CIA ALERT

Blog - Page 193 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 9, 2021
nobal.jpg
1min435

ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રસા અને રશિયાના દમિત્રી મુરાતોવને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષાના પ્રયાસ કરવા માટે તેઓને શાંતિનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ બંને પત્રકારોએ રશિયા અને ફિલિપાઈન્સની સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. અને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા કરવાના આ પ્રયાસો માટે જ તેઓને નોબેલ કમિટી દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નોબેલ કમિટીએ બંને પત્રકારોની પ્રશંસા કરતાં કહ્યું છે કે, અભિવ્યક્તિની આઝાદી માટે બંને પત્રકારોના પ્રયાસોને જોતાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

નોબલ કમિટીએ કહ્યું કે, સ્વતંત્ર અને મુક્ત તેમજ તથ્યો પર આધારિત પત્રકારત્વ સત્તાના દુરઉપયોગ, અસત્ય અને યુદ્ધના દુષ્પ્રચારથી રક્ષા કરે છે. નોર્વેની સંસ્થા નોબેલ કમિટીએ માન્યું કે, અભિવ્યક્તિની આઝાદી અને સૂચનાની સ્વતંત્રતા લોકોને જાગૃત બનાવે છે. આ અધિકાર લોકતંત્ર માટે પૂર્વ શરત છે અને યુદ્ધ તેમજ સંઘર્ષમાં રક્ષા કરે છે. આ ઉપરાંત કમિટીએ કહ્યું કે, મારિયા અને દમિત્રીને પુરસ્કાર આપવો એ આ મૂળભૂત અધિકારોનું રક્ષા કરવાના મહત્વને દર્શાવે છે.

રશિયાના પત્રકાર દમિત્રી મુરાતોવ નોવાયા ગેઝેટ અખબારના સંપાદક છે, અને માનવામાં આવે છે કે પુતિનના શાસનમાં એકમાત્ર એમનું જ અખબાર સરકાર સામે અવાજ ઉઠાવતું રહ્યું છે. દમિત્રીએ રશિયામાં અભિવ્યક્તિની આઝાદીના અવાજને બુલંદ કરવાના પ્રયાસ કર્યાં છે. દમિત્રીના અખબારે પુતિન સરકારમાં ભ્રષ્ટાચાર અને માનવાધિકારોના ઉલ્લંઘનના અનેક કિસ્સાઓનો ખુલાસો કરતાં દુનિયા સમક્ષ રજૂ કર્યાં હતા.

ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રસા ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટ રેપલરના કો-ફાઉન્ડર છે અને રાષ્ટ્રપતિ રોડ્રિગોની ટીકાઓ કરવા માટે જાણીતી છે. તેઓને હાલમાં જ મનીલા કોર્ટે એક અમીર કારોબારીના માનહાનિના કેસમાં ઓનલાઈન સમાચાર વેબસાઈટ રેપલર ઈંકના કો ફાઉન્ડર મારિયા રસા અને પૂર્વ રિપોર્ટર સેન્ટોસ જૂનિયરને છ વર્ષની કેદની સજા સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ ફિલિપાઈન્સમાં પ્રેસની સ્વતંત્રતાને મોટા ઝટકા સમાન માનવામાં આવ્યું હતું. કોર્ટના આ નિર્ણય બાદ રસાએ એક સંમેલનમાં કહ્યું હતું કે, આ નિર્ણય અમારા માટે આઘાત સમાન છે, અમે ફક્ત અન્ય સમાચારની જેમ જ કોઈપણ તપાસ વગર લાપરવાહીથી ન્યૂઝ પબ્લિશ કર્યાં હતા. પણ અમે લડત લડતાં રહીશું અને પત્રકારો તેમજ ફિલિપાઈન્સના લોકોને પોતાના અધિકારો માટે લડતાં રહેવા અને સત્તાને જવાબદાર બનાવતાં રહેવાની અપીલ કરી હતી.

