફ્ટનું લિલામ ૧૯ ઑકટોબરે હાથ ધરાશે એમ સાંસ્કૃતિક ખાતાના પ્રધાન પ્રહલાદ પટેલે જણાવ્યું હતું. ૨૭૭૨ ગિફ્ટનું ઓનલાઈન ઓકશન કરાશે. જેનો લઘુતમ બેઝ ભાવ રૂ. ૨૦૦ અને મહત્તમ ભાવ રૂ. ૨.૫૦ લાખ છે.આ વર્ષના પ્રારંભમાં ૧૮૦૦થી વધુ ગિફ્ટનું ઓકશન કરાયું હતું.

હિમાચલના ગવર્નર તરીકે દત્તાત્રયે શપથ લીધા

સિમલા: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બંદારુ દત્તાત્રયે હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે શપથ લીધા હતા. તેઓ હિમાચલ પ્રદેશના ૨૭મા ગવર્નર બનશે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકારમાં તેઓ લેબર અને ઍમ્પ્લોયમેન્ટ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા. હિમાચલ પ્રદેશના અગાઉના ગવર્નર કલરાજ મિશ્રા હવે રાજસ્થાનના ગવર્નર છે.

September 11, 2019
CIA_Live_Logo_New2.jpg
2min5720

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર ભારતમાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત સુરતમાં હાલ જબરદસ્ત મંદીનો માહોલ છે અને સૌથી તીવ્ર મંદી હાલ રિયલ એસ્ટેટ એટલે કે બાંધકામ ક્ષેત્રમાં પ્રવર્તી રહી છે અને આ મંદી બેકાબૂ છે. અગ્રણી બિલ્ડરો તો ત્યાં સુધી કહે છે કે આ એક અનકન્ટ્રોલ્ડ માહોલ છે, કોઇ પેકેજ મંદી દૂર કરી શકે નહીં ફક્તને ફક્ત માનસિકતા, વિચારધારા બદલાશે તો જ સુરતનો બાંધકામ ઉદ્યોગ ફરી મંદીમાંથી બહાર આવશે અને તેને બહાર આવતા પણ સહેજેય બે-ત્રણ વર્ષ નીકળી જશે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની કઠિણાઇ જ એ છે કે તેમાં રિયલ વપરાશકર્તા ઓછા છે અને જે છે તેમની પાસે બિલ્ડરોને આપવાના બ્લેકના રૂપિયા નથી, વ્હાઇટના તો બેંકો ધિરાણ આપે જ છે.

તા.10મી સપ્ટેમ્બરે ક્રેડાઇના જક્ષય શાહ સુરત આવ્યા હતા. બિલ્ડરોએ કઇ રીતે ધંધો કરવો જોઇએ એ વિષય પર તેમણે કેટલાક નિવેદનો કર્યા. એક નિવેદન એ કર્યું કે ડાયરી પ્રથા બિલ્ડરોએ બંધ કરવી જોઇએ. ડાયરી પ્રથા એટલે બ્લેક મનીના હિસાબો.

એવું નથી કે ઘર, મકાન, ફ્લેટ ખરીદનારાઓ હવે માર્કેટમાં રહ્યા નથી. પરંતુ, અવાસ્તવિક ભાવોને કારણે ઉપરોક્ત પેન્સિલ ડ્રોઇંગની જેમ લોકો રાહ જોઇ રહ્યા છે કે ક્યારે ફ્લેટ, દુકાનો, મકાનોના ભાવો ઉતરે અને તેઓ લઇ શકે.

સુરતના અનેક બિલ્ડરો સાથે સી.આઇ.એ. લાઇવ એ વાત કરી પછી જે નિષ્કર્ષ મળ્યો તે અહીં રજૂ કરીએ છીએ.

