Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત રાજ્યના ૨.૪૨ કરોડ રેશનિંગ કાર્ડનું કોમ્પ્યુટરાઇઝેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
નેશનલ ફૂડ સેફટી ઍક્ટ અંતર્ગત આશરે ૪૩.૫ લાખ તેમ જ ૩૫.૯૪ લાખ ખેડૂતોના રેશનિંગ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. રાશનની દુકાનમાંથી નબળા વર્ગના દરેક લોકોને સૌથી ઓછા દરે અનાજ મળી રહે તે માટે સરકારે રેશનિંગ કાર્ડ સાથે આધાર જોડવામાં આવ્યું હતું.
૧.૨૯ કરોડ પરિવારો બાયોમેટ્રિક પદ્ધતિથી રેશનિંગની દુકાનમાં આધાર સહિત રાશનકાર્ડનો વપરાશ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ૧૦ લાખ અનધિકૃત તેમ જ બે રેશનિંગ કાર્ડ ધરાવતા લોકોની શોધ મુહિમ ચાલુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. . છેલ્લાં બે વર્ષમાં પીઓએસ પદ્ધતિથી અન્ય ધાન્ય વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી ૧૦ ટકાની બચત થઇ છે, તેમ જ મુંબઇ-થાણે ક્ષેત્રમાં કેરોસિન વિતરણમાં ૩૦ ટકા ઘટાડો થયો હોવાનું પણ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં ટ્રાફિક ભંગના ગુનામાં કેન્દ્ર સરકારે નિયત કરેલી દંડની રકમમાં રાજ્ય સરકારે કેટલોક સુધારો કરીને આજે તા.10મી સપ્ટેમ્બર 2019ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા નિયમો અને દંડની રકમ જાહેર કરી છે. જે નીચે મુજબ છે. આ નિયમોનો અમલ તા.16મી સપ્ટેમ્બર 2019થી કરાવવામાં આવશે.
સાઉથ ગુજરાત કો.ઓ. બેંક એસોસીએશન દ્વારા દર વર્ષે યોજવામાં આવતો કો.ઓ. બેંક એવોર્ડ સમારોહ ગઇ તા.9મી સપ્ટેમ્બર 2019ના રોજ સિક્કીમના ગેંગટોક ખાતે યોજવામાં આવ્યો હતો. જુદી જુદી કેટેગરીમાં આપવામાં આવેલા એવોર્ડ અંગેની માહિતી આ મુજબ છે.
દ.ગુ.ની મોટામાં મોટી સહકારી બેંકોના ક્ષેત્રમાં
ટોટલ બિઝનેસ ગ્રોથ એક્સપાન્સનમાં
પ્રથમ ક્રમે પ્રાઇમ કો.ઓ.બેંક
ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો.ઓ. બેંક
સેકન્ડ રનર અપ સ્થાને સુટેક્ષ કો.ઓ. બેંક
ફાઇનાન્સીયલ સ્ટેબિલટીમાં
સુરતની વરાછા કો.ઓ. બેંક લિ.ને તાજેતરમાં સિક્કીમના ગેંગટોક ખાતે યોજાયેલા સ્કોબા એવોર્ડ સેરેમનીમાં દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ધરાવતી તેમજ પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટમાં અવ્વલ દરજ્જાની બેંકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બેંકના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા તેમજ અન્ય પ્રતિનિધિઓએ આ એવોર્ડ સ્વીકાર્યો એ વેળાની તસ્વીર
પ્રથમ સ્થાને વરાછા કો.ઓ. બેંક લિ.
ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો.ઓ. બેંક
સેકન્ડ રનર અપ સ્થાને કોઇ નહીં.
પ્રોફિટેબિલીટી મેનેજમેન્ટમાં
પ્રથમ સ્થાને વરાછા કો.ઓ. બેંક લિ.
સેકન્ડ રનર અપ સ્થાને પ્રાઇમ કો.ઓ. બેંક લિ.
સુટેક્ષ કો.ઓ. બેંક લિ.
પબ્લિક રિલેશન અને સોશ્યલ એક્ટિવિટીમાં
પ્રથમ ક્રમે પ્રાઇમ કો.ઓ. બેંક
ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો. ઓ. બેંક
દ્વિતિય રનર અપ સ્થાને વરાછા કો.ઓ. બેંક
દક્ષિણ ગુજરાતની લાર્જ કો.ઓ. બેંક ક્ષેત્રમાં
ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્સન
પ્રથમ ક્રમે સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંક
ફર્સ્ટ રનર અપ ક્રમે સુરત નેશનલ કો.ઓ. બેંક
સેકન્ડ રનર અપ ક્રમે સર્વોદય સહકારી બેંક
ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ક્ષેત્રમાં
પ્રથમ ક્રમે સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંક
ફર્સ્ટ રનર અપ ક્રમે સુરત નેશનલ કો.ઓ. બેંક
પ્રોફિલેટેબિલટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં
પ્રથમ ક્રમે ભીલવાડા પીપલ્સ કો.ઓ. બેંક લિ.