નોબેલ શાંતિ પુરસ્કાર કોઈ એવાં વ્યક્તિ કે સંગઠનને આપવામાં આવે છે, જેમણે દેશો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે સર્વશ્રેષ્ઠ કામ કર્યું હોય. ગત વર્ષે આ પુરસ્કાર વિશ્વ ખાદ્ય કાર્યક્રમને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સ્થાપના 1961માં વિશ્વભરમાં ભૂખની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમેરિકી પ્રેસિડેન્ટ ડ્વાઈટ આઈજનહાવરના નિર્દેશ પર કરવામાં આવી હતી. રોમથી કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીને વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે એક ગોલ્ડ મેડલ અને એક કરોડ સ્વીડિશ ક્રોનર (11.4 લાખ ડોલરથી વધારેની રકમ) આપવામાં આવે છે.

October 9, 2021
bar.jpg
1min431

સુરતમાં ફરી એકવાર જાણે પોલીસનો જરાય ડર ના હોય તે રીતે નિયમોનો ભંગ કરીને કાયદાની મજાક ઉડાવાતી હોય તેવી ઘટના સામે આવી છે. સુરતમાં બર્થડે પાર્ટીમાં ડાન્સરને બોલાવીને રાત્રી કર્ફ્યૂના નિયમનો અને કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ થયો હોવાની ઘટના બની છે. ડાન્સર ગર્લ સાથે બાળકોથી લઈને યુવાન વયના લોકો ડાન્સ કરતા હોવાનો વિડીયો સામે આવ્યા બાદ આખરે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં 7 લોકોની અટકાયત કરીને કાર્યવાહી શરુ છે. આ વીડિયો કેટલો જૂનો છે તે સ્પષ્ટ નથી થયું પરંતુ તે વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરીને સાતને પકડી લીધા છે.

રિપોર્ટ્સ મુજબ આ ડાન્સ પાર્ટીમાં સુગરી અને મીંડી ગેમના સભ્યો પણ નાચતા દેખાય હતા. બર્થડે પાર્ટી નિમિત્તે સ્ટેજ બાંધીને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ભાગાતળાવ વિસ્તારમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.

વિડીયોમાં મોટી સંખ્યામાં લોકો દેખાય છે, જેમાં કેટલાક લોકો સ્ટેજ પર ડાન્સ દરમિયાન રુપિયા ઉડાવવાની સાથે ઠૂમકા લગાવતા પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂ દરમિયાન કરવામાં આવતા પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ભાગાળાવમાં બનેલી ડાન્સ પાર્ટીની નજીકમાં જ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશન આવેલું છે આમ છતાં પોલીસથી કઈ રીતે ચૂક થઈ ગઈ તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે 7 લોકોને પકડીને કાર્યવાહી શરુ કરી છે. પોલીસ બાર ડાન્સર્સને ક્યાંથી બોલવામાં આવી હતી અને પાર્ટી પહેલા મંજૂરી લીધી હતી કે નહીં તે તમામ મુદ્દે સવાલો અને પૂછપરછ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

October 9, 2021
IPL_cia.jpg
1min437

હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટા સ્કોરે મેચ જીતવી ખુબ જ જરૂરી હતી. જો કે, હૈદરાબાદે 65 રન બનાવતાં જ મુંબઈ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આજે હૈદરાબાદ સામેની મેચ કરો કે મરોની જંગ જેવી હતી. પણ હૈદરાબાદની ટીમે 65 રન બનાવતાની સાથે જ ખુબ જ નિરાશા સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ગુરુવારે કોલકાતાએ રાજસ્થાન સામેની મેચ જીત બાદ મુંબઈને પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે હૈદરાબાદને 65 રનોમાં ઓલ આઉટ કરવું જરૂરી હતી. જો કે તે શક્ય ન બનતાં મુંબઈ પ્લે ઓફમાંથી બહાર થઈ ગઈ છે. અને હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્લે ઓફમાં જંગ જામશે.