બુકિંગ પહેલા 10, 20 લાખ રૂપિયા આપીને મોટો નફો કમાઇ લેવાની વૃતિએ ઇન્વેસ્ટરોને તો ભેરવ્યા, બિલ્ડરો પણ આસમાન સે ટપકા ખજૂર પે અટકા સ્થિતિમાં લાવી દીધા

હાલમાં રિયલ એસ્ટેટમાં પ્રવર્તમાન મંદી માટે જવાબદાર જો કોઇ પરિબળ હોય તો એ ઇન્વેસ્ટર્સ છે. એવા રોકાણકારો કે જેઓ પોતાના ધંધામાંથી સરપ્લસ મની લઇને અગર તો એવા ઇન્વેસ્ટર્સ કે જે ફ્લેટ, દુકાન, ઓફિસ, રો હાઉસ વગેરેમાં 10, 20 લાખ રૂપિયા બુકિંગ અગાઉથી રોકીને ટૂંકા ગાળામાં નફો રળી લેવાની વૃતિ ધરાવતા હોય એવા લોકોએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ એટલું ખરડી નાંખ્યું કે આજે ચાર ચાર બંગડીઓવાળી ગાડી લઇને ફરતા બિલ્ડરોએ ગ્રાહકોથી મોઢા છુપાવતા ફરવું પડી રહ્યું છે.

રિયલ એસ્ટેટમાં રિયલ રહેવાવાળા, રિયલ વપરાશકર્તા જ ગાયબ

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી રિયલ વપરાશકર્તાઓ જ ગાયબ થઇ ગયા અને એટલે જ ક્રેડાઇના ગુજરાત ચેરમેને કહેવું પડ્યું કે બાંધકામ ઉદ્યોગમાંથી બ્લેકના રૂપિયાનું ચલણ દૂર કરો, શક્ય એટલા વ્હાઇટના રૂપિયાથી ધંધો કરશો તો રિયલ યુઝર્સ, રિયલ વપરાશકર્તા, રિયલ રહેવાવાળા ફ્લેટ, દુકાન, ઓફિસ ખરીદશે કેમકે તેમને જેટલા વ્હાઇટના પેપર મળશે તેટલી લોન વધુ મળશે.

બ્લેકના રૂપિયા આપી આપીને ઇન્વેસ્ટરે મંદીમાં તો બિલ્ડરો કરતા પણ વધારે કમાઇ લીધું હતું હવે બાંધકામ ઉદ્યોગમાં તેમની જે હાલત હતી કે નહીં ઘરના (પોતાના ધંધાના) નહીં ઘાટના (બાંધકામ ઉદ્યોગના) ન રહ્યા, એમની હાલત નફો રળી લેવાની, કટકી કરી લેવાની હતી, એ વધુ લાલચે ભેરવાયા પરંતુ, બિલ્ડરોએ પણ તેમના દોરવાયા દોરવાઇને પ્રોજેક્ટો કર્યા આજે એ હાલત છે કે બાંધકામ ઉદ્યોગ બેકાબુ મંદીના દૌરમાં સપડાયો છે. બાંધકામ ઉદ્યોગમાં તેજીના સમયે ઇન્વેસ્ટરોએ જે ઘીકેળા કર્યા આજે બધું જ ઘસડાઇને પાછું ચાલ્યું જાય તેવી સ્થિતિ છે.

પ્રોજેક્ટમાં 10, 20 ટકા રૂપિયા રોકીને ટૂંકાગાળામાં નફો કમાઇ લેવાની વૃતિ વાળા ઇન્વેસ્ટરોએ હવે પ્રોજેક્ટસમાં પાર્ટ પેમેન્ટ કર્યા પછી બિલ્ડરો, ડેવલપર્સને રૂપિયા આપવાનું બંધ કરી દેતા બિલ્ડરોના પ્રોજેક્ટ પણ ઘોંચમાં પડ્યા છે. જેમ આંખ, નાક, કાન જડેલા હોય એ રીતે ઇન્વેસ્ટરો સાથે સંકળાયેલા બિલ્ડરો ગ્રાહકોને જે રીતે પેમેન્ટ માટે દમ મારતા હોય તે રીતે ઇન્વેસ્ટરોને મારી શક્તા નથી અને તેને કારણે બિલ્ડરોના પ્રોજેક્ટ ઠપ થવા માંડ્યા છે.

ઇન્વેસ્ટરોએ જ બ્લેકના રૂપિયાનું ચલણ વધારીને બાંધકામ ઉદ્યોગને અત્યાર સુધી બ્લેક એન્ડ વ્હાઇટમાં રાખ્યો, હવે ઇન્વેસ્ટરોની બિલ્ડરોના ખભે બંદૂક મૂકીને કમાઇ લેવાની વૃતિ બંધ થશે. પહેલા ઇન્વેસ્ટરોના રૂપિયાથી જ ધંધો શરૂ કરતા બિલ્ડરો હવે મંદીના સમયમાં ઇન્વેસ્ટરોને કશું કહી શકતા નથી.