ફર્સ્ટ રનર અપ સ્થાને સર્વોદય સહકારી બેંક લિ.
પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ એક્ટિવિટી ક્ષેત્રમાં
પ્રથમક્રમે સર્વોદય સહકારી બેંક
ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત નેશનલ કો.ઓ. બેંક
દક્ષિણ ગુજરાતની મધ્યમ સ્તરની કો.ઓ. બેંક
ટોટલ બિઝનેસ એક્સપાન્સન ક્ષેત્રમાં
પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
ફર્સ્ટ રનર અપ સ્થાને અખંડઆનંદ કો.ઓ. બેંક
સેકન્ડ રનર અપ સ્થાને એસોસીએટ કો.ઓ. બેંક
ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ક્ષેત્રમાં
પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
ફર્સ્ટ રનર અપ સ્થાને બારડોલી નાગરીક સહકારી બેંક
પ્રોફિટેબિલીટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં
પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
ફર્સ્ટ રનર અપ સ્થાને વલસાડ મહિલા નાગરીક બેંક
પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ક્ષેત્રમાં
જૂન મહિનો અડધો વીતી ગયો હતો ત્યારે રાજ્યભરમાંથી એવી બૂમો ઉઠી હતી કે આ વખતે દુકાળજનક સ્થિતિ સર્જાશે અને બે જ મહિનાના સમયગાળામાં વરસાદે એવો દેકારો મચાવ્યો કે અગાઉના વર્ષોના વરસાદના તમામ આંકડાઓ ધોઇ નાંખ્યા. રાજ્યના 22 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. હજુ કહેવાય છે કે નવરાત્રી સુધી વરસાદ ઝીકાવાનો છે. વિચારી રાખજો શું પરિસ્થિતિ થશે. અહીં ગુજરાતના તાલુકવાર કુલ વરસાદના આંકડા પ્રસ્તુત છે, આ પણ આપને માટે જાણવું જરૂરી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં –
Gujarat : ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ
ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા,
છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા,
કચ્છમાં ૧૪૦.૯૯ ટકા,
જામનગરમાં ૧૩૭.૪૭ ટકા,
બોટાદમાં ૧૩૫.૩૩ ટકા,
મોરબીમાં ૧૩૨.૧૫ ટકા,
નર્મદામાં ૧૨૪.૫૭ ટકા,
વલસાડમાં ૧૨૦.૨૦ ટકા,
સુરતમાં ૧૧૯.૯૨ ટકા,
સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા,
પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા,
રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા,
નવસારીમાં ૧૧૦.૧૮ ટકા,
ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા,
જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા,
આણંદમાં ૧૦૬.૪૯ ટકા,
તાપીમાં ૧૦૬.૪૫ ટકા,
વડોદરામાં ૧૦૩.૩૪ ટકા,
દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને
ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.
જળાશયોનું લેટેસ્ટ વોટર લેવલ
રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. રાજ્યના ૭૨ જળાશયો છલકાયા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે. રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે.
સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે.
ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે.
વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે.
કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે.
દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે.
આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે.
હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે
ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં જણાવ્યું છે.
ઇસ્લામ એટલે હિજરી સનનો પહેલો મહિનો મહોરમ છે. ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.
કરબલા અત્યંત દુ:ખદ ઘટના છે. લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.
ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.
સુરતમાં 300થી વધુ કલાત્મક તાજીયાનું ઝુલુસ નીકળશે
સુરતમાં દાયકાઓ જુની પરંપરા મુજબ આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કલાત્મક તાજીયા નીકળશે અને રાજમાર્ગ પર ભાગળ ખાતે પહોંચશે અને ત્યાંથી મેઇન ઝુલુસ નીકળશે એમ તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણીએ જણાવ્યું હતું. જે તે પોલીસ મથક વિસ્તારના તાજીયા હોલ્ડર્સને કેટલીક આચારસંહિતા અંગે જાણકારી આપીને તેનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણી સાથે તાજીયા હોલ્ડર બિરાદરોની તસ્વીર
દરમિયાન સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી શ્રી
અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે મોતી ટોકીઝ પાસે તાજીયા કમિટીનો એક
કન્ટ્રોલ ટાવર કાર્યરત કરવામાં આવ્યો છે. વર્ષે અંદાજે 350 જેટલા તાજીયા માટે
પરમિટ ઇશ્યુ કરવામાં આવી છે. જેમાં તાજીયા અને સવારી ઉપરાંત દુલદુલ તેમજ પરી અને
પાણીની પરબનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આજરોજ તા.10મી સપ્ટેમ્બરને મંગળવારે સાંજે 5
કલાકથી તાજીયા ઝુલુસ પૂરું થાય ત્યાં સુધી તાજીયા કમિટીના સભ્યો સેવા આપશે. આજે
યવમે આશુરાના દિવસે સલાબતપુરા વિસ્તારના તીજાયા સ્થળ પરથી નીકળી મોતી ટોકીઝ પાસે
ભેગા થશે. મહીધરપુરાના તાજીયાઓ મોતી ટોકીઝ પાસે ભેગા થશે. લિંબાયતના તાજીયા પણ
મોતી ટોકીઝ પાસે એકત્ર થશે અને ત્યાંથી પાણીની ટાંકી થઇ રાજમાર્ગ પર મુખ્ય
ઝુલુસમાં જોડાશે.