કોલકાતાએ રાજસ્થાન સામે જીત બાદ મુંબઈ માટે પ્લે ઓફમાં પહોંચવા માટે મુંબઈને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 250 રનોથી વધારે રનોનો સ્કોર બનાવવો પડશે, જ્યારે 170 રનોથી વધારે રનો સાથે હૈદરાબાદને માત આપવી પડશે તેવી સ્થિતિ હતી. અને રન ચેઝ કરશે તો પ્લે ઓફથી બહાર ફેંકાવવાનું નક્કી હતું. જો કે, આજે ટોસ જીતવામાં નસીબે મુંબઈને સાથ આપ્યો હતો. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. અને 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. જેથી પ્લે ઓફમાં પહોંચવા માટે મુંબઈને હૈદરાબાદને 65 રનમાં ઓલ આઉટ કરવું જરૂરી હતી. પણ હૈદરાબાદે 65 રન બનાવતાંની સાથે જ મુંબઈ માટે પ્લે-ઓફની રેસ પુર્ણ થઈ ગઈ હતી.

મુંબઈ તરફથી આજે ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પણ તેમ છતાં મુંબઈ પ્લે ઓફમાંથી બહાર નીકળતી જતાં ભારે નિરાશાનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈની ટીમ માટે આ સિઝન ખુબ જ નિરાશાજનક રહી હતી. આ સિઝનમાં 7 મેચોમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. 2018 બાદ આ સિઝનમાં મુંબઈ પ્લે ઓફમાં સ્થાન બનાવી શકી ન હતી. મુંબઈ 2020, 2019, 2017, 2015, 2013માં આઈપીએલની ચેમ્પિયન રહી ચૂકી છે.https://00513150e5d40265fe816133ccd5f6f9.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html

મુંબઈ પણ બહાર થઈ ગયા બાદ હવે પ્લે ઓફનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. હવે પ્લે ઓફમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જામશે. ટોપ 2માં રહેતી ટીમોને ફાઈનલમાં પહોંચવા માટે એક વધારેનો મોકો મળે છે. આ બંને પહેલા ક્વોલિફાયર હોય છે, જેમાં જીત મેળવતી ટીમ સીધી ફાઈનલમાં પહોંચે છે. અને ત્યારબાદ ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ છે. જેમાં જીત મેળવતી ટીમ ક્વોલિફાયરમાં હારનો સામનો કરનાર ટીમ સાથે બીજી ક્વોલિફાયર મેચ રમે છે. અને તેમાં જીતનાર ટીમ ફાઈનલમાં પહોંચે છે.

પ્લે ઓફની મેચઃ

– પ્રથમ ક્વોલિફાયરઃ 10 ઓક્ટોબર (દુબઈ)- દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ

એલિમિનેટરઃ 11 ઓક્ટોબર (શારજહા)- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ

બીજી ક્વોલિફાયરઃ 13 ઓક્ટોબર (શારજહા)- એલિમિનેટરની વિજેતા અને પ્રથમ ક્વોલિફાયરમાં હારતી ટીમફાઈનલઃ 15 ઓક્ટોબર (દુબઈ)- પ્રથમ ક્વોલિફાયરની વિજેતા અને બીજી ક્વોલિફાયરની વિજેતા ટીમ

October 9, 2021
Aryan.jpeg
1min543

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આર્યન ઉપરાંત વધુ બે આરોપી અરબાઝ અને મુનમુન ધમેચાની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે હવે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે. હાલમાં આર્યનને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, સતીશ માનશિંદેએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ અંગે જણાવવામાં આવ્યું કે, તેને આ કેસ સાંભળવાનો અને જામીન પર કાર્યવાહી કરવાનો અધિકાર નથી. આ મામલો સેશન્સ કોર્ટનો હતો, તેથી આર્યન અને અન્યના વકીલોએ સેશન્સ કોર્ટમાં જવું જોઈએ. સેશન કોર્ટમાં એનડીપીએસ એક્ટ હેઠળ જામીન અરજી કરવી પડશે. આવી સ્થિતિમાં હવે સતીશ માનશિંદે સહિત અન્ય વકીલો સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે.

