Surat Fire : ગુજરાત સરકારને માનવ અધિકાર પંચની નોટિસ
સુરતમાં આગ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા તે સંબંધમાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)એ ગુજરાત સરકારને નોટિસ મોકલી છે. એનએચઆરસીએ ‘સુઓ મોટો’ (આપમેળે) ઘટનાની નોંધ લીધી હતી. માનવ અધિકાર પંચે એક નિવેદનમાં કહ્યું કે, ‘વિદ્યાર્થીઓના માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે તે જોતાં ગુજરાત સરકારના મુખ્ય સચિવને નોટિસ મોકલવામાં આવી છે. બિલ્ડિંગના માલિક અને અન્ય ગુનેગારો સામે નોંધવામાં આવેલી ફોજદારી કેસ સંબંધિત સરકારી કર્મચારીઓ સામે ભરવામાં આવેલા પગલાં વિગેરેનો અહેવાલ મગાવવામાં આવ્યો છે. બિલ્ડિંગની કાયદેસરતા, બાંધકામ, ફાયર ફાઈટિંગ માટેના સાધનો, ફાયર સેફટી માટેની મંજૂરી, શોકગ્રસ્ત પરિવારોને આપવામાં આવેલી રાહત વિગેરે વિગતો પણ મુખ્ય સચિવે આપવાની રહેશે.’
માનવ અધિકાર પંચે કહ્યું કે, ‘ઈજાગ્રસ્તોને સારામાં સારી નિ:શુલ્ક સારવાર મળવી જોઈએ.’ નોટિસનો જવાબ ચાર સપ્તાહમાં માગવામાં આવ્યો હતો.
પંચે અવલોકન કર્યું હતું કે, ‘મીડિયા અહેવાલોથી જાણવા મળે છે કે ભોગ બનેલાઓ માટે બહાર જવાનો સુરક્ષિત માર્ગ ન હતો. શોકગ્રસ્ત પરિવારોને ફક્ત વળતર ચૂકવવું આવા જોખમો સામેનો ઉકેલ બની શકે નહીં.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now