તેવી જ રીતે અઠવા પોલીસ મથકના, સચીન પોલીસ મથકના,
ઉધના પોલીસ મથકના, પાંડેસરા પોલીસ મથકના, ખટોદરા પોલીસ મથક વિસ્તારના તાજીયાઓ
નવસારી બજાર એકત્ર થઇ ઝુલુસ રૂપે ડી.કે.એમ. હોસ્પિટલ, એરઇન્ડિયા, કોટસફિલ રોડ થઇ
ભાગળ ચાર રસ્તાથી ઝુલુસમાં જોડાશે.
ચોક પોલીસ મથક વિસ્તારના તાજીયા કાંસકીવાડ ચાર
રસ્તા થઇ ગોળવાલા ચકલા, રુવાલા ટેકરા થઇ, પારસી શેરી થઇને રાજમાર્ગના મુખ્ય
ઝુલુસમાં જોડાશે.
રાંદેર અને અમરોલી પોલીસ મથક વિસ્તારના તાજીયા
પોતાના જ વિસ્તારોમાં નીકળશે.
સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણી સાથે તાજીયા હોલ્ડર બિરાદરોની તસ્વીર
તાજીયા કમિટીએ આજે મુખ્ય ઝુલુશ શાંતિપૂર્ણ રીતે
અને કોમીએખલાસભર્યા માહોલમાં નીકળે એ માટે આચારસંહિતાઓ ઘડી છે, તાજીયા પરમીટ
હોલ્ડરોને તેનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે.
તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા
એમબીબીએસના છાત્રોમાં પ્રોફેશનલિઝમ અને સિદ્ધાંતો અંગેની ઉંડાણપૂર્વકની સમજ કેળવાય
તેમજ એક તબીબ તરીકે સમાજ પ્રત્યે તેમનું ઉત્તરદાયિત્વ કેવી રીતે અદા કરી શકાય એ
માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આજે એક મહિનાનો ફાઉન્ડેશન કોર્સ લોંચ કર્યો છે. MBBSમાં
અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
નીતિ આયોગના સભ્ય અને એમ.સી.આઇ.ના ચેરમેન વીકે
પૉલ એ જણાવ્યું હતું કે….
As part of the Professionalism and Ethics module, students
will also learn about disability rights, disability etiquettes while addressing
patients with disabilities along with medical and social models of disability.
Professional attributes such as accountability, altruism, empathy, compassion
and humanism will be extensively discussed.
To orient the students to the care delivery system, field
visits to community and primary health centres along with interactions with
health care workers, patients and their families have also been incorporated in
the course. A module on sports and extracurricular activities has been
integrated, with 4 and 2 hours per week allocated for sports and
extracurricular activities, respectively, to make the students understand the
work-life balance.
એમબીબીએસના અભ્યાસક્રમમાં સુધારણાના ભાગરૂપે જ
દેશમાં એમબીબીએસ કોર્સમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ફરજિયાત
બનાવવામાં આવ્યો છે અને ચાલુ વર્ષથી જ તેનો અમલ કરવામાં આવશે.
તબીબી જગતમાં કાર્યરત વ્યવસાયિકો માટે જરૂરી છે
કે તેઓ જ્યાં જે વિસ્તારમાં હોય ત્યાં એ વિસ્તારની સ્થાનિક ભાષાની જાણકારી આવશ્યક
છે અને એના વગર અસરકારક રીતે સારવાર, નિદાન સંભવ નથી. એટલા માટે જ ફાઉન્ડેશન
કોર્સમાં લોકલ લેંગ્વેજને શીખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ
એમ.બી.બી.એસ. અભ્યાસ માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે અને ત્યાં તેમની
માતૃભાષાથી અલગ ભાષા બોલાતી હોય છે, આવા વિદ્યાર્થીઓને લોકલ ભાષા શીખવાડવામાં
આવશે.
