સુરતીઓની દુનિયા Archives - Page 61 of 79 - CIA Live

April 26, 2019
sunstroke.jpg
1min110140

સુરત મહાનગરપાલિકાએ દરેક બસ સ્ટેન્ડ, દરેક હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ.ની સુવિધા ઉભી કરી છે

સુરત મહાનગરપાલિકાએ તા.27મી એપ્રિલ 2019ના રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રી  જેટલો તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા દર્શાવતી એક એડવાઇઝરી જારી કરી છે. શહેરીજનોને અતિશય તાપથી બચીને રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સન સ્ટ્રોકને કારણે લૂ લાગવા તેમજ અન્ય મુશ્કેલીઓ ઉપસ્થિત થવાની શક્યતા જોવાય રહી છે.

વાતાવરણની અધિકૃત ભાષામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે. અતિશય ગરમી પડે એટલે એને ઓરેન્જ એલર્ટ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે છે.

આ પ્રકારની ગરમી શનિવાર, તા.27મી એપ્રિલે પડવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની એડવાઇઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તા.28મી એપ્રિલ 2019ને રવિવારે તાપમાનનો પારે 43 ડિગ્રીએ એટલે કે યલો એલર્ટ તેમજ તા.29મી એપ્રિલને સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

શહેરીજનોને અતિશય તાપ પડવાની એડવાઇઝરી આપતા સુરત મહાનગરપાલિકાએ નીચે મુજબનું સ્ટેટમેન્ટ પણ જારી કર્યું છે.

વધુમાં તા.26મી એપ્રિલ 2019ના રોજ સુરત શહેરમાં તાપમાનનો પારો આ વખતની સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્તરે 42.1 ડિગ્રી પર નોંધાયો હતો. શુક્રવારે ભેજનું પ્રમાણ 20 ટકા જેટલું નીચે ઉતરી ગયું હતું. હવાનું દબાણ 1004.7 મિલીબાર નોંધાયું હતું અને પવનની ગતિ ઉત્તરમાંથી 7 કિ.મી. જેટલી નોંધાઇ હતી. જોકે, સુરતીઓ શુક્રવારની ગરમીથી ત્રસ્ત પોકારી ઉઠ્યા હતા.

શુક્રવારે જ  સુરતીઓ પારાવાર ગરમીથી પરેશાન થઇ ગયા હતા. એવામાં હવે પછીના ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવારે ભારે ગરમી પડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

 

April 25, 2019
bni_logo.png
1min9060

जयेश ब्रह्मभट्ट

BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल को सुरत लाने वाले सी.ए. गौरव सिंघवी के नाम पर विवाद खडां हो गया है. सुरत में BNI चेप्टर्स के मेम्बर्स को विकली मिटिंग में गैरहाजिर रहे ने पर फटकार लगाने वाले गौरव सिंघवी खुद सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI )  कि मिटिंग में हाजिर नहीं रहेते. उनकी निरंतर गैरहाजरी के चलते चलते SGCCI ने उन्हे बरखास्त क्यूं न किया जाए इस मुद्दे पर कारणबताव नोटिस दिया है. यह मुद्दा बी.एन.आइ. के मेम्बर्समां भारी चर्चास्पद बना हूआ है.

हाल ही में सुरत में BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल ने 1000 दिन पूरे किए है. उसी दिन BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के सर्वेसर्वा माने जाते सी.ए. गौरव सिंघवी को उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के चलते नोटिस मिला है. गौरव सिंघवी जैसे तकरीबन 29 बडे उद्योगपतिओ को नोटिस दिया गया है.

गौरव सिंघवी इसिलिए विवाद में फंसे है क्यूंकी BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के चेप्टर्स में मेम्बर्स कि गैरहाजरी पर वे खुद और डो.निधी सिंघवी काफी सख्त रूख अपना तै है. अगर कोई मेम्बर अनिवार्य कारण से मिटींग में नहीं जा सक्ता तो उनको फोन करके धमकाया जाता है. उनके सामने काफी कम्पलेन उठे है, पर मेम्बर्स अभी तक उनके खिलाफ कम्पलेन नहीं करते थे लेकिन अब BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) को कम्पलेन करने का मन बना चूके है.

BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) के नियमो के मुताबिक विकली मिटींग के प्रति मिटिंग 800 रू. प्रति माह ले सक्ते है पर यहां सुरत में मेम्बर्स को एक साथ 3 महिने कि मिटींग्स के पैसे एडवान्स में जमा करवाए जाते है, ऐसा इसिलिए किया जाता है ताकी मेम्बर गैरहाजिर न रहे, अगर रहे तो भी उनका पैसा एडवान्स में बी.एन.आइ. के खाते में जमा हो गया होता है.

क्या कहा गौरव सिंघवी ने गैरहाजरी के विवाद में

जब सी.आइ.ए. लाइव ने गौरव सिंघवी को व्होट्स एप के जरिए उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के बारे में पूछा तभी उन्हो ने कहा कि अब से सभी मिटींगोमां वो हाजरी दैंगे, और उन्हे कहा की मै बहुत खुश हुं की उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) मेम्बर्स कि गैरहाजरी पर इतनी चिंता जता रही है.

