CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 17 of 42 - CIA Live

June 18, 2020
1min4820

સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશો બુધવારે સુરક્ષા પરિષદમાં પાંચ અસ્થાયી સભ્યો માટે મતદાન કરશે. ખાસ બાબત એ છે કે, એશિયાઇ પ્રશાંત સમૂહના સર્વસંમત સમર્થનથી ભારતની જીત થઇ છે. આજે તા.18મી જુનના રોજ ભારતને સુરક્ષા પરિષદની અસ્થાયી મેમ્બરશીપ આપવામાં આવી છે.

મતદાન બુધવારે ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે (ન્યૂયોર્ક સમયાનુસાર સવારે 9 કલાકે) શરુ થયું હતું. ભારત આતંકવાદ વિરુદ્ધ લડવા અને બહુપક્ષવાદ તથા સમાનતા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે પ્રતિબદ્ધતા સાથે ચૂંટણી અભિયાન ચલાવી રહ્યુ છે. પોતાના અભિયાન દસ્તાવેજમાં ભારતે 5-એસ દ્રષ્ટિકોણઃ સન્માન, સંવાદ, શાંતિ અને સમૃદ્ધિને રજૂ કર્યા છે. 

સભ્ય તરીકે ચૂંટાયા પછી ભારત પહેલી જાન્યુઆરીથી સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થાનો બે વર્ષનો કાર્યકાળ શરુ કરશે, જેમાં બે અસ્થાયી એશિયાઇ સભ્યોમાંથી એક વિયતનામ સામેલ હશે. વિયતનામ, ઇન્ડોનેશિયાનુ સ્થાન લેશે. ભારત માટે ચૂંટણી પ્રક્રિયા એવા સમયે થઇ રહી છે જ્યારે ભારત પરિષદના વીટો અધિકાર પ્રાપ્ત સ્થાયી સભ્ય ચીન સાથે સંઘર્ષમાં છે, ચીન આ પરિષદમાં પાકિસ્તાનના રક્ષક તરીકે સાબિત થયુ છે.

ભારતે અહીં સીરિયાઇ ગૃહ યુદ્ધ, રશિયા સાથે યૂક્રેનનો વિવાદ, અમેરિકાનો ઇરાન માટે વલણ અને યમનના યુદ્ધ જેવા મુદ્દાઓ સામે લડવાનુ રહેશે, પરંતુ સકારાત્મક બાબત એ રહેશે કે ચીન પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવે છે તો એ સમયે ભારત હાજર રહેશે. આ આઠમી વખત થઇ રહ્યુ છે જ્યાં ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યું છે. 

May 30, 2020
kbckidcorer.jpg
1min672

રિયાલિટી ક્વિઝ શો ‘કોન બનેંગા કરોડપતિ’ એટલે કેબીસી દેશમાં સૌથી લોકપ્રિય શો ગણતરી કરવામાં આવે છે, જેમાં દર વર્ષે લોકોને તેની ઇંતજારી રહે છે. જોકે, હોટફેવરિટ શોની હોટસીટ પર બેસનારા ક્ધટેસ્ટંટ માતબર રકમ જીતતા હોય છે. આ શોમાં જીતનાર એક ક્ધટેસ્ટંટ અત્યારે સૌથી વધારે લાઈમલાઈટમાં આવ્યો છે.

કેબીસીમાં ૧૪ વર્ષના બાળકે પણ ભાગ લીધો હતો, જે બે દસકા પછી આ બાળક ફરી પોતાની સફળતાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૦૧માં કેબીસીમાં સ્પેશિયલ સીઝન કેબીસી જુનિયરમાં ભાગ લીધો હતો, જેમાં ૧૪ વર્ષના રવિ મોહન સૈની નામના બાળકે ૧૫ સવાલના જવાબ સાચા આપીને એક કરોડ રૂપિયાની રકમ જીતી લીધી હતી, જે વાતને બે દાયકા પૂરા થયા છે, પરંતુ હવે તેને આઈપીએસ અધિકારી બન્યા પછી તે લાઈમલાઈટમાં આવ્યો છે.