એએસજી સિંહે પોતાની દલીલમાં કહ્યું હતું કે, એ વાત પર જરૂર ધ્યાન આપવું જોઇએ કે લોકો કેટલી સરળતાથી વાતોમાં આવી જાય છે અને શું આનાથી પુરાવા સાથે છેડછાડ થઇ શકે છે? તેમણે જણાવ્યું હતું કે આ કોઇ આઇસોલેટિડ કેસ નથી, આવામાં જામીનને કારણે કેસની તપાસ પર અસર પડી શકે છે.

મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યન ખાન અને અન્ય સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્રુઝ શિપ પર કથિત રેવ પાર્ટી દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઘણા લોકો પર ડ્રગ્સ લેવા અને તેની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં આર્યન અને અન્ય કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાનનો આજે 8 ઓક્ટોબરે 51મો જન્મદિવસ છે. ગૌરી માટે તો તેના પોતાના જન્મદિવસ પર દીકરાને જામીન મળી જાય એ જ તેના માટે બેસ્ટ ગિફ્ટ હશે, પરંતુ આર્યનને જામીન મળ્યા નહીં. નોંધનીય છે કે, ગૌરીના બર્થડે પર મન્નતમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આર્યનની ધરપકડ બાદ આ સેલિબ્રેશન કેન્સલ કરાયું છે. 

October 9, 2021
tataairindia.jpg
1min487

ટાટા સન્સે પોતાના દ્વારા અંદાજે ૯૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલી ઍરલાઇન – ઍર ઇન્ડિયા ફરી હસ્તગત કરી હતી.

Breaking: After 67 years, Air India heads back to founder Tata Sons -  BusinessToday

સરકારે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી ઍર ઇન્ડિયાને સંપૂર્ણ ફરી હસ્તગત કરવા માટેની ટાટા સન્સની રૂપિયા ૧૮,૦૦૦ કરોડની બિડને મંજૂરી આપી હતી. ઇન્વૅસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક અસૅસમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તુહિનકાંતા પાણ્ડેયે શુક્રવારે ટૂંકમાં સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે ટાટા સન્સની હૉલ્ડિંગ કંપનીના યુનિટ – ટાલસે પ્રાઇવેટ લિમિટેડની વિજેતા બિડમાં રૂપિયા ૨,૭૦૦ કરોડની રોકડ અને રૂપિયા ૧૫,૩૦૦ કરોડનું દેવું પોતાના પર લેવાનો સમાવેશ થાય છે.

ટાટાએ સ્પાઇસજેટના પ્રમૉટર અજય સિંહના નેતૃત્વ હેઠળના જૂથે રજૂ કરેલી બિડને હરાવી હતી. પાણ્ડેયે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા હસ્તગત કરવાની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂરી થવાની આશા રખાય છે. અગાઉ, ઍર ઇન્ડિયાનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ઍર ઇન્ડિયામાં સ્થાનિક ઍરલાઇન ઇન્ડિયન ઍરલાઇન્સનું ૨૦૦૭માં વિલીનીકરણ કરાયું હતું અને ત્યાર બાદ તે મોટી ખોટ કરી રહી છે.

ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ કંપનીના ભૂતપૂર્વ અધ્યક્ષ જે. આર. ડી. ટાટા ઍર ઇન્ડિયાના વિમાનમાંથી ઊતરતા હોય એવો જૂનો ફૉટો ટ્વીટ કર્યો હતો.
ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયું, તેના અંદાજે ૭૦ વર્ષ પછી ટાટા સન્સે સરકાર પાસેથી આ ઍરલાઇન પાછી હસ્તગત કરી છે.

રતન ટાટાએ લખ્યું હતું કે ઍર ઇન્ડિયા, વૅલકમ બૅક. ટાટા ગ્રૂપે ઍર ઇન્ડિયાની બિડ જીતી તે મોટા સમાચાર ગણાય. ઍર ઇન્ડિયાને ફરી બેઠી (સધ્ધર) કરવા ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેને લીધે મુલકી ઉડ્ડયન ક્ષેત્રે ટાટા ગ્રૂપ માટે ઘણી તક ઊભી થશે.