BNI સુરતમાં ગેરહાજરી બાબતે કડક વલણ અપનાવતા ડાયરેક્ટર ગૌરવ સિંઘવી ખુદ SGCCIની મિટીંગોમાં ગેરહાજર રહે છે

સુરતમાં BNI બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલને લાવીને ડઝનબંધી ચેપ્ટર્સ ઉભા કરનાર સી.એ. ગૌરવ સિંઘવી એક અજીબોગરીબ વિવાદમાં સપડાયા છે. BNI સુરતના ચેપ્ટર્સમાં મેમ્બર્સ બનેલા લોકોની અનિવાર્ય કારણોસર પણ જો કોઇ ગેરહાજરી હોય તો તેમને ઝાટકી નાંખતા સી.એ. ગૌરવ સિંઘવી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ની મેનેજિંગ કમિટીની મિટીંગમાં સતત ગેરહાજર રહેતા આવ્યા છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરતા  SGCCI એ ગૌરવ સિંઘવીને નોટિસ ફટકારી છે.

SGCCI એ કુલ 29 સભ્યોને નોટિસ ફટકારી છે એમાં ગૌરવ સિંઘવી એટલા માટે વિવાદમાં સપડાયા છે કેમકે તેઓ બી.એન.આઇ. સુરતમાં ગેરહાજરી બાબતે સખત વલણ અપનાવે છે અને અનેક મેમ્બર્સ તેમની આ બાબતને લઇને બી.એન.આઇ. ચેપ્ટર્સ છોડી ચૂક્યા છે.

શું કહ્યું ગૌરવ સિંઘવીએ

બી.એન.આઇ. સુરત ચેપ્ટર્સમાં ગૌરવ સિંઘવીના બેવડા ધોરણો આજે દિવસભર ચર્ચામાં રહ્યા છે. સી.આઇ.એ. લાઇવ એ ગૌરવ સિંઘવીને જ્યારે SGCCIની મેનેજિંગ કમિટીની મિટીંગમાં ગેરહાજરી બાબતે પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે હવે પછીની મિટીંગોમાં તેઓ હાજરી આપશે. તેમણે ઉમેર્યું કે તેઓ ખુશ છે કે SGCCI પોતાના સભ્યની ગેરહાજરી બાબતે ચિંતિત છે.

April 24, 2019
surat_loksabha.png
3min7330

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારના મતદાન મથકોએ તા.23મીએ સવારે 7થી સાંજે 5 વાગ્યાના 10 કલાક દરમિયાન પ્રતિ કલાકના સરેરાશ લગભગ એક લાખ (99,927) મતદારો મતદાન કરી રહ્યા હતા. પરંતુ, સાંજે 5થી 6ના છેલ્લા છેલ્લા એક કલાક દરમિયાન એક લાખની સરેરાશ ઘટીને 60,152 પર સીમીત થઇ ગઇ હતી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા કલાકમાં મતદાન ઘટે કે વધે?

અત્યાર સુધીની ચૂંટણીમાં એવું જોવામાં આવ્યું છે કે મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાનમાં જંગી વધારો થતો હોય છે. પરંતુ, સુરતના 2019ના મતદાનના આંકડા અજીબોગરીબ સ્થિતિ બયાં કરી રહ્યા છે.

કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે સુરતના ચૂંટણી તંત્રના આ આંકડા ગળે ઉતરે તેવા નથી. તો કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે વોટર્સ નિરસ રહ્યા છે. ગરમીના કારણે મતદાનમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં એ વધારાના એક કલાકમાં મતદાનમાં જેટલું બુસ્ટઅપ થવું જોઇતું હતું તેવું આંકડા પરથી જાણી શકાયું નથી.

નીચે મુજબના કોષ્ટક પરથી સવારે 7થી દર પ્રતિ બે કલાકે થયેલા મતદાનના આંકડા તેમજ ટકાવારી જાણી શકાય છે અને એ ટકાવારી છેલ્લા એક કલાક 5થી 6ના ગાળામાં કેટલી ઘટી ગઇ એ પણ પ્રથમદર્શી નજરે જોઇ શકાય છે.