સુરતના અમરોલી વિસ્તારમાં જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ. શાહ એન્ડ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજમાં તાજેતરમાં નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (એન.એ.એ.સી.) (નાક) દ્વારા હાથ ધરવામાં આવેલા ઇન્સ્પેકશન બાદ કોલેજને બી પ્લસ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કોઇ કોલેજે સતત ત્રીજી સાઇકલમાં નાક એસેસમેન્ટ કરાવ્યું હોય તેવી પહેલી કોલેજ અમરોલી કોલેજ બની છે.
શહેરના અમરોલી વિસ્તારમાં કાર્યરત જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજમાં ગઇ તા.6 અને 7 સપ્ટેમ્બર 2019ના રોજ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (એન.એ.એ.સી., નાક)ની ટીમ મૂલ્યાંકન માટે આવી હતી. સતત ત્રીજી સાઇકલમાં અમરોલી કોલેજ દ્વારા મૂલ્યાંકન કરાવાયું હતું. નાક એક્રેડિટેશન કાઉન્સિલના મૂલ્યાંકનના અંતે જાહેર થયેલા પરીણામમાં અમરોલી કોલેજને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ રેન્ક મળ્યો છે. હજુ સુધી નાક રેટિંગ્સમાં સતત ત્રીજી સાઇકલ માટે કોઇ કોલેજ સજ્જ નથી ત્યારે અમરોલી કોલેજે ત્રીજા મૂલ્યાંકનમાં 2.94 સ્કોર સાથે બી પ્લસ પ્લસ ગ્રેડ મેળવ્યો છે.
અમરોલી કોલેજના યશસ્વી આચાર્ય ડો.કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે સતત ત્રીજા નાક એસેસેમેન્ટ સાઇકલ અને સીજીપીએ પ્રમાણે ગુજરાત રાજ્યમાં અમરોલી કોલેજ ત્રીજા ક્રમે આવે છે. એ પણ સુરત સમેત દક્ષિણ ગુજરાત માટે સિદ્ધિ સમાન છે.
શું છે નાક N.A.A.C. રેટિંગ્સ?
નાક રેટિંગ્સ એ એક ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં કેન્દ્ર સરકારની એપેક્ષ બોડી દ્વારા કરવામાં આવતા મૂલ્યાંકન બાદ સર્વાંગી રીતે જે તે સંસ્થાને આપવામાં આવતું રેટિંગ્સ છે. નાક એટલે એન.એ.એ.સી., નેશનલ એક્રેડીટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ. નાક રેટિંગ્સ તમામ કોલેજો માટે ફરજિયાત છે. યુજીસીએ તો ત્યાં સુધીના સરક્યુલર જારી કર્યા છે કે નાક રેટિંગ્સ નહીં હોય તેવી કોલેજ કે યુનિવર્સિટીને ગ્રાન્ટસ નહીં ફાળવવામાં આવે.
નાક રેટિંગ્સમાં કોલેજમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ, ફેકલ્ટીઝ, લાઇબ્રેરીઝ અને લેબોરેટરીઝ, કો કરીક્યુલર એક્ટિવિટીઝ, ફંડિંગથી લઇને સાફસફાઇ અભિયાન સમેતના પરીબળોનું ફિઝિકલ વેરીફીકેશન કરવામાં આવે છે અને એ પછી જે તે કોલેજને તેની ક્રેડિબિલિટી અંગેનું રેટિંગ આપવામાં આવે છે.
જો તમને ભવિષ્યમાં કમાણીનું શું થશે ?, રૂપિયા ક્યાંથી આવશે ? , ધંધો ચાલશે કે કેમ? એવા સવાલો થતા હોય, આવકને લઇને નેગેટિવ વિચારો આવતા હોય તો એ વાત ચોક્કસ માનજો કે આવા વિચારો તમને એકલા ને નથી આવતા, મંદીનો માહોલ સાર્વત્રિક છે અને એટલે જ સુરત જેવા ધંધાકીય શહેરમાં પણ અનેક લોકોને ભાવિ આર્થિક અનિશ્ચિતતાઓને કારણે રીએક્ટીવ ડિપ્રેશનનો ભોગ બનવું પડ્યું છે. આ શબ્દો છે શહેરના જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સીના.
અભૂતપૂર્વ મંદીના સમયગાળામાં આજરોજ તા.9મી સપ્ટેમ્બર 2019ના દિવસે વધુ એક આકરો સમાચાર એ આવ્યો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજના દરો ઘટાડ્યા તેની સાથે લેન્ડીંગ રેટમાં પણ ઘટાડો કર્યો. બીજો નેગેટીવ ન્યુઝ એ આવ્યો કે ગત ઓગસ્ટ 2018ની સરખામણીમાં ઓગસ્ટ 2019માં 41 ટકા વાહનો ઓછા વેચાયા. ઓટો સેક્ટર અત્યંત મંદીમાં સપડાયું છે.