October 8, 2021
IPL_cia.jpg
1min634

આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર શુક્રવારે એક સાથે જ બે મેચ રમાશે. પહેલો મેચ પાંચ વખતની મુંબઇ ઇન્ડિયન્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદનો હશે. જે અબુધાબીના મેદાન પર સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે. બીજો મેચ પણ સાંજે 7-30થી દુબઇમાં રમાશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થશે. શુક્રવારે એક સાથે રમાનાર આ બન્ને મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ચેનલ પરથી થશે. આવતીકાલના મુંબઇ અને હૈદરાબાદ વચ્ચેના મેચ પર સહુની નજર રહેશે. કારણ કે આ મેચના પરિણામ પરથી મુંબઇની પ્લેઓફની સ્થિતિ ફાઇનલ થશે. જયારે બેંગ્લોર અને દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. આથી બન્ને ટીમનું લક્ષ્ય જીત સાથે પ્લેઓફમાં પહોંચવાનો રહેશે. આઇપીએલની 2021ની સિઝનના આ આખરી બે લીગ મેચ છે. આ પછી રવિવારથી પ્લેઓફના મેચ શરૂ થશે.મુંબઇનું હૈદરાબાદ સામે હલ્લાબોલ
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પ્લેઓફમાં પહોંચવા માટે હરહાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવવું પડશે. મુંબઇની ટીમના ખાતામાં 13 મેચમાં 12 પોઇન્ટ છે અને પાંચમા સ્થાને છે. જો કે તેનો નેટ રન રેટ માઇનસ 0.048 છે. આ સામે કોલકતાના પણ 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે ચોથા નંબરે છે. તેનો આખરી મેચ રાજસ્થાન સામે છે. તેમાં જો કેકેઆરને જીત નસીબ થશે તો મુંબઇની સ્થિતિ કઠિન બનશે. કારણ કે કેકેઆરનો રન પ્લસ 0.294 છે.
મુંબઇના સુકાની રોહિત શર્માએ કહ્યંy છે કે સારી વાત એ છે કે કોકલતાનો મેચ અમારી પહેલા છે. આથી અમને ખબર પડી જશે કે અમારે શું કરવાનું છે. સનરાઇઝર્સ સામેના મુકાબલામાં મુંબઇની તેના કેપ્ટન રોહિત શર્મા પાસેથી મોટી અને આતશી ઇનિંગની આશા રહેશે. જે રોહિતના બેટમાંથી આ સિઝનમાં હજુ સુધી નીકળી શકી નથી. ટીમ માટે સારી નિશાની એ છે કે ઇશાન કિશને ફોર્મમાં વાપસી કરી લીધી છે. જો કે ટીમને હાર્દિક અને પોલાર્ડનું નબળુ પ્રદર્શન ભારે પડી રહ્યંy છે. પાછલા મેચમાં નાથન કુલ્ટર નાઇલે 4 અને જિમ્મી નિશમે બે વિકેટ લીધી હતી અને રાજસ્થાન સામે મુંબઇને મોટી જીત અપાવી હતી. જે મુંબઇની ટીમ માટે સારી નિશાની છે.
બીજી તરફ સનરાઇઝર્સ તેના આખરી લીગ મેચમાં સન્માનજક જીત સાથે વિદાય લેવા ઇચ્છશે. તેણે પાછલા મેચમાં બેંગ્લોરને હાર આપીને મનોબળ વધાર્યું છે. જો કે આ ટીમ આઇપીએલમાં સાતત્યસભર દેખાવ કરી શકી નથી. આથી મુંબઇ સામે તેની રાહ કઠિન બની રહેશ. ખાસ કરીને મુંબઇના ઝડપી બોલરો સામે સનરાઈઝર્સના બેટધરોની આકરી કસોટી થશે.