ક્રમ સમય કુલ મતદાન  મતદાનની ટકાવારી
પુરુષ સ્ત્રી અન્ય કુલ પુરુષ સ્ત્રી અન્ય ટકાવારી
1 ૭.૦૦ થી ૯.૦૦ ૧૦૨૭૭૬ ૬૪૦૩૯ ૧૬૬૮૧૭ ૧૧.૫૩ ૮.૩૮ ૩.૩૯ ૧૦.૦૮
2 ૭.૦૦ થી ૧૧.૦૦ ૨૨૩૭૧૫ ૧૫૧૦૦૭ ૩૭૪૭૨૪ ૨૫.૧ ૧૯.૭૬ ૩.૩૯ ૨૨.૬૩
3 ૭.૦૦ થી ૧.૦૦ ૩૪૩૪૨૨ ૨૫૯૩૭૬ ૬૦૨૮૦૩ ૩૮.૫૩ ૩૩.૯૪ ૮.૪૭ ૩૬.૪૧
4 ૭.૦૦ થી ૩.૦૦ ૪૬૯૮૦૪ ૩૫૪૩૮૨ ૮૨૪૧૯૩ ૫૨.૭૧ ૪૬.૩૭ ૧૧.૮૬ ૪૯.૭૮
5 ૭.૦૦ થી ૫.૦૦ ૫૫૯૩૬૬ ૪૩૯૮૯૪ ૯૯૯૨૬૮ ૬૨.૭૬ ૫૭.૫૬ ૧૩.૫૬ ૬૦.૩૫
6 ૭.૦૦ થી ૬.૦૦ ૫૬૪૪૮૮ ૪૯૪૯૨૧ ૧૧ ૧૦૫૯૪૨૦ ૬૩.૩૩ ૬૪.૭૫ ૧૮.૬૪ ૬૩.૯૯

(ઉપરોક્ત કોષ્ટક-માહિતી, સુરતના માહિતી ખાતા દ્વારા સત્તાવાર રીતે અપાયેલી માહિતી છે)

ઉપરોક્ત કોષ્ટક જોયા પછી સ્વાભાવિક સવાલ એ ઉપસ્થિત થાય કે સુરતના મતદાન મથકો પર છેલ્લા એક કલાકમાં એવું તે શું બન્યું કે આખા દિવસ દરમિયાન જે ગતિએ મતદારો નોંધાયા તે છેલ્લા એક કલાકના મતદાનમાં વધવાની જગ્યાએ લગભગ અડધા થઇ ગયા.

વિસ્તૃત એનાલિસીસ જોઇએ તો સુરત સંસદીય મત વિસ્તારમાં પ્રતિ બે કલાકના સ્પેલમાં કેટલા મતદારો વધ્યા એ નીચેના આંકડા દર્શાવે છે.

મતદારોની પ્રતિ બે કલાકમાં વધ ઘટ

સવારે 7થી 9                  1,66,817

સવારે 9થી 11                2,07,907

સવારે 11થી બપોરે 1      2,28,079

બપોરે 1થી બપોરે 3       2,21,390

બપોરે 3થી સાંજે 5         1,75,075

સાંજે 5થી 6                      60,052  (એક કલાકના ડબલ ગણીએ તો પણ 1.20 લાખ મતદારો થાય)

આમ, સુરતમાં છેલ્લા એક કલાકના આંકડામાં અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે. છેલ્લા કલાકમાં કોઇપણ ચૂંટણીમાં કોઇપણ સ્થળે મતદાનમાં વધારો નોંધાતો હોય તેની સામે સુરત સંસદીય મત વિસ્તારમાં 2019ની ચૂંટણીમાં છેલ્લા કલાકના મતદાનમાં અસામાન્ય ઘટાડો નોંધાયો છે.

April 22, 2019
Crdarshna.jpg
1min10060

જયેશ બ્રહ્મભટ્ટ

તા.23મીએ લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે અને વિના વિધ્ને સંપન્ન થાય એ માટે આજે તા.22મી એપ્રિલથી જ પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફને તૈનાત કરી દેવામાં આવી રહ્યો છે. સુરત ટેરેટરીની વાત કરીએ તો સુરત, નવસારી અને બારડોલી સંસદીય મત વિસ્તાર પૈકી સુરત અને નવસારીમાં ભાજપનો વિજયન નિશ્ચિત મનાય છે જ્યારે બારડોલીમાં ભાજપીઓની યાદવાસ્થળી કદાચ ફરીથી ડો. તુષાર ચૌધરીને લાઇમલાઇટમાં લઇ આવશે.

ભાજપાના વિજયની વાત કરીએ તો સુરત અને નવસારી બન્ને સીટો ભાજપા માટે સેફ ગણાય છે. સુરત નવસારી બેઠકો પર ભાજપાનો વિજય નિશ્ચિત હોવા છતાં બન્ને બેઠકોની વિક્ટરીમાં ફેર છે.

(શું ફરીથી આ તસ્વીર શક્ય બનશે…)

સુરત બેઠક પર સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા દર્શના જરદોષ પક્ષબળે ચૂંટણી જીતશે જ્યારે નવસારી બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા સી.આર. પાટીલ આપબળે ચૂંટણી જીતશે.

સુરત મહાનગરનું ભાજપાનું નેટવર્ક રાજ્યના સૌથી સુવ્યવસ્થિત નેટવર્ક તરીકે માનવામાં આવે છે. સુરત ભાજપાની સંગઠનાત્મક કામગીરી, વનબુથ ટેન યુથ, માઇક્રો પ્લાનિંગ, બૂથ લેવલનું પ્લાનિંગ, પેજ પ્રમુખોનું વ્યવસ્થા તંત્ર સુરત ભાજપા મહાનગરનું એટલું વખાણાય છે કે ભાજપ અહીનું મોડેલ સમગ્ર રાજ્યમાં લાગૂ પાડે છે. દર્શના જરદોષને સુરત ભાજપાના આ નેટવર્કનો સીધો લાભ મળી રહ્યો છે.