હવે તે આઈપીએસનું પોસ્ટિંગ પણ મળ્યું છે. ૩૩ વર્ષની વય ધરાવનારા સૈનીનું અત્યારે ગુજરાતના પોરબંદરમાં પોસ્ટિંગ (એસપી) મળ્યું છે. તેણે કહ્યું હતું કે મેં મહત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરમાંથી એમબીબીએસ કર્યું છે તથા એમબીબીએસ પછી ઈન્ટર્નશિપ દરમિયાન સિવિલ સર્વિસીસમાં પસંદગી કરી હતી. મેં મારા પિતાજીમાંથી પ્રેરણા લઈને આઈપીએસ બનવાનું સપનું સેવ્યું હતું અને એ સપનું ૨૦૧૧માં સાકાર કર્યું હતું, જેમાં ૪૬૧મી રેંક આવ્યો હતો.

જોકે, કેબીસીની વાત કરતા કહ્યું હતું કે ૧૨મી સીઝન બહુ ટૂંક સમયમાં થઈ શકે છે. કેબીસી કાર્યક્રમમાં બિગ-બી જે અંદાજમાં પ્રશ્ર્ન પૂછે છે એ મને સૌથી વધારે ગમે છે. લોકડાઉન પછી આ શો પણ ચાલુ થશે, એવું તેમણે જણાવ્યું હતું.

May 11, 2020
trains.jpg
1min4840

ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.

શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.

આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.

May 5, 2020
aicte_logo.png
2min18550

ભારતમાં AICTE એ 49 ઓનલાઇન કોર્સ શરૂ કર્યા : કોલેજીયન, હાઉસવાઇફ, ધંધાર્થી કોઇપણ વ્યક્તિ માટે લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ નિવડશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં લૉકડાઉન 3.0 સમગ્ર ભારતીયો માટે કંટાળાજનક પુરવાર થઇ રહ્યું છે. કોલેજીયનથી લઇને હાઉસવાઇફ તેમજ ધંધાર્થીઓ તમામ માટે સમય કેવી રીતે પસાર કરવો એ કામ હવે મહામુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં ભારતમાં ટેકનિકલ અભ્યાસક્રમોનું સંચાલન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા લૉકડાઉનમાં મોડે મોડે પણ 49 ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ 49 કોર્સ એક એકથી ચઢીયાતા છે.

કરીયર કાઉન્સિલર હોવાના નાતે લેખકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફ્રી કોર્સનું લિસ્ટ તેમજ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને આ કોર્સ હાલના લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ બની રહે એવા શક્તિશાળી અને સ્કીલ ડેવલપમેન્ટ કરે એવા છે.

કોલેજીયન, હાઉસવાઇફ, નોકરીયાત, ધંધાર્થી કોઇપણ જોડાઇ શકે એવા પણ કોર્સ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ના ઓનલાઇન કોર્સની યાદીમાં એવા પણ કોર્સ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. જેમકે હાલ ડિજીટલ માર્કેટિંગનો જમાનો છે અને ડિજિટલ માર્કેટિંગ ઘરે બેઠા કે મોબાઇલ ફોનથી પણ થઇ શકે છે. કેટલીક ટેકનિકલ ટીપ્સ મળી જાય એટલે કોઇપણ વ્યક્તિ પદ્ધતિસર આ કામ કરી શકે છે. આના સમેત મશીન લર્નિંગ વગેરે કોર્સ એટલા પાવરફુલ છે કે જો રસ પડી જાય તો જીવનભર આ કોર્સ રૂપિયા રળી આપે એવી સ્કીલનું આરોપણ કરી શકે તેમ છે.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE જાહેર કરેલા કોર્સની યાદી માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.aicte-india.org/sites/default/files/Free%20ELIS%20Products%20Poster.pdf.pdf

May 1, 2020
gujarat_map-1280x1023.png
1min7710

કોરોના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉનના અમલથી ફસાઇ ગયેલા ગુજરાતીઓને પરત વતન લાવવા માટે ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે. તેમને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ફસાઇ ગયેલા પરપ્રાંતિયોને પણ તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિની કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીઓ ફસાયેલા છે. કેન્દ્રની ગાઈડલાન પ્રમાણે આ પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવામાં આવશે. જે પરપ્રાંતી સંપૂર્ણ સ્વસ્થ હશે તેને જ પરત મોકલવામાં આવશે. આ માટે આઠ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે.

ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી ૧૦-૧૫ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દરમિયાન આગમી ત્રીજી મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં ચાર મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.

April 19, 2020
unlogo.jpg
1min6560

કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વવ્યાપી જંગમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પ્રશંસા કરી છે. યૂએન ચીફે જણાવ્યુ કે, વૈશ્વિક સંકટના સમયે સક્ષમ દેશોએ અન્ય દેશોની મદદ કરવી જોઇએ. 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોના વિરુદ્ધ લડાઇમાં અસરકારક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)ને ભારચ વિશ્વના 55 દેશોને આપવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. HCQને અમેરિકાની એફડીએ, દવા નિયામક સંસ્થાએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી દવા તરીકે દર્શાવી છે. આ દવાનો ન્યૂયોર્કમાં 1500થી વધારે કોરોના દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. 

આ સંકટની ઘડીમાં ભારત અમેરિકા સહિત અનેક દેશોને HCQ દવા પૂરી પાડી રહ્યો છે. વૈશ્વિક કોરોના મહામારીમાં ભારત દ્વારા અન્ય દેશોને મોકલવામાં આવી રહેલી દવાઓ અને અન્ય સામગ્રીઓ માટે પણ ગુટરેસે ભારતની પ્રશંસા કરી હતી.

દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવા પછી આ દવાની માંગ વધી છે. આ પહેલા ભારત આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પર વિચાર કરી રહ્યુ હતું, પરંતુ વિશ્વસ્તરે કોરોના કેસો વધતા તેની વધતી જરુરિયાતને ધ્યાનમાં રાખી ભારતે પ્રતિબંધ હટાવી લીધો હતો.  

અમેરિકા, મોરેશીયસ, સેશેલ્સ જેવા દેશોને ભારત આ દવાનો પહેલો જથ્થો મોકલી ચૂક્યુ છે. જ્યારે અન્ય દેશો સુધી પણ આગામી દિવસોમાં દવા પહોંચી જશે. ભારત તેના પડોસી દેશો અફઘાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને આ દવા મોકલવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. 

April 16, 2020
coronaresearch-1280x720.jpg
1min14390

ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો શોધવામાં સરળતા રહેશે.

CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન વધુ એક બાબત બની છે.

April 8, 2020
saurashtra.png
1min5550

સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાંથી ૫ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો જ કર્યો નથી. પરંતુ આ જિલ્લાવાસીઓએ સાવચેતી, સલામતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એટલું જ જરૂરી છે. જો ક્યાંય ચૂક રહી જશે તો કોરોના આ જિલ્લાઓની બોર્ડર પણ પાર કરી અંદર આવી જશે.