હવે એ વાત સરકાર સિવાય બધા જ સ્વીકારી ચૂક્યા છે કે માર્કેટમાં અભૂતપૂર્વ મંદીનો માહોલ છે. સુરતની વાત કરીએ તો કેશ ક્રન્ચ, રોકડની એવી તીવ્ર તંગી વર્તાય રહી છે કે કરોડપતિ લોકો પાસે કેશના નામે લાખ રૂપિયા રોકડા નથી અને કેશ માટે તેઓ રોજરોજ થીંગડા મારતા હોય તેવો ઘાટ સર્જાય છે.
નાના વેપારીઓ, વ્યવસાયિકોના વકરા ઘટી ગયા, ખરીદ શક્તિ ઓછી થઇ ગઇ : કાનજીભાઇ ભાલાળા
સુરતને ભારતનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી ગણવામાં આવે છે. ભારતના આ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટીમાં હાલ કેશ લિક્વિડીટીથી અમીર, ગરીબ બધાં જ પીસાય રહ્યા છે. સુરતના બજારોમાં રોકડની અછત કેમ એ અંગે વરાછા બેંકના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું કે મંદીની અસર ગ્રાસરૂટ પર સૌથી ઘેરી થાય છે. સામાન્ય દુકાનદારોથી લઇને વ્યાવસાયિકોના રોજિંદા વકરા 50 ટકા સુધી ઘટી ગયા છે. એવું નથી કે બેંકો પાસે કેશ નથી, પણ સામાન્ય લોકોની ખરીદ શક્તિ જ ઘટી ગઇ છે અને તેની સીધી અસર સુરતના બજારમાં રોકડની તરલતા પર જોવા મળી રહી છે. કાનજીભાઈએ કહ્યું કે ધંધા, વેપાર મંદ પડ્યાની પ્રતીતિ વ્યાવસાયિકો કે જેઓ સર્વિસ પ્રોવાઇડર ગણાય છે તેમના વકરામાં થયેલા ઘટાડાથી પણ જાણી શકાય છે.
સુરતના એક જાણીતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાને જણાવ્યું કે અમારી પાસે કમસેકમ 400 કરોડની પ્રોપર્ટીઓ છે, અમારી કેપિટલ જામ થઇ ગઇ છે, આજે એ હાલત છે કે એક લાખ રૂપિયા રોકડા માટે રોજેરોજ બે પાંચ જગ્યાએ ફોન કરીને મેનેજ કરવા પડી રહ્યા છે. માર્કેટમાં કેશ ક્રન્ચ ક્યારે પૂરો થાય એ સમજાતું નથી.
ધંધો એટલો ખરાબ ચાલે છે કે કેપિટલ તોડીને હાલ કામ ચલાવી રહ્યા છીએ
સુરતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે મોટી બ્રાન્ડ ગણાતા જાણીતા ઉદ્યોગપતિએ જણાવ્યું કે હાલમાં ધંધામાં વર્કિંગ કેપીટલ નથી. અમારે મીલ ચલાવવા માટે રોજેરોજ રોકડા રૂપિયા જોઇએ. અમારા એવા ઘણા કામો હોય છે જેના કામદારોને રોકડામાં ચૂકવણી કરવી પડે છે. આ કામદારો સ્માર્ટ ફોન કે એન્ડ્રોઇડ ફોન વાપરતા નથી તો ઇલેક્ટ્રોનિક પેમેન્ટની વાત જ ક્યાં આવે. એથી વિશેષ અનેક કોન્ટ્રાક્ટરો જીએસટી આવ્યા પછી રોકડામાં જ ધંધો કરવાનો આગ્રહ રાખે છે ત્યારે અમારે ડગલેને પગલે કેશની જરૂરીયાત વર્તાય છે, હાલમાં માર્કેટમાં રોકડની જે ખેંચ છે તેનાથી કંટાળી ગયા છે અને અમારે અમારી જે કેપિટલ હતી, ભૂતકાળમાં કમાયા હતા એ મૂડી ધીરે ધીરે ધોવાય રહી છે.