બબ્બે ટર્મથી સુરત જેવા ચૌતરફા પ્રગતિ કરી રહેલા સ્માર્ટ સિટીના સાંસદ ચૂંટાયા હોવા છતાં દર્શના જરદોષ જમીની નેતા બની શક્યા નથી. પાર્ટી ટિકીટ આપે છે એટલે કાર્યકર્તાઓ તેમની સાથે દેખાય છે. ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ તેમનું કામ એટલે કરે છે કે પાર્ટી તેમના પર વોચ રાખે છે. અન્યથા દર્શના જરદોષ માટે સ્વયંભુ કામ કરવાની ઇચ્છા બહું ઓછામાં જણાય આવે છે.

આવી પ્રચાર રેલી સી.આર. પાટીલ સિવાય કોઇ ઉમેદવાર કાઢી શકે એમ નથી

બીજી તરફ નવસારીમાં ભાજપનો વિજય સી.આર. પાટીલના સ્વબળે થઇ રહ્યો છે. નવસારીમાં ભાજપાનું નેટવર્ક સુરત ભાજપા જેવું નથી. આમ છતાં છેલ્લી બે ટર્મથી સી.આર. પાટીલ જીતતા આવ્યા છે અને તેમણે 10 વર્ષોમાં સતત પોતાના વિસ્તારમાં રહીને પોતાનું નેટવર્ક એવું જડબેસલાક બનાવી દીધું છે કે તેના પર જ તેઓ વિજયી નિવડી રહ્યા છે. સી.આર. પાટીલ માટે કોઇ ગમે તેટલો દુષ્પ્રચાર કરતું હોય પરંતુ એવો આરોપ તેમની સામે ક્યારેય નથી મૂકાયો કે તેઓ પોતાના વિસ્તારમાં ગયા નથી કે પોતાના વિસ્તારનો વિકાસ કર્યો નથી. પોતાના વિસ્તારમાં સી.આર. પાટીલ સતત રહ્યા અને ત્યાં ના લોકો પણ સી.આર. પાટીલને જાણે છે એટલે જ  તેઓ પ્રચંડ લીડથી આપબળે વિજયી નિવડી રહ્યા છે. આમેય સુરત ભાજપામાં સી.આર. પાટીલને પહેલેથી જ જમીની નેતા રહ્યા છે, પાવરમાં ન હોવા છતાં તેમની સાથે કાર્યકરોની ફૌજ સતત ઉભી રહેતી, હવે તો સાંસદ છે એટલે આખી સેના તેમની પડખે સતત ઉભી રહે છે.

ડો. તુષાર ચૌધરી માટે ભાજપીઓએ જ દિલ્હીનો રસ્તો તૈયાર કર્યો

સુરત ટેરેટરીની ત્રીજા બેઠક બારડોલી સંસદીય મત વિસ્તાર. બારડોલી બેઠક જે 2014માં ભાજપાએ કોંગ્રેસના ડો.તુષાર ચૌધરી પાસેથી આંચકી લીધી હતી. પરંતુ, આ વખતે ડો. તુષાર ચૌધરી ફરીથી આ બેઠક અંકે કરવા માટે જોરદાર કમબેક કરી રહ્યા છે તેમના આ કમબેકમાં સુરત જિલ્લા ભાજપના યાદવાસ્થળીમાં રાચતાં અને નેતા બનીને ફરતા ભાજપીઓ જ આડકતરી પણ મહત્વની હેલ્પ કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ બેંક, સુમુલડેરી અને સુગર ફેક્ટરીઓ જેવી સહકારી સંસ્થાઓના કેટલાક નેતાઓએ જે ખેલ ખેલીને ખેડૂતો અને સામાન્ય લોકોને હાલાકીમાં મૂક્યા એ હવે એન્ટી વોટિંગ સ્વરૂપે ભાજપીઓને પરત મળે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

બારડોલી સંસદીય મત વિસ્તારમાં જો ભાજપાની હાર થશે તો હારના થોડા જ દિવસોમાં ભાજપાના બની બેઠેલા નેતાઓ અને સંગઠનના પદો પરથી પોતાની ખીચડી પકાવી રહેલા નેતાઓ પર શિક્ષાત્મક કોકડાં વિંઝાશે એવી ચીમકી જિલ્લા ભાજપાના નેતાઓને મળી ચૂકી છે.

April 21, 2019
sgcci3-1280x887.jpg
1min12760

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આજે તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહેલી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીનું મતદાન બરાબર સવારે 10ના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું છે.