ઇન્વેસ્ટરો પાસેથી બ્લેકના રૂપિયા મળતા હોઇ, બિલ્ડરોએ અત્યાર સુધી 25 ટકા વ્હાઇટ 75 ટકા બ્લેકથી ધંધો કર્યો હતો આજે 40 ટકા વ્હાઇટ 60 ટકા બ્લેક અને છેલ્લે 50 ટકા વ્હાઇટ 50 ટકા બ્લેક સુધી પહોંચ્યા છે.

કોણ કોણ આવે છે ઇન્વેસ્ટર્સમાં

  • એન.આર.આઇ.
  • ડાયમંડ ઉદ્યોગપતિઓ
  • ડોક્ટરો
  • ખેડૂતો
  • ફાઇનાન્સરો
  • બિન નિવાસી ગુજરાતીઓ ખાસ કરીને મુંબઇ નિવાસીઓ
  • રાજકારણીઓ
  • મેનેજમેન્ટ લેવલના પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ
  • સરકારી અધિકારીઓ
  • જમીન, મકાન, ઓફિસ લેવેચ કરતા દલાલો

ઉપરોક્ત ઉપરાંત એવા લોકો જેમની પાસે સરપ્લસ રૂપિયા ઘરમાં કે અન્યત્ર રોકાણમાં હતા એ લોકોએ તેજીના સમયમાં રૂપિયા રિયલ એસ્ટેટમાં નાંખ્યા અને કમાયા પણ ખરા, પણ હવે તેમણે જે ટેવ પાડી હતી એ ટેવ બિલ્ડરોને નડી રહી છે.

કેટલાક દલાલો રૂપિયા શું કમાયા પોતે જ ઇન્વેસ્ટર બની ગયા હતા હવે ભેખડે ભેરવાયા

સુરતના રિયલ એસ્ટેટમાં જ્યારે તેજી હતી ત્યારે કેટલાક ગણ્યા ગાંઠ્યા (બધા નહીં) દલાલો હજારોપતિમાંથી કરોડોપતિ બની ગયા હતા. એવા દલાલોએ પોતાની પાસે ઉભી થયેલી મૂડીને તેજીના સમયમાં ફ્લેટ, મકાન, દુકાનમાં રોકવા માંડી હતી, એ ટ્રેન્ડ એવો ચાલ્યો કે દલાલી કરનારા મોટાભાગના પોતે જ ઇન્વેસ્ટર બનવા માંડ્યા. એવા દલાલો ભેગા થઇને 10, 20 ટકા રોકીને એવી લાલચે ઇન્વેસ્ટ કરતા કે બે-પાંચ મહિનામાં વધુ ભાવ મળે એટલે ફટકારી મારીશું, એ બે-પાંચ મહિના હવે વર્ષોમાં કન્વર્ટ થવા માંડ્યા છે અને દલાલોએ ઉભી કરેલી મહામૂલી કેપિટલ પણ બાંધકામ ઉદ્યોગમાં ચટણી થઇને ભેરવાય ગઇ છે.

જેટલા વ્હાઇટના રૂપિયા લેવાશે એટલા રિયલ યુઝર વધુ મળશે

બિલ્ડર એસોસીએશનના પ્રમુખ જક્ષય શાહ કહે છે કે પૂરેપૂરા વ્હાઇટથી ધંધો કરવાવાળાની મિલકતો પણ વેચાઇ રહી છે, સુરતના બિલ્ડરોએ ડાયરી પ્રથા એટલે કે બ્લેક મનીનું માર્જિન દૂર કરવું જ પડશે. જો બ્લેક મનીનું માર્જિન દૂર કરવામાં આવશે તો આપોઆપ ઇન્વેસ્ટરોનો એકડો નીકળી જવાનો છે એમાં બે મત નથી. રિયલ એસ્ટેટના ધંધામાં ઓફિસ, દુકાન, મકાન, ફ્લેટ, રો હાઉસ લેવા માટે રિયલ યુઝર્સ, ખરો વપરાશકર્તા ત્યારે જ ખરીદવા માટે આવશે કે જ્યારે તેને વ્હાઇટની અમાઉન્ટ વધુ ચૂકવવાની થશે. જેટલી વ્હાઇટની અમાઉન્ટ વધુ તેટલી લોન વધુ મળશે એટલે રિયલ એસ્ટેટમાં રિયલ વપરાશકર્તાને આકર્ષવા માટે બિલ્ડરોએ ડાયરી પ્રથા બંધ કરવી જ પડશે.