શેરબજારમાં ધોવાણે સુરતના અનેક લોકોને પાયમાલ કરી દીધા
ભારતીય શેરબજાર છેલ્લા દોઢેક મહિનાથી જે રીતે નેગેટીવ ટોનમાં વર્તી રહ્યું છે એ જોતા સુરતમાં વર્ષોથી નહીં દાયકાઓથી શેરબજાર પર નભતા આવેલા લોકો પાયમાલીમાં ધકેલાય ગયાના અહેવાલો છે. જેમના પરિવારો શેરબજારની આવક પર જ નભતા હતા એ લોકોએ આવકના અલ્ટરનેટિવ સોર્સ શોધી કાઢીને શેરબજારમાં કામકાજ સાવ જ ઓછું કરી દીધું છે. છેલ્લા દોઢ મહિનામાં શેરબજારમાં 100 ટકાનું ઇન્વેસ્ટમેન્ટ ધોવાઇને 20થી 25 ટકા પર આવી જતા સુરતના અનેક લોકોએ શેરબજાર છોડીને અન્ય કામ ધંધા સ્વીકારવાની નોબત આવી છે. સુરતમાં એક મોટો વર્ગ શેરબજારની આવક સાથે સંકળાયેલો હતો.
જેની પાસે રૂપિયા આવે છે એ સામે ચૂકવણા કરતા નથી, એટલે કેશ ફ્લો ખોરંભે પડે છે
ગુજરાતના જાણીતા ઇકોનોમિસ્ટ ડો. એ.એન. મહેતાએ કહ્યું કે માર્કેટમાં મંદીનું મોટું કારણ અનિશ્ચિત માહોલ છે. જે લોકો પાસે રૂપિયા આવે છે એ લોકોએ સામે ચૂકવવાના પણ હોય છે પણ એ ચૂકવણું કરતા નથી કેમકે તેમને અનિશ્ચિતતાના માહોલમાં ભવિષ્યની જરૂરીયાતની ચિંતા હોય છે અને એથી એ સામેવાળાને રૂપિયા ચૂકવતા નથી અથવા તો વિલંબમાં નાંખે છે, આ પ્રકારે સાર્વત્રિક રીતે લોકો પોતાની પાસેની લિકવિડીટીનો ફ્લો સ્ટોપ કરે ત્યારે માર્કેટમાં મંદી આવે છે.
અનિશ્ચિતતાને કારણે શોપિંગ, મોજશોખ પાછળના ખર્ચા તો ઓછા કર્યા પણ જરૂરીયાતો પણ ઓછી કરી દીધી
સુરતના જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સીએ કહ્યું કે દેખીતી વાત છે કે મંદીના માહોલમાં લોકોએ પોતાના ખર્ચા ઘટાડી નાંખ્યા છે, મોજશોખ પાછળના ખર્ચા બિલકુલ બંધ અને હેલ્થ સેક્ટરની વાત કરુ તો ઇલેક્ટીવ ઓપરેશન્સ જેવા કે હર્નિયા, પાઇલ્સ વગેરે કે જે થોડા મહિનાઓ ટાળી શકાય છે, દર્દીઓ આવા ખર્ચાઓ પણ નિવારી રહ્યા છે. આમ, માર્કેટમાં અગાઉ જે રીતે રૂપિયા ફરી રહ્યા હતા, મની સરક્યુલેશન થતું હતું એ સાવ મંદી પડી ગયું છે.
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં ડો. મુકુલ ચોક્સીએ જણાવ્યું કે ડિપ્રેશન બે પ્રકારે થતાં હોય છે. એક ઇન્ટર્નલ કારણોસર અને બીજું કારણ રિએક્ટીવ ડિપ્રેશન એટલે કે બાહ્ય કારણોસર. ડો.ચોક્સીએ ઉમેર્યું કે આજે હાઇએન્ડના લોકોમાં, ડાયમંડ વર્કસમાં તોમજ લોઅલ મિડલ ક્લાસ સુધીના લોકોમાં રીએક્ટીવ ડિપ્રેશનના કેસોમાં અસામાન્ય ઉછાળો અમે જોઇ રહ્યા છીએ. દર્દીઓની સાથે જ્યારે વાતચીત થાય છે ત્યારે મામલો પારિવારીક અને ધંધાકીય આર્થિક સ્થિતિ પર આવીને અટકતો હોય છે. બજારમાં મંદીની સીધી અસર લોકોની માનસિક હેલ્થ પર પડી રહી હોવાનું ડો.ચોક્સીએ જણાવ્યું હતું.
પગારદારો હાલમાં સૌથી સલામત
એક સમયે લોકોની માનસિકતા એ હતી કે નોકરીને કારણે આવક મર્યાદિત હોઇ, વિકાસ કે મોજશોખ માટે પૈસા પર્યાપ્ત ન હતા, પરંતુ, આજે મંદીના સમયમાં એ જ લોકો એવું કહી રહ્યા છે કે આજે સૌથી સલામત અર્થોપાર્જન હોય તો એ નોકરી છે. હાલમાં નોકરીયાત, પગારદારોને મહિનો થાય એટલે ફિક્સ પગાર તો મળી રહે છે. ધંધાર્થીઓ કે વ્યાવસાયિકોને તો કેપીટલ તૂટ હોય એવી સ્થિતિ દર મહિને જોવા મળી રહી છે.