પહેલા કલાકમાં જ 515 વોટ પડ્યા

સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ચૂંટણી પૂર્વે સવારે 9 વાગ્યાથી જ સી.એ. મિતિષ મોદી અને દિનેશ નાવડીયા કેમ્પન સમર્થકો સરસાણા પ્લેટિનમ હોલ પર પહોંચી ચૂક્યા હતા. પહેલા કલાકમાં જ 515 ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકોએ પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો. ચેમ્બરના જાણકારોનું કહેવું છે કે આટલું સ્પીડમાં વોટિંગ અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું.

મતદાનના પહેલા જ કલાકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનાથી વધારે ઉત્સાહ બન્ને પક્ષોના સમર્થકોમાં જોવા મળ્યો હતો. કેમકે મિતિષ મોદી તરફે અબકી બાર મોદી સરકાર જેવા સૂત્રોચ્ચાર શરૂ થયા હતા તો સામે દિનેશ નાવડીયા તરફે પણ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. મતદારો પણ પહેલા કલાકમાં મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

પહેલું મતદાન આ મેમ્બરે કર્યું

સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું ત્યારે પહેલું મતદાન નિમ્નદર્શિત ફોટોવાળા મેમ્બરે કર્યું હતું.

બન્ને ઉમેદવારો વચ્ચે સોહાર્દભર્યું વાતાવરણ સર્જાયું

ચેમ્બરની ચૂંટણીના અધિકારી પૂર્વ પ્રમુખ પી.એમ. શાહ સાથે વર્તમાન પ્રમુખ હેતલ મહેતા, ભાવિ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ કેતન (કલ્લુભાઇ દેસાઇ) તેમજ બન્ને ઉમેદવારો સી.એ. મિતિષ મોદી અને ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા મતદાન પૂર્વે આ પ્રકારે મળ્યા હતા.

મિતિષ મોદીએ મતદાન કર્યું

સરસાણા પ્લેટિનમ હોલ ખાતે મતદાન શરૂ થતાંની સાથે જ સી.એ. મિતિષ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિનેશ નાવડીયાએ પણ ત્વરિત મતદાન કર્યું

શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયાએ પણ મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો.

April 20, 2019
mitish_modi1.jpg
1min9880

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી રવિવાર તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહી છે એ પૂર્વે લોકસભાની ચૂંટણીમાં જેમ મોદી મોદી થઇ રહ્યું છે એમ ચેમ્બરની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પણ સ્થાનિક ઉદ્યોગજગતમાં મોદી મોદી વાઇરલ થયું છે.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે દાયકાઓથી સુરતમાં કાર્યરત મિતિષ મોદી માટે કહેવાય છે કે પ્રેઝન્ટેશન અને પ્રોજેકશનમાં તેમની માસ્ટરી છે અને તેની પ્રતીતિ ફોસ્ટા સાથેની મિટીંગમાં જ જોવા મળી હતી. સ્થાનિક ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના આગેવાનો સાથેની બેઠકમાં સામાન્ય ચર્ચા ચાલી રહી હતી ત્યારે ટેક્સટાઇલ ટ્રેડર્સ આગેવાનોએ આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલ ને સ્પર્શતી સમસ્યા અંગે ચર્ચા છેડીને ઉકેલ માંગ્યો હતો. મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ ત્વરિત તેનો ઉકેલ જણાવ્યો હતો અને ટેક્સટાઇલ વ્યાપારીઓને પણ તેમની વાત સ્પર્શી ગઇ હતી.

ટેક્સટાઇલ ટ્રેડર્સને હાલ એ સમસ્યા નડી રહી છે કે ખરીદ વેચાણના સોદામાં માલ વેચાણ કરતા વેપારીને મોટા ભાગના કિસ્સાઓમાં પેમેન્ટ 6 મહિના કે તેનાથી વધુ સમય બાદ મળે છે. પરંતુ, ખરીદનાર વેપારી એ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય છે. પેમેન્ટ બાકી હોવા છતાં ખાતામાં ટેક્સ ક્રેડિટનો ઉપયોગ થઇ ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં જીએસટીના નિયમો મુજબ 180 દિવસમાં જો પેમેન્ટ ન આવે તો ક્રેડિટ રિવર્સલ એન્ટ્રી કરવી પડે છે અને બાદમાં ટેક્સનું પેમેન્ટ કેશથી અને એ પણ 24 ટકા વ્યાજ સાથે. આ મુદ્દો ઉઠમણું કરી જતા વેપારીઓના કિસ્સામાં પણ લાગૂ પડે છે અને વેપારીઓનું પેમેન્ટ તો અટવાય છે ઉપરથી ટેક્સનો માર બમણો પડે છે.

આ મુદ્દા પર મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ વ્યાપારીઓને કેટલાક આઇડિયા શેર કર્યા હતા જેમાં જ્યુરિડિકશનલ જીએસટી અધિકારીને પેમેન્ટ નહીં કરનાર જે તે વેપારી અંગે લેખિતમાં જાણ કરવામાં આવે. ખરીદનારે પેમેન્ટ કર્યા વગર ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય તેવા કિસ્સામાં જીએસટી તંત્રની આકરાં પગલાંની જોગવાઇ છે. આમ, આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલના કેસમાં વ્યાપારીઓની મોટી રકમ વેડફાંતા કે ફસાતાં બચી શકે તેમ છે.

એવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ સમા વિવર્સ અગ્રણીઓ સાથેની મિટીંગ પણ મિતિષ મોદી માટે ફળિભૂત થઇ છે. વિવર્સ તેમજ પ્રોસેસર્સ સાથે વન ટુ વન મિટિંગમાં મિતિષ મોદીએ પોતાના ભાવિ પ્રોજેક્ટ અને રણનીતિથી ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા.

April 20, 2019
devendra-fadnavis1.jpg
1min12080

એક સમયે ચાર લાખ હેક્ટર જમીન માટે સિંચન સુવિધા ઉપલબ્ધ કરી દેનારો તાપી મેગારિચાર્જ પ્રકલ્પ પૂર્ણ થશે ત્યારે તે સૌને આશ્ર્ચર્યચક્તિ કરી દેશે, તેમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાવેર ખાતે વિજયસંકલ્પ સભામાં જણાવ્યું હતું.

Maharashtra chief minister Devendra Fadnavis along with wife Amruta during the media meet on the occasion of Diwali festival at his official residence Varsha at Malabar hill on Tuesday. Express Photo by Prashant Nadkar. 17.10.2017. Mumbai.

જળગાંવ અને રાવેર ખાતે ઉન્મેશ પાટીલ અને રક્ષાતાઈ ખડસેના મતવિસ્તારમાં તેમની સભા યોજાઈ હતી. મહારાષ્ટ્રના સી.એમ. ફડણવીસે જણાવ્યું હતું કે તાપી નદી ખાતે પાડળસા ધરણનું કામ આપણી જ સરકારના હસ્તે પૂરું થશે. આ માટે રૂ. 2771 કરોડ મંજૂર થયા છે. આ પ્રોજેક્ટથી અંમળનેર તાલુકાના 67 ગામને લાભ મળશે.

તાપી રિચાર્જ પ્રકલ્પનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ જળશક્તિ મંત્રાલય સ્થાપન કરી તમામ પ્રકલ્પોની ખાસ કાળજી લેવાનું નક્કી કર્યું છે.

જળગાંવ જિલ્લાના ખેડૂતોને રૂ. 2300 કરોડની મદદ મળી છે. રાવેર ખાતે ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં દુષ્કાળની સમસ્યા છે અને સરકારને તેની પૂર્ણ માહિતી છે.

અત્યાર સુધી 72 લાખ ખેડૂતના ખાતામાં દુષ્કાળ માટેની રાહતની રકમ જમા થઈ ચૂકી છે. કેન્દ્ર સરાકરે મહારાષ્ટ્રને અત્યાર સુધીની સૌથી મોટી મદદ કરી છે. આ ભાગમાં સિંચાઈ માટે મોટા કામ થઈ રહ્યા છે.

તાપી મેગા રિચાર્જ પ્રકલ્પ લોકોને અશક્ય લાગી રહ્યો છે, પરંતુ તે અમે હાથ ધરી રહ્યા છે, અને પૂરો થશે ત્યારે દુનિયાને અચરજ થશે. આ પ્રક્લ્પને લીધે કોઈ વિસ્થાપિત થશે નહીં. શેળગાંવ બેરેજ માટે રૂ. 770 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ભુસાવળ ખાતે વીજનિર્માણનો પ્રકલ્પ સાકાર થઈ રહ્યો છે, તેમ પણ ફડણવીસે જણાવ્યું હતું.

April 19, 2019
dinesh_navadia.jpg
1min6900
  • એમ.એલ.એ. હર્ષ સંઘવીએ દિનેશ નાવડીયા કેમ્પમાં હાજરી આપી
  • સીએસ જરીવાલા, પી.એમ. શાહ જેવા સી.એ. વ્યાવસાયિક શાસકો ચેમ્બરને નજીકના ભૂતકાળમાં જ મળી ચૂક્યા છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની યોજાઇ રહેલી ચૂંટણીમાં હીરા ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયા હોટ ફેવરિટ ઉમેદવાર તરીકે જોવાય રહ્યા છે. હકીકતમાં ચેમ્બર ઓફ કોમર્સને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ ધરાવતા શાસક નહીં પરંતુ, ઉદ્યોગકીય દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

અત્યાર સુધી સી.એસ. જરીવાળા, પી.એમ. શાહ જેવા સી.એ. (વ્યાવસાયિક) નજીકના વર્ષોમાં ચેમ્બરના શાસક બની ચૂક્યા છે, પરંતુ, ઉદ્યોગપતિ દ્રષ્ટિકોણ ધરાવતા શાસક ચેમ્બરને ઘણાં વર્ષોથી મળ્યા નથી. ચેમ્બર ઓફ કોમર્સ ઔદ્યોગિક હિત માટે કાર્ય કરતી સંસ્થા છે અને હવે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, બાંધકામ ઉદ્યોગપતિઓ સમેત મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા બહુમતિ ઉદ્યોગપતિઓ પણ એવું ઇચ્છી રહ્યા છે કે હવે પછી ચેમ્બરને દિનેશ નાવડીયા જેવા ઉદ્યોગ દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રમાં અત્યાર સુધી દિનેશ નાવડીયાએ કરેલી મિટીંગોની ફળીભૂત નિવડી છે. દિનેશ નાવડીયાને ઉદ્યોગકારો દ્વારા વોટિંગ કમિટમેન્ટ સાંપડી રહ્યા છે.