સુરતે તેજી પણ વધુ જોઇ એટલે મંદી પણ વધુ આકરી જોઇ રહ્યું છે

બાંધકામ ઉદ્યોગમાં એવું નથી કે બધે જ મંદી છે. સુરતની સરખામણીમાં વડોદરા કે અમદાવાદ કે મુંબઇ, બેંગ્લોર જેવા શહેરોમાં સુરત જેટલી અસહ્ય પરિસ્થિતિ નથી. સુરતે, સુરતના બિલ્ડરોએ તેજીમાં પણ મબલખ કમાણી રળી એટલે મંદીમાં પણ વધુ માર ખાઇ રહ્યા છે. સુરત સિવાયના શહેરોમાં બિલ્ડરો હવે ધંધો વ્હાઇટની અમાઉન્ટ પર કરવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં પણ ઘણાં બિલ્ડરોએ સમયવર્તે સાવધાન રૂએ વ્હાઇટમાં રૂપિયા લેવાનું શરૂ કર્યું છે.

Note : અહીં અમે રેરા, મ્યુનિ. કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ, જીએસટી વગેરેની ચર્ચા જ કરી નથી, એના પ્રશ્નો તો બિલ્ડરોને કનડી રહ્યા છે જ

September 11, 2019
vidya_mangal.jpg
1min13830

બે દાયકાની સફરના આરે આવીને ઉભેલી 2020માં જે 20 વર્ષ પૂર્ણ કરી રહી છે એ કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત કામરેજના ધોરણપારડી ખાતે આવેલી વિદ્યામંગલ નિવાસી શાળાને ગઇ તા.10મી સપ્ટેમ્બર 2019ના રોજ નવી દિલ્હીના ગુડગાંવ ખાતે યોજાયેલા ઇન્ડીયા સ્કુલ એવોર્ડસના દબદબાભર્યા સમારોહમાં ભારતની ટોપ ટ્વેન્ટી મોસ્ટ ઇન્સ્પીરેશનલ સ્કુલનો એવોર્ડ એનાયત કર્યો છે. સંસ્થાના યશસ્વી સુકાની શ્રી અરવિંદભાઇ પટેલ અને તેમની ટીમે જ્યારે આ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે સંસ્થાની સ્થાપના પાછળ રહેલા ઉમદા હેતુઓ ચરિતાર્થ થયાની અનુભૂતિ કરી હતી. હજુ ગયા વર્ષે જ બેંગ્લોર ખાતે યોજાયેલા સમારોહમાં વિદ્યામંગલ નિવાસી શાળાને બેસ્ટ રેસિડેન્સીયલ સ્કુલનો એવોર્ડ મળી ચૂક્યો છે.

તા.10મી સપ્ટેમ્બર 2019ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ડિયા સ્કુલ એવોર્ડસના દબદબાભર્યા સમારોહમાં સુરત નજીક કામરેજના ધોરણપારડી ખાતે આવેલી કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળાને ભારતની ટોપ ટ્વેન્ટી બેસ્ટ ઇન્સ્પીરેશનલ સ્કુલ પૈકીની એક તરીકેનો એવોર્ડ મળ્યો હતો. સંસ્થાના સુકાની શ્રી અરવિંદભાઇ પટેલ તેમજ ટીમે ઉત્સાહભેર એવોર્ડ સ્વીકાર્યો હતો.

શાળા એવી હોય જે વિદ્યાર્થીઓને અભ્યાસ સમેત કંઇક નવું સંશોધનાત્મક, કંઇક નવું પ્રેરણાત્મક કંઇક ઉમદા કરવાની પ્રેરણા આપે. અભ્યાસ સાથે વિદ્યાર્થીને માનવ બનાવે, અભ્યાસ સાથે વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ સાધે. આ તમામ ગુણોમાં બિલકુલ પોતાની રીતે, પોતાની પદ્ધતિથી વિકાસના માર્ગે આગળ વધી રહેલી સુરત નજીકના કામરેજના ધોરણ પારડી સ્થિત કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળાની સિદ્ધિઓમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે અને આ મોરપીચ્છ ઇન્ડીયા સ્કુલ એવોર્ડસમાં મળેલી શ્રેષ્ઠ પ્રેરણાદાયી શાળા તરીકેનું છે.