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાંથી અમરેલી, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લામાં કોરોનાએ હજુ સુધી પગપેસારો કર્યો નથી. જ્યારે રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, ભાવનગર, ગીરસોમનાથમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાને કારણે હજી સુધી કોઈનું મોત નીપજ્યું નથી. જ્યારે કોરોનાના એપી સેન્ટર ગણાતા ભાવનગરમાં ૧૧ પોઝિટિવ કેસ અને તેમા બે ના મોત નીપજ્યા છે. જ્યારે કોરોનામુક્ત આ પાંચ જિલ્લામાં લોકોની સાવચેતી અને લોકડાઉનનું પાલન કર્યું તે મહત્વનું સાબિત થયું છે. લોકડાઉનમાં જ પોલીસે અન્ય જિલ્લામાંથી આવતા લોકો માટે બોર્ડર સીલ કરી હતી. હવે તો એક ગામથી બીજા ગામે પણ નથી જવા દેતા. જેને કારણે લોકોના સંપર્ક નથી થતા અને ચેઇન તૂટી છે. આથી લોકોએ પણ આમ જ પાલન કરવાનું છે જેથી કોરોનાથી દૂર રહી શકે અને આંતરરાજ્યની જેમ આંતર જિલ્લા બોર્ડર બંધ થતા લોકોની અવર જવર પર પ્રતિબંધ લાગ્યો હતો. આથી કોરોનાનું સંક્રમણ થતું અટક્યું છે. લોકો હજુ આ જ સાવચેતી રાખે અને લોકડાઉનનું પાલન કરશે તો કોરોનાની ચેઇન તમારા જિલ્લાની બોર્ડરને સ્પર્શ પણ નહીં કરી શકે. ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનનું પાલન કરો અને પોલીસ, આરોગ્ય વિભાગને બનતો સહયોગ આપો.

March 30, 2020
recovery.jpg
1min6750

કોરોનાથી ભારતમાં 100 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા

વિશ્વમાં કોરોના વાઇરસથી લગભગ 1થી 2 ટકા દર્દીઓના જ મૃત્યુ થાય છે એમ તબીબો દ્વારા વારેઘડીયે લોકોને કહેવામાં આવી રહ્યું છે.

Symbolic photo of recovery

દરમિયાન આપણે સૌ ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે કોરોના પોઝીટીવ દર્દીમાંથી સંપૂર્ણ પણે સાજા થઇને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા કુલ 100 થઇ ચૂકી છે. ભારતમાં રિકવર થયેલા કોરોના પેશન્ટનો આંકડો ત્રિપલ ડિજીટમાં પહોંચે એ એક મોરલ વિક્ટરી પણ છે.

  • અત્યાર સુધીમાં રિકવર થયેલા પેશન્ટ્સની સંખ્યા
  • વિશ્વમાં કુલ 155,965
  • ભારતમાં કુલ 1000
  • ગુજરાતમાં કુલ 02

કોરોના ઇન્ફેકશન અંગે જાણો વધુ

વિશ્વમાં હાલમાં કુલ 1,90,746 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેમની બિમારીનું ફાઇનલ પરીણામ આવી ચૂક્યું છે. આ પૈકી 82 ટકા એટલે કે 1,55,964 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. એવી જ રીતે કુલ 18 ટકા દર્દીઓ એટલે કે 34,781 કમનસીબ લોકોના કોરોનાના કારણે મોત નિપજી ચૂક્યા છે.

હાલના એક્ટીવ કેસ

હાલમાં વિશ્વમાં કુલ 5,44,252 લોકોને કોરોના ઇન્ફેકશન લાગ્યું છે. જેમાંથી 95 ટકા એટલે કે 5,16,051 દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન છે. એવી જ રીતે 5 ટકા એટલે કે 28,201 પેશન્ટની હાલની કન્ડીશન ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.

March 30, 2020
minal-dakhave.jpg
2min10400

ગર્ભાવસ્થાના અંતિમ દિવસ સુધી કોરોનાની ઇન્ડીયન ટેસ્ટીંગ કીટ વિકસાવવા કામ કર્યું : કીટને મંજૂરી મળીને બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પૂણા ખાતે સ્થિત ભારતની સૌથી મહત્વની લેબોરેટરીમાં ફરજ બજાવતા મિનલ દાખવે ભોંસલે નામની મહિલાએ પોતે ગર્ભાવસ્થામાં હોવા છતાં કોરોના વાયરસની તપાસ માટેની એવી કિટ તૈયાર કરી છે જે વિદેશી કિટની સરખામણીમાં ખૂબ જ સસ્તી છે.

देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम

ખાસ વાત એ છે કે મીનલ દાખવે ભોંસલે નામની મહિલાએ તેની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ જઇ રહ્યા હોવા છતાં દેશ માટે આ કિટ પર કામ કર્યું અને એનું પરીણામ લાવીને રહ્યા.