એવી જ રીતે શહેરના ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કરવામાં આવેલી ગ્રુપ મિટીંગોમાં દિનેશ નાવડીયાને અગ્રણીઓએ કોલ આપ્યા હતા કે તેઓ અચૂક વોટ આપશે. બીજી તરફ આજે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ દિનેશ નાવડીયા કેમ્પમાં આવ્યા હતા અને તેમણે દિનેશ નાવડીયા માટે પ્રચાર કર્યો હતો.

મેનેજિંગ કમિટીમાંથી દિનેશ નાવડીયા સમેત 50 જેટલા સભ્યોને ડિસક્વોલિફાય કરવાની નોટિસ આપવાની બાબત દિનેશ નાવડીયા કેમ્પને ડિસ્ટર્બ કરવા માટે જોરશોરથી ઉઠાવવામાં આવી હતી. પરંતુ, આ નેગેટિવ પબ્લિસિટીએ દિનેશ નાવડીયા માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જ્યું છે.

April 19, 2019
SGCCI.jpg
1min15110

મિતિષ મોદી  मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर, लोग साथ आते गए और कारवाँ बनता गया

ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી શહેરના સેલિબ્રિટીઝ અને વીઆઇપીઓમાં સાંસદની ચૂંટણી કરતા પણ વધુ ચર્ચાસ્પદ બની છે. ચેમ્બરના વી.પી.ની ચૂંટણીમાં હાલ જેઓ મજબૂત કેન્ડીડેટ તરીકે ઉભરી આવ્યા છે એ જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષ મોદી જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે બિલકુલ એકલા-અટુલા ગયા હતા અને આજે તેમની સાથે આખો કાફલો ચાલી રહ્યો છે.

मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर, लोग साथ आते गए और कारवाँ बनता गया, મિતિષ મોદી માટે આ બિલકુલ બંધ બેસતી સ્થિતિ છે. જ્યારે ચૂંટણીના મંડાણ થયા ત્યારે પહેલા ચાર દિવસના અખબારોમાં મિતિષ મોદીએ ફોર્મ ભર્યું હોવા છતાં તેમનો નામોલ્લેખ જોવા મળ્યો ન હતો. આશિષ ગુજરાતીને એવી રીતે પ્રોજેક્ટ કરાયા કે તેમના નામે સર્વસંમતિ બની જ જવાની હોય. સત્તાધારી પેનલએ એક સમયે મૃણાલ શુક્લ માટે પ્રયાસો કરી જોયા. પણ છેવટે બીએસ અગ્રવાલે દિનેશ નાવડીયાનો હાથ પકડ્યો એટલે પરિસ્થિતિ બદલાય જવા પામી હતી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની હાલ યોજાઇ રહેલી ચૂંટણી આડે હવે ફક્ત 48 કલાક બાકી બચ્યા છે ત્યારે દ્વિપાંખીયા જંગમાં મિતિષ મોદી અને દિનેશ નાવડીયા બન્ને મેરીટોરીયસ કેન્ડીડેટ છે એમાં બે મત નથી, પણ આ ચૂંટણીમાં નિર્ણાયક પરિબળ જો કોઇ બન્યું હોય તો એ માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલ સામેની નારાજગી છે. બી.એસ. અગ્રવાલથી નાખુશ લોકો એક મંચ પર આવી ગયા છે અને એ મંચ પરથી મિતિષ મોદી હાલ ચૂંટણી લડી રહ્યા છે. ઇનશોર્ટ હાલની સત્તાધારી પેનલ સામે બી.એસ. અગ્રવાલે વખતોવખત કોઇકને કોઇક મુદ્દે શિંગડા ભેરવ્યા છે અને એના કારણે સત્તાધારીઓ હાલમાં બી.એસ. અગ્રવાલ જે કેમ્પમાં છે તેનાથી વિરુદ્ધના કેમ્પમાં એકઠા થયા છે.

