સરકારી બેંકોના મર્જર સામે હડતાળ, 26થી 29 સપ્ટેમ્બર 4 દિવસ બેંકો બંધ રહેશે
10 સરકારી બેન્કોના કરવામાં આવી રહેલા મર્જર સામે બેન્કિંગ સેક્ટરના ટ્રેડ યૂનિયન સંગઠનોએ આગામી તા. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ પાડીને કામથી અળગા રહેવાનું એલાન કર્યું છે. સરકારી બેંકોના મોટા ભાગના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. યૂનિયને સરકાર સમક્ષ 8 માગો મૂકી છે.
મર્જરના વિરોધમાં બેન્ક કર્મચારીઓની હળતાળના કારણે ચાલુ માસ દરમિયાન 4 દિવસ બેંકોમાં કામકાજ ઠપ થઇ જશે કેમકે 26-27 સપ્ટેમ્બર બે દિવસ હડતાળ, 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને એ પછી રવિવારની રજા એમ સળંગ 4 દિવસ એટલે કે ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે બેન્કોમાં રજા રહેશે.
ટ્રેડ યૂનિયને પ્રદર્શનના ભાગરૂપે અનિશ્ચિકાળ સુધી આ હડતાળ કરવાની પણ ચેતવણી આપી છે.
મર્જર-1માં પંજાબ નેશનલ બેન્કમાં યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કનું મર્જર. મર્જર-2માં કેનેરા બેન્કમાં સિન્ડિકેટ બેન્ક મર્જ થશે. મર્જર-3માં યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંન્ધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક એક થઈ જશે. મર્જર-4માં ઈન્ડિયન બેન્કમાં ઈલાહાબાદ બેન્ક નું મર્જર થશે. મર્જરની જાહેરાત પછી હવે દેશમાં 12 પબ્લિક સેક્ટર બેન્ક જ રહેશે. 2017માં 27 પબ્લિક સેક્ટર બેન્કો હતી. આ મર્જર પછી માત્ર 4 બેન્કનું અસ્તિત્વ રહેશે. એટલે કે 6 બેન્ક એકબીજામાં મર્જ થઈ જશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now