નફાખોરીથી બિલકુલ વિપરીત પોતાનામાંથી વધુ ઉમેરીને કુશળ સંચાલન કરી રહેલા કડવા પાટીદાર કેળવણી મંડળના મેનેજમેન્ટની સક્રીય ભૂમિકા, કુશળ નેતૃત્વ અને પ્રેરણાત્મક આશીર્વચનને કારણે વિદ્યામંગળ નિવાસી શાળા દિન દૌગૂની રાત ચૌગૂની પ્રગતિ સાધી રહી છે.

અમારા બાળકોની આવતીકાલને બહેતર બનાવવા માટે અમે આજે પુરુષાર્થ કરીએ છીએ : અરવિંદભાઇ પટેલ

સંસ્થાના સુકાની એવા શ્રી અરવિંદભાઇ પટેલ કહે છે કે અમારી સ્પર્ધા કોઇ સંસ્થા સાથે નથી, અમારી સ્પર્ધા અમારી સાથે જ છે. અમે ગઇકાલે જે હતા, તેનાથી આજે બહેતર બનવા મથીએ છીએ અને આજે જે છીએ તેનાથી આવતીકાલ અમારી બહેતર હશે, અમારા બાળકોની બહેતર આવતીકાલ માટે અમે આજે પ્રયાસો કરીએ છીએ।

September 11, 2019
truck-lungi_201909115228.jpg
1min12870

ભારતમાં હાલ સૌથી વધુ ચર્ચા જો કોઇ મુદ્દાની થઇ રહી હોય તો એ નવા ટ્રાફિક રૂલ્સની છે. ઉત્તર પ્રદેશથી એક એવી વાત પણ ચર્ચાસ્પદ બની છે કે ટ્રક ડ્રાઇવરો કે તેમના ક્લીનરો કે સહાયકો જો લૂંગી, બનિયાન પહેરીને ટ્રક ચલાવતા દેખાશો તો તેમની પાસેથી નવા મોટર વ્હીકલ એક્ટ અન્વયે રૂ.2000નો દંડ વસૂલ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં તો લૂંગી ટ્રક ડ્રાઇવરો પાસેથી બે-બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરી દેવાતા ટ્રાન્સપોર્ટસે હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

હજીરામાં હજારો ટ્રક ડ્રાઇવરોનો જમાવડો થાય છે ત્યાં હાલ લૂંગી ડ્રાઇવરોમાં મુદ્દો ભારે ચર્ચાસ્પદ

આગામી તા.16મી સપ્ટેમ્બર 2019થી ગુજરાતમાં પણ નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ થવાનો છે ત્યારે સુરત શહેર નજીક હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભારે હડકંપ મચી જાય તો નવાઇ નહીં. કેમકે હજીરામાં આવેલી મહાકાય કંપનીઓમાં માલની હેરફેર માટે 10 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોની અવરજવર સાપ્તાહિત રીતે જોવાય છે અને હજીરા આવતા જતા મોટાભાગના ટ્રક ડ્રાઇવરો, ક્લીનરો, તેમના સહાયકો લૂંગી બનિયાનમાં જ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ત્રણેક દિવસથી લૂંગી ધારી ટ્રક ડ્રાઇવરોમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આવા લૂંગીધારી ટ્રક ડ્રાઇવરો જોવા મળશે બે હજારનો દંડ ભરવો પડશે

ઉત્તર પ્રદેશ રાજ્યના કોઈ પણ વેપારી વાહનોના ચાલકો અને સહાયકોએ લુંગી અને બનિયાન પહેરીને ગાડી ચલાવતાં પકડાય તો તેમણે ૨૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

મોટર વાહન (એમવી) અધિનિયમના નવા કાયદા અનુસાર ડ્રાઇવરોને ડ્રેસકોડનું પાલન કરવાનું હોય છે, પરંતુ હજી સુધી એને કડકાઈ સાથે લાગુ કરવામાં આવ્યો નથી. હવે એના પર કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

ચાલકોએ ફુલ-લેન્ગ્થ પૅન્ટ અને શર્ટ અથવા ટીશર્ટ પહેરીને જ ગાડી ચલાવવી પડશે. એ સિવાય ચંપલ કે સૅન્ડલ પહેરીને અથવા ઉઘાડા પગે ગાડી ચલાવી શકાશે નીં. તેમણે જૂતાં પહેરવાં અનિવાર્ય છે. નવા પ્રાવધાન અનુસાર આ નિયમ તમામ સ્કૂલ વાહનોના ડ્રાઇવરો પર લાગુ થશે. સ્કૂલના બસ-ડ્રાઇવરોએ વર્દી પહેરવી અનિવાર્ય છે.