આરસીબી-ડીસી’ વચ્ચે પ્લેઓફમાં જીત સાથે પહોંચવાની રેસ

8/10/2021 શુક્રવારના જ સાંજના અન્ય એક મેચમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી સામે ઋષભ પંતની ટીમ ડીસી હશે. આ બન્ને ટીમ પહેલેથી પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. બેંગ્લોરનું નંબર ત્રણ પર રહેવું નિશ્ચિત છે. જયારે દિલ્હીએ ટોચ પર રહેવા બેંગ્લોરને હાર આપવી પડશે અને ચેન્નાઇની ટીમનું પંજાબ સામે શું પરિણામ આવે છે તે પર જોવું પડશે. કારણ કે દિલ્હીથી ચેન્નાઇનો નેટ રન રેટ સારો છે. દિલ્હીના હાલ 13 મેચમાં 20 અંક છે.

પ્લેઓફ અગાઉના આ મેચમાં બન્ને ટીમ તેની ઇલેવનમાં પ્રયોગથી બચીને સિતારા ખેલાડીઓ પર જ ફરી વિશ્વાસ મુકશે. જયાં સુધી દિલ્હીની વાત છે તો તેને યુવા ઓપનર પૃથ્વી શોનું યૂએઇમાં ખરાબ પ્રદર્શન સતાવી રહ્યંy છે. તો આરસીબીને સ્ટાર એબી ડિ’વિલિયર્સ તરફથી ધારણા અનુસારનું યોગદાન મળી રહ્યંy નથી. તે પાછલા હૈદરાબાદ સામેના મેચમાં ટીમને જીત અપાવી શકયો ન હતો. તેની સામે આખરી ઓવરમાં ભુવનેશ્વર ભારે પડયો હતો.

વિરાટ કોહલીની કેપ્ટન તરીકે આઇપીએલની આ આખરી સિઝન છે. તેનું લક્ષ્ય બેંગ્લોરને પહેલીવાર ચેમ્પિયન બનાવીને કપ્તાનીના તાજને મુકવાનો છે. આ ખુદ કોહલીએ હવે ટૂર્નામેન્ટના નિર્ણાયક તબકકે જબરદસ્ત દેખાવ કરીને ટીમની આગેવાની લેવી પડશે. બીજી તરફ યુવા સનસની ઋષભ પંતની નજર પણ દિલ્હી કેપિટલ્સને પહેલીવાર વિજેતા બનાવવાની છે.

October 7, 2021
CIA-1280x937.jpg
1min559

આજે તા.7મી ઓક્ટોબર 2021 માતાજીના આરાધ્ય પર્વ નવરાત્રીની પહેલી જ પ્રભાતે એવા સમાચાર આવ્યા કે જે સુરતવાસીઓ માટે જાણવા જરૂરી હતા. સુરત મહાનગરપાલિકાની અધિકૃત જાણકારી મુજબ તા.7મીએ સવારે 6 વાગ્યે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમ ખાતે પાણીનું લેવલ 345 ફૂટ નોંધાયું હતું. ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ 345 ફૂટ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની શક્યતા નથી પરીણામે ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવા છતાં તાપી નદીમાં પાણી છોડવું પડે તેવી પણ કોઇ સ્થિતિ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમમાં વોટર લેવલ તેમજ અન્ય પેરામીટર્સ આ પ્રમાણે નોંધાયા હતા.

???????????????? ????????????
Date :07/10/2021
Time : 05:00 hrs
Rule Level : 345.00 ft (7414.29)
Level : 345.00 ft
Gross Storage : 7414.29
MCM (100%)
Live storage :6729.90 MCM ???????????????????????? : 46397 Cusecs
Outflow :
Canal: 1100 cusecs
Hydro: 10374 cusecs
Gate: 0 cusecs
Total ???????????? ????????????????: 11474 Cusec????