બ્રિટિશ એરેવઝે પાયલટોની હડતાલને કારણે પોતાની 1500થી વધારે ફ્લાઇટો રદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આજરોજ તા.9મી સપ્ટેમ્બર 2019ને સોમવારે અને તા.10મી સપ્ટેમ્બર 2019ને મંગળવારે પગાર વિવાદને લઇને પાયલટ હડતાલ પર રહેશે. એરલાઇનના 100 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી હડતાલ માનવામાં આવી રહી છે.
હડતાલથી લગભગ 2 લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે. આનાથી લગભગ 80 મિલિયન પાઉન્ડ (રૂ. 704 કરોડ )નું નુકસાન થશે. ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનિસબર્ગની તમામ ફ્લાઇટો પ્રભાવિત થઇ છે. કંપનીઓએ યાત્રીઓને જણાવ્યું છે કે, જો લોકોની ફ્લાઇટ રદ થઇ છે તે એરપોર્ટ જાય નહીં.
પગાર અને ભથ્થામાં ઘટાડાના વિવાદ બાદ બ્રિટિશ એરલાઇનના પાયલટ એસોસિએશન (બીએએલપીએ)એ 23 ઓગસ્ટે હડતાલની જાહેરાત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 9, 10 અને 27 સ્પટેમ્બરે પાયલટ હડતાલ પર રહેશે. ત્યાંજ રશિયાના વિદેશ મંત્રાલયે હડતાલ અને ફ્લાઇટ રદ હોવા અંગે પોતાના નાગરિકોને સચેત કર્યા છે.
તાજેતરમાં સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા સહિત કેટલીક બૅંકોએ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર ઘટાડ્યા હતા. જેમ જેમ ઇન્ફ્લેશન ઘટતું જશે તેમ તેમ વ્યાજદર ઘટવા તરફી દિશા પકડશે. આમ વિશ્ર્વના મોટાભાગના દેશો નીચા વ્યાજદરના સમયમાં પ્રવેશી રહ્યા હોવાનું ચિત્ર ઊભરી રહ્યું છે. અમુક દેશોમાં તો આ શરૂઆત થઇ ચૂકી છે આનો સીધો અર્થ એ થાય કે લાંબે ગાળે બૅંકોમાં નાણાં મુકવાનો કોઇ લાભ રહેશે નહીં, સેવિંગ એકાઉન્ટ તો ઠીક, બૅંક ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ વ્યાજદર નીચા થતા જાય તો નવાઇ નહીં. આખરે જગતના નાના-મોટા ઇન્વેસ્ટરોએ મહદ્અંશે ઇક્વિટી શેર સહિતના અન્ય રોકાણ સાધનો તરફ વળવાની નોબત આવશે.
આ બધું રાતોરાત કે બે-ચાર વરસમાં નહીં થાય, કિંતુ આ દિશામાં અર્થતંત્રની યાત્રા શરૂ થઇ હોવાના સંકેત સતત મળી રહ્યા છે. આપણા દેશમાં તો હજી પણ વિકસિત દેશોની તુલનાએ ઊંચું વ્યાજદર મળે છે. બાકી અમુક દેશોમાં તો નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ અથવા ઝીરો ઇન્ટરેસ્ટ ચાલે છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બૅંકો પોતાની બૅંકોને ઝીરો વ્યાજે નાણાં આપતી હોય તો આ બૅંકો શા માટે જાહેર જનતા પાસેથી નાણાં લેવા ઊભી રહે? શા માટે જનતાને તેમના નાણાં પર વ્યાજ આપવાનો ખર્ચ કરે યા બોજ ઉપાડે? જર્મનીમાં વર્તમાન સમયમાં દસ વરસના બોન્ડસ પર માઇનસ ઇન્ટરેસ્ટ છે, જેથી દસ વરસની મુદ્ત પુરી થાય ત્યારે જર્મનીની બૅંક એ બોન્ડના નાણાં પરત કરતી વખતે ૧૦૦ રૂપિયા સામે ૯૪ રૂપિયા આપશે. ફ્રાન્સમાં પણ સ્થિતિ લગભગ એવી જ છે, ત્યાં પણ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટને લીધે ૧૦૦ સામે ૯૭ મળે છે. જપાનમાં ૧૦૦ સામે ૯૮ મળે છે, જેની જે કરન્સી. ઇન શોર્ટ, બૅંકો તમારા નાણાં સાચવવા માટે પોતે વ્યાજ લશે યા ફી લેશે એવું કહી શકાય.