શું છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ડ્રાઇવરો માટેનો નિયમ?

મોટર વ્હીકલના નવા એક્ટ અનુસાર ડ્રેસકોડ ૧૯૩૯થી એમવી અધિનિયમનો ભાગ છે અને ૧૯૮૯માં અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યું હતું. એના ઉલ્લંઘન માટે ૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. હવે એમવી ઍક્ટ ૨૦૧૯ની કલમ- ૧૭૯ અંતર્ગત ડ્રેસકોડનું ઉલ્લંઘન કરવા બદલ ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ સ્કૂલના ડ્રાઇવરોને પણ લાગુ છે.

September 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6780

પરિવારના સભ્યોને વીમાની પચાસ લાખ રૂપિયાની રકમ મળે અને તેઓ બાકીની જિંદગી આરામદાયક રીતે વીતાવી શકે તે માટે રાજસ્થાનના ભાલવાડા જિલ્લામાં એક માણસે પોતાની જ હત્યા કરાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રૂપિયાનું ધિરાણ આપવાનો વેપાર કરતા બલબીર ખારોલ (૩૮)એ દેવામાં હોવાને કારણે આવો અંતિમ નિર્ણય નહોતો લીધો, પરંતુ તેણે જે લોકોને રૂપિયા ઉધાર આપ્યા હતા તે પાછા વસૂલ કરવામાં તેને મળેલી નિષ્ફળતાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો, એમ પોલીસે કહ્યું હતું.

એ વ્યક્તિનો ફાઇલ ફોટો જેણે પરિવારને 50 લાખના વીમાની રકમ મળે એ માટે પોતાની જ હત્યા કરાવી નાંખી

રાજસ્થાનના ભીલવારાના બલબીર ખારોલ, જે ફાઇનાન્સનો ધંધો કરતા હતા.

એસપી હરેન્દ્ર મહાવરે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ખારોલની હત્યાને મામલે સોમવારે ધરપકડ કરાયેલા બે આરોપી રાજવીર સિંહ અને સુનીલ યાદવે પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે ખારોલે પહેલા પોતાના મૃત્યુ માટે અકસ્માતનો માર્ગ પસંદ કર્યો હતો, પરંતુ બાદમાં તેને તે બચી જશે એવી શંકા જાગી હતી.

આ એકદમ સાધારણ બાબત છે, પરંતુ હત્યાના આરોપીઓએ જ આ કબૂલ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ખારોલે જુદા જુદા લોકોને કુલ મળીને રૂ. ૨૦ લાખ ઉધાર આપ્યા હતા, પરંતુ આ રકમ તેમની પાસેથી વસૂલવામાં તે નિષ્ફળ રહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

ત્યાર બાદ ખારોલે પોતાની જ હત્યાની યોજના ઘડી કાઢી હતી જેથી કરીને પરિવારજનોને વીમાની રકમ મળી રહે અને તેઓ આરામદાયક રીતે જિંદગી વીતાવી શકે. ખારોલે એકાદ મહિના અગાઉ ખાનગી કંપની પાસેથી વીમો ઉતરાવ્યો હતો અને પ્રથમ હપ્તો ભરી દીધો હતો. ત્યાર બાદ તેણે પોતાની હત્યા માટે સિંહ અને યાદવનો સંપર્ક સાધ્યો હતો અને એ કામ બદલ તેમને રૂ. ૮૦૦૦૦ આપવાનું વચન આપ્યું હતું.

80000માં બલબિરની હત્યા કરનાર આરોપીઓ પકડાયા

યોજના મુજબ બે સપ્ટેમ્બરે ખારોલે ઍડવાન્સ રકમ પેટે બંને આરોપીને રૂ. ૧૦૦૦૦ આપ્યા હતા અને તેમની સાથે અવાવરું જગ્યાએ ગયો હતો અને તેમને કહ્યું હતું કે બાકીની રકમ મેં મારા ખિસ્સાંમાં રાખી છે જે તમે મારી હત્યા કર્યા બાદ લઈ લેજો.