ઉકાઇ ડેમમાં હાલ 14 હજાર ક્યુસેક્સ જેટલું પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી રિલીઝ પણ કરી દેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો હજુ પણ વરસાદની સંભાવના હશે તો હવે એવી સિસ્ટમ વિકસાવી દેવામાં આવી છે કે ડેમમાં કેટલો પાણીનો આવરો થઇ શકે તેની અંદાજિત ગણતરી એડવાન્સમાં થઇ શકે અને પાણી ડેમમાં આવે તેના કરતા પહેલા ડેમમાંથી રિલીઝ કરી દેવામાં આવે છે જેથી નવું પાણી ડેમમાં સમાઇ શકે. આ પ્રકારનું વોટર મેનેજમેન્ટ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યું હોઇ, સુરતમાં કે તાપી નદીમાં પૂરની શક્યતાઓ નહીવત્ બની છે.

October 6, 2021
s2.jpg
1min787

શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સાજનુ, શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ વિદ્યોતેજક ફંડ, શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ મંડળ અને યુવા સંસ્થા સ્પર્શના સંયુક્ત ઉપક્રમે તપશ્ચર્યા કરનાર મહાન તપસ્વીઓનો સન્માન સમારોહ શ્રી ભદ્રેશભાઈ દમણિયાના પ્રમુખ પદે અને શ્રી હિતેશભાઈ કણિયાના અતિથિવિશેષ પદે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જ્ઞાતિના ધોરણ-૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહના પ્રમુખ સ્થાને શ્રી જગદીશભાઈ ઝવેરી અને અતિથિવિશેષ પદે શ્રી સમીરભાઈ દાલિયા ઉપસ્થિત રહ્યા હતા.

જ્ઞાતિની યુવા સંસ્થા સ્પર્શના ઉપક્રમે અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ખાસ કરીને જ્ઞાતિના યુવાન મિત્રોએ પોતાના બાપ દાદાના વેશ અને મેકઅપ પરિધાન કરીને તેઓ કેવા દેખાતા હતા અને તેઓનું ધાર્મિક અને સામાજિક પ્રદાન શું હતું તેની વેશભૂષા પ્રસ્તુત કરી હતી. આ પ્રસ્તુતિના સમયે તમામ વડીલોના પરિવારજનો મંચ પર આશીર્વાદ લેવા આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

પોલીટીકલ રાઉન્ડમાં જ્ઞાતિના યુવાનોએ ઇન્દિરા ગાંધીથી નરેન્દ્ર મોદી તેમજ સ્મૃતિ ઈરાની, દર્શનાબેન જરદોશ, અમિત શાહ, નીતિન પટેલ, ભૂપેન્દ્ર પટેલ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, લાલુ પ્રસાદ યાદવ, યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, નિર્મલા સીતારમણના પાત્રો વેશભૂષા દ્વારા જીવંત કર્યા હતા.

જ્ઞાતિની યુવતીઓએ સતત ૩૦ મિનિટ સુધી મધુબાલા થી આલિયા ભટ્ટ જેવી નૃત્યાંગનાઓના કુલ ૨૪ ગીતો ૩૦ મિનિટની સમયમર્યાદામાં પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શ્રી જગદીશભાઈ ઝવેરીએ મેરા નામ જોકર પાર્ટ-૨, નાના બાળકોએ ફેશન શો અને વેશભૂષા તેમજ સ્પર્શ સંસ્થાના કમિટી સભ્યોએ એકતા ડાન્સ પ્રસ્તુત કરી સૌને ચકિત કરી દીધા હતા.

જ્ઞાતિના વર્ષ યુવક – યુવતીઓએ માસ્ટર ઓફ સેરેમની કરી હતી. મૈત્રી નાણાવટી, નિધિ મદ્રાસી, અંકુર નાણાવટી, સૃષ્ટિ સંઘવી, વંશીકા નાણાવટી, નેહલ લાકડાવાલા, હેતલ ઝવેરી, અક્ષત કચરા અને શ્રદ્ધા કચરાએ શબ્દોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

વૈભવી ઝવેરી, સાગર ઝવેરી અને નીલિમા ઝવેરીએ વિવિધ કાર્યક્રમોની કોરિયોગ્રાફી કરી હતી. પ્રાસંગિક વિધિઓ સાજનાના સેક્રેટરી અજયભાઈ લાકડાવાલા, વિદ્યોતેજક ફંડના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પારસભાઈ જરીવાળા, યુવા સંસ્થા સ્પર્શના પ્રમુખ દેશના મદ્રાસી, જિગર લાકડાવાલા, નિશ્રા નાણાવટી, નિષ્કા જરીવાલા, નિખાર નાણાવટી, ઉર્વિ ઝવેરી, એ કરી હતી.