દેશની આ પહેલી કોરોના વાયરસ ટેસ્ટિંગ કિટ છે જે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે.

વાયરોલોજિસ્ટ મીનલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના પ્રોજેક્ટ પર ફેબ્રુઆરીમાં કામ શરૂ કર્યું હતું. તેઓ પ્રેગ્નેન્ટ હતા અને ગત અઠવાડિયે જ બાળકીને જન્મ આપ્યો છે. મીનલે જણાવ્યું કે આ જરૂરી હતું, મેં એક પડકારના ભાગરૂપે આ કિટ તૈયાર કરી છે.

મિનલ દાખવે તેમની ટીમના તમામ 10 સભ્યોએ કઠિન પરિશ્રમ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. તેમણે તૈયાર કરેલી ટેસ્ટિંગ કિટને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને તારીખ 18 માર્ચના દિવસે સોંપવામાં આવી હતી. અને તેના એક દિવસ પછી મીનલ દાખવેએ બાળકીને જન્મ આપ્યો હતો.

દેશી ટેસ્ટિંગ કીટ કેમ વિદેશી કીટથી બહેતર છે વાંચો અહીં

મિનલ દાખવે અને તેમની ટીમે તૈયાર કરેલી કોવીડ-19 ટેસ્ટીંગ કીટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટિંગનું રિઝલ્ટ આપે છે જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગ માટે 6થી 7 કલાકનો સમય લાગે છે. દરેક માઈલેબ કિટથી 100 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે અને તપાસ માટેનો ખર્ચ 1200 રૂપિયા થાય છે. જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગનો ખર્ચો 4500 રૂપિયા થાય છે. માઈલેબ ડિસ્કવરી સૉલ્યુશન્સની પાસે દરરોજ 15 હજાર ટેસ્ટિંગ કિટ તૈયાર કરવાની ક્ષમતા છે.

देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम

  • देश का पहला कोरोना टेस्टिंग किट मार्केट में आ चुका है
  • पुणे की वायरॉलजिस्ट मीनल दाखवे भोंसले ने कमाल कर दिखाया
  • उन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में प्रॉजेक्ट पर काम किया और डेडलाइन मीट की
  • अब हर दिन 15 हजार किट तैयार हो रहे हैं जो विदेशी किट के मुकाबले किफायती हैं

कुछ करने का जज्बा हो तो मुश्किलें हल हो जाती हैं। मिनल दाखवे भोंसले ने जो कर दिखाया है, उसे जानकर तो यह फिर से साबित हो रहा है। उन्होंने कोरोना वायरस की जांच के लिए ऐसा किट तैयार किया जो विदेशी किट के मुकाबले बेहद सस्ता है। खास बात यह है कि मीनल ने अपनी प्रेग्नेंसी के आखिरी महीनों में इस किट पर काम किया। देश का यह पहला टेस्टिंग किट कोरोना के खिलाफ लड़ाई में बड़ी भूमिका अदा कर सकता है।

वायरॉलजिस्ट मीनल ने पुणे के एक डायग्नोस्टिक फर्म माइलेब डिस्कवरी सोल्युशन्स के प्रॉजेक्ट पर फरवरी में काम शुरू किया था। वह प्रेग्नेंट थीं। पिछले हफ्ते ही उन्हें बच्ची हुई। उन्होंने कहा, ‘यह जरूरी था, इसलिए मैंने इसे चुनौती के रूप में लिया। मुझे अपने देश की सेवा करनी है।’ उन्होंने बताया कि उनकी टीम के सभी 10 सदस्यों ने कठिन परिश्रम किया है। प्रॉजेक्ट पूरा होने पर टेस्टिंग किट नैशनल इंस्टिट्यूट ऑफ वायरॉलजी (NIV) को 18 मार्च को सौंप दिया गया और अगले दिन ही मीनल को बेटी हुई।