અત્યાર સુધી બીએસ અગ્રવાલે જે જે મુદ્દાઓ પર સત્તાધારીઓ સામે શિંગડા ભેરવ્યા, એમાના એકેયમાં બીએસ અગ્રવાલ સફળ થયા નથી

બી.એસ. અગ્રવાલે અત્યાર સુધી સત્તાધારીઓ સામે જ્યારે જ્યારે શિંગડા ભેરવ્યા છે ત્યારે ત્યારે તેઓ એકેય મુદ્દા પર સફળ થયા નથી આવી સ્થિતિમાં હવે આ વખતે તેમણે દિનેશ નાવડીયાને પોતાના ઉમેદવાર જાહેર કરીને તેમના માટે હાલ ચૂંટણીની સ્ટ્રેટેજી ગોઠવી રહ્યા છે. ગયા વર્ષની ચૂંટણીમાં બીએસ અગ્રવાલ કેમ્પના ઉમેદવાર ભદ્રેશ શાહ હતા એ વખતે  જે પરિસ્થિતિ સર્જાયેલી એ જ પરિસ્થિતિ આ વખતે પણ સર્જાવા પામી છે. બીએસ અગ્રવાલથી નાખુશ તમામ લોકો આજે મિતિષ મોદી કેમ્પમાં છે અને જોરશોરથી તેમનો પ્રચાર કરી રહ્યા છે. બીએસ અગ્રવાલ વિરોધીઓ એટલા માટે દિનેશ નાવડીયા સક્ષમ ઉમેદવાર હોવા છતાં તેમની વિરુદ્ધ બેઠા છે કેમકે જો હાલમાં કોઇપણ પ્રકારના પાવરમાં ન હોવા છતાં બીએસ અગ્રવાલ ચેમ્બરના વહીવટમાં ખટપટો કર્યા કરતા હોય તો પાવરમાં આવ્યા પછી તેઓ મુશ્કેલી વધારશે.

ચેમ્બરના હિસાબો માંગવાથી લઇને મેનેજિંગ કમિટીની ચૂંટણી સુધીની માગણીઓ માટે બીએસ અગ્રવાલે જે હથકંડા અપનાવ્યા એ હથકંડાઓએ તેમની વિરુદ્ધ નારાજગી વધારી મૂકી 

ચેમ્બરના હિસાબોથી લઇને મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા સુધીની બીએસ અગ્રવાલની માગણીઓ ભલે વ્યાજબી હોય પરંતુ, જે પ્રકારે તેમણે સત્તાધારીઓને ભીંસમાં લેવાની હરકતો કરી એ હરકતો આજે બીએસ અગ્રવાલ માટે હાથના કર્યા હૈયે વાગે એવી બની છે. બીએસ અગ્રવાલ અલગ ચોકો રચવામાં સફળ નિવડે છે પરંતુ, તેમાં સફળ થવા માટે અનિવાર્ય સંખ્યાબળ કે પાવર સુધી પહોંચી શક્તા નથી.

 

April 18, 2019
dinesh_nava.jpeg
1min5990

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીનો દ્વિપાંખીયો જંગ ખેલી રહેલા શહેરના હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડીયા હાલ મતદારો સાથે વન ટુ વન મિટીંગ કરીને ઘનિષ્ટ પ્રચાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે લોકો ભલે કહેતા કે ચેમ્બરની ચૂંટણી રાજનીતિક પ્લેટફોર્મ પર લડાતી હોય. દિનેશ નાવડીયા કહે છે મારી ઉમેદવારી સ્માર્ટ સિટી સુરતને ભારતના જ નહીં બલ્કે વિશ્વના સ્માર્ટ બિઝનેસ સિટીમાં તબદિલ કરવા માટેની છે.

(Dinesh Navadia, Campaigning with joggers group)

દિનેશ નાવડીયા સાથે શહેરના ટેક્સટાઇલ અગ્રણીઓ, બાંધકામ ઉદ્યોગના આગેવાનો, હીરા ઉદ્યોગપતિઓ સતત સાથે રહીને મતદારોને વન ટુ વન મળીને તેમની ઉમેદવારીનો હેતુ તેમજ ભાવિ પ્લાનિંગ સમજાવી રહ્યા છે.

દિનેશ નાવડીયા કહે છે કે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ દરેક પ્રકારના વ્યવસાયીઓથી લઇને ઉદ્યોગપતિઓ, ધંધાર્થીઓનું નેતૃત્વ કરતી સંસ્થા છે. આ એવું પ્લેટફોર્મ છે કે જેના પર સુરતનું અર્થતંત્ર નિર્ભર રહેલું છે. ચેમ્બરની લિડરશીપ ધારે તો આ શહેરના ભારતના જ નહીં બલ્કે વિશ્વના સ્માર્ટ બિઝનેસ સિટીમાં તબદિલ કરી શકે તેમ છે.

દિનેશ નાવડીયાનું કાર્યાલય 18-20 કલાક ધમધમી રહ્યું છે. માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરીને ચેમ્બરના ઉદ્યોગપતિ મતદાતાઓને કેમ દિનેશ નાવડીયા સર્વમાન્ય અને તટસ્થ ઉમેદવાર છે એ સમજાવવામાં આવી રહ્યું છે. પ્રભાવશાળી નેતૃત્વ શક્તિ ધરાવતા વિશેષ દિનેશ નાવડીયાના કેમ્પેનર્સ એવું માને છે કે તેઓ મતદારોને રિઝવવા માટે હરીફ ઉમેદવારને નીચા દેખાડવાની તેમની નીતિ હરગીઝ નથી. તેઓ ફક્ત પોતાનું વિઝન ચેમ્બરના ઉદ્યોગપતિઓને દેખાડી રહ્યા છે.