આ કાર્યક્રમના ટેકનોલોજી ડિરેક્ટર તરીકે મંથન મદ્રાસી, વિરાજ ઝવેરી, અને જય ઝવેરીએ પોતાની સેવાઓ આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું કેટલાક ભાગનું લેખન કાર્ય શ્રી નરેશ મદ્રાસી, શ્રી નરેશ કાપડીયા તથા સાઉન્ડ ડબિંગ દર્શન ઝવેરીએ કર્યું હતું.

સતત ૯ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમોની વિચારધારા શ્રી નિખિલ મદ્રાસીએ પ્રસ્તુત કરી હતી.

October 6, 2021
chardham.jpg
1min593

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયો હોવાને કારણે અંકુશો હટાવી દેવાની રાજ્ય સરકારે કરેલી અરજી કરી હતી.  રાજ્ય સરકારની અરજીને ધ્યાન પર લઈને ઉત્તરાખંડ હાઈ કોર્ટે ચારધામ યાત્રા માટે દૈનિક યાત્રાળુઓની સંખ્યાની મર્યાદા મંગળવારે હટાવી દીધી હતી.  ચારધામ યાત્રા અંગે ૨૮ જૂને આપેલો સ્ટે કોર્ટે ૧૬ સપ્ટેમ્બરે   હટાવી લીધો હતો જેને કારણે ૧૮ સપ્ટેમ્બરથી યાત્રાનો આરંભ કરવાનો માર્ગ મોકળો થયો હતો.  અગાઉ હાઈ કોર્ટે ચારધામ-કેદારનાથ માટે  દૈનિક યાત્રાળુઓની સંખ્યા કેદારનાથ (૮૦૦), બદરીનાથ (૧૦૦૦), ગંગોત્રી (૬૦૦) અને યમનોત્રી માટે ૪૦૦ જેટલી મર્યાદિત રાખી હતી

October 6, 2021
phy.jpg
1min392
The Nobel Prize on Twitter: "BREAKING NEWS: The Royal Swedish Academy of  Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro  Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking

ભૌતિકશાસ્ત્ર માટે જાપાન, જર્મની અને ઇટાલીના ત્રણ વૈજ્ઞાનિકને નોબેલ ઇનામ એનાયત કરાયું હતું. સ્યુકુરો મનાબે (૯૦), લાઉસ હેસલમેન (૮૯) અને જ્યોર્જિયો પારીસી (૭૩)ને ભૌતિકશાસ્ત્રમાં એમના કામ બદલ નોબેલ ઇનામ આપવામાં આવ્યાં હતાં. 

પેનલે જણાવ્યું હતું કે મનાબે અને હેસલમેને પૃથ્વીના પર્યાવરણ અને માનવતાની એના પર અસર વિશેના આપણા જ્ઞાનનો પાયો નાખ્યો છે. પારીસીએ ઊંડાણપૂર્વકનું ભૌતિક અને ગણિતિક મોડેલ બનાવ્યું કે જેનાથી ગણિત, જીવશાસ્ત્ર, ન્યૂરોસાયન્સ અને મશીન લર્નિંગ જેવા અલગ અલગ વિષયોની જટિલ પ્રણાલી સમજવી શક્ય બની. રોયલ સ્વિડિશ ઍકેડેમીના મહામંત્રી ગોરાન હેનસને મંગળવારે Dt.5/10/2021 વિજેતાઓના નામ જાહેર કર્યાં હતાં. સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા વૈજ્ઞાનિકો વચ્ચે ઇનામ વહેંચવાની વાત સામાન્ય છે.