અલબત્ત, યુએસમાં હજી પોઝિટિવ વ્યાજદર છે. જેમાં હાલમાં જ ઘટાડાનો દોર ચાલુ થયો છે, વધુ ઘટાડો ભવિષ્યમાં આવવાની શક્યતા ઊભી છે. આપણે આપણા દેશની સ્થિતિ પણ જોઇએ તો રિઝર્વ બૅંક તેના પોલસી રેટ ઘટાડી રહી છે. જેને પગલે ભારતીય બૅંકો એફડી પરના વ્યાજદર ઘટાડી રહી છે, જેમ જેમ ફુગાવો ઘટે છે તેમ વ્યાજદર ઘટશે. એ ખરું કે આ સાથે ધિરાણ પરના દર પણ ઘટશે, પરંતુ એકાદ દાયકામાં એક જબરજસ્ત પરિવર્તન બૅંકોમાં જોવા મળશે.
લોકો આવા સમયમાં ઇક્વિટી, ગોલ્ડ, પ્રોપર્ટીઝ કે અન્ય સાધનો રોકાણ માટે પસંદ કરશે, જેમાંથી મહત્તમ પ્રવાહ ઇક્વિટી તરફ જાય એવી સંભાવના વધુ રહેશે. લાંબા ગાળાના રોકાણકારો આ સ્થિતિને સમજશે તો તેમનો ઇક્વિટી પ્રત્યેનો અભિગમ બદલાઇ શકે છે. અલબત્ત, તેમણે ઇક્વિટીની પસંદગી સમજી-વિચારી અને અભ્યાસ કરીને કરવાની રહેશે.
આપણા દેશમાં બૅંકો લાંબા સમયથી એનપીએ (નોન-પર્ફોમિંગ એસેટસ-બેડ લોન્સ)નો સામનો કરી રહી છે, જે પણ હવે કડક નિયમોને લીધે ઘટાડવાની દિશામાં પ્રયાણ કરી રહ્યા છે. ઇન્સોલવન્સી એન્ડ બૅંકરપ્સી કોડ આ દિશામાં અસરકારક ભૂમિકા ભજવી રહ્યો છે. જો કે હજુ તેમાં સુધારા થાય અને આ પ્રક્રિયા વધુ ઝડપી બને તો પરિણામ વધુ સારું મળી શકે. આ સાથે એનબીએફસી(નોન-બેન્કીંગ ફાઇનાન્સીયલ સર્વિસ કંપનીઝ) ની પ્રવાહિતાની સમસ્યા પણ ઘટવાની શરૂ થશે. આ બે પરિબળો માર્કેટ અને ઇકોનોમી માટે વિકાસના મહત્ત્વના વાહક બનશે. હા, હજી યુએસ-ચીનના ટ્રેડ વોર (વેપાર યુદ્ધ)ની બાબત ચિંતાજનક ખરી. આ મામલે અનિશ્ર્ચિતતા ચાલી રહી છે.
ભારત સરકાર બજેટમાં જાહેરાત કરી હતી કે વિકાસ માટે નાણાંની જરૂર જણાઇ તો તે વિદેશોમાં ભારતીય સોવરેન બોન્ડ ઇસ્યૂ કરશે. ભારત સરકાર આ બોન્ડ ઇસ્યૂ રૂપિયા સંદર્ભમાં કે ફોરેન કરન્સીમાં પણ કરી શકે છે. જો કે તેને સારો પ્રતિભાવ મળવાની આશા છે, કારણ કે ભારત હાલ તેના પર જે વ્યાજ ઓફર કરશે તે વિદેશી રોકાણકારો માટે આકર્ષક બનશે એવું જણાય છે, કેમ કે અન્ય દેશો કરતા આ વ્યાજદર વધુ જ હશે.
બીજું ભારતની શાખ પણ સુધરી રહી છે. વિકાસ મોરચે ભારતીય ઇકોનોમી ભલે થોડી ધીમી પડી છે, પરંતુ તેને રિકવર થતા સમય નહીં લાગે એવું માની શકાય. સરકાર આ આર્થિક સુધારામાં ઝડપ લાવશે એવી આશા રાખવી અસ્થાને નથી. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ આ વિષયમાં ગંભીરપણે કાર્યરત હોવાનું કહેવાય છે. નાણાં પ્રધાન હાલમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક કરી તેમને સાંભળી રહ્યા છે. તેઓ જે-તે ક્ષેત્રની સમસ્યાના ઉપાય કરશે. ઇન્વેસ્ટરો ભવિષ્યના સંજોગોને ધ્યાનમાં રાખી તેમ જ વ્યાજદરના ભાવિને પણ લક્ષ્યમાં રાખી પોતાનું રોકાણ આયોજન કરે એ સમયની જરૂરિયાત છે તેમ જ તેમાં શાણપણ છે. સટ્ટાથી દૂર રહી સારી ઇક્વિટી પસંદ કરી રોકાણકારો આગળ વધે એમાં તેમનું